________________
૪૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૭-૧૮ આ પ્રકારે ગ્રંથકારશ્રીએ પ્રતિબંદી ઉત્તર આપ્યો તે પ્રમાણે જો દિગંબર ધર્માસ્તિકાયાદિને અખંડ દ્રવ્ય સ્વીકારે તો કાળને પણ અખંડ દ્રવ્ય સ્વીકારવું જોઈએ અથવા પૂર્વમાં પ્રતિબંદી ઉત્તર આપ્યો તે પ્રમાણે જો દિગંબર કાળને અણુપ્રમાણ સ્વીકારે તો ધર્માસ્તિકાયાદિને પણ અણુપ્રમાણ સ્વીકારવા જોઈએ. આ બંને પ્રકારના પ્રતિબંદી દૂષણના પરિહાર અર્થે દિગંબરો શું કહે છે? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ધર્માસ્તિકાયાદિના અધિકારથી જીવ-પુદ્ગલસાધારણ ગતિeતુતાની ઉપસ્થિતિ થાય છે પરંતુ મંદગતિવાળા પરમાણુની ગતિમાત્રની ઉપસ્થિતિ થતી નથી માટે ધર્માસ્તિકાયને અખંડ દ્રવ્ય જ કલ્પવું જોઈએ અને કાળદ્રવ્યની કલ્પના માટે મંદગતિથી અન્ય આકાશમાં જતા પરમાણુની જ ઉપસ્થિતિ થાય છે માટે કાળદ્રવ્યને અણુપ્રમાણ જ કલ્પવો જોઈએ.' એમ દિગંબરો કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારની કલ્પનામાં દિગંબરના અભિનિવેશ સિવાય બીજું કોઈ કારણ નથી; કેમ કે જેમ ધર્માસ્તિકાય જીવન અને પુદ્ગલને ગતિમાં સહાય કરે છે તેને આશ્રયીને તેને અખંડ દ્રવ્ય કહ્યું, તેમ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોમાં પ્રતિસમય નવા નવા ભાવરૂપે વર્તના થાય છે તેમાં હેતુ જો કાલાણુ છે એમ દિગંબર સ્વીકારે તો, કાલાણુ દ્રવ્યનો કલ્પક મંદગતિવાળા અણુની વર્તમાના હેતુપણાની સ્થિતિ કારણ છે તેમ કહેવામાં દિગંબરની સ્વકલ્પના જ અભિનિવેશવાળી છે, તેમ માનવું પડે; કેમ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને અંધ માનવામાં જે યુક્તિ છે તે યુક્તિ કાલાણુને પણ સ્કંધ માનવામાં વિદ્યમાન હોવા છતાં તેને સ્વીકાર્યા વગર સ્વકલ્પના અનુસાર કાલાણુને અણુપ્રમાણ સ્થાપન કરવું તે વિચારકને માટે ઉચિત નથી એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. I/૧૦/૧ણી અવતરણિકા -
ગાથા-૧૭માં કાળને દ્રવ્યરૂપે સ્વીકારનાર દિગંબરને પ્રતિબદી દૂષણ બતાવી તે દૂષણના પરિહારરૂપે દિગંબરો શું કહી શકે? તે બતાવીને કાળને ઉપચારથી દ્રવ્ય સ્વીકારવું ઉચિત છે, તે બતાવે છે – ગાથા -
અપ્રદેશતારે અનાસરી, જે અણ કહિંઈ રે તેહ
તો પર્યાયવચનથી જોડિઈ, ઉપચારઈ સવિ એહ. સમ0 I૧૦/૧૮li ગાથાર્થ :
સૂત્રને અનુસરીને અપ્રદેશતા છે એમ જો તેહ કાળ, અણુ કહીએ અણુપરિમાણ છે પરંતુ સ્કંધપરિમાણ નથી એમ કહીએ, તો પર્યાયવચનથી કાળને જીવ-અજીવના પર્યાયરૂપ કહેનારા વચનથી, જોડવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, કાળને દ્રવ્ય કહેનારાં વચન છે અને લોકાકાશપ્રમાણ કહેનારાં પણ વચન છે એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ગાથા-૧૨ અને ૧૫માં બતાવેલ. તેથી કાળને ઉપચારથી દ્રવ્ય કેમ સ્વીકારી શકાય ? તેથી કહે છે –