________________
૪૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૭ બાર્થઃ
એમ જો=ગાથા-૧૪માં દિગંબરે સ્થાપન કર્યું કે મંદગતિમાં અણુના સંચરણને આશ્રયીને સમયનું ભાજનદ્રવ્ય કાલ છે એમ જો, અણુની મંદ ગતિરૂપ કાર્ય, એ કાર્યના હેતુપર્યાયરૂપ જે સમય, તેનું ભાજનદ્રવ્ય સમય=કા, અણુ કલ્પના કરીએ=દિગંબરોએ ચૌદ રાજલોકમાં અણપ્રમાણ રત્નના ઢગલારૂપે કાળદ્રવ્યની કલ્પના કરી એમ કલ્પના કરીએ, તો અણુની મંદગતિની હેતુતારૂપ ગુણનું ભાજન એવું ધમસ્તિકાય પણ સિદ્ધ થાય=એક અખંડ દ્રવ્યરૂપે ધમસ્તિકાયને બદલે રત્નના ઢગલા જેવા ધર્માસ્તિકાય પણ અણુરૂપે સિદ્ધ થાય. એમ-એમ સ્વીકારીએ તો, અધમસ્તિકાય આદિ અણુઓનો પણ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આદિનો પણ, અણુનો પ્રસંગ પ્રાપ્ત થાય.
આ પ્રકારે દિગંબરને પ્રતિબંદી દૂષણ ગ્રંથકારશ્રીએ આપ્યું. તેનું નિરાકરણ કરવા માટે તે શું કહે ? તે બતાવીને તેમાં પણ દોષ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
અને જો, દિગંબર કહે કે, સર્વસાધારણ ગતિ હેતુતાદિક લઈને=મંદગતિવાળા અણુમાત્ર નહીં પરંતુ મંદગતિવાળા અને તીવ્રગતિવાળા જીવો તથા પુગલો તે સર્વતી સાધારણ ગતિની હેતુતાદિકને લઈને, ધમસ્તિકાય આદિને એક જ સ્કંધરૂપ દ્રવ્ય કલ્પના કરે=કાલાણુની જેમ પરમાણુ નહીં પરંતુ એક જ સ્કંધરૂપ દ્રવ્યની દિગંબર કલ્પના કરે, અને તે એક જ સ્કંધરૂપ દ્રવ્યના દેશ, પ્રદેશની કલ્પના વ્યવહારના અનુરોધથી પાછળથી દિગંબર કરે તો, સર્વ જીવ-અજીવદ્રવ્યસાધારણ વર્તવાહેતતા ગુણને લઈને=જીવ-અજીવ સર્વ દ્રવ્યની વર્તવાનો હેતુ કાળ હોવાથી સર્વ જીવ-અજીવદ્રવ્યસાધારણ વર્તનાના નિમિતકારણરૂપ ગુણને લઈને, કાળદ્રવ્યને પણ લોકપ્રમાણ એક કલ્પવું જોઈએ=દિગંબરે ધર્માસ્તિકાયાદિની જેમ કાળદ્રવ્યને પણ લોકપ્રમાણ એક અખંડ દ્રવ્ય કલ્પવું જોઈએ.
ધમસ્તિકાયાદિના અધિકારે, સાધારણ ગતિeતુતાદિની ઉપસ્થિતિ જકજીવ-પુદ્ગલ સાધારણ ગતિeતાદિની ઉપસ્થિતિ જ, કલ્પક છે=ધમસ્તિકાયાદિને એક અખંડ દ્રવ્ય સ્વીકારવામાં કલ્પક છે, અને “કાળદ્રવ્યનો કલ્પક તે-નંદાણુવનાહતતાની ઉપસ્થિતિ જ છે=સર્વ જીવ-અજવસાધારણ વર્તવાહેતુતાની ઉપસ્થિતિ કાળદ્રવ્યનો કલ્પક નથી પરંતુ મંદાણુવર્તના હેતુત્વની જ ઉપસ્થિતિ છે, એ પ્રકારની કલ્પનામાંએ પ્રકારની દિગંબરની કલ્પનામાં, તો અભિનિવેશ વિના=સ્વમતના વિચાર્યા વગર પક્ષપાતના અભિનિવેશ વિના, બીજું કોઈ કારણ નથી યુક્તિ કે આગમવચન પ્રમાણ નથી. II૧૦/૧૭શા
ભાવાર્થ :
ગાથા-૧૪માં બતાવ્યું એ પ્રમાણે પરમાણુ જ્યારે મંદગતિથી આકાશપ્રદેશમાં સંચરણ કરતો હોય ત્યારે નજીકના આકાશપ્રદેશમાં સંચરણને માટે જેટલો અવધિ પ્રાપ્ત થાય તે અવધિને દિગંબરો સમય સ્વીકારે છે અને શ્વેતાંબર મત “તત્ત્વાર્થ સૂત્ર' અનુસાર તેને સમય સ્વીકારે છે પરંતુ તે સમયદ્રવ્યનું ભાજનદ્રવ્ય