________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૮
૪૫ એહ સવિ કાળને દ્રવ્ય કહેનારાં અને લોકાકાશ પ્રદેશપ્રમાણ કહેનારાં એ સર્વ વચન, ઉપચારથી કહેનારાં છે. II૧૦-૧૮II ટબો:
હવઈ, ઈમ કહસ્ય, જે, “સૂત્ર કાલ અપ્રદેશ કહિ છઈ, તેહનઈં અનુસાઈં કાલાણ કહિઈં,” તો સર્વઈ જીવાજીવપર્યાયરૂપ જ કાલ કહિઓ છઈ, તેહમાંહઈં વિધ ભયથી દ્રવ્યકાલ પણિ કિમ કહો છ ? તે માટૐ કાલનઈં દ્રવ્યત્વવચન તથા લોકાકાશપ્રદેશપ્રમાણ અણુવચન-એ સર્વ ઉપચારઈં જેડિઈ. મુખ્યવૃત્તિ તે પર્યાયરૂપ કાલ જ સૂત્રસંમત છઈ. ગત સ્વ-“રાષેત્યે .” (તત્વાર્થસૂત્ર, અ૦ ૫, સૂ૦ ૩૮) ઈહાં - વચનઈં સર્વસમ્મતત્વાભાવ સૂચિ6. /૧૦/૧૮ ટબાર્થ :
હવે જો એમ કહેશો=એમ દિગંબર કહે, જે સૂત્રમાં કાળ અપ્રદેશી કહ્યા છે તેને અનુસરીને કાળને અણુ કહીએ છીએ અર્થાત્ સ્કંધ અમે કહેતા નથી પરંતુ અણુ કહીએ છીએ, તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
સર્વત્ર=આગમમાં સર્વત્ર, જીવ-અજીવ પર્યાયરૂપ જ કાળ કહ્યો છે તેના વિરોધના ભયથી= આગમના વિરોધના ભયથી, દ્રવ્યકાળ પણ કેમ કહો છો ?=આગમના વિરોધના ભયથી કાળને સ્કંધરૂપે નહીં સ્વીકારવાને બદલે દિગંબરો કાળને અણુરૂપે કહેતા હોય તો, દિગંબરોએ આગમના વિરોધના ભયથી દ્રવ્યકાળ પણ ન કહેવો જોઈએ.
તે માટે=આગમના વિરોધના ભયથી દ્રવ્યકાળ ન સ્વીકારવો જોઈએ તે માટે, કાળને કહેનારું દ્રવ્યત્વ વચન અને લોકાકાશ પ્રદેશપ્રમાણ અણુવચન-એ સર્વ ઉપચારથી જોડવું જોઈએ=કાળદ્રવ્ય નથી પરંતુ ઉપચારથી જ કાળને દ્રવ્યરૂપે કે લોકાકાશ પ્રદેશપ્રમાણરૂપે જોડવા જોઈએ. મુખ્યવૃત્તિએ તે કાળ, પર્યાયરૂપ કાળ જ સૂત્રસંમત છે. ગત વ=આથી જ=કાળ પર્યાયરૂપે જ સંમત છે આથી જ, તન્વેન્ચે “અને કાળ=કાળદ્રવ્ય છે. એ પ્રમાણે એક આચાર્ય કહે છે.” (તત્વાર્થસૂત્ર, અધ્યાય-૫, શ્લોક-૩૮) અહીં તત્વાર્થસૂત્રના વચનમાં, “ઘ' એ વચનથી સર્વ સમ્મતત્વનો અભાવ સૂચવ્યો છે. I૧૦/૧૮II ભાવાર્થ :
ગાથા-૧૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, મંદાણુ ગતિના કાર્યરૂપે સ્વીકારીને કાળને અણુપરિમાણરૂપે દિગંબરો સ્વીકારતા હોય તો ધર્માસ્તિકાય આદિને પણ અણુપરિમાણ માનવા જોઈએ અને જો ધર્માસ્તિકાયાદિને એક સ્કંધરૂપે સ્વીકારતા હોય તો દિગંબરોએ કાળને પણ એક સ્કંધરૂપ ચૌદ રાજલોકપ્રમાણ સ્વીકારવો