________________
૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૧-૧૦
ટબાર્થ -
સમયમાં કહેતાં સૂત્રમાં, તે કાલદ્રવ્ય, જીવ-અજીવરૂપ જ કહ્યું છે. તે કારણે જુદા–જીવ-અજીવથી ભિન્ન, દ્રવ્યરૂપ કેમ કહેવાય ? અર્થાત જીવ-અજીવથી જુદા એવા અજીવરૂપ કાળદ્રવ્ય ભિન્નરૂપ સ્વીકારી શકાય નહીં.
અને તે રીતે=જીવ-અજીવસ્વરૂપ કાળદ્રવ્ય છે તે રીતે, “જીવાભિગમ” સૂત્રમાં કહ્યું છે –
બંતે !=હે ભગવંત!, વિમર્થ ‘ાતોત્તિ પવુષ્યરૂં ?="આ કાળ' એ પ્રમાણે શું કહેવાય છે? તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે – જોયમાં !="હે ગૌતમ !, નવા વેવ નીવા વેવ ત્તિ=જીવ અને અજીવ જ કાળ છે”=જીવના અને અજીવના પર્યાયસ્વરૂપ જ કાળ છે.
એક આચાર્યે એ પ્રમાણે= જીવાભિગમાદિમાં કહ્યું છે એ પ્રમાણે, કાળદ્રવ્ય વખાણ્યું છે. શું કરતાં વખાણ્યું છે ? તેથી ગાથાના અંતિમ પાદથી કહે છે – સિદ્ધાંતપાઠને અનુસાર શ્રુતમતિને અનુસાર, શુભમતિની રેખાને ધારણ કરતાં કાળદ્રવ્ય વખાણ્યું છે. I૧૦/૧૧] . ભાવાર્થ:
જીવાભિગમ' આદિ સૂત્રમાં ગૌતમસ્વામી વિરપ્રભુને પૃચ્છા કરે છે કે “હે ભગવંત ! આ કાળ શું કહેવાય ?' તેનો ઉત્તર આપતાં ભગવાને કહ્યું છે કે “હે ગૌતમ ! આ કાળ જીવ-અજીવસ્વરૂપ જ છે'. ‘જીવાભિગમના તે વચનને અનુસરીને અનુભવ અનુસાર પદાર્થને જોનારી શુભમતિવાળા એક આચાર્યએ કાળદ્રવ્યને જીવઅજીવના પર્યાયસ્વરૂપે જ વખાણ્યું છે. તેથી (૧) જીવ અને (૨) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયરૂપ અજીવ - એ બેથી પૃથગુ એવું સ્વતંત્ર કાળદ્રવ્ય કઈ રીતે કહી શકાય? અર્થાત્ કહી શકાય નહીં. માટે જિનવચનાનુસાર એક જીવદ્રવ્ય અને ચાર અજીવદ્રવ્ય એમ કુલ પાંચ દ્રવ્યો છે તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ તે પાંચ દ્રવ્યથી અતિરિક્ત કાળદ્રવ્ય છે તેમ સ્વીકારવું ઉચિત નથી. II૧૦/૧૧ાા અવતરણિકા -
સૂત્રને અવલંબીને એક આચાર્ય પાંચ દ્રવ્યથી અતિરિક્ત કાળદ્રવ્ય નથી' એમ કહે છે તેમ ' ગાથા-૧૧માં સ્થાપન કર્યું. હવે તેના વિષયમાં બીજા આચાર્ય શું કહે છે? તે ગ્રંથકારશ્રી બતાવે
છે –
ગાથા :
બીજા ભાષઈ રે જોઈ ચક્રનઈ, ચારઈ જે થિતિ તાસ; કાલ અપેક્ષા રે કારણ દ્રવ્ય છઈ, ષટની મજાવભાસ. સમe II૧૦/૧શા