________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૭ નિરંતર સ્થિતિસ્વભાવ પણિ કિમ કીજઈ ? તે માર્ટિ-શ્રી નિનવાજીનો પરમાર્થ સંભાલીનઈ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય-એ ૨ દ્રવ્ય અસંકીર્ણસ્વભાવ માંનવાં. ૧૦/કશા ટબાર્થ -
જો સર્વ જીવતી અને સર્વ પુગલની સાધારણ સ્થિતિનો હેતુ અધમસ્તિકાય દ્રવ્ય ન કહીએ, પરંતુ “ધમસ્તિકાયના અભાવથી પ્રયુક્ત ગતિના અભાવે અલોકાકાશમાં સ્થિતિનો અભાવ છે'=જીવ અને પુદ્ગલ દ્રવ્યની સ્થિતિનો અભાવ છે, એમ કહીએ તો અલોકાકાશમાં કોઈક સ્થાનમાં ગતિ વગર પગલ અને જીવદ્રવ્યની નિત્યસ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ પરંતુ અલોકાકાશમાં આવતી અને પુદ્ગલની નિત્યસ્થિતિ શાસ્ત્રસંમત નથી માટે જિનવચનાનુસાર અધમસ્તિકાયને સ્થિતિનો હેતુ માનવો જોઈએ.
બી=બીજી યુક્તિ બતાવે છે – ગતિ અને સ્થિતિ-સ્વતંત્ર પર્યાયરૂપ છે=જીવમાં અને પગલમાં થતી ગતિ અને સ્થિતિ જીવતો અને પુદગલનો સ્વતંત્ર પર્યાય છે. જેમ ગુરુત્વ અને લઘુત્ર બે સ્વતંત્ર પર્યાય છે. એકને=ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-એ બેમાંથી એકને, એકના અભાવરૂપ કહેતાં= ધર્માસ્તિકાય એ અધર્માસ્તિકાયના અભાવરૂપ છે અથવા અધમસ્તિકાય એ ધર્માસ્તિકાયના અભાવરૂપ છે એમ કહેતાં, વિશેષગ્રાહક પ્રમાણ નથી=તે બેમાંથી કોને કોના અભાવરૂપ કહેવું તે રૂપ વિશેષની ગ્રાહક એવી કોઈ યુક્તિ નથી. તે માટે=ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-બેને અન્યના અભાવરૂપે કહી શકાય નહીં તે માટે, કાર્યના ભેદથી જીવમાં અને પુદ્ગલમાં થતા ગતિપર્યાય અને સ્થિતિ પર્યાયરૂપ કાર્યના ભેદથી, અપેક્ષાકારણરૂપ દ્રવ્યનો ભેદગતિમાં અપેક્ષાકારણ અને સ્થિતિમાં અપેક્ષાકારણ એવા બે દ્રવ્યનો ભેદ, અવશ્ય માનવો.
પૂર્વમાં કહ્યું કે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બેમાંથી એકના અભાવરૂપ અન્યને કહેવામાં વિશેષગ્રાહક પ્રમાણ નથી. હવે યુક્તિથી પણ એકના અભાવરૂપ અન્યને સ્વીકારી ન શકાય, તે બતાવવા અર્થે કહે છે –
ધમસ્તિકાયના અભાવરૂપ કહેતાં=ધર્માસ્તિકાયના અભાવરૂપ અધર્માસ્તિકાય છે એમ કહેતાં, ધર્માસ્તિકાયના અભાવથી પ્રયુક્ત ગતિના અભાવને સ્થિતિનો ભાવ કહીને, અધર્માસ્તિકાયનો અપલાપ કરવામાં આવે તો, અધમસ્તિકાયના અભાવથી પ્રયુક્ત સ્થિતિના ભાવને સ્વીકારીને ગતિનો અભાવ કહી=જીવતી અને પુદગલની ગતિનો અભાવ સ્વીકારીને, ધર્માસ્તિકાયનો પણ અપલોપ થાય.
પૂર્વમાં કહેલ કે, જો ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોય તો, અલોકાકાશમાં કોઈક સ્થાનમાં જીવની અને પુલની નિત્યસ્થિતિ માનવી જોઈએ. ત્યાં પૂર્વપક્ષી કહે કે, અમે અલોકાકાશમાં કોઈ સ્થાનમાં જીવ અને પુદ્ગલ નિત્યસ્થિતિસ્વભાવવાળા છે તેમ સ્વીકારી લઈશું. તેને ગ્રંથકારશ્રી દોષ આપતાં કહે છે –
લોકાકાશમાં નિરંતર ગતિ સ્વભાવવાળું દ્રવ્ય સ્વીકાર્યું નથી તો નિરંતર સ્થિતિસ્વભાવવાળું દ્રવ્ય પણ કેવી રીતે સ્વીકારી શકાય ? અર્થાત્ જો લોકાકાશમાં નિત્ય ગતિ સ્વભાવવાળું દ્રવ્ય પ્રાપ્ત થતું