________________
૧૨
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦| ગાથા-૫
ગાથા -
થિતિ પરિણામી રે પુદગલ-જીવની, થિતિનો હેતુ અધર્મ;
સવિ સાધારણ ગતિ, થિતિ-હેતુતા, દોઈ દ્રવ્યનો રે ધર્મ. સમe II૧૦/પા ગાથાર્થ -
સ્થિતિપરિણામી એવા જીવની અને પુદ્ગલની સ્થિતિનો હેતુ અધર્મ છે અધર્માસ્તિકાય છે. સવિસાધારણ=જીવ અને પુદગલ-સર્વસાધારણ, ગતિની અને સ્થિતિની હેતુતા બે દ્રવ્યનો= ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-બે દ્રવ્યનો, ધર્મ છે. ૧૦/પા. ટબો:આ સ્થિતિ પરિણામી પુદ્ગલ, જીવ-દ્રવ્ય, તેહોની સ્થિતિનો હેતુ કહિઈ-અપેક્ષાકારણ, જે દ્રવ્ય તે-અધર્માસ્તિકાય જાણોં. (“અહો યાત્તિdળો” તિ વરના I) ગતિ, રિથતિપરિણત સકલદ્રવ્યનું જે એક એક દ્રવ્ય લાઘવઈ કારણ સિદ્ધ હોઈ, તે એ ૨ દ્રવ્ય જાણવાં. તેણઈ કરી ઝષાદિ ગત્યપેક્ષાકારણ-જલાદિ-દ્રવ્યનઈ વિષઈ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યલક્ષણની અતિવ્યાપ્તિ ન હોઈ. ૧૦/પા ટબાર્થ :
સ્થિતિપરિણામી જે પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય, તેઓની સ્થિતિનો હેતુ કહેતાં અપેક્ષાકારણ, જે દ્રવ્ય, તે અધમસ્તિકાય જાણવો. ગતિસ્થિતિપરિણત સકલ દ્રવ્યનું જે એકેક દ્રવ્ય લાઘવથી કારણ સિદ્ધ થાય=ગતિપરિણત પ્રત્યે એક દ્રવ્ય ધમસ્તિકાય અને સ્થિતિ પરિણત પ્રત્યે એક દ્રવ્ય અધમસ્તિકાય લાઘવથી કારણ સિદ્ધ થાય, તે એ બે દ્રવ્ય જાણવાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયરૂપ બે દ્રવ્ય જાણવાં. તેથી કરી માછલી આદિના ગતિના અપેક્ષાકારણ જલાદિ દ્રવ્યના વિષયમાં ધમસ્તિકાયાદિ દ્રવ્યલક્ષણની અતિવ્યાપ્તિ થાય નહીં. II૧૦/પા ભાવાર્થ
ગાથાના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી અધર્માસ્તિકાયનું લક્ષણ બતાવે છે –
પુદ્ગલ અને જીવ-બે દ્રવ્ય ગતિપરિણામવાળાં હોય છે. તેઓ સતત ગતિપરિણામવાળા રહેતા નથી પરંતુ ક્યારેક કોઈક આકાશ પ્રત્યે પુદ્ગલ સ્થિર થાય છે ત્યારે તે પુગલો સ્થિતિ પરિણામવાળા બને છે અને જીવ પણ ગમનચેષ્ટાથી નિવૃત્ત થઈને સ્થિર થાય છે, તે સ્થિતિ પરિણામ છે. વળી, યોગીઓ મનને સ્થિર કરવા યત્ન કરે છે ત્યારે તેઓ કોઈક ઉચિત પદાર્થને અવલંબીને સ્થિર થવા યત્ન કરે છે તે વખતે યોગીનો આત્મા અબાસ્તિકાયનું અવલંબન લે છે. આ રીતે જીવો અને પુદ્ગલો અધર્માસ્તિકાયનું અવલંબન લઈને સ્થિરપરિણામવાળા બને છે. તેથી તેઓની સ્થિતિ પ્રત્યે અધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે.