________________
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
भा० शास्त्रानुपूर्वीविन्यासार्थं तु उद्देशमात्रमिदमुच्यते ।
यदि 'तर्हि लक्षणविधानाभ्यामुत्तरत्रोपदेक्ष्यसि ततस्तमेव ब्रूहि किमनेनाद्यसूत्रोपन्यासेन सङ्क्षेपार्थाभिधायिनाऽनर्थकेनेति चोदितः प्रत्याह - शास्त्रानुपूर्वीत्यादि । मुख्यपुरुषार्थसाधनसाध्याव्यभिचारशासनात् शास्त्रमिष्टं प्रमाणप्रमेयसिद्धिनिरूपणं च तस्य आनुपूर्वी क्रम:परिपाटी, तस्या विन्यासो रचना, तत्प्रयोजनार्थम्, तुशब्दाल्लाभक्रमप्रदर्शनार्थं च । शुश्रूषूणां અને પરના બોધ માટે વિસ્તારથી કહીશું...
સૂ॰ ? ]
११
ચંદ્રપ્રભાઃ ટીકામાં ભાષ્યના વિસ્તાર રૂપે તત્ત્વાર્થશ્રદ્ધાનં૰ એવા સૂત્રનો નિર્દેશ કરેલો છે. આથી સૂત્ર અને ભાષ્ય એ બન્નેય શાસ્ત્રોનો અભેદ છે એવો ટીકાકારનો અભિપ્રાય જણાય છે.
શંકા : જો તમે પૂર્વોક્ત સંક્ષિપ્ત સૂત્રને જ આગળ (i) લક્ષણ અને (ii) ભેદપૂર્વક વિસ્તારથી કહેવાના છો, તો તે વિસ્તૃત-અર્થને જ પહેલેથી કહોને ? વિસ્તાર-અર્થમાં સંક્ષિપ્ત અર્થ આવી જ જશે. આથી પહેલું સામાન્ય અર્થ જણાવનારું સૂત્ર મૂકવાની શી જરૂર છે ? આ સૂત્ર તો સંક્ષેપથી અર્થનું પ્રતિપાદન કરનારું હોવાથી અનર્થક છે. આ પ્રમાણે અન્ય વ્યક્તિ દ્વારા શંકા ઉઠાવાતા ભાષ્યકાર મહર્ષિ જવાબ આપે છે -
ભાષ્ય : શાસ્ત્રની આનુપૂર્વી = ક્રમની રચના જણાવવા માટે ઉદ્દેશ માત્ર રૂપ આ સૂત્ર કહેવાય છે.
પ્રેમપ્રભા : સમાધાન : શાસ્ત્રનો અનુક્રમ (આનુપૂર્વી) જણાવવા માટે આ ઉદ્દેશમાત્ર રૂપ સૂત્રની રચના કરેલી છે. શાસ્ત્ર કોને કહેવાય ? તે જણાવતાં ટીકાકાર બે વાત કહે છે - (૧) મુખ્ય જે પુરુષાર્થ = મોક્ષ, તેના સાધનમાં (પ્રસ્તુતમાં સમ્યગ્દર્શનાદિ ત્રણમાં) સાધ્ય સાથેના (અર્થાત્ મોક્ષ સાથેના) અવ્યભિચારનું - અવિસંવાદિતાનું શાસન/કથન કરવાથી શાસ્ત્ર કહેવાય - અર્થાત્ મોક્ષના પૂર્વોક્ત સમ્યગ્દર્શનાદિ રૂપ સાધનમાં જે અવશ્ય સ્વ-સાધ્યના (મોક્ષના) સાધકપણાનું પ્રતિપાદન કરે તે અહીં શાસ્ત્ર તરીકે ઈષ્ટ છે. (અથવા શાસ્ત્ર રૂદ્ર્ષ્ટમ્ પદોનો બીજો અર્થ આ પ્રમાણે પણ થઈ શકે - શાસ્ત્ર = એટલે ઈષ્ટ. ઈષ્ટનો અર્થ છે પોતાના મતમાં/દર્શનમાં સ્વીકારેલ સિદ્ધાંત...) (૨) શાસ્ત્રનું બીજું સ્વરૂપ કહે છે - પ્રમાણ-પ્રમેયસિદ્વિનિરૂપળ હૈં। જેમાં પ્રમાણ અને પ્રમેયની સિદ્ધિનુ નિરૂપણ હોય તે શાસ્ત્ર કહેવાય. આમ પ્રથમ સૂત્રની રચનાના કુલ ત્રણ પ્રયોજન બતાવેલાં છે.
૧. સર્વપ્રતિષુ । તં હિ મુ. ।