________________
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય
૧૧
ઊંઘવું, જોવું, સૂંઘવું, સાંભળવું વગેરે દેહ ને ઇંદ્રિયનાં કાર્યોમાંથી આત્માને પોતાનું હિત કરવાનો અવકાશ જ મળતો નથી; દેહને રાજા બનાવી દીધો છે ને આત્મા નોકર થઈ ગયો છે. આત્મા સુખી છે કે દુ:ખી ? તે વિચારવાનો પણ વખત નથી. મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એ સંભાળ લેવાતી નથી. આત્માર્થે કંઈ પુરુષાર્થ થતો નથી.
દેહ અને ઇન્દ્રિયથી પ્રાપ્ત થતા બાહ્ય પદાર્થો છે, તેમાં રાગ કરીને જીવ કર્મબંધ કરી રહ્યો છે. તે બાહ્ય પ્રવૃત્તિથી નિવર્તીને આત્માના હિતમાં જોડાવા અહીં બોધ કર્યો છે. બાહ્યાત્મા મટી અંતરાત્મા થવા આ ૨૦ દોહામાં સમજાવ્યું છે. મન-વૃત્તિને આત્માર્થમાં જોડવાનાં સાધન જેવાં કે અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન ઇત્યાદિ છે. તેથી મન આત્માને આધીન થાય ને દેહ ને ઇન્દ્રિયોને આત્માર્થે પ્રવર્તાવી શકાય. પરંતુ તે પણ મારાથી બનતું નથી.
તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ હું દેહ ને ઇન્દ્રિયને વશ છું, ત્યાં સત્પુરુષ સિવાય કોઈ બચાવે તેમ નથી. પરંતુ તેમનો મને વિયોગ છે. કોઈ પ્રિય જનનો કે હિતસ્ત્રીનો વિયોગ થાય તો ઘડી ઘડી સાંભરે. પરંતુ વચન ને નયન દ્વારા વૃત્તિ બહાર ફરતી હોવાથી તેવું સ્મરણ પણ થતું નથી. વિયોગ હોય છતાં ચિત્ત ત્યાં લાગ્યું હોય તો તેનું જ રટણ રહે અને નજર સામે તેની જ મૂર્તિ દેખાય. જે રીતે ૧ જુઓ પત્રસુધા પત્ર નં. ૨૪૮,૫૫૦