________________
૪૫
માર્ગાનુસારિતા... કદાગ્રહનો પરાજય
આજે તો તીર્થકર ભગવંત હાજર નથી. કેવળજ્ઞાની તેમજ પૂર્વધરોનો પણ વિરહ છે. 'જિન-કેવળી-પૂર્વધર વિરહ ફણિરામ પંયમકાળ રે
તેહનું ઝેર નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબ રે. - જિનેશ્વર ભગવંતો, કેવળજ્ઞાની ભગવંતો અને પૂર્વધરોના વિરહથી પંયમકાળ ફણિધર જેવો થઈ ગયો છે. આવા પંયમકાળમાં - મણિસમ પ્રભુ આગમ અને પ્રભુબિંબ છે.
કાળના પ્રવાહે આજે એક વર્ગે આગમ છોડી દીધા છે. કદાગ્રહને વશ થઈ વળી એક વર્ગે જિનપ્રતિમાને છોડી દીધી છે. તો જે જિનધર્મનું સ્વરૂપ જ દયા છે તેવા જીવદયાના સિદ્ધાંતને પણ કેટલાએ છોડી દીધો છે.
અહિંસાયાત્રા કાઢવાનો દેખાવ કરે છે જ્યારે બીજી બાજુ મરતા જીવને બચાવવામાં કે ભૂખ્યા જીવને અન્ન ખવડાવવામાં આ લોકો પાપ માને છે અને પોતાને મહાવીરના ભક્ત માને છે. પ્રભુ ! આજે તો જિનશાસનમાં તારા માર્ગ સામે કેટલાય તત્ત્વો બહારવટે ચડ્યા છે.
કેટલાક એકાંત નિશ્ચયવાદી બની ગયા છે. તપ