________________
૫૭.
લોકવિરુદ્ધત્યાગ........... આર્યત્વની અતર્યાત્રા કારણે સ્વરૂપથી અતિદારૂણ છે. પરંપરાએ મિથ્યાત્વ આગળ વધવાના કારણે આનાથી (લોકવિરૂદ્ધ કાર્યોથી) અત્યંત અશુભના અનુબંધો પડે છે જેની ભયંકર પરંપરા ચાલે છે. માટે જ કહ્યું છે કે -
"लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च सन्त्याज्यम् ।।"
ધર્મ આચરનાર સર્વેને લોક આધાર છે તેથી લોકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધનો અવશ્ય ત્યાગ કરવો.
લોકવિરૂદ્ધમાં કઈ-કઈ વસ્તુઓ આવે તે વિશેષ કરીને વિચારીએ -
લોકોના ચિત્તમાં સંક્લેશ ઉભો કરે, ખેદ-દુર્ભાવ પેદા કરે એવા કાર્યો, એવા બોલ, એવા અનુચિત વ્યવહાર એ લોકવિરુદ્ધ છે.
લોકવિરુદ્ધ કાર્યો ત્રણ પ્રકારના છે - ૧. ઈહલોકવિરુદ્ધ. ૨. પરલોકવિરુદ્ધ. ૩. ઉભયલોકવિરુદ્ધ.
આ ત્રણે પ્રકારના કાર્યો લોકને વિમુખ કરે છે, અધર્મ પમાડે છે, લોકના હૈયામાં સંક્લેશ ઉભો કરે છે, આમ અનેકના સંક્લેશમાં નિમિત્તભૂત થવાથી