________________
૧૮૬
જય વીયરાય
૧૦. સમ્યક્ત્વ ઉચ્ચરવું. "अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो ।
जिणपण्णत्तं तत्तं इअ सम्मत्तं मए गहिअं ।। "
1
અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે. પ્રભુનુ વચન એ જ તત્ત્વ છે. આ સમ્યક્ત્વને હું ગ્રહણ કરું છું.
૧૧. સાધુઓએ અંતિમકાળે પાંચ મહાવ્રત ઉચ્ચરવા. ગૃહસ્થોએ પણ સંથારા દીક્ષા અંતિમકાળે લઈ શકાય. તેમાં પણ સર્વવિરતિ સામાયિક ઉચ્ચરવું, તે શક્ય ન બને તો શ્રાવકના વ્રતોને ઉચ્ચરવા.
૧૨. શક્તિ મુજબ ચારે આહાર કે ત્રણે આહારનો ત્યાગ કરાય. રોજ-રોજના ઉપવાસના પચ્ચક્ખાણ કરી અણસણ કરવું. શક્ય ન હોય તો બીજા વિશેષ તપ વગેરેનો અભિગ્રહ કરવો. મુદ્ઘસી વગેરે અલ્પકાલીન પચ્ચક્ખાણો કરવા.
૧૩. સાધુઓએ ઉપધિ વગેરે વોસિરાવી દેવી. શ્રાવકોએ જરૂરી શરીર-આહાર-વસ્ત્ર-જગા વગેરે રાખી બાકી સર્વ પ્રકારનો પરિગ્રહ વોસિરાવી દેવો. શરીરને પણ છેલ્લે શ્વાસે વોસિરુ છું એમ પરિણામ કરવા. આ માટેની ગાથા રોજ રાત્રે યાદ કરી શકાય.