Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 262
________________ ૨૪૫ પરિશિષ્ટ - ૧ : સૂત્ર - ટીકા અનુવાદ ગાથા - હે વીતરાગ ! હે જગ_રુ ! તમે જય પામો, તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાવ - ૧. ભવનિર્વેદ ૨. માર્ગાનુસારિતા ૩. ઈષ્ટફલસિદ્ધિ ૪. લોકવિરૂદ્ધનો ત્યાગ. ૫. ગુરૂજનપૂજા . પરાર્થકરણ ૭. શુભગુરુનો યોગ ૮. તેમના વચનનું સેવન ભવના અંત સુધી અખંડ. (પ્રાપ્ત થાવ.) ટીકાર્ય - "જય વીતરાગ, ગગુરુ" - આ ત્રણલોકના નાથ ભગવંતને બુદ્ધિમાં સંનિદાન માટે આમંત્રણ છે... મને મારા આત્માને તમારા પ્રભાવથી એટલે તમારા સામર્થ્યથી...'ભગવંત પ્રાપ્ત થાવ (નીચેની વસ્તુઓ). અહિં (પૂર્વે વીતરાગ અને જગદ્ગુરૂ તરીકે સંબોધન કર્યા પછી) ફરીથી "ભગવંત" એ ભક્તિનો અતિશય પ્રગટ કરવા માટે કર્યું છે... શું પ્રાપ્ત થાય ? 'ભવનિર્વેદ' - સંસાર પર નિર્વેદ (કંટાળો). ભવથી વૈરાગ્ય થયા વગર મોક્ષ માટે પ્રયત્ન થતો નથી. સંસારથી નિર્વેદ વગરનાને તેના (સંસાર) પર પ્રતિબંધ હોવાથી મોક્ષ માટે કરાતો યત્ન નિર્જીવ ક્રિયા તુલ્ય હોવાના કારણે અયત્ન જ છે નિષ્ફળ છે. તથા, ૧૭

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294