Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 267
________________ ૨૫૦ જય વીયરાય બનનાર પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે અને પરમાત્મામાં પોતાની જાતને સમર્પિત કરી દે છે. જૈન શાસનમાં પરમાત્મા દેવાધિદેવની ભક્તિ માટે પરમાત્માના દર્શન-પૂજન-વંદન-સ્તોત્રપાઠ-સ્તુતિપાઠ વગેરે બતાવેલ છે. શ્રેષ્ઠ કોટિની ભક્તિ તો આજ્ઞાપાલન છે. આને શાસ્ત્રમાં પ્રતિપતી પૂજા તરીકે કીધી છે. પણ તેની પૂર્વે અંગપૂજા-અગ્રપૂજા અને ભાવપૂજા બતાવેલ છે... અંગપૂજાથી વિઘ્નો નાશ થાય છે અગ્રપૂજાથી આબાદી વધે છે. ભાવપૂજાથી મુક્તિ નિકટ થાય છે. માટે જ અંગપૂજાને વિMવિનાશિની, અગ્રપૂજાને અભ્યદયસાધની અને ભાવપૂજાને નિર્વાણસાધની તરીકે ભાષ્યમાં બતાવેલ છે. विग्घोवसामिगेगा अब्भुदयपसाहणी भवे बीया । नेव्वाणसाहणी तह फलया उ जहत्थनामेहिं ।। चेइयवंदणमहाभासं પરમાત્માના અંગ પર થતી અભિષેક પૂજા, વાસક્ષેપ પૂજા, ચંદન પૂજા, ફૂલ પૂજા, આભૂષણ પૂજા વગેરે અંગ પૂજામાં સમાવિષ્ટ થાય છે....

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294