Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 252
________________ કર્તવ્યની કમનીય કેડી ૨૩૫ આપણને મુક્ત કરનારા છે. આ ચાર શરણ સ્વીકારીને આપણે નિશ્ચિત થઈ શકીએ છીએ. જેમ કોઈ નિર્બળ રાજા કે દેશ પોતાનાથી બળવાન શત્રુઓના ભય વખતે શત્રુ કરતા પણ વધુ બળવાળા અન્ય રાજા કે દેશના શરણે જાય તો તેને કોઈ ભય રહેતો નથી, એ જ રીતે ભવજંગલમાં સર્વ શ્રેષ્ઠ, બળવાન એવા આ ચારને શરણે ગયા પછી આપણને પણ કર્મરૂપી શત્રુઓ કે દોષરૂપી અંતરંગ શત્રુઓનો ભય રહેતો નથી. પણ વાસ્તવિકતા એ છે કે સાચા હૃદયથી શરણ સ્વીકારવું આવશ્યક છે. શરણના સ્વીકાર સાથે ગયા ભવોના કે આ ભવમાં પણ થયેલ દુષ્કતોની આત્મ સાક્ષીએ નિંદા અને ગુરુ સાક્ષીએ ગહ કરવી અત્યંત આવશ્યક છે. પૂર્વે અજ્ઞાનપણામાં, અનાદિકાળના કુસંસ્કારોના અભ્યાસના કારણે અનેક દુકૃતો આપણે કર્યા છે. તેનાથી અશુભ કર્મ પણ બાંધ્યા છે. વળી ક્યારેક તીવ્ર સંક્લેશથી તીવ્ર અશુભ અનુબંધ પણ બંધાયા છે. અનુબંધના કારણે દુષ્કતોની પરંપરા ચાલે છે. આમાંથી છૂટવાનો ઉપાય એક જ છે-'દુષ્કૃત ગહ'...

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294