________________
૨૦૪
જય વીયરાય ચેઈયાણ વગેરેમાં ઉભા થવાનું, આ બધુ બરાબર થવું જોઈએ, પ્રતિક્રમણમાં વાંદણા વગેરેના આવર્તા, ઉભા ઉભા બોલવાના સૂત્રો, કાઉસ્સગ્ન વગેરે ઉભાઉભા જ થાય. -
અહિં 'યથાશક્તિ' શબ્દ વાપર્યો છે, એટલે કોઈ ગાટ બિમારીમાં, અશક્તિમાં અતિ થાકવામાં કે લકવા વગેરે થયેલ હોય તો તે અવસ્થાદિમાં સંપૂર્ણ ક્રિયામુદ્રાદિ ન સચવાય. તે-તે અવસ્થાનુરૂપ ક્રિયાઓ કરવી જોઈએ.
અહીં આ ત્રીજા મુદ્દા દ્વારા એકાંત જ્ઞાનવાદીઓ કે જેઓ ક્રિયાને સહેજ પણ માનતા નથી, તેઓને શાસ્ત્રકારે પ્રણિધાનનું સાચું સ્વરૂપ સમજાવી દીધું.
છતી શક્તિએ ક્રિયા ન કરનારનું પ્રણિધાન વાસ્તવિક નથી, એમ આ દ્વારા શાસ્ત્રકારે સ્પષ્ટતા
કરી.
કેટલાક એકાંત જ્ઞાનવાદીઓ સંયમ, તપ, ક્રિયા વગેરેને માનતા નથી. તેઓ તો એક માત્ર સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું કહે છે. શાસ્ત્રકારોને આ વાત માન્ય નથી. શાસ્ત્રકારોના કથન મુજબ શક્ય સંયમ