________________
૧૧૪
જય વીયરાય # સપ્રદાન - ભોજન, વસ્ત્ર વગેરેમાં આપણા
કરતાં સારી વસ્તુ તેમને આપવી. પરિચર્યા - તેમની સેવા-પગચંપી કરવી.
ચિકિત્સા - બીમારીમાં વિશેષ સેવા-સારવાર કરવી. # કાર્યકરણ – તેમનું કામકાજ કરી આપવું.
ધર્મકારણ - તેમની પાસે ધર્મકાર્યો કરાવવા,
તેમાં સહાય કરવી. # પૂજ્યભાવ - અંતરમાં તેમના પ્રત્યે અથાગ
બહુમાન રાખવું.
દોષાચ્છાદન - તેમના દોષોને ઢાંકવા. # તિતિક્ષા - ઉગ્ર સ્વભાવ હોય તો સ્વયં સહી
લેવું પણ તેમનો તિરસ્કાર ન કરવો. # તીર્થે તદ્વિતયોજન - તેમના મરણ પછી જો
તેમની અલંકારાદિ સંપત્તિ પોતે રાખે તો મરણમાં અનુમતિની સંભાવના રહે છે. એવું ન થાય માટે તેમની સંપત્તિ તીર્થમાં-ધર્મક્ષેત્રમાં વાપરવી. ગૃહસ્થો માટે માતા-પિતા તીર્થ સમાન છે. તેમના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. ઠાણાંગ સૂત્રમાં ત્રણ ઉપકારને અપ્રતિકાર્ય કહ્યા છે. તેમાં પ્રથમ માતા-પિતાના ઉપકારની વાત જણાવી છે.