________________
પરોપકાર....... વિશ્વવાત્સલ્યની પ્રતિક્રિયા
"પ્રભુ ! તમારા અચિંત્ય પ્રભાવથી મારા જીવનમાં પરાર્થકરણની બુદ્ધિ અને પ્રવૃત્તિ હોજો."
'પર એટલે આપણાથી બીજા જીવો. તેમના પ્રયોજન કરવા, તેમને સહાયક થવુ, તેમના માટે યથાશક્તિ કરી છુટવુ, તન-મન-ધનની શક્તિનો નિઃસ્વાર્થપણે બીજા માટે ઉપયોગ કરવો એ પરાર્થકરણ... ટીકાકાર જણાવે છે
'परार्थकरणं सत्त्वार्थकरणं जीवलोकस्य सारं पौरूष
વિદ્નમેતત્ ।'
-
૧૨૯
જીવલોકમાં સારભૂત પરાર્થકરણ છે. પુરૂષાર્થનું સાચુ ચિહ્ન આ છે. પરાર્થકરણ એટલે જીવોનું કરવુ તે.
મનુષ્ય જીવનનો સાર 'પરાર્થકરણ' જ છે. અનાદિકાળના સંસ્કાર એકમાત્ર સ્વાર્થના છે. આ જીવનમાં પણ જો સ્વાર્થને જ પોષવાનો હોય તો પશુજીવન અને મનુષ્યજીવનમાં શું ફેર ?
આપણે જોઈએ છીએ, પશુઓ પોતાના સ્વાર્થમાં જ સદા મગ્ન છે. કૂતરાઓને ખાવાનું નાંખશો તો કૂતરો પોતાનું ખાવાનું પૂર્ણ કરી બીજાનું ઝુંટવવા જશે.