________________
૧૧૭
ગુરુજનપૂજા... એક આધ મંગલ
લોકમાં જે માતા-પિતાની સેવાને કરે છે તે લોકમાં કૃતજ્ઞ છે. ધર્મગુરૂનો સાચો પૂજક પણ તે જ બને છે. સંશુદ્ધ ધર્મની પ્રાપ્તિ પણ તેને જ થાય છે. 'उपकारीति पूज्यः स्याद् गुरू आधुपकारि एतौ । तावप्यर्च्यते यो न स हि धर्मगुरुं कथम् ? ।।'
ઉપકારી હોવાના કારણે ગુરૂ પૂજ્ય છે, તો આ તો આદ્ય ઉપકારી છે. (તેથી વિશેષ પૂજ્ય છે.) આવા માતા-પિતાની પણ જે પૂજા-સેવા નથી કરતો તે ધર્મગુરુની ભક્તિ શી રીતે કરશે ?
ખાસ તો માતા-પિતાની અવહેલના કરનાર, તિરસ્કાર કરનારને પ્રાયઃ ચારિત્ર મળતું નથી. કદાય મળી જાય તો તે ગુરુને સમર્પિત થઈ શકતો નથી અને તેનું ચારિત્ર પણ નિષ્ફળ જાય છે.
જેને માતા-પિતાદિ સમસ્ત સંસારનો ત્યાગ કરીને સંયમ પંથે જવાનું છે તેને પણ માતા-પિતાનો તિરસ્કાર કરવાનો નથી, અવગણના-ઉપેક્ષા કરવાની નથી, સેવાભક્તિ કરવાના છે, તો પછી સામાન્ય સંસારમાં વ્યવહાર કરનારે માતા-પિતા પ્રત્યે કેવુ ગૌરવભર્યું વર્તન કરવું જોઈએ તે આપણે સમજી શકીએ છીએ...
પ્ર. - સંયમાર્થીઓએ માતા-પિતાની સેવા-ભક્તિ