________________
૧૧૦
જય વીયરાય પરમાત્માને પ્રાર્થના કરીએ કે આલોકવિરુદ્ધ, પરલોકવિરુદ્ધ, ઉભયલોકવિરુદ્ધ એવી સર્વ લોકવિરુદ્ધ પ્રવૃત્તિઓ મારા જીવનમાં ન આવે, પૂર્વે આવેલ હોય તો તેનો ત્યાગ થઈ જાય. હંમેશ માટે “લોકવિરુદ્ધ ત્યાગ” મારા જીવનમાં થાવ...
(૫) ગુરુનાપૂની
ગુરૂજનપૂજા होउ ममं तुह पभावओ गुरुजणपूआ ।
હે દેવાધિદેવ તમારા અચિંત્યપ્રભાવથી મને ગુરૂજનોની પૂજા પ્રાપ્ત થાવ.
હું ગુરૂજનોની પૂજા કરનારો થાઉં. માતા-પિતાદિ વડિલો પ્રત્યે બહુમાનયુક્ત ઉચિત ભક્તિ કરનારો થાઉ. "લોકવિરૂદ્ધ ત્યાગ"ની ચોથી પ્રાર્થના પૂર્ણ કરી હવે પરમાત્માને "ગુરુજણપૂઆ' નામની આ પાંચમી પ્રાર્થના કરાય છે.
ખાસ યાદ એ રાખવાનું છે કે "શુભ ગુરૂનો યોગ અને તેમના વચનનું સેવન આભવ એટલે ભવોભવ માટે પ્રાપ્ત થાય એ સૌથી મહત્ત્વની ૭મી અને ૮મી પ્રાર્થના છે. શુભગુરુ એટલે લોકોતર પ્રભુશાસનના પંચમહાવ્રતધારી ગીતાર્થ ગુરુ. આ ગુરુની પ્રાપ્તિ અને તેમના વચનના પાલનથી જ મોક્ષ મળે...