________________
લોકવિરુદ્ધત્યાગ........... આર્યત્વની અતર્યાત્રા
પ૯ ૯. ઉત્તમ પુરુષોની તકલીફમાં-પીડામાં સંતોષ-આનંદ
પામવો, રાજી થવું. ૧૦. છતી શક્તિએ તેનો પ્રતિકાર ન કરવો. તેમની
રક્ષા ન કરવી.
આદિથી પૈશૂન્ય, અભ્યાખ્યાન, કલહ વગેરે બીજા પણ કાર્યો જાણવા.
ખરકર્મ-આરંભ સમારંભના કાર્યો, ઘણી હિંસા થતી હોય તેવા બધા કાર્યો, પંદર કર્માદાન વગેરે પરલોક વિરૂદ્ધ છે. તેવી જ રીતે જુગાર, શિકાર, ચોરી, માંસાહાર, મદિરાપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન... આ સાત વ્યસનો ઉભયલોક વિરૂદ્ધ છે.
અહીં જો કે નિંદાથી પણ પરલોક બગડે જ છે. છતાં નિંદાદિ કાર્યોથી આ લોક પ્રધાનતયા બગડે છે. આ લોકમાં તિરસ્કારાદિને પમાડે છે અને પરલોકને પણ બગાડે છે. આમ અમુક જાતિની પ્રધાનતાદિની વિવક્ષા કરીને લોકવિરુદ્ધ કાર્યોને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા.
હવે આ લોકવિરૂદ્ધ કાર્યોને થોડા વિસ્તારથી વિચારીએ.
ઈહલોકવિરૂદ્ધમાં દશ વાતો દેખાડી છે - પ્રથમ વાત છે નિંદા -