Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022717/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૫ ચતુર્થ પ્રસ્તાવ : માનમૃષાવાદરસનેન્દ્રિયવિપાકવર્ણન 26 ધનબાદ વિવેચકઃ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા 22 EIER Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંયા કથા શબ્દશ: વિવેચન ચતુર્થ પ્રસ્તાવ જ ભાગ-૫ * મૂળ ગ્રંથકાર ન વ્યાખ્યાતૃચૂડામણિ, માનસશાસ્ત્રવિદ્ પ. પૂ. શ્રી સિદ્ધર્ષિગણિ દિવ્યકૃપા વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષદર્શનવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા છે આશીર્વાદદાતા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા - વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા - સંકલનકારિકા રાખીબેન રમણલાલ શાહ ને પ્રકાશક : R તાર્થ ગd. મૃતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ શબ્દશઃ વિવેચન • વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા આવૃત્તિ : પ્રથમ વીર સં. ૨૫૪૧ - વિ. સં. ૨૦૭૧ મૂલ્ય : રૂ. ૨૮૦-૦૦ નકલ : ૫૦૦ આર્થિક સહયોગ પરમપૂજ્ય શ્રી વિશ્વદર્શનવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી શરદભાઈ અમૃતલાલ ઝવેરી પરિવાર, મુંબઈ. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાર્થ થઇ ૧૮૧ શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com * મુદ્રક મુદ્રેશ પુરોહિત સૂર્ય ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. ફોન : ૦૨૭૧૭-૨૩૦૧૧૨ સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકી સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે.. અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૦ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી, કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ iv તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. ‘વિદ્વાનેવ વિજ્ઞાનાતિ વિદ્વપ્નનપરિશ્રમમ્' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્વદ્ભોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... ‘શ્રુતદેવતા ભવન’, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભકતો Page #6 -------------------------------------------------------------------------- ________________ 56 અનુક્રમણિકા મદદ ક્રમ વિષય પાના નં. ૨૪ 6 ܇ ܗ̇ ܕܼܿ ܡܼܿ ܟ 0 o ܘ̣ ܝܲܢ ܝܲܢ ૫૩ ܇ પ૯ GY શિશિરઋતુનું વર્ણન કર્મપરિણામ રાજા અને મોહ રાજાનો અધિકાર વસંતઋતુનું વર્ણન લોલાક્ષ રાજાનું આગમન વસંતઋતુ અને મકરધ્વજનું સખાપણું મકરધ્વજનો રાજ્યાભિષેક મકરધ્વજ વડે કરાયેલ કાર્યનો નિયોગ મદ્યથી થતી અવદશા રતિલલિતા માટે લોલાક્ષ અને રિપુકંપન વચ્ચે યુદ્ધ રિપુકંપનના ઘરમાં પુત્રજન્મનું મિથ્યાભિમાન શોકનો મહિમા ધનનો ગર્વ શ્રીમંતોની ચેષ્ટા રમણનો વેશ્યાસંગ વેશ્યાગમનનો વિપાક વિવેકપર્વત જુગારનું ફલ શિકારવ્યસનનું ફળ માંસખાવાનું ફલ વિકથાનું ફલ હર્ષ અને વિષાદનું વૃત્તાંત ચારગતિનું વર્ણન જરાનું ફ્રંભિત=વિલસિત રુજાની=રોગોની, રોદ્રતા મૃતિની મરણની મારકતા ખલતાનું આખ્યાન કુરૂપતાની ક્રૂરતા દરિદ્રતાની દુશીલતા ૮૧ ૮૮ 0 ૯૪ ૧00 ૧૦૪ ૧૧૯ ૧૩૩ ૧૩૭ ૧૪૧ ૧૪૬ ૧૫૧ ૨૮. ૧૫૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય. પાના નં. ૧૫૯ ૧૭૦ ૧૭૩ ૧૮૩ ૧૮૮ ૧૯૪ ૧૯૭ ૧૯૭ ૧૯૮ ૨00 ૨૦૧ ૨૦૧ ૨૦૪ દુર્ભગતાની દુષ્ટતા નિશ્ચય અને વ્યવહારનો વિભાગ આનંદમય મુક્તિના હેતુ એવા ભવનિર્વેદના અભાવનો હેતુ મિથ્યાદર્શનના વર્ણન અંતર્ગત પદર્શનનું વર્ણન નિવૃતિનગર પ્રતિ જૈનેતરમાર્ગોની નિષ્કલતા નૈયાયિકદર્શન વૈશેષિકસિદ્ધાંત સાંખ્યમત બૌદ્ધમાર્ગ લોકાયત-મીમાંસક મતોનું સંક્ષિપ્ત સ્વરૂપ વિવેક પર્વત પર રહેલ જૈનમાર્ગ અન્યદર્શનોનું મિથ્યાદર્શનથી મોહિતપણું સત્ય નિવૃતિનો માર્ગ સાધુનું સ્વરૂપ ચિત્તસમાધાનમંડપમાં રહેલ સંતોષ રાજા સાત્વિકપુરનું વર્ણન વિવેકશિખરવર્ણન=વિવેકપર્વત પર અપ્રમતશિખરનું વર્ણન જૈનપુરનું વર્ણન જેનોની પ્રશસ્તમૂર્છાદિમાં હેતુ ચિત્તસમાધાનમંડપ (તથા) નિઃસ્પૃહતાવેદિકા જીવવીર્યરૂપ સિંહાસન ભાવાર્થનો અવબોધ ચારિત્રધર્મરાજાનું વર્ણન તેના દાનાદિ મુખો વિરતિ અને ચારિત્ર પંચકનું વર્ણન દશ પ્રકારના યતિધર્મો બાર વ્રતથી યુક્ત ગૃહીધર્મનું=શ્રાવકધર્મનું વર્ણન સમ્યગ્દર્શન અને તેની પત્ની સુદૃષ્ટિ સબોધ અને તેની પત્ની અવગતિ ૫૭. | પાંચ જ્ઞાનનું વર્ણન ૨૦૭ ૨૧૮ ૨૨૧ ૨૨૫ ૨૨૯ ૨૩૭ ૨૪૦ ૨૪૨ ૨૪૫ ૨૪૮ ૨૬૩ પપ. ૨૭૯ ૨૮૨ ૨૮૫ ૨૮૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૫૮. ૫૯. ૬૦. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬૬. ૬૭. ૬૮. ૬૯. ૭૦. ૭૧. ૭૨. ૭૩. ૭૪. ૭૫. ૭૬. vii વિષય સંતોષ અને તેની પત્ની નિષ્પિપાસિતાનું વર્ણન ચારિત્રધર્મરાજાદિની શુભકારિતા ચારિત્ર રાજાનું સૈન્ય ગ્રીષ્મઋતુનું વર્ણન વર્ષાઋતુનું વર્ણન વિમર્શ અને પ્રકર્ષનું ગૃહઆગમન રસના અને લોલનામાં આસક્ત જડની ચેષ્ટાઓ વિચક્ષણનો વિચાર વિમલાલોક નામના અંજનનો પ્રભાવ વિચક્ષણની પ્રવ્રજ્યા આચાર્યની નમ્રતા વિચક્ષણસૂરિ વડે પ્રેરિત રાજાની દીક્ષાની ભાવના રિપુદારણનો રાજ્યાભિષેક મૃદુતા-સત્યતાની પ્રાપ્તિ થયે છતે શૈલરાજ-મૃષાવાદના સંગના ત્યાગનો સંભવ તપનચક્રવર્તીના આગમન કાલે રિપુદારણની ચેષ્ટા ગર્વયુક્ત રિપુદારણના આદેશમાં તપન ચક્રવર્તીની સ્વસ્થતા યોગેશ્વર નામના તંત્રવાદી દ્વારા કરાયેલ રિપુદારણની ખરાબ અવસ્થા રિપુદારણનું ભવાંતરમાં સંક્રમણ ઉપસંહાર ** ** પાના નં. ૨૯૦ 303 ૩૦૭ ૩૧૦ ૩૧૩ ૩૧૬ ૩૨૧ ૩૨૪ ૩૨૮ ૩૩૦ ૩૩૩ ૩૩૬ ૩૪૩ ૩૫૦ ૩૫૩ ૩૫૭ ૩૫૮ ૩૬૨ ૩૬૪ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ ही अहँ नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । છે નમઃ | પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંયા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૫ 1 ચતુર્થ પ્રસ્તાવ : માનમષાવાદરસનેન્દ્રિયવિપાકવર્ણન ૧ शिशिरर्तुवर्णनम् શ્લોક : अपि चशिशिरतुषारकणकनिर्दग्धमशेषसरोजमण्डलं, सह किसलयविलाससुभगेन महातरुकाननेन भोः।। पथिकगणं च शीतवातेन विकम्पितगात्रयष्टिकं, ननु खलसदृश एष तोषादिव हसति कुन्दपादपः ।।१।। શિશિરઋતુનું વર્ણન શ્લોકાર્ય : વળી, શિશિરના તુષારના કણકથી નિર્દષ્પ અશેષ સરોજમંડલ કિસલયના વિલાસથી સુભગ એવા મહાવૃક્ષના કાનનની સાથે પથિકગણ શીતવાતથી વિકપિત ગાત્રયષ્ટિવાળું છે કાંપતા શરીરવાળું છે. ખરેખર ખલસદશ આ કુંદવૃક્ષો તોષથી જ જાણે હસે છે. ll૧ શ્લોક : नूनमत्र शिशिरे विदेशगाः, सुन्दरीविरहवेदनातुराः । शीतवातविहताः क्षणे क्षणे, जीवितानि रहयन्ति मूढकाः ।।२।। Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : ખરેખર આ શિશિરમાં વિદેશમાં ગયેલા, સ્ત્રીના વિરહની વેદનાથી આતુર, શીતવાતથી હણાયેલા ક્ષણે ક્ષણે મૂઢ જીવો જીવિતોને પસાર કરે છે. રામ શ્લોક : पश्य माम! कृतमुत्तरायणं, भास्करेण परिवर्धितं दिनम् । शर्वरी च गमितेषदूनता, पूर्वरात्रिपरिमाणतोऽधुना ।।३।। શ્લોકાર્ચ - જુઓ મામા ! કરાયેલા ઉત્તરાયણવાળો, ભાસ્કરથી પરિવર્ધિત દિવસ છે અને પૂર્વરાત્રિના પરિમાણથી હમણાં ઈષ ઊનતાને પામેલી રાત્રિ છે. lll બ્લોક : बहलागरुधूपवरेऽपि गृहे, वर(ह प्र.)ल्लककम्बलतूलियुते । बहुमोहनृणां शिशिरेऽत्र सुखं, न हि पीनवपुर्ललनाविरहे ।।४।। શ્લોકાર્ય : બહલ અગરુ ધૂપથી શ્રેષ્ઠ પણ, શ્રેષ્ઠ હલક અને કમ્બલની તૂલિથી યુક્ત ઘરમાં, બહુમોટવાળા મનુષ્યોને આ શિશિરમાં સુખ છે. સ્ત્રીના વિરહમાં પુષ્ટ શરીરવાળાને સુખ નથી. llll શ્લોક : अथापि वर्धितं तेजो, महत्त्वं च दिवाकरे । થવા विमुक्तदक्षिणाशे किं, म्लानिलाघवकारणम्? ।।५।। શ્લોકાર્થ : વળી, સૂર્યનું વર્ધિત તેજ અને મહત્ત્વ છે અથવા વિમુક્ત દક્ષિણ દિશામાં ગ્લાનિ અને લાઘવનું કારણ શું હોય? Ill શ્લોક : कार्यभारं महान्तं निजस्वामिनो, यान्त्यनिष्पन्नमेते विमुच्याऽधुना । पश्य माम! स्वदेशेषु दुःसेवकाः, शीतभीताः स्वभार्याकुचोष्माशया ।।६।। Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : નિજસ્વામિના અનિષ્પન્ન જ મહાંત કાર્યભારને છોડીને હમણાં હે મામા ! દુઃસેવકો સ્વદેશોમાં શીતથી ભય પામેલા સ્વભાર્યાના કુચની ઉખાના આશયથી જાય છે તે તમે જુઓ. ll ll શ્લોક : ये दरिद्रा जराजीर्णदेहाश्च ये, वातला ये च पान्था विना कन्थया । भोः कदा शीतकालोऽपगच्छेदयं, माम! जल्पन्ति ते शीतनिर्वेदिताः ।।७।। શ્લોકાર્ધ : જે દરિદ્ર જરાજીર્ણ દેહવાળા અને વાતલ રોગવાળા છે અને જે મુસાફરો કંથા વગરના છે, ‘ક્યારે આ શીતકાલ જશે ?' એ પ્રમાણે હે મામા ! શીતથી નિર્વેદ થયેલા તેઓ બોલે છે. ll૭ll શ્લોક : यावमश्वादिभक्ष्याय लोलूयते, भूरिलोकं तुषारं तु दोदूयते । दुर्गतापत्यवृन्दं तु रोरूयते, जम्बुकः केवलं माम! कोकूयते ।।८।। શ્લોકાર્ચ - અશ્વાદિના ભક્ષ્યને માટે ઘાસને કાપે છે, ઠંડી ઘણા લોકને પીડે છે. દુઃખી પુત્રો વારંવાર રડે છે. હે મામા ! કેવલ શિયાળ અવાજ કરે છે. llciા. શ્લોક : वहन्ति यन्त्राणि महेक्षुपीलने, हिमेन शीता च तडागपद्धतिः । जनो महामोहमहत्तमाऽऽज्ञया, तथापि तां धर्मधियाऽवगाहते ।।९।। શ્લોકાર્ચ - મોટી શેરડીના પીલનમાં યંત્રો ચાલે છે, હિમ વડે તળાવની પદ્ધતિ ઠંડી થઈ, તોપણ મહામોહમહત્તમની આજ્ઞા વડે મનુષ્ય ધર્મબુદ્ધિથી તે તળાવમાં અવગાહન કરે છે. II૯ll શ્લોક : अन्यच्चअयं हि लङ्घितप्रायो, वर्तते शिशिरोऽधुना । ततः षण्मासमात्रेऽपि, किमु त्रस्यति मामकः? ।।१०।। શ્લોકાર્ચ - અને બીજું – આ શિશિર હમણાં લંધિતપ્રાયઃ વર્તે છે. તેથી છ માસ માત્રમાં પણ મામાને શું ત્રાસ થાય છે ? ||૧૦| Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : गम्यतां भवचक्रेऽतो, ममानुग्रहकाम्यया । मामेन परतो यत्ते, रोचते तत्करिष्यते ।।११।। શ્લોકાર્ચ - આથી મારા અનુગ્રહની કામનાથી મામા વડે ભવચક્રમાં જવાય. ત્યારપછી જે તમને રચશે તે કરાશે. ||૧૧|| બ્લોક : अनिवर्तकनिर्बन्धमेवं विज्ञाय भावतः । ततस्तदनुरोधेन, विमर्शो गन्तुमुद्यतः ।।१२।। શ્લોકાર્ધ : આ પ્રમાણે ભાવથી અનિવર્તક આગ્રહને જાણીને ત્યારપછી તેના અનુરોધથી=પ્રકર્ષના આગ્રહથી, વિમર્શ જવા માટે ઉધત થયો. ll૧ચા શ્લોક : अथ मिथ्यानिवेशादिस्यन्दनवातसुन्दरम् । ममत्वादिगजस्तोमगलगर्जितबन्धुरम् ।।१३।। अज्ञानादिमहाश्वीयहेषारवमनोहरम् । दैन्यचापललौल्यादिपादातपरिपूरितम् ।।१४।। महामोहनरेन्द्रस्य, चतुरङ्गं महाबलम् । अपसृत्य ततः स्थानात्ताभ्यां सर्वं विलोकितम् ।।१५।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ચ - હવે તે સ્થાનથી જઈને તે બંને દ્વારા વિમર્શ અને પ્રકર્ષ બંને દ્વારા, મિથ્યાનિકેશાદિ રૂ૫ રથોના વાતથી સુંદર, મમત્વાદિરૂપ હાથીના સમૂહથી ગલગર્જિત બંધુરવાળું, અજ્ઞાન આદિ મહાઘોડાઓના હેષારવથી મનોહર, દૈન્ય, ચાપલ લોલ્યાદિ સિપાઈઓથી પરિપૂરિત મહામોહનરેન્દ્રનું સર્વ ચતુરંગ મહાબલ જોવાયું. ll૧૩થી ૧૫ll શ્લોક - ततो निर्णीतमार्गेण, हृष्टौ स्वस्रीयमातुलौ । નછતસ્તત્પરં તૂમવિચ્છિન્નપ્રથા : પારદા Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી નિર્મીત માર્ગ વડે હર્ષિત થયેલા મામા-ભાણેજ અવિચ્છિન્ન પ્રયાણકથી શીઘ તે નગર તરફ ગયા, I૧૬II. શ્લોક : मार्गोत्सारणकामेन, मातुलं प्रति भाषितम् । તતઃ પ્રર્ષસંન, તવં પfથ છતા પાછા શ્લોકાર્ચ - ત્યારપછી આ રીતે માર્ગમાં જતા માર્ગના ઉત્સારણના કામવાળા=માર્ગમાં સમય પસાર કરવાની ઇચ્છાવાળા પ્રકર્ષ વડે, માતુલ=મામા, પ્રત્યે કહેવાયું. ll૧૭ના कर्मपरिणाममोहराजयोराभाव्यम् શ્લોક : माम! यः श्रूयते लोके, सार्वभौमो महीपतिः । स कर्मपरिणामाख्यः, प्रतापाक्रान्तराजकः ।।१८।। કર્મપરિણામ રાજા અને મોહ રાજાનો અધિકાર શ્લોકાર્ધ : હે મામા ! લોકમાં જે સાર્વભોમ મહીપતિ સંભળાય છે પ્રતાપથી આક્રાંત કર્યા છે રાજાઓના સમૂહ જેણે એવો તે કર્મપરિણામ નામનો રાજા છે. ll૧૮ll શ્લોક : तस्य सम्बन्धिनीमाज्ञां, महामोहनराधिपः । વિમેષ કુત્તે? વિં વા, નેતિ? ને સંશયોડથુના સારા શ્લોકાર્ય : તેના સંબંધીની આજ્ઞાને શું આ મહામોહ રાજા કરે છે? અથવા નથી કરતો ? એ પ્રકારે મને સંશય છે. ll૧૯ll શ્લોક : વિમર્શ પ્રાદ નૈવાતિ, મદ્ર! મેદઃ પરસ્પરમ્ | अनेन परमार्थेन, स हि ज्येष्ठः सहोदरः ।।२०।। Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : વિમર્શ કહે છે – હે ભદ્ર! પરસ્પર ભેદ નથી કર્મપરિણામ રાજા અને મહામોહનો પરસ્પર ભેદ નથી. આ પરમાર્થથી તે કર્મપરિણામ રાજા, જ્યેષ્ઠ સહોદર છે=મહામોહનો મોટો ભાઈ છે. ll૨૦I શ્લોક : अयं पुनः कनिष्ठोऽस्यां, महाटव्यां व्यवस्थितः । यतोऽयं चरटप्रायो महामोहनराधिपः ।।२१।। શ્લોકાર્થ : વળી આ કનિષ્ઠ=નાનો ભાઈ મહામોહ આ મહાઅટવીમાં રહેલો છે-ચિત્તરૂપી મહાટવીમાં રહેલો છે, જે કારણથી આ મહામોહ રાજા ચોરટા જેવો છે. ll૧il. શ્લોક : ये दृष्टाः केचिदस्याऽग्रे, भवताऽत्र महीभुजः । समस्ता अपि विज्ञेयास्ते तस्यापि पदातयः ।।२२।। શ્લોકાર્ચ - જે કોઈ દુષ્ટ રાજાઓ મહામોહની આગળ તારા વડે જોવાયા, તેઓeતે રાજાઓ, બધા પણ તેના પણ કર્મપરિણામ રાજાના પણ, પદાતિઓ છે. ||રરા શ્લોક : વનંस कर्मपरिणामाख्यः, सुन्दराणीतराणि च । कार्याणि कुरुते लोके, प्रकृत्या सर्वदेहिनाम् ।।२३।। શ્લોકાર્થ : કેવલ તે કર્મપરિણામ રાજા લોકમાં સર્વ દેહીઓનાં સુંદર અને અસુંદર કાર્યો પ્રકૃતિથી કરે છે. ર૩. શ્લોક : अयं तु सर्वलोकानां, महामोहनरेश्वरः । करोत्यसुन्दराण्येव कार्याणि ननु सर्वदा ।।२४।। શ્લોકાર્ધ :વળી આ મહામોહ રાજા સર્વલોકોનાં કાર્યો ખરેખર સર્વદા અસુંદર જ કરે છે. રા. Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अन्यच्चअयं जिगीषुर्भूपालः, स राजा नाटकप्रियः । સ્તે મૂપ નિષેવન્ત, મહામોહમતિઃ સદ્દા પર શ્લોકાર્ચ - અને બીજું, આ રાજા=મહામોહ રાજા, જીતવાની ઈચ્છાવાળો છે= લોકોનું સામ્રાજ્ય જીતવાની ઈચ્છાવાળો છે. તે રાજા કર્મપરિણામ રાજા, નાટકપ્રિય છે, આથી=મહામોહ રાજા જીતવાની ઈચ્છાવાળો છે આથી, આ રાજાઓ=રાગકેસરી આદિ રાજાઓ, સદા મહામોહને સેવે છે. ll૨૫ll શ્લોક : किंतु लोके महाराजो, यतोऽस्यापि महत्तमः । स कर्मपरिणामाख्यो, भ्रातेति परिकीर्तितः ।।२६।। શ્લોકાર્થ : પરંતુ લોકમાં જે કારણથી આનો પણ=મહામોહનો પણ, તે કર્મપરિણામ નામનો મોટો ભ્રાતા છે એ પ્રમાણે કહેવાયું છે. ll૨૬ll બ્લોક : तस्मादेते महीपालास्तस्यापि पुरतः सदा । गत्वा गत्वा प्रकुर्वन्ति, नाटकं हर्षवृद्धये ।।२७।। શ્લોકાર્ચ : તે કારણથી આ રાજાઓ જે રાજાઓ મહામોહને સેવે છે તે રાજાઓ, તેની આગળ પણ= કર્મપરિણામ રાજાની આગળ પણ, સદા જઈ જઈને હર્ષની વૃદ્ધિ માટે નાટક કરે છે. ll૨૭ll. શ્લોક : भवन्ति गायनाः केचित्केचिदातोद्यवादकाः । वादित्ररूपतामेव, भजन्ते भक्तितोऽपरे ।।२८।। શ્લોકાર્ચ - કેટલાક ગાનારાઓ થાય છે, કેટલાક વાજિંત્રો વગાડનારા થાય છે, બીજા વાજિંત્રરૂપતાને જ ભક્તિથી ભજે છેઃકર્મપરિણામ રાજાની ભક્તિથી નાટક કરે છે. ll૨૮II Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : વિ બના?महामोहनरेन्द्राद्याः, सर्वेऽमी तात! भूभुजः । सर्वथा हेतुतां यान्ति, तत्र संसारनाटके ।।२९।। બ્લોકાર્ધ : વધારે શું ? – મહામોહનરેન્દ્ર આદિ સર્વ પણ આ રાજાઓ હે તાત પ્રકર્ષ ! તે સંસાર નાટકમાં સર્વથા હેતુતાને પામે છે. ll૨૯ll શ્લોક : स तावन्मात्रसंतुष्टः, सपत्नीको नराधिपः । तदेव नाटकं पश्यनित्यमास्ते निराकुलः ।।३०।। શ્લોકાર્થ : તે પત્ની સહિત કર્મપરિણામ રાજા તેટલા માત્રથી સંતુષ્ટ તે જ નાટકને જોતો નિત્ય નિરાકુલ રહે છે. Il3oll. શ્લોક : अन्यच्चएतेषां तावदत्स्येव, सर्वेषां स प्रभुनृपः । अन्येषामपि स स्वामी, प्रायेणान्तरभूभुजाम् ।।३१।। શ્લોકાર્ય : અને બીજું, આ સર્વનો તે રાજા કર્મપરિણામ રાજા, પ્રભુ છે અન્ય પણ પ્રાયઃ અંતરરાજાઓના તે સ્વામી છે. Il૩૧]. શ્લોક : किं बहुना?स सर्वसमुदायात्मा, सुन्दरेतरनायकः । अयं तदेकदेशात्मा, तदादेशविधायकः ।।३२।। શ્લોકાર્ચ - વધારે શું કહેવું? સર્વના સમુદાય રૂપ તેનકર્મપરિણામ રાજા, સુંદર અને ઈતરનો નાયક છેઃ Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સુંદર રાજાઓ અને અસુંદર રાજાઓનો નાયક છે. આ મહામોહ, તેના એકદેશરૂપઃકર્મપરિણામ રાજાના એકદેશરૂ૫, તેના આદેશને કરનાર છે-કર્મપરિણામ રાજાના આદેશને કરનાર છે. II3રા. બ્લોક : તથાદિयेऽन्तरङ्गजनाः केचिद्विद्यन्ते सुन्दरेतराः । स कर्मपरिणामाख्यस्तेषां प्रायः प्रवर्तकः ।।३३।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – કેટલાક સુંદર કે ઈતર=અસુંદર, જે અંતરંગ લોકો છે તેઓનો તે કર્મપરિણામ રાજા પ્રાયઃ પ્રવર્તક છે. Il33II. શ્લોક : यावन्ति चान्तरङ्गाणि, निर्वृतिं नगरीं विना । पुराणि तेषु स स्वामी, बहिरङ्गेषु भावतः ।।३४।। શ્લોકાર્ચ - નિવૃત્તિ નગરીને છોડીને જે જેટલાં અંતરંગ નગરો છે તેઓમાં-અંતરંગ નગરોમાં, બહિરંગોમાં ભાવથી તે=કર્મપરિણામ રાજા, સ્વામી છે. ll૩૪ll શ્લોક : अयं पुनर्महामोहो, यावन्तोऽत्र विलोकिताः । भवता भूभुजः स्वामी, तदादेशेन तावताम् ।।३५।। શ્લોકાર્થ : વળી અહીં ભવચક્ર નગરમાં, તેના આદેશથી મહામોહના આદેશથી, જેટલા રાજાઓ તારા વડે જોવાયા, તેટલાઓનો આ મહામોહ સ્વામી છે. llઉપા શ્લોક : यदेष निजवीर्येण, किञ्चिदर्जयते धनम् । સમર્પતિ તત્ત, નિઃશેષ નતમસ્ત : રૂદ્દા શ્લોકાર્ચ - આ મહામોહ, નિજવીર્યથી જે કંઈ ધનનું અર્જન કરે છે તે નિઃશેષને નતમસ્તક એવો મહામોહ તેને=કર્મપરિણામ રાજાને, સમર્પણ કરે છે. Il39ો. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : अनेनोपार्जितस्योच्चैर्धनस्य विनियोजनम् । स राजा कुरुते नित्यं, सुन्दरेतरवस्तुषु ।।३७।। શ્લોકાર્થ : આના દ્વારા=મહામોહ દ્વારા, ઉપાર્જિત ધનનું તે રાજા કર્મપરિણામ રાજા, નિત્ય સુંદરઅસુંદર વસ્તુઓમાં અત્યંત વિનિયોજનને કરે છે. I3ી. શ્લોક : अयं हि विग्रहाऽऽरूढः, सदाऽऽस्ते विजिगीषया । स तु भोगपरो राजा, न जानात्येव विग्रहम् ।।३८।। બ્લોકાર્ધ : વિગ્રહમાં આરૂઢ એવો આ=મહામોહ, સદા જીતવાની ઈચ્છાથી રહે છે. વળી ભોગમાં તત્પર એવો તે રાજા=કર્મપરિણામ રાજા, વિગ્રહને જાણતો નથી. ll૩૮ll શ્લોક - एवं च स्थितेएष वत्स! करोत्याज्ञां, भक्तिनिर्भरमानसः । तस्य किं तु ततो भिन्नं, नात्मानं मन्यते नृपः ।।३९।। શ્લોકાર્થ : આ પ્રમાણે સ્થિત હોતે છતે હે વત્સ પ્રકર્ષ ! ભક્તિનિર્ભર માનસવાળો આ મહામોહ તેની આજ્ઞાને કરે છેઃકર્મપરિણામ રાજાની આજ્ઞાને કરે છે પાલન કરે છે. પરંતુ રાજા=મહામોહ, તેનાથી=કર્મપરિણામ રાજાથી, પોતાને ભિન્ન માનતો નથી. II3II. બ્લોક : अन्यच्चयदृष्टं भवता पूर्वं, महामोहपुरद्वयम् । तत्कर्मपरिणामेन, भटभुक्त्याऽस्य योजितम् ।।४०।। શ્લોકાર્ચ - અને બીજું, તારા વડે પૂર્વે જે મહામોહ પુરદ્વય જોવાયાં=રાજસચિત અને તામસચિત્ત નામનાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બે નગરો જોવાયાં. તેને બે નગરને, કર્મપરિણામ રાજા વડે આને મહામોહને, ભટભક્તિ દ્વારા આપેલ છે. ll૪૦IL. શ્લોક : अतः पुरद्वये तत्र, सैन्यमस्य सुभक्तिकम् । तथाऽटव्यां च निःशेषमास्ते विग्रहतत्परम् ।।४१।। શ્લોકાર્ચ - આથી તે પુરદ્વયમાં આનું સૈન્ય મહામોહનું સૈન્ય, સુભક્તિવાળું છે. અને અટવીમાં=ચિતરૂપી અટવીમાં, નિઃશેષ વિગ્રહમાં તત્પર બધા પ્રકારના ઉપદ્રવોમાં તત્પર રહે છે. ll૪૧૫ શ્લોક : प्रकर्षः प्राह मामेदमनयोः किं क्रमागतम् । राज्यम् ? किं वाऽन्यसम्बन्धि, गृहीतं बलवत्तया? ।।४२।। શ્લોકાર્ય : પ્રકર્ષ કહે છે – હે મામા ! આ=અંતરંગ સામ્રાજ્ય, શું આ બંનેનું કર્મપરિણામ રાજા અને મહામોહ બંનેનું, માગત રાજ્ય છે ?=પૂર્વ પૂર્વની પરંપરાથી પ્રાપ્ત થયેલ છે ? અથવા અન્ય સંબંધી બલવાનપણાથી ગ્રહણ કરાયું છે ? l૪રા શ્લોક : विमर्शेनोदितं वत्स! नानयोः क्रमपूर्वकम् । परसत्कमिदं राज्यं, हठादाभ्यां विनिर्जितम् ।।४३।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું - હે વત્સ!આ બેનું કર્મપરિણામ અને મહામોહનું, ક્રમપૂર્વક નથી=ક્રમપૂર્વક પ્રાપ્ત થયેલું રાજ્ય નથી. પર સંબંધી આ રાજ્ય હઠથી આ બંને દ્વારા જિતાયું છે. ll૪all શ્લોક : યત:जीवः सकर्मको यस्ते, बहिरङ्गजनस्तथा । संसारिजीव इत्येवं, मया पूर्वं निवेदितः ।।४४।। શ્લોકાર્ચ - જે કારણથી જે જીવ સકર્મવાળો, બહિરંગજન અને સંસારી જીવ છે એ પ્રકારે તને મારા વડે પૂર્વમાં નિવેદન કરાયું. ll૪૪ll Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तस्यैषा भुज्यते सर्वा, चित्तवृत्तिर्महाटवी । वीर्येण तं बहिष्कृत्य, स्वीकृताऽऽभ्यां न संशयः ।।४५।। શ્લોકાર્ચ - વીર્યથી તેને બહાર કરીને તેની આ સર્વ ચિત્તવૃત્તિ મહાઅટથી આ બંને દ્વારા સ્વીકાર કરાયેલી ભોગવાય છે, સંશય નથી. ll૪પી. શ્લોક : प्रकर्षणोक्तंकियान् कालो गृहीताया, वर्तते माम! मे वद । विमर्शः प्राह नैवाऽऽदिं, जानेऽहमपि तत्त्वतः ।।४६।। શ્લોકાર્ય : પ્રકર્ષ વડે કહેવાયું – ગ્રહણ કરાયેલાનોસંસારી જીવના રાજ્યને ગ્રહણ કરાયેલાનો, કેટલો કાળ વર્તે છે? હે મામા ! મને કહો. વિમર્શ કહે છે – આદિને-કર્મપરિણામ અને મહામોહને રાજ્યની પ્રાપ્તિ થઈ તેની આદિને, તત્ત્વથી હું પણ જાણતો નથી. ll૪૬ના શ્લોક : तदेष परमार्थस्ते, कथ्यते वत्स! साम्प्रतम् । निःशेषं प्रलयं याति, येन तावकसंशयः ।।४७।। શ્લોકાર્ય : તે કારણથી તને હે વત્સ ! હમણાં આ પરમાર્થ કહેવાય છે જેનાથી તારો સંશય નિઃશેષ પ્રલયને પામશે. l૪૭ી શ્લોક : स कर्मपरिणामाख्यो, दानोद्दालनतत्परः । प्रणताऽशेषसामन्तकिरीटच्छुरितांऽघ्रिकः ।।४८।। प्रभावमात्रसंसिद्धकार्यविस्तारसुस्थितः । राजाधिराजः सर्वत्र, निविष्टो विष्टराधिपः ।।४९।। युग्मम्।। શ્લોકાર્ચ - તે કર્મપરિણામ નામનો રાજા દાન કરવામાં અને ઝૂંટવવામાં તત્પર, નમેલા અશેષ સામંતના Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ મુગટથી સ્પર્શેલા ચરણવાળો, પ્રભાવ માત્રથી સંસિદ્ધ કાર્યના વિસ્તાર વડે સુસ્થિત રાજાધિરાજ સર્વત્ર બેઠેલો વિક્ટરનો અધિપતિ છે. ll૪૮-૪૯ll. શ્લોક : अयं पुनर्महामोहस्तत्सैन्यपरिपालकः । तद्दत्ततन्त्रसैन्यश्च, तत्कोशपरिवर्धकः ।।५।। શ્લોકાર્ચ - વળી તેના સૈન્યનો પરિપાલક, તેનાથી અપાયેલા તંત્ર અને સૈન્યવાળો, તેના કોશનો પરિવર્ધક કર્મપરિણામ રાજાના કોશનો પરિવર્ધક, આ મહામોહ છે. I૫oll શ્લોક : तदादेशकरो नित्यं, तथापि गुरुपौरुषः । नूनं तं पालयत्येष, राजकार्ये यथेच्छया ।।५१।। શ્લોકાર્ધ :નિત્ય તેના આદેશને કરનારો તોપણ ગરુ પૌરુષવાળો આ=મહામોહ, રાજકાર્યમાં યથેચ્છાથી ખરેખર તેનું પાલન કરે છે–રાજ્યનું પાલન કરે છે. ૫૧ બ્લોક : तेनैष लौकिकी वाचोयुक्तिमाश्रित्य पण्डितैः । महासननिविष्टोऽपि, ऊो राजा निगद्यते ।।५२।। શ્લોકાર્ચ - તે કારણથી લોકિકી વાણીની યુક્તિને આશ્રયીને મહાન આસનમાં બેઠેલો પણ ઊર્ધ્વ એવો આ પંડિતો વડે રાજા કહેવાય છે. આપણા શ્લોક : नानयोभिद्यते तात! तस्माद् भेदः परस्परम् । यस्मादेकमिदं राज्यमेतत्तुभ्यं निवेदितम् ।।५३।। શ્લોકાર્થ : હે તાત પ્રકર્ષ ! તે કારણથી આ બેનો કર્મપરિણામ અને મહામોહનો, પરસ્પર ભેદ નથી, જે કારણથી એક જ આ રાજ્ય છે એ તને નિવેદન કરાયું. પિBI. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : प्रकर्षः प्राह मे माम! विनष्टः संशयोऽधुना । अथवा त्वयि पार्श्वस्थे, कुतः सन्देहसम्भवः? ।।५४।। શ્લોકાર્ધ : પ્રકર્ષ કહે છે. હે મામા ! હવે મારો સંશય ગયો. અથવા તમે પાસે હોતે છતે ક્યાંથી સંદેહનો સંભવ હોય? I૫૪ ભાવાર્થ| વિમર્શ કહે છે કે અંતરંગ શત્રુઓના દર્પને નાશ કરનારા પુરુષો જગતમાં નથી એમ નહીં પરંતુ બહુ વિરલ હોય છે તેથી સર્વત્ર દેખાતા નથી. તેથી બુદ્ધિનો પ્રકર્ષ વિમર્શને પ્રશ્ન કરે છે, તેથી વિમર્શ કહે છે – એવા મહાત્માઓ પણ જગતમાં છે જેઓ આ મહામોહ આદિના દર્પને નાશ કરીને પોતાના સામ્રાજ્ય ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે ? મારા વડે હમણાં સંભળાયું છે કે ભવચક્ર નામનું નગર છે તે નગરમાં ઘણા લોકો વસે છે અને તે અતિ વિસ્તીર્ણ નગર છે. ત્યાં ઘણાં દેવકુલો છે અને તે બહિરંગ ભવચક્ર નગરમાં કેટલાક બહિરંગ લોકો છે કે જેઓ મહામોહનરેન્દ્ર વગેરે શત્રુવર્ગથી વિક્ષેપ કરાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આ ભવચક્રરૂપ નગરમાં મહામોહ રાજા વગેરે જ્યારે ચિત્તવૃત્તિમાં વર્તે છે ત્યારે સાક્ષાત્ બાહ્ય વિક્ષેપ દેખાતો નથી પરંતુ કોઈક નિમિત્તને પામીને ભાવો બહાર પ્રગટ થાય છે ત્યારે સંસારી જીવો પરસ્પર ક્લેશ કરતા, રાગ કરતા, ઝઘડા કરતા, સ્પષ્ટ દેખાય છે ત્યારે તે મહામોહ આદિ ભાવો માત્ર ચિત્તવૃત્તિમાં રહેતા નથી. પરંતુ સાક્ષાત્ બહાર પ્રગટ થઈને કોલાહલ મચાવતા દેખાય છે. પ્રકર્ષ કહે છે – હે મામા ! તે નગર અંતરંગ છે કે બાહ્ય છે અર્થાત્ તે ભવચક્ર નગર અંતરંગ હોય તો જીવોની અંદર તે મહામોહ આદિ કોલાહલ કરે છે તેમ કહેવાય અને બહિરંગ છે તો બહિરંગ લોકો બાહ્ય દેખાય છે તેમ ભવચક્ર નગર પણ બહાર દેખાવું જોઈએ. તેનો ઉત્તર આપતાં વિમર્શ કહે છે – ભવચક્ર નગર અંતરંગ છે કે બહિરંગ છે તેમ કહી શકાય નહીં પરંતુ આ ભવચક્ર નગરમાં જેમ બહિરંગ લોકો દેખાય છે તેમ અંતરંગ લોકો પણ વિદ્યમાન છે અને તે અંતરંગ લોકોનો પ્રતિપક્ષભૂત સંતોષ તે જ નગરમાં વિદ્યમાન છે. તેથી આ ભવચક્ર નગર અંતરંગ લોકોથી, બહિરંગ લોકોથી અને સંતોષથી અનુવિદ્ધ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચાર ગતિઓના પરિભ્રમણરૂપ જે ભવચક્ર નગર છે તેમાં સર્વ સંસારી જીવો છે તેમાં મહામોહ આદિ વર્તે છે અને મહામોહ આદિના પ્રતિપક્ષભૂત સંતોષ પણ વર્તે છે. તેથી પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે જે મહામોહ આદિ અંતરંગ ચિત્તરૂપી અટવીમાં વિદ્યમાન હોય તે આ ભવચક્ર નગરમાં કઈ રીતે રહે ? તેથી વિમર્શ કહે છે – મહામોહ આદિ સર્વ રાજાઓ અને અંતરંગ લોકો યોગી જેવા છે અર્થાત્ અનેક પ્રકારની કળાને જાણનારા છે. તેથી ક્યારેક ચિત્તરૂપી અટવીમાં દેખાય છે તો ક્યારેક ભવચક્રમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૫ પણ દેખાય છે, કેમ કે તેઓ પોતાની ઇચ્છાનુસાર બહુરૂપને કરનારા છે અને બીજાના નગરમાં પ્રવેશ કરનારા છે અને ક્યારેક અદૃશ્ય થઈ જાય છે તો ક્યારેક પોતાનાં ઇષ્ટ સ્થાનોમાં પ્રગટ થાય છે. તેથી અચિંત્ય માહાત્મવાળા આ રાજાઓ છે. માટે સર્વત્ર તેની પ્રાપ્તિ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મહામોહ આદિના ભાવો ક્યારેક બહાર પ્રગટ દેખાય નહીં, પરંતુ કોઈ મહાત્મા નિપુણ પ્રજ્ઞાથી અંતરંગ અવલોકન કરે તો ચિત્તવૃત્તિમાં તેઓ દેખાતા હોય છે અને ક્યારેક સંસારમાં તે તે નિમિત્તોને પામીને તે તે કષાયો કોલાહલ કરતા બહાર પ્રગટ થતા પણ દેખાય છે. અને તે સંતોષ પણ ક્યારેક ચિત્તવૃત્તિમાં દેખાય છે તો ક્યારેક પ્રગટ રીતે ભવચક્રમાં મહાત્માઓના તે તે પ્રકારના વર્તનમાં પણ સંતોષ દેખાય છે. તેથી ભવચક્ર અંતરંગ લોકો અને બહિરંગ લોકોના આધાર રૂપ હોવાથી ઉભય સ્વરૂપ છે અર્થાત્ બાહ્ય સંસારી જીવો પણ ભવચક્રમાં રહે છે અને મહામોહ આદિ પણ ભવચક્રમાં રહે છે. પ્રકર્ષને તત્ત્વને જાણવાની જિજ્ઞાસા થાય છે તેથી પ્રકર્ષ પૂછે છે, જો ત્યાં સંતોષ છે તો મારે તે નગર જોવા માટે કુતૂહલ છે માટે મને તે નગર બતાવો. તોપણ વિચક્ષણ પુરુષ વિચારે છે કે મારે રસનેન્દ્રિયની શુદ્ધિ જાણવી છે અને તે શુદ્ધિના અર્થે જ તેણે પોતાની વિમર્શશક્તિને વ્યાપારવાળી કરેલી. તેથી તે વિમર્શશક્તિ પોતાના અંતરંગ ચિત્તમાં રહેલ કર્મના વિપાક દ્વારા અવલોકન કરવા પ્રવર્તે છે અને વિપાક પાસેથી તેને રસનાનું નામ પ્રાપ્ત થયેલું. તે રસના વિષયાભિલાસની પુત્રી છે તેમ જાણ્યા પછી તે વિષયાભિલાષ શું છે તે વિષયક વિચક્ષણ પુરુષ ઊહ કરે છે અને તે ઊહ કરવામાં જ ચિત્તવૃત્તિ અટવીમાં મહામોહનું સૈન્ય દેખાયું. તેથી તેના સ્વરૂપ વિષયક જિજ્ઞાસા થઈ. તેથી બુદ્ધિના પ્રકર્ષે તે જાણવા માટે પૃચ્છા કરીને વિચક્ષણની વિમર્શશક્તિએ તે સર્વનો અત્યાર સુધી નિર્ણય કર્યો. તેથી વિમર્શ કહે છે આપણું અહીં આવવાનું પ્રયોજન પૂર્ણ થાય છે માટે વિચક્ષણને રસનાની સર્વ માહિતી આપવા માટે આપણે જવું જોઈએ. તોપણ વિમર્શની બુદ્ધિમાં રહેલ જે તત્ત્વને જાણવાને અનુકૂળ પ્રકર્ષ છે તેને આટલા અવલોકનથી ભવચક્રનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા થાય છે. તેથી તે વિચક્ષણની બુદ્ધિનો પ્રકર્ષ રસના અને વિષયાભિલાષની માહિતીથી સંતોષ પામતો નથી. પરંતુ ભવચક્રના સ્વરૂપને જાણવા માટે પ્રકર્ષ આગ્રહ કરે છે અને કહે છે – આપણે એક વર્ષનું અવલોકન કરીને પાછા ફરવાનો સંકલ્પ કરેલ અને હજી શિશિર ઋતુ વર્તે છે તેથી ઘણો કાળ બાકી છે માટે પ્રાસંગિક શિશિર ઋતુમાં જીવોનું સ્વરૂપ કેવું હોય છે તેનું વર્ણન અહીં કરેલ છે અને માર્ગમાં જતા અર્થાત્ ભવચક્રને જોવા માટે માર્ગમાં જતા પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે કર્મપરિણામ રાજા સંબંધી આજ્ઞાને મહામોહ કરે છે કે નહીં ? તે વિષયક વિમર્શ વિચારણા કરીને કહે છે – વાસ્તવિક રીતે કર્મપરિણામ રાજા અને મહામોહનો ભેદ નથી. પરંતુ મહામોહનો જ્યેષ્ઠ સહોદર કર્મપરિણામ રાજા છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મના અનેક ભેદો છે તેમાંથી જ્ઞાનાવરણકર્મનો ભેદરૂપ મહામોહ છે તેથી મહામોહ અને કર્મ વચ્ચે સર્વથા ભેદ નથી તોપણ કર્મપરિણામ રાજા આઠ કર્મોનો સમુદાયરૂપ હોવાથી જ્યેષ્ઠ છે અને તેના એક ભેદરૂપ મહામોહ હોવાથી નાનો ભાઈ છે. વળી કર્મપરિણામ રાજા ચોરટો નથી પરંતુ મહામોહ રાજા ચોરટા જેવો છે અને તેની આજુબાજુ જ જે સર્વ રાજાઓ છે તે પણ ચોરટા એવા તે મહામોહના જ સેનાપતિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્માની સંપત્તિને લૂંટનાર અન્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કર્મો નથી. પરંતુ મહામોહ અને તેના અવાંતર ભેદો છે. આથી જ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ કાળમાં કર્મપરિણામથી જ જીવને ચારિત્ર આદિ ગુણો પણ પ્રાપ્ત થાય છે અને અન્ય શુભપ્રકૃતિઓથી કર્મ જીવનાં સુંદર કાર્યો પણ કરે છે અને અસુંદર પ્રકૃતિઓથી અસુંદર કાર્યો કરે છે. મહામોહ રાજા તો કેવલ જીવને મૂઢ બનાવીને એકાંત તેનું અહિત જ કરે છે. વળી, આ મહામોહ જીવની ગુણસંપત્તિને લૂંટવાની ઇચ્છાવાળો છે. તેથી જીવને મૂઢ બનાવીને સર્વ વિડંબના કરે છે જ્યારે કર્મપરિણામ રાજા નાટકપ્રિય છે. તેથી જીવને ક્યારેક સુંદર પાત્રોરૂપે નૃત્ય કરાવે છે તો ક્યારેક અસુંદર પાત્રરૂપે નૃત્ય કરાવે છે. આથી જ તીર્થકર નામકર્મવાળા ઉદયવાળા જીવને કર્મપરિણામ રાજા અત્યંત સુંદર પાત્રરૂપે જ નૃત્ય કરાવે છે. વળી, લોકમાં આ મહામોહ મહારાજા મહત્તમ છે તેમ કહેવાય છે અને કર્મપરિણામ રાજાનો ભાઈ કહેવાય છે; કેમ કે કર્મપરિણામના જ અવાંતર ભેદરૂપ જ જ્ઞાનાવરણકર્મ છે તેથી નાનો ભાઈ છે. વળી, આ રાજાઓ=મહામોહ આદિ રાજાઓ, કર્મપરિણામ રાજાની પાસે જઈને જીવોને અનેક પ્રકારનાં નૃત્યો કરાવે છે. તેથી સંસારનાટક અનેક પ્રકારનાં વાજિંત્રોથી અને અનેક પ્રકારના ક્લેશોથી સદા વર્તે છે અને કર્મપરિણામ રાજા તે નાટક જોવા માત્રમાં જ સંતોષવાળો છે. વળી, આ કર્મપરિણામ રાજા અંદરના સર્વ જ મહામોહ આદિ સર્વનો પ્રભુ છે. વળી, સર્વના સમુદાયરૂપ સુંદર અને ઇતરનો નાયક કર્મપરિણામ રાજા છે અને મહામોહ કર્મપરિણામ રાજાનો એકદેશ છે અને કર્મપરિણામ રાજાના આદેશને કરનાર છે તેથી જે જીવોનાં જે પ્રકારનાં કર્મો વિપાકમાં આવે છે તે જ પ્રકારે મહામોહ આદિ ચોરટાઓ તે જીવોને તે પ્રકારની કષાયોની વિડંબના કરે છે. વળી નાટકનો પ્રાયઃ પ્રવર્તક કર્મપરિણામ રાજા છે. વળી, મોક્ષનગરીને છોડીને જે સુંદર અંતરંગ નગરો છે, સુંદર પુરુષો છે અને બાહ્યમાં પણ જે સુંદર સ્થાનો છે તે સર્વનો પ્રવર્તક કર્મપરિણામ રાજા છે. આથી જ કર્મને વશ જીવો સુંદર દેવલોકમાં, સુંદર મનુષ્યલોકમાં સુખ-શાંતિથી જીવી શકે તેવી સામગ્રીયુક્ત જન્મે છે તે સર્વ કર્મપરિણામનો વિલાસ છે. મહામોહ અન્ય કષાય-નોકષાય આદિ જે ભાવો છે તે સર્વના બળથી કર્મરૂપી ધનઅર્જન કરીને કર્મપરિણામ રાજાને જ અર્પણ કરે છે. આથી જ મહામોહ અને અંદરમાં વર્તતા રાગાદિ ભાવોથી જીવો જે કંઈ કર્મો બાંધે છે તે સર્વ કર્મના સંચયરૂપ થવાથી કર્મપરિણામ રાજાનું જ અંગ બને છે અને તે ધનનો વિનિયોગ કર્મપરિણામ રાજા કરે છે તેથી જે જીવોએ સુંદર કર્મો બાંધ્યાં છે તેઓને તે કર્મપરિણામ રાજા સુંદર સ્વરૂપે બનાવે છે અને જે જીવોએ ખરાબ કર્મો બાંધ્યાં છે તેઓને તે કર્મપરિણામ રાજા નરકાદિ ભાવોની પ્રાપ્તિ કરાવે છે. વળી, આ મહામોહ ચારિત્ર સૈન્ય સાથે યુદ્ધ કરવામાં અને તેની સંપત્તિને લૂંટવામાં તત્પર છે અને કર્મપરિણામ રાજા તે પ્રકારના યુદ્ધમાં રસવાળો નથી પરંતુ ભોગપર છે. તેથી જે જે પ્રકારના જે જે જીવો કર્મો બાંધે છે તે પ્રમાણે તે તે જીવોને તે તે ભાવો કરાવીને કર્મપરિણામ રાજા આનંદને અનુભવે છે પરંતુ મહામોહની જેમ ચારિત્રનો નાશ કરવા અને તેની સંપત્તિને ગ્રહણ કરવામાં તેને રસ નથી. આથી જ ઉત્તમ પુરુષોને કર્મપરિણામ રાજા પોતાની સંપત્તિની પ્રાપ્તિ કરવામાં સહાયક થાય છે, જ્યારે મહામોહ ઉત્તમ પુરુષને પણ ખુલના કરાવીને દૂર કરવા યત્ન કરે છે. આથી જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ પોતાની આત્મિક સંપત્તિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૭ માટે મહાયત્ન કરતા હતા. નિમિત્તને પામીને મહામોહનો હુમલો થયો ત્યારે મહામોહ તેમને પોતાની રાજ્યભૂમિમાંથી બહાર કાઢી મૂકે છે. આ રીતે આ મહામોહ કર્મપરિણામ રાજાની આજ્ઞા પ્રમાણે કરે છે અને તેનાથી પોતાને ભિન્ન માનતો નથી. આથી જ કર્મપરિણામ રાજાનું સામ્રાજ્ય કેમ વૃદ્ધિ પામે તે અર્થે જ મહામોહ સદા યત્ન કરે છે અને જે જીવોનાં જે પ્રકારનાં કર્મો છે તે પ્રકારે મહામોહ તે જીવની વિડંબના કરીને કર્મની વૃદ્ધિ કરાવે છે. વળી, મહામોહનાં રાજસચિત્ત અને તામસચિત્ત નામનાં બે નગરો છે તે બંને નગરો કર્મપરિણામ રાજાએ મહામોહન ભટભક્તિમાં=મોટા રાજા દ્વારા નાના રાજાને ખુશ થઈને અપાતું રાજ્ય જેનું સાલિયાણું નાના રાજાએ મોટા રાજાને આપવાનું હોય તે સ્વરૂપ ભટભક્તિમાં, આપ્યાં છે. વળી, પ્રકર્ષ પ્રશ્ન કરે છે – આ બે રાજ્યો મહામોહને પૂર્વજો પાસેથી મળ્યાં છે કે બલાત્કારે કોઈકથી ગ્રહણ કર્યા છે ? તેથી એ પ્રાપ્ત થાય કે રાજસચિત્ત નગર અને તામસચિત્ત નગર ઉપર જે મહામોહનું આધિપત્ય છે તે તેની પાસે ક્યાંથી આવ્યું છે એ પ્રકારે બુદ્ધિનો પ્રકર્ષ ઊહ કરે છે ત્યારે વિચક્ષણની વિમર્શશક્તિ તેનો વિચાર કરીને કહે છે. આ બંને રાજ્ય તેઓને પરંપરાથી મળ્યા નથી પરંતુ બલાત્કારે ઝૂંટવીને બીજાની સંપત્તિ તેઓએ લઈ લીધેલી છે. કઈ રીતે ? એથી કહે છે – આ જીવ સકર્મવાળો છે. બાહ્ય અને અંતરંગજનવાળો છે અને તેવો સંસારી જીવ છે એમ વિમર્શ પૂર્વમાં બતાવેલ. તેથી એ ફલિત થાય કે આ ચિત્તરૂપી મહાટવી પોતાની સંપત્તિ છે અને મહામોહના બે પુત્રોએ વીર્યથી તેને બહાર કાઢીને પોતાની સંપત્તિ કરેલી છે. આથી જ સંસારી જીવ સ્વરૂપથી જ્ઞાન સ્વરૂપ છે અને તે જ્ઞાન મતિજ્ઞાન સ્વરૂપ છે જે ચિત્તરૂપી અટવી સ્વરૂપ છે અને તે ચિત્તરૂપી અટવીનો માલિક સંસારી જીવ છે. તોપણ તે જીવમાં વર્તતા રાગ-દ્વેષના પરિણામ તે જીવને ચિત્તરૂપી અટવીથી બહાર કાઢીને ત્યાં રાજસચિત્ત અને તામસચિત્ત નામનું નગર નિર્માણ કર્યું છે. તેથી જીવને પોતાની ચિત્તરૂપી અટવી ઉપર પોતાનું પ્રભુત્વ નથી પરંતુ રાગકેસરી અને દ્વેષગજેન્દ્રનું પ્રભુત્વ વર્તે છે. આ પ્રકારે વિચક્ષણની વિમર્શશક્તિથી તત્ત્વની પ્રાપ્તિ કર્યા પછી બુદ્ધિનો પ્રકર્ષ વિચારે છે કે ક્યારથી આ ચિત્તવૃત્તિ અટવીનું પ્રભુત્વ રાગકેસરી અને દ્વેષગજેન્દ્રએ પ્રાપ્ત કર્યું છે ? તેનો ઉત્તર વિમર્શ પણ આપી શકતો નથી; કેમ કે વિમર્શશક્તિની મર્યાદા પૂર્ણ થાય છે. ત્યાં પણ અનાદિ કાલથી આ બે નગરો સૂક્ષ્મ બુદ્ધિથી જોતાં મહામોહના સામ્રાજ્યમાં વર્તે છે તેમ જ દેખાય છે, પરંતુ ક્યારથી તે સામ્રાજ્ય મહામોહ લીધું છે તેનું મૂળ વિમર્શશક્તિ જોઈ શકતી નથી. તોપણ કંઈક બોધ કરવા અર્થે વિમર્શ પ્રકર્ષને કહે છે. આ કર્મપરિણામ રાજા દાન કરવામાં અને ઝૂંટવવામાં તત્પર છે અને આ મહામોહ તેના સૈન્યનો પાલક છે. કર્મપરિણામ રાજાએ તેને સૈન્ય વગેરે આપ્યું છે અને મહામોહ કર્મપરિણામ રાજાના કોષનો પરિવર્ધક છે. કર્મપરિણામ રાજાના આદેશને કરનારો આ મહામોહ છે છતાં રાજ્યનું કાર્ય પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. તેથી લૌકિકી વાણીની યુક્તિને આશ્રયીને પંડિત પુરુષો વડે ઊર્ધ્વ આસન ઉપર બેઠેલો આ મહામોહ રાજા કહેવાય છે. વસ્તુતઃ કર્મપરિણામ રાજા જ છે અને આ મહામોહ કર્મપરિણામ રાજાના સૈન્યનો પાલક છે તેથી આ બેનો પરસ્પર ભેદ છે. એક જ રાજા હોવા છતાં તે બંને તેને ભોગવનાર છે તેમ કહેવાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ cोs: तदेवंविधसज्जल्पकल्पनाऽपगतश्रमौ । तौ विलध्य दिनैर्मागं, भवचक्रे परागतौ ।।५५।। श्लोजार्थ : આવા પ્રકારના સત્ જન્મકલ્પનાથી દૂર થયો છે. શ્રમ જેનો એવા તે વિમર્શ અને પ્રકર્ષ તે બંને કેટલાક દિવસો વડે માર્ગનું ઉલ્લંઘન કરીને ભવચક્રમાં આવ્યા. JપપII श्टोs : इतश्च परिपाट्यैव, शिशिरो लङ्घितस्तदा । संप्राप्तश्च जनोन्मादी, वसन्तो मन्मथप्रियः ।।५६।। श्यार्थ: આ બાજુ પરિપાટીથી ક્રમથી શિશિરઋતુ ઉલ્લંઘ કરાઈ અને કામને પ્રિય, મનુષ્યને ઉન્માદ કરનારી વસંતઋતુ પ્રાપ્ત થઈ. પ૬ll cोs : स ताभ्यां नगरासन्ने, भ्रमनुद्दामलीलया । वसन्तकाननेषूच्चैः, कीदृशः प्रविलोकितः? ।।५७।। दोडार्थ : તે પ્રકર્ષ વિમર્શ બંને વડે નગરની સમીપમાં વસંતનાં જંગલોમાં ઉદ્દામલીલા વડે ભમતો કેવા પ્રકારનો વસંત જોવાયો ? ||પછી. वसन्तर्तुवर्णनम् यदुत-नृत्यन्निव दक्षिणपवनवशोद्वेल्लमानकोमलताबाहुदण्डैर्गायन्निव मनोज्ञविहङ्गकलकलकलविरुतैर्महाराजाधिराजप्रियवयस्यकमकरकेतनस्य राज्याभिषेके जयजयशब्दमिव कुर्वाणो मत्तकलकोकिलाकुलकोलाहलकण्ठकूजितैस्तर्जयन्निव विलसमानवरचूतैककलिकातर्जनीभिराकारयन्निव रक्ताऽशोककिसलयदलललिततरलकरविलसितैः प्रणमन्निव मलयमासान्दोलितनमच्छिखरमहातरूत्तमाङ्गैर्हसन्निव नवविकसितकुसुमनिकराट्टहासै रुदन्निव त्रुटितवृन्तबन्धननिपतमानसिन्दुवारसुमनोनयनसलिलैः पठनिव शुकसारिकास्फुटाक्षरोल्लापजल्पितेन सोत्कण्ठक इव माधवीमकरन्दबिन्दुसन्दोहास्वादनमुदितमत्तमधुकरकुलझणझणायितनिर्भरतया । अपि च Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વસંતઋતુનું વર્ણન તે “યહુતથી કહે છે - દક્ષિણ દિશાના પવનના વશથી કંપતી કોમલલતાઓ રૂપ બાહુદંડો વડે જાણે નૃત્ય ન કરતી હોય, મનોજ્ઞ=સુંદર પક્ષીઓના સુંદર કલકલ અવાજો વડે ગાયન ન કરતી હોય, મહારાજાધિરાજ મહામોહના પ્રિય મિત્ર કામદેવના રાજ્યાભિષેકમાં મત એવી સુંદર કોયલના સમુદાયના કોલાહલરૂપ કંઠના અવાજ વડે જય જય શબ્દ ન કરતી હોય, વિલાસ કરતી સુંદર આંબાની કળીઓ રૂપ તર્જની આંગળી વડે તર્જના ન કરતી હોય, રક્ત એવા અશોકના નવા સુકોમળ પત્રરૂપ સુંદર, ચપળ હાથતા વિલાસ વડે બોલવતી ન હોય, મલય=દક્ષિણ દિશાના પવનથી હલાયેલા અને નમતા શિખર ઉપર મોટા વૃક્ષોરૂપી મસ્તકો વડે પ્રણામ ન કરતી હોય, નવાં વિકસ્વર ફૂલોના સમૂહરૂપી અટ્ટહાસ વડે હસતી ન હોય, તૂટી ગયેલા ટીંટારૂપી બંધનમાંથી પડતા સિંદૂરવાસ જાતિનાં પુષ્પોના નેત્રરૂપી પાણી વડે રુદન ન કરતી હોય, પોપટ અને સારિકાના સ્પષ્ટ અક્ષરના ઉચ્ચારરૂપ અવાજ વડે પાઠ ન કરતી હોય, મધુના રસના બિંદુના સમૂહના આસ્વાદનથી હર્ષિત થયેલા મત્ત એવા ભમરાઓના ઝણ ઝણ અવાજની નિર્ભરતા વડે કરીને ઉત્સાહવાળી ન હોય, એવી વસંતઋતુ જોવાઈ, એમ અય છે. શ્લોક : इति नर्तनरोदनगानपरः, पवनेरितपुष्पजधूलिधरः । स वसन्तऋतुहरूपकरः, कलितो नगरोपवनान्तचरः ।।१।। શ્લોકાર્ચ : અને વળી – એ પ્રકારે નર્તન, રુદન, ગાનમાં તત્પર, પવનથી પ્રેરિત પુષ્પોથી ઉત્પન્ન થયેલી પરાગને ધારણ કરનાર, ગ્રહો રૂ૫ હાથવાળો નવ હાથવાળો, નગરના ઉપવનની અંદર ફરનાર, સુંદર, તે વસંતઋતુ છે. ||૧|| ततो विमर्शनाभिहितः प्रकर्षो यथा वत्स! काले तव भवचक्रनगरदर्शनकुतूहलं संपन्नं, यतोऽत्रैव वसन्ते प्रायेणास्य नगरस्य सौन्दर्यसारमुपलभ्यते, तथाहि-पश्य, अमीषां काननाभोगविलोकनकौतुकेन निर्गतानां नागरिकलोकानां याऽवस्था वर्तते सन्तानकवनेषु परिमुह्यति धावति बकुलवृक्षके, विकसितमाधवीषु धृतिमेति विलुभ्यति सिन्दुवारके । ત્યારપછી વિમર્શ વડે પ્રકર્ષ કહેવાયો. ‘અથા'થી બતાવે છે. હે વત્સ અવસરે ભવચક્ર નગરના દર્શનનું કુતૂહલ તારું સંપન્ન થયું, જે કારણથી આ જ વસંતઋતુમાં પ્રાય કરીને આ નગરનું શ્રેષ્ઠ સૌંદર્ય પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે – તું જો, જંગલના વિસ્તારને જોવાના કૌતુક વડે નીકળેલા આ નાગરિક લોકોની જે અવસ્થા છે. અવસ્થા કેવી છે ? તે બતાવે છે – સંતાનક નામનાં વૃક્ષોનાં વસોમાં મોહ પામે છે, બકુલવૃક્ષ તરફ દોડે છે, વિકસિત મોગરામાં વૃતિને પામે છે. સિંદુવાર=નગોડનાં વૃક્ષોમાં, લોભાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : पाटलपल्लवेषु न च तृप्यति नूनमशोकपादपे, । चूतवनेषु याति चन्दनतरुगहनमथाऽवगाहते ।।१।। શ્લોકાર્ય : પાટલ વૃક્ષનાં પલ્લવોમાં વૃદ્ધિ પામતા નથી, અને અશોક વૃક્ષમાં પણ ખરેખર તૃપ્તિ પામતા નથી. આંબાનાં વનોમાં જાય છે, ચંદન વૃક્ષની ઝાડીમાં પ્રવેશ કરે છે. ll૧II શ્લોક - इति मधुमासविकासिते रमणीयतरे द्विरेफमालिकेव । एतेषां ननु दृष्टिका विलसति सुचिरं वरे तरुप्रताने ।।२।। શ્લોકાર્ધ : એ રીતે વસંતઋતુમાં વિકસિત, અત્યંત રમણીય, શ્રેષ્ઠ વૃક્ષોના વિસ્તારમાં, ખરેખર આ નાગરિક લોકોની દષ્ટિ ભમરાની શ્રેણીની જેમ લાંબો કાળ વિલાસ કરે છે. શા બ્લોક : बहुविधमन्मथकेलिरसा दोलारमणसहेन । एते सुरतपराश्च गुरुतरमधुपानमदेन ।।३।। શ્લોકાર્ચ - હીંચકાની ક્રીડાની સાથે બહુ પ્રકારના કામની ક્રીડાના રસવાળા અને અત્યંત મોટા એવા મધના પાનના મદ વડે કામક્રીડામાં તત્પર આ નાગરિક લોકો, છે. Il3II શ્લોક : अन्यच्चविकसिते सहकारवने रतः, कुरुबकस्तबकेषु च लम्पटः । मलयमारुतलोलतया वने, सततमेति न याति गृहे जनः ।।४।। શ્લોકાર્થ : અને બીજું, વિકસિત એવા આંબાના વૃક્ષમાં રક્ત, અને કુટુંબક નામનાં વૃક્ષોમાં લંપટ, મલય પર્વતની=દક્ષિણ દિશાના પવનની, લોલતા વડે મનુષ્યવર્ગ સતત વનમાં જાય છે, ઘરે જતો નથી. II૪l Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : इदमहो पुरलोकशताकुलं, प्रवरचूतवनावलिमध्यगम् । विलसतीह सुरासवपायिनां, ननु विलोकय भद्र! कदम्बकम् ।।५।। શ્લોકાર્ચ - આશ્ચર્ય છે હે ભદ્ર, આ કદંબ વૃક્ષને તું જો. આ કદંબ વૃક્ષ સેંકડો નગરના લોકોથી આકુલ, શ્રેષ્ઠ આંબાના વનની શ્રેણીની મધ્યમાં રહેલું, અહીં દારૂ અને આસવને પીનારાઓને વિલાસ કરાવે છે. પી. શ્લોક - मणिविनिर्मितभाजनसंस्थितैरतिविनीतजनप्रविढौकितैः । प्रियतमाधरमृष्टविदंशनैश्चषकरत्नमयूखविराजितैः ।।६।। सुरभिनीरजगन्धसुवासितैः, सुवनितावदनाम्बुरुहार्पितैः । विविधमद्यरसैर्मुखपेशलैः, कृतमिदं तदहो मदनिर्भरम् ।।७।। શ્લોકાર્થ : મણિથી બનાવેલા ભાજનમાં રહેલા, અતિવિનીતજનો વડે સન્મુખ કરાયેલા, પ્રિયતમાના અધરના મૃષ્ટથી પવિત્ર થયેલ, મધપાનનાં રત્નોનાં કિરણોથી શોભિત, સુગંધી કમળના ગંધથી સુવાસિત, સુંદર સ્ત્રીઓનાં મુખરૂપી કમળથી અર્પણ કરેલા, અને મુખને સ્વાદિષ્ટ એવા વિવિધ મધ રસો વડે આ કદંબ વૃક્ષ મદથી ભરપૂર કરાયું. lls-૭ll શ્લોક : तथाहि-पश्य वत्स! यदत्रापानकेष्वधुना वर्ततेपतन्ति पादेषु (लुठन्ति) मादिताः, पिबन्ति मद्यानि रणन्ति गायनाः । रसन्ति वक्त्राम्बुरुहाणि योषितामनेकचाटूनि च कुर्वते जनाः ।।८।। શ્લોકાર્ધ : તે આ પ્રમાણે – હે વત્સ પ્રકર્ષ ! હાલમાં સુરાપાનની ગોષ્ઠિમાં જે વર્તે છે તે તું જો!– મદને પામેલા લોકો પગમાં પડે છે. (ઉઠન્તિ) પાઠ અન્ય પ્રતમાં છે તે પ્રમાણે આળોટે છે, મધને પીવે છે, ગાયનો ગાતા અવાજ કરે છે, સ્ત્રીઓનાં મુખરૂપી કમળોને ચુંબન કરે છે, જેનો અનેક ચાટુ વચનો કરે છે. llcil Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ Cोs: वदन्ति गुह्यानि सशब्दतालकं, मदेन नृत्यन्ति लुठन्ति चापरे । विघूर्णमानैर्नयनैस्तथापरे, मृदङ्गवंशध्वनिना विकुर्वते ।।९।। श्लोजार्थ: શબ્દતાલ સહિત ગુહ્ય વાતોને કહે છે. મદ વડે નૃત્ય કરે છે અને આળોટે છે, બીજાઓ મદિરાના પાનથી વિઘૂર્તમાન નેત્રો વડે લડે છે. તથા બીજા મનુષ્યો ઢોલ અને વાંસળીના અવાજ 43 विर 5रे छ. IIell Pcोs: स्वपूर्वजोल्लासनगर्वनिर्भरा, धनानि यच्छन्ति जनाय चापरे । भ्रमन्ति चान्ये विततैः पदक्रमैरितस्ततो यान्ति विना प्रयोजनम् ।।१०।। श्लोार्थ : અને પોતાના પૂર્વજોના ઉલ્લાસના ગર્વથી ભરેલા એવા બીજા લોકો મનુષ્યોને ધન આપે છે. બીજા મનુષ્યો વિસ્તૃત ચરણના ક્રમ વડે ભમે છે અને પ્રયોજન વિના આમતેમ જાય છે. ||૧૦|| एवं च यावदर्शयति प्रकर्षस्य विमर्शस्तदापानकं तावनिपतिता माधवीलतावितानमण्डपे कुवलयदलविलासलासिनी प्रकर्षस्य दृष्टिः । अभिहितमनेन-मामेदमपरमापानकमेतस्मात्सविशेषतरं विजृम्भते । विमर्शेनाभिहितं-ननु सुलभाऽत्र भवचक्रनगरे वसन्तसमयागमप्रमोदितानां नागरकलोकानामापानपरम्परा, तथाहि-पश्य चम्पकवीथिकां, निरूपय मृद्वीकामण्डपान्, विलोकय कुब्जकवनगहनानि, निरीक्षस्व कुन्दपादपसन्दोहं, निभालय रक्ताशोकतरुस्तोमं, साक्षात्कुरु बकुलविटपिगहनानि । यद्येतेषामेकमपि विलसदुद्दामकामिनीवृन्दपरिकरितमहेश्वरनागरकलोकविरचितापानकविरहितमुपलभ्येत भवता ततो मामकीनवचनेऽन्यत्रापि न सम्प्रत्ययो विधेयः प्रतारकत्वाद् भद्रेणेति । प्रकर्षणोक्तं- ननु कोऽत्र सन्देहः? दृश्यन्ते प्रायेणैवात्र प्रदेशे स्थितैर्य एते मामेनोद्घाटिता वनविभागा इति । किञ्च च न केवलमेते काननाभोगाः सर्वेऽपि विविधमधुपानमत्तोत्तालकलितललितमर्दलोल्लासमिलितबहललोककलकलाकुलाः, किन्तर्हि ? આ પ્રમાણે જેટલામાં વિમર્શ પ્રકર્ષતે તે દારૂનો પીઠો બતાવે છે, તેટલામાં કમળના પાંદડાના વિલાસથી શોભતી એવી પ્રકર્ષની દૃષ્ટિ મોગરાની લતાથી બનાવેલા વિસ્તૃત મંડપ ઉપર પડી. પ્રકર્ષ વડે કહેવાયું – હેમામા ! આ બીજો દારૂનો પીઠો આના કરતાં પણ પહેલા દારૂના પીઠા કરતાં પણ, વિશેષતર વિલાસ કરે છે. વિમર્શ વડે કહેવાયું – ખરેખર આ ભવચક્રરૂપી નગરમાં વસંતકાળના આગમનથી હર્ષિત થયેલા નગરવાસી લોકોને આપાતકની પરંપરા સુલભ છે=અનેક પ્રકારની સુરા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પાન ગોષ્ઠિ સુલભ છે. તે આ પ્રમાણે – ચંપાની શ્રેણિને તું જો, દ્રાક્ષના મંડપોને તું જો, સેવતી વૃક્ષોના ગહન વનને તું જો, મોગરાનાં વૃક્ષોના સમૂહને તું જો, લાલ અશોકના વૃક્ષના સમૂહને તું જો, બકુલ વૃક્ષના ગહન ભાગોને તું સાક્ષાત્ કર, જો વિલાસ કરતી વિશાલ સ્ત્રીઓના સમૂહથી પરિવરેલા ધનવાન નાગરિક લોકોએ કરેલી સુરાપાન ગોષ્ઠિથી રહિત આ વૃક્ષોમાંથી એક પણ વૃક્ષ મળે=પ્રાપ્ત થાય, તો મારા સંબંધી અન્ય વચનમાં પણ ઠગવાપણું હોવાથી ભદ્ર એવા તારા વડે વિશ્વાસ કરવો જોઈએ નહીં=મામાએ કહ્યું તે વાતમાં, વિશ્વાસ ન કરવો, પ્રકર્ષ વડે કહેવાયું. નતુ= ખરેખર, આમાં મામાની વાતમાં, સંદેહ શું ? અર્થાત્ સંદેહ નથી. પ્રાયઃ કરીને જે આ મામા વડે બતાવાયેલા વનવિભાગો છે તે આ પ્રદેશમાં રહેલા લોકો વડે પ્રાયઃ દેખાય છે. ઈતિ સમાપ્તિ અર્થમાં છે. વળી, આ વનના વિસ્તારો સર્વે પણ વિવિધ પ્રકારના મધુપાનમાં મસ્ત થયેલા, મોટા અવાજથી કલિત, વાજિંત્રતા ઉલ્લાસથી ભેગા થયેલા ઘણા લોકોના કલકલ અવાજથી ભરેલા છે, એટલું જ નહિ, તો પછી શું? તે બતાવતાં કહે છે – શ્લોક : क्वचिद्रसत्पुरमेखलागुणैनितम्बबिम्बातुलभारमन्थरैः । तरुप्रसूनोच्चयवाञ्छयाऽऽगतैः, सभर्तृकैर्भान्ति विलासिनीजनैः ।।१।। શ્લોકાર્ચ - અવાજ કરતાં ઝાંઝર અને કંદોરાવાળી, નિતંબના ઘણા ભારથી મંદગતિવાળી, વૃક્ષનાં ફૂલોને ચૂંટવાની ઈચ્છાથી આવેલી, પતિ સહિત વિલાસ કરનારી સ્ત્રીવર્ગ વડે કોઈ સ્થાને વનના વિભાગો શોભે છે. IIII. શ્લોક : क्वचित्तु तैरेव विघट्टिताः स्तनैर्महेभकुम्भस्थलविभ्रमैरिमे । विभान्ति दोलापरिवर्तिभिः कृताः, सकामकम्पा इव माम! शाखिनः ।।२।। શ્લોકાર્ચ - કવયિત્રકોઈ સ્થાનમાં, મોટા હાથીઓના કુંભસ્થલના વિભ્રમને કરનારા, હીંચકા વડે પરાવર્તન પામતા એવા તે સ્તનો વડે સંઘર્ટ કરાયેલાં જાણે કામના પ્રવેશથી કંપ સહિત ન કરાયાં હોય તેવાં આ વૃક્ષો હે મામા ! શોભે છે. રા શ્લોક : क्वचिल्लसद्रासनिबद्धकौतुकाः, क्वचिद्रहःस्थाननिबद्धमैथुनाः । इमे क्वचिन्मुग्धविलासिनीमुखैर्न पाषण्डादधिका न शोभया ।।३।। Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - ક્વચિત્રકોઈ સ્થાનોમાં, આ વનવિભાગો સુંદર રાસથી નિબદ્ધ કૌતુકવાળા, ક્વચિત્ ગુપ્ત સ્થાનોમાં પરસ્પર મૈથુનવાળાં યુગલો છે જેમાં તેવા વનવિભાગો, ક્વચિત્ મુગ્ધ સ્ત્રીઓનાં મુખરૂપી કમળો વડે આ=વનવિભાગો, શોભાથી પદ્મખંડ કરતાં પણ અધિક શોભાવાળા નથી એવું નહિ પણ આ વનવિભાગો પાખંડ કરતાં પણ અધિક શોભાવાળા છે એમ અન્વય છે. ll विमर्शेनाभिहितं-साधु भद्र! साधु, सुन्दरं विलोकितं भवता, नूनमेवंविधा एव सर्वेऽपीमे काननाभोगाः, अत एव मयाऽभिहितं यथा-अवसरे भवतो भवचक्रनगरदर्शनकुतूहलं संपन्नं, यतोऽस्मिन्नेव वसन्तकाले नगरस्यास्य सौन्दर्यसारमुपलभ्यते, तदेते विलोकिता भद्र! भवता तावद् बहिर्वनाभोगाः, साम्प्रतं प्रविशावो नगरं विलोकयावस्तदीयश्रियं येन तव कौतुकमनोरथः परिपूर्णो भवति । प्रकर्षणोक्तंअतिदर्शनीयमिदं बहिर्लोकविलसितं रमणीयतरोऽयं प्रदेशः, पथि श्रान्तश्चाहं अतः प्रसादं करोतु मे मामः, तिष्ठतु तावदत्रैव क्षणमेकं स्तोकवेलायां नगरे प्रवेक्ष्याव इति, विमर्शेनाभिहितं-एवं भवतु । ततो यावदेष जल्पस्तयोः संपद्यते तावत् किं संवृतम्? વિમર્શ વડે કહેવાયું. સુંદર હે ભદ્ર પ્રકર્ષ ! સુંદર તારા વડે જોવાયું. ખરેખર આવા પ્રકારના જ સર્વ પણ આ વનના ભોગો છે. આથી જ મારા વડે કહેવાયું. યથા અવસરમાં તને ભવચક્ર નગરના દર્શનનું કુતૂહલ થયું. જે કારણથી આ જ વસંતકાલમાં નગરનું આવું સૌંદર્યસાર પ્રાપ્ત થાય છે. તે કારણથી હે ભદ્ર ! આ બહારના વનના ભોગો તારા વડે જોવાયા. હવે નગરમાં આપણે બે પ્રવેશીએ, તેની લક્ષ્મીને આપણે બે જોઈએ. જેનાથી તારો કૌતુક મનોરથ પરિપૂર્ણ થાય. પ્રકર્ષે વડે કહેવાયું – અતિ દર્શનીય આ બહિર્લોકથી વિલસિત રમણીયતર આ પ્રદેશ છે. અને પથમાં થાકેલો હું છું. આથી મારા ઉપર મામા પ્રસાદ કરો. ત્યાં સુધી અહીં જ એક ક્ષણ રહો. થોડી વેલામાં નગરમાં આપણે બે પ્રવેશ કરશું. વિમર્શ વડે કહેવાયું – એ પ્રમાણે થાવ. ત્યારપછી જ્યાં સુધી આ તે બેનો જલ્પ થયો= મામા ભાણેજનો જલ્પ થયો, ત્યાં સુધી કંઈક સંવૃત પ્રાપ્ત થયું ? लोलाक्षनृपागमः શ્લોક : रथघणघणरावगर्जितः, करिसरातमहाभ्रविभ्रमः । निशितास्त्रवितानवैद्युतश्चलशुक्लाश्वमहाबलाहकः ।।१।। निपतन्मदवारिसुन्दरः, प्रमदभरोद्भुरलोकसेवितः । जनिताखिलसुन्दरीमनोबृहदुन्माथकरूपधारकः ।।२।। मधुमासदिदृक्षया पुरादथ वरराजकपोरवेष्टितः । नृपतिनिरगात्समं बलैर्ऋतुरिव बन्धुधिया घनागमः ।।३।। Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના લોલાક્ષ રાજાનું આગમન RCोधार्थ: રથના ઘણ ઘણના અવાજથી ગર્જિત, હાથીઓના સમૂહથી મહાઅભ્રના વિભ્રમવાળો, તીક્ષ્ણ અસ્ત્રના વિસ્તારથી પ્રકાશવાળો, ચાલતા શુક્લ અશ્વથી મોટા બગલાઓનું નિદર્શન કરાવતો, ઝરતા મદરૂપી પાણીથી મનોહર, પ્રમદભર એવા ઉદ્ધર લોકોથી સેવાતો, ઉત્પન્ન કર્યું છે અખિલ સુંદરીના મનના બૃહદ્ ઉન્માદને જેણે એવા મકરધ્વજને ધારણ કરનારો, મધુમાસને જોવાની ઈચ્છાથી શ્રેષ્ઠ રાજપુરુષોથી વેષ્ટિત, બંધુબુદ્ધિથી મેઘના આગમવાળી ઋતુની જેમ બલની સાથે रात नगरथी नीऽज्यो. ||१थी 3।। Rels : स च वादितमर्दलैःसद्वरकंसालकवेणुराजितैः । कृतनृत्तविलासचारुभिर्न न भाति स्म सुचच्चरीशतैः ।।४।। स्तोमार्थ : અને તે વાદિત થયેલા મર્દલો વડે સુંદર શ્રેષ્ઠ કંસાલક વેણુથી શોભતી, કરેલા નૃત્યના વિલાસથી સુંદર એવી સેંકડો સારી ચઢેરીઓ વડે તે રાજા, શોભતો નથી એમ નહિ અર્થાત્ શોભે છે. ||४|| ततो दृष्टस्ताभ्यां विमर्षप्रकर्षाभ्यां नगरानिर्गतो महासामन्तवृन्दपरिकरितो वरवारणस्कन्धारूढो विकसितोद्दण्डपुण्डरीकपरिमण्डलपाण्डुरेण महता छत्रेण वारितातपो मघवानिवाधिष्ठितैरावतो विबुधसमूहमध्यगतश्च स नरेन्द्रः विलोकितश्च तस्य पुरतो हष्टः कलकलायमानो भूरिसितातपत्रफेनपिण्डः क्षुभित इव महासागरश्चलत्कदलिकासहस्रकरैः स्पर्द्धया त्रिभुवनमिवाधिक्षिपन्नतिभूरितयाऽसौ जनसमुदायः, प्राप्तश्चोद्यानपरिसरे राजा । अत्रान्तरे विशेषतः समुल्लसिताश्चच्चर्यः, प्रहता मृदङ्गा, वादिता वेणवः, समुल्लसितानि कंसालकानि, रणरणायितानि मञ्जीरकाणि, प्रवर्धितस्तालारवो, विजृम्भितः षिङ्गकोलाहलः, प्रवृत्तो जयजयरवः, समर्गलीभूतो बन्दिवृन्दशब्दः, प्रवृत्ता गणिकागणाः, क्षुभितः प्रेक्षकजनः, संजाताः केलयः । ततस्ते लोकाः केचिनृत्यन्ति, केचिद्वल्गन्ति, केचिद्धावन्ति, केचित्कलकलायन्ते, केचित्कटाक्षयन्ति, केचिल्लुठन्ति, केचिदुपहसन्ति, केचिद् गायन्ति, केचिद्वादयन्ति, केचिदुल्लसन्ते, केचिदुत्कृष्टिशब्दान् मुञ्चन्ति, केचिद् बाहुमूलमास्फोटयन्ति, केचित्परस्परं मलयजकश्मीरजक्षोदरसेन कनकशृङ्गकैः सिञ्चन्ति । ततश्चैवं सति ત્યારપછી તે વિમર્શ-પ્રકર્ષ દ્વારા નગરથી નીકળેલો મહાસામંત વંદથી પરિકરિત, શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલો, વિકસિત ઊંચા દંડવાળા પુંડરીક પરિમંડલથી પાંડુ એવા મોટા છત્રથી દૂર Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કરાયેલ આતાવાળો, દેવતાઓના સમૂહની વચમાં રહેલો, ઐરાવત હાથી ઉપર બેઠેલો જાણે ઇન્દ્ર હોય તેવો તે રાજા જોવાયો. હર્ષિત, કલકલ કરતો, ઘણા શ્વેત આતપત્રના ફેનના પિંડવાળો, સુભિત મહાસાગર જેવો, ચાલતા કદલિકના હજાર હાથ વડે, સ્પર્ધા દ્વારા ત્રણ ભુવનની જાણે અવગણના કરતો, અતિ ભૂરિપણાને કારણે તેની આગળ=રાજાની આગળ, જોવાયો. એટલામાંsઉદ્યાનના પરિસરમાં રાજા પ્રાપ્ત થયો એટલામાં, વિશેષથી ચર્ચારીઓ ઉલ્લસિત થઈ. મૃદંગો વગાડાયાં. વેણુઓ વાદન કરાઈ. કંસાલકો ઉલ્લસિત કરાયા. મંજીરનો રણરણ કરાવાઈ. તાલનો આરવ પ્રવર્ધન કરાયો. હિંગનો કોલાહલ વિજસ્મિત થયો. જયજય અવાજ પ્રવૃત થયો. બંદીવૃંદનો શબ્દ ઉભવ થયો. ગણિકાગણી પ્રવૃત્ત થયા. પ્રેક્ષકજન સુભિત થયો. કેલીઓ થઈ. તેથી તે લોકો કેટલાક નૃત્ય કરે છે, કેટલાક કૂદકા મારે છે, કેટલાક દોડાદોડ કરે છે. કેટલાક કલકલ કરે છે. કેટલાક કટાક્ષો કરે છે, કેટલાક આળોટે છે, કેટલાક ઉપહાસ કરે છે. કેટલાક ગાય છે. કેટલાક વાદન કરે છે. કેટલાક ઉલ્લસિત થાય છે. કેટલાક જોરથી શબ્દોને મૂકે છે. કેટલાક બાહુમૂલને આસ્ફોટન કરે છે. કેટલાક પરસ્પર ચંદન, કેસરના લોદના રસ વડે સુવર્ણતા શૃંખલાઓથી સિંચે છે. તેથી આમ હોતે છતે – શ્લોક : लसदुद्भटभूरिविलासकरे, मदनानलदीपितसर्वजने । अथ तादृशलोचनगोचरतां, किमचिन्ति गते तु महामतिना? ।।१।। શ્લોકાર્ય : વિલાસ કરતાં ઉભટ એવા ઘણા પ્રકારના વિલાસને કરનાર એવું, કામના અગ્નિથી દીપ્ત થયેલું સર્વજન હોતે છતે, તેવી લોચનગોચરતા થયે છતે મહામતિ વડે શું વિચારાયું? IlIl इदं हि तदा मधुमासरसवशमत्तजनजनितं तत्तादृशं गुन्दलमवलोक्य विमर्शेन चिन्तितं यदुतअहो महामोहसामर्थ्य, अहो रागकेसरिविलसितं, अहो विषयाभिलाषप्रतापः, अहो मकरध्वजमाहात्म्यं, अहो रतिविजृम्भितं, अहो हासमहाभटोल्लासः, अहो अमीषां लोकानामकार्यकरणधीरता, अहो प्रमत्तता, अहो स्रोतोगामिता, अहो अदीर्घदर्शिता, अहो विक्षिप्तचित्तता, अहो अनालोचकत्वं, अहो विपर्यासातिरेकः, अहो अशुभभावनापरता, अहो भोगतृष्णादौर्लालित्यं, अहो अविद्यापहतचित्ततेति । ततः प्रकर्षो विस्फारिताक्षो निरीक्षमाणस्तल्लोकविलसितमभिहितो विमर्शेन-भद्र! एते बहिरङ्गजना, यद्विषयो मया वर्णितस्तेषां महामोहादिमहीभुजां प्रतापः । प्रकर्षः प्राह-माम! केन पुनर्वृत्तान्तेन कतमस्य वा भूभुजः प्रतापेन खल्वेते लोका एवं चेष्टन्ते? विमर्शेनोक्तं-निरूप्य कथयामि । ત્યારે મધુમાસના=વસંતઋતુના, રસના વશથી મત્ત થયેલા જનથી જનિત તે તેવા પ્રકારના ગુંદલને અવલોકન કરીને વિમર્શ વડે વિચારાયું. શું વિચારાયું ? તે ‘દુત'થી બતાવે છે – અહો, મહામોહનું સામર્થ્ય, અહો રાગકેસરીનું વિલસિત, અહો વિષયાભિલાષનો પ્રતાપ, અહો મકરધ્વજનું Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ માહાભ્ય, અહો રતિવિભૂમિમત, અહો હાસ્ય મહાભટનો ઉલ્લાસ, અહો આ લોકોના અકાર્યના કરણની ધીરતા, અહો પ્રમત્તતા, અહો સ્રોતગામિતા, અહો અદીર્ધદર્શિતા, અહો વિક્ષિપ્તચિત્તતા, અહો અના-લોચકપણું, અહો વિપર્યાસનો અતિરેક, અહો અશુભભાવનાપરતા, અહો ભોગતૃષ્ણાનું દોલલિત્ય, અહો અવિવાથી હણાયેલી ચિતતા અજ્ઞાનથી હણાયેલી ચિત્તતા. ત્યારપછી=વિમર્શ આ પ્રમાણે ચિંતવન કર્યું ત્યારપછી, પ્રકર્ષ વિસ્ફારિત ચક્ષવાળો તે લોકના વિલસિતને જોતો વિમર્શ વડે કહેવાયો – હે ભદ્ર પ્રકર્ષ ! આ બહિરંગજનો છે. જેનો વિષયરઆ બહિરંગજનોના વિષય, મારા વડે વર્ણન કરાયો તે મહામોહાદિ રાજાઓનો પ્રતાપ છે. પ્રકર્ષ કહે છે - હે મામા ! કયા વૃતાંતથી અથવા કયા રાજાના પ્રતાપથી ખરેખર આ લોકો આ પ્રમાણે ચેણ કરે છે ? વિમર્શ વડે કહેવાયું – વિચારીને હું કહું છું. वसन्तमकरध्वजयोः सख्यम् ततः प्रविश्य ध्यानं निश्चित्य परमार्थमभिहितमनेन-भद्र! समाकर्णय, असौ चित्तवृत्तिमहाटव्यां प्रमत्ततानदीपुलिनवर्तिनि चित्तविक्षेपमहामण्डपे महामोहराजसम्बन्धिन्यां तृष्णावेदिकायां महाविष्टरे निविष्टो दृष्टस्त्वया मकरध्वजः । तस्यायं वसन्तः प्रियवयस्यको भवति, ततो लघितप्राये शिशिरे गतोऽयमासीत् तन्मूले, स्थितस्तेन सह सुखासिकया । अयं च वसन्तः कर्मपरिणाममहादेव्याः कालपरिणतेरनुचरः, ततस्तस्मै मकरध्वजाय प्रियसुहृदे निवेदितमनेन वसन्तेनात्मगुह्यं यदुत स्वामिनीनिर्देशेन गन्तव्यमधुना मया भवचक्रनगरमध्यवर्तिनि मानवावासाभिधानेऽवान्तरपुरे, तेनाहं चिरविरहकातरतया भवतां दर्शनार्थमिहागत इति । ततः सहर्षेण मकरध्वजेनोक्तं-सखे! वसन्त! किं विस्मृतं भवतोऽतीतसंवत्सरे यन्मया भवता च तत्र पुरे विलसितं येनैवं भाविविरहवेदनाविधुरचित्ततया खिद्यसे, तथाहि-यदा यदा भवतस्तत्र पुरे गमनाय स्वामिनीनिर्देशोऽभवत् तदा तदा मह्यमप्येष महामोहनरेन्द्रस्तत्रैव पुरे राज्यं वितरति स्म, तत्किमितीयमकारणे भवतो मया सह विरहाशङ्का? वसन्तेनोक्तं-वयस्य! प्रत्युज्जीवितोऽहमधुनाऽनेन कमनीयवचनेन, इतरथा विस्मृत एवासीनूनं ममैष વ્યતિર: I તથાદિ વસંતઋતુ અને મકરધ્વજનું સખાપણું ત્યારપછી ધ્યાનમાં પ્રવેશ કરીને પરમાર્થનો નિર્ણય કરીને આવા વડે=વિમર્શ વડે, કહેવાયું – હે ભદ્ર પ્રકર્ષ ! સાંભળ, આ ચિત્તવૃત્તિ મહાટવીમાં પ્રમત્તતા નદીના પુલિતવર્તી ચિત્તવિક્ષેપ નામના મહામંડપમાં મહામોહ રાજા સંબંધી તૃષ્ણાવેદિકામાં મહાવિષ્ટર ઉપર બેઠેલો મકરધ્વજ તારા વડે જોવાયો. તેનો=મકરધ્વજનો, આ વસંત પ્રિય મિત્ર છે. તેથી પસાર થયેલી શિશિરઋતુ હોતે છતે તેના મૂલમાં-મકરધ્વજની પાસે, ગયેલો આ વસંત, મિત્ર છે. તેની સાથે-મકરધ્વજની સાથે સુખાસિકાથી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બેઠેલો છે. અને આ વસંત કર્મપરિણામ રાજાની મહાદેવી કાલપરિણતિનો અનુચર છે. તેથી તે પ્રિયમિત્ર મકરધ્વજને આ વસંત વડે આત્માનું ગુહ્ય નિવેદન કરાયું. શું નિવેદન કરાયું ? તે “યહુતીથી બતાવે છે – સ્વામિનીના નિર્દેશથી કાલપરિણતિરૂપ સ્વામિનીના નિર્દેશથી, હવે મારા વડે ભવચક્ર વગર મધ્યવર્તી માનવવાસ નામના અવાંતરપુરમાં જવું જોઈએ. તેથી હું ચિરવિરહકારપણાને કારણે=મકરધ્વજની સાથે લાંબા વિરહના કાયરપણાને કારણે, તારા દર્શન માટે-મકરધ્વજના દર્શન માટે, હું અહીં=ભવચક્ર નગરમાં, આવ્યો છું. ત્યારપછી સહર્ષ મકરધ્વજ વડે કહેવાયું – હે મિત્ર ! વસંત તારા અતીત સંવત્સરમાં જે મારા વડે અને તારા વડે જે તે નગરમાં=ભવચક્ર નગરમાં, વિલાસ કરાયો, તે શું તને વિસ્તૃત થયું ? જે કારણથી આ રીતે ભાવિ વિરહની વેદનાથી વિધુર ચિતપણાને કારણે ખેદ કરે છે. તે આ પ્રમાણે – જ્યારે જ્યારે તને તે નગરમાં જવા માટે સ્વામિનીનો નિર્દેશક કાલપરિણતિકો નિર્દેશ થયો, ત્યારે ત્યારે મને પણ આ મહામોહ તરે તે જ તગરમાં રાજ્ય આપ્યું. તેથી કયા કારણથી આ અકારણમાં તને મારા સાથે વિયોગની આશંકા છે ? વસંત વડે કહેવાયું – હે મિત્ર ! આ સુંદર વચન દ્વારા હમણાં હું પ્રત્યુજીવિત કરાયો. ઈતરથા જો તે આ સ્મરણ ન કરાવ્યું હોત તો ખરેખર મને આ વ્યતિકર વિસ્મૃત જ હતો. તે આ પ્રમાણે – શ્લોક : ગાઇડ્ડા(યત્તત્તાનાં) પન્નવાળાં, સુરિયન્તયા | विस्मरत्येव हस्तेऽपि गृहीतं निखिलं नृणाम् ।।१।। શ્લોકાર્ય : જે અકાંડ (આવેલી ચિંતાવાળા) આપન્ન કાર્યવાળા મનુષ્યોને નિકારણ આવેલી ચિંતાવાળા અને પ્રાપ્ત થયેલા કાર્યવાળા મનુષ્યોને, મિત્રના વિરહની ચિંતાથી હાથમાં રહેલું નિખિલ વિસ્મરણ થાય છે. IIII. तत्सुन्दरमेवेदं, गच्छाम्यहमधुना भवद्भिस्तूर्णमागन्तव्यं मकरध्वजेनोक्तं-विजयस्ते, ततः समागतोऽत्र पुरे वसन्तः, दर्शितं काननादिषु निजविलसितं, मकरध्वजेनापि विज्ञापितो विषयाभिलाषो यथापाल्यतां ममाऽनुग्रहेण सा चिरन्तनी सम्भावना, चित्तस्थ एव भवतामेष वसन्तवृत्तान्तः, ततो निवेदितं विषयाभिलाषेण रागकेसरिणे तदवस्थमेव तन्मकरध्वजवचनं, तेनापि कथितं महामोहराजाय । ततश्चिन्तितमनेन-अये कृतपूर्व एवास्य वसन्तगमनावसरे प्रतिसंवत्सरं मया मकरध्वजस्य मानवावासपुरे राज्यप्रसादः, तदधुनाऽपि दीयतामस्मै मकरध्वजाय राज्यं, यतो न लङ्घनीया कदाचिदप्युचितस्थितिरस्मादृशैः प्रभुभिः, पालनीया भृत्याश्चिरन्तनसम्भावनया । તે કારણથી સુંદર જ આ છે. હવે હું જાઉં છું. ફરી શીધ્ર તારે આવવું જોઈએ. મકરધ્વજ વડે કહેવાયું – તારો વિજય થાઓ. ત્યારપછી આ નગરમાં વસંત આવ્યો. બગીચા આદિમાં પોતાનું Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિલસિત બતાવાયું. મકરધ્વજ વડે પણ વિષયાભિલાષ વિજ્ઞાપન કરાયો. જે આ પ્રમાણે – મારા ઉપર અનુગ્રહથી તે ચિરંતની સંભાવના પાલન કરાવાય, તમારા ચિત્તમાં જ રહેલો આ વસંતનો વૃતાંત છે વિષયાભિલાષના ચિત્તમાં જ રહેલો આ વસંતનો વૃત્તાંત છે. ત્યારપછી વિષયાભિલાષ વડે રાગકેસરીતે તદ્ અવસ્થ જ તે મકરધ્વજનું વચન નિવેદન કરાયું. તેના વડે પણ=રાગકેસરી વડે પણ, મહામોહ રાજાને કહેવાયું. તેથી આવા વડે=મહામોહ રાજા વડે, વિચારાયું. ખરેખર વસંતગમતના અવસરમાં દરેક વર્ષે મારા વડે આ મકરધ્વજને માનવાવાસપુરમાં કૃતપૂર્વ જ રાજ્યપ્રસાદ છે. તે કારણથી હમણાં પણ=આ વસંતના આગમનમાં પણ, આ મકરધ્વજને રાજ્ય અપાવાય=માનવવાસપુરમાં રાજ્ય અપાવાય. જે કારણથી ક્યારેય પણ ઉચિત સ્થિતિ અમારા જેવા પ્રભુ વડે=મહામોહ જેવા પ્રભુ વડે, પણ ઉલ્લંઘનીય નથી. સેવકો ચિરંતનની સંભાવનાથી પાલનીય છે=મોહરાજાનો સેવક જે કામદેવ છે તે ચિરંતનનો સેવક છે એ પ્રકારની સંભાવનાથી તેનું પાલન કરવું જોઈએ. એ પ્રમાણે મહામોહ વિચારે છે. मकरध्वजस्याभिषेकः ततश्चैवमवधार्य महामोहराजेनामन्त्रितास्ते सर्वेऽपि निजास्थानस्थायिनो महीपाला यदुत भो भोः समाकर्णयत यूयं-दातव्यं मया भवचक्रनगरान्तर्भूते मानवावासपुरे मकरध्वजाय राज्यं, तत्र युष्माभिः समस्तैः सन्निहितैर्भाव्यम् । अङ्गीकर्तव्योऽस्य पदातिभावो, विधातव्यो राज्याभिषेको, भवितव्यमाज्ञानिर्देशकारिभिरनुशीलनीयानि यथार्ह राज्यकार्याणि सर्वथा कर्तव्यमक्षुण्णं समस्तस्थानेषु, मयाऽपि प्रतिपत्तव्यमस्य राज्ये स्वयमेव महत्तमत्वं, तस्मात्सज्जीभवत यूयं, गच्छामस्तत्रैव पुरे । ततस्तै पतिभिरवनितलविन्यस्तहस्तमस्तकैः समस्तैरभिहितं- यदाज्ञापयति देवः । ततोऽभिहितो महामोहराजेन मकरध्वजः यथा-भद्र! भवताऽपि राज्ये स्थितेन तत्र पुरे न हरणीयमेतेषां नरपतीनां निजं निजं यत्किमपि यथार्हमाभाव्यं, द्रष्टव्याः सर्वेऽप्यमी पुरातनसम्भावनया । मकरध्वजेनोक्तं-यदादिशति मोहराजः । ततः समागतास्ते सर्वेऽप्यत्र नगरे, अभिषिक्तो मानवावासपुरे राज्ये मकरध्वजः, प्रतिपन्नः शेषैर्यथाहँ तन्नियोगः । इतश्च योऽयं गजस्कन्धारूढो दृश्यत एष मानवावासवर्तिनि ललितपुरे लोलाक्षो नाम बहिरङ्गो राजा । ततस्तेन मकरध्वजेन ससैन्यपौरजनपदः स्वमाहात्म्येन निर्जित्य निःसारितोऽयमित्थं बहिःकाननेषु, न चायमात्मानं तेन निर्जितं वराको लक्षयति, नाप्येते लोकास्तेनाभिभूतमात्मानमवबुध्यन्ते, ततो भद्र!-अनेन व्यतिकरण तस्य मकरध्वजस्य महामोहादिपरिकरितस्य प्रतापादेते लोकाः खल्वेवं विचेष्टन्त इति । प्रकर्षणोक्तं सोऽधुना कुत्र मकरध्वजो वर्तते? विमर्शः प्राह-नन्वेष सन्निहित एव सपरिकरः, सोऽमूनेवं विनाटयति । प्रकर्षः प्राह-माम! तर्हि स कस्मानोपलभ्यते? विमर्शेनोक्तं-ननु निवेदितमेव मया भवतः पूर्वं, जानन्त्येतेऽन्तरङ्गलोकाः कर्तुमन्तर्धानं, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ समाचरन्ति परपुरुषप्रवेशं, ततोऽमीषां जनानां शरीरेष्वनुप्रविष्टा निजविजयहष्टास्ते भद्र! प्रेक्षणकमिदं प्रेक्षन्ते । प्रकर्षः प्राह-मामक! तर्हि कथं तानेवंस्थितानपि भवान् साक्षात्कुरुते? विमर्शेनोक्तंअस्ति मे योगाञ्जनं विमलालोकं नाम, तबलेनेति । प्रकर्षेणोक्तं-ममापि क्रियतां तस्याञ्जनस्य दानेनानुग्रहो येनाहमपि तानवलोकयामि । ततो विमर्शेनाञ्जितं प्रकर्षस्य तेन योगाञ्जनेन लोचनयुगलं, अभिहितश्च-वत्स! निरूपयेदानीं निजहृदयानि, निरूपितानि प्रकर्षेण । ततः सहर्षेणाभिहितमनेनमाम! दृश्यते मयाऽप्यधुना कृतराज्याभिषेको महामोहादिपरिकरितो मकरध्वजः । મકરધ્વજનો રાજ્યાભિષેક તેથી આ પ્રમાણે અવધારણ કરીને મારે મારા સેવક મકરધ્વજને માનવવાસનું રાજ્ય આપવું જોઈએ એ પ્રમાણે અવધારણ કરીને, મહામોહ રાજા વડે તિજઆસ્થામાં રહેલા તે સર્વ પણ મહીપાલો રાજાઓ, આમંત્રિત કરાયા. કઈ રીતે આમંત્રિત કરાયા ? તે ‘કુતથી બતાવે છે – અરે ! અરે ! તમે સાંભળો. મારા વડે ભવચક્ર નગરના અંતભૂત માનવાવાસ નગરમાં મકરધ્વજને રાજ્ય આપવું જોઈએ. ત્યાં સન્નિહિત સમસ્ત એવા તમારા વડે રહેવું જોઈએ. આતો મકરધ્વજનો, પદાતિભાવ સ્વીકાર કરવો જોઈએ. રાજ્યઅભિષેક કરવો જોઈએ. તમોએ આજ્ઞાનિર્દેશકારી થવું જોઈએ. યથાયોગ્ય રાજ્યકાર્યો અનુસરવાં જોઈએ. સર્વથા સમસ્ત સ્થાનોમાં અપ્રમાદ કરવો જોઈએ. મારા વડે પણ=મહામોહ વડે પણ, આવા રાજયમાં સ્વયં મહત્તમપણું સ્વીકારવું જોઈએ. તે કારણથી તમે સજ્જ થાઓ. આપણે તે નગરમાં જઈએ. ત્યારપછી જમીન ઉપર સ્થાપન કરાયેલા હાથ અને મસ્તક વડે સમસ્ત તે રાજાઓ વડે કહેવાયું. દેવ=મહામોહ, જે આજ્ઞા કરે છે. ત્યારપછી મહામોહ રાજા વડે મકરધ્વજ કહેવાયો. શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે – હે ભદ્ર ! મકરધ્વજ ! તે પુરમાં=માનવવાસપુરમાં, રાજ્યમાં રહેલા તારા વડે પણ આ રાજાઓનું પોતપોતાનું જે કંઈ પણ યથાયોગ્ય આભાવ્ય છે-તે તે રાજાનું જે જે માલિકીનું છે તે હરણ કરવું જોઈએ નહીં. પુરાતનરૂપ સંભાવનાથી સર્વ પણ આ જોવા જોઈએ. મકરધ્વજ વડે કહેવાયું. મોહરાજા જે આદેશ કરે છે. ત્યારપછી=મોહરાજાએ મકરધ્વજને માનવાવાસમાં રાજ્ય સોંપ્યું ત્યારપછી, તે સર્વ પણ=મકરધ્વજ અને અન્ય સર્વ પણ કષાય-નોકષાય અને મહામોહ વગેરે સર્વ પણ, આ નગરમાં=માનવાવાસમાં, આવ્યા. માનવવાસપુર રાજ્યમાં મકરધ્વજ અભિષેક કરાયો. શેષ વડે યથાયોગ્ય તેનો વિયોગ સ્વીકારાયો=તેનો પદાતિભાવ સ્વીકારાયો. અને આ બાજુ માનવવાસવર્તી લલિતપુરમાં જે આ હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલો લોલાસ નામનો બહિરંગ રાજા દેખાય છે તેથી મકરધ્વજને રાજય અપાયું તેથી, તે મકરધ્વજ વડે સસૈન્ય પીરજનવાળો આકલોલા નામનો રાજા, સ્વમાહાભ્યથી જીતીને આ રીતે બહિરંગ બગીચાઓમાં નિઃસારિત કરાયો. અને વરાક એવો આગલોલાક્ષ નામનો રાજા, તેના વડે મકરધ્વજ વડે, પોતાને નિર્જીત થયેલો જાણતો નથી. વળી આ લોકો તેનાથી મકરધ્વજથી, અભિભૂત થયેલા પોતાને જાણતા નથી. તેથી તે ભદ્ર ! પ્રકર્ષ ! આ વ્યતિકરથી=મકરધ્વજથી તે લોકો અભિભૂત છે તે જાણતા નથી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ એ વ્યતિકરથી, મહામોહ આદિથી પરિકરિત તે મકરધ્વજના પ્રતાપથી આ લોકો=રાજા અને અન્ય લોકો, આ રીતે વિચેષ્ટા કરે છે અર્થાત્ મકરધ્વજ દ્વારા પોતે જિતાયા છે તેવું જાણતા નહીં હોવાને કારણે અત્યંત ક્લેશકારી એવી પણ તે ચેષ્ટા તેઓને સુખરૂપ જણાય છે માટે આ રીતે વિપરીત ચેષ્ટા કરે છે. પ્રકર્ષ વડે કહેવાયું. હમણાં તે મકરધ્વજ ક્યાં વર્તે છે? વિમર્શ કહે છે – ખરેખર પરિવાર સહિત આ=કામ, સન્નિહિત જ છે. તે આ લોકોને આ પ્રમાણે નચાવે છે. પ્રકર્ષ કહે છે – હે મામા ! તો તે કામ, કેમ ઉપલબ્ધ થતો નથી ? વિમર્શ વડે કહેવાયું – ખરેખર મારા વડે તને પૂર્વમાં નિવેદિત કરાયું જ છે. શું નિવેદિત કરાયું છે ? તે સ્પષ્ટ કરે છે – આ અંતરંગ લોકો અંતર્ધાન કરવા માટે જાણે છે, પરપુરુષના પ્રવેશને આચરે છે. તેથી આ લોકોના શરીરમાં અનુપ્રવિષ્ટ એવા અંતરંગ લોકો પોતાના વિજયથી હર્ષિત થયેલા=સંસારી જીવોની ચિત્તવૃત્તિરૂપી અટવી ઉપર ચારિત્રના સૈન્યને જીતીને પોતે કબજો પ્રાપ્ત કર્યો છે એ રૂપ તિજવીર્યથી હર્ષિત થયેલા, તેઓ મકરધ્વજ આદિ, હે ભદ્ર ! પ્રકર્ષ ! આ પ્રેક્ષણકને જુએ છે. પ્રકર્ષ કહે છે – હે મામા ! તો કેવી રીતે આવા પ્રકારના પણ રહેલા તેઓને પરપુરુષમાં પ્રવેશ પામીને અંતર્ધાનરૂપે રહેતા પણ તેઓને, તમે=વિમર્શ, સાક્ષાત્ કરો છો ? વિમર્શ વડે કહેવાયું – વિમલાલોક નામનું યોગઅંજન મારી પાસે છે. તેના બલથીeતે અંજનના બલથી, અંતર્ધાનરૂપે રહેલા કામદેવ આદિને હું જોઉં છું. પ્રકર્ષ વડે કહેવાયું – તે અંજનના દાત વડે મને પણ અનુગ્રહ કરાવો. જેથી હું પણ=પ્રકર્ષ પણ, તેઓને=મકરધ્વજ આદિવે, અવલોકન કરું. તેથી વિમર્શ વડે તે યોગ અંજનથી પ્રકર્ષના લોચતયુગલને અંજન કરાયું. અને કહેવાયું – હે વત્સ પ્રકર્ષ ! હમણાં નિજહદયોને તું જો. પ્રકર્ષ વડે જોવાયા. તેથી સહર્ષ આના વડે=પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! મને પણ હમણાં કરાયેલા રાજ્યાભિષેકવાળો મહામોહાદિથી પરિકરિત મકરધ્વજ દેખાય છે. શ્લોક : તથાદિएष सिंहासनस्थोऽपि, जनमेनं धनुर्धरः । आकृष्याकृष्य निर्भिन्ते, आकर्णान्तं शिलीमुखैः ।।१।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – સિંહાસનમાં રહેલો પણ ધનુર્ધર એવો આ મકરધ્વજ, બાણો વડે કાનના અંત સુધી ખેંચી ખેંચીને આ જનને=આ લોકને, મારે છે. III બ્લોક : तैर्विद्धं विह्वलं दृष्ट्वा, ततो लोकं सराजकम् । प्रहारजर्जरं चेत्थं, विकारकरणाकुलम् ।।२।। Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ महाकहकहध्वानः, सह रत्या प्रमोदितः । हस्ते तालान्विधायोच्चैर्हसत्येष नराधिपः ।।३।। શ્લોકાર્થ : તેનાથી વીંધાયેલા વિશ્વલ, રાજસમુદાય સહિત, પ્રહારથી જર્જર, આવા પ્રકારના વિકાસકરણમાં આકુલ લોકને જોઈને મહાકણકણ અવાજ વડે, રતિની સાથે પ્રમોદિત થાય છેમકરધ્વજ પ્રમોદિત થાય છે. હસ્તમાં તાળીઓને કરીને આ રાજા-મકરધ્વજ રાજા, અત્યંત હસે છે. I-30 શ્લોક : सुहतं सुहतं देव! वदन्त इति किङ्कराः । महामोहादयोऽप्यस्य, हसन्तीमे पुरः स्थिताः ।।४।। શ્લોકાર્ધ : હે દેવ ! સુહત સુહત છે એ પ્રમાણે કહેતા આ સામે રહેલા મહામોહ આદિ કિંકરો પણ આને હસે છે=મકરધ્વજથી વીંધાયેલાને જીવને જોઈને હસે છે અર્થાત્ કામદેવ જ્યારે કામનું બાણ સંસારી જીવ ઉપર મૂકે છે અને કામથી વીંધાયેલો જીવ બને છે ત્યારે કામ તાળીઓ પાડીને હસે છે અને તેની સન્મુખ રહેલા મહામોહ આદિ પણ કામને કહે છે “તેં સુંદર હયું, સુંદર હયું” એમ કહીને કામથી હણાયેલા તે જીવને જોઈને તે સર્વ અંતરંગ ચોરટાઓ હસે છે. III શ્લોક : तत्किमत्र बहुना जल्पितेन?महाप्रसादो मे माम! कृत एवातुलस्त्वया । यद्राज्यलीला भुञ्जानो दर्शितो मकरध्वजः ।।५।। શ્લોકાર્થ: તે કારણથી અહીં મહામોહના પરાક્રમમાં, વધારે કહેવાથી શું? હે મામા! તમારા વડે અતુલ મહાપ્રસાદ કરાયો છે કારણથી રાજ્યલીલાને ભોગવતો મકરધ્વજ બતાવાયો. પી ___ मकरध्वजकृतकार्यनियोगाः विमर्शेनोक्तं-वत्स! कियदद्यापीदम् ? बहुतरमत्र भवचक्रनगरे भवताऽन्यदपि द्रष्टव्यं, संभवन्त्यत्र भूरिप्रकाराणि प्रेक्षणकानि । प्रकर्षः प्राह-माम! त्वयि सप्रसादे दर्शके किं वा मम दर्शनकुतूहलं न परिपूर्येत? केवलं मकरध्वजस्य समीपे महामोहरागकेसरिविषयाभिलाषहासादयः सपत्नीकाः समुपलभ्यन्ते । अधुना मया ते तु द्वेषगजेन्द्राऽरतिशोकादयो नोपलभ्यन्ते तत् किमत्र कारणम्? किं Page #42 -------------------------------------------------------------------------- ________________ 33 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ नागतास्तेऽत्र मकरध्वजराज्ये? विमर्शेनोक्तं-वत्स! समागता एव तेऽत्र भवचक्रनगरे, न संदेहो विधेयः, किं तु निवेदितमेव मया यथाऽऽविर्भावतिरोभावधर्मकाः खल्वेतेऽन्तरङ्गलोकाः, ततस्ते द्वेषगजेन्द्रशोकादयोऽत्रैव तिरोभूतास्तिष्ठन्ति, राज्ञः सेवावसरमपेक्षन्ते । एते तु महामोहादयो लब्धावसरतया राज्ञः सभायामाविर्भूताः स्वनियोगमनुशीलयन्ति, किं तु प्रचण्डशासनः खल्वेष मकरध्वजनरेन्द्रः ततोऽस्य राज्ये यस्य यावानियोगस्तेन तावाननुष्ठेयः, यस्य यावन्माहात्म्यं तेन तावद्दर्शनीयं, यस्य यावद्यदाऽऽभाव्यं तेन तावत्तदैव ग्राह्यं नाधिकमूनं वा, तथाहि-यदयं लोलाक्षो राजा सहाशेषराजवृन्देन निखिललोकाश्च जिता अप्यनेन मकरध्वजेन न जानन्ति, सपरिकरमेनं बन्धुभूतं मन्यन्ते, तदिदं महामोहेन विहितमयमेवास्य नियोगोऽत्रैव माहात्म्यमिदमेवास्याभाव्यमिति । यत्पुनरेते लोकाः प्रीतिमुद्वहन्तो वल्गन्ते कृतकृत्यमात्मानमवगच्छन्ति तदिदं रागकेसरिणा जनितं, अस्यैव च नियोगमाहात्म्याभाव्यगोचरभूतम् । यत्पुनरेते लोकाः प्रीतिमुद्वहन्तो वल्गन्ते कृतकृत्यमात्मानमवगच्छन्ति तदिदं रागकेसरिणा जनितं, अस्यैव च नियोगमाहात्म्याभाव्यगोचरभूतम् । यत्पुनरेते लुभ्यन्ति शब्दादिषु कुर्वन्ति विकारशतानि, तदिदं विषयाभिलाषस्य विजृम्भितं नियोगादिकं च, यत्पुनरट्टहासैर्हसन्ति, दर्शयन्ति बिब्बोकान् इदं हास्यस्य विलसितं, एवं तत्पत्नीनामपि यथार्ह शेषाणामपि नरपतीनां च डिम्भरूपाणां च नियोगमाहात्म्याभाव्यग्रहणव्यापाराः प्रतिनियता एव द्रष्टव्याः । यत्पुनरमी जनाः शब्दादिकं भोगजातमुपभुञ्जते, सहर्षमनुकूलयन्ति कलत्राणि, चुम्बन्ति तेषां वक्त्राणि, समाश्लिष्यन्ति गात्राणि, सेवन्ते मैथुनानि, तत्रैवमादिके कर्मणि नैष मकरध्वजराजोऽन्यस्य नियोगं ददाति, किं तर्हि ? रत्या सह स्वयमेव कुरुते, यतोऽस्यैव तत्र कर्मणि सामर्थ्य नान्यस्येति । तदेवं वत्स! विद्यन्ते तत्र द्वेषगजेन्द्रशोकादयः, केवलं स्वकीयं नियोगावसरं प्रतीक्षन्ते, तेन नाविर्भवन्ति, प्रकर्षेणोक्तंयद्येवं ततः किं शून्यीभूतोऽधुना चित्तवृत्तौ स महामोहास्थानमण्डपः? विमर्शेनोक्तं-नैतदेवं, निवेदितमेव तुभ्यं, कामरूपिणः खल्वमी अन्तरङ्गजनाः, ततः समागताः सर्वेऽप्यत्र मकरध्वजराज्ये तथापि तन्महामोहास्थानं तदवस्थमेवास्ते, इदं हि कतिचिदिनभावि मुहूर्तसुन्दरं मकरध्वजराज्यं, तत्तु महामोहराज्यमाकालप्रतिष्ठमनन्तकल्पविमर्दसुन्दरं अतः का तत्र विचलनाशङ्का ? अन्यच्च तत्समस्तभुवनव्यापकं महामोहराज्यमिदं पुनरत्रैव मानवावासपुरे मकरध्वजराज्यं, केवलं चिरन्तनस्थितिपालनव्यसनितया निजपदातेरपि स्वयमेव राज्येऽभिषिक्तस्य पुरतोऽस्य मकरध्वजस्य महामोहनरेन्द्रोऽयमेवं भृत्यभावमाचरति, तस्मादविचलमेव भद्र! तन्महामोहास्थानं, तत्र वर्तमाना एवामी नूनमत्र दृश्यन्ते । प्रकर्षणोक्तंनष्टो मे संशयोऽधुना । Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ મકરધ્વજ વડે કરાયેલ કાર્યનો નિયોગ વિમર્શ વડે કહેવાયું. હે વત્સ પ્રકર્ષ ! આ હજી પણ કેટલું છે ? અર્થાત્ ઘણું અલ્પ છે. અહીં ભવચક્ર નગરમાં તારા વડે બહુતર બીજું પણ જોવા જેવું છે. અહીં=ભવચક્ર નગરનાં ઘણાં પ્રકારનાં નાટકો સંભવે છે. પ્રકર્ષ કહે છે – હે મામા ! પ્રસાદ સહિત દર્શક એવા તમે હોતે છતે મારા દર્શનનું કુતૂહલ શું પરિપૂર્ણ ન થાય ? અર્થાત્ સર્વ કુતૂહલ પૂર્ણ થાય. કેવલ મકરધ્વજના સમીપમાં મહામોહ, રાગકેસરી, વિષયાભિલાષ, હાસ્યાદિ પત્ની સહિત હમણાં મારા વડે દેખાય છે. વળી, તે દ્વેષગજેન્દ્ર, અરતિ, શોક આદિ દેખાતાં નથી. તે કારણથી અહીં શું કારણ છે ? તે=ઢેષગજેન્દ્ર આદિ, આ મકરધ્વજ રાજ્યમાં કેમ આવ્યા નથી ? વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! તે આ ભવચક્રમાં આવેલા જ છે. સંદેહ કરવો જોઈએ નહીં. પરંતુ મારા વડે નિવેદિત જ છે=મારા વડે તને કહેવાયેલું જ છે. શું કહેવાયેલું છે ? તે “કથા'થી બતાવે છે – આવિર્ભાવ-તિરોભાવવાળા ખરેખર આ અંતરંગ લોકો છે. તેથી તે દ્વેષગજેન્દ્ર, શોકાદિ અહીં જ=ભવચક્ર નગરમાં જ, તિરોભૂત થયેલા રહે છે. રાજાની સેવાના અવસરની અપેક્ષા રાખે છે મકરધ્વજ રાજાની સેવાનો અવસર આવે છે ત્યારે આવિર્ભાવ પામે છે. આ મહામોહ આદિ લબ્ધ અવસરપણું હોવાને કારણે=પોતાને પ્રગટ થવાનો અવસર પ્રાપ્ત થયેલો હોવાને કારણે, રાજાની સભામાં=મકરધ્વજની સભામાં, આવિર્ભત થયેલા પોતાના વિયોગને પોતાના કૃત્યને, અનુશીલન કરે છે. વળી, પ્રચંડ શાસનવાળો ખરેખર આ મકરધ્વજ રાજા છે. તેથી આવા રાજ્યમાં જેનો જેટલો વિયોગ છે=જેનું જેટલું કૃત્ય છે, તેના વડે તેટલું જ આચરણીય છે. જેનું જેટલું માહાભ્ય છે તેના વડે તેટલું જ બતાવવું જોઈએ. જેનું જેટલું આભાવ્ય છે=જેનો જેટલો તે રાજ્યમાં અધિકાર છે તેના વડે તેટલું તેણે ગ્રહણ કરવું જોઈએ. અધિક ચૂત નહીં. તે આ પ્રમાણે – જે આ અશેષ રાજવંદની સાથે લોલાક્ષ નામનો રાજા અને નિખિલ લોકો આ મકરધ્વજ વડે જિતાયેલા પણ જાણતા નથી. સપરિવારવાળા આવે=મકરધ્વજને, બંધુભૂત માને છે. તે આ=પોતે મકરધ્વજથી જિતાયા છે છતાં જિતાયા છે તે જાણતા નથી તે આ, મહામોહથી વિહિત છે. આ જ= પોતે જિતાયા છે છતાં જિતાયા છે એનો બોધ ન થાય એ, આનો જ=મહામોહતો જ, નિયોગ છે= વ્યાપાર છે. આમાં જ=આ પ્રકારના વ્યાપારમાં જ, માહાભ્ય છે=મહામોહતું માહાભ્ય છે. અને આ જ આનું આભાવ્ય છે=મહામોહનું આભાવ્ય છે. જે વળી, આ લોકોકલોલાક્ષ રાજા આદિ, પ્રીતિને વહન કરતાં કૂદાકૂદ કરે છે, કૃત્યકૃત્ય પોતાને જાણે છે. તે આ રાગકેસરીથી જતિત છે. આવો જ નિયોગ છે=રાગકેસરીનો જ વિયોગ છે અર્થાત્ વ્યાપાર છે. અને માહાભ્ય છે. અને આભાવના વિષયભૂત છે રાગકેસરીના આભાવ્યતા વિષયભૂત છે. જે વળી આકલોલાક્ષ રાજાદિ લોકો શબ્દાદિ વિષયોમાં લોભ પામે છે. અને સેંકડો વિકારો કરે છે તે આ વિષયાભિલાષનું વિજૂર્ભિત છેવિષયાભિલાષનું કૃત્ય છે અને નિયોગાદિ છે. જે વળી અટ્ટહાસ્યથી હસે છે=રાજા વગેરે હસે છે, ચાળાઓ દેખાડે છે એ હાસ્યનું વિલસિત છે. આ રીતે તેઓની પત્નીઓનું પણ યથાયોગ્ય, શેષ રાજાઓનું પણ અને બાળકરૂપ કષાયોનું પણ નિયોગ, માહાભ્ય, આભાવ્યના ગ્રહણના વ્યાપારો પ્રતિનિયત જ જાણવા. જે વળી આ લોકો શબ્દાદિક ભોગના સમૂહને કરે છે, સહર્ષ સ્ત્રીઓને Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૫ અનુકૂલ આચરણા કરે છે, તેઓના મુખોને ચુંબન કરે છે, શરીરનો આશ્લેષ કરે છે. મૈથુનોને સેવે છે. તે આ વગેરે કર્મોમાં હમણાં વર્ણન કર્યું તે સર્વ કૃત્યોમાં, આ મકરધ્વજ રાજા અવ્યને નિયોગ આપતો નથી. તો શું ? એથી કહે છે – રતિની સાથે સ્વયં જ કરે છે-તે સર્વ કૃત્યો કરે છે. જે કારણથી આનું જ= મકરધ્વજનું જ, તે કરવામાં સામર્થ્ય છે, અન્યનું નહીં. આ રીતે હે વત્સ પ્રકર્ષ ! ત્યાં દ્વેષગજેન્દ્ર શોક આદિ વિદ્યમાન છે, કેવલ પોતાના વિયોગના અવસરની પ્રતીક્ષા કરે છે તે કારણથી આવિર્ભાવ પામતા નથી. પ્રકર્ષ વડે કહેવાયું – “જો આ પ્રમાણે છે તો ચિત્તવૃત્તિમાં તે મહામોહનો આસ્થાનમંડપ શું શૂન્યભૂત છે ?” વિમર્શ વડે કહેવાયું – “આ આ પ્રમાણે નથી. તને આ અંતરંગ લોકો કામરૂપી નિવેદન કરાયા છે=ઈચ્છારૂપે રૂપ કરનારા નિવેદન કરાયા છે. તેથી સર્વ પણ અહીં મકરધ્વજ રાજ્યમાં આવેલા છે. તોપણ તે મહામોહનું આસ્થાન=ચિત્તવૃત્તિ અટવીમાં રહેલો મહામોહનો આસ્થાનમંડપ, તદવસ્થ જ રહેલ છે.” દિકજે કારણથી, આ મકરધ્વજનું રાજ્ય કેટલાક દિવસભાવિ મુહૂર્ત સુંદર છે=મુહૂર્ત માત્ર સુંદર છે. વળી તે મહામોહનું રાજ્ય આકાલપ્રતિષ્ઠ, અનંત કલ્પ સુધી વિમર્દ સુંદર છે. આથી ત્યાં મહામોહતા રાજ્યમાં, વિચલનની આશંકા ક્યાંથી હોય ? અર્થાત્ હોય નહીં. અને બીજું, તે સમસ્ત ભુવનવ્યાપક મહામોહરાજ્ય છે. વળી, આ અહીં જ માનવાવાસપુરમાં મકરધ્વજનું રાજ્ય છે, કેવલ ચિરંતન સ્થિતિના પાલનના વ્યસનીપણાથી મકરધ્વજ સાથે મહામોહ આદિનો ચિરંતન સંબંધ છે તેના પાલનના વ્યસનીપણાથી સ્વયં જ રાજ્યમાં સ્થાપન કરાયેલા પોતાના સેવક એવા આ મકરધ્વજની આગળ આ મહામોહનરેન્દ્ર સ્વયં જ આ રીતે સેવક ભાવને આચરે છે. તે કારણથી હે ભદ્ર ! પ્રકર્ષ ! અવિચલ જ તે મહામોહનું આસ્થાન છે. ત્યાં વર્તમાન જચિત્તવૃત્તિ અટવીમાં વર્તમાન જ, આ ખરેખર અહીં માનવાવાસનગરમાં, દેખાય છે. પ્રકર્ષ વડે કહેવાયું – મારો સંશય હમણાં દૂર થયો. ભાવાર્થ : વિચક્ષણ પુરુષની બુદ્ધિનો પ્રકર્ષ ભવચક્ર નગરને જોવાની ઉત્કટ ઇચ્છાવાળો થાય છે તેથી ભવચક્ર નગરને જોવા માટે વિચક્ષણની વિમર્શશક્તિ અને બુદ્ધિનો પ્રકર્ષ આવે છે. તે વખતે ભવચક્ર નગરમાં વસંતઋતુ વર્તે છે તેથી વસંતઋતુનું કેવું સ્વરૂપ છે તે બતાવવા માટે વસંતઋતુનું વિસ્તારથી વર્ણન ગ્રંથકારશ્રીએ કરેલ છે, જેનાથી વસંતઋતુમાં જીવોનું માનસ કેવું હોય છે તેનો પણ બોધ થાય છે. વળી, વસંતઋતુમાં ભવચક્ર જોવા માટે વિચક્ષણની બુદ્ધિનો પ્રકર્ષ અને વિમર્શ પ્રવર્તે છે તે વખતે લોલાક્ષ નામનો રાજા વસંતઋતુમાં કઈ રીતે ઉદ્યાનમાં આવે છે તેનું વિસ્તારથી વર્ણન કરે છે; જેથી લોકોને બોધ થાય કે ઇન્દ્રિયોના લોલુપતાવાળા જીવો કામને વશ થઈને વસંતઋતુમાં ઉદ્યાનોના પોતાના વૈભવ સાથે, સ્વજન સાથે આવે છે અને અનેક પ્રકારના આનંદ-પ્રમોદ કરે છે. તે વખતે પ્રકર્ષ વિમર્શને પ્રશ્ન કરે છે કે આ લાલાક્ષ રાજા અને આ લોકો અને તે રાજાના સ્વજનો કોના પ્રતાપથી આ પ્રકારે સર્વ ચેષ્ટા કરે છે ? આ પ્રકારના પ્રકર્ષના પ્રશ્નને સામે રાખીને વિચક્ષણની વિમર્શશક્તિ તત્ત્વના અવલોકન માટે અત્યંત ઉપયોગવાળી થાય છે, જેનાથી તેને તે રાજાનું તે પ્રકારનું કૃત્ય જોઈને પરમાર્થનો બોધ થાય છે. તેથી વિમર્શ કહે છે – Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ચિત્તવૃત્તિ મહાટવીમાં પ્રમત્તતા નદી પાસે પુલિન હતું. તેના ઉપર ચિત્તવિક્ષેપ નામનો મહામંડપ હતો. તેમાં મહામોહ રાજા સંબંધી તૃષ્ણા વેદિકા હતી. તેના ઉપર મકરધ્વજને બેઠેલો તેં જોયેલો. તેનો પ્રિય મિત્ર આ વસંતઋતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવની ચિત્તવૃત્તિમાં પ્રમાદને કારણે જે ચિત્તવિક્ષેપો વર્તતા હતા ત્યાં મહામોહ રાજાની તૃષ્ણાની પરિણતિરૂપ વેદિકા હતી. તેના ઉપર કામનો પરિણામ બેઠેલો જોવાયેલો; કેમ કે તૃષ્ણામાંથી જ જેમ અન્ય ઇચ્છાઓ પેદા થાય છે તેમ કામની ઇચ્છા થાય છે. આ કામ એ મકરધ્વજ છે અને તેને વસંતઋતુ અત્યંત પ્રિય છે. શિશિરઋતુ પૂર્ણ થવા આવી અને વસંતઋતુ આવવાની તૈયારી છે, અને આ વસંતઋતુ કર્મપરિણામ રાજાની મહાદેવી જે કાલપરિણતિ છે તેનો અનુચર છે; કેમ કે કાલપરિણતિથી જ તે તે ઋતુ મનુષ્યલોકમાં પ્રગટ થાય છે. તેથી કાલપરિણતિનો અનુચર એવો વસંતઋતુ છે. અને કામને વસંતઋતુએ પોતાનું કથન નિવેદન કર્યું. શું નિવેદન કર્યું ? તે કહે છે – કાલપરિણતિની આજ્ઞાથી મારે ભવચક્ર નગરમાં માનવાવાસ નગરના અવાંતર નગરમાં મારે જવાનું છે, કેમ કે તે તે ક્ષેત્રમાં કાલપરિણતિની આજ્ઞાથી વસંતઋતુ આવે છે. માટે વસંતઋતુ પોતાના મિત્ર મકરધ્વજને મળવા આવે છે. તેથી મકરધ્વજ કહે છે કે જ્યારે તને કાલપરિણતિ માનવાવાસમાં મોકલે છે ત્યારે મને પણ મહામોહનરેન્દ્ર તે નગરમાં જ રાજ્ય આપે છે; કેમ કે જ્યારે મનુષ્યલોકમાં વસંતઋતુ આવે છે ત્યારે લોકોમાં કામવૃત્તિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવા માટે મહામોહ મનુષ્યલોકનું રાજ્ય મકરધ્વજને સોંપે છે. આ રીતે મકરધ્વજ અને વસંતઋતુ હંમેશાં માનવાવાસમાં આવે છે, ત્યારે ઇન્દ્રિયોના સુખમાં લોલુપ્ત રાજા, નગરજનો વગેરે કામને વશ થઈને ઉદ્યાનમાં ફરવા માટે આવે છે. તેથી મહામોહનો પદાતિભાવ ધરાવનારા જ વિષયાભિલાષ આદિ છે અને તેઓ જ વસંતઋતુના કામદેવનો રાજ્યાભિષેક કરે છે અને તે વખતે જ મહામોહ પણ તેનો મહત્તમભાવ ધારણ કરે છે અર્થાત્ કામને મુખ્ય કરે છે અને તેનાં સર્વ ગુપ્ત કાર્યો કરવા માટે મહામોહ પ્રવર્તે છે. વળી, મહામોહે મકરધ્વજને રાજ્ય આપતી વખતે કહેલું કે આ સર્વ સ્વજનોને તારે રાજ્યમાં તેનું કામ સોંપવું જોઈએ પરંતુ તેઓની સ્થિતિનું હરણ કરવું જોઈએ નહીં. અને તેઓને પોતપોતાનું જે આભવ્ય છે તેઓને તારે આપવું. તેનાથી એ પ્રાપ્ત થાય કે વસંતઋતુમાં જીવો કામને વશ થઈને ફરવા નીકળે છે ત્યારે અન્ય ઇન્દ્રિયોનાં જે જે કાર્યો છે તે કાર્યો કરવામાં અન્ય ઇન્દ્રિયો વ્યાપાર કરે છે, મકરધ્વજ કરતો નથી. રાગકેસરી-દ્વેષગજેન્દ્ર આદિ અન્ય રાજાઓ છે તેઓ પણ પોતપોતાનાં કાર્યો કરે છે, ફક્ત તે વખતે કામપ્રધાન બને છે અને કામવશ બનેલ લોલાક્ષ નામના રાજાને બાણથી વધે છે. તેથી કામથી વિહ્વળ થઈને તે રાજા ઉપવનમાં આવેલો છે છતાં કામે પોતાને જીત્યો છે તે રાજા પોતે જાણતો નથી. પરંતુ હું ભોગવિલાસ કરું છું, આનંદ-પ્રમોદ કરું છે તેમ માને છે. તે મહામોહ આદિના પ્રતાપથી પોતે હણાયા છે તેમ આ લોકો જાણતા નથી. મૂઢ જીવો કામ પોતાના સુખનું કારણ છે એમ માનીને પોતે કામથી હણાયા છે તેમ જાણતા નથી. કેમ તેઓ જાણતા નથી ? એ પ્રકારે જિજ્ઞાસામાં વિમર્શ કહે છે – આ કષાયો તે જીવોના દેહમાં અંતર્ધાન થઈને આ પ્રકારે તેઓનો વિનાશ કરે છે તેથી સંસારી જીવો તેઓથી પોતે વિનાશ પામી રહ્યા છે તે જોઈ શકતા નથી. અને અંદરમાં રહીને જીવોને પોતાને પરાધીન કરીને તેઓનું અંતરંગ સામ્રાજ્ય પોતાને પ્રાપ્ત થયું છે તેથી તે સર્વ અંદરમાં હર્ષિત થાય છે. આથી જ મૂઢ જીવોના કષાયો તે તે નિમિત્તને પામીને વૃદ્ધિ પામે છે પરંતુ ક્ષીણ થતા નથી. માત્ર જેઓમાં અત્યંત મૂઢતા વર્તે છે તેવા જીવોને Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કામ વિનાશ કરે છે, મહામોહ વિપર્યાસ કરાવે છે તેથી તેઓના વિનાશને જોઈને અંદરના કાષાયિક ભાવો સર્વ વૃદ્ધિ પામે છે; કેમ કે ચિત્તવૃત્તિ અટવી ઉપર તેઓનું જ પ્રભુત્વ વર્તે છે. પરંતુ જો જીવમાં મહામોહ ન હોય તો સમ્યગ્દષ્ટિ જીવો જ્યારે કામને વશ થાય છે ત્યારે જાણે છે કે કામના દોષથી હું પીડાઉ છું માટે તેને શાંત કરવા ઉચિત યત્ન કરે છે, જેઓ પાસે વિવેકદૃષ્ટિ છે તેઓને કામના કે અન્ય ઇન્દ્રિયોના વિકારો થાય છે ત્યારે તે જીવો તે વિકારોને જોઈ શકે છે તેથી તેને શાંત કરવા યત્ન કરે છે તેથી તેવા જીવોના કામાદિ કષાયો અંતરંગ હર્ષિત થતા નથી. પરંતુ વિવેકી જનના પરાક્રમથી સતત હણાય પણ છે છતાં પ્રમાદવશ થયેલા જીવને ક્યારેક તેઓ પીડા પણ કરે છે. વળી, પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે આ મકરધ્વજ અને મહામોહ આદિ અંતર્ધાન રૂપે વર્તે છે છતાં તમને કેમ દેખાય છે ? તેથી વિમર્શ કહે છે – મારી પાસે વિમલાલોક અંજન છે તેથી હું જોઈ શકું છું. પ્રકર્ષ પણ તે અંજનની યાચના કરે છે તેથી વિમર્શ તેને અંજન આપે છે જેથી પ્રકર્ષ પણ અંદરમાં રહેલા મહામોહાદિને તેઓને જોઈ શકે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનરૂપ શ્રુતચક્ષુથી તત્ત્વને જોવાની વિમર્શની દૃષ્ટિ છે તેથી લોલાક્ષ રાજા જે પ્રકારની ચેષ્ટા કરે છે તે સર્વનું મૂળ કારણ તેના અંદરમાં પ્રવેશેલા મકરધ્વજ અને મહામોહના આ કાર્યો છે તેમ જોઈ શકે છે અને પ્રકર્ષને પણ તે પ્રકારની બુદ્ધિ વિમર્શ આપી. તેથી તે પણ અંતરંગ રહેલા તે સર્વ ભાવોને જોઈ શકે છે. ત્યારપછી પ્રકર્ષ અને વિમર્શ વિમલાલોક અંજનના બળથી જુએ છે. તેથી તેઓને દેખાય છે કે લોલાક્ષ રાજા અને તે લોકોને મકરધ્વજ બાણોથી વીંધે છે તેથી બાણોથી વીંધાયેલા તેઓ કામને પરવશ બને છે અને કામ રતિ સહિત પ્રમોદિત થાય છે. તેથી તે સર્વમાં કામની વૃત્તિ, રતિની વૃત્તિ જાગૃત થાય છે અને મહામોહ આદિ સર્વ મકરધ્વજના તે પ્રકારના પરાક્રમની પ્રશંસા કરે છે. વિમર્શ અને પ્રકર્ષ સાક્ષાત્ વિમલાલોક અંજનના બળથી સર્વ જીવોના મહામોહ આદિ સર્વ ભાવો ખીલેલી અવસ્થાવાળા જોઈ શકે છે. ફક્ત પ્રકર્ષને પ્રશ્ન થાય છે કે મંડપની અંદરમાં દ્વેષગજેન્દ્ર, અરતિ, શોક આદિ સર્વ દેખાતા હતા તે અત્યારે અહીં ભવચક્ર નગરમાં કેમ દેખાતા નથી ? તેથી વિમર્શ કહે છે – તેઓ આવિર્ભાવ, તિરોભાવ ધર્મવાળા છે, તેથી અત્યારે રાજાની સેવાનો અવસર નહીં હોવાથી તે સર્વ તિરોધાન થઈને બેઠેલા છે. અવસર પ્રાપ્ત થાય તો તે સર્વ તત્કાલ આવિર્ભાવ પામે છે. આથી જ તેવા આનંદ-પ્રમોદના પ્રસંગમાં કોઈક નિમિત્તે મનભેદ આદિ થાય ત્યારે તે સર્વ દ્વેષ, શોક, આદિ ભાવો પણ સ્પષ્ટ પ્રગટ રૂપે દેખાય છે. ફક્ત ભોગવિલાસનો પ્રસંગ ચાલતો હોય ત્યારે તે સર્વ તિરોધાનરૂપે વર્તતા હોય છે. તે વખતે જે જે ઇન્દ્રિયોના જે જે વિષયોનો અવકાશ હોય છે તેને અનુરૂપ કામ સાથે તે સર્વ પોતપોતાનું કાર્ય કરતા જ હોય છે. मद्यपदशा अत्रान्तरे करिवरादवतीर्णः स लोलाक्षो राजा, प्रविष्टश्चण्डिकायतने, तर्पिता मद्येन चण्डिका, विहितपूजः समुपविष्टस्तस्या एव चण्डिकायाः पुरोवर्तिनि महति परिसरे मद्यपानार्थं, ततः सहैव Page #47 -------------------------------------------------------------------------- ________________ 30 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तावता जनसमाजेन बद्धमापानकं, प्रकटितानि नानारत्नविसंघटितानि विविधमद्यभाजनानि, समर्पिताः समस्तजनानां कनकचषकनिकराः, प्रवर्तिता मधुधाराः, ततो विशेषतः पीयते मदिरा, गीयते हिन्दोलकः, उपरि परिधीयते नवरङ्गकः, दीयते वादनेभ्यः, विधीयते नर्तनं, अभिनीयते करकिसलयेन, विधीयते प्रियतमाऽधरबिम्बचुम्बनं, अवदीर्यते रदनकोटिविलसितेन, उपचीयते मदिरामदनिर्भरता, प्रहीयते लज्जाशङ्कादिकं, निर्मीयते दयितावदनेषु दृष्टिः, विलीयते गाम्भीर्यं, स्थीयते जनैर्बालविजृम्भितेन, व्यवसीयते सर्वमकार्यमिति । મધથી થતી અવદશા અત્રાંતરમાં=પ્રકર્ષ વડે કહેવાયું કે મારો સંશય નષ્ટ થયો એટલામાં, હાથી ઉપરથી તે લોલાક્ષ રાજા ઊતર્યો. ચંડિકાના આયતનમાં પ્રવેશ કર્યો. મઘથી ચંડિકાને તૃપ્ત કરી કરાયેલી પૂજાવાળો તે ચંડિકાની આગળમાં મોટી પરિસરમાં મદ્યપાન માટે બેઠો. ત્યારપછી તેટલા જનસમાજની સાથે જ આપાતક બંધાયું મધપાનનું પીઠું બંધાયું. નાના પ્રકારના રત્નથી વિસંઘટિત વિવિધ મદ્યપાતનાં ભાજનો પ્રગટ કરાયાં. સમસ્ત જનોને સુવર્ણના પ્યાલાના સમૂહો સમર્પણ કરાયા. મધુધારા પ્રવર્તિત કરાઈ. ત્યારપછી વિશેષથી મદિરા પીવાય છે, હિંદોળ રાગ ગાય છે, ઉપરમાં નવરંગક પરિધાન કરાય છે. વાદન કરનારાઓને અપાય છે. વિવિધ પ્રકારનાં નર્તનો કરાય છે. હાથરૂપ કિસલયો વડે અભિનય કરાય છે. પ્રિયતમાના અધરતા બિબનું ચુંબન કરાય છે, દાંતના અગ્રભાગતા વિલાસો વડે અવદીરણા કરાય છે, મદિરાના મદની નિર્ભરતાનો ઉપચય કરાય છે. લજ્જા, શંકાદિનો ત્યાગ કરાય છે. સ્ત્રીઓના મુખમાં દૃષ્ટિ સ્થાપન કરાય છે. ગાંભીર્ય વિલય પામે છે. લોકો વડે બાલવિરૃસ્મિતથી રહેવાય છે=બાલચેષ્ટાથી રહેવાય છે. સર્વ અકાર્ય કરાય છે. ___ इतश्च लोलाक्षनृपतेः कनिष्ठो भ्राता रिपुकम्पनो नाम युवराजः, तेन मदपरवशतया कार्याकार्यमविचार्याभिहिता निजा महादेवी रतिललिता यदुत प्रियतमे! नृत्य नृत्य, इति । ततः सा गुरुसमक्षमतिलज्जाभरालसापि ज्येष्ठवचनं लङ्घयितुमशक्नुवती भर्तुरादेशेन नर्तितुं प्रवृत्ता । तां च नृत्यन्तीमवलोकयमानो मनोहरतया तल्लावण्यस्य विकारकारितया मधुमदस्याऽऽक्षिप्तचित्तस्ताडितोऽनवरतपातिना शरनिकरेण स लोलाक्षो नृपतिर्मकरध्वजेन तां प्रति गाढमध्युपपन्नश्चेतसा न च शक्नोत्यध्यवसातुं स्थितः कियतीमपि वेलाम् । इतश्च भूरिमद्यपानेन मदनिर्भरं निश्चेष्टीभूतमापानकं प्रलुठिताः सर्वे लोकाः, प्रवृत्ताश्च्छर्दयः, संजातमशुचिकर्दमपिच्छलं, निपतिता वायसाः, समागताः सारमेयाः, अवलीढानि जनवदनानि, प्रसुप्तो रिपुकम्पनः जागर्ति रतिललिता । આ બાજુ લોલાક્ષ રાજાનો નાનો ભાઈ રિપુકંપન નામનો યુવરાજ છે. મદના પરવશપણાથી કાર્યાકાર્યનો વિચાર નહિ કરીને તેના વડે પોતાની મહાદેવી રતિલલિતા કહેવાઈ. શું કહેવાયું ? તે Page #48 -------------------------------------------------------------------------- ________________ 36 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કહેવાય છે – હે પ્રિયતમા ! નૃત્ય કર, નૃત્ય કર. તેથી વડીલ વર્ગની સમક્ષ, લજ્જાથી ભરાયેલી એવી, પણ જયેષ્ઠના વચનને ઉલ્લંઘન કરવા માટે અસમર્થ ભર્તાના આદેશથી વાચવા માટે પ્રવૃત્ત થઈ. નાચતી એવી તેને અવલોકન કરતો, તેના લાવણ્ય, મનોહરપણું હોવાથી, મધુમદનું વિકારકારીપણું હોવાથી, મકરધ્વજ દ્વારા સતત નંખાયેલા તીરના સમૂહ વડે તાડિત થયેલો, આક્ષિપ્ત ચિત્તવાળો, તે લોલાણ રાજા, તેના પ્રત્યે પોતાના ભાઈની પત્ની પ્રત્યે, ગાઢ કામવાળો થયો. ચિત્તથી રહેવા માટે સમર્થ ન થયો. કેટલીક વેલા સુધી રહ્યો=ચિત્તનો કાબૂ રાખ્યો. આ બાજુ અત્યંત મદ્યપાનથી મદનિર્ભર નિચ્ચેષ્ટીભૂત આપાતક થયું. સર્વ લોકો આળોટવા લાગ્યા. છર્દીઓ પ્રવૃત્ત થઈ=કોઈ ઊલટી કરતા હતા, અશુચિતા કદમથી પિચ્છલ થયું. કાગડાઓ આવ્યા. સારમેયો કૂતરાઓ આવ્યા. લોકોનાં મુખો ચાટવા લાગ્યા. રિપુકંપન સૂઈ ગયો. રતિલલિતા જાગતી હતી. ____ रतिललितानिमित्तकलोलाक्षरिपुकम्पनयुद्धम् अत्रान्तरे वशीकृतो महामोहेन, क्रोडीकृतो रागकेसरिणा, प्रेरितो विषयाभिलाषेण, अभिभूतो रतिसामर्थ्येन, निर्भिन्नो हृदयमर्मणि शरनिकरप्रहारैर्मकरध्वजेन, म्रियमाण इवात्मानमचेतयमानः प्रचलितो लोलाक्षो रतिललिताग्रहणार्थं, वेगेन प्राप्तस्तत्समीपं प्रसारितौ बाहुदण्डौ, ततः किमेतदिति चिन्तितं रतिललितया, लक्षितं तदाकूतमनया, समुत्पन्नं साध्वसं, संजातं भयं, विगलितो मदिरामदः, पलायितुं प्रवृत्ता, गृहीता लोलाक्षेण, विमोचितोऽनयाऽऽत्मा, धावन्ती पुनर्गृहीता लोलाक्षेण, ततः पुनर्विमोच्यात्मानं प्रविष्टा तत्र चण्डिकायतने, स्थिता चण्डिकाप्रतिमायाः पृष्ठतो भयेन कम्पमाना । अत्रान्तरे द्वेषगजेन्द्रस्य संपन्नो राजादेशः, आविर्भूतोऽसौ, दृष्टः प्रकर्षेण, स प्राह-माम! स एष द्वेषगजेन्द्रः सहितो निजडिम्भरूपैः । विमर्शेनोक्तं-वत्स! संपन्नोऽस्य नियोगावसरः, केवलमस्य विलसितमधुना विलोकयतु वत्सः । प्रकर्षेणोक्तं-एवं करोमि, ततः प्रतिपन्नं द्वेषगजेन्द्रेण राजशासनं, अधिष्ठितो लोलाक्षः चिन्तितमनेन-मारयाम्येनां पापां रतिललितां या मां विहायेत्थं नष्टेति । गृहीतोऽनेन खड्गः, प्रविष्टश्चण्डिकायतने, मदिरामदान्धतया तबुद्ध्या विदारिताऽनेन चण्डिका, नष्टा रतिललिता, बहिनिर्गत्य तया- आर्यपुत्र! आर्यपुत्र! त्रायस्व त्रायस्वेति कृतो हाहारवः, विबुद्धो रिपुकम्पनः सहितो लोकेन । अभिहितमनेन-प्रियतमे! कुतस्ते भयम् ? कथितमनया लोलाक्षचेष्टितं, ततोऽधिष्ठितः सोऽपि द्वेषगजेन्द्रेण, सस्पर्धं सतिरस्कारमाहूतोऽनेन रणाय लोलाक्षः, प्रक्षुभिताः सुभटाः, समुत्थितानि शेषवनपानकानि, समुल्लसितः कलकलः, सन्नद्धं चतुरङ्गबलं, प्रादुर्भूतं गुन्दलम् । ततश्चाविज्ञातव्यतिकरतया मदिरामदपरवशतया च परस्परमेव कातरनराः कातरनरैः, खरैः खरा, वेगसरैवेंगसरास्तुरगैस्तुरगा, वरकरभैर्वरकरभा, रथवरै रथवराः, कुञ्जरैः कुञ्जरास्तदपरैर्वरकुञ्जरैर्वरकुञ्जरा, नरवरप्रेरितैश्चूर्णयितुमारब्धाः, संजातमकाण्डे बहुजनमर्दनम् । Page #49 -------------------------------------------------------------------------- ________________ ४० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ રતિલલિતા માટે લોલાક્ષ અને રિપુકંપન વચ્ચે યુદ્ધ એટલામાં મહામોહથી વશ કરાયેલો, રાગકેસરીથી ક્રોડી કરાયેલો, વિષયાભિલાષથી પ્રેરણા કરાયેલો, રતિના સામર્થ્યથી અભિભૂત થયેલો, મકરધ્વજના તીરના પ્રહારથી હૃદયના મર્મને ભેદાયેલો, જાણે મરતો હોય એવો, પોતાને નહીં જાણતો લોલાક્ષ રાજા રતિલલિતાના ગ્રહણ માટે વેગથી ચાલ્યો. તેના સમીપ બાહુદંડ પ્રસાર કર્યા. તેથી આ શું છે એ પ્રમાણે રતિલલિતા વડે વિચારાયું. તેનો આકૂત=રાજાનો ઇરાદો, આના વડે=રતિલલિતા વડે જણાયો. સાધ્વસ ઉત્પન્ન થયું=વિહ્વળતા ઉત્પન્ન થઈ. ભયવાળી થઈ, મદિરાનો મદ વિગલિત થયો. પલાયન થવા માટે પ્રવૃત્ત થઈ. લોલાક્ષ વડે ગ્રહણ કરાઈ. આના વડે=રતિલલિતા વડે, પોતાની જાતને છોડાવી. ફરી દોડતી લોલાક્ષ વડે ગ્રહણ કરાઈ. ત્યારપછી પોતાને છોડાવીને તે ચંડિકા આયતનમાં પ્રવેશી. ચંડિકા પ્રતિમાની પાછળ ભયથી, કાંપતી રહી. એટલામાં દ્વેષગજેન્દ્રને રાજાનો આદેશ પ્રાપ્ત થયો=મકરધ્વજ રાજાનો આદેશ થયો. - - કહેવાયું લોલાક્ષ રાજામાં જે કામની વૃત્તિ હતી તે કામની વૃત્તિ તૃપ્ત થઈ નહીં તેથી તેનામાં રહેલ દ્વેષ ઉલ્લસિત થયો. આ=દ્વેષ, આવિર્ભૂત થયો=લોલાક્ષ રાજામાં આવિર્ભૂત થયો. પ્રકર્ષ વડે જોવાયું. તે=પ્રકર્ષ કહે છે હે મામા ! પોતાના બાળકોના સહિત તે આ દ્વેષગજેન્દ્ર છે, વિમર્શ વડે હે વત્સ ! આનો=દ્વેષગજેન્દ્રનો, નિયોગનો અવસર પ્રાપ્ત થયો છે=પોતાનાં કૃત્યો કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. કેવલ આવું વિલસિત= દ્વેષગજેન્દ્રનું વિલસિત, હે વત્સ ! જો. પ્રકર્ષ વડે કહેવાયું એ પ્રમાણે કરું છું=અવલોકન કરું છું. ત્યારપછી દ્વેષગજેન્દ્ર વડે રાજશાસન સ્વીકારાયું=મકરધ્વજની આજ્ઞા સ્વીકારાઈ. લોલાક્ષ અધિષ્ઠિત થયો=દ્વેષથી અધિષ્ઠિત થયો, આવા દ્વારા વિચારાયું=લોલાક્ષ રાજા વડે વિચારાયું. આ પાપી રતિલલિતાને હું મારું. જે મને છોડીને આ રીતે નાસી ગઈ. આના દ્વારા=લોલાક્ષ રાજા દ્વારા, ખડ્ગ ગ્રહણ કરાયો. ચંડિકાના આયતનમાં પ્રવેશ કર્યો. મદિરાના મદથી અંધપણું હોવાને કારણે તદ્ બુદ્ધિથી=રતિલલિતાની બુદ્ધિથી આવા દ્વારા=લોલાક્ષ રાજા દ્વારા, ચંડિકા બે ટુકડા કરાઈ. રતિલલિતા નાસી ગઈ. બહાર નીકળીને તેણી વડે હે આર્ય પુત્ર ! હે આર્ય પુત્ર ! રક્ષણ કર. રક્ષણ કર. એ પ્રકારે હાહારવ કરાયો. લોક સહિત રિપુકંપન જાગ્યા. આના વડે=રિપુકંપન વડે, કહેવાયું – હે પ્રિયતમા ! તને કોનાથી ભય છે ? આવા વડે=રતિલલિતા વડે, લોલાક્ષ રાજાનું ચેષ્ટિત કહેવાયું. તેથી તે પણ=રિપુકંપન પણ, દ્વેષગજેન્દ્રથી અધિષ્ઠિત થયો. સ્પર્ધા સહિત સતિરસ્કાર આના દ્વારા=રિપુકંપન દ્વારા, લોલાક્ષ રણ માટે=યુદ્ધ માટે, બોલાવાયો. સુભટો પ્રભુભિત થયા. શેષવનના પાનકો સમુસ્થિત થયા. કલકલ સમુલ્લસિત થયો. ચતુરંગ બલ સન્નદ્ધ થયું=લડવા તત્પર થયું. ગુંદલ પ્રાદુર્ભૂત થયું=યુદ્ધ પ્રાદુર્ભૂત થયું. તેથી અવિજ્ઞાત વ્યતિકરપણાને કારણે=લડવાનું પ્રયોજન શું તે નહીં જાણતા હોવાને કારણે, અને મદિરામદના પરવશપણાને કારણે કાયર નરો કાયર નરોની સાથે, ખચ્ચરવાળા ખચ્ચરોની સાથે, ઘોડેસવારો ઘોડેસવારોની સાથે, ઊંટવાળાઓ ઊંટવાળાની સાથે, શ્રેષ્ઠ હાથીવાળા હાથીવાળાની સાથે, રથવાળાઓ થવાળાની સાથે, કુંજરો કુંજરોની સાથે, તેનાથી બીજા શ્રેષ્ઠ કુંજરોની સાથે Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૪૧ શ્રેષ્ઠ કુંજરોવાળા, નરવરથી પ્રેરિત ચૂર્ણ કરવા માટે આરબ્ધ થયા. અકાંડ જ ઘણા જીવોનું મર્દન થયું. इतश्च तथा रिपुकम्पनेनाहूतो लोलाक्षश्चलितस्तदभिमुखं द्वेषगजेन्द्राधिष्ठितः, मदिरामदान्धतया लग्नौ तौ करवालयुद्धेन, ततो गाढामर्षान्निपातितो रिपुकम्पनेन लोलाक्षः, संजातो महाविप्लवः । ततस्तमवलोक्य प्रविष्टौ नगरे विमर्शप्रकर्षो, स्थितौ निराबाधस्थाने । विमर्शेनोक्तं - वत्स ! दृष्टं द्वेषगजेन्द्रमाहात्म्यम्? स प्राह- सुष्ठु दृष्टं माम! तावतां विलासानामीदृशं पर्यवसानम् । विमर्शेनोक्तंभद्र! मद्यपायिनामेवंविधमेव पर्यवसानं भवति । मदिरामत्ता हि प्राणिनः कुर्वन्त्यगम्यगमनानि, न लक्षयन्ति पुरः स्थितं, मारयन्ति प्रियबान्धवान्, जनयन्त्यकाण्डविड्वरं, समाचरन्ति समस्तपातकानि, भवन्ति सर्वजगत्सन्तापकाः, निपात्यन्ते निष्प्रयोजनं मृत्वा च गच्छन्ति दुर्गतौ किमत्राश्चर्यम् ? इति અને આ બાજુ તે પ્રકારે રિપુકંપન વડે લોલાક્ષ બોલાવાયો. તેને અભિમુખ=લોલાક્ષને અભિમુખ, દ્વેષગજેન્દ્રથી અધિષ્ઠિત રિપુકંપન ચાલ્યો. મદિરાના મદથી અંધપણાને કારણે તે બંને તલવારના યુદ્ધથી લડવા લાગ્યા. ત્યારપછી ગાઢ આમર્ષથી=ગાઢ દ્વેષથી, રિપુકંપન વડે લોલાક્ષ રાજા પછાડાયો. મહા વિપ્લવ થયો. તેને જોઈને=આ પ્રકારના તેઓના યુદ્ધને જોઈને, વિમર્શ અને પ્રકર્ષ નગરમાં પ્રવેશ્યા. નિરાબાધ સ્થાનમાં તે બંને બેઠા. વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! દ્વેષગજેન્દ્રનું માહાત્મ્ય જોયું ? તે કહે છે – હે મામા ! અત્યંત જોવાયું. તેટલા વિલાસોનું આ પર્યવસાન છે=લોલાક્ષ રાજાએ પરિવાર સહિત જે અત્યાર સુધી વિલાસો કર્યા તે સર્વ વિલાસોનું આ અંતિમ ફળ છે. વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર પ્રકર્ષ ! મઘ પીનારાઓનું આવા પ્રકારનું જ પર્યવસાન હોય છે. મદિરાથી મત્ત થયેલા પ્રાણીઓ અગમ્ય એવી સ્ત્રી આદિનું ગમન કરે છે. આગળમાં રહેલાને જાણતા નથી. પ્રિય બાંધવોને મારે છે. અકાંડ વિવરને=યુદ્ધને, ઉત્પન્ન કરે છે. બધાં પાપોતે આચરે છે. સર્વ જગતના સંતાપક થાય છે. નિષ્પ્રયોજન નિપાતન કરાય છે અને મરીને દુર્ગતિમાં જાય છે. આમાં શું આશ્ચર્ય છે ? શ્લોક ઃ ષિ मद्ये च पारदार्ये च, ये रताः क्षुद्रजन्तवः । તેષામેવવિધાનર્થાત્, વત્સ! : પ્રદુમર્દતિ? ।।।। मद्यं हि निन्दितं सद्भिर्मद्यं कलहकारणम् । मद्यं सर्वापदां मूलं, मद्यं पापशताकुलम् ।।२।। શ્લોકાર્થ વળી, મધમાં અને પરસ્ત્રીમાં જે ક્ષુદ્રજીવો રત છે તેઓને આવા પ્રકારના અનર્થોને હે વત્સ ! કોણ પૂછવા માટે યોગ્ય છે ? અથવા આવા અનર્થો કેમ થયા એમ પૂછી શકાય નહીં ? ft=જે · Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કારણથી, મધ સજ્જનો વડે નિંદિત છે, મધ કલહનું કારણ છે. મધ સર્વ આપત્તિઓનું મૂળ છે. मध सेंडो पापोथी युक्त छे. ॥१-२॥ श्लोक : ૪૨ न त्यजेद् व्यसनं मद्यं, पारदार्यं च यो नरः । यथाऽयं वत्स! लोलाक्षस्तथाऽसौ लभते क्षयम् ।।३।। श्लोकार्थ : જે મનુષ્ય મધ વ્યસનનો ત્યાગ કરતો નથી અને પરદારાનું વ્યસન ત્યાગ કરતો નથી. હે વત્સ ! જે પ્રમાણે આ લોલાક્ષ રાજા ક્ષય પામ્યો તે પ્રમાણે આ મનુષ્ય ક્ષયને પામે છે. II3II श्लोड : मद्यं च पारदार्यं च, यः पुमांस्तात ! मुञ्चति । स पण्डितः स पुण्यात्मा, स धन्यः स कृतार्थकः ।।४।। श्लोकार्थ : અને મધને, પરદારાને હે તાત વિમર્શ ! જે પુરુષ મૂકે છે તે પંડિત છે, તે पुण्यात्मा, તે ધન્ય छे, ते कृतार्थ छे. ॥४॥ प्रकर्षेणोक्तं - एवमेतन्नास्त्यत्र संशयः, ततस्तयोस्तत्र नगरे विचरतोर्गतानि कतिचिद्दिनानि । अन्यदा मानवावासपुरे राजकुलासन्ने दृष्टस्ताभ्यां पुरुषः । प्रकर्षेणोक्तं-माम ! स एष मिथ्याभिमानो दृश्यते । विमर्शेनोक्तं - सत्यं, स एवायम् । प्रकर्षः प्राह - ननु राजसचित्तनगरे किलाऽविचलोऽयं, तत् कथमिहागतः ? विमर्शेनोक्तं - एवं नाम मकरध्वजस्योपरि सप्रसादो महामोहराजो येनास्य राज्ये यदचलं निजबलं सबालं तदप्यानीतं, केवलं कामरूपितयाऽयं मिथ्याभिमानो मतिमोहश्च यद्यपीहानीतौ दृश्येते तथापि तयोरेव राजसचित्ततामसचित्तपुरयोः परमार्थतस्तिष्ठन्तौ वेदितव्यो । प्रकर्षेणोक्तंमाम! कुत्र पुनरेषोऽधुना गन्तुं प्रवृत्तः ? विमर्शेनोक्तं- भद्र! आकर्णय, योऽसौ दृष्टस्त्वया रिपुकम्पनः स निहते लोलाक्षेऽधुना राज्येऽभिषिक्तः, तस्य चेदं भवनं, अतोऽयं मिथ्याभिमानः केनचित् कारणेनेदं राजसदनं प्रवेष्टुकाम इव लक्ष्यते । प्रकर्षः प्राह - ममापीदं नरपतिनिकेतनं दर्शयतु मामः । विमर्शनोक्तं - एवं करोमि, ततः प्रविष्टौ तौ तत्र नृपतिगेहे । - પ્રકર્ષ વડે કહેવાયું – આ પ્રમાણે જ આ છે=મામાએ કહ્યું એ પ્રમાણે જ આ છે. એમાં સંશય નથી. ત્યારપછી તે બંનેએ તે નગરમાં વિચરતાં કેટલાક દિવસો પસાર કર્યાં. અન્યદા માતવાવાસ નગરમાં રાજકુલ આસન્નમાં તેઓ બંને દ્વારા પુરુષ જોવાયો. પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! તે આ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ મિથ્યાભિમાન દેખાય છે. વિમર્શ વડે કહેવાયું – સત્ય, તે જ આ છે=ચિત્તવૃત્તિમાં જે મિથ્યાભિમાન હતો તે જ આ છે. પ્રકર્ષ કહે છે – રાજસચિત નગરમાં ખરેખર અવિચલ આ છે=રાજસચિત્ત વગરનું સર્વ કાર્ય રાગકેસરીએ તેના માથે મૂકેલું છે તેથી મિથ્યાભિમાન હંમેશાં રાજસચિત્ત નગરમાં સ્થિર રહે છે. તે કારણથી અહીં માનવાવાસમાં કેવી રીતે આવ્યો ? વિમર્શ વડે કહેવાયું – આ રીતે મકરધ્વજના ઉપર સપ્રસાદવાળો મહામોહરાજા છે. જે કારણથી આના રાજ્યમાં મહામોહતા રાજ્યમાં, જે અચલ પોતાનું બલ, બાલ સહિત છે તે પણ લવાયું મકરધ્વજને માનવાવાસમાં રાજ્ય આપ્યું ત્યારે તે સર્વને અહીં લવાયું. કેવલ કામરૂપીપણું હોવાને કારણે=અનેક રૂપ કરવાનું સ્વરૂપ હોવાને કારણે, આ મિથ્યાભિમાન અને મતિમોહ જો કે અહીં લવાયેલા દેખાય છે, તો પણ તે જ રાજસચિત્ત અને તામસચિત નગરમાં પરમાર્થથી તે બંને રહેલા જાણવા. પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! ક્યાં ફરી આ=મિથ્યાભિમાન, હમણાં જવા માટે પ્રવૃત્ત થયો છે? વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! સાંભળ, જે આ તારા વડે રિપુકંપન જોવાયો, તે લોલાણ રાજા હણાયે છતે હમણાં રાજ્યમાં અભિષિક્ત થયો. તેનું આ ભવન છે. આથી આ મિથ્યાભિમાન કોઈક કારણથી આ રાજસદન=રિપુકંપનના રાજમહેલમાં, પ્રવેશ કરવાની ઈચ્છાવાળો જણાય છે. પ્રકર્ષ કહે છે – મામા મને પણ આ રાજાનું નિકેતન બતાવો. વિમર્શ વડે કહેવાયું – એ પ્રમાણે કરું છું. ત્યારપછી તે બંનેવિમર્શ અને પ્રકર્ષ, તે રાજાના ઘરમાં પ્રવેશ્યા. रिपुकम्पनगृहे पुत्रजन्ममिथ्याभिमानः इतश्च तस्य रिपुकम्पनभूपतेरस्ति द्वितीया मतिकलिता नाम महादेवी, सा च तस्मिन्नेव समये दारकं प्रसूता । अथ तत्र जातमात्रे राजसूनौ भास्करोदये विकसितमिव तामरसं व्यपगततिमिरनिकरमिव गगनतलं विनिद्रमिव सुन्दरजननयनयुगलं, भुवनमिव स्वधर्मकर्मव्यापारपरायणं तद्राजभवनं राजितुं प्रवृत्तं, कथम्? विरचिता मणिप्रदीपनिवहाः विस्तारिता मङ्गलदर्पणमालाः, संपादितानि भूतिरक्षाविधानानि, निर्वर्तिता गौरसिद्धार्थकैर्नन्दावर्तशतपत्रलेखाः, निवेशिताः सितचामरधारिण्यो विलासिन्यः । ततः प्रचलिता वेगेनास्थानस्थायिनो भूपतेः सुतजन्ममहोत्सवं निवेदयितुं प्रियंवदिका । कथम्? રિપુકંપનના ઘરમાં પુત્રજન્મનું મિથ્યાભિમાન આ બાજુ તે રિપુકંપન રાજાની બીજી મતિકલિતા નામની મહાદેવી છે અને તેણીએ તે જ સમયે= જ્યારે વિમર્શ અને પ્રકર્ષે રાજગૃહમાં પ્રવેશ્યા તે જ સમયે, પુત્રને જન્મ આપ્યો. હવે તે જન્મેલા માત્ર રાજપુત્રમાં સૂર્યતા ઉદયમાં વિકસિત કમળની જેમ, અંધકાર રહિત આકાશતલની જેમ, સુંદરજનના નિદ્રા રહિત નેત્રયુગલની જેમ, પોતાના ધર્મકાર્યના વ્યાપારમાં પરાયણ ભુવનની જેમ તે રાજભવન શોભવા માટે પ્રવૃત્ત થયું. કેવી રીતે ? એથી કહે છે – મણિતા પ્રદીપતા સમૂહો રચાયા. મંગલદર્પણમાલા વિસ્તારિત કરાઈ. ભૂતિરક્ષા વિધાનો સંપાદન કરાયા. ગૌર સિદ્ધાર્થકો વડે નંદાવર્ત શત પત્રલેખો Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ નિવર્તન કરાયા. શ્વેત ચામરને ધારણ કરનારી વિલાસિની સ્ત્રીઓ નિવેશ કરાઈ. ત્યારપછી આસ્થાન સ્થાયી ભૂપતિને પુત્રજન્મના મહોત્સવનું નિવેદન કરવા માટે પ્રિયંવદા દાસી વેગથી ચાલી. કેવી રીતે ? એથી કહે છે શ્લોક ઃ ** - रभसोद्दामविसंस्थुलगमनं, गमनस्खलितसुनूपुरचरणम् । चरणजलत्तोत्तालितहृदयं, हृदयविकम्पस्फुरितनितम्बम् ।।१।। શ્લોકાર્થ ઃ રભસથી ઉદ્દામ અને વિસંસ્થલ ગમનવાળું, ગમનથી સ્ખલિત થતું ઝાંઝર છે એવા ચરણવાળું, ચરણથી ઉત્પન્ન થયેલા આઘાતથી ઉત્તાલિત હૃદયવાળું, હૃદયના વિકમ્પથી સ્ફુરિત નિતંબવાળું, ।।૧।। શ્લોક ઃ स्फुरितनितम्बनिनादितरसनं, रसनालग्नपयोधरसिचयम् । सिचयनिपातितलज्जितवदनं, वदनशशा‌ङ्कोद्योतितभुवनम् ।।२।। શ્લોકાર્થ ઃ સ્ફુરિત નિતંબથી અવાજ કરતા કંદોરાવાળું, કંદોરાથી દૂર થયેલ છે સ્તન ઉપરના વસ્ત્રવાળું, કપડાના ખસવાથી લજ્જા પામેલા મુખવાળું, મુખરૂપી શશાંકથી ઉદ્યોતિત ભુવનવાળું, રસા શ્લોક ઃ अपि च नितम्बबिम्बवक्षोजदुर्वारभरनिः सहा । तथापि रभसाद् बाला, वेगाद्धावति सा तदा ।। ३ ।। શ્લોકાર્થ ઃ વળી, નિતંબ અને સ્તનના દુર્વારભારથી નિઃસહા એવી પ્રિયંવદા છે તોપણ રભસથી ત્યારે તે બાલા=પ્રિયંવદા દાસી, વેગથી દોડે છે. II3II શ્લોક ઃ निवेदिते तया राजपुत्रजन्ममहोत्सवे । आनन्दपुलकोद्भेदनिर्भरः समपद्यत ।।४।। શ્લોકાર્થ : તેણી વડે રાજપુત્રના જન્મનો મહોત્સવ નિવેદન કરાયે છતે આનંદપુલકના ઉભેદથી નિર્ભર એવો રાજા થાય છે. II૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ अत्रान्तरे प्रविष्टो मिथ्याभिमानः । ततोऽधिष्ठितमनेन रिपुकम्पनशरीरम् । ततश्च એટલામાં મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. ત્યારપછી આના વડે=મિથ્યાભિમાન વડે, રિપુકંપાનું શરીર અધિષ્ઠિત કરાયું. તેથી=રિપુકંપનના શરીરમાં મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. તેથી, શ્લોક : तेनावष्टब्धचित्तोऽसौ, तदानीं रिपुकम्पनः । न मानसे न वा देहे, नापि माति जगत्त्रये ।।१।। શ્લોકાર્ચ - તેનાથી–મિથ્યાભિમાનથી, અવષ્ટબ્ધ ચિત્તવાળો આકરિપકંપન, ત્યારે માનસમાં, દેહમાં, જગત ત્રયમાં સમાતો નથી. II બ્લોક : चिन्तितं च पुनस्तेन, विपर्यासितचेतसा । अहो कृतार्थो वर्तेऽहमहो वंशसमुन्नतिः ।।२।। શ્લોકાર્ધ : વળી, તેના વડે રિપુકંપન વડે, વિપર્યાસયુક્ત ચિત્ત દ્વારા વિચારાયું. અહો હું કૃતાર્થ વર્તુ છું. અહો વંશની સમુન્નતિ થઈ. llll બ્લોક : अहो देवप्रसादो मे, अहो लक्षणयुक्तता । अहो राज्यमहो स्वर्गः, संपन्नं जन्मनः फलम् ।।३।। શ્લોકાર્થ : અહો મારા ઉપર દેવનો પ્રસાદ છે. અહો લક્ષણયુક્તતા. અહો રાજ્ય, અહો સ્વર્ગ, અહો જન્મનું ફળ પ્રાપ્ત થયું. ll3II શ્લોક : अहो जगति जातोऽहमहो कल्याणमालिका । अहो मे धन्यता सर्वमहो सिद्धं समीहितम् ।।४।। Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૪૬ શ્લોકાર્થ : અહો જગતમાં હું થયો. અહો કલ્યાણમાલિકા=કલ્યાણની હારમાળા. અહો મારી ધન્યતા. અહો સર્વ સમીહિત=ઇચ્છિત સિદ્ધ થયું. II૪॥ શ્લોક ઃ अपुत्रेण मया योऽयमुपयाचितकोटिभिः । प्रार्थितः सोऽद्य संपन्नो, यस्य मे कुलनन्दनः ।।५।। શ્લોકાર્થ : અપુત્ર એવા મારા વડે ઉપયાચિત્ત ક્રોડો ઉપાયોથી જે આ પ્રાર્થના કરાયેલો તે મારા કુલનો નંદન આજે સંપન્ન થયો. ॥૫॥ શ્લોક ઃ ततः कटककेयूरहारकुण्डलमौलयः । निवेदिकायै लक्षेण, दीनाराणां सहार्पिताः ।। ६ ।। શ્લોકાર્થ : ત્યારપછી લાખો દીનારોથી સહિત કટક, કેયૂર, હાર, કુંડલ, મુગટ નિવેદન કરનારી દાસીને અર્પણ કરાયાં. ॥૬॥ શ્લોક ઃ उल्लसत्सर्वगात्रेण, हर्षगद्गदभाषिणा । प्रकृतीनां समादिष्टः, सुतजन्ममहोत्सवः ।।७।। શ્લોકાર્થ : સર્વ ગાત્રથી ઉલ્લાસવાળા, હર્ષથી ગદ્ગદ્ બોલનારા રાજા વડે પ્રકૃતિઓને=પ્રજાજનોને, પુત્રજન્મમહોત્સવ આદેશ કરાયો. II9II શ્લોક : ततो नरपतेर्वाक्यं श्रुत्वा मन्त्रिमहत्तमैः । क्षणेन सदने तत्र, बत किं किं विनिर्मितम् ? ।। ८ ।। શ્લોકાર્થ : ત્યારપછી રાજાનું વાક્ય સાંભળીને મંત્રીમહત્તમો વડે ક્ષણમાત્રમાં તે સદનમાં=રાજમહેલમાં, ખરેખર શું શું કરાયું ? I' Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : पवननिहतनीरसङ्घातमध्यस्थितानेकयादः, समूहोर्ध्वपुच्छच्छटाघातसंपन्नकल्लोलमालाकुले । यादृशः स्यानिनादो महानीरधौ तत्र गेहे समन्तादथो, तादृशस्तूर्यसवातघोषः क्षणादुत्थितः ।।९।। શ્લોકાર્ચ - તે કહે છે – પવનથી હણાયેલા પાણીના સમૂહની મધ્યમાં રહેલા અનેક જળચર જીવોની ઊર્ધ્વપુચ્છની છટાના આઘાતથી થતા કલ્લોલની શ્રેણીથી આકુલ એવા મોટા સમુદ્રમાં જેવા પ્રકારનો અવાજ થાય તેવા પ્રકારનો વાજિંત્રના સમૂહનો અવાજ તત્ર ત્યાં રાજાના ઘરમાં, ચારે બાજુથી ઉત્પન્ન થયો. II૯ll. શ્લોક : તથાप्रवरमलयसम्भवक्षोदकश्मीरजातागरुस्तोमकस्तूरिकापूरकर्पूरनीरप्रवाहोक्षसंपन्नसत्कर्दमामोदसन्दोहनिष्यन्दबिन्दुप्रपूरेण संपादिताशेषजन्तुप्रमोदं तथा रत्नसङ्घातविद्योतनिर्नष्टसूर्यप्रभाजालसञ्चारमालोक्यते तत्तदामन्दिरम् ।।१०।। શ્લોકાર્ધ : તથા – મલયદેશના શ્રેષ્ઠ ચંદનની રજ, કેસર, અગરુસમૂહ, કસ્તૂરી અને કપૂરના પાણીના પ્રવાહના છંટકાવથી ઉત્પન્ન થયેલ સત્ કર્દમની સુગંધના સમૂહના ઝરણાના બિંદુઓના સમૂહ વડે ઉત્પન્ન થયો છે સમગ્ર જીવોને આનંદ એવું રાજમંદિર તથા રત્નના સમૂહના પ્રકાશથી સૂર્યની પ્રજાના સમૂહનો સંચાર નષ્ટ થયો છે એવું રાજમંદિર તે વખતે=પુત્રજન્મના સમયે જોવાય છે. [૧૦]l. શ્લોક : बहुनाटितकुब्जकवामनकं, प्रविर्णितकञ्चुकिहासनकम् । जनदापितरत्नसमूहचितं, त्रुटितातुलमौक्तिकहारभृतम् ।।११।। શ્લોકાર્ય : બહુ નાટક કરાયેલા કુમ્ભ અને વામન છે જેમાં એવું (વધામણું) ધૂમતા એવા કંચુકિજનોના હાસ્યવાળું, મનુષ્યને અપાયેલા રત્નના સમૂહવાળું, તૂટેલા અમૂલ્ય મોતીના હારથી ભરેલું, I૧૧TI Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ लसदुद्भटवेषभटाकुलकं, ललनाजनलासविलासयुतम् । वरखाद्यकपानकतुष्टजनं, जनितं प्रमदादिति वर्धनम् ।।१२।। શ્લોકાર્થ ઃ સુંદર અને ઉદ્ભટ વેષવાળા ભટોના સમૂહવાળું, સ્ત્રીવર્ગના નૃત્ય-વિલાસથી યુક્ત, શ્રેષ્ઠ ખાનપાનથી તુષ્ટ થયેલા મનુષ્યવાળું, હર્ષથી આ પ્રકારે (વધામણું) ઉત્પન્ન થયું. ।।૧૨।। શ્લોક ઃ अथ तादृशि वर्धनके निखिले, प्रमदेन प्रनृत्यति भृत्यगणे । अतिहर्षवशेन कृतोर्ध्वभुजः, स्वयमेव ननर्त चिरं स नृपः ।। १३ ।। શ્લોકાર્થ : હવે તેવા પ્રકારના વધામણામાં આનંદથી અખિલ સેવકગણ નૃત્ય કર્યે છતે, અતિ હર્ષના વશથી ઊંચી કરી છે ભુજા જેણે એવા તે રાજાએ સ્વયં લાંબો સમય નૃત્ય કર્યું. ||૧૩|| શ્લોક ઃ ततस्तत्तादृशं दृष्ट्वा, महासंमर्दगुन्दलम् । પ્રર્ષ: સંશયાપન્નઃ, પ્રાદ નિનમાતુલમ્ ।।૪।। શ્લોકાર્થ : ત્યારપછી તાદેશ મહાસંમર્દથી ગુંદલ એવા તેને જોઈને=તે રાજમંદિરને જોઈને, સંશય પામેલો પ્રકર્ષ પોતાના મામા પ્રત્યે કહે છે. ।।૧૪।। શ્લોક ઃ निवेदयेदं मे माम! महदत्र कुतूहलम् । किमितीमे रटन्त्युच्चैर्निर्वादितमुखा जनाः ? ।। १५ ।। શ્લોકાર્થ : હે મામા ! મને નિવેદન કરો. અહીં મને મહાન કુતૂહલ છે. કયા કારણથી આ લોકો નિર્વાદિત મુખવાળા ઊંચેથી બૂમો પાડે છે ? ।।૧૫।। શ્લોક ઃ अत्यर्थमुल्ललन्ते च किमर्थमिति मोदिता: ? । જિ ચાની વૃત્તિામાર, નિનાોપુ વદન્તિ? મોઃ! ।।૬।। Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - કયા કારણથી અત્યંત ઉલ્લાસ પામે છે ? શા માટે આનંદિત થાય છે ? શેના માટે આ મૃત્તિકાભાર પોતાના અંગોમાં વહન કરે છે? II૧૬. શ્લોક : चर्मावनद्धकाष्ठानि, दृढमास्फोटयन्ति किम्? । विष्ठासंभारमुक्तोल्यो, मन्दं मन्दं चलन्ति किम् ? ।।१७।। શ્લોકાર્ચ - ચર્મથી અવનદ્ધ કાષ્ઠોને કયા કારણથી દઢ આસ્ફોટન કરે છે? વિષ્ઠાના સંભારથી મુક્ત ઉલીવાળા મંદ મંદ ચાલે છે ? ll૧૭ી. બ્લોક : किं वैष सदनस्यास्य, नायकः पृथिवीपतिः । बालहास्यकरं मूढः, करोत्यात्मविडम्बनम्? ।।१८।। શ્લોકાર્ચ - કયા કારણથી આ સદનનો નાયક મૂઢ પૃથિવીપતિ, બાળકોને હાસ્યને કરાવનાર એવી આત્મવિડંબનાને કરે છે ? II૧૮II શ્લોક : तदत्र कारणं माम! यावत्रो लक्षितं मया । इदं तावन्ममाभाति, महाकौतुककारणम् ।।१९।। શ્લોકાર્ચ - તે કારણથી અહીં કારણ હે મામા ! જ્યાં સુધી મારા વડે જણાયું નથી, ત્યાં સુધી મને આ મહાકૌતુકનું કારણ જણાય છે. ll૧૯ll શ્લોક : विमर्शः प्राह ते वत्स! कथ्यतेऽत्र निबन्धनम् । यदस्य सकलस्यापि, वृत्तान्तस्य प्रवर्तकम् ।।२०।। पश्यतस्ते प्रविष्टोऽत्र, य एष नृपमन्दिरे । मिथ्याभिमानस्तेनेदं, तात! सर्वं विजृम्भितम् ।।२१।। Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : વિમર્શ કહે છે હે વત્સ ! તને અહીં આ પ્રકારની પ્રવૃત્તિમાં કારણ કહેવાય છે. આ સકલ વૃતાંત પ્રવર્તક જે તારા જોતાં આ રાજમંદિરમાં પ્રવેશેલ આ મિથ્યાભિમાન છે તેના વડે–મિથ્યાભિમાન વડે, હે તાત ! પ્રકર્ષ સર્વ આ વિભૂભિત છે. ર૦-૨૧૫. શ્લોક : अयं हि राजा जातो मे, सूनुरेवं विचिन्तयन् । न माति देहे नो गेहे, न पुरे न जगत्त्रये ।।२२।। શ્લોકાર્ચ - આ રાજા અને પુત્ર થયો એ પ્રમાણે ચિંતવન કરતો દેહમાં સમાતો નથી, ઘરમાં સમાતો નથી, નગરમાં સમાતો નથી, જગતત્રયમાં સમાતો નથી. ||રા શ્લોક : ततो मिथ्याभिमानेन, विह्वलीकृतचेतसा । आत्मा च सकलश्चेत्थं, लोकोऽनेन विडम्बितः ।।२३।। શ્લોકાર્ચ - તેથી મિથ્યાભિમાનથી વિહ્વલીકૃત ચિત્તવાળા આના વડે=રિપુકંપન વડે, આત્મા અને સકલલોક આ પ્રકારે વિડમ્બિત કરાયો. ||ર૩. શ્લોક : न चेदं लक्षयत्येष, नूनमात्मविडम्बनम् । यतो मिथ्याभिमानेन, वराकं मन्यते जगत् ।।२४।। શ્લોકાર્ચ - અને આકરિપુકંપન, આ પોતાની વિડંબનાને જાણતો નથી. જે કારણથી મિથ્યાભિમાનથી જગતને રાંકડો માને છેપોતાને પુત્ર થયો છે એ પ્રકારના મિથ્યાભિમાનથી હું જગતમાં સર્વોત્તમ છું અને જગત મારી આગળ તુચ્છ વરાક છે એમ માને છે. ||રા શ્લોક : પ્રર્ષ પ્રદ-યવં, તોડી પરમો રિપુઃ | માના મિથ્યાભિમાનોડવું, ઃ ઘવૅર્વ વિદુષ્યવ: પારકા. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. જો આ પ્રમાણે છે-મિથ્યાભિમાન વડે રાજા વિડંબિત છે એ પ્રમાણે છે, તો આનો રાજાનો, આ મિથ્યાભિમાન પરમ શત્રુ છે. હે મામા ! ખરેખર જે આ રીતે વિડંબક છે. ર૫ll શ્લોક : विमर्शः प्राह-को वाऽत्र, संशयो भद्र! वस्तुनि? । निश्चितं रिपुरेवायं, बन्धुरस्य प्रभासते ।।२६।। શ્લોકાર્ચ - વિમર્શ કહે છે – હે ભદ્ર ! આ વસ્તુમાં શું સંશય છે ? નિશ્ચિત શત્રુ જ આ આને રાજાને, બંધુ ભાસે છે. llરકા બ્લોક : प्रकर्षः प्राह-यद्येवं, ततो योऽस्य वशं गतः । स एष नृपतिर्माम! कीदृशो रिपुकम्पनः? ।।२७।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે તો જે આને વશ થયો-મિથ્યાભિમાનને વશ થયો, હે મામા ! તે આ રાજા કેવા પ્રકારનો રિપુકંપન છે ? ll૨૭ના શ્લોક - विमर्शनोदितं वत्स! न भावरिपुकम्पनः । किन्तु बहिर्वरिषु शूरोऽयं, तेनेत्थमभिधीयते ।।२८।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! ભાવરિપુકંપન નથી ભાવતુ એવા કષાયોને-નોકષાયોને કે મિથ્યાભિમાનને કંપન કરનાર નથી, પરંતુ બાહ્ય વેરીઓમાં આ શૂર છે. તેના કારણે આ પ્રમાણે કહેવાય છે. Il૨૮ll બ્લોક : इह चयो बहिः कोटिकोटीनामरीणां जयनक्षमः । प्रभविष्णुविना ज्ञानं, सोऽपि नान्तरवैरिणाम् ।।२९।। Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : અને અહીં જે બહિઃ કોટિકોટી શત્રુઓનો જય કરવામાં સમર્થ છે તે પણ આંતર વૈરીઓને જ્ઞાન વગર જય કરવામાં સમર્થ નથી. II૨૯।। શ્લોક ઃ तन्नास्य वत्स ! दोषोऽयं, नाप्येषां शेषदेहिनाम् । यतोऽत्र परमार्थेन, ज्ञानाऽभावोऽपराध्यति ।। ३० ।। શ્લોકાર્થ = તે કારણથી હે વત્સ પ્રકર્ષ ! આનો=રિપુકંપનનો, આ દોષ નથી. વળી, આ શેષ જીવોનો નથી=દોષ નથી. જે કારણથી અહીં=મિથ્યાભિમાનને શત્રુરૂપે જાણવામાં, પરમાર્થથી જ્ઞાનનો અભાવ અપરાધ પામે છે. II3I/ શ્લોક ઃ यस्मादज्ञानकामान्धाः, किञ्चिदासाद्य कारणम् । यान्ति मिथ्याभिमानस्य, ध्रुवमस्य वशं नराः ।।३१।। શ્લોકાર્થ : જે કારણથી અજ્ઞાન અને કામથી અંધ જીવો કોઈક કારણ પામીને આ મિથ્યાભિમાનના વશ મનુષ્યો નક્કી થાય છે. ।।૩૧।। શ્લોક ઃ तेनाभिभूतचित्तास्ते, बाला इव जनैः सह । विडम्बयन्ति चात्मानं, यथैष रिपुकम्पनः ।। ३२।। શ્લોકાર્થ : તેનાથી અભિભૂત થયેલા ચિત્તવાળા=મિથ્યાભિમાનથી પરાભૂત થયેલા ચિત્તવાળા, તેઓ બાલની જેમ લોકોની સાથે પોતાના આત્માને વિડંબિત કરે છે. જેમ આ રિપુકંપન. અર્થાત્ નગરના લોકોની સાથે પોતાના આત્માની જે પ્રમાણે આ રિપુકંપને વિડંબના કરી તેમ મૂર્ખની જેમ લોકો મિથ્યાભિમાનથી પોતાના આત્માની વિડંબના કરે છે. II૩૨।। શ્લોક ઃ ज्ञानावदातबुद्धीनां, पुत्रे राज्ये धनेऽपि वा । लोकाश्चर्यकरे जाते, महत्यप्यस्य कारणे ||३३|| Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : चित्ते न लभते ढौकं, धन्यानामान्तरो रिपुः । વત્સ! મિથ્યામિમાનોઽયં, તે દિ મધ્યસ્થવ્રુન્દ્વયઃ ।।રૂ૪।। યુમાં। શ્લોકાર્થ જ્ઞાનથી સુંદર બુદ્ધિવાળા જીવોને પુત્રમાં, રાજ્યમાં, અથવા ધનમાં પણ આનું મિથ્યાભિમાનનું, લોકને આશ્ચર્યને કરનારું મહાન કારણ થયે છતે પણ=કોઈ સંભાવના ન હોય તેવા અસંભવી એવા પણ કોઈક કામકુંભાદિની પ્રાપ્તિ થયે છતે પણ, હે વત્સ ! ધન્ય જીવોના ચિત્તમાં આ આંતર શત્રુ મિથ્યાભિમાન પ્રવેશને પામતો નથી, =િજે કારણથી, તેઓ મધ્યસ્થ બુદ્ધિવાળા જીવો છે=ધન્ય જીવો મધ્યસ્થ બુદ્ધિવાળા હોવાથી અંતરંગ સંપત્તિને પોતાની માને છે અને બાહ્ય સંપત્તિને પ્રાપ્ત કરીને આ મને પ્રાપ્ત થયું એ પ્રમાણે મિથ્યાભિમાન કરતા નથી. 133-૩૪|| शोकमहिमा : यावच्च कथयत्येवं, विमर्शस्तत्र कारणम् । तावद्राजकुलद्वारे, नरौ द्वौ समुपागतौ ।। ३५ ।। શોકનો મહિમા ૫૩ શ્લોકાર્થ : અને જ્યાં સુધી આ પ્રમાણે ત્યાં=રિપુકંપન મિથ્યાભિમાનને શત્રુરૂપે ઓળખતો નથી ત્યાં, વિમર્શ કારણને કહે છે તેટલામાં રાજકુલના દ્વારમાં બે મનુષ્યોએ પ્રવેશ કર્યો. II3૫|| શ્લોક : प्रकर्षेणोदितं माम! दृश्येते काविमौ नरौ । स प्राह मतिमोहेन, युक्तः शोकोऽयमागतः ।। ३६।। શ્લોકાર્થ : પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! આ બે પુરુષો કોણ દેખાય છે ? તે કહે છે=મામા કહે છે મતિમોહથી યુક્ત આ શોક આવ્યો છે. II3II - अत्रान्तरे सूतिकागृहे समुल्लसितः करुणकोलाहलोन्मिश्रः पूत्काररावः, प्रधावन्ति स्म महाहाहारवं कुर्वाणा नरपतेरभिमुखं दासचेट्यः प्रशान्तमानन्दगुन्दलं, किमेतदिति पुनः पुनः पृच्छन् कातरीभूतो राजा । ताभिरभिहितं- त्रायस्व देव ! त्रायस्व, कुमारो भग्नलोचनो जातः कण्ठगतप्राणैस्ततो धावत धावत । ततो वज्राहत इव संजातो राजा, तथापि सत्त्वमवलम्ब्य सपरिकरो गतः सूतिकागृहे, दृष्टः Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ स्वप्रभोद्भासितभवनभित्तिभागः संपूर्णलक्षणधरः किञ्चिच्छेषजीवितव्यो दारकः, समाहूतं वैद्यमण्डलं, पृष्टो वैद्याधिपतिः किमेतदिति ? । स प्राह - देव ! समापतितोऽस्य कुमारस्य सद्योघाती बलवानातङ्कः, स च प्रचण्डपवन इव प्रदीपमेनमुपसंहर्त्तु लग्नः पश्यतामेवास्माकं मन्दभाग्यानाम् । नृपतिराह - भो भो लोकाः शीघ्रमुपक्रमध्वं यथाशक्त्या, कुमारं यो जीवयति तस्मै राज्यं प्रयच्छामि, स्वयं च पदातिभावं प्रतिपद्येऽहम् । तदाकर्ण्य सर्वादरेण लोकैः प्रयुक्तानि भेषजानि, वाहिता मन्त्राः, निबद्धानि कण्डकानि, लिखिता रक्षाः, कृतानि भूतिकर्माणि, नियोजिता विद्या, वर्तितानि मण्डलानि, संस्मृता देवता, विन्यासितानि तन्त्राणि । तथा कुर्वतामपि च गतः पञ्चत्वमसौ दारकः । अत्रान्तरे कामरूपितया शोकमतिमोहाभ्यां सपरिकरयोर्मतिकलितारिपुकम्पनयोः कृतः शरीरानुप्रवेशः । ૫૪ એટલામાં=આ બે પુરુષે રાજમહેલમાં પ્રવેશ કર્યો એટલામાં, સૂતિકાગૃહમાં કરુણાના કોલાહલથી ઉત્મિશ્ર પૂત્કારનો અવાજ ઉલ્લસિત થયો. પ્રશાંત આનંદના ગુંદલને=વિહ્વળતાને, કરે એવા મહાહાહારવને કરતી દાસચેટીઓ નરપતિને અભિમુખ દોડી. આ શું છે એ પ્રમાણે ફરી ફરી પૂછતો રાજા કાયર થયો. તેણીઓ વડે કહેવાયું હે દેવ ! રક્ષણ કરો. રક્ષણ કરો, કંઠમાં રહેલા પ્રાણો વડે ભગ્ન ચક્ષુવાળો કુમાર થયો છે. તેથી દોડો દોડો. ત્યારપછી વજ્રથી હણાયેલાની જેમ રાજા થયો. તોપણ સત્ત્વનું અવલંબન લઈને પરિવાર સહિત સૂતિકાઘરમાં ગયો. પોતાની પ્રભાથી પ્રકાશિત થયેલ છે ભુવનની ભીંતનો ભાગ જેના વડે એવો, સંપૂર્ણ લક્ષણને ધારણ કરનારો, કંઈક શેષ જીવિતવાળો દારક=પુત્ર જોવાયો. વૈદ્યમંડલને બોલાવાયું. વૈઘાધિપતિ પુછાયો. આ શું છે ? તે કહે છે—વૈદ્ય અધિપતિ કહે છે – આ કુમારને તત્કાલ નાશ કરનાર બલવાન આતંક પ્રાપ્ત થયો છે અને તે જેમ પ્રચંડ પવન પ્રદીપને ઉપસંહાર કરવા માટે લાગે=બૂઝવવા માટે લાગે, તેમ મંદભાગ્યવાળા જોતા અમોને સઘઘાતી એવો આતંક આ બાળકને વિનાશ કરવા તત્પર થયો છે. રાજા કહે છે હે લોકો ! યથાશક્તિ શીઘ્ર ઉપક્રમ કરો=પ્રયત્ન કરો. જે કુમારને જીવાડશે તેને હું રાજ્ય આપીશ અને સ્વયં હું તેનો સેવકભાવ સ્વીકારીશ. તે સાંભળીને સર્વ આદરથી લોકો વડે ઔષધો પ્રયોગ કરાયા. મંત્રો વહત કરાયા. કંડકો નિબદ્ધ કરાયા. રક્ષા લખાઈ. ભૂતિકર્મો કરાયાં. વિદ્યાઓ નિયોજન કરાઈ. મંડલો ચિતરાયાં. દેવતાઓ સંસ્મરણ કરાયા. તંત્રોનો વિન્યાસ કરાયો. તે પ્રમાણે કરવા છતાં પણ આ પુત્ર મૃત્યુને પામ્યો. એટલામાં કામરૂપીપણું હોવાને કારણે પરિવાર સહિત શોક અને મતિમોહ દ્વારા મતિકલિતા અને રિપુકંપનના શરીરમાં પ્રવેશ કરાયો. શ્લોક ઃ = ततश्च हा हताऽस्मि निराशाऽस्मि मुषिताऽस्मीति भाषिणी । ત્રાવસ્વ દેવ! વેતિ, વવન્તી નષ્ટચેતના શા Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ क्षणानिपतिता भूमौ, मृतं वीक्ष्य कुमारकम् । सा देवी वज्रसङ्घातताडितेवाऽतिविह्वला ।।२।। શ્લોકાર્થ : અને તેથી હું હણાઈ છું, નિરાશ છું, હું ચોરાઈ છું એ પ્રમાણે બોલતી હે દેવ ! હે દેવ ! રક્ષણ કરો એ પ્રમાણે બોલતી, નષ્ટયેતનાવાળી, તે દેવી મરેલા કુમારને જોઈને ક્ષણથી ભૂમિ ઉપર પડી, જાણે વજના સંઘાતથી તાડિત હોય તેમ અતિવિહ્વળ થઈ. II૧-શા. શ્લોક - हा पुत्र! जात जातेति, ब्रुवाणो मूर्च्छया यथा । राजापि पतितो भूमौ, मुक्तः प्राणैस्तथैव सः ।।३।। શ્લોકાર્ય : હા પુત્ર ! થયેલો થયેલો એ પ્રમાણે બોલતો મૂચ્છથી રાજા પણ ભૂમિમાં પડ્યો. તે પ્રમાણે જ પ્રાણોથી તે પણ મુક્ત થયો રાજા પણ મુક્ત થયો. ll3II બ્લોક : ततो हाहारवो घोरो, महाक्रन्दश्च भैरवः । जनोरस्ताडशब्दश्च, क्षणेन समजायत ।।४।। શ્લોકાર્ય : તેથી ઘોર હાહારવ, મહાઆકંદ અને જનોનો ભૈરવ અને તાડ શબ્દ=છાતી ફૂટવાનો શબ્દ ક્ષણમાં થયો. ||૪|| શ્લોક : अथ मुक्तविलोलकेशकं, दलितविभूषणभग्नशङ्खकम् । रिपुकम्पनयोषितां शतैर्वृहदाक्रन्दनकं प्रवर्तितम् ।।५।। लालाविलवक्त्रकोटरं, लुठितं भूमितले सुदीनकम् । उल्लञ्चितकेशपाशकं, बृहदाराटिविमोचतत्परम् ।।६।। हाहा हाहेति सर्वतः, करुणध्वानपरायणं जनम् । अथ वीक्ष्य स विस्मितेक्षणो, बुद्धः सूनुरुवाच मातुलम् ।।७।। શ્લોકાર્ચ - છૂટા થયેલા વિખરાયેલા વાળવાળું, દલિત થયેલા વિભૂષણો અને ભગ્ન રિપકંપનની સેંકડો Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સ્ત્રીઓનું મોટું આક્રંદ પ્રવર્તાયું. લાળથી યુક્ત મુખવાળા, ભૂમિતલમાં આળોટતા, સુદીનવાળા, ખેંચતા કેશપાશવાળા, મોટી આરાટિના વિમોચનમાં તત્પર, હાહા એ પ્રમાણે સર્વથી કરુણ અવાજમાં પરાયણ જનને જોઈને તે વિસ્મિત ચક્ષુવાળો બુદ્ધિનો પુત્ર=પ્રકર્ષ, મામાને કહે છે. ।।૫થી ૭|| શ્લોક ઃ યહુત किमेतैः क्षणमात्रेण, हित्वा तत्पूर्वनर्तनम् । प्रकारान्तरतो लोकैः, प्रारब्धं नर्तनान्तरम् ? ।।८।। શ્લોકાર્થ : શું કહે છે ? તે ‘યદ્યુત'થી બતાવે છે આ બધા વડે ક્ષણમાત્રથી તે પૂર્વનું નર્તન છોડીને લોકો વડે પ્રકારાંતરથી નર્તનાંતર કેમ પ્રારંભ કરાયો ? !!!! શ્લોક ઃ विमर्शेनोदितं वत्स ! यौ तौ दृष्टौ त्वया नरौ । ताभ्यां निजप्रभावेण प्रविश्येदं प्रवर्तितम् ।।९।। શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું. વત્સ ! જે તે બે પુરુષ તારા વડે જોવાયા=મતિમોહ અને શોક રાજમંદિરમાં પ્રવેશ કરતા તારા વડે જોવાયા, તે બંને દ્વારા નિજપ્રભાવથી પ્રવેશીને=રાજમંદિરમાં પ્રવેશીને, આ પ્રવર્તન કરાયું. IIII શ્લોક ઃ निवेदितं मया तुभ्यं, यथैते नैव मुत्कलाः । कुर्वन्त्यत्र पुरे लोकाः, स्वतन्त्राः कर्म किञ्चन ।। १० ।। શ્લોકાર્થ : મારા વડે તને નિવેદન કરાયું. શું નિવેદન કરાયું તે બતાવે છે જે આ પ્રમાણે આ લોકો=બહિરંગ લોકો, મુત્કલ=એકલા, સ્વતંત્રકર્મ કોઈ કરતા નથી જ. II૧૦।। શ્લોક ઃ નિ તર્દિ? यथा यथा स्ववीर्येण, कारयन्ति शुभेतरम् । अन्तरङ्गजनाः कर्म, कुर्वन्त्येते तथा तथा । । ११।। આ નગરમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પ૭ શ્લોકાર્થ : તો શું ?=એકલા કોઈ સ્વતંત્ર કાર્ય કરતા નથી તો શું? જે જે પ્રકારે સ્વવીર્યથી અંતરંગજનો શુભ અને ઈતર=અશુભ કાર્ય કરાવે છે તે તે પ્રકારે આ=બાહ્ય લોકો, કર્મ-કૃત્યો, કરે છે. [૧૧] શ્લોક : ततो मिथ्याभिमानेन, तादृक्षं नाटिताः पुरा । एताभ्यां पुनरीदृक्षं, किं कुर्वन्तु वराककाः? ।।१२।। શ્લોકાર્ચ - તેથી મિથ્યાભિમાન વડે પૂર્વમાં તેવા પ્રકારે નચાવાયા, આ બંને દ્વારા મતિમોહ અને શોક દ્વારા, ફરી આવા પ્રકારના નચાવાયા. વરાક લોકો શું કરે ? I/૧૨ા શ્લોક : सज्ज्ञानपरिपूतानां, मतिमोहो महात्मनाम् । बाधां न कुरुते ह्येष, केवलं शुभचेतसाम् ।।१३।। શ્લોકાર્ચ - કેવલ શુભચિત્તવાળા, સજ્ઞાનથી પવિત્ર મહાત્માઓને આ મતિમોહ બાધાને કરતો નથી. ૧૩. શ્લોક : नापि शोको भवेत्तेषां, बाधको भद्र! भावतः । यैरादावेव निीतं, समस्तं क्षणभङ्गुरम् ।।१४।। શ્લોકાર્થ : અને હે ભદ્ર તેઓને શોક પણ ભાવથી બાધક થતો નથી. જેઓ વડે આદિમાં જ સમસ્ત વસ્તુ ક્ષણભંગુર નિર્ણય કરાઈ છે. ll૧૪ll. શ્લોક : ત્ર પુન:पुत्रस्नेहवशेनैष, मतिमोहान्मृतो नृपः । शोकस्तु कारयत्येवं, प्रलापं करुणं जनैः ।।१५।। શ્લોકાર્ય : અહીં વળી પ્રસ્તુત રાજમંદિરમાં વળી, પુત્રના સ્નેહના વશથી આ રાજા મતિમોહથી મર્યો. વળી, આ રીતે શોક લોકો વડે કરુણ વિલાપને કરાવે છે. ll૧૫ll Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ श्लोड : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ प्रकर्षेणोदितं माम! किमत्र नृपमन्दिरे । क्षणमात्रेण संजातमीदृशं महदद्भुतम् ? ।।१६।। श्लोकार्थ : પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! આ રાજમંદિરમાં ક્ષણમાત્રથી કેમ આવા પ્રકારનું મહાન અદ્ભુત થયું ?=ક્ષણ પૂર્વે બધા હર્ષથી નાચતા હતા અને ક્ષણ પછી બધા શોકાતુર થયા એવું અદ્ભુત डेमायुं ? ||१५| श्लोड : किं वाऽन्यत्रापि जायेत, विरुद्धमिदमीदृशम् ? । विमर्शेनोदितं नाऽत्र, भवचक्रेऽतिदुर्लभम् ।।१७।। श्लोकार्थ : અથવા અન્યત્ર પણ આવા પ્રકારનું આ વિરુદ્ધ શું થાય છે ? વિમર્શ વડે કહેવાયું. આ लवयमां मा अतिहुर्लभ नथी. ||१७|| श्लोक : एतद्धि नगरं भद्र! परस्परविरोधिभिः । अमुक्तमीदृशैः प्रायो, विविधैः संविधानकैः ।। १८ ।। श्लोकार्थ : હે ભદ્ર ! આવા પ્રકારના પરસ્પર વિરોધી પ્રાયઃ વિવિધ સંવિધાનકો વડે આ નગર અમુક્ત 9.119211 श्लोक : यावच्च मुक्तफूत्कारं, दारुणाऽऽक्रन्दभीषणम् । पताकाजालबीभत्सं, विषमाहतडिण्डिमम् ।।१९।। उद्वेगहेतुस्ते भद्र! नितरां जनतापकम् । इदं हि मृतकं रौद्रं, न निर्गच्छति मन्दिरात् ।। २० ।। तावदन्यत्र गच्छावो, न युक्तं द्रष्टुमीदृशम् । परदुःखं कृपावन्तः, सन्तो नोद्वीक्षितुं क्षमाः । । २१ । । त्रिभिर्विशेषकम् ।। Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : જ્યાં સુધી મુક્ત ફુત્કારવાળું, દારુણ આક્રંદથી ભીષણ, પતાકાજાલથી બીભત્સ, વિષમ આહતના ડિંડિમવાળું, હે ભદ્ર ! પ્રકર્ષ, તારા ઉદ્વેગનો હેતુ જનનું અત્યંત તાપક, આ રૌદ્ર મૃતક મંદિરથી જતું નથી. ત્યાં સુધી આપણે બે જઈએ. આવા પ્રકારનું પરનું દુઃખ કૃપાવાળાને જોવું યુક્ત નથી. સંતપુરુષો જોવા માટે સમર્થ નથી. II૧૯થી ૨૧।। શ્લોક ઃ एवं भवतु तेनोक्ते, निर्गतौ राजमन्दिरात् । સંપ્રાપ્તો દટ્ટમાÒપુ, તત: સ્વસ્રીવમાતુનો ।।૨૨।। શ્લોકાર્થ : તેના વડે=વિમર્શ વડે, કહેવાયે છતે આ રીતે થાઓ=પ્રકર્ષ બોલ્યો આ રીતે થાઓ, રાજમંદિરથી વિમર્શ અને પ્રકર્ષ નીકળ્યા. ત્યારપછી મામા-ભાણેજ=વિમર્શ અને પ્રકર્ષ, હટ્ટમાર્ગમાં પ્રાપ્ત થયા. II૨૨૦ા શ્લોક ઃ શ્લોક ઃ अत्रान्तरे कृतम्लानिर्विज्ञाय रिपुकम्पनम् । मृतं समुद्रस्नानार्थं, पश्चिमे याति भास्करः । । २३।। Че શ્લોકાર્થ : એટલામાં કૃતમ્ભાનિ એવો સૂર્ય મરેલા એવા રિપુકંપનને જાણીને સમુદ્રના સ્નાન માટે પશ્ચિમમાં જાય છે. II૨૩/ धनगर्वः अथादित्ये तिरोभूते, तिमिरेण मलीमसे । નાત્યશેષે સંનાતે, વોતેિ ટ્રીપમન્ડને ।।૨૪।। गोधनेषु निवृत्तेषु, विलीनेषु शकुन्तिषु । वेतालेषु करालेषु, कौशिकेषु विचारिषु ।। २५ ।। मूकीभूतेषु काकेषु, निद्रिते नलिनीवने । निजावश्यकलग्नेषु, मुनिषु ब्रह्मचारिषु ।।२६।। रटत्सु चक्रवाकेषु, रहितेषु स्वकान्तया । उल्लसत्सु भुजङ्गेषु, सतोषे कामिनीजने । । २७।। Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ इत्थं प्रदोषे संपन्ने, प्रहृष्टजनमानसे । कश्चिनिजापणद्वारे, दृष्टस्ताभ्यां महेश्वरः ।।२८।। उत्तुङ्गविष्टरे रम्ये, निविष्टः किल लीलया । विनीतैर्बहुभिर्दक्षैर्वणिक्पुत्रैविवेष्टितः ।।२९।। वज्रेन्द्रनीलवैडूर्यपद्मरागादिराशिभिः । पुरतः स्थापितैस्तुगै शिताऽशेषतामसः ।।३०।। विकटैर्हाटकस्तोमै, राजतैश्च पुरःस्थितैः । दीनारादिमहाकूटैर्गवितोऽग्रे विवर्तिभिः ।।३१।। ધનનો ગર્વ શ્લોકાર્ચ - હવે આદિત્ય તિરોભૂત થયે છતે રાત્રિ થયે છતે, તિમિરથી અંધકારથી મલીમસ અશેષ જગત થયે છતે દીપમંડલો બોધિત કરાયે છતે, ગાયો પાછી ફર્યે છતેશકુંતિઓ-પક્ષીઓ વિલીન થયે છતે, કરાલ એવા વેતાલ કોશિકમાં વિચર્યો છd, કાગડાઓ ચૂપ થયે છતે, નલિનીવન= કમળો નિદ્રિત થયે છતે, નિજ આવશ્યકમાં લગ્ન એવા બ્રહ્મચારિમુનિઓ હોતે છતે, સ્વકાંતાથી રહિત એવા સવાલો બૂમો પાળે છતે, ભુજંગો-વ્યભિચારી પુરુષો ઉલ્લસિત થયે છતે, સંતોષવાળી કામિની જન હોતે છતે, આ રીતે પ્રદોષ પ્રાપ્ત થયે છતે=એક પ્રહર પસાર થયે છતે, પ્રહષ્ટ જનમાનસ હોતે છતે, કોઈક પોતાની દુકાનના દ્વારમાં રમ્ય એવા ઉત્તુંગ સિંહાસનમાં લીલાથી બેઠેલો, બહુ વિનીત દક્ષ એવા વાણિયાના પુત્રો વડે ઘેરાયેલો, આગળમાં સ્થાપન કરાયેલા ઊંચા વજ, ઈન્દ્રનીલ, વેડૂર્ય, પદ્મરાગાદિ રાશિના ઢગલા વડે, નાશ કરાયેલા અશેષ અંધકારવાળો, અને વિકટ એવા હાટકના સ્ત્રોમ વડે સોનાના ઢગલાઓ વડે, આગળમાં રહેલ ચાંદીઓ વડે, આગળમાં વર્તતા દીનારદાદિ મહાકૂટ વડે ગર્વિત થયેલો મહેશ્વર તે બંને દ્વારા=વિમર્શ-પ્રકર્ષ દ્વારા, જોવાયો. પર૪થી ૩૧]. શ્લોક : प्रकर्षेणोदितं माम! किमित्येष महेश्वरः । ૩ન્નમિત્તે મૂર્મ, વીક્ષને મળ્યરેક્ષUT:? રૂાા શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! ક્યા કારણથી આ મહેશ્વર ઉજ્ઞામિત એક ભૂવાળો=ભૃકુટીવાળો નિશ્ચલ ચક્ષવાળો, મંદ દેખાય છે? II3રશા Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ Cोs: अर्थिनां वचनं किं वा, सादरं बहुभाषितम् । एष बाधिर्यहीनोऽपि, नाकर्णयति लीलया ।।३३।। सोडार्थ : અર્થીઓના સાદર બહુભાષી વચનને બહેરાપણાથી રહિત પણ આ મહેશ્વર લીલાથી કેમ समतो नथी ? ||33|| श्योs: कृतप्राञ्जलयो नम्रा, य एते चाटुकारिणः । एतानो वीक्षते कस्मात्तृणतुल्यांश्च मन्यते? ।।३४।। टोडार्थ: કૃત પ્રાંજલવાળા=હાથ જોડેલા, નમ્ર જે આ ચાટુકારી છે એવા આમને કયા કારણથી જોતો गथी मने तृए।तुल्य माने छ ? ||३४|| Ras : दृष्ट्वा दृष्ट्वा स रत्नानि, किञ्चिद् ध्यात्वा मुहुर्मुहुः । स्तब्धाङ्गः स्मेरवदनः, किं भवत्येव वाणिजः? ।।३५ ।। लोहार्थ : રત્નોને જોઈ જોઈને તેમહેશ્વર, કંઈક વિચારીને વારંવાર સ્તબ્ધ અંગવાળો, હર્ષવદનવાળો पालियो म थाय छ ? ||3|| विमर्शेनाभिहितं-भद्र! आकर्णय, अस्ति तस्यैव मिथ्याभिमानस्य स्वाङ्गभूतो धनगर्वो नाम वयस्यः, तेनाधिष्ठितोऽयं वराकः तेनाधिष्ठितानामीदृशमेव स्वरूपं भवति । अयं हि मन्यते-ममेदं रत्नकनकादिकं धनं, अहमस्य स्वामी, ततः कृतकृत्योऽहं, संपन्नं जन्मनः फलं, मत्तो वराकं भुवनम् । ततश्चेत्थं विकारबहुलः परिप्लवते, न लक्षयति धनस्वरूपं, न चिन्तयति परिणाम, नालोचयत्यायतिं, न विचारयति तत्त्वं, न गणयति क्षणनश्वरतामिति । प्रकर्षः प्राह-माम! योऽसौ रागकेसरिडिम्भरूपाणां मध्ये दृष्टो मया पञ्चमो डिम्भः (उ अनन्तानुबन्धी लोभः) सोऽस्य निकटवर्ती दृश्यते । विमर्शेनोक्तंसत्यमेतत्स एवायम् । अत्रान्तरे समायातः कश्चिद् भुजङ्गो, निविष्टो महेश्वरसमीपे, याचितोऽनेनोत्सारकं महेश्वरः, दत्तोऽनेन । ततो रहसि स्थितस्य संप्रकाशितदिक्चक्रवालं बहुविधाऽनघेयरत्नघटितं दर्शितं तेन भुजङ्गेन तस्य महेश्वरवाणिजकस्य मुकुटं, प्रत्यभिज्ञातश्चानेन भुजङ्गो यथैष हेमपुराधिपते Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ बिभीषणनृपतेः पदातिर्दुष्टशीलश्च, ततो नूनं हृतमनेनेदं भविष्यति । अत्रान्तरे प्रविष्टोऽसौ रागकेसरितनयो वाणिजकशरीरे, ततस्तत्प्रतापाच्चिन्तितमनेन-भवतु नाम स्तेनाऽऽहृतं, तथापि ग्रहीतव्यमेवेदं मया । ततोऽभिहितोऽनेन भुजङ्गः- भद्र! किं ते क्रियताम् ? भुजगेनोक्तं-अस्योचितं मूल्यं दत्त्वा गृह्यतामिदं भवतेति । तुष्टो वाणिजकः, तोषितो मूल्येन भुजङ्गः, पलायितोऽसौ वेगेन, गते च तस्मिंस्तत्पदानुसारेण समागतं बिभीषणराजबलं, लब्धा कुतश्चिद्विक्रयवार्ता, प्राप्तः सलोत्रो वाणिजकः, गृहीतः पुरत एव लोकस्य ।। વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! સાંભળ, તે જ મિથ્યાભિમાનનો સ્વઅંગભૂત ધનગર્વ નામનો મિત્ર છે, તેના વડે ધતગર્વ વડે, આ રાંકડોકમહેશ્વર અધિષ્ઠિત છે. તેનાથી=ધતગર્વથી, અધિષ્ઠિતોનું આવું જ સ્વરૂપ થાય છે. દિ=જે કારણથી, આ=મહેશ્વર માને છે. શું માને છે ? તે કહે છે – મારું આ રત્વ, કનકાદિ ધન છે. આનો હું સ્વામી છું. તેથી હું કૃતકૃત્ય છું. જન્મનું ફળ પ્રાપ્ત થયું. મારાથી ભુવન= અન્ય જીવો, વરાક છે. તેથી=આ પ્રમાણે મહેશ્વર માને છે તેથી, આ રીતે-પૂર્વમાં કહ્યું એ રીતે, વિકારબહુલ પરિપ્લવ કરે છે=માનના વિકારો પ્રગટ કરે છે. ધનના સ્વરૂપને જાણતો નથી. પરિણામનો વિચાર કરતો નથી. ભવિષ્યનું આલોચન કરતો નથી. તત્ત્વનો વિચાર કરતો નથી. ક્ષણનશ્વરતાને ગણતો નથી=આ ધન ક્ષણમાં નાશ પામી શકે છે તે પ્રકારનું તેનું સ્વરૂપ છે તેને મહેશ્વર ગણકારતો નથી. પ્રકર્ષ કહે છે – હે મામા ! જે આ રાગકેસરીના બાળકો મધ્યે પાંચમો બાળક મારા વડે જોવાયેલોકચિત્તરૂપી અટવીમાં જોવાયેલો, તે=પાંચમું બાળક આના=મહેશ્વરના, નિકટવર્તી દેખાય છે. વિમર્શ વડે કહેવાયું – આ સત્ય છે=પ્રકર્ષે કહ્યું એ સત્ય છે, તે જ આ છે=રાગકેસરીના બાળકોમાંથી પાંચમું બાળક આ છે. એટલામાં કોઈક ભુજંગ=ભુજંગ નામનો પુરુષ, આવ્યો. મહેશ્વરના સમીપમાં બેઠો. આના દ્વારા=ભુજંગ દ્વારા, ઉત્સારકનેeખોળું પાથરવાને મહેશ્વર યાચના કરાયો. આના વડે=મહેશ્વર વડે, અપાયું=મહેશ્વર વડે પોતાનો ખોળો પથરાયો, ત્યારપછી એકાંતમાં રહેલા પ્રકાશિત દિકચક્રપાલવાળો બહુવિધ=બહુ પ્રકારના, કીમતી રત્નથી ઘટિત તે ભુજંગ વડે તે મહેશ્વર વાણિયાને મુગુટ બતાવાયો. આના દ્વારા=મહેશ્વર દ્વારા, ભુજંગ ઓળખાયો. જે પ્રમાણે આ હેમપુર નામના અધિપતિનો બિભીષણ રાજાનો પદાતિ દુષ્ટશીલ છે. તેથી ખરેખર આના દ્વારા=ભુજંગ દ્વારા, આત્રમુગુટ, હરાયેલો હશે. એટલામાં વાણિયાના શરીરમાં આ રાગકેસરીના પુત્રએ પ્રવેશ કર્યો. ત્યારપછી તેના પ્રતાપથી=રાગકેસરીના પુત્ર લોભના પ્રતાપથી, આના વડે=મહેશ્વર વડે, વિચારાયું. આ હરાયેલો હો તોપણ મારા વડે આ ગ્રહણ કરાવો જોઈએ=આ મુગુટ ગ્રહણ કરાવો જોઈએ. તેથી આવા વડે=મહેશ્વર વડે, ભુજંગ કહેવાયો. હે ભદ્ર ! તારું શું કરાય ? ભુજંગ વડે કહેવાયું – આનું ઉચિત મૂલ્ય આપીને તમારા વડે ગ્રહણ કરાવાય, વાણિયો તોષ પામ્યો. મૂલ્યથી ભુજંગ તોષ કરાયો. વેગથી પલાયન થયો=ભુજંગ પલાયન થયો. અને તે ગયે છતે=ભુજંગ ગયે છતે, તેના પદ અનુસારથી= ભુજંગના પદ અનુસારથી, બિભીષણ રાજાનું સૈન્ય આવ્યું. કોઈક પાસેથી વેચાણની વાર્તા પ્રાપ્ત Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ થઈ=બિભીષણ રાજાના સૈન્યને કોઈક પાસેથી મુગટના વેચાણની વાર્તા પ્રાપ્ત થઈ. ચોરીના માલથી યુક્ત વાણિયો પ્રાપ્ત થયો. લોકની આગળથી જ ગ્રહણ કરાયોગરાજાના માણસો દ્વારા પકડાયો. શ્લોક : ततश्च क्षणमात्रेण, लुप्तास्ते रत्नराशयः । બદ્ધોડીવાર , રાનવેન મદેશ્વર: નારા શ્લોકાર્ય : ત્યારપછી ક્ષણમાત્રથી તે રત્નરાશિઓ લુપ્ત કરાઈ. મોટેથી બૂમો પાડતો આ મહેશ્વર રાજાના માણસો વડે બંધાયો. [૧] શ્લોક : इतस्ततो भयोभ्रान्ता, वणिक्पुत्राः सकिङ्कराः । सर्वेऽपि बान्धवैः सार्धं, नष्टास्ते पार्श्ववर्तिनः ।।२।। શ્લોકાર્ચ - કિંકરો સહિત સર્વ પણ પાસે રહેલા બાંધવો સાથે વાણિયાના પુત્રો ભયથી ઉત્ક્રાંત અહીંતહીં ભાગી ગયા. III બ્લોક : ततो विलुप्तसर्वस्वः, स्वजनैः परिवर्जितः । आबद्धो लोप्नकः कण्ठे, महारासभारोपितः ।।३।। भूत्या विलिप्तसर्वाङ्गस्तस्कराकारधारकः । स राज्ञोऽपथ्यकारीति, निन्द्यमानः पृथग्जनैः ।।४।। महाकलकलध्वानसंपूरितदिगन्तरैः । નીવમાનો નૃપેનો, પુણે વૃત્તતાને પાણી विद्राणवदनो दीनः, सर्वाशानाशविह्वलः । तस्मिन्नेव क्षणे दृष्टः, स ताभ्यामिभ्यवाणिजः ।।६।। શ્લોકાર્ચ : ત્યારપછી લુંટાયેલા સર્વસ્વવાળો સ્વજનોથી પરિવર્જિતત્રત્યાગ કરાયેલો, કંઠમાં ચોરીનો માલ બંધાયેલો, મોટા ગધેડા ઉપર આરોપણ કરાયેલો, ભૂતિથી વિલિત સર્વ અંગવાળો, ચોરના આકારનો ધારક, તે રાજાના અપથ્યને કરનારો છે એ પ્રમાણે સામાન્ય લોકોથી નિંદા કરાતો, રાજાથી કહેવાયેલા તાડન કરતા પુરુષો વડે મોટા કલકલ અવાજથી સંપૂરિત દિશાઓથી લઈ Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ જવાતો, ખિન્ન વદનવાળો, દીન સર્વ આશાના નાશથી વિહ્વલ થયેલો તે જ ક્ષણમાં તે બંને દ્વારા=પ્રકર્ષ અને વિમર્શ બંને દ્વારા, તે વાણિયો જોવાયો. II3થી ૬।। શ્લોક ઃ ५४ શ્લોકાર્થ : પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! શું આ અદ્ભુત જોવાયું ? શું આ ઇન્દ્રજાલ છે ? શું આ સ્વપ્ન છે ? શું આ મારો મતિવિભ્રમ છે ? ।।૭।। શ્લોક ઃ प्रकर्षेणोदितं माम! किमिदं दृष्टमद्भुतम् ? । किमिन्द्रजालं किं स्वप्नः, किं वा मे मतिविभ्रमः ? ।।७।। શ્લોક ઃ શ્લોકાર્થ : જે કારણથી આની તે લીલા ક્ષણમાત્રથી નથી, તે ધન નથી, તે લોકો નથી, તે તેજ નથી, તે ગર્વ નથી અને તે પૌરુષપણું નથી. IIT धनिचेष्टा यदस्य क्षणमात्रेण, न सा लीला न तद्धनम् । न ते लोका न तत्तेजो, न गर्वो न च पौरुषम् ।।८।। -: विमर्शेनोदितं वत्स ! सत्यमेतन्न विभ्रमः । अत एव न कुर्वन्ति, धनगर्वं महाधियः ।। ९ ।। શ્રીમંતોની ચેષ્ટા શ્લોકાર્થ વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! આ સત્ય છે. વિભ્રમ નથી. આથી જ મહાબુદ્ધિમાન પુરુષો – ધનનો ગર્વ કરતા નથી. IIII શ્લોક ઃ धनं हि घर्मसंतप्तविहङ्गगलचञ्चलम् । ग्रीष्मोष्माक्रान्तशार्दूलजिह्वातरलमीरितम् ।।१०।। इन्द्रजालमिवानेकदर्शिताद्भुतविभ्रमम् । ક્ષાતૃવિનષ્ટ ૨, નીરવુન્નુવન્નિમમ્।।।। યુમમ્।। Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - કિજે કારણથી, ધન ગરમીથી સંતપ્ત થયેલા પક્ષીના ગળા જેવું ચંચલ, છે. ગ્રીખની ઉષ્માથી આક્રાંત શાર્દૂલની કૂતરાની, જિલ્લાના જેવું તરલ કહેવાયું છે. ઈન્દ્રજાલની જેવું અનેક દર્શિત અભુત વિભ્રમવાળું છે. ક્ષણદષ્ટ વિનષ્ટ છે અને પાણીના બબુ જેવું છે. ll૧૦-૧૧ શ્લોક : अस्य वाणिजकस्येदं, तात! दुर्नयदोषतः । नष्टं महापदस्थानं, यातं च विविधं धनम् ।।१२।। શ્લોકાર્ચ - હે તાત પ્રકર્ષ ! દુર્નયના દોષથી આ વાણિયાનું આ મહાઆપદનું સ્થાન થયું અને આવેલું વિવિધ ધન નષ્ટ થયું. ll૧TI. શ્લોક : इहान्येषां पुनर्भद्र! दोषसंश्लेषवर्जिनाम् । अपि नश्येदिदं रिक्थं, भवेच्च भयकारणम् ।।१३।। શ્લોકાર્ચ - વળી હે ભદ્ર! પ્રકર્ષ! અહીં સંસારમાં દોષસંશ્લેષ વર્જિત અન્યોને પણ આ વાણિયાની જેમ દુનતિ વગરના અન્યોનું પણ, આ રિકથ નાશ પામે=આ ધન નાશ પામે, અને ભયનું કારણ થાય. ll૧૩ll શ્લોક : तथाहियेऽपि फूत्कृत्य फूत्कृत्य, पादं मुञ्चन्ति भूतले । तेषामपि क्षणार्धन, नश्यतीदं न संशयः ।।१४।। શ્લોકાર્ધ : તે આ પ્રમાણે – જેઓ પણ જોઈ-જોઈને ભૂતલમાં પગને મૂકે છેઃવિચારી વિચારીને ધનઅર્જન કરે છે, તેઓનું પણ ક્ષણાર્ધથી આ નાશ પામે છે, સંશય નથી. ll૧૪ll શ્લોક : प्राप्नुवन्ति च दुःखानि, धनिनो धनदोषतः । जलज्वलनलुण्टाकराजदायादतस्करैः ।।१५।। Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉ૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ अन्यच्चेदं धनं वत्स! मेघजालमिवाऽतुलम् । हतं प्रचण्डवातेन, यदा याति कथञ्चन ।।१६।। શ્લોકાર્થ : ધનિક પણ ધનના દોષથી જલ, અગ્નિ, લુંટારા, રાજાના માંગનારા તસ્કરો વડે દુઃખોને પ્રાપ્ત કરે છે. અને બીજું હે વત્સ પ્રકર્ષ ! જેમ અતુલ મેઘજાલ પ્રચંડ પવનથી હણાય છે, તેમ આ ધન હણાય છે. જ્યારે કોઈક રીતે જાય છે ત્યારે શું તે કહે છે. ll૧૫-૧૬ तदा नालोकयति रूपं, न विगणयति परिचयं, न निरूपयति कुलीनतां, नानुवर्तयति कुलक्रम, नाकलयति शीलं, नापेक्षते पाण्डित्यं, नालोचयति सौन्दर्य, नावरुध्यते धर्मपरतां, नाद्रियते दानव्यसनितां, न विचारयति विशेषज्ञतां, न लक्षयति सदाचारपरायणतां, न परिपालयति चिरस्नेहभावं, नोररीकरोति सत्त्वसारतां न प्रमाणयति शरीरलक्षणम् । ત્યારે રૂપને જોતો નથી. પરિચયને ગણતો નથી. કુલીનતાનો વિચાર કરતો નથી. કુલક્રમનું અનુવર્તન કરતો નથી. શીલનો વિચાર કરતો નથી. પાંડિત્યની અપેક્ષા રાખતો નથી. સૌંદર્યની આલોચતા કરતો નથી. ધર્મપરતાનો અવરોધ કરતો નથી. દાતવ્યસનિતાનો આદર કરતો નથી. વિશેષજ્ઞતાનો વિચાર કરતો નથી. સદાચારપરાયણતાને લક્ષમાં લેતો નથી. ચિરસ્નેહભાવનું પરિપાલન કરતો નથી. સર્વસારને સ્વીકારતો નથી. શરીરના લક્ષણનું પ્રમાણ કરતો નથી. બ્લોક : વિન્તર્દિ?गन्धर्वनगराकारे, पश्यतामेव देहिनाम् । तद्धनं क्षणमात्रेण, क्वापि न ज्ञायते गतम् ।।१।। શ્લોકાર્ધ : તો શું?=જ્યારે કોઈક રીતે ધન જાય છે ત્યારે રૂપાદિને જોતું નથી તો શું? તેથી કહે છે – દેહીઓને જોતાં જ ગંધર્વ નગરના આકારમાં તે ધન ક્ષણમાત્રથી ક્યાં પણ ગયેલું જણાતું નથી. III શ્લોક : अर्जितं बहुभिः क्लेशैः, जीवितेन पालितं यथा । नष्टं च यादृङ् नृत्यत्सु, नटेष्वपि न वीक्षितम् ।।२।। तथाप्यमी महामोहनिहताः क्षुद्रजन्तवः । ईदृशेऽपि धने भद्र! चिन्ताबद्धं वितन्वते ।।३।। Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : જે પ્રમાણે ઘણા ક્લેશોથી અર્જિત કરાયેલું, જીવિતથી પાલન કરાયેલું વળી નૃત્ય કરનારા નટોમાં પણ નષ્ટ પામ્યું. તે ધન જોવાયું નહીં તોપણ મહામોહથી નિહત આ ક્ષુદ્ર જીવો આવા પ્રકારના ધનમાં=અત્યંત અસ્થિર એવા ધનમાં, હે ભદ્ર ! પ્રકર્ષ ! ચિંતાના આબદ્ધને=વિચારણાના આ બંધનને વિસ્તારે છે. II૨-3II શ્લોક ઃ अलीकधनगर्वेण, विह्वलीभूतमानसाः । વિદ્યારજોટી: વૃત્તિ, યથેવેશ મહેશ્વરઃ ।।૪।। શ્લોકાર્થ : જુઠ્ઠા ધનગર્વથી વિહ્વલીભૂત માનસવાળા વિકારની કોટીને=પ્રકારને કરે છે, જે પ્રમાણે જ આ મહેશ્વરે વિકારકોટીને કર્યું. II૪॥ શ્લોક ઃ તવીવૃશો ઘનસ્વેદ, પર્યન્તસ્તાત! ખનિ। પરલો પુનઘેરા, ધનાદુ:વપરમ્પરા |||| ५७ શ્લોકાર્થ : તે કારણથી હે તાત પ્રકર્ષ ! ઘનનો આવા પ્રકારનો પર્યંત=અંત, આ જન્મમાં છે. પરલોકમાં વળી ધનથી ઘોર દુઃખની પરંપરા છે. પા શ્લોક ઃ प्रकर्षेणोदितं माम! येन स्यान्निश्चलं धनम् । तथा शुद्धविपाकं च स्यात् कल्याणनिबन्धनम् ।।६।। तत्तादृशं जगत्यत्र, किमस्ति बत कारणम् । किं वा न संभवत्येव तदिदं मे निवेदय ।।७।। શ્લોકાર્થ ઃ પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! જેનાથી નિશ્ચલ ધન થાય=નાશ ન પામે તેવું ધન થાય, અને શુદ્ધ વિપાકવાળું થાય=સુખની પ્રાપ્તિનું કારણ થાય, કલ્યાણનું નિબંઘન થાય તેવા પ્રકારનું તે કારણ=ધનકારણ, આ જગતમાં શું છે ? અથવા સંભવતું જ નથી. તે આ=આવું શુદ્ધ ધન છે કે નહીં તે આ, મને નિવેદન કરો. II૬-૭|| Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : विमर्शेनोदितं तात! संभवत्येव तादृशम् । कारणं विरलानां भोः, केवलं तेन मीलकः ।।८।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું – હે તાત ! પ્રકર્ષ! તેવા પ્રકારનું કારણ સંભવે જ છે. કેવલ થોડા જીવો તેના મીલક છે–તેવા ધનને એકઠું કરનાર છે. ll૮ll શ્લોક : करोति वर्धनस्थैर्ये, अजातं जनयेद्धनम् । अत्यन्तदुर्लभं भद्र! पुण्यं पुण्यानुबन्धि यत् ।।९।। શ્લોકાર્ચ - હે ભદ્ર પ્રકર્ષ ! વર્ધન અને ધૈર્યને કરે છે, અત્યંત દુર્લભ, નહીં થયેલા ધનને ઉત્પન્ન કરે છે જે પુણ્યાનુબંધી પુણ્ય છે. ll ll શ્લોક : दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ।।१०।। શ્લોકાર્ચ - અને જે જીવોમાં દયા, વૈરાગ્ય વિષયોમાં વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુનું પૂજન ગુણવાનના ગુણોનું મરણ થાય અને તેના પ્રત્યે ભક્તિનો અતિશય થાય તે પ્રકારની ઉચિત વિધિપૂર્વક ગુરુનું પૂજન, વિશુદ્ધ શીલવૃત્તિ આ પુણ્યાનુબંધી પુણ્ય છે. ll૧૦|| શ્લોક : અથવાपरोपतापविरतिः, परानुग्रह एव च । स्वचित्तदमनं चैव, पुण्यं पुण्यानुबन्ध्यदः ।।११।। શ્લોકાર્થ : અથવા પરોપતાપથી વિરતિ, પરનો અનુગ્રહ જ, પોતાના ચિત્તનું દમન જ=વિષયોમાં પ્રવર્તનરૂપ દમન જ, એ પુણ્યાનુબંધી પુણ્ય છે. ll૧૧] Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : एतच्चान्यभवे धन्यैर्यरुपात्तमिहापि वा । स्थिरमेव धनं तेषां, सुमेरोः शिखरं यथा ।।१२।। શ્લોકાર્ચ - અને આ=પુણ્યાનુબંધી પુણ્ય, ધન્ય જીવો વડે અન્ય ભવમાં કપાત છે ઉપાર્જન કરાયું છે અથવા અહીં પણ=આ ભવમાં પણ ઉપાર્જન કરાયું છે, તેઓનું સ્થિર જ ધન છે જે પ્રમાણે સુમેરુનું શિખર. ll૧ાા શ્લોક : अन्यच्च ते महात्मानस्तत्पुण्यपरिढौकितम् । बाह्यं तुच्छं मलप्रायं, विज्ञाय क्षणगत्वरम् ।।१३।। योजयन्ति शुभे स्थाने, स्वयं च परिभुञ्जते । न च तत्र धने मूर्छामाचरन्ति महाधियः ।।१४।। युग्मम्।। શ્લોકાર્ચ - અને બીજું તે મહાત્માઓ પુણ્યથી પરિઢોકિતકપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલું, તે બાહ્ય ધન તુચ્છ મલપ્રાયઃ, ક્ષણગત્વર જાણીને શુભસ્થાનમાં યોજે છે. અને સ્વયં ભોગવે છે અને મહાબુદ્ધિવાળા તેઓ તે ધનમાં મૂર્છાને આચરતા નથી. II૧૩-૧૪TI. બ્લોક : ततश्च तद्धनं तेषां, सत्पुण्याऽवाप्तजन्मनाम् । इत्थं विशुद्धबुद्धीनां, जायते शुभकारणम् ।।१५।। निन्द्ये बाह्ये महानर्थकारणे मूर्छिता धने । शून्यास्ते दानभोगाभ्यां, ये पुनः क्षुद्रजन्तवः ।।१६।। શ્લોકાર્ચ - અને તેથી સત્પષ્યથી પ્રાપ્ત થયેલા જન્મવાળા આ પ્રકારના વિશુદ્ધ બુદ્ધિવાળા=પૂર્વમાં કહ્યું કે ઘનમાં મૂચ્છ રાખતા નથી પરંતુ શુભસ્થાનમાં વાપરે છે એ પ્રકારની વિશુદ્ધ બુદ્ધિવાળા, તેઓનું=મહાત્માઓનું, તે ધન શુભનું કારણ થાય છે. જે વળી ક્ષદ્ર જીવો છે તેઓ નિંધ, બાહ્ય મહા અનર્થના કારણ એવા ધનમાં મૂચ્છિત દાન-ભોગથી શૂન્ય છે. ||૧૫-૧૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ इहैव चित्तसन्तापं, घोरानर्थपरम्पराम् । યન્ને નમત્તે પાવિષ્ઠાસ્તત્ર જિ ભદ્ર! જોતુમ્? ।।૭।। શ્લોકાર્થ : અહીં જ=મનુષ્યભવમાં જ, તે પાપિષ્ઠો ચિત્તના સંતાપને, ઘોર અનર્થની પરંપરાને જે પ્રાપ્ત કરે છે તેમાં હે ભદ્ર ! શું કૌતુક છે ? ।।૧૭|| શ્લોક ઃ तदत्र परमार्थोऽयं, मूर्च्छाव धने सति । न कार्यो दानभोगौ तु कर्त्तव्यौ तत्त्ववेदिना । । १८ ।। તુ, यस्तु नैवं करोत्युच्चैः, स वराको निरर्थकम् । અમૂલ્ય: વર્મર:, વનું પરિતામ્યતિ ।।।। स्नेहदुर्नयगन्धोऽपि वर्जनीयश्च जानता । अन्यथा जायते कष्टं, यथाऽस्य वणिजो महत् 112011 શ્લોકાર્થ : તે કારણથી અહીં=ધનના વિષયમાં, આ પરમાર્થ છે. ધન હોતે છતે મૂર્છા અને ગર્વ કરવો જોઈએ નહીં. વળી, તત્ત્વના જાણનાર પુરુષે દાનભોગ કરવા જોઈએ. જે વળી આ પ્રમાણે અત્યંત કરતો નથી તે વરાક મૂલ્ય વગરનો કર્મકર=ધનનો સેવક, કેવલ જાણતા એવા પુરુષ વડે પરિતાપને પામે છે. નિરર્થક સ્નેહરૂપ દુર્નયની ગંધ પણ વર્જનીય છે, અન્યથા કષ્ટ થાય છે. જે પ્રમાણે આ વણિકને મહાન કષ્ટ થયું. I|૧૮-૨૦|| ભાવાર્થ: વિમર્શ અને પ્રકર્ષ ભવચક્રના નિરીક્ષણ માટે તત્પર થયેલા છે તે વખતે તેઓએ લોલાક્ષ રાજાને વસંત મહોત્સવ કરવા અર્થે ઉદ્યાનમાં પ્રવેશેલો જોયો. ત્યાં વસંતઋતુમાં મદ્યપાનથી આનંદ લેવા માટે તેઓ એકઠા થયેલા. તે વખતે કામદેવને વસંતઋતુમાં મહામોહે રાજ્ય આપેલું તેથી મનુષ્યલોકમાં જીવોને કામવૃત્તિ જાગૃત થાય છે. કામવૃત્તિરૂપ જે અંતરંગ શત્રુ પૂર્વે ચિત્તવૃત્તિમાં હતા તે વસંતઋતુના નિમિત્તને પામી કામવૃત્તિરૂપે પ્રગટ થયા અને કામવૃત્તિના ઉત્તેજનથી મદ્યપાનનો પરિણામ થયો. અને તેના ઉત્તેજનથી રિપુકંપને પોતાની પત્નીને નાચવાનું કહ્યું. ત્યારે મદ્યપાનમાં આસક્ત થયેલ લોલાક્ષ રાજાને પોતાના ભાઈની પત્નીના નૃત્યને જોઈને અત્યંત કામવૃત્તિ જાગૃત થાય છે અને કામને પરવશ થયેલો જીવ કાર્યઅકાર્યનો વિચાર કર્યા વગર પોતાના ભાઈની પત્નીને જઈને વળગે છે. વિહ્વળ થયેલી રતિલલિતા કોઈક Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ રીતે તેના બંધનમાંથી છૂટીને ગભરાઈને છુપાય છે, ત્યારપછી ભયભીત થયેલી પોતાના પતિને લોલાક્ષ રાજાનું કથન કરે છે જેનાથી તેઓ વચ્ચે યુદ્ધ થાય છે, આ સર્વ પ્રસંગમાં કામને પરવશ થયેલ અને તેના નિમિત્તે ઉત્પન્ન થયેલ દ્વેષની પરિણતિથી તે બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું અને અંતે લોલાક્ષ રાજાનું મૃત્યુ થયું. આ રીતે અંતરંગ શત્રુઓ સંસારમાં જીવને કઈ રીતે ક્લેશ કરાવે છે ઇત્યાદિ વિમર્શ અને પ્રકર્ષ ભવચક્રમાં સાક્ષાત્ અનુભવરૂપે જુએ છે. વળી, ભવચક્રમાં પદાર્થને જોવાને અર્થી એવા તેઓ રાજમહેલમાં પ્રવેશે છે જ્યાં રિપુકંપનને રાજ્યાભિષેક થયેલ જોયો અને તેના ભવનમાં મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. જે મિથ્યાભિમાન પૂર્વમાં રાજસચિત્ત નગરમાં જોયેલો : જે અંતરંગ ચિત્તમાં વર્તતા રાગના પરિણામ સાથે અવ્યક્તરૂપે દેખાતો હતો તે મિથ્યાભિમાન ચિત્તવૃત્તિમાં વિદ્યમાન હોવા છતાં નિમિત્તને પામીને બહાર આવે છે; જેથી રિપુકંપનને પોતાના પુત્રના જન્મના સમાચારથી મિથ્યાભિમાન થાય છે અર્થાત્ મને પુત્ર થયો એ પ્રકારનું મિથ્યાભિમાન થાય છે. વસ્તુતઃ આત્મામાં જે જે ભાવો થાય છે તે તે ભાવો જીવને પ્રાપ્ત છે. તેથી કષાયોના ક્લેશો કે કષાયોના ઉપશમનન્ય ભાવો આત્માને પ્રાપ્ત છે પરંતુ બાહ્ય પુત્રાદિ પદાર્થો પરમાર્થથી આત્માને પ્રાપ્ત થતા નથી. આથી વિવેકી જીવો પરમાર્થને જોનારા હોવાથી પુત્રાદિના જન્મમાં હર્ષ થાય છે ત્યારે પણ વિચારે છે કે મારા આત્મામાં આ જાતના રાગાદિ ભાવો ઉત્પન્ન થયા છે જે ક્લેશરૂપ છે છતાં કષાયને વશ તેવા તેવા ક્લેશો મને થાય છે. પરમાર્થથી તો પુત્રની પ્રાપ્તિથી મને કંઈ પ્રાપ્તિ નથી, કેવલ મમત્વરૂપ ક્લેશની જ પ્રાપ્તિ થઈ છે. જ્યારે અવિવેકી જીવોને પુત્રની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ કે અન્ય કોઈ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં મિથ્યાભિમાન થાય છે કે આ સર્વથી હું સમૃદ્ધ થયો. આથી જ મિથ્યાભિમાનને વશ તેઓ પુત્રજન્મનો ઉત્સવ કરે છે. જો કે સમ્યગ્દષ્ટિ જીવોને પુત્ર પ્રત્યે સ્નેહ હોય ત્યારે હર્ષ થાય છે, પુત્રજન્મોત્સવ કરે છે તોપણ પરમાર્થને જોનારા હોવાથી વિચારે છે કે હું શું કરું કે જેથી આ પુત્રનું હિત થાય અને તત્ત્વને પામીને હિત સાધે, છતાં પુત્ર પ્રત્યેના રાગને વશ હર્ષની અભિવ્યક્તિરૂપ મહોત્સવ કરે છે તોપણ વિવેક હોવાને કારણે તેઓને મિથ્યાભિમાન થતું નથી. વળી, રિપુકંપનને પુત્રજન્મના મહોત્સવનો હર્ષ વર્તે છે ત્યારે અચાનક જ પુત્રની રોગિષ્ઠ અવસ્થાના સમાચાર મળે છે. જે સાંભળીને તે અત્યંત વિહ્વળ થાય છે. તેના ઔષધ માટે ઉચિત યત્ન કરે છે. વળી, પુત્રનું મૃત્યુ થાય છે ત્યારે રિપુકંપનને મતિમોહ થાય છે અર્થાત્ મારું સર્વસ્વ નાશ પામ્યું એ પ્રકારનો મતિમોહ થાય છે; જે અંતરંગ ચિત્તવૃત્તિમાં રહેલા દ્રષના પરિણામ સાથે સંબંધિત જીવનો મોહનો પરિણામ છે. પૂર્વે જે મિથ્યાભિમાન થયું કે મને પુત્ર થયો તે રાગ સાથે સંબંધિત જીવનો મિથ્યાભિમાનનો પરિણામ હતો. અને પુત્રના મૃત્યુથી મારું સર્વસ્વ નાશ પામ્યું એ પ્રકારનો મતિમોહનો પરિણામ થયો. જેનાથી મતિમોહ સાથે અતિ સંબંધિત એવો શોકનો પરિણામ આવિર્ભાવ પામે છે અને અતિ શોકને કારણે રિપુકંપનનું મૃત્યુ થાય છે, જેથી તે રાજમંદિરમાં વર્તતા સર્વ પરિવારમાં મતિમોહ અને શોકનું એકછત્ર સામ્રાજ્ય પ્રવર્તે. જેઓ સમ્યજ્ઞાનથી પવિત્ર મતિવાળા છે તેઓને પણ મારો પુત્ર મરી ગયો એ પ્રકારના Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સમાચાર માત્ર સાંભળવાથી પણ કંઈક અસર થાય છે તે મતિમોહરૂપ છે તોપણ વિવેકસંપન્ન એવા તે જીવોને તે મતિમોહ અતિબાધક બનતો નથી; કેમ કે તેઓ વિચારે છે કે જગતના સર્વ પદાર્થો ક્ષણભંગુર છે. તેથી ક્વચિત્ પુત્રના રોગને કારણે શોક થાય તોપણ તેવા જીવોને તે શોક અતિબાધક બનતો નથી. અને અત્યંત તત્ત્વને જોનારા જીવોને તો મતિમોહ પણ થતો નથી અને શોક પણ થતો નથી. પરંતુ સંસારની વાસ્તવિક સ્થિતિનું પ્રત્યક્ષદર્શન થવાથી અત્યંત વૈરાગ્ય થાય છે. આ પ્રકારની તે રાજમંદિરની અત્યંત શોકવાળી સ્થિતિ જોઈને વિમર્શ અને પ્રકર્ષ વિચારે છે કે આવી લોકોની દયાજનક સ્થિતિને જોવાથી ચિત્ત કઠોર બને છે માટે દયાળુ જીવોએ તે સ્થાનમાં રહેવું જોઈએ નહીં. તેથી એ ફલિત થાય કે સંસારી જીવોની દુઃખી અવસ્થા જોઈને તેઓનું તે દુઃખ નિવારણ કરી શકે તો તે દયાળુ જીવો તેના દુઃખના નિવારણ માટે યત્ન કરે છે. જ્યાં તેઓના દુઃખનું નિવારણ કરવું શક્ય નથી, ત્યાં વિવેકી જીવો તેઓની દુઃખી અવસ્થાને જોઈ શકતા નથી. તેથી પોતાનું દયાળુ હૃદય ઘવાય નહીં તે માટે તે સ્થાનથી અન્યત્ર જાય છે. આથી જ દુષ્ટ લોકોને ફાંસી આદિની સજા થતી હોય તેવા સ્થાને દયાળુ હૃદયવાળા જીવો તે કૃત્યને જોવા માટે બેસતા નથી. તેમ વિચક્ષણ પુરુષનો બુદ્ધિનો વિમર્શ અને પ્રકર્ષ ભવચક્રમાં તે સ્થાનનો ત્યાગ કરીને અન્યત્ર ભવચક્રનું સ્વરૂપ જોવા જાય છે. જ્યાં અતિ ધનાઢ્ય એવો મહેશ્વર વિપુલ ધનસામગ્રી યુક્ત તેઓને દેખાય છે અને તેના દેહમાં ધનગર્વ નામનો મિથ્યાભિમાનનો અનુચર જે જીવનો અંતરંગ શત્રુ છે, જે પૂર્વમાં ચિત્તવૃત્તિમાં હતો તે જ નિમિત્ત પામીને ભવચક્ર નગરમાં મહેશ્વર શ્રેષ્ઠીના દેહમાં પ્રવેશ કરે છે અને ધનગર્વથી અત્યંત ફુલાતો તે મહેશ્વર મામા-ભાણેજ વડે જોવાયો. થોડીવારમાં કોઈક ચોરીનો માલ વેચવા માટે રાજાનો માણસ આવ્યો ત્યારે તે મહેશ્વરના શરીરમાં રાગકેસરીનો પુત્ર લોભ પ્રવેશે છે અને તેના વશથી ભુજંગ પાસેથી તેણે મુગટ ગ્રહણ કર્યો અને હર્ષિત થાય છે, તેથી તે જ વખતે તેનું પુણ્ય સમાપ્ત થાય છે તેથી રાજાના માણસો તેને પકડીને ફાંસીની સજા અર્થે વિડંબનાપુર્વક લઈ જાય છે તેથી તેનો ધનગર્વ ગળી જાય છે અને લોકોથી નિંદાતો અને લોકમાં વિડંબના પામતો અત્યંત દયાજનક સ્થિતિમાં તે મહેશ્વર મામા-ભાણેજ દ્વારા જોવાયો. તેથી વિમર્શ કહે છે – કર્મોની આ પ્રકારની સ્થિતિ છે તેથી બુદ્ધિમાન પુરુષો ધનગર્વ કરતા નથી. વળી, લોભને વશ અનીતિપૂર્વક ચોરીનો માલ ગ્રહણ કરવાને કારણે તે મહેશ્વરનું તત્કાલ પાપ જાગૃત થવાથી સર્વ પુણ્ય નાશ પામ્યું. માટે વિવેકીએ અનીતિપૂર્વક ધન કમાવા યત્ન કરવો જોઈએ નહીં. વળી નીતિપૂર્વક કોઈ ધન કમાતું હોય, અત્યંત ફૂંકી ફૂંકીને પગ મૂકતો હોય જેથી ધન કોઈ રીતે નાશ ન પામે તે રીતે જ ધનઅર્જન કરતો હોય, છતાં પાપનો ઉદય આવે છે ત્યારે ક્ષણમાં તે ધન નાશ પામે છે. તે વખતે તે ધનનો નાશ જીવને અત્યંત દુઃખી દુઃખી કરે છે. માટે વિવેકીએ ધનનું સુખ ઇન્દ્રજાળ જેવું છે, બાહ્ય સુખો ઇન્દ્રજાળ જેવાં છે, તેમ અત્યંત ભાવન કરીને તે સુખોના ઉપાયરૂપે ધનમાં ગાઢ પ્રીતિ કરવી જોઈએ નહીં. જેથી કદાચ ધન ક્ષણમાં નાશ પામે તોપણ પદાર્થનો તેવો જ સ્વભાવ છે તેમ વિચારીને ક્લેશથી આત્માનું રક્ષણ કરવું જોઈએ. વળી, ધનઅર્જનમાં અનેક ક્લેશો હોય છે. વર્તમાનમાં તેનો નાશ થાય ત્યારે અનેક દુઃખો મળે છે અને તેનાથી ક્લેશ પામેલું ચિત્ત પરલોકમાં પણ અનેક દુ:ખોની પરંપરા પ્રાપ્ત કરે છે. માટે વિવેકીએ તેવા ક્ષણસ્થાયી Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૭૩ ધન પ્રત્યે ચિત્તનો સ્નેહ કરવો જોઈએ નહીં. પરંતુ જે ધન પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ છે, જેનો નાશ કોઈ કરી શકતું નથી. પરલોકમાં પણ સાથે આવે છે અને આલોકમાં પણ સુખ-શાંતિ આપે છે તેવા ધનઅર્જન માટે યત્ન કરવો જોઈએ. અને તેવા ધનઅર્જનના શું ઉપાયો છે ? તે બતાવે છે - = સંસારનાં વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરીએ તો આ સંસારની સર્વ પ્રવૃત્તિ ઇન્દ્રજાલ જેવી છે. ક્ષણમાં દેખાય છે અને ક્ષણમાં જાય છે. આથી બાહ્ય પદાર્થો પ્રત્યે ચિત્તને વિરક્ત કરીને આત્માની કષાયોથી અનાકુળ અવસ્થામાં જ સદા જીવે યત્ન કરવો જોઈએ અને તેનો ઉપાય વિધિપૂર્વક ગુણવાન પુરુષોની ભક્તિ છે; કેમ કે ગુણવાન પુરુષો તુચ્છ બાહ્ય ભોગો પ્રત્યે વિરક્ત થઈને આત્માની ગુણસંપત્તિને સાધવા માટે યત્નવાળા છે અને તેઓની ભક્તિ અને તેઓ પ્રત્યે વધતું જતું બહુમાન ગુણો પ્રત્યેના રાગવાળું હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. વળી, વિશુદ્ધ શીલવૃત્તિ અર્થાત્ ન્યાય, નીતિ, સદાચારપૂર્વક સ્વભૂમિકાનુસાર જીવન જીવવું જોઈએ. જેથી નિરર્થક ક્લેશો ન થાય તે પણ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. વળી, હાસ્યથી, ૨મૂજથી કે કોઈક પણ નિમિત્તે બીજાને પીડા થાય તેવી મનથી, વચનથી, કાયાથી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. સાક્ષાત્ વચનથી કે કાયાથી કોઈને પીડા ન કરાઈ હોય તોપણ મનથી પણ કોઈની અનુચિત પ્રવૃત્તિ જોઈને તેને ઉપતાપ કરે તેવું કહેવાનું મન થાય કે તેવો કોઈ સૂક્ષ્મ ભાવ થાય તો પાપબંધનું કારણ છે અને તેની વિરતિ પુણ્યબંધનું કારણ છે અને બીજા જીવોનું કઈ રીતે હિત થાય તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કાયાથી કે વચનથી શક્ય ન હોય ત્યારે મનથી પણ તે પ્રકારના બીજાના અનુગ્રહના ભાવોથી મનને ભાવિત કરવામાં આવે તો પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. વળી પોતાનું ચિત્ત દમન કરવામાં આવે અર્થાત્ વિદ્યમાન વિકારો ક્ષીણ થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરવામાં આવે તેનાથી પુણ્ય બંધાય છે. સંક્ષેપથી સાર બતાવતાં કહે છે, તથાપ્રકારના પુણ્યથી ધન પ્રાપ્ત થયું હોય તોપણ ધનમાં મૂર્છા અને હું ધનવાન છું એ પ્રકારે ગર્વ કરવો જોઈએ નહીં અને શક્તિ અનુસાર ઉચિત દાન અને કૃપણતાપરિહારપૂર્વક ઉચિત ભોગ કરવા જોઈએ. જેઓ માત્ર ધનસંચય કરે છે તેઓ પરમાર્થથી મૂલ્ય વગરના ધનના કિંકર છે. કેવલ ધન-સંચયનો પરિતાપ કરે છે. વળી, ધન પ્રત્યે સ્નેહ અને અનુચિત રીતે ધનપ્રાપ્તિ કરવા રૂપ દુર્નયની ગંધ પણ વિવેકીએ અત્યંત વર્જન કરવી જોઈએ, અન્યથા જેમ આ મહેશ્વર વાણિયાને કષ્ટ પ્રાપ્ત થયું તેમ કષ્ટ પ્રાપ્ત થાય છે. શ્લોક = यावत्स कथयत्येवं, बुद्धिसूनोः स्वमातुलः । अन्यस्तावत्समापन्नो, वृत्तान्तस्तं निबोधत ।। २१ । । શ્લોકાર્થ : આ પ્રમાણે જ્યાં સુધી તે બુદ્ધિનો પુત્ર પ્રકર્ષ પોતાના મામાને કહે છે ત્યાં સુધી અન્ય વૃત્તાંત પ્રાપ્ત થયો તેને તમે સાંભળો. I૨૧।। Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ दृष्टस्ताभ्यां युवा कश्चिदवतीर्णो वणिक् पथे । પુર્વતો મલિન: ક્ષામો, ખરષ્મીવરધારઃ ।।૨૨।। શ્લોકાર્થ : તેઓ બંને દ્વારા=વિમર્શ અને પ્રકર્ષ દ્વારા, પથમાં અવતીર્ણ, દુર્બલ, મલિન શરીરવાળો, થાકેલો, જીર્ણવસ્ત્રને ધારણ કરનાર એવો કોઈક વણિક યુવાન જોવાયો. II૨૨।। શ્લોક ઃ आपणे ग्रन्थिमुन्मोच्य, रूपकैस्तेन मोदकाः । स्रजः पर्णानि गन्धाश्च क्रीतं वस्त्रयुगं तथा ।।२३।। શ્લોકાર્થ ઃ તેના વડે=વણિક વડે, બજારમાં વસ્ત્રની ગ્રંથિને ખોલીને રૂપિયાઓથી મોદકો, માળાઓ, પર્ણો, ગંધો અને વસ્ત્રયુગલ ખરીદ કરાયું. II૨૩II શ્લોક ઃ गत्वा च निकटे वाप्यां भक्षितं तेन भोजनम् । सन्मानितं सताम्बूलं, स्नातः संपूरितोदरः ।। २४ । શ્લોકાર્થ : અને નિકટમાં વાવડી પાસે જઈને તેના વડે ભોજન કરાયું, સુંદર તાંબૂલ સન્માન કરાયું, પુરાયેલા ઉદરવાળા એવા તેણે સ્નાન કર્યું. ।૨૪।। શ્લોક ઃ बद्धश्चामोटकः पुष्पैः, सद्गन्धैर्वासितं वपुः । તતઃ પરિસ્તેિ વસ્ત્ર, પ્રસ્થિતો રાનલીલા IIII શ્લોકાર્થ : આમોટક=કેશ, પુષ્પો વડે બાંધ્યો. સાંધોથી શરીરને વાસિત કર્યું. ત્યારપછી વસ્ત્રનું પરિધાન કર્યો છતે રાજલીલાથી પ્રસ્થિત થયો. ।।૨૫।। શ્લોક ઃ निरीक्षतेऽभिमानेन निजदेहं पुनः पुनः । સમારયતિ ચામોટ, ધમાપ્રાય મોન્તે ।।રદ્દા Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : અભિમાનથી ફરી ફરી પોતાના દેહને જુએ છે. આમોટને=કેશને સમારે છે. ગંધને સૂંઘીને ખુશ થાય છે. ll૨૬l શ્લોક : प्रकर्षेणोदितं माम! क एष तरुणः? तथा । વશ્વ પ્રસ્થિતઃ ? વિમર્થ વા, વિરેિિત મળ્ય? Iારકા શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું - હે મામા ! કોણ આ તરુણ છે અને ક્યાં પ્રસ્થિત છે ? કયા પ્રયોજનથી વિકારો વડે હણાય છે ? ||ર૭ી. શ્લોક : विमर्शेनोदितं वत्स! महतीयं कथानिका । लेशोद्देशेन ते किञ्चित, कथ्यते तन्निबोध मे ।।२८ ।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! પ્રકર્ષ ! આ મોટી કથાનિકા છે, લેશ ઉદ્દેશથી તને કંઈક કહેવાય છે. મારી તે કથાને તું સાંભળ. ll૨૮. रमणस्य वेश्यासंगः શ્લોક : समुद्रदत्तस्य सुतो, वास्तव्योऽत्रैव पत्तने । अयं हि रमणो नाम, तरुणो भोगतत्परः ।।२९।। રમણનો વેશ્યાસંગ શ્લોકાર્ધ :આ જ નગરમાં વસનાર, ભોગમાં તત્પર, તરુણ, રમણ નામનો આ સમુદ્રદત્તનો પુત્ર છે. ર૯ll શ્લોક : बालकालात्समारभ्य, गणिकाव्यसने रतः । अयं च रमणो भद्र! न चेतयति किञ्चन ।।३०।। Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : બાલ્યકાલથી માંડીને ગણિકાના વ્યસનમાં રત છે. અને તે ભદ્ર આ રમણ કંઈ વિચારતો નથી. Il3oll શ્લોક : गृहं समुद्रदत्तस्य, रत्नसम्भारपूरितम् । યાસીમિઃ પૂર્વ, વિક્ષિપ્તધનવાનીમ્ રૂા. तदनेन दिनैः स्तोकैर्गणिकारतबुद्धिना । अनाशककुटेस्तुल्यं, विहितं पापकर्मणा ।।३२।। શ્લોકાર્ય : પૂર્વે સમુદ્રદતનું ઘર વૈભવો વડે તિરસ્કૃત કર્યું છે કુબેરના મંદિરને જેણે એવું રત્નના સમૂહથી ભરેલું હતું. ગણિકામાં રત બુદ્ધિવાળા, પાપકર્મોવાળા એવા આના વડેકરમણ વડે, તેeગૃહ, થોડા દિવસોથી અનાશકની કુટી તુલ્ય કરાયું દરિદ્રતાનું મંદિર કરાયું. ll૩૧-૩રા શ્લોક : अधुना निर्धनो दीनः, परकर्मकरो लघुः । નાતોડયમી: પાપો, સુવાર્તા નિર્મUT Iારૂરૂા. શ્લોકાર્ચ - હવે નિર્ધન, દીન, પરકર્મ કરનાર લઘુ આ આવા પ્રકારનો પાપી નિજકર્મથી દુઃખાપ્ત થયો. ll33II શ્લોક : परकर्मकरत्वेन, कतिचिद्रूपकानयम् । માતઃ સમાસા, દદ્દે વ્યસનનાટિતઃ Tરૂજા શ્લોકાર્ય : બીજાનું કામ કરવાપણાથી કેટલાક રૂપિયાઓ પ્રાપ્ત કરીને વ્યસનથી નયાવાયેલો આરમણ, આજે બજારમાં આવ્યો છે. ll૧૪ll બ્લોક : ततः परं पुनर्वत्स! यदनेन विचेष्टितम् । તદષ્ટમેવ નિઃશેષ, ત્વયા વિંજ તત્ર થ્થતા? તારૂપી Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ વળી હે વત્સ પ્રકર્ષ ! ત્યારપછી જે આના વડે નિઃશેષ કરાયું તે તારા વડે જોવાયું છે ત્યાં શું કહેવાય ? ||૩૫|| શ્લોક ઃ = अस्ति चात्र पुरे ख्याता, गणिका मदनमञ्जरी । तस्याश्च कुन्दकलिका, दुहिता यौवनोद्भटा ।। ३६ ।। શ્લોકાર્થ : અને આ નગરમાં મદનમંજરી ગણિકા પ્રસિદ્ધ છે અને તેની કુંદકલિકા નામની પુત્રી યૌવન ઉદ્ભટ છે=અત્યંત યૌવનવાળી છે. II39|| શ્લોક ઃ तस्यामासक्तचित्तेन, नाशितो धनसञ्चयः । અનેન ધનદીનશ્ય, નેહાત્રિ:સારિતસ્તા રૂ।। ૭૭ શ્લોકાર્થ : તેણીમાં=કુંદકલિકામાં, આસક્ત ચિત્તવાળા એવા આના વડે=વણિક વડે, ધનનો સંચય નાશ કરાયો, અને તેણી વડે ધનહીનવાળો ઘરથી કાઢી મુકાયો. I|39|| શ્લોક ઃ ततोऽद्य रूपकानेष, कियतोऽप्यतिनिष्ठया । संप्राप्य प्रस्थितस्तस्याः, सदने रतकाम्यया ।। ३८ ।। શ્લોકાર્થ : તેથી અતિનિષ્ઠાથી આજે કેટલાક પણ રૂપિયાઓને પ્રાપ્ત કરીને આ=રમણ, તેના સદનમાં= વેશ્યાના ઘરમાં, રમવાની કામનાથી પ્રસ્થિત છે. ।।૩૮।। શ્લોક ઃ अत्रान्तरे सतूणीरमाकृष्टशरदारुणम् । નર સાનુચર વીક્ષ્ણ, પ્રર્ષ: પ્રારૢ માતુલમ્ ।।રૂo।। શ્લોકાર્થ : એટલામાં કાન સુધી ખેંચાયેલા બાણથી દારુણ એવા સાનુચર નરને જોઈને=રમણની પાછળ અનુસરનારા પુરુષને જોઈને, પ્રકર્ષ મામાને કહે છે. II૩૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭. શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ જ્ઞા માન માન! પશ્ય દ્વં, શરેા રમાં નરઃ । कश्चिदेष निहन्त्युच्चैस्तदेनं ननु वारय ।।४०।। શ્લોકાર્થ : હે મામા ! મામા ! તમે જુઓ. કોઈક આ મનુષ્ય બાણથી રમણને અત્યંત હણે છે. તે કારણથી આને=બાણ મારનારને, ખરેખર વારણ કરો. ।।૪૦।। શ્લોક ઃ विमर्शेनोदितं वत्स ! स एष मकरध्वजः । चर्यया निर्गतो रात्रौ भयेन सह लीलया । । ४१ ।। वर्तते को ममाज्ञायाम् ? को वा नेत्यत्र पत्तने । परीक्षार्थं जनोल्लापवेषकर्तव्यचेतसाम् ।।४२।। युग्मम्।। શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! તે આ મકરધ્વજ છે. આ નગરમાં=મનુષ્યલોકમાં, કોણ મારી આજ્ઞામાં વર્તે છે ? અથવા કોણ વર્તતો નથી ? એ પ્રકારના જનના ઉલ્લાપ, વેષ, કર્તવ્યચિત્તવાળાઓની પરીક્ષા માટે ભય સહિત લીલાવાળી ચર્ચાથી નીકળેલો છે=વિમર્શ કહે છે રાત્રિના સમયે આ રમણ પાછળ તીર મારવા માટે તત્પર થયેલ જે આ પુરુષ દેખાય છે તે આ અંતરંગ જીવના પરિણામરૂપ મકરધ્વજ છે અને મહામોહે વસંતઋતુમાં તેને મનુષ્યનગરીનું સામ્રાજ્ય આપેલું છે. તેથી અહીંનો રાજા છે અને પોતાની આજ્ઞામાં કોણ વર્તે છે, કોણ નથી વર્તતા તેનો નિર્ણય કરવા માટે ભયસહિત અર્થાત્ સાત્વિક પુરુષોથી મકરધ્વજ હંમેશાં ભય પામે છે અને નિઃસત્ત્વ જીવોને બાણથી હણે છે તેથી ભયસહિત, લીલાવાળી ચર્યાથી રાત્રીમાં ફરે છે. II૪૧-૪૨।। શ્લોક ઃ शरमाकृष्य वीर्येण, तदेष रमणो ननु । અનેનેવ મૃદું તસ્યા, વરાજો વત્સ! નીયતે ।।૪રૂશા શ્લોકાર્થ : તે આ બિચારો રમણ વીર્યથી તીરને ખેંચીને આના વડે જ=કામદેવ વડે જ, ખરેખર હે વત્સ ! તેના ઘરે જ=વેશ્યાના ઘરે જ, લઈ જવાય છે. ||૪૩]I શ્લોક ઃ तत्किं ते वारणेनास्य, यदनेन पुरस्कृतः । રમળોડનુભવદ્વેષ, તત્રિમાનવ જોતુમ્ ।।૪૪।। Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે કારણથી તારે આના વારણથી શું ?=કામના વારણથી શું? જે કારણથી આના દ્વારા=કામ દ્વારા, આગળ કરાયેલો આ રમણ જે અનુભવે છે તે કૌતુકને તું જો. ll૪૪ll શ્લોક : एवं भवतु तेनोक्ते, तौ गतौ गणिकागृहे । ___ दृष्टा च कुन्दकलिका, गृहद्वारेऽतिचर्चिता ।।४५।। શ્લોકાર્થ : આ પ્રમાણે થાઓ, એમ તેના વડે પ્રકર્ષ વડે, કહેવાય છતે તે બંને મામા અને ભાણેજ બંને, ગણિકાના ગૃહમાં ગયા. અને ગૃહદ્વારમાં અતિ ચર્ચિત=અતિ સુશોભિત, કુંદકલિકા જોવાઈ. પી બ્લોક : तदभ्यणे विमर्शेन, कुञ्चिता निजनासिका । निष्ठ्यूतं धूनितं शीर्ष, वालिताऽन्यत्र कन्धरा ।।४६।। શ્લોકાર્ચ - તેના અભ્યર્ણમાં કુંદકલિકાના અભ્યર્થમાં, વિમર્શ વડે પોતાની નાસિકા કુંચિત કરાઈ=પોતાની નાસિકા દુર્ગાના વારણ અર્થે બંધ કરાઈ. થુંકાયું. માથુ ધૂનન કરાયું. અન્ય દિશામાં કંધરા-ડોક, વાળી. II૪૬ શ્લોક : ततो हाहेति जल्पन्तमुद्विग्नं तं स्वमातुलम् । प्रकर्षः प्राह ते माम! किं व्यलीकस्य कारणम्? ।।४७।। શ્લોકાર્ચ - ત્યારપછી હા હા એ પ્રમાણે બોલતા ઉદ્વિગ્ન એવા તે પોતાના મામાને પ્રકર્ષ કહે છે. હે મામા ! Oલીકનું કારણ શું છે?=મોટું બગાડવાનું કારણ શું છે? I૪૭ી શ્લોક : स प्राह वसनच्छन्नां, पुष्पालङ्कारभारिताम् । किमेनां निकटे त्वं नो, वीक्षसेऽशुचिकोष्ठिकाम्? ।।४८।। બ્લોકાર્ય : તે કહે છે – વસ્ત્રથી છન્ન, પુષ્પ અલંકારને ધારણ કરનારી, અશુચિની કોઠી એવી આ વેશ્યાને તું કેમ નિકટમાં જોતો નથી ? Il૪૮ Page #89 -------------------------------------------------------------------------- ________________ હo ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदस्या दूरतः स्थित्वा, देशे गन्धविवर्जिते । वृत्तान्तो योऽत्र जायेत, पश्यावस्तं निराकुलौ ।।४९।। શ્લોકાર્થ : તે કારણથી આનાથી= વેશ્યાથી, દૂરના ગંધ વિવર્જિત દેશમાં રહીને જે અહીં વૃત્તાંત થાય છે તેને નિરાકુલ એવા આપણે બે જોઈએ. ll૪૯ll શ્લોક - निश्छिद्रा च भवेत् काचिदशुचेरपि कोष्ठिका । इयं तु नवभिारैः, क्षरत्येवातिमुत्कला ।।५०।। શ્લોકાર્થ : કેટલીક અશુચિની પણ કોઠી નિચ્છિદ્રવાળી હોય. વળી આ વેશ્યારૂપી કોષ્ઠિકા, નવ દ્વાર વડે અતિ મુત્કલ=અતિ ખુલ્લી, ઝરે જ છે. II૫oll શ્લોક : तदहं क्षणमप्येकं, नात्र भोः स्थातुमुत्सहे । तुभ्यं शपे शिरोऽनेन, गन्धेन मम दुष्यति ।।५१।। શ્લોકાર્ચ - તે કારણથી હું એક ક્ષણ પણ અહીં વેશ્યાના ઘરમાં, રહેવા માટે ઉત્સાહવાળો નથી. તને હું કહું છું. આ ગંધથી મારું માથું દૂષિત થાય છે. પ૧/l શ્લોક : प्रकर्षेणोदितं माम! सत्यमेतन संशयः । ममापि नासिका व्याप्ता, गन्धेनोत्पादिताऽरतिः ।।५२।। શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું - હે મામા ! આ સત્ય છે, સંશય નથી. ગંધથી વ્યાપ્ત મારી પણ નાસિકા અરતિને ઉત્પાદન કરનાર છે. Ifપરા तत्तूर्णमपसरावः । ततोऽपसृतौ विमर्शप्रकर्षों, स्थितौ सविलोके दूरदेशे । अत्रान्तरे संप्राप्तो रमणः, तदनु चाकृष्टबाणः समागत एव भयसहितो मकरध्वजः । दृष्टा रमणेन कुन्दकलिका, ततः प्रत्युज्जीवित इव, सुधासेकसिक्त इव, संप्राप्तरत्ननिधान इव, महाराज्येऽभिषिक्त इव गतः परमहर्ष Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ रमणः । अत्रान्तरे निर्गता निजगृहान्मदनमञ्जरी, दृष्टस्तयाऽसौ, लक्षिता च सकिञ्चनता । ततः संज्ञिता कुन्दकलिका, निरीक्षितः कुन्दकलिकया रमणः, संजातः प्रहष्टतरः । अत्रान्तरे विज्ञायावसरमाकर्णान्तमापूर्य विमुक्तो मकरध्वजेन शिलीमुखः, ताडितस्तेन रमणः, गृहीताऽनेन कण्ठे कुन्दकलिका, प्रविष्टोऽभ्यन्तरे, निकटीभूता मदनमञ्जरी, समर्पितं रूपकादि सर्वस्वं, गृहीतमनया, कृतोऽसौ यथाजातः । ततोऽभिहितं मदनमञ्जर्या-वत्स! सुन्दरमनुष्ठितं भवता यदिहागतोऽसि, समुत्सुका त्वयि वत्सा कुन्दकलिका, किं तु भीमनृपतेः सुतश्चण्डो नाम राजपुत्रः साम्प्रतमिहाजिगमिषुर्वर्तते, तदत्रावलीनो भवतु वत्सः । एतच्चाकर्णयतो रमणस्य कृतो भयेन शरीरेऽनुप्रवेशः । તે કારણથી શીઘ આપણે બે દૂર જઈએ. તેથી વિમર્શ-પ્રકર્ષ દૂર થયા. સવિલોકવાળા એવા દૂર દેશમાં રહ્યા. જ્યાંથી તે વેશ્યાનું સર્વ કાર્ય દેખાય એવા દૂરના સ્થાનમાં રહ્યા. એટલામાં રમણ સંપ્રાપ્ત થયો. તેના પાછળ ખેંચાયેલા બાણવાળો ભયસહિત મકરધ્વજ આવ્યો. રમણ વડે કુંદકલિકા જોવાઈ. તેથી રમણ પ્રત્યજીવિતની જેમ, સુધાના સિંચનની જેમ, સંપ્રાપ્ત રત્નના નિધાનની જેમ, મહારાજ્યમાં અભિષેક કરાયેલાની જેમ, પરમહર્ષને પામ્યો. એટલામાં પોતાના ગૃહથી મદનમંજરી બહાર આવી. તેણી વડે આકરમણ, જોવાયો. અને સકિંચનતા જોવાઈ. તેથી કુંદકલિકાને સંજ્ઞા કરાઈ. કુંદકલિકા વડે રમણ જોવાયો. અત્યંત હર્ષિત થયો. એટલામાં અવસરને જાણીને કાન સુધી ખેંચીને મકરધ્વજ વડે બાણ મુકાયું. તેના વડે=કામ વડે, રમણ તાડન કરાયો. આવા વડે=રમણ વડે, કંઠમાં કુંદકલિકા ગ્રહણ કરાઈ. અંદરમાં પ્રવેશ કર્યો. મદનમંજરી પાસે આવી. રૂપકાદિ સર્વસ્વ સમર્પણ કરાયું. આના વડે=મદનમંજરી વડે, ગ્રહણ કરાયું. આકરમણ, યથાકાત કરાયો=ધન સર્વસ્વ લઈ લેવાયું. તેથી મદનમંજરી વડે કહેવાયું. હે વત્સ ! રમણ, તારા વડે સુંદર કરાયું. જે કારણથી અહીં આવ્યો છે. તારામાં વત્સ કુંદકલિકા સમુત્સુક છે-રાગવાળી છે. પરંતુ ભીમરાજાનો પુત્ર ચંડ નામનો રાજપુત્ર હમણાં અહીં આવવાની ઈચ્છાવાળો વર્તે છે. તે કારણથી હે વત્સ, તું અહીં છુપાયેલો રહે. આ સાંભળતા રમણના શરીરમાં ભય વડે પ્રવેશ કરાયો. वेश्यागमनविपाकः अत्रान्तरे समागतो द्वारि चण्डः, समुल्लसितो बहुलकलकलः, विजृम्भितो भयः, प्रकम्पितो रमणः, प्रविष्टश्चण्डः, दृष्टोऽनेन रमणः, गृहीतः क्रोधेन चण्डः, समाकृष्टाऽसिपुत्रिका, समाहूतो रणाय रमणः । ततो गतेन दैन्यं, प्राप्तेन नैर्लज्ज्यं, नीतेन क्लीबता, भयेनाभिभूतेन तेन रमणेनागत्य कृतं चण्डस्याङ्गुलीगृहीतदन्तेनाष्टाङ्गपादपतनं, त्रायस्व देव! त्रायस्वेति भाषितानि करुणवचनानि, संपन्ना चण्डस्य दया, न मारितोऽसौ केवलं रोषोत्कर्षात् छिन्नोऽनेन रमणस्यामोटकः, त्रोटिता नासिका विलुप्तौ कर्णो विदलिता दशनपङ्क्तिः लूषितमधरोष्ठं, विकर्तितौ कपोलो उत्पाटितमेकं Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ लोचनं दत्तो मुखे वामपादपार्णिप्रहारः निःसारितो भवनात्, हसितं सहस्ततालं मदनमञ्जरीकुन्दकलिकाभ्यां, प्रत्यायितश्चण्डोऽपि पेशलवचनैः कृतो हृतहदयः । रमणस्तु निर्गच्छनितरां जर्जरितः प्रहारै राजलोकेन प्राप्तो नारकसमं दुःखं वियुक्तः प्राणैः कृच्छ्रेण । ततः प्रकर्षणोक्तं- अहो मकरध्वजसामर्थ्यमहो भयविलसितं, अहो कुट्टनीप्रपञ्चचातुर्य, अहो सर्वथा करुणास्थानं सोपहासप्रेक्षणकप्रायं चेदं रमणचरितमिति । વેશ્યાગમનનો વિપાક એટલામાં ચંડ દ્વારમાં આવ્યો. બહુ કલકલ સમુલ્લસિત થયો. ભય વિસ્મિત થયો. રમણ કાંપવા લાગ્યો. ચંડે પ્રવેશ કર્યો. આના દ્વારા=ચંડ દ્વારા, રમણ જોવાયો. ક્રોધથી ચંડ ગ્રહણ કરાયો. તલવાર ખેંચાઈ. લડવા માટે રમણ બોલાવાયો. તેથી દેવ્યને પામેલ, નિર્લજ્જાપણાને પ્રાપ્ત થયેલ, નપુંસકતાને પામેલ, ભયથી અભિભૂત એવા તે રમણ વડે અંગુલીથી ગૃહીત દંત વડે ચંડને અષ્ટાંગ પાદપતન કરાયું. હે દેવ ચંડ ! રક્ષણ કરો, રક્ષણ કરો. એ પ્રમાણે કરુણાવચન બોલાયાં, ચંડને દયા આવી. આ રમણ મારી ન નંખાયો. કેવલ રોષના ઉત્કર્ષથી આવા વડે–ચંડ વડે, રમણનો આમોટ ચોટલો, છેદાયો. નાસિકા કાપી નંખાઈ. બે કાનો કપાયા. દાંતની પંક્તિ તોડી નંખાઈ. ઉપરનો ઓષ્ઠ કાપી નંખાયો. બે કપોલ કાપી નંખાયા. એક લોચન કાઢી નંખાયું. મુખ ઉપર ડાબા પગની પાનીથી પ્રહાર અપાયો. ભવનથી બહાર કઢાયો. સહસ્તતાપૂર્વક મદનમંજરી અને કુંદલિકા દ્વારા હસાયો. પેશલ વચનો વડે વિશ્વાસ પામેલો ચંડ પણ હત હદયવાળો કરાયો. વળી બહાર જતો રમણ રાજલોક વડે અત્યંત પ્રહારોથી જર્જરિત કરાયો. તારક જેવા દુઃખને પામ્યો. મુશ્કેલીથી પ્રાણોથી મુકાયો. ત્યારપછી પ્રકર્ષ વડે કહેવાયું. અહો ! મકરધ્વજનું સામર્થ્ય અર્થાત્ મકરધ્વજે આ રીતે રમણની વિડંબના કરી તે તેનું સામર્થ્ય. અહો ભયનું વિલસિત=ચંડ પ્રવેશ્યો ત્યારે રમણમાં પ્રવેશ કરાયેલા ભયનું અત્યંત વિલસિત. અહો, વેશ્યાના પ્રપંચનું ચાતુર્ય. અહો સવથ કરુણાનું સ્થાન, ઉપહાસ સહિત પ્રેક્ષણક પ્રાય=જોવાલાયક, આ રમણનું ચરિત્ર. શ્લોક : विमर्शेनोक्तंवत्स गणिकाव्यसने रक्ता, भवन्त्यन्येऽपि मानवाः । તેષામેવંવિધાળેવ ચરિતન = સંશય: આશા શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું – હે વત્સ પ્રકર્ષ! ગણિકાના વ્યસનમાં રક્ત અન્ય પણ માનવો હોય છે. તેઓના આવા પ્રકારનાં જ ચરિત્રો છે, સંશય નથી. IIII Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : वस्त्रभूषणताम्बूलगन्धमाल्यविलेपनैः । हृताक्षास्ते न पश्यन्ति, सहजाऽशुचिरूपताम् ।।२।। શ્લોકાર્ચ - વસ્ત્ર, ભૂષણ, તાંબૂલ, ગંધ, માલ્યના વિલેપનોથી હરાયેલી ચક્ષુવાળા તેઓ સહજ અશુચિરૂપતાને જોતા નથી=સ્ત્રીના દેહમાં વર્તતી સહજ અશુચિરૂપતાને જોતા નથી. III શ્લોક : संचरिष्णुमहाविष्ठाकोष्ठिकाभिर्विमूढकाः । वाञ्छन्तस्ताभिराश्लेषं, कुर्वन्त्येव धनक्षयम् ।।३।। શ્લોકાર્ય : સંચાર કરવાના સ્વભાવવાળી, મહાવિષ્ઠાની કોષ્ઠિકાવાળી એવી સ્ત્રીઓથી વિમૂઢ થયેલા તેઓની સાથે તે સ્ત્રીઓ સાથે, આશ્લેષને ઈચ્છતા ધનના ક્ષયને કરે જ છે. III શ્લોક : ततो भिक्षाचरप्राया, भवन्ति कुलदूषणाः । न च मूढा विरज्यन्ते, तामवस्थां गता अपि ।।४।। શ્લોકાર્થ : તેથી ભિક્ષાચરપ્રાયઃ કુલના દૂષણોવાળા થાય છે અને મૂઢ તે અવસ્થાને પામેલા પણ ભિક્ષાચર અવસ્થાને પામેલા પણ, વિરાગ પામતા નથી. Ill શ્લોક : ततस्ते प्राप्नुवन्त्येव, वेश्याव्यसननाटिताः । एवंविधानि दुःखानि, वत्स! किं चात्र कौतुकम्? ।।५।। શ્લોકાર્ચ - તેથી વેશ્યાના વ્યસનથી નાટિત થયેલા તેઓ આવા પ્રકારનાં દુઃખોને પ્રાપ્ત કરે જ છે રમણે જેવા પ્રકારનાં દુઃખો પ્રાપ્ત કર્યા એવા પ્રકારનાં દુઃખો પ્રાપ્ત કરે જ છે. હે વત્સ પ્રકર્ષ ! આમાં વેશ્યાને પરવશ થયેલા જીવોને આવાં દુઃખો થાય છે એમાં, આશ્ચર્ય શું છે ? આપા બ્લોક : चलचित्ताः प्रकृत्यैव, कुलजा अपि योषितः । વિદુત્વેન વેશ્યાનાં, તાત! વ: પ્રજ્ઞાવર ? વાદ્દા Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - કુલમાં ઉત્પન્ન થનારી એવી પણ સ્ત્રીઓ પ્રકૃતિથી જ ચલચિત્તવાળી છે. હે તાત પ્રકર્ષ ! વેશ્યાઓના ચટુલપણાથી પ્રશ્નનો વિષય શું છે ? llll. શ્લોક : कुलीना अपि भो! नार्यः, सर्वमायाकरण्डिकाः । को मायां जीर्णवेश्यानां, वत्स! पृच्छेत् सकर्णकः? ।।७।। શ્લોકાર્થ : કુલીન પણ નારીઓ સર્વમાયાની કરંડિકા છે. હે વત્સ ! જીર્ણ વેશ્યાઓની માયાને સકર્ણકર બુદ્ધિમાન કોણ પૂછે? Ill શ્લોક : शेषाभिरपि नारीभिः, स्नेहे दत्तो जलाञ्जलिः । यस्याऽऽस्था गणिकास्नेहे, स मूर्खपट्टबन्धकः ।।८।। શ્લોકાર્થ : શેષ પણ નારીઓ વડે સ્નેહમાં જલાંજલિ અપાયેલ છે. ગણિકાના સ્નેહમાં જેને આસ્થા છે તે મૂર્ખ પટ્ટબંધક છે=આંખ ઉપર પાટા બાંધનાર છે. દા. શ્લોક : अन्यस्मै दत्तसंकेता, वीक्षतेऽन्यं गृहे परः । अन्यश्चित्ते परः पार्श्वे, गणिकानामहो नरः ।।९।। શ્લોકાર્ય : અન્યને અપાયેલા સંકેતવાળી, અન્યને જુએ છે=ચિત્તથી અન્યને જુએ છે, ઘરમાં બીજો છે, ચિત્તમાં અન્ય છે. અહો ગણિકાની બાજુમાં બીજો નર છે. III શ્લોક : कुर्वन्ति चाटुकर्माणि, यावत्स्वार्थः प्रपूर्यते । च्युतसारं विमुञ्चन्ति, निर्लाक्षलक्तकं यथा ।।१०।। पुरापघसरप्राया, गणिकाः परिकीर्तिताः । ये तास्वपि च गृध्यन्ति, ते श्वानो न मनुष्यकाः ।।११।। Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - જ્યાં સુધી સ્વાર્થ પુરાય છે, ત્યાં સુધી ચાટુ કર્મોને કરે છે. જે પ્રમાણે નિર્માક્ષ લક્તકને મૂકે છે તે પ્રમાણે શ્રુતસાર મનુષ્યને મૂકે છેતે પ્રમાણે વેશ્યાઓ ધન રહિત પુરુષને મૂકે છે. પુરની અપઘસરમાય ગણિકાઓ કહેવાય છે=ગામની ગંદકી જેવી ગણિકાઓ કહેવાય છે. જે જીવો તેઓમાં પણ વૃદ્ધિ કરે છે તે કૂતરા છે, મનુષ્યો નથી. II૧૦-૧૧ શ્લોક : तस्मादेवंविधं नूनमन्येषामपि देहिनाम् । चरितं यैः कृतं पापैर्गणिकाव्यसने मनः ।।१२।। શ્લોકાર્ચ - તે કારણથી અન્ય પણ દેહીઓનું ખરેખર આવા પ્રકારનું ચરિત્ર છે જે પાપીઓ વડે ગણિકાના વ્યસનમાં મન કરાયું છે. ll૧૨ા ભાવાર્થ : વિમર્શ અને પ્રકર્ષ ધનના ગર્વ વિષયકની વિચારણા કરી રહ્યા છે ત્યાં સુધીમાં બીજો વૃત્તાંત બને છે. રમણ નામનો શ્રેષ્ઠીપુત્ર ક્ષીણ થયેલા શરીરવાળો, મલિન ગાત્રવાળો ત્યાં આવે છે. કોઈક સ્થાને સ્નાન કરે છે, સુંદર ભોજન કરે છે અને શરીરને સુંદર વસ્ત્રો પહેરીને શણગારે છે અને વેશ્યાના ઘર તરફ જવા તત્પર થાય છે. ભવચક્રને જોવા માટે તત્પર થયેલા વિમર્શ અને પ્રકર્ષ તેને જોઈને વિચારે છે કે આ પુરુષ આ પ્રમાણે કેમ કરે છે ? ત્યારે વિચક્ષણ પુરુષની વિમર્શશક્તિ ભવચક્રના યથાર્થ સ્વરૂપને જોનારી હોવાથી તે રમણ કોણ છે ? પૂર્વમાં વેશ્યાને પરવશ થઈને પિતાનો ઘણો વૈભવ હતો તે કઈ રીતે તેણે વિનાશ કર્યો અને દરિદ્ર અવસ્થાને પામ્યો. છતાં તે કુંદકલિકા નામની વેશ્યા પ્રત્યે રાગવાળો છે. તેથી ઘણી મહેનતથી કંઈક ધન મળે છે તે લઈને વેશ્યાના ઘરે જાય છે, તે વખતે તેના ચિત્તમાં વર્તતો કામવિકારરૂપ મકરધ્વજ તેને તીર મારવા માટે તેની પાછળ જાય છે તેથી કામના બાણના ભયથી તે રમણ વેશ્યાને ઘરે પહોંચે છે. અને જ્યારે વેશ્યાને જુએ છે અને વેશ્યા તેની પાસે ધન જોઈને રાગ બતાવે છે ત્યારે કામનું તીર તેના હૈયામાં પ્રવેશેલું હોવાથી પરવશ થઈને વેશ્યાને આશ્લેષ કરવા જાય છે અને મુશ્કેલીથી પ્રાપ્ત થયેલું સર્વ ધન તેને સમર્પિત કરે છે. કામાંધ થયેલા જીવો કષ્ટથી પ્રાપ્ત થયેલા ધનને પણ વ્યય કરીને કઈ રીતે સર્વ અનર્થો પ્રાપ્ત કરે છે અને કામને વશ થયેલો તે વેશ્યાને કંઠમાં વળગે છે, ત્યારે વેશ્યાની માતા આવીને તેનું સર્વ ધન લઈ લે છે. ત્યારપછી વેશ્યાની માતા મદનમંજરી કહે છે તું આવ્યો છે બહુ સુંદર થયું. કુંદકલિકા પણ તને ઇચ્છે છે. પરંતુ રાજપુત્ર ચંડ આવવાની તૈયારીમાં છે માટે તું ક્યાંક છુપાઈ જા. ભવિતવ્યતાને યોગે ચંડ આવે છે. અને ક્રોધથી તે રમણનો જે રીતે વિનાશ કરે છે તે સર્વ વેશ્યાને પરવશ થયેલા પરિણામનું જ સાક્ષાત્ ફલ છે. તેથી વિવેકીએ ભવચક્રનું સ્વરૂપ વિચારીને તેવા પ્રકારના પાપના નિવર્તન માટે યત્ન કરવો જોઈએ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વળી વિચક્ષણ પુરુષ તત્ત્વને યથાર્થ જોનારા હોય છે તેથી વેશ્યાને પરવશ થયેલા જીવો કઈ રીતે વેશ્યાના રૂપને જુએ છે ? તે બતાવતાં કહે છે – વેશ્યા સુંદર દેખાવડી સ્ત્રી હોવા છતાં તેના સર્વ અંગોમાંથી સતત અશુચિ ઝરે છે. ફક્ત વસ્ત્ર, ભૂષણ, તાંબૂલ, વિલેપનાદિના બળથી તે શોભાયમાન દેખાય છે. પરંતુ સર્વ પ્રકારની અશુચિની કોઠી જેવી તેના દેહની સ્થિતિને તેઓ જાણતા નથી. તેથી જ ધન ક્ષય કરીને પણ તેવી સ્ત્રીના આશ્લેષને ઇચ્છે છે. વળી વિચક્ષણ પુરુષો કઈ રીતે વેશ્યાના સ્વરૂપને જોનારા છે તે બતાવવા માટે વિમર્શ પ્રકર્ષને કહ્યું કે અહીં અત્યંત દુર્ગધ આવે છે તેમ બતાવીને વેશ્યાનું શરીર કઈ રીતે દેહમાંથી અશુચિને કાઢે છે જેને જોવા માત્રથી પણ તે ગંધથી વ્યાકુળ થયેલો જીવ સ્ત્રી પ્રત્યે રાગ કરે નહીં. અને વિચક્ષણ પુરુષો સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારા હોય છે. તેથી તેઓને સ્ત્રીનું બાહ્ય સ્વરૂપ ચક્ષુ સામે ઉપસ્થિત થતું નથી પરંતુ ગંદકીમય દેહ ઉપસ્થિત થાય છે. જેમ ભોજન કરતી વખતે કોઈ વિષ્ટાનું નામ બોલે તો ચીતરી ચઢે છે તેવી રીતે જેઓએ નિપુણતાથી સ્ત્રીના શરીરનું સ્વરૂપ યથાર્થ ભાવન કર્યું છે તેઓને અલંકારો આદિથી સુશોભિત દેહવાળી પણ સ્ત્રી અંદરમાંથી ઝરતા અશુચિના પદાર્થવાળી દેખાવાથી તેના પ્રત્યે ચીતરી ચઢે છે, જેથી રાગનો ઉદ્ગમ થતો નથી. આથી જ વેદના ઉદયવાળા આદ્ય ભૂમિકાવાળા મહાત્માઓ સ્ત્રીના દેહને તે પ્રકારે પુનઃ પુનઃ ભાવન કરીને તે રીતે સ્થિર કરે છે જે રીતે વિચક્ષણની વિમર્શશક્તિએ સ્ત્રીના સ્વરૂપનું ભાવન કરેલ. જેના કારણે અત્યંત અલંકારોથી શોભતી સુંદર વસ્ત્રવાળી પણ તે વેશ્યા ગંદકીથી યુક્ત જુગુપ્તાનું સ્થાન બની. જેનાથી ઉદયમાન પણ વેદનો ઉદય તે પ્રકારના વિકાર કરવા માટે અસમર્થ બને છે. જેમ અત્યંત કુરૂપ અને અત્યંત મલિનભાવવાળી સ્ત્રીને જોઈને સુરૂપવાળા જીવને પ્રાયઃ વિકાર થતો નથી, તેમ તત્ત્વના ભાવનને કારણે વિચક્ષણ પુરુષને સુંદર દેહવાળી સ્ત્રીઓને જોઈને રાગ થતો નથી. प्रकर्षेणोक्तं-सत्यमेतन्नास्त्यत्र सन्देहः, ततोऽतिवाहितस्ताभ्यां क्वचिद्देवमन्दिरे रात्रिशेषः । પ્રકર્ષ વડે કહેવાયું – આ સત્ય છેઃવિમર્શ વડે કહેવાયું એ સત્ય છે, એમાં સંદેહ નથી. ત્યારપછી તે બંને દ્વારા=પ્રકર્ષ અને વિમર્શ દ્વારા, કોઈક દેવમંદિરમાં રાત્રિશેષ પસાર કરાઈ. શ્લોક : अत्रान्तरे गलत्तारा, क्वथितध्वान्तकेशिका । નમ: શ્રી પાડુરા નાતા, રોપ્રાન્તવ વાસ્તિવ સારા શ્લોકાર્થ : એટલામાં મળેલા તારાવાળી, ઊકળેલા અંધકારરૂપી કેશવાળી, આકાશની શોભા રોગથી વ્યાપ્ત બાલિકા જેવી ઉજ્જવલ થઈ. IIII શ્લોક : आदधानः श्रियं तस्यां, निजवीर्येण भास्करः । कारुण्यादिव संजातः, सप्रभावो भिषग्वरः ।।२।। Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :તેની લક્ષ્મીને=આકાશની લક્ષ્મીને, નિજવીર્યથી ધારણ કરતો સૂર્ય જાણે કરુણાથી થયેલા પ્રભાવવાળા વૈધ જેવો થયો. રા શ્લોક : ततोऽरुणप्रभाभिन्ने, पूर्वे गगनमण्डले । जाते रक्तेऽभ्रसङ्घाते, गतच्छाये निशाकरे ।।३।। तस्करेषु निलीनेषु, लपत्सु कृकवाकुषु । कौशिकेषु च मूकेषु, कुररेषु विराविषु ।।४।। स्वकर्मधर्मव्यापारच्छलेनेव कृतादरम् । सर्वं तदा जगज्जातमारोग्यार्थं नभःश्रियः ।।५।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ય : તેથી અરુણની પ્રભાથી ભિન્ન પૂર્વ દિશાનું ગગનમંડલ રક્ત અભ્રસંઘાતવાળું થયે છતે, કાંતિ રહિત ચંદ્ર થયે છતે, તસ્કરો નિલીન થયે છતે તસ્કરો સ્વસ્થાનમાં અદશ્ય થયે છતે, કૂકડીઓ અવાજ કર્યું છd, ઘુવડો મૂક થયે છતે, ટિટોડી અવાજ કર્યું છd, આકાશની લક્ષ્મીના આરોગ્ય માટે ત્યારે સ્વકર્મધર્મના વ્યાપારના છલથી જાણે કૃત આદરવાળું, સર્વ જગત થયું. ll૩થી પી શ્લોક : अथोदिते सहस्रांशी, प्रबुद्धे कमलाकरे । सङ्गमे चक्रवाकानां, जने धर्मपरायणे ।।६।। विमर्शः प्राह ते वत्स! महदत्र कुतूहलम् । भवचक्रं च विस्तीर्णं, नानावृत्तान्तसङ्कुलम् ।।७।। શ્લોકાર્ચ - હવે સૂર્ય ઉદય પામ્ય છતે કમલાકરકમળો, પ્રબુદ્ધ થયે છતે, ચક્રવાકોનો સંગમ થયે છતે, લોક ધર્મપરાયણ થયે છતે, વિમર્શ કહે છે. હે વત્સ ! પ્રકર્ષ ! અહીં તને મહાન કુતૂહલ છે, ભવચક્ર વિસ્તારવાળું અને નાના વૃત્તાંતથી સંકુલ છે. II૬-૭થી શ્લોક : स्तोककालावधिः शेषो, द्रष्टव्यं बहु तिष्ठति । न शक्यते ततः कर्तुमेकैकस्थानवीक्षणम् ।।८।। Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : થોડા કાલની અવધિ શેષ છે. ઘણું જોવા જેવું રહે છે. તેથી એક સ્થાનમાં જોવાનું કરવા માટે શક્ય નથી. IIટll શ્લોક - तदिदं वचनं तात! मामकीनं समाचर । आकालहीनं ते येन, पूर्यते तत्कुतूहलम् ।।९।। શ્લોકાર્ધ : તે કારણથી હે તાત પ્રકર્ષ! મારું આ વચન આચરણ કર. જેથી તારું કુતૂહલ આકાલહીન પૂર્ણ થશે સંપૂર્ણ પૂર્ણ થશે. II૯ll विवेकपर्वतः શ્લોક : य एष दृश्यते तुङ्गः, शुभ्रः स्फुटिकनिर्मलः । महाप्रभावो विस्तीर्णो, विवेको नाम पर्वतः ।।१०।। વિવેકપર્વત શ્લોકાર્થ : જે આ ઊંચો, શુભ્ર, સ્ફટિક જેવો નિર્મલ, મહા પ્રભાવવાળો, વિસ્તીર્ણ વિવેક નામનો પર્વત દેખાય છે. ||૧૦|| શ્લોક : आरूढदृश्यते भद्र! समस्तमिह पर्वते । इदं विचित्रवृत्तान्तं, भवचक्रं महापुरम् ।।११।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! આ પર્વતમાં આરૂઢ થયેલા લોકો વડે વિચિત્ર વૃત્તાંતવાળું, મહાનગર એવું આ ભવચક્ર સમસ્ત દેખાય છે. ૧૧ શ્લોક : तदत्रारुह्यतां तात! निपुणं च विलोक्यताम् । यच्च न ज्ञायते सम्यक्, पृच्छ्यतामेष तज्जनः ।।१२।। Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે કારણથી=અલ્પકાળમાં ભવચક્ર વિવેક પર્વત ઉપરથી દેખાય તેમ છે તે કારણથી, અહીં=શ્રુતની નિર્મળ બુદ્ધિરૂપ વિવેક પર્વત ઉપર, હે તાત પ્રકર્ષ ! આરોહણ કરો. અને નિપુણપૂર્વક જોવાય, અને જે સમ્યક જણાતું નથી, આ જન=વિમર્શ એવા મને, તે પુછાય. ll૧રા શ્લોક : यतोऽत्राखिलवृत्तान्ते, विदिते नगरे तव । पश्चादपि न जायेत, चित्तौत्सुक्यं कदाचन ।।१३।। શ્લોકાર્ચ - જે કારણથી આ નગરમાં અખિલ વૃત્તાંત તને જણાયે છતે પાછળથી પણ ક્યારેય ચિત્તનું ઓત્સુક્ય થશે નહીં. ll૧૩ શ્લોક : एवं भवतु तेनोक्ते, समारूढौ च पर्वते । अथ तत्र विवेकाख्ये, तुष्टौ स्वस्रीयमातुलौ ।।१४।। શ્લોકાર્ધ : આ રીતે થાઓ એ પ્રમાણે તેના વડે=પ્રકર્ષ વડે, કહેવાય છતે હવે, તે વિવેક નામના પર્વત ઉપર મામા અને ભાણેજ આરૂઢ થયા અને તોષ પામ્યા. II૧૪ll શ્લોક : प्रकर्षः प्राह मामैष, रमणीयो महागिरिः । दृश्यते सर्वतः सर्वं, भवचक्रं मयाऽधुना ।।१५।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – હે મામા ! આ મહાગિરિ રમણીય છે. સર્વ બાજુથી સર્વ ભવચક્ર મારા વડે હમણાં દેખાય છે. II૧પો શ્લોક : किं तु देवकुले माम! नग्नो ध्यानपरायणः । વેદિતઃ પુર્કીન, ક્ષાનો પુત્વનશિક્ષ: Tદ્દા नंष्टुकामो दिगालोकी, सेटिकाशुभ्रहस्तकः । दृश्यते पुरुषः कोऽयं, पिशाचाकारधारकः? ।।१७।। Page #99 -------------------------------------------------------------------------- ________________ CO ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : પરંતુ હે મામા ! દેવકુલમાં નગ્ન, ધ્યાનમાં પરાયણ, પુરુષોથી વીંટળાયેલો, દીન, ક્ષીણ શરીરવાળો, મુકાયેલા કેશવાળો, નાસવાની ઇચ્છાવાળો, દિશાને જોતો, સેટિકાથી શુભ્ર હસ્તકવાળો= જેની પીઠ ઉપર વિડંબના માટે છાપાઓ માર્યા છે એવો, પિશાચાકારવાળો આ પુરુષ કોણ દેખાય છે ? ||૧૬-૧૭]I શ્લોક ઃ द्यूतफलम् विमर्शेनोदितं वत्स ! विख्यातातुलसंपदः । कुबेरसार्थवाहस्य, सूनुरेष कपोतकः ।। १८ ।। જુગારનું ફલ શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! વિખ્યાત અતુલ સંપત્તિવાળો, કુબેર સાર્થવાહનો પુત્ર આ કપોતક છે. II૧૮|| શ્લોક ઃ धनेश्वर इति ख्यातमभिधानं प्रतिष्ठितम् । अस्य पूर्वगुणैः पश्चादाहूतोऽयं कपोतकः । । १९ ।। શ્લોકાર્થ : આના પૂર્વના ગુણોથી ધનેશ્વર એ પ્રમાણે પ્રસિદ્ધ નામવાળો પ્રતિષ્ઠિત છે, પાછળથી આ કપોતક કહેવાયો. ।।૧૯।। શ્લોક ઃ अनर्घ्यरत्नकोटीभिः पूरितं पापकर्मणा । अनेनापि पितुर्गे, श्मशानसदृशं कृतम् ।। २० ।। શ્લોકાર્થ = મહામૂલ્યવાન રત્નકોટિથી પૂરિત પિતાનું ઘર પાપકર્મી એવા આના વડે પણ સ્મશાન જેવું કરાયું. II૨૦II Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : द्यूतेषु रतचित्तोऽयं, न चेतयति किञ्चन । निर्वाहिते धने स्वीये, द्यूतार्थं चौरिकापरः ।।२१।। શ્લોકાર્ચ - જુગારમાં રત ચિત્તવાળો આ કંઈ વિચારતો નથી. પોતાનું ધન નાશ થયે છતે જુગાર માટે ચોરી કરવા તત્પર થયો. ll૧ી. શ્લોક : चौर्यं पुरेऽत्र कुर्वाणो, भूरिवाराः कदर्थितः । राज्ञाऽसौ मान्यपुत्रत्वात्केवलं न विनाशितः ।।२२।। બ્લોકાર્ય : આ નગરમાં ચોરીને કરતો ઘણીવાર રાજા વડે કદર્થના કરાયો. કેવલ માન્ય એવા શ્રેષ્ઠીનું પુત્રપણું હોવાથી આ=કપોતક, મરાયો નહીં. ll૨ચા શ્લોક : अद्य रात्रौ पुनः सर्वं, हारितं कर्पटादिकम् । તતો વ્યસનતિર્તન, મસ્તન : પUT: Jારરૂાા શ્લોકાર્ધ : આજે રાત્રિમાં વળી કર્પટાદિક હરાયું જુગારમાં હરાયું. તેથી વ્યસનતપ્ત એવા તેના વડે મસ્તક વડે પણ કરાઈ=શરત કરાઈ. ll૨all શ્લોક : एभिरेष महाधत्तैर्वराकैः कितवैर्जितः । शिरोऽपि लातुमिच्छद्भिरधुनैवं विनाट्यते ।।२४।। બ્લોકાર્ધ : મહાપૂર્તિકાર વરાક એવા આ જુગારીઓ વડે આ કપોતક, જિતાયો. શિર પણ લેવા માટે ઈચ્છતા એવા તેઓ વડે હમણાં આ પ્રમાણે વિડંબના કરાય છે. ll૧૪ll શ્લોક : नंष्टुमेभ्यो न शक्नोति, स्वपापभरपूरितः । ર્વિતન્તોન્નેટ, વેવલં રિત પારકા Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : સ્વપાપના સમૂહથી પૂરિત એવો કપોતક આમનાથી=જુગારીઓથી, નાથવા માટે સમર્થ નથી. ક્ષદ્ર એવા વિતર્કોના કલ્લોલોથી કેવલ પરિતાપ પામે છે. ગરપII શ્લોક : प्रकर्षः प्राह न ज्ञातं, किमनेन तपस्विना । द्यूतं हि देहिनां लोके, सर्वानर्थविधायकम् ।।२६।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. આ તપસ્વી વડે શું જણાયું નથી. દિ=જે કારણથી, લોકમાં જીવોને ચૂત=જુગાર, સર્વ અનર્થને કરનારું છે ? ll૨૬ શ્લોક : धनक्षयकरं निन्द्यं, कुलशीलविदूषणम् । પ્રસૂતિઃ સર્વપાપાનાં, નો નાથવારા પારકા શ્લોકાર્થ : ધનના ક્ષયને કરનારું, નિંધ, કુલના શીલમાં વિદૂષણ, સર્વ પાપોની પ્રસૂતિ, લોકમાં લાઘવનું કારણ. ll૧૭ના શ્લોક : संक्लिष्टचेतसो मूलमविश्वासकरं परम् । पापैः प्रवर्तितं द्यूतं, किमनेन न लक्षितम्? ।।२८।। બ્લોકાર્ધ : સંક્લિષ્ટ ચિત્તનું મૂલ, કેવલ અવિશ્વાસને કરનારું, પાપીઓ વડે ચૂત પ્રવર્તિત છે. શું આના વડે જણાયું નથી ? કપોતક વડે જણાયું નથી ? ll૨૮ll શ્લોક : विमर्शेनोदितं वत्स! महामोहमहीपतेः । वराकः किं करोत्येष, यो वशः सैन्यवर्तिनः ।।२९।। શ્લોકાર્ચ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! સૈન્યમાં રહેલા મહામોહપતિને વશ જે આ બિચારો શું કરે? Il૨૯ll Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : યત:महामोहहता येऽत्र, विशेषेण नराधमाः । द्यूते त एव वर्तन्ते, प्राप्नुवन्ति च तत्फलम् ।।३०।। શ્લોકાર્થ : જે કારણથી મહામોહથી હણાયેલા અહીં=સંસારમાં, વિશેષથી જે નરાધમો છે તે જ ધૂતમાં વર્તે છે. અને તેના ફલને ધૂતના ફલને, પ્રાપ્ત કરે છે. Il3oll શ્લોક : यावच्च कथयत्येवं, विमर्शः किल चेष्टितम् । તાવસ્ત્રોટિસમેવો, તિસ્તસ્થ મસ્તમ્ રૂા. શ્લોકાર્ધ : જ્યાં સુધી વિમર્શ આ પ્રમાણે ચેષ્ટિતને કહે છે=ધૂતકારના ચેષ્ટિતને કહે છે, ત્યાં સુધી જુગારીઓ વડે તેનું મસ્તક અત્યંત ફોડાયું. [૩૧]. શ્લોક : प्रकर्षः प्राह मामेदं! महाऽनर्थविधायकम् । रमन्ते द्यूतमत्रैव, तेषामेवंविधा गतिः ।।३२।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. હે મામા! અહીં જ=સંસારમાં જ, આ મહાઅનર્થના વિધાયક એવા ધૂતને રમે છે. તેઓની આવા પ્રકારની ગતિ છે. ll૧૨ાા શ્લોક : तं मातुलोऽब्रवीद् भद्र! सम्यक् संलक्षितं त्वया । न द्यूते रक्तचित्तानां, सुखमत्र परत्र वा ।।३३।। શ્લોકાર્ય : મામાએ તેને કહ્યું. હે ભદ્ર પ્રકર્ષ ! તારા વડે સમ્યક જોવાયું. ધૂતમાં રક્તચિત્તવાળાને આ લોકમાં અને પરલોકમાં સુખ નથી. ll૧all Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ मृगयाव्यसनफलम् શ્લોક : अत्रान्तरे महारण्ये, निपपात कथञ्चन । दृष्टिः प्रकर्षसंज्ञस्य, नीलाब्जदललासिनी ।।३४।। શિકારવ્યસનનું ફળ બ્લોકાર્થ : એટલામાં નીલકમળના જેવી ઉલ્લસિત એવી પ્રકર્ષની દષ્ટિ કોઈક રીતે મહાઅરણ્યમાં પડી. ll૧૪ll. શ્લોક : ततश्च तन्मुखं हस्तं, कृत्वा स प्राह मातुलम् । gષ તુરરૂિઢ, સ્વિત્ર શ્રમવાદિતઃ Tરૂ. उद्गीर्णहेतिः पापात्मा, जीवमारणतत्परः । स्वयं दुःखपरीतोऽपि, दुःखदोऽरण्यदेहिनाम् ।।३६ ।। मध्याह्नेऽपि पिपासातॊ बुभुक्षाक्षामकुक्षिकः । जम्बुकं पुरतः कृत्वा, प्रधावनुपलभ्यते ।।३७।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ચ - અને તેથી તેને સન્મુખ હાથ કરીને તે=પ્રકર્ષ, મામાને કહે છે. ઘોડા ઉપર આરૂઢ થયેલો, પરસેવાવાળો, શ્રમથી પીડિત, ઉદ્ગીર્ણ હેતિવાળો તીરકામઠું મારવા માટે તત્પર થયેલો છે એવો, પાપાત્મા, જીવ મારવામાં તત્પર, સ્વયં દુઃખથી પરીત પણ, અરણ્યપ્રાણીઓને દુઃખને દેનારો, મધ્યાહ્નમાં પણ પિપાસાથી આર્ત, ભૂખથી ક્ષીણ થયેલી કુક્ષિવાળો, જબુકને આગળ કરીને=શિયાળને આગળ કરીને, દોડતો દેખાય છે. એ કોણ છે ? ||૩૫થી ૩૭ી. બ્લોક : विमर्शेनोक्तंअत्रैव मानवावासे, विद्यतेऽवान्तरं पुरम् । ललितं नाम तस्यायं, राजा ललननामकः ।।३८।। Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું. આ જ માનવાવાસમાં લલિત નામનું અવાંતર નગર વિધમાન છે. તેનો લલન નામનો આ રાજા છે. II૩૮ાા શ્લોક ઃ मृगयाव्यसने सक्तो, न लक्षयति किञ्चन । अयमत्र महारण्ये, तिष्ठत्येव दिवानिशम् ।। ३९।। શ્લોકાર્થ : શિકારના વ્યસનમાં આસક્ત કાંઈ લક્ષમાં લેતો નથી. આ મહારણ્યમાં આ=લલન, દિવસરાત રહે છે. II૩૯|| શ્લોક ઃ सामन्तैः स्वजनैर्लोकैस्तथा मन्त्रिमहत्तमैः । वार्यमाणोऽपि नैवाऽऽस्ते, मांसखादनलालसः ।।४० ।। ૯૫ શ્લોકાર્થ : સામંતો અને સ્વજન લોકો વડે અને મહત્તમો વડે વારણ કરાતો પણ માંસ ખાવાની લાલસાવાળો બેસતો નથી જ. [૪૦]] શ્લોક ઃ सीदन्ति राज्यकार्याणि, विरक्तं राजमण्डलम् । ततस्तं तादृशं वीक्ष्य, चिन्तितं राज्यचिन्तकैः ।।४१।। શ્લોકાર્થ : રાજ્યનાં કાર્યો સિદાય છે, રાજમંડલ વિરક્ત થયું, તેથી તેને તેવા પ્રકારનો જોઈને રાજ્યના ચિંતકો વડે વિચારાયું. ||૪૧|| શ્લોક ઃ नोचितो राज्यपद्माया, ललनोऽयं दुरात्मकः । ततः पुत्रं व्यवस्थाप्य, राज्ये गेहाद् बहिष्कृतः ।। ४२ ।। શ્લોકાર્થ : રાજ્યરૂપી લક્ષ્મીને આ દુરાત્મા લલન ઉચિત નથી. તેથી રાજ્યમાં પુત્રને સ્થાપન કરીને ઘરથી બહાર કઢાયો. II૪રા Page #105 -------------------------------------------------------------------------- ________________ G9 શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ मांसखादनफलम् तथाप्याखेटके रक्तो, मांसलोलो नराधमः । જાળી દુ:હિતોઽરળ્યે, નિત્યમાત્તે પિશાચવત્ ।।૪।। માંસખાવાનું ફલ શ્લોકાર્થ ઃ તોપણ શિકારમાં રક્ત, માંસમાં લોલુપ નરાધમ, અરણ્યમાં એકાકી દુઃખિત, પિશાચની જેમ નિત્ય રહે છે. I[૪૩]] શ્લોક ઃ इह च वत्स ! - परमारितजीवानां, पिशितं योऽपि खादति । રૂદામુત્ર ૨ ૩:હાનાં, પદ્ધતેઃ સોપિ માનનમ્ ।૫૪૪૫ શ્લોકાર્થ : અને હે વત્સ ! અહીં=આ મનુષ્યલોકમાં, બીજા દ્વારા મારેલા જીવોનું માંસ જે ખાય છે, તે પણ અહીં=આ ભવમાં અને પરલોકમાં દુઃખોની પદ્ધતિનું ભાજન થાય છે. ।।૪૪।। શ્લોક ઃ यस्तु क्रूरो महापापः, स्वयमेव निकृन्तति । स्फुरन्तं जीवसङ्घातं, तस्य मांसं च खादति ।। ४५ ।। તસ્યેહ યવિ દુ:પ્લાનિ, મવત્ત્વવંવિધાનિ મો:! । પત્ર નરવ્હે પાતો, વત્સ! હ્રિ તંત્ર જોતુમ્? ।।૪૬૫ યુમા। શ્લોકાર્થ : જે વળી ક્રૂર, મહાપાપ, સ્વયં જ સ્ફુરણા થતા=સન્મુખ દેખાતા જીવના સમૂહને મારે છે અને તેનું માંસ ખાય છે, તેને=તેવા જીવને, અહીં=આ લોકમાં, જો આવા પ્રકારનાં દુઃખો થાય છે= લલન નામના રાજાને જેવા પ્રકારનાં દુઃખો થાય છે તેવા પ્રકારનાં દુઃખો થાય છે. પરલોકમાં નરકપાત થાય છે. હે વત્સ ! તેમાં કૌતુક શું છે ? ।।૪૫-૪૬।। Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : बीभत्समशुचेः पिण्डो, निन्द्यं रोगनिबन्धनम् । कृमिजालोल्बणं मांसं, भक्षयन्तीह राक्षसाः ।।४७।। શ્લોકાર્ય : બીભત્સ, અશુચિનું પિંડ, નિંધ, રોગનું કારણ, કૃમિજાલથી ઉલ્બણ-કૃમિનાં જાળાંઓથી અતિશયવાળા, એવા માંસને અહીં રાક્ષસો ખાય છે. II૪૭ી શ્લોક : यैस्त्विदं धर्मबुद्ध्यैव, भक्ष्यते स्वर्गकाम्यया । कालकूटविषं नूनमधुस्ते जीवितार्थिनः ।।४८।। શ્લોકાર્ચ - જેઓ વડે ધર્મબુદ્ધિથી જ આ માંસ, ખવાય છે. સ્વર્ગકામનાથી ખવાય છે, જીવિતના અર્થી એવા તેઓ ખરેખર કાલકૂટ વિષને ખાય છે. ll૪૮ શ્લોક : अहिंसा परमो धर्मः, स कुतो मांसभक्षणे? । अथ हिंसा भवेद धर्मः, स्यादग्निर्हिमशीतलः ।।४९।। શ્લોકાર્થ : અહિંસા પરમ ધર્મ છે તે માંસભક્ષણમાં ક્યાંથી હોય ? હિંસા ધર્મ હોય તો અગ્નિ હિમ જેવો શીતલ થાય. ll૪૯II શ્લોક : किमत्र बहुना?धर्मार्थं रसगृद्ध्या वा, मांसं खादन्ति ये नराः । निघ्नन्ति प्राणिनो वा ते, पच्यन्ते नरकाग्निना ।।५०।। શ્લોકાર્ચ - અહીં વધારે શું કહેવું ? ધર્મ માટે અથવા રસમૃદ્ધિથી જે મનુષ્યો માંસને ખાય છે અથવા પ્રાણીઓને મારે છે તેઓ નરકમાં અગ્નિથી પકાવાય છે. પિI. Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अन्यच्चयथा गोमायुघाताय, ताम्यत्येष निरर्थकम् । आखेटके रतात्मानस्तथैवान्येऽपि जन्तवः ।।५१।। શ્લોકાર્ય : અને બીજું, જે પ્રમાણે શિયાળના ઘાત માટે આ નિરર્થક તાપને પામે છે તે પ્રમાણે શિકારમાં રત આત્મા એવા અન્ય પણ જીવો નિરર્થક પીડાને પામે છે. પ૧TI. શ્લોક : यावच्च वर्णयत्येवं, विमर्शस्तस्य चेष्टितम् । तावल्ललनवृत्तान्तो, यो जातस्तं निबोधत ।।५२।। શ્લોકાર્ચ - અને જ્યાં સુધી આ પ્રમાણે તેનું ચેષ્ટિત=લલનનું ચેષ્ટિત, વિમર્શ વર્ણન કરે છે ત્યાં સુધી જે લલનનો વૃત્તાંત થયો તે સાંભળો. પિરા શ્લોક : स जम्बुकविनाशार्थं, धावन्नुच्चैर्दुरुत्तरे । सतुरङ्गो महागर्ते, पतितोऽधोमुखस्तले ।।५३।। શ્લોકાર્ચ - તે જબુકના=શિયાળના, વિનાશ માટે અત્યંત દોડતો લલન દુતર એવા મહાગતમાં નીકળવું છે દુષ્કર એવા મોટા ખાડામાં, ઘોડા સાથે અધોમુખ તલમાં પડ્યો. પBll શ્લોક : ततः संचूर्णितागोऽसौ, क्षुद्यमानो हयेन च । अत्राणो विरटन्नुच्चैस्तत्रैव निधनं गतः ।।५४।। શ્લોકાર્થ : ત્યારપછી સંચૂર્ણિત અંગવાળો એવો આ=લલન, ઘોડાથી, ખુદાતો, અત્રાણ, મોટેથી બૂમો પાડતો ત્યાં જ મૃત્યુને પામ્યો. //પ૪ll Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : ततः प्रकर्षणाभिहितम्अधुनैवामुना प्राप्तं, मृगयाव्यसने फलम् । विमर्शः प्राह न फलं, पुष्पमेतद्विभाव्यताम् ।।५५ ।। શ્લોકાર્ચ - તેથી પ્રકર્ષ વડે કહેવાયું – હમણાં જ આના વડે=લલન વડે, શિકારના વ્યસનમાં ફલ પ્રાપ્ત કરાયું. વિમર્શ કહે છે – ફલ નથી. આ પુષ્પ વિભાવન કરવું. પપી. શ્લોક : फलं तु नरके घोरे, स्यादेवंविधकर्मणाम् । तथापि मूढाः खादन्ति, मांसं हिंसन्ति देहिनः ।।५६।। શ્લોકાર્ચ - વળી ઘોર નરકમાં આવા પ્રકારનાં કર્મોનું ફલ થાય, તોપણ મૂઢ જીવો માંસ ખાય છે, જીવોની હિંસા કરે છે. પછી ભાવાર્થ - આ રીતે ભવચક્રના સ્વરૂપનું વિમર્શ અને પ્રકર્ષ અવલોકન કરે છે. ત્યારપછી વિચક્ષણની વિમર્શશક્તિ પ્રકર્ષને કહે છે. આપણે રસનાની શુદ્ધિ અર્થે નીકળેલા અને એક વર્ષના કાલાવધિમાં આપણે સ્વસ્થાને જવાનું છે તે હવે પૂર્ણ થવા આવ્યો છે અને ભવચક્ર ઘણો વિશાળ છે તેમાં અનેક આશ્ચર્યો થાય છે; કેમ કે કર્મને વશ ભવચક્રમાં રહેલા જીવો તે તે અંતરંગ શત્રુઓથી જ્યારે કદર્થના પામે છે ત્યારે અનેક પ્રકારનાં વિચિત્ર કૃત્યો કરે છે. તે સર્વનો શીધ્ર બોધ કરવો શક્ય નથી. પરંતુ વિવેક પર્વત ઉપર ચઢીને ભવચક્ર નગરને જોવા પ્રયત્ન કરવામાં આવે તો આખું ભવચક્ર અલ્પ સમયમાં સ્પષ્ટ દેખાય છે. જે મહાત્માઓની ભગવાનના વચનાનુસાર નિર્મળ ગ્રુતબુદ્ધિ પ્રગટેલી છે અને તેના બળથી કર્મો કઈ રીતે જીવને વિડંબના કરી શકે છે તે સર્વને જોવું હોય તો નિપુણ પ્રજ્ઞાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગરૂપ જે માર્ગાનુસારી બુદ્ધિરૂપ જે વિવેક છે તે જ તત્ત્વને દેખાડવા માટે ઊંચો પર્વત છે. તેથી જેમ પર્વત ઉપર આરૂઢ થયેલો પુરુષ નીચે રહેલા નગરને સુખપૂર્વક જોઈ શકે છે તેમ વિવેક પર્વત ઉપર જેઓની બુદ્ધિ આરૂઢ થઈ છે તેઓ સંસારનું સમસ્ત સ્વરૂપ શીધ્ર જોઈ શકે છે. જેથી ભવચક્રનાં નવાં નવાં આશ્ચર્યો જોવાનું કુતૂહલ ક્યારેય થતું નથી પરંતુ ભવની વિડંબના જોઈને ભવથી પર અવસ્થાની પ્રાપ્તિમાં દૃઢ યત્ન કરવાનો ઉત્સાહ થાય છે. તેથી વિમર્શ અને પ્રકર્ષ વિવેક પર્વત ઉપર આરૂઢ થઈને સંસારનું સ્વરૂપ જોવા તત્પર થાય છે ત્યારે તેઓને કોઈક પુરુષ જુગાર રમીને સર્વસ્વનો વિનાશ કરીને પોતાનું મસ્તક પણ હારે છે અને જુગારીઆ તેને ચારે બાજુ ઘેરીને કઈ રીતે મસ્તક ફોડે છે તે દેખાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેનાથી બોધ થાય છે કે આત્મામાં ઇચ્છા નામનો રોગ છે. ઇચ્છા જે જે દિશામાં વળે છે તે પ્રકારની પ્રવૃત્તિ કરવા જીવને પ્રેરણા કરે છે અને તે ઇચ્છા પ્રકર્ષને પામે છે ત્યારે જીવ અત્યંત મૂઢ બને છે. આથી જ શ્રેષ્ઠીનો પુત્ર જુગારમાં સર્વસ્વ હારે છે તોપણ જીતવાની ઇચ્છાથી મસ્તક મૂકીને કમોતે મરે છે. આ રીતે મરીને વર્તમાનનો ભવ નિષ્ફળ કરે છે અને દુર્ગતિઓમાં અનેક કટુ ફળો પ્રાપ્ત કરે છે. માટે સંસારમાં અલ્પ પણ ઇચ્છા વૃદ્ધિ પામીને સર્વ અનર્થની પ્રાપ્તિ કરાવે છે, તેથી ઇચ્છાને પરવશ થઈ જુગાર રમીને આ ભવ અને પરભવ નિષ્ફળ કરે છે. વળી, અન્ય બાજુ વિવેક પર્વતથી તેઓને દેખાય છે કે કોઈક રાજા શિકાર રમવાના શોખના બળથી વર્તમાનનો ભવ પણ અત્યંત દયાજનક પસાર કરે છે. અને પરભવમાં નરકની પ્રાપ્તિ કરે છે. તે સર્વનું કારણ શિકાર કરવાનું વ્યસન અને માંસ ખાવાની લાલસા પ્રબળ હતાં. આથી જ રાજ કુળમાં જન્મીને પણ લલન રાજા શિકાર અને માંસ ખાવાના વ્યસનથી કમોતે મરીને નરકરૂપ અંધ કૂવામાં જઈને પડે છે. विकथाफलम् શ્લોક : इतश्च राजपुरुषैर्जिह्वामुत्पाट्य दारुणैः । तप्तं तानं नरः कश्चित्पाय्यमानो निरीक्षितः ।।५७।। વિકથાનું ફલ શ્લોકાર્ચ - અને આ બાજુ દારુણ રાજપુરુષો વડે જિલ્લાનું ઉત્પાદન કરીને કોઈક મનુષ્ય તપાવેલું સીસું પિવડાવાતો જોવાયો=પ્રકર્ષ અને વિમર્શ દ્વારા તેવો પુરુષ જોવાયો. પછી બ્લોક : ततो दयापरीतात्मा, प्रकर्षः प्राह मातुलम् । हा हा किमेष पुरुषो, निघृणैर्माम! पीड्यते? ।।५८।। શ્લોકાર્ધ : તેથી દયાપરીત–દયાથી યુક્ત, સ્વરૂપવાળો પ્રકર્ષ મામાને કહે છે. અરે અરે, આ પુરુષ નિધૃણ પુરુષો દ્વારા હે મામા ! કેમ પીડા કરાય છે ? I૫૮l. विमर्शेनोक्तं- भद्र! आकर्णय, अयं पुरुषोऽत्रैव मानवावासान्तर्भूते चणकपुरे वास्तव्यो महाधनः सुमुखो नाम सार्थवाहः, अयं च बालकालादारभ्य वाक्पारुष्यव्यसनी, ततो लोकैर्गुणनिष्पन्नमस्य दुर्मुख इति नाम प्रतिष्ठितं, प्रकृत्यैव चास्य प्रतिभासते स्त्रीकथा, रोचते भक्तकथा, मनोऽभीष्टा राजकथा, हृद्दयिता देशकथा । सर्वथा जल्पे सति न कथञ्चिन्निजतुण्डं धारयितुं पारयति । इतश्च Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ चणकपुराधिपतिरेव तीव्रो नाम राजा गतो रिपूणामुपरि, विक्षेपेण लग्नमायोधनं, जिता रिपवः । इतश्च निर्गते तस्मिन्नास्थायिकायां प्रस्तुताऽनेन राजकथा यदुत प्रबलास्ते रिपवः, पराभविष्यन्ति राजानं, आगमिष्यन्ति ते पुरलुण्टनार्थं, ततो यथाशक्त्या पलायध्वं यूयम् । तदाकर्ण्य नष्टं समस्तं पुरं, समागतो राजा, दृष्टं तनिरुद्वसं चणकपुरं, किमेतदिति पृष्टमनेन, कथितः केनचिद् व्यतिकरः, कुपितो दुर्मुखस्योपरि तीव्रनरेन्द्रः, ततः पुनरावासिते पुरे प्रख्याप्य तं दुर्वचनभाषणलक्षणमपराधं पौराणामेवंविधोऽस्य दण्डो निर्वतितो राज्ञेति । વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! સાંભળ, આ પુરુષ આ જ માનવઆવાસની અંદર ચણક નગરમાં વસતારો મહાધતવાળો સુમુખ સામતો સાર્થવાહ છે. અને આ બાલ્યકાલથી માંડીને વાણીની કઠોરતાનો વ્યસની છે. તેથી લોકો વડે ગુણનિષ્પન્ન એવા તેનું દુર્મુખ એ પ્રમાણે નામ પ્રસિદ્ધ કર્યું. અને આને દુર્મુખને, પ્રકૃતિથી જ સ્ત્રીકથા ગમે છે. ભક્તકથા રુચે છે. રાજકથા મનને અભીષ્ટ છે. દેશકથા હૃદયગત છે. સર્વથા જલ્પ થયે છતે કોઈ રીતે પોતાનું મુખ ધારણ કરવા સમર્થ નથી. અને આ બાજુ ચણકપુરનો અધિપતિ જ તીવ્ર નામનો રાજા શત્રુઓ ઉપર લડવા ગયો. વિક્ષેપને કારણે યુદ્ધ કરવા લાગ્યો. શત્રુઓ જિતાયા. અને તીવ્ર નામનો રાજા યુદ્ધ કરવા નીકળેલો હોતે છતે, ચોરામાં આના વડદુર્મુખ વડે, રાજકથા પ્રસ્તુત કરાઈ. શું કહેવાયું ? તે “યહુતીથી બતાવે છે – તે શત્રુઓ પ્રબલ છે, રાજાનો પરાભવ કરશે. તેઓ પુરને લૂંટવા માટે આવશે. તેથી તમે યથાશક્તિ પલાયન થાઓ. તે સાંભળીને સમસ્ત નગર નાસી ગયું. રાજા આવ્યોઃયુદ્ધ જીતીને રાજા આવ્યો, તે ચણકપુર ઉજ્જડ જોવાયું. આ શું છે એ પ્રમાણે આના વડે=રાજા વડે, પુછાયું. કોઈક વડે વ્યતિકર કહેવાયો–દુર્મુખે જે કહેલો તે પ્રસંગ કહેવાયો. દુર્મુખના ઉપર તીવ્ર નરેન્દ્ર કોપ પામ્યો. ત્યારપછી ફરી વગર લોકોથી આવાસિત થયે છતે તે દુર્વચનભાષણ લક્ષણ અપરાધને લોકોને કહીને આને દુર્મુખને, રાજા વડે દંડ કરાયો. શ્લોક : प्रकर्षेणोदितं माम! महाकष्टकमीदृशम् । यदुर्भाषणमात्रेण, संप्राप्तोऽयं वराककः ।।१।। શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! દુર્ભાષણ માત્રથી જે આવા પ્રકારનું મહાકષ્ટ આ વરાક પામ્યો. ||૧|. શ્લોક : मातुलेनोदितं वत्स! विकथाऽऽसक्तचेतसाम् । अनियन्त्रिततुण्डानां, कियदेतद्दुरात्मनाम् ? ।।२।। Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : મામા વડે કહેવાયું. હે વત્સ ! વિકથામાં આસક્ત ચિત્તવાળા અનિયંત્રિત મુખવાળા દુરાત્માઓને આ કેટલું છે ? અર્થાત્ આ તો અલ્પ માત્રાનું દુઃખ છે. llll. શ્લોક :__ इयं हि कुरुते वैरं, देहिनां निर्निमित्तकम् । વિથ નનસત્તાપ, મુના મદ્ર! મારતી રૂપા શ્લોકાર્ચ - દિ જે કારણથી, આ વિકથા, જીવોને નિર્નિમિત્તક વેર કરે છે. હે ભદ્ર!મુકલ ભારતી વિચાર્યા વગર બોલવાની ક્યિા, જનસંતાપને કરે છે. II3I. શ્લોક : ते धन्यास्ते महात्मानस्ते श्लाघ्यास्ते मनस्विनः । ते वन्द्यास्ते दृढास्तत्त्वे, ते जगत्यमृतोपमाः ।।४।। येषां मिताक्षरा सत्या, जगदालादकारिणी । काले सद्बुद्धिपूता च, वर्तते भद्र! भारती ।।५।। युग्मम्।। શ્લોકાર્ચ - તે ધન્ય છે, તે મહાત્મા છે, તે ગ્લાધ્ય છે, તે બુદ્ધિમાન છે, તે વંધ છે, તે તત્ત્વમાં દઢ છે. જગતમાં તેઓ અમૃતની ઉપમાવાળા છે. હે ભદ્ર પ્રકર્ષ ! જેઓની મિતાક્ષરોવાળી=પરિમિત શબ્દોવાળી, સત્ય, જગતને આ@ાદ કરનારી કાલમાંsઉચિત કાલમાં, સબુદ્ધિથી પવિત્ર વાણી વર્તે છે. ll૪-પી. શ્લોક : ये तु मुत्कलवाणीका, वदन्तेऽर्दवितर्दकम् । तैरत्रैव महाना, नेदृशा वत्स! दुर्लभाः ।।६।। શ્લોકાર્થ : વળી જેઓ મુત્કલવાણીવાળા છે=મર્યાદા વગર બોલનારા છે. અદ-વિતર્દક વાણીને બોલે છેઃ બોલાયા પછી આડુંઅવળું કથન કરે છે. તેઓ વડે અહીં જ આવા પ્રકારના મહાઅનર્થો હે વત્સ ! દુર્લભ નથી=જેવા પ્રકારના મહાઅનર્થો દુર્મુખને પ્રાપ્ત થયા તેવા પ્રકારના મહાઅનર્થો દુર્લભ નથી. II૬ll Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ सुश्लिष्टा मोचयत्येषा, भारती तात ! देहिनाम् । उच्छृङ्खला पुनर्वत्स! तामेषा बन्धयत्यलम् ।।७।। ૧૦૩ શ્લોકાર્થ ઃ સુશ્લિષ્ટ એવી આ વાણી=સારી રીતે બોલાયેલી એવી આ વાણી, હે તાત પ્રકર્ષ ! જીવોને મુકાવે છે=આપત્તિઓમાંથી મુકાવે છે. ઉત્કૃખંલ એવી આ=વાણી, તેને=સુંદર વાણીને, અત્યંત બંધનને કરે છે=સુંદર વાણીનો અત્યંત નિરોધ કરે છે. II૭II શ્લોક ઃ तदस्य विकथामूलं, दुर्भाष्यव्यसने फलम् । इदमीदृशमापन्नं, परलोके च दुर्गतिः ।।८।। શ્લોકાર્થ : તે કારણથી આને=દુર્મુખને, દુર્ભાષ્ય વ્યસનમાં વિકથાના મૂલવાળું આવા પ્રકારનું આ ફલ પ્રાપ્ત થયું=રાજાએ જેવા પ્રકારનો દંડ કર્યો તેવા પ્રકારનું ફલ પ્રાપ્ત થયું. અને પરલોકમાં દુર્ગતિ છે. IIII ભાવાર્થ : જેઓને વિચાર્યા વગર જે તે બોલવાની પ્રકૃતિ છે તેઓ પોતાની પ્રકૃતિ અનુસાર સ્ત્રીકથા, રાજકથા, આદિ કરે છે. વસ્તુતઃ તેઓના ચિત્તમાં તેવા પ્રકારના મોહના પરિણામને કારણે તે તે પ્રકારે બોલવાની ઇચ્છા થાય છે અને ઇચ્છાથી આકુળ થયેલા સારાસારનો વિચાર કર્યા વગ૨ જ્યાં ત્યાં અને જે તે કથનો કરે છે. ક્વચિત્ તથાપ્રકારનું પુણ્ય તપતું હોય તો આ લોકમાં સાક્ષાત્ કોઈ આપત્તિ ન આવે તોપણ વિકથાને કારણે તેની પુણ્યપ્રકૃતિ સતત ક્ષીણ થાય છે અને કોઈક નિમિત્તને પામીને પાપપ્રકૃતિ જાગૃત થાય છે; કેમ કે મૂઢતાને કારણે વિચાર્યા વગર જેમ તેમ બોલવાની પ્રકૃતિઓ થાય છે. જેમ દુર્મુખ નામના સાર્થવાહનું સુખપૂર્વક જીવન નિર્ગમન થતું હતું. છતાં સ્વકલ્પનાથી આ રાજા જીતશે નહીં ઇત્યાદિ લોકોને કહીને વિકથા કરી જેના ફળરૂપે આ લોકમાં પણ અનર્થની પ્રાપ્તિ થઈ. પરલોકમાં દુર્ગતિની પ્રાપ્તિ થઈ. માટે વિવેકી પુરુષે પરિમિત શબ્દોવાળી, લોકોને આહ્લાદ કરનાર સત્ય વાણી બોલવી જોઈએ અને ઉચિત કાળે બોલવી જોઈએ અને તે પણ સબુદ્ધિથી પવિત્ર હોય તેવી બોલવી જોઈએ. અન્યથા જેમ હિંસાદિથી નરકની પ્રાપ્તિ થાય છે તેમ વિકથાના કાળમાં જે પ્રકારના મલિનતાનો ભાવ વર્તે છે તે પ્રકારના નરકાદિની પ્રાપ્તિ થાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अत्रान्तरे प्रकर्षेण, राजमार्गे निपातिता । दृष्टिदृष्टश्च तत्रैकः, शुक्लवर्णाऽम्बरो नरः ।।९।। શ્લોકાર્થ : અગાંતરમાં-વિમર્શ પ્રકર્ષને વિકથાનું અનર્થકારી સ્વરૂપ બતાવે છે એટલામાં, પ્રકર્ષ વડે રાજમાર્ગમાં દષ્ટિ નંખાઈ. અને ત્યાં=રાજમાર્ગમાં, એક શુક્લ-સફેદ વર્ણના વસ્ત્રવાળો મનુષ્ય દેખાયો. IIGII हर्षविषादवृत्तान्तः બ્લોક : ततः पप्रच्छ तं वीक्ष्य, क एष इति मातुलम् । तेनोक्तं वत्स! हर्षोऽयं रागकेसरिसैनिकः ।।१०।। હર્ષ અને વિષાદનું વૃત્તાંત શ્લોકાર્ય : તેથી તેને જોઈને તે મનુષ્યને જોઈને, આ કોણ છે એ પ્રમાણે મામાને પૂછયું પ્રકર્ષે પૂછ્યું. તેના વડે મામા વડે, કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! રાગકેસરીનો સૈનિક આ હર્ષ છે. ll૧oll શ્લોક : अस्त्यत्र मानवावासे, वासवो नाम वाणिजः । इदं च दृश्यतेऽभ्यणे, तस्य गेहं महाधनम् ।।११।। શ્લોકાર્ય : અહીં માનવાવાસમાં વાસવ નામનો વાણિયો છે અને તેના સમીપમાં આ ગૃહ અને મહાધન દેખાય છે. ૧૧ શ્લોક : बालकाले वियुक्तश्च, वयस्योऽत्यन्तवल्लभः । धनदत्तः समायातो, वासवानन्ददायकः ।।१२।। શ્લોકાર્ચ - અને બાલ્યકાલમાં વિયુક્ત થયેલો અત્યંત વલ્લભ વાસવના આનંદનો દાયક મિત્ર ધનદત્ત આવેલો છે. II૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : इदं कारणमुद्दिश्य, भवनेऽत्र प्रवेक्ष्यति । अयं हर्षः प्रविष्टश्च, पश्य किं किं करिष्यति? ।।१३।। શ્લોકાર્ધ : આ કારણને ઉદ્દેશીને આ ભવનમાં હર્ષ પ્રવેશ કરશે અને પ્રવિષ્ટ થયેલો શું શું કરશે તે તું જો. TI૧3II શ્લોક : ततो विस्फारिताक्षोऽसौ, प्रकर्षस्तनिरीक्षते । इतश्च वासवस्तेन, धनदत्तेन मीलितः ।।१४।। શ્લોકાર્ચ - તેથી=મામાએ આ પ્રમાણે કહ્યું તેથી, વિસ્ફારિત ચક્ષવાળો આ પ્રકર્ષ તેનેaહર્ષને, જુએ છે. અને આ બાજુ વાસવ તે ધનદાને મળ્યો. II૧૪ શ્લોક : તતઃ પ્રવિષ્ટસ્તરે, સર્ષ સટુમ્બવે ! संजातं च वणिग्गेहं, बृहदानन्दसुन्दरम् ।।१५।। શ્લોકાર્ચ - તેથી સકુટુંબવાળા એવા તેના દેહમાં=વાસવના દેહમાં, તે હર્ષ પ્રવેશ્યો. અને વાણિયાનું ઘર ઘણા આનંદથી સુંદર થયું. ll૧૫ll શ્લોક : आहूता बान्धवाः सर्वे, प्रवृत्तश्च महोत्सवः । ततो गायन्ति नृत्यन्ति, वादितानन्दमर्दलाः ।।१६।। શ્લોકાર્ચ - સર્વ બાંધવો બોલાવાયા. અને મહોત્સવ પ્રવૃત્ત થયો. તેથી વગાડાયેલા આનંદમઈલવાળા લોકો ગાય છે, નાચે છે. ll૧૬ll. શ્લોક : પિ - वरभूषणमुज्ज्वलवेषधरं, प्रमदोद्धुरखादनपानपरम् । धनदत्तसमागमजातसुखं, तदभूदथ वासवगेहसुखम् ।।१७।। Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : વળી, સુંદર ભૂષણવાળું ઉજ્વલ વેષના ઘરવાળું, હર્ષ ઉત્પન્ન કરે તેવા ખાનપાનમાં તત્પર, ધનદત્તના સમાગમથી થયેલા સુખવાળું તે વાસવના ઘરનું સુખ થયું. I૧૭ી. શ્લોક : अथ तादशि विस्मयसञ्जनके, क्षणमात्रविवर्धितवर्धनके । निजमाममवोचत बुद्धिसुतः, प्रविलोकनकौतुकतोषयुतः ।।१८।। શ્લોકાર્ય : હવે તેવા પ્રકારના વિસ્મયના સંજનક ક્ષણમાત્ર વિવર્ધિત વર્ધનકમાં જોવાના કૌતુકના તોષથી યુક્ત બુદ્ધિના પુએ=પ્રકર્ષે, પોતાના મામાને કહ્યું. ll૧૮. શ્લોક : यदिदं वेल्लते माम! सर्वमर्दवितर्दकम् । वासवीयगृहं तत्किं, तेन हर्षेण नाटितम् ? ।।१९।। બ્લોકાર્ધ : હે મામા ! જે આ સર્વમર્દ વિતર્દક વાસવીય ઘર કૂદે છે તે શું તે હર્ષ વડે નયાવાયું છે? II૧૯ll શ્લોક : विमर्शनोदितं वत्स! साधु साधु विनिश्चितम् । अकाण्डसदनक्षोभे, हर्ष एवात्र कारणम् ।।२०।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું. હે વત્સ! સુંદર સુંદર નિશ્ચિત કરાયું. અકાંડગૃહના ક્ષોભમાં અહીં હર્ષ જ કારણ છે. ર૦II શ્લોક : · अत्रान्तरेऽतिबीभत्सः, कृष्णवर्णधरो नरः । दृष्टो द्वारि प्रकर्षेण, तस्य वासवसद्मनः ।।२१।। શ્લોકાર્ચ - એટલામાં અતિ બીભત્સ, કૃષ્ણવર્ણને ધારણ કરનારો મનુષ્ય તે વાસવના ગૃહના દ્વારમાં પ્રકર્ષ વડે જવાયો. ll૧II Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततस्तेनोदितं माम! क एष पुरुषाधमः? । विमर्शेनोक्तं वत्स! शोकवयस्योऽयं, विषादो नाम दारुणः ।।२२।। શ્લોકાર્ચ - તેથી તેના વડે કહેવાયું પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! કોણ આ પુરુષાધમ છે ? વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! આ દારુણ વિષાદ નામનો શોકનો મિત્ર છે. રિચા શ્લોક : यश्चैष पथिकः कश्चित्प्रवेष्टुमिह वाञ्छति । प्रविष्टेऽत्र विषादोऽयं, भवनेऽत्र प्रवेक्ष्यते ।।२३।। શ્લોકાર્ચ - જે આ કોઈક પથિક અહીં પ્રવેશ માટે ઈચ્છે છે. અહીં પ્રવેશ કરાયે છતેeતે પથિક દ્વારા અહીં પ્રવેશ કરાયે છતે, આ વિષાદ આ ભવનમાં દેખાશે. ર૩| શ્લોક : ततः प्रविश्य पान्थेन, तेन वासवसन्निधौ । एकान्ते वासवस्यैव, गुह्यं किञ्चिन्निवेदितम् ।।२४।। શ્લોકાર્ચ - ત્યારપછી પ્રવેશ કરીને તે પાંચ વડે=મુસાફર વડે, એકાંતમાં વાસવની સન્નિધિ હોતે જીતે વાસવને જ કંઈક ગુહ્ય નિવેદન કર્યું. ll૨૪ll શ્લોક : अत्रान्तरे प्रविष्टोऽसौ, विषादस्तच्छरीरके । मूर्च्छया पतितश्चासौ, वासवो नष्टचेतनः ।।२५।। શ્લોકાર્ચ - એટલામાં આ વિષાદ તેના શરીરમાં=વાસવના શરીરમાં, પ્રવેશ્યો. મૂર્છાથી આ વાસવ નષ્ટ ચેતનવાળો પડ્યો. રિપો Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : हा हा किमेतदित्युच्चैविलपनिखिलो जनः । ततः समागतस्तस्य, निकटे भयविह्वलः ।।२६।। શ્લોકાર્ચ - ત્યારપછી “હા હા આ શું છે એ પ્રમાણે અત્યંત વિલાપ કરતો ભયવિહૂલ સર્વ લોક તેના નિકટમાં=વાસવના નિકટમાં, આવ્યો. રજી. શ્લોક : अथ वायुप्रदानाद्यैः, पुनः संजातचेतनः । પ્રતાપં વર્તુમારબ્ધ, વિષાઃ સવાસવ: Jારા શ્લોકાર્ચ - હવે વાયુપ્રદાન આદિથી ફરી સંજાત ચેતનવાળો વિષાદવાળો તે વાસવ પ્રલાપ કરવા લાગ્યો. ર૭l. શ્લોક : થ ?हा पुत्र! तात वत्साऽतिसुकुमारशरीरक । શી તવ સંગાતા, વાવસ્થા મમ કર્મU? I ૨૮ાા શ્લોકા - કેવી રીતે પ્રલાપ કરવા લાગ્યો ? તેથી કહે છે – હે પુત્ર ! હે તાત ! હે વત્સ ! હે અતિ સુકુમાર શરીરવાળા ! તારી આવા પ્રકારની કઈ અવસ્થા મારા કર્મથી થઈ. ll૨૮II શ્લોક - निर्गतोऽसि ममाऽपुण्यैर्वत्स! वारयतो मम । दैवेन निघृणेनेदं, तव जात! विनिर्मितम् ।।२९।। શ્લોકાર્ચ - હે વત્સ ! મારા અપુણ્યથી તું ગયેલો છું. વારતા એવા મને નિર્ગુણ એવા ભાગ્યથી હે પુત્ર ! તારું આ નિર્માણ કરાયું. ૨૯ll શ્લોક : हा हतोऽस्मि निराशोऽस्मि, मुषितोऽस्मि विलक्षणः । एवं व्यवस्थिते वत्स! त्वयि किं मम जीवति ।।३०।। Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હા હું હણાયેલો છું, નિરાશ છું, વિલક્ષણ એવો હું ઠગાયેલો છું. આ પ્રમાણે તારું વ્યવસ્થિત હોતે છતે હે વત્સ ! મારા જીવિત વડે શું? Il3oll શ્લોક : यावच्च प्रलपत्येवं, स पुत्रस्नेहकातरः । તાdષાઃ સર્વેષ, પ્રવિષ્ટ: સ્વનનેદ્યપ ારા શ્લોકાર્ય : જ્યાં સુધી પુત્રસ્નેહમાં કાયર એવો તે=વાસવ, આ પ્રમાણે પ્રલાપ કરે છે ત્યાં સુધી સર્વ સ્વજનોમાં વિષાદ પ્રવેશ્યો. ll૧૧il શ્લોક : अथ ते तस्य माहात्म्यात्सर्वे वासवबान्धवाः । हाहारवपरा गाढं, प्रलापं कर्तुमुद्यताः ।।३२।। શ્લોકાર્ચ - હવે તે સર્વ વાસવના બંધુઓ તેના માહાભ્યથી=વિષાદના માહાભ્યથી, હાહારવમાં તત્પર ગાઢ પ્રલાપને કરવા માટે ઉધત થયા. Il3II શ્લોક : ततश्चक्षणेन विगतानन्दं, दीनविह्वलमानुषम् । रुदन्नारीजनं मूढं, जातं वासवमन्दिरम् ।।३३।। શ્લોકાર્ચ : અને તેથી, ક્ષણથી ચાલ્યા ગયેલા આનંદવાળું, દીન વિક્વલ માનુષવાળું, રડતી નારીઓના સમૂહથી મૂઢ, વાસવનું ઘર થયું. ll૩૩. શ્લોક : ततस्तत्तादृशं दृष्ट्वा, प्रकर्षः प्राह मातुलम् । किमिदं माम! संजातं, गृहे तु प्रेक्षणान्तरम् ? ।।३४।। શ્લોકાર્ચ - તેથી તેવા પ્રકારના તેને વાસવને, જોઈને પ્રકર્ષ મામાને કહે છે. હે મામા ! ઘરમાં શું આ પ્રેક્ષણાંતર નવું નાટક, થયું? Il૩૪ll Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : विमर्शः प्राह तत्तुभ्यमादावेव निवेदितम् । मया यथाऽन्तरयत्ता बहिरङ्गा इमे जनाः ।।३५ ।। શ્લોકાર્ચ - વિમર્શ કહે છે – તને આદિમાં જ મારા વડે તે નિવેદન કરાયેલું. જે પ્રમાણે અંતરંગ જનોને આધીન આ બહિરંગ જનો છે. ll૧૫ll શ્લોક : ततश्चेदं तथा पूर्वं, हर्षेण प्रविनाटितम् । अधुना नाटयत्येवं, विषादोऽसौ वराककम् ।।३६।। શ્લોકાર્ધ : તેથી આ=વાસવદત્તનું ઘર, પૂર્વમાં તે પ્રકારે હર્ષ વડે નચાવાયું. હમણાં આ વિષાદ વરાકનેક વાસવદત્તના ઘરને, આ રીતે નચાવે છે. II3II શ્લોક : तदत्र भवने लोकाः, किं कुर्वन्तु तपस्विनः? । ये हि हर्षविषादाभ्यां, क्षणार्धेन विनाटिताः ।।३७।। શ્લોકાર્ચ - તે કારણથી આ ભવનમાં તપસ્વી એવા લોકો દુઃખી એવા લોકો, શું કરે ? દિકજે કારણથી, જેઓ હર્ષ અને વિષાદ દ્વારા અર્ધક્ષણથી નચાવાયા. ll૩૭ll શ્લોક : प्रकर्षः प्राह किं गुह्यं, कर्णाभ्यर्णविवर्तिना । अनेन वासवस्याऽस्य, पुरुषेण निवेदितम् ? ।।३८ ।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. કર્ણ પાસે રહેલા એવા આ પુરુષ વડે આ વાસવને શું ગુહ્ય નિવેદન કરાયું ? II3૮II. શ્લોક : विमर्शनोदितं वत्स!, समाकर्णय साम्प्रतम् । अस्त्यस्य वर्धनो नाम, पुत्रो हृदयवल्लभः ।।३९।। Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! હમણાં સાંભળ. આનોકવાસવનો, વર્ધન નામનો હદયથી વલ્લભ પુત્ર છે. ll૩૯ll શ્લોક : स चैक एव पुत्रोऽस्य, यौवनस्थो मनोहरः । उपयाचितकोटीभिर्जातो विनयतत्परः ।।४०।। શ્લોકાર્ચ - તે આનો એક જ પુત્ર યૌવનમાં રહેલો, મનોહર, ઉપયાચિતકોટીઓ વડે ઉત્પન્ન થયેલો વિનયમાં તત્પર થયો=વિશેષ ધનઅર્જન કરવા માટે તત્પર થયો. Il8oll શ્લોક : अनेन वार्यमाणोऽपि, स धनार्जनकाम्यया । प्रविधाय महासार्थं, गतो देशान्तरे पुरा ।।४१।। શ્લોકાર્ય : આના વડે પિતા વડે, વારણ કરાતો પણ તે પુત્ર, ધનાર્જનની કામનાથી મહાસાર્થને કરીને પૂર્વમાં દેશાંતરમાં ગયેલો. ll૪૧૫ શ્લોક : स चोपाय॑ धनं भूरि, स्वदेशागमकामुकः । कादम्बर्यां महाटव्यां, गृहीतो वत्स! तस्करैः ।।४२।। શ્લોકાર્ચ - અને હે વત્સ ! ઘણું ધન ઉપાર્જન કરીને સ્વદેશમાં આવવાની ઈચ્છાવાળો તે કાદમ્બરી નામની મહાટવીમાં ચોરો વડે ગ્રહણ કરાયો. ll૪રા શ્લોક - વિલુપ્ત થનસર્વસ્વં, હતઃ સાર્થઃ સબાન્યવ: | बद्धा गृहीता बन्धश्च, तस्करैर्धनकामिभिः ।।४३।। શ્લોકાર્ચ - ઘન સર્વસ્વ લુંટાયું. બાંધવ સહિત સાથે હણાયો. અને ધનની કામનાવાળા ચોરો વડે બંદીજનો બંધાયા, ગ્રહણ કરાયા. Il૪all Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तासांमध्ये गृहीतश्च, वर्धनः क्रूरकर्मभिः । સ સાર્થવાદ નૃત્યેવંવાવિમિર્મદ્ર! તરેઃ ૫૪૪૫ શ્લોકાર્થ ઃ હે ભદ્ર ! તેઓની=બંદીજનોની મધ્યમાં ‘તે સાર્થવાહ છે’ એ પ્રમાણે બોલતા ક્રૂર કર્મવાળા ચોરો વડે વર્ધન ગ્રહણ કરાયો, 11૪૪॥ શ્લોક ઃ नीत्वा पल्लिं ततोऽनेकयातनाशतपीडितः । स चौरैर्विहितो वत्स ! वर्धनो धनवाञ्छया ।। ४५ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી હે વત્સ ! પલ્લીમાં લઈ જઈને તે વર્ધન ધનવાંછાથી ચોરો વડે અનેક સેંકડો યાતનાથી પીડિત કરાયો. ।।૪૫]I શ્લોક ઃ अयं च पुरुषस्तस्य, सर्वदा पादधावकः । વત્સ! તમ્બનો નામ, ગૃહનો વાસવાર: ।।૪૬।। શ્લોકાર્થ ઃ અને હે વત્સ ! આ પુરુષ=જે મુસાફર તરીકે આવેલ છે એ પુરુષ, સર્વદા તેનો=વર્ધનનો, સેવક, લમ્બનક નામનો ઘરમાં ઉત્પન્ન થયેલો દાસપુત્ર છે. II૪૬]] શ્લોક ઃ ततस्तं तादृशं दृष्ट्वा, स्वामिनं चौरपीडितम् । नंष्ट्वा कथञ्चिदायातो, वृत्तान्तस्य निवेदक: ।।४७।। શ્લોકાર્થ ઃ ત્યારપછી ચોરથી પીડિત તેવા પ્રકારના તેને=વર્ધનને, જોઈને કોઈપણ રીતે નાસીને વૃત્તાંતનો નિવેદક આ દાસપુત્ર, આવ્યો. II૪૭।। શ્લોક ઃ निवेदिते च वृत्तान्ते, तथा वासववाणिजः । यदकार्षीत्त्वया तच्च, दृष्टमेव ततः परम् ।।४८।। Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૧૩ શ્લોકાર્ચ - અને તે પ્રકારે વૃત્તાંત નિવેદિત કરાયે છતે ત્યારપછી વાસવ વાણિયાએ જે કર્યું તે તારા વડે જોવાયું જ છે. ll૪૮ll. શ્લોક - प्रकर्षेणोदितं माम! प्रलापाक्रन्दरोदनैः । किममीभिः परित्राणं, तस्य संजनितं कृतैः? ।।४९।। શ્લોકાર્ય : પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! કરાયેલા પ્રલાપ-આકંદ-રોદનથી આમના વડે તેનું શું પરિમાણ કરાયું=વર્ધનનું શું રક્ષણ કરાયું? I૪૯ll શ્લોક : विमर्शनोदितं वत्स! नैतदेवं तथापि च । एवमेते प्रकुर्वन्ति, विषादेन विनाटिताः ।।५०।। શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! આ આ પ્રમાણે નથી તેમના આઝંદાદિથી તેનું પરિત્રાણ થાય એ પ્રમાણે નથી. તોપણ વિષાદથી નયાયેલા આ લોકો આ રીતે જ કરે છે. I૫oll શ્લોક : धनदत्तागमं प्राप्यं, ये हर्षवशवर्तिनः । वर्धनापदमासाद्य, विषादेन विनाटिताः ।।५१।। શ્લોકાર્થ :ધનદત્તના આગમને પામીને હર્ષવશવર્તી એવા જેઓ વર્ધનની આપત્તિને પામીને વિષાદ વડે નચાવાયા. I૫૧II શ્લોક : तेषां हर्षविषादाभ्यामेतेषां पीडितात्मनाम् । कीदृशी वा भवेत्तात! पर्यालोचितकारिता? ।।५२।। શ્લોકાર્ય : હે તાત ! હર્ષ અને વિષાદ વડે પીડિત થયેલા એવા આ તેઓની કેવા પ્રકારની પર્યાલોચનકારિતા છે ?-કેવી અવિચારકતા છે ? પિચ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : તતअवीक्ष्य वस्तुनस्तत्त्वमनालोच्य हिताहितम् । एते विडम्बयन्त्येवमात्मानं तद्वशानुगाः ।।५३।। શ્લોકાર્ધ : અને તેથી વસ્તુતત્વને જોયા વગર, હિતાહિતનું આલોચન કર્યા વગર તેને વશ થનારા આ જીવો=હર્ષ-શોકને વશ થનારા આ જીવો, આ રીતે પોતાના આત્માની વિડંબના કરે છે. 1પ3II શ્લોક : શિષ્યनाऽत्र केवलमीदृक्षं, वासवीये गृहोदरे । आभ्यां हर्षविषादाभ्यां, प्रेक्षणं वत्स! नाट्यते ।।५४।। શ્લોકાર્ય : વળી હે વત્સ ! અહીં વાસવીય ગૃહના ઉદરમાં આ હર્ષ-વિષાદ દ્વારા કેવલ આવા પ્રકારનું પ્રેક્ષણક નાટક, નવાવાતું નથી. I૫૪ll શ્લોક : ન્તિર્દિ?सर्वत्र भवचक्रेऽस्मिन्, कारणैरपरापरैः । एतौ नर्तयतो नित्यं, जनमेनं गृहे गृहे ।।५५।। શ્લોકાર્ચ - તો શું? તેથી કહે છે – સર્વત્ર આ ભવચક્રમાં પ-અપર કારણો વડે=બીજાં બીજાં કારણો વડે આ બંનેaહર્ષ અને વિષાદ બંને નિત્ય આ જનને ઘરે ઘરે નચાવે છે. પપII શ્લોક : થત:पुत्रं राज्यं धनं मित्रमन्यद्वा सुखकारणम् । हर्षस्यास्य वशं यान्ति, प्राप्याऽस्मिन् मूढजन्तवः ।।५६।। શ્લોકાર્ચ - જે કારણથી આમાં=ભવચક્રમાં મૂઢ જંતુઓ પુત્ર, રાજ્ય, ધન, મિત્ર, અથવા અન્ય સુખના કારણને પામીનેaહર્ષને વશ થાય છે. IFપછી Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततस्ते तत्परायत्ताः, सद्बुद्धिविकला नराः । वत्स! किं किं न कुर्वन्ति, हास्यस्थानं विवेकिनाम्? ।।५७।। શ્લોકાર્ચ - હે વત્સ! તેથી તેને પરાધીન હર્ષને પરાધીન, સદ્ગદ્ધિવિકલ તે નરો વિવેકીઓને હાસ્યનું સ્થાન શું શું કરતા નથી. પછી શ્લોક : न चिन्तयन्ति ते मूढा, यथेदं पूर्वकर्मणा । पुत्रराज्यादिकं सर्वं, जन्तूनामुपपद्यते ।।५८।। શ્લોકાર્ચ - તે મૂઢો ચિંતવન કરતા નથી, જે પ્રમાણે આ પુત્ર રાજ્યાદિ સર્વ પૂર્વ કર્મો વડે જીવોને પ્રાપ્ત થાય છે. પિ૮ll શ્લોક : ततः कर्मपरायत्ते, तुच्छे बाह्येऽतिगत्वरे । कथञ्चित्तत्र संपन्ने, हर्षः स्यात्केन हेतुना? ।।५९।। શ્લોકાર્ચ - તેથી કર્મને પરાધીન તુચ્છ, બાહ્ય, શીધ્ર જનારા, કથંચિત્ ત્યાં પ્રાપ્ત થયે છતે કયા હેતુથી હર્ષ થાય ? અર્થાત્ બુદ્ધિમાનને હર્ષ ન થાય. પિ૯ll શ્લોક : તથા – विषादेन च बाध्यन्ते, वियोगं प्राप्य वल्लभैः । अनिष्टैः संप्रयोगं च, नानाव्याधिशतानि च ।।६०।। શ્લોકાર્ચ - અને વલ્લભોથી વિયોગને પ્રાપ્ત કરીને અને અનિષ્ટોથી સંપ્રયોગને પ્રાપ્ત કરીને, અનેક પ્રકારની સેંકડો વ્યાધિઓને પ્રાપ્ત કરીને વિષાદથી પીડાય છે. II૬ol. શ્લોક : बाधिताश्च विषादेन, सदाऽमी मूढदेहिनः । आक्रन्दनं मनस्तापं, दैन्यमेवं च कुर्वते ।।६१।। Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વિષાદથી બાધિત થયેલા સદા આ મૂઢ જીવો આ પ્રમાણે આકંદને, મનના સંતાપને અને દૈન્યને કરે છે. I૬૧ શ્લોક : न पुनर्भावयन्त्येवं, यथेदं पुर्वसंचितैः । कर्मभिर्जनितं दुःखं, विषादाऽवसरः कथम्? ।।६२।। શ્લોકાર્ચ - પરંતુ આ પ્રમાણે ભાવન કરતા નથી, જે પ્રમાણે પૂર્વસંચિત કર્મો વડે જનિત આ દુઃખ છે. વિષાદનો અવસર કેવી રીતે હોય? III શ્લોક : अन्यच्चविषादो वर्धयत्येव, तदुःखं तात! देहिनाम् । न त्राणकारकस्त्राणं, केवलं शुभचेष्टितम् ।।६३।। શ્લોકાર્ય : વળી, બીજું હે તાત ! જીવોના તે દુઃખને વિષાદ વધારે જ છે. વિષાદ રક્ષણનું કારણ નથી, કેવલ શુભચેષ્ટિત ત્રાણ છે. ll3II શ્લોક : યત – दुःखानि पापमूलानि, पापं च शुभचेष्टितैः । સર્વ પ્રનીયતે વત્સ! તો કુવોક્તવઃ ૩ઃ? ગા૬૪ શ્લોકાર્ચ - જે કારણથી પાપના ભૂલવાળાં દુઃખો છે. શુભચેષ્ટિતો વડે સર્વ પાપ પ્રલય પામે છે. તેથી હે વત્સ ! દુઃખનો ઉદ્ભવ ક્યાંથી થાય? II૬૪ll. શ્લોક : प्रकर्षः प्राह यद्येवं, ततः सुन्दरचेष्टिते । वरमेभिः कृतो यत्नो, न विषादस्य शासने ।।६५।। Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે તો સુંદર ચેષ્ટિતમાં આ લોક વડે કરાયેલો યત્ન શ્રેષ્ઠ છે. વિષાદની આજ્ઞામાં કરાયેલો યત્ન શ્રેષ્ઠ નથી. IIકપી! બ્લોક : विमर्शनाभिहितंचारु चारूदितं वत्स! केवलं मूढजन्तवः । इदमेते न जानन्ति, भवचक्रनिवासिनः ।।६६।। શ્લોકાર્ધ : વિમર્શ વડે કહેવાયું – સુંદર સુંદર કહેવાયું. હે વત્સ ! કેવલ ભવચક્રવાસી આ મૂઢ જીવો આને જાણતા નથી=સુંદર ચેષ્ટા કરવી જોઈએ તેને, જાણતા નથી. II૬૬ll ભાવાર્થ - વળી ભવચક્રનું અવલોકન કરતા પ્રકર્ષ-વિમર્શને હર્ષ અને શોકને બતાવનાર પ્રસંગ દેખાય છે. જે હર્ષ શોક જીવના અંતરંગ પરિણામરૂપ છે અને કષાયથી થનારા છે. તેથી જીવની વિકૃતિરૂપ છે. જેમ તે વાસવને પોતાનો મિત્ર આવ્યો ત્યારે અત્યંત હર્ષ થાય છે અને તેના કારણે પોતાના ઘરમાં આનંદનો મહોત્સવ કરે છે, જેથી ઘરમાં સર્વત્ર હર્ષને વ્યક્ત કરનારી ખાન-પાન આદિની ચેષ્ટાઓ દેખાય છે. વસ્તુતઃ જીવની સ્વસ્થ અવસ્થાનો ભંજક તે હર્ષ છે. છતાં મૂઢ જીવોને તે હર્ષ સુખનું કારણ દેખાય છે. વળી, તે વાસવને ક્ષણમાં પોતાના પુત્રના સમાચાર મળવાથી અત્યંત વિષાદ થાય છે. તેથી મૂચ્છિત થઈને પડે છે અને જ્યારે ઘરના લોકોને તે સમાચાર મળે છે ત્યારે ક્ષણ પૂર્વે જે ઘર હર્ષથી નાચગાન કરતું હતું તે જ ઘર શોકથી આકુળ થાય છે. તેથી જીવમાં વર્તતા હર્ષ-વિષાદ-શોક તે સ્વકલ્પનાથી થયેલા જ ભાવો છે. વસ્તુતઃ જીવને પોતાની સ્વસ્થતાનો પરિણામ જ સુખરૂપ છે અને કષાયની આકુળતાનો પરિણામ દુઃખરૂપ છે. તેનો બોધ નથી તેથી મૂઢની જેમ તે તે પ્રકારનાં બાહ્ય નિમિત્તો પામીને હર્ષમાં આવીને ઉન્મત્તની જેમ તે તે પ્રકારની ચેષ્ટાઓ કરે છે અને તે તે નિમિત્તોને પામીને વિષાદ-શોક કરીને સ્વયં દુઃખી થાય છે. પરંતુ કર્મોની વાસ્તવિક સ્થિતિને વિચારીને પોતાનું હિત શું છે ? અહિત શું છે ? તેનો વિચાર કરતા નથી. જેમ વાસવને પોતાના પુત્રના સમાચાર મળ્યા તે સાંભળીને વિષાદ કરે છે, ઘરના લોકો શોક કરે છે. તેનાથી પુત્રને કોઈ ઇષ્ટની પ્રાપ્તિ થતી નથી. માત્ર પોતાના મૂઢભાવથી તે જીવો સ્વયં દુઃખી થાય છે. વિચારક જીવ હંમેશાં કોઈની આપત્તિને જુએ તો ક્યારેય નિરર્થક શોક કરે નહીં પરંતુ પોતે તેના દુઃખનો પરિહાર કરી શકે તેમ હોય તો ઉચિત યત્ન કરે. અન્યથા વિચારે કે તે જીવનું તેવા પ્રકારનું કર્મ જ છે જેથી તેને આ પ્રકારની વિષમ સ્થિતિ થઈ. માટે મને તેવું વિષમ કર્મ પ્રાપ્ત ન થાય તેની ચિંતા કરવી જોઈએ પરંતુ નિરર્થક શોક કરીને વર્તમાનમાં દુઃખી થવું જોઈએ નહીં. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વળી શોકથી ક્લિષ્ટ કર્મો બાંધીને દુઃખની પરંપરા કરવી જોઈએ નહીં. આથી જ વિવેકી પુરુષો સ્વજનાદિ કોઈના મૃત્યુ આદિમાં શોક કરતા નથી પરંતુ સંસારનું વાસ્તવિક સ્વરૂપ અવલોકન કરીને પોતાનું મૃત્યુ ભાવિ અહિતનું કારણ ન બને તે પ્રકારે પરના મૃત્યુને જોઈને આત્માને અનુશાસન આપે છે. જ્યારે મૂઢ જીવો જ જેનું કોઈ ફળ નથી, કેવલ અનર્થ ફળ છે તેવો શોક કરીને પોતાના આત્માની વિડંબના કરે છે અને પોતાની સાથે પોતાનાં સ્વજનો આદિને તેવા શોકના ઉદ્વેગમાં નિમિત્ત બનીને તેઓના અહિતનું કારણ બને છે. શ્લોક : अन्यच्चात्रकियन्ति संविधानानि, शृङ्गग्राहिकया तव । નવા નિવેયિષ્યન્ત, નારે પરર્વાન? પાદુકા શ્લોકાર્થ : અને બીજું અહીં=ભવચક્રમાં, શૃંગગ્રાહીપણાથી=અંગુલીનિર્દેશપણાથી, તને=પ્રકર્ષને, મારા વડે=વિમર્શ વડે, પારવર્જિત નગરમાં જેનો પાર ન પામી શકાય તેવા પ્રસંગોથી યુક્ત નગરમાં, કેટલાં સંવિધાનો પ્રસંગો, નિવેદન કરાશે? અર્થાત્ સર્વ પ્રસંગોનું નિવેદન શક્ય નથી. II૬૭ll બ્લોક : इतश्चअस्य स्वरूपविज्ञाने, बलवत्ते कुतूहलम् । अतः समासतो वत्स! तुभ्यमेतनिवेदये ।।६८।। શ્લોકાર્ચ - અને આ બાજુ આના સ્વરૂપના વિજ્ઞાનમાં ભવચક્રના સ્વરૂપને જાણવામાં, તને=પ્રકર્ષને, બલવાન કુતૂહલ છે આથી હે વત્સ! સમાસથી તને=પ્રકર્ષને, આ=ભવચક્રનું સ્વરૂપ, હું નિવેદન કરું છું. II૬૮ll શ્લોક : आरूढः पर्वते तात! विवेकाऽऽख्येऽत्र निर्मले । ફર્વ વિ7ોયd, રૂપતિ: વિં નિવેદતા? પાદરા શ્લોકાર્ચ - હે તાત પ્રકર્ષ ! વિવેક નામના નિર્મલ એવા આ પર્વતમાં આરૂઢ થયેલો જીવ આ રીતે=પૂર્વમાં કહેવાયું છે એ રીતે, આને=ભવચક્રને, વિલોકન કરે છે. સ્વરૂપથી શું નિવેદન કરાય ? II૬૯ll Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : गुणतश्च पुनर्वत्स! वर्ण्यमानं मया स्फुटम् । इदं यथावद् बुध्यस्व, भवचक्रं महापुरम् ।।७।। શ્લોકાર્થ : અને વળી હે વત્સ ! પ્રકર્ષ ! ગુણથી મારા વડે સ્પષ્ટ વર્ણન કરાતું આ ભવચક્ર મહાપુર યથાવત્ તું જાણ. ||૭oll गतिचतुष्कवर्णनम् શ્લોક : अवान्तरपुरैर्वत्स! भूरिभिः परिपूरितम् । यद्यपीदं तथाप्यत्र, श्रेष्ठं पुरचतुष्टयम् ।।७१।। ચારગતિનું વર્ણન શ્લોકાર્ચ - હે વત્સ ! ઘણાં અવાંતર નગરોથી પરિપૂરિત જે કે ભવચક્ર છે તોપણ અહીં=ભવચક્રમાં, શ્રેષ્ઠ પુરચતુષ્ટય છે=ચાર મુખ્ય નગરો છે. ll૭૧] શ્લોક : एकं हि मानवावासं, द्वितीयं विबुधालयम् । तृतीयं पशुसंस्थानं, चतुर्थं पापिपञ्जरम् ।।७२।। શ્લોકાર્ચ - એક માનવાવાસ, બીજું વિબુધાલય, ત્રીજું પશુસંસ્થાન, ચોથું પાપિાંજર. ll૭રા શ્લોક : एतानि तानि चत्वारि, प्रधानानीह पत्तने । पुराणि व्यापकानीति, सर्वेषां मध्यवर्तिनाम् ।।७३।। શ્લોકાર્થ : આ પતનમાં=ભવચક્ર નગરમાં, મધ્યવર્તી સર્વ જીવોને તે આ ચાર પ્રધાન નગરો વ્યાપક છે. Il૭all Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तत्रेदं मानवावासं, महामोहादिभिः सदा । अन्तरङ्गजनैर्व्याप्तमेतैः कलकलाकुलम् ।।७४।। થમ્? क्वचिदिष्टजनप्राप्तौ, तोषनिर्भरमानुषम् । क्वचिद् द्वेष्यजनासत्तेर्विमनीभूतदुर्जनम् ।।७५।। શ્લોકાર્થ : ત્યાં=તે ચાર નગરમાં, કલકલ આકુલ એવું આ માનવાવાસ નગર મહામોહ આદિ આ અંતરંગ જનોથી સદા વ્યાપ્ત છે. કેવી રીતે ? એથી કહે છે – કોઈક સ્થાને ઇષ્ટ જનની પ્રાપ્તિમાં તોષથી નિર્ભર માનુષવાળું, ક્વચિત્ દ્વેષ્ય જનના સંગથી વિમનીભૂત દુર્જનવાળું=વ્યાકુળ થયેલા દુર્જનવાળું, આ માનવાવાસ નગર છે. II૭૪-૭૫|| શ્લોક ઃ क्वचिद्धनलवावाप्तिजनितानन्दसुन्दरम् । क्वचिद् द्रविणनाशोत्थबृहत्सन्तापतापितम् । । ७६।। શ્લોકાર્થ : ક્વચિત્ ધનલવની પ્રાપ્તિથી જનિત આનંદથી સુંદર, ક્વચિત્ ધનના નાશથી ઉત્પન્ન થયેલ મહા સંતાપથી તાપિત આ માનવાવાસ નગર છે. II૭૬II શ્લોક ઃ क्वचिद्दुर्लभसत्सूनुजन्माद्भुतमहोत्सवम् । क्वचिदत्यन्तचित्तेष्टमरणाक्रन्दगुन्दलम् ।।७७।। શ્લોકાર્થ ઃ ક્વચિત્ દુર્લભ એવા સુંદર પુત્રના જન્મથી અદ્ભુત મહોત્સવવાળું, ક્વચિત્ અત્યંત ચિત્તને ઈષ્ટ વ્યક્તિના મરણના આક્રંદથી વ્યાપ્ત આ માનવાવાસ નગર છે. 19911 શ્લોક ઃ क्वचित्सुभटसङ्घातप्रारब्धरणभीषणम् । क्वचिन्मिलितसन्मित्रविमुक्तनयनोदकम् ।।७८।। Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : કવચિત્ સુભટના સમૂહથી પ્રારંભ કરેલા યુદ્ધથી ભયંકર, ક્વચિત્ મિલિત થયેલા સંમિત્રને કારણે વિમુક્ત નયનના ઉદકવાળું હર્ષને બતાવનારાં આંસુવાળું આ માનવાવાસ નગર છે. ll૭૮ શ્લોક : क्वचिद्दारिद्र्यदौर्भाग्यविविधव्याधिपीडितम् । क्वचिच्छब्दादिसंभोगादलीकसुखनिर्भरम् ।।७९।। શ્લોકાર્થ : ક્વચિત્ દારિદ્ર, દૌર્ભાગ્ય, વિવિધ વ્યાધિઓથી પીડિત, કવચિત્ શબ્દાદિના સંભોગથી જુઠા સુખમાં નિર્ભર આ માનવાવાસ નગર છે. Il૭૯ll શ્લોક - क्वचित्सन्मार्गदूरस्थपापिष्ठजनपूरितम् । क्वचिच्च धर्मबुद्ध्याऽपि, विपरीतविचेष्टितम् ।।८।। શ્લોકાર્ય : કવચિત્ સન્માર્ગથી દૂર રહેલા પાપિઠજનોથી પરિત, અને કવચિત્ ધર્મબુદ્ધિથી પણ વિપરીત ચેષ્ટાવાળું અધર્મની ચેષ્ટાવાળું આ માનવાવાસ નગર છે. llcoll. શ્લોક : किं चेह बहुनोक्तेन? चरितानि पुरा मया । यावन्ति वर्णितान्युच्चैर्महामोहादिभूभुजाम् ।।८१।। तावन्ति वत्स! दृश्यन्ते, सर्वाण्यत्र विशेषतः । सततं मानवावासे, कारणैरपरापरैः ।।८।। શ્લોકાર્ચ - અને અહીં=માનવાવાસ નગર વિષયમાં, વધારે કહેવાથી શું ? પૂર્વમાં મારા વડે મહામોહાદિ રાજાઓનાં જેટલાં ચરિત્રો અત્યંત વર્ણન કરાયાં. હે વત્સ! તેટલાં સર્વ=મહામોહાદિ રાજાનાં સર્વ ચરિત્રો, આ=માનવાવાસમાં, પર-અપર કારણો વડે વિશેષથી સતત દેખાય છે. II૮૧-૮૨ાા. શ્લોક : तदिदं मानवावासं, किञ्चिल्लेशेन वर्णितम् । अधुना कथ्यते तुभ्यं, सत्पुरं विबुधालयम् ।।८३।। Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૨૨ श्लोकार्थ : તે આ માનવાવાસ કંઈક લેશથી વર્ણન કરાયું. હવે તને સત્પુર એવું વિબુધાલય=દેવલોક, हेवाय छे. ॥८३॥ श्लोक : नाकरूपमिदं ज्ञेयं, सत्पुरं विबुधालयम् । सत्पारिजातमन्दारसन्तानकवनाकुलम् ।।८४ ।। श्लोकार्थ : સ્વર્ગ રૂપવાળું આ સત્પુર વિબુધાલય સુંદર પારિજાત, મંદાર સંતાનક વૃક્ષોના વનથી આકુલ भा. ८४ ॥ श्लोक : उल्लसद्भिश्च गन्धाढ्यैर्नमेरुहरिचन्दनैः । सदा विकसितै रम्यं, कलारकमलाकरैः ।। ८५ ।। श्लोकार्थ : અને ઉલ્લાસ પામતા, ગંધથી યુક્ત વિકસિત એવા સુરપન્નાગવૃક્ષ અને હરિચંદનવૃક્ષો વડે કુમુદના સમૂહ અને કમળોથી સદા રમ્ય છે. II૮૫II श्लोड : पद्मरागमहानीलवज्रवैडूर्यराशिभिः । दिव्यहाटकसम्मिश्रैर्घटितानेकपाटकम् ।।८६।। प्रेङ्खन्मणिप्रभाजालैः, सदा निर्नष्टतामसम् । विचित्ररत्नसङ्घातमयूखैः प्रविराजितम् ।।८७।। दिव्यभूषणसद्गन्धमाल्यसंभोगलालितम् । नित्यप्रमोदमुद्दामगीतनृत्यमनोहरम् ।।८८ ।। नित्यं प्रमुदितैर्दिव्यैस्तेजोनिर्जितभास्करैः । लसत्कुण्डलकेयूरमौलिहारविराजितैः ।।८९।। कलालिकुलझङ्कारहारिमन्दारदामभिः । अम्लानवनमालाभिर्नित्यमामोदिताशयैः । । ९० ।। रतिसागरमध्यस्थैः, प्रीणितेन्द्रियसुस्थितैः । सदेदमीदृशैर्लोकैः, पूरितं विबुधालयम् ।। ११ ।। षड्भिः कुलकम् ।। Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :| દિવ્ય સુવર્ણથી મિશ્રિત એવા પદ્મરાગ, મહાનલ, વજ, વેડૂર્યની રાશિઓથી, ઘટિત અનેક પાટકવાળું છે=વિભાગવાળું છે. હાલતા મણિપ્રભાના જાલોથી સદા નાશ થયેલા અંધકારવાળું, વિચિત્ર રત્નોના વિવિધ પ્રકારના રત્નોનાં, કિરણોથી શોભતું છે. દિવ્યભૂષણ, સદ્ગા અને માલ્યના સંભોગથી લાલિત થયેલું, નિત્ય, પ્રમોદ, ઉદ્દામ, ગીત, નૃત્યથી મનોહર છે. નિત્ય, પ્રમુદિત દિવ્ય એવા લોકો વડે, તેજ વડે જીતી લીધો છે સૂર્ય જેણે એવાં ચળકતાં કુંડલ, બાજુબંધ, મુગટ અને હાર વડે શોભતા એવા લોકો વડે, સુંદર ભમરાના ઝંકારવાળા મનોહર કલ્પવૃક્ષની માલાવાળા એવા, નહિ કરમાયેલી વનમાલાવાળા, નિત્ય સુંદર આશયવાળા એવા લોકો વડે, રતિસાગરના મધ્યમાં રહેલા, પ્રીણિત ઈન્દ્રિયથી સુસ્થિત એવા લોકો વડે સદા આ વિબુધાલય પૂરિત છે. ૮િ૬થી ૯૧|| શ્લોક : यः पूर्वं वेदनीयाख्यनृपतेः पुरुषो मया । साताभिधानस्ते भद्र!, कथितस्तत्र मण्डपे ।।९२।। स कर्मपरिणामेन, जनालादविधायकः । विहितो निखिलस्यास्य, पुरस्य वरनायकः ।।९३।। युग्मम्।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! પૂર્વે વેદનીય નામના રાજાનો શાતા નામનો જે પુરુષ તત્ર=ચિત્તરૂપી અટવીના મંડપમાં મારા વડે તને કહેવાયેલો, કર્મપરિણામ રાજા વડે લોકોને આલ્લાદને કરનારો તે શાતા નામનો પુરુષ, નિખિલ આ નગરનો વિબુધાલય નામના નગરનો, વરનાયક કરાયો છે. ll૨-૯૩ શ્લોક : ततस्तेन लसद् भोगं, सततालादसुन्दरम् । રૂદ્દે દિ વત્સ! નિઃશેષ, થાર્થત વિવુથાત્રયમ્ ૨૪ શ્લોકાર્ય : તેથી હે વત્સ ! ભોગને ભોગવતું, સતત આફ્લાદથી સુંદર નિઃશેષ આ વિબુધાલય તેના વડે=શાતા નામના પુરુષ વડે, ધારણ કરાય છે. ll૯૪ll શ્લોક : प्रकर्षेणोदितं माम! महामोहादिभूभुजाम् । किमत्र प्रसरो नास्ति ? येनेदमतिसुन्दरम् ।।९५ ।। Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ विमर्शः प्राह मा मैवं, मन्येथास्त्वं कथञ्चन । प्रभवन्ति प्रकर्षेण यतोऽत्रान्तरभूभुजः ।।१६।। શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા! મહામોહાદિ રાજાઓનું શું અહીં-આ નગરમાં, પ્રસર નથી=આગમન નથી ? જેથી આ અતિ સુંદર છે. વિમર્શ કહે છે – આ પ્રમાણે તું ન માન, ન માન. જે કારણથી અહીં=આ વિબુધાલયમાં, કોઈક રીતે પ્રકર્ષથી આ અંતરંગ રાજાઓ પ્રભાવ પામે છે. II૫-૯૬ll. શ્લોક : ईर्ष्याशोकभयक्रोधलोभमोहमदभ्रमैः । सतताकुलितं वत्स! पुरं हि विबुधालयम् ।।१७।। શ્લોકાર્ચ - હે વત્સ! ઈર્ષા, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, મદના ભ્રમો વડે વિબુધાલય નગર સતત આકુલ છે. ll૯૭ી. શ્લોક : प्रकर्षः प्राह यद्येवं, ततोऽत्र ननु किं सुखम् ? । किं वेदं हष्टचित्तेन, भवता चारु वर्णितम् ? ।।९८।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે ઈર્ષાદિથી સતત આકુલ છે એ પ્રમાણે છે, તો અહીં= વિબુધાલયમાં, સુખ શું છે? અથવા તમારા વડે=વિમર્શ વડે, હર્ષિત ચિત્તથી કેમ સુંદર વર્ણન કરાયું ? Il૯૮ll શ્લોક : ततस्तेनोदितं वत्स! न सुखं परमार्थतः । नाप्यत्र सुन्दरं किञ्चित्तत्त्वतो विबुधालये ।।१९।। શ્લોકાર્થ : તેથી તેના વડે મામા વડે, કહેવાયું – હે વત્સ!પરમાર્થથી સુખ નથી. વળી આ વિબુધાલયમાં તત્વથી કંઈ સુંદર નથી. II૯૯ll શ્લોક : केवलं मुग्धबुद्धीनां, विषयामिषवाञ्छिनाम् । अत्रास्था महती वत्स! मयेदं तेन वर्णितम् ।।१००।। Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ = કેવલ વિષયરૂપી ઝેરની ઇચ્છાવાળા મુગ્ધ જીવોને અહીં=વિબુધાલયના સુખમાં, મોટી આસ્થા છે=અમે સુખી છીએ એ પ્રકારે મોટો વિશ્વાસ છે. તેથી મારા વડે=વિમર્શ વડે, હે વત્સ ! આ વર્ણન કરાયું=ત્યાં બધુ સુંદર છે એ વર્ણન કરાયું. II૧૦૦II શ્લોક ઃ શ્લોકાર્થ : इतरथा महामोहनरेन्द्रस्य, परिवारसमायुजः । વવ રાખ્યમ્? વવ ચ તોળાનાં, સુધવાર્તેતિ દુર્ઘટ? ।।૨૦।। પરિવાર સમાયુક્ત એવા ઈતરથા=વિષયાભિલાષવાળા જીવોને સુંદર જણાય એમ ન માનો તો, મહામોહ રાજાનું ક્યાં રાજ્ય છે ? અને લોકોને ક્યાં સુખની વાર્તા છે, એ દુર્ઘટ છે ? ||૧૦૧I શ્લોક ઃ तदिदं ते समासेन, कथितं विबुधालयम् । અધુના પશુસંસ્થાન, થ્યમાન નિવોધતા ।।૦૨।। ૧૨૫ શ્લોકાર્થ : તે આ વિબુધાલય તને સમાસથી મારા વડે કહેવાયું. હવે કહેવાતા પશુસંસ્થાનને=તિર્યંચગતિને તું સાંભળ. II૧૦૨૪ા શ્લોક ઃ बुभुक्षारतिसन्तापपिपासावेदनातुराः । दाहशोकभयोद्वेगबन्धताडनपीडिताः । । १०३ ।। सततं दुःखिता लोका, धार्यन्तेऽत्र पुरेऽखिलाः । મદામોદાતિમિર્વત્સ! વીનાઃ શરળનિતાઃ ||૪|| धर्माधर्मविवेकेन, विकलाः कलुषात्मकाः । તિષ્ઠત્ત્વનન્તનાતીયા:, પુરેત્ર પુરુષા: ત્તિ IIII શ્લોકાર્થ : ભૂખ, અરતિ, સંતાપ, પિપાસા, વેદનાથી આતુર, દાહ, શોક, ભય, ઉદ્વેગ, બંધ, તાડનથી પીડિત, સતત દુઃખિત બધા લોકો આ નગરમાં ધારણ કરાય છે. હે વત્સ ! મહામોહાદિથી દીન, Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શરણવર્જિત, ધર્માધર્મના વિવેકથી વિકલ, કલુષ સ્વરૂપવાળા, અનંત જાતીય પુરુષો આ નગરમાં= તિર્યંચ નગરમાં, રહે છે. II૧૦૩થી ૧૦૫।। શ્લોક ઃ ૧૨૬ तदिदं पशुसंस्थानं, वर्णितं ते महापुरम् । इदानीं वर्ण्यते वत्स! तदिदं पापिपञ्जरम् । । १०६ ।। શ્લોકાર્થ : તે આ પશુસંસ્થાન મહાપુર તને વર્ણન કરાયું. હે વત્સ ! હવે તે આ પાપીપંજર=નરક, વર્ણન કરાય છે. II૧૦૬ શ્લોક ઃ येऽत्र लोका महापापप्राग्भारभरपूरिताः । વન્તિ તેષાં દુ:ઘસ્ય, નાસ્તિ વિચ્છેદ્રસમ્ભવઃ ।।૨૭।। શ્લોકાર્થ : અહીં=પાપીપંજરમાં, મહાપાપના પ્રાક્ભારના ભરાવાથી પૂરિત=મહાપાપના ઉદયથી પૂરિત, જે લોકો વસે છે, તેઓને દુઃખના વિચ્છેદનો સંભવ નથી. II૧૦૭II શ્લોક ઃ योऽसौ ते वेदनीयाख्यनृपतेः पुरुषो मया । असातनामकः पूर्वं वर्णितस्तत्र मण्डपे । । १०८ । । तस्येदं भो ! महामोहराजेन निखिलं पुरम् । क्वचित्तोषितचित्तेन, भटभुक्त्या समर्पितम् । । १०९ ।। ततस्तेन पुरे सर्वे, परमाधार्मिनामकैः । અત્ર ોળા: વર્થ્યન્તે, પુરુષઃ સ્વનિયોનિતેઃ ।। ।। શ્લોકાર્થ : વેદનીય નામના રાજાનો જે આ અશાતા નામનો પુરુષ મારા વડે=વિમર્શ વડે, પૂર્વમાં તે મંડપમાં તને વર્ણન કરાયો, તોષચિત્તવાળા એવા મહામોહ રાજા વડે તેને=અશાતા નામના પુરુષને આ નિખિલ નગર ભટભુક્તિથી સમર્પણ કરાયું છે. તેથી તેના વડે=અશાતા વેદનીય વડે, સ્વનિયોજિત પરમાધામી નામના પુરુષો વડે આ પુરમાં=નગરમાં, સર્વ લોકો કદર્થના કરાય છે. II૧૦૮થી ૧૧૦|| Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ થમ્? पाय्यन्ते तप्तताम्राणि, नीयन्ते क्षतचूर्णताम् । खाद्यन्ते निजमांसानि दह्यन्ते तीव्रवह्निना । । १११ । । . શ્લોકાર્થ : કેવી રીતે કદર્શના કરાય છે ? એથી કહે છે તપ્ત તામ્રો=તપાવેલું સીસું, પિવડાવાય છે. ક્ષતચૂર્ણતાને લઈ જવાય છે=શરીર ઉપર ઘા કરીને ચૂર્ણતાને પ્રાપ્ત કરાવાય છે. પોતાનાં માંસો ખવડાવાય છે. તીવ્ર અગ્નિ વડે બળાવાય છે=પરમાધામી દ્વારા આ સર્વ કરાય છે. ૧૧૧|| શ્લોક ઃ 1 शाल्मलीरभिरोह्यन्ते, वज्रकण्टकसंकुलाः । તાર્યો વોવવદ્યુતાં, વત્સ! વૈતરણી નવીમ્ ।।૨।। ૧૨૭ શ્લોકાર્થ ઃ વજ્રના કંટથી સંકુલ એવાં શાલ્મલી વૃક્ષો આરોહણ કરાવાય છે. હે વત્સ ! ક્લેદબહુલ એવી વૈતરણી નદી તરાવાય છે. ।।૧૧૨।। શ્લોક ઃ छिद्यन्ते करुणाहीनैरसिपत्रवनेरितैः । कुन्ततोमरनाराचकरवालगदाशतैः ।।११३।। શ્લોકાર્થ : કરુણાથી હીન એવા પરમાધામીઓ વડે અસિપત્રવનથી પ્રેરિત સેંકડો અંત, તોમર, નારાચ, કરવાલ, અને ગદાઓ વડે છેદાય છે. ।।૧૧૩II શ્લોક ઃ पच्यन्ते कुम्भपाकेन, पाट्यन्ते क्रकचादिभिः । कलम्बवालुकापृष्ठे, भ्रज्ज्यन्ते चणका इव । । ११४ ।। શ્લોકાર્થ : કુંભપાકથી પચાવાય છે. કરવત આદિ દ્વારા ટુકડાઓ કરાય છે. ચણાની જેમ કલમ્બવાલુકાના પૃષ્ઠમાં શેકાવાય છે. ૧૧૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अन्यच्चपाटकाः सन्ति सप्तात्र, तत्राद्ये पाटकत्रये । परमाधार्मिकैरित्थं, जन्यते दुःखपद्धतिः ।।११५ ।। શ્લોકાર્ચ - અને બીજું અહીં=નરકાવાસમાં, સાત પાડાઓ છે. ત્યાં આધ પાટકમયમાં=ણ નારકાવાસમાં, પરમાધામીઓ વડે આ પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, દુઃખપદ્ધતિ ઉત્પન્ન કરાય છે. ll૧૧૫II શ્લોક : परस्परं च कुर्वन्ति, दुःखमेते निरन्तरम् । षट्सु पाटेषु भिद्यन्ते, सप्तमे वज्रकण्टकैः ।।११६।। શ્લોકાર્ચ - અને છ પાડાઓમાં આ નારકીઓ, પરસ્પર, નિરંતર દુઃખને કરે છે. સાતમા પાડામાં વજટકોથી ભેદાય છે. ll૧૧૬ll. શ્લોક : જિગ્યबुभुक्षया कदर्थ्यन्ते, प्रपीड्यन्ते पिपासया । काष्ठीभवन्ति शीतेन, वेदनावेगविह्वलाः ।।११७ ।। શ્લોકાર્ધ : વળી ભૂખથી કદર્થના કરાય છે, તૃષાથી પીડાય છે. વેદનાના આવેગથી વિલ્વલ એવા નારકીના જીવો ઠંડીથી કાષ્ઠ જેવા થાય છે. II૧૧૭ના શ્લોક : क्षणेन द्रवतां यान्ति, क्षणेन स्थिररूपताम् । क्षणेन च विलीयन्ते, गृह्णन्ति च शरीरकम् ।।११८ ।। શ્લોકાર્ધ : ક્ષણમાં દ્રવતાને પામે છે, ક્ષણમાં સ્થિરરૂપતાને પામે છે. ક્ષણમાં વિલીન થાય છે અને શરીરને ગ્રહણ કરે છે. II૧૧૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ न शक्तः कोटिजिह्वोऽपि दुःखं वर्णयितुं जनः । વસતામત્ર તોળાનાં, યાદૃશ પવિપત્નરે ।।૬।। શ્લોકાર્થ : ક્રોડ જિહ્વાવાળો પણ મનુષ્ય આ પાપીજરમાં વસતા લોકોને જેવું દુઃખ છે તેવું વર્ણન કરવા માટે સમર્થ નથી. II૧૧૯।। શ્લોક ઃ एकान्तदुःखगर्भार्थं, तदिदं पापिपञ्जरम् । થિત તે સમાસેન, પુર્ં વત્સ! મયાડધુના ।।૨૦।। ૧૨૯ શ્લોકાર્થ : એકાંત દુઃખના ગર્ભવાળું તે આ પાપીપંજરપુર સમાસથી મારા વડે હમણાં હે વત્સ ! તને કહેવાયું. II૧૨૦II શ્લોક ઃ तस्मादेतानि चत्वारि, विज्ञातानि यदि त्वया । पुराणि विदितं वत्स ! भवचक्रं ततोऽधुना । । १२१ । । શ્લોકાર્થ : તે કારણથી આ ચાર નગરો જો તારા વડે વિજ્ઞાત છે તો હે વત્સ ! હવે ભવચક્ર વિદિત 9.1192911 ભાવાર્થ -- વિચક્ષણની બુદ્ધિ તત્ત્વને જોવાની ઇચ્છાવાળી થાય છે તેના કારણે તત્ત્વ જોવાને અનુકૂળ જે બુદ્ધિનો પ્રકર્ષ વર્તે છે તે વિમર્શ દ્વારા તત્ત્વનો નિર્ણય કરવા પ્રવર્તે છે. વળી પ્રકર્ષને ભવચક્ર જોવાની ઉત્કટ ઇચ્છા થઈ; કેમ કે વિચક્ષણ પુરુષો ભવચક્રને યથાર્થ જાણીને ભવચક્રની વિડંબનાથી પોતાના આત્માનું રક્ષણ કરવા અર્થે યત્ન કરે છે અને પોતે ભવચક્રમાં હોવા છતાં ભવચક્રથી પર અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરવી એની જિજ્ઞાસાવાળા હોય છે. તેથી ભવચક્રથી પોતાનું ચિત્ત કેમ વિરક્ત થાય તે અર્થે નિપુણપ્રજ્ઞાપૂર્વક ભવચક્રનું અવલોકન કરે છે. તેથી પૂર્વમાં ભવચક્રનું અવલોકન કરતાં મકરધ્વજ કઈ રીતે વિડંબના કરે છે ઇત્યાદિ અનેક દૃષ્ટાંતોનું ભવચક્રમાં અવલોકન કર્યું. હવે વિમર્શ પ્રકર્ષને કહે છે કે ભવચક્રનું અવલોકન અત્યંત વિશાળ છે તેથી સંક્ષેપથી તેનું સ્વરૂપ ચાર ગતિની વિડંબના સ્વરૂપ છે તે બતાવતાં કહે છે – Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૩૦ (૧) માનવાવાસ=મનુષ્યગતિ : ભવચક્રમાં એક માનવાવાસ છે જ્યાં અનેક પ્રકારનાં સુખ-દુઃખોથી પૂર્ણ જીવોનું સ્વરૂપ દેખાય છે અને જ્યાં મહામોહાદિ અંતરંગ લોકો સતત કલકલ કરે છે, તેથી તે મહામોહના પરવશ થયેલા જીવોમાંથી કેટલાક હર્ષમાં કૂદાકૂદ કરે છે. કેટલાક ક્રોધાતુર બનતા દેખાય છે. કેટલાક સંસારનાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવતા દેખાય છે. તો કેટલાક પુણ્યના ઉદયથી ધનાદિને પ્રાપ્ત કરીને હર્ષિત થતા દેખાય છે. તેથી જેટલા પ્રકારના કષાયો છે, નોકષાયો છે અને અન્ય શાતાવેદનીય-અશાતાવેદનીય આદિ પુણ્ય-પાપપ્રકૃતિઓ છે તેને પરવશ અનેક પ્રકારના જીવો માનવાવાસમાં દેખાય છે. મનુષ્યલોકમાં જે જીવો ભગવાનના વચનથી ભાવિત છે તેઓ પ્રતિકૂળ અવસ્થા વર્તતી હોય તોપણ તત્ત્વના ભાવનથી અંતરંગ રીતે સ્વસ્થ વર્તે છે. જેમ રોગ નામનો બ્રાહ્મણ રાજાનો માન્ય બ્રાહ્મણ હતો. જિનવચનને પામેલો હતો. કોઈક કર્મના ઉદયથી કુષ્ટ રોગને પામેલો, છતાં સાવદ્ય પ્રવૃત્તિઓ કરીને રોગને મટાડવાની લેશ પણ ઇચ્છા નથી. તેના ઉત્તમ ચિત્તને જોઈને ઇન્દ્ર મહારાજાએ પ્રશંસા કરી. કોઈક દેવ પરીક્ષા કરવા આવે છે, બધાના રોગો મટાડે છે તેથી સ્વજનો, રાજા વગેરે બધા આગ્રહ કરે છે તોપણ સાવઘની પ્રવૃત્તિ જેમાં હોય તેવું કૃત્ય મારે કરવું નથી તેવી દઢ મનોવૃત્તિ હોવાથી કુષ્ઠ અવસ્થામાં પણ તે સુખી હતા. આથી જ વૈદ્યરૂપે આવેલા દેવતાનો અને રાજા આદિનો આગ્રહ હોવા છતાં સ્પષ્ટ ઔષધ ક૨વાની ના પાડે છે. એવા ઉત્તમ પુરુષોને વિષમ સંયોગમાં પણ ચિત્તના સ્વાસ્થ્યરૂપ મહાસુખ વર્તે છે. તેથી ભોગસામગ્રી વચમાં પણ કષાયોને વશ જીવ બાહ્યથી સુખી હોવા છતાં અંતરંગ દુઃખી થાય છે. મનુષ્યલોકમાં પણ વિપુલ ભોગસામગ્રી હોય તોપણ કષાયોને વશ અંતરંગ અને બહિરંગ અનેક પ્રકારના ક્લેશોને જીવ વેઠે છે. પરંતુ જેઓ જિનવચનથી ભાવિત છે તેઓને ક્વચિત્ કોઈક કર્મના ઉદયથી દુઃખ આવેલું હોય તોપણ ચિત્તથી સ્વસ્થ હોવાના કારણે તેઓ સુખી છે, વળી ભાવિમાં સર્વ પ્રકારના સુખની પરંપરાને પામે છે. (૨) વિબુધાલય=દેવગતિ : વળી, ભવચક્રમાં બીજું નગર વિબુધાલય અર્થાત્ દેવલોક છે જ્યાં પુણ્યના પ્રકર્ષવાળા જીવો દિવ્યભોગો, દિવ્યવિલાસો કરે છે. રત્ન, મણિઓ, ઉત્તમ સરોવરો, બગીચાઓ આદિથી તે તે વિમાનાધિપતિનાં વિમાનો યુક્ત છે. તેથી સર્વ પ્રકારના આનંદ-પ્રમોદમાં તેઓ વર્તે છે. અને ત્યાં મહામોહે શાતાવેદનીય કર્મના ઉદયને તે રાજ્ય આપેલું છે. તેથી વિબુધાલયમાં શાતાનું જ એક છત્ર સામ્રાજ્ય ચાલે છે તોપણ જીવમાં વર્તતા મહામોહાદિ પણ ત્યાં વિદ્યમાન છે, તેથી અતિ દીર્ઘ આયુષ્ય, અતિ વિપુલ ભોગસામગ્રીમાં પણ આરોગ્યાદિ ઉત્તમ ભાવો હોવા છતાં કેટલાક દેવો ઈર્ષ્યા, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, મદ ભાવોથી પણ આકુલ થાય છે; કેમ કે પોતાનાથી અધિક બીજાની સમૃદ્ધિ જોઈને તેઓને ઈર્ષ્યા થાય છે. ક્યારેક અનેક દેવીઓ હોવા છતાં કોઈક દેવી ચ્યવી જાય=મૃત્યુ પામે અને ગાઢ રાગ તેના પ્રત્યે હોય ત્યારે શોકમય બને છે. વળી, બલવાન દેવોથી કોઈક રીતે પરાભવ થાય તો ભયથી આકુલ બને છે જેમ ચમરેન્દ્રએ સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર ઉપર કુપિત થઈને ઉપપાત કર્યો અને સૌધર્મદેવે તેના ઉપર વજ્રનો ઘા કર્યો ત્યારે ભયભીત થઈને વીર ભગવાનના ચરણમાં જાય છે. વળી ક્યારેક પરસ્પર દેવીઓ સાથે મનભેદ થવાથી પણ ક્રોધ થાય છે. વળી, Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૩૧ બીજાઓની સમૃદ્ધિ જોઈને તેવી અધિક સમૃદ્ધિ મેળવવાનો લોભ થાય છે. વળી, કેટલાક દેવોમાં તત્ત્વને જોવામાં મૂઢતારૂપ મોહ વર્તે છે. કેટલાક દેવોમાં પોતાની સમૃદ્ધિનો મદ વર્તે છે. કેટલાકને તત્ત્વના વિષયમાં ભ્રમ વર્તે છે, તે સર્વ દેવો અનેક સમૃદ્ધિ વચ્ચે પણ પોતાના કાષાયિક ભાવોથી દુઃખી થાય છે. તેથી વિબુધાલયમાં પરમાર્થથી સુખ નથી. ફક્ત જે જીવો મનુષ્યલોકમાં વિરતિના પાલનના ફલ સ્વરૂપે દેવલોક પામ્યા છે તેઓનું ચિત્ત ભગવાનના વચનથી ભાવિત છે, અને પોતાના પુણ્યથી મળેલા ભોગમાં સંતુષ્ટ છે તેઓ જ દેવલોકમાં પણ સુખપૂર્વક જીવે છે. (૩) પશુસંસ્થાન=તિર્યંચગતિ વળી, ભવચક્રમાં ત્રીજું નગર પશુસંસ્થાન છે જેની અંદર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો છે જેઓ ભૂખ, અતિ, સંતાપ, પિપાસા, વેદનાથી આતુર, દાહ, શોક, ભય, ઉદ્વેગ, બંધ, તાડનથી પીડિત વગેરે અનેક પ્રકારનાં દુ:ખો વેઠે છે. બહુલતાએ મહામોહથી દીન, શરણ રહિત, ધર્માધર્મના વિવેક વગરના છે. ક્લિષ્ટ પાપો કરીને દુર્ગતિઓની પરંપરામાં જનારા છે અને તિર્યંચાવાસ બહુલતાએ અશાતાવેદનીય કર્મના ઉદયથી સંચાલિત છે છતાં પણ કેટલાક પશુઓ કંઈક પુણ્યના ઉદયથી સુખને પણ અનુભવનારા છે. વળી અત્યંત વિવેક વગરના પશુઓ છે આથી જ તેઓને પશુ કહેવાય છે, તોપણ કેટલાક જાતિસ્મરણ આદિથી કે તીર્થંકરની દેશનાથી કે કોઈક મહાપુરુષના સંબંધથી ધર્મને પામે છે. તેથી ઘણા ક્લેશ વચ્ચે પણ તેઓ તત્ત્વની બુદ્ધિથી આત્માને ભાવિત કરીને સદ્ગતિઓને પ્રાપ્ત કરે છે, તોપણ બહુલતાએ પશુસંસ્થાનમાં રહેલા જીવો અનેક પ્રકારનાં દુ:ખોને ભોગવે છે. : (૪) પાપીપંજર=નારકગતિ : વળી, ચોથું નગર પાપીપંજર છે જેની અંદર પાપ કરીને પાંજરામાં પુરાયેલા કેદીની જેમ નરકાવાસમાં પુરાયેલા અસંખ્યાતા જીવો છે જેઓને ક્ષેત્રકૃત મહાપીડા છે. પરસ્પર ક્ષુદ્ર પ્રકૃતિને કારણે મહાપીડા છે. તીવ્ર રોગોથી આક્રાંત શરીર હોવાથી મહાપીડા છે. ક્ષુધા, તૃષાની પરા-કાષ્ઠા છે અને ભોજન-પાણીનો સર્વથા અભાવ છે. વેદનાના આવેગથી વિલ્વલ છે તેથી અતિ દુઃખિત છે. વળી, પરમાધામી તેઓની અનેક કદર્થનાઓ કરે છે; કેમ કે તે જીવોના પાપથી પ્રેરાયેલા પરમાધામીને પણ તે તે પ્રકારે જ તે તે જીવોને પીડા કરવાનો પરિણામ થાય છે તેથી કેવલ દુઃખની પરાકાષ્ઠાનું વેદન કરનારા અત્યંત દુ:ખી જીવો તે પાપીપંજ૨માં છે જેઓ કલ્પનાતીત દીર્ઘ આયુષ્યવાળા, દુઃખી-દુઃખી, દીન, અશરણ જેવા છે. તેથી તેવા ક્ષુદ્ર જીવોમાં બહુલતાએ મોહનીયની પણ સર્વ પ્રકારની ક્લિષ્ટ પ્રકૃતિઓ વર્તે છે તોપણ કોઈક રીતે સમ્યક્ત્વને પામેલા જીવોને કંઈક અંશે કષાયોનો તાપ અલ્પ થાય છે. અન્ય પીડા તો પૂર્વભવના પાપના ફળ સ્વરૂપે તેઓ અવશ્ય ભોગવે છે અને આ નગરમાં અશાતાવેદનીયકર્મનું મુખ્ય સંચાલન છે. તેથી અશાતા કરાવનાર કર્મથી જ તેઓ સર્વ પ્રકારની વિડંબનાને પામે છે. આ પ્રકારે સંક્ષેપથી ભવચક્રનું અને ચાર ગતિની વિડંબનાનું સ્વરૂપ અવલોકન કરીને વિચક્ષણ પુરુષો હંમેશાં ભવના ભ્રમણ પ્રત્યે દ્વેષવાળા થાય છે. તેથી ભવથી વિરક્ત થયેલા તે મહાત્માઓ સુખપૂર્વક મોક્ષમાર્ગમાં જવા સમર્થ બને છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ अत्रान्तरे आकर्ण्य मातुलीयां तां, भारतीं भगिनीसुतः । અવાવાવરતો સૃષ્ટિ, મવદ્રે સમન્તતઃ ।।૨૨।। શ્લોકાર્થ : એટલામાં=વિમર્શે પ્રકર્ષને ચાર ગતિ સ્વરૂપે ભવચક્રનું સ્વરૂપ બતાવ્યું એટલામાં, મામાની તે વાણીને સાંભળીને ભગિનીના પુત્ર પ્રકર્ષે આદરપૂર્વક ચારે બાજુથી=બધી દિશાઓથી, ભવચક્રમાં દૃષ્ટિને આપી અર્થાત્ સર્વદૃષ્ટિથી ભવચક્રનું અવલોકન કર્યું. ૧૨૨।। શ્લોક ઃ ततो निःशेषतो वीक्ष्य, तारविस्फारितेक्षणः । त्वरयोद्विग्नचेतस्को, निजगाद ससंभ्रमः ।। १२३ ।। - થમ્? દા હા હા મામ! દૃશ્યન્તુ, હ્રષ્ટાઃ સપ્ત મહેતિાઃ । असूर्या नगरेऽमुष्मिन्, दारुणाकारधारिकाः । । १२४।। શ્લોકાર્થ : તેથી નિઃશેષથી જોઈને=ભવચક્રને જોઈને, તારવિસ્ફારિત નેત્રવાળો=સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરનારો, પ્રકર્ષ ત્વરાથી ઉદ્વિગ્ન ચિત્તવાળો સસંભ્રમ=સંભ્રમપૂર્વક, બોલ્યો. શું બોલ્યો ? એથી કહે છે હા હા હા મામા ! આ નગરમાં અસૂર્યા=અસુરી ભાવવાળી, દારુણ આકારને ધારણ કરનારી કષ્ટવાળી સાત મહિલાઓ દેખાય છે. II૧૨૩-૧૨૪]] શ્લોક ઃ आक्रान्ताशेषधामानः, कृष्णा बीभत्सदर्शनाः । वेताल्य इव नाम्नाऽपि, लोककम्पविधायिकाः । । १२५ ।। તા: વ્હા:? વિપ્રવુત્તા વા? વ્ઝિ વીર્યા: ? દ્દિ પરિચ્છવાઃ? । સ્વ વધાય, તથૈવંતનિશ્વયાઃ? ।।૨૬।। ચેષ્ટો શ્લોકાર્થ : આક્રાંત કર્યા છે અશેષ તેજ જેણે એવી, કૃષ્ણવર્ણવાળી, બીભત્સ, દર્શનવાળી, વેતાલ જેવી, નામથી પણ લોકના કંપનને કરનારી આ કોણ છે ? અથવા કોનાથી પ્રયુક્ત છે ? કેવા Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વીર્યવાળી છે? કેવા પર્ષદાવાળી છે ? અને આવા પ્રકારના કૃત નિશ્ચયવાળી તેઓ કોની બાધા માટે ચેષ્ટા કરે છે. ll૧૨૫-૧૨૬ શ્લોક : इदं मे सर्वमाख्यातं, यावदद्यापि नो त्वया । तावत्प्रतारणं मन्ये, भवचक्रस्य वर्णनम् ।।१२७ ।। શ્લોકાર્ય : આ સર્વ મને જ્યાં સુધી હજી પણ તમારા વડે મામા વડે, કહેવાયું નથી, ત્યાં સુધી ભવચક્રનું વર્ણન પ્રતારણ હું માનું છું=પૂર્ણ ભવચક્રનું તમે મને કહ્યું નથી તેમ હું માનું છું. ll૧૨ના શ્લોક : अतः समस्तं मामोऽदो, मह्यमाख्यातुमर्हति । विमर्शेनोदितं वत्स! निबोध त्वं निवेद्यते ।।१२८ ।। શ્લોકાર્ચ - આથી હે મામા ! આ સમસ્ત આ નારીઓ કોણ છે એ સમસ્ત, મને કહેવું યોગ્ય છે. વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! સાંભળ. તને નિવેદન કરાય છે. ll૧૨૮l जराजृम्भितम् શ્લોક : जरा रुजा मृतिश्चेति, खलता च कुरूपता । दरिद्रता दुर्भगता, नामतोऽमूः प्रकीर्तिताः ।।१२९ ।। જરાનું ભિત વિલસિત શ્લોકાર્ચ - જરા, જા, મૃતિ, ખલતા, કુરૂપતા, દરિદ્રતા, દુર્ભગતા, નામથી આ કહેવાઈ છે=નારીઓ કહેવાઈ છે. ll૧૨૯II શ્લોક : તંત્રसा कालपरिणत्याख्या, भार्या या मूलभूपतेः । तया प्रयोजिता तावज्जरेयं भवनोदरे ।।१३० ।। Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - ત્યાં=ભવચક્રમાં, મૂલરાજાની કર્મપરિણામ રાજાની, તે કાલપરિણતિ નામની જે ભાર્યા છે ભવનના ઉદરમાં તેણી વડે આ જરા પ્રયોજિત છે વ્યાપારવાળી કરાઈ છે. II૧૩૦II શ્લોક – बाह्यान्यपि निमित्तानि, वर्णयन्तीह केचन । अस्याः प्रयोजकानीति, लवणाद्यानि मानवाः ।।१३१।। શ્લોકાર્થ : અહીં=સંસારમાં, કેટલાક માનવો આના પ્રયોજકઃજરાના પ્રયોજક, લવણ આદિ બાહ્ય પણ નિમિત્તોનું વર્ણન કરે છે. ll૧૩૧૫ શ્લોક : वीर्यं पुनरदोऽमुष्या, यदाश्लेषेण देहिनाम् । हरत्यशेषसद्वर्णलावण्यं बलशालिनाम् ।।१३२।। શ્લોકાર્ચ - વળી, આમનું=કાલપરિણતિનું, આ વીર્ય છે. જેના આશ્લેષથી બલશાલી સંસારી જીવોના અશેષ સદ્વર્ણ, લાવણ્યને હરે છે=કાલપરિણતિ હરે છે. ll૧૩શા શ્લોક : गाढाश्लेषात्पुनर्वत्स! विपरीतमनस्कताम् । कुरुते शोच्यतां लोके, देहिनां वीर्यशालिनाम् ।।१३३।। શ્લોકાર્થ : વળી હે વત્સ! ગાઢ આશ્લેષથી વીર્યશાલી જીવોની લોકમાં વિપરીત મનકતારૂપ શોધ્યતાને કરે છે. ૧૩ll શ્લોક : वलीपलितखालित्यपिप्लुव्यङ्गकुवर्णताः । कम्पकर्कशिकाशोकमोहशैथिल्यदीनताः ।।१३४।। શ્લોકાર્થ : વલીપલિતઃકરચલી, ખાલિત્ય ટાલ, શરીર પર તલ અને અસ્તવ્યસ્ત અંગો, કદરૂપાપણું, કમ, કર્કશતા, શોક, મોહ, શૈથિલ્ય, દીનતા, II૧૩૪ll. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : गतिभङ्गान्ध्यबाधिर्यदन्तवैकल्यरीणताः । ગરાપરિવર: પ્રૌઢો, વાયુરત્ર વાનાણી: રૂડા શ્લોકાર્ચ - ચાલવાની શક્તિનો નાશ, અંધત્વ, બહેરાપણું, દાંત પડી જવાપણું, દાંત ખરી જવાપણું એ જરાનો પરિકર છે. એમાં પ્રૌઢવાયુબલ અગ્રણી છે મુખ્ય છે. ll૧૩પ. બ્લોક : अनेन परिवारेण, परिवारितविग्रहा । जरेयं विलसत्यत्र, मत्तेवगन्धहस्तिनी ।।१३६।। શ્લોકાર્ધ : આ પરિવારથી પરિવારિત શરીરવાળી આ જરા અહીં=ભવચક્રમાં, મત એવા ગંધહસ્તિની જેવી વિલાસ કરે છે. ll૧૩૬ બ્લોક : अधुना यस्य बाधायै, चेष्टते कृतनिश्चया । जरेयमेव तं वत्स! विपक्षं ते निवेदये ।।१३७ ।। શ્લોકાર્ચ - જેની બાધા માટે કૃતનિશ્ચયવાળી આ જ જરા ચેષ્ટા કરે છે, હે વત્સ ! હમણાં તે વિપક્ષને તને હું નિવેદન કરું છું. ll૧૩ળા. શ્લોક : तस्या एव महादेव्या, विद्यतेऽनुचरः परः । यौवनाख्य महावीर्यश्चञ्चदुद्दामपौरुषः ।।१३८ ।। શ્લોકાર્ચ - તે જ મહાદેવીનો=કાલપરિણતિ મહાદેવીનો, મહાવીર્ય અને ચંચલ, ઉદ્દામ પૌરુષવાળો યૌવન નામનો બીજો અનુચર વિધમાન છે. I૧૩૮ll બ્લોક : स च योगी तदादेशात्प्रविश्याङ्गेषु देहिनाम् । तनोति बलमौर्जित्यं, बन्धुराकारधारिताम् ।।१३९।। Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૩૬ શ્લોકાર્થ : તે યોગી=યૌવનરૂપ યોગી, તેના આદેશથી=કાલપરિણતિના આદેશથી, સંસારી જીવોનાં અંગોમાં પ્રવેશ કરીને બલ, તેજ, બંધુર આકારધારિતાને=સુંદર આકારધારિતાને, વિસ્તારે છે. II૧૩૯।। શ્લોક ઃ વિશ્વ विलासहासबिब्बोकविपर्यासपराक्रमैः । वल्गनोत्प्लवनोल्लासलासधावनसम्मदैः । । १४० ।। गर्वशोण्डीर्यषिङ्गत्वसाहसादिभिरुद्धतैः । युतः पदातिभिर्लोकैर्लीलया स विजृम्भते । ।१४१ ।। तत्सम्बन्धादमी भोगसम्भोगसुखनिर्भरम् । आत्मानं मन्वते लोका, भवचक्रनिवासिनः ।। १४२ ।। શ્લોકાર્થ વળી, વિલાસ, હાસ્ય, ચાળા, વિપર્યાસ અને પરાક્રમ વડે, કૂદકા મારવા, ઉલવન, ઉલ્લાસ, નૃત્ય, દોડવું અને હર્ષવાળા, ગર્વ, શોંડીર્ય, નપુંસકપણું, સાહસાદિવાળા ઉદ્ધત પદાતિ લોકોથી યુક્ત તે=યૌવન, લીલાપૂર્વક વિલાસ કરે છે. તેના સંબંધથી ભવચક્રવાસી આ લોકો ભોગ, સંભોગ સુખનિર્ભર આત્માને માને છે. II૧૪૦થી ૧૪૨।। શ્લોક ઃ : ततस्तं निजवीर्येण, यौवनाख्यमियं जरा । मृद्नाति सपरीवारं, क्रुद्धा कृत्येव साधकम् ।। १४३।। શ્લોકાર્થ : ત્યારપછી યૌવન નામના તેને જરા નિજવીર્યથી પરિવાર સહિત ચૂરી નાંખે છે. જેમ ક્રોધ પામેલી કૃત્યવાળી રાક્ષસી સાધકને મારી નાંખે છે. II૧૪૩।। શ્લોક ઃ ततस्ते जरसा वत्स! जना मर्दितयौवनाः । परीता दुःखकोटीभिर्जायन्ते दीनविक्लवाः । । १४४ ।। શ્લોકાર્થ : તેથી હે વત્સ ! તે લોકો જરાથી મર્દિત યોવનવાળા, દુઃખકોટિઓથી ઘેરાયેલા દીનભાવથી વિક્લવ થાય છે. ||૧૪૪।। Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : स्वभार्ययाऽप्यवज्ञाताः, परिवाराऽवधीरिताः । उत्प्रास्यमानाः स्वापत्यैस्तरुणीभिस्तिरस्कृताः ।।१४५।। स्मरन्तः पूर्वभुक्तानि, कासमना मुहुर्मुहुः । श्लेष्माणमुगिरन्तश्च, लुठन्तो जीर्णमञ्चके ।।१४६।। परतप्तिपराः प्रायः, क्रुध्यन्तश्च पदे पदे । आक्रान्ता जरया वत्स! केवलं शेरते जनाः ।।१४७।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ચ - સ્વભાર્યાથી પણ અવજ્ઞા પામેલા, પરિવારથી પણ અવગણના કરાયેલા, પોતાના પુત્રો વડે હસાતા, તરુણી સ્ત્રીઓ વડે તિરસ્કાર કરાતા, પૂર્વના ભોગોનું સ્મરણ કરતા, વારંવાર દુઃખી થતા, શ્લેખોનું ઉગિરણ કરતા, જીર્ણ ખાટલામાં આળોટતા, પ્રાયઃ પરપંચાયતમાં તત્પર, પદે પદે ક્રોધ કરતા, જરાથી આક્રાંત લોકો હે વત્સ ! કેવલ ઊંઘે છે. ll૧૪૫થી ૧૪૭ના શ્લોક : एषा जरा समासेन, लोकपीडनतत्परा । वर्णिता तेऽधुना वक्ष्ये, रुजां वैवस्वती भुजाम् ।।१४८।। શ્લોકાર્ય : લોકપીડનતત્પર આ જરા સમાસથી તને વર્ણન કરાઈ. હવે યમરાજની ભુજા એવી સુજાને હું કહીશ. ll૧૪૮ रुजारौद्रता બ્લોક : यो वेदनीयनृपतेरसाताख्यो वयस्यकः । वर्णितस्तत्प्रयुक्तेयं, रुजा तेन दुरात्मना ।।१४९।। સુજાની રોગોની, રૌદ્રતા શ્લોકાર્ય : જે વેદનીય રાજાનો અશાતા નામનો મિત્ર વર્ણન કરાયો. તે દુરાત્મા વડેઃવેદનીય નામના રાજા વડે, તેનાથી પ્રયુક્ત આ રુજા=રોગ છે=આશાતાવેદનીયથી પ્રયુક્ત આ રુજા છે. ll૧૪૯ll Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ वर्णयन्ति निमित्तानि, बहिर्भूतानि सूरयः । अस्याः प्रयोजकान्युच्चैर्नानाकाराणि शास्त्रतः । । १५० ।। धीधृतिस्मृतिविभ्रंशः, सम्प्राप्तिः कालकर्मणाम् । असात्म्यार्थागमश्चेति, रुजाहेतुरयं गणः । । १५१ । । શ્લોકાર્થ ઃ સૂરિઓ આના=રોગના, અત્યંત પ્રયોજક નાના પ્રકારના બહિર્ભૂત નિમિત્તોને શાસ્ત્રથી વર્ણન કરે છે. બુદ્ધિ, ધૃતિ, સ્મૃતિનો વિભ્રંશ, કાલ અને કર્મની સંપ્રાપ્તિ, અસાત્મ્ય અર્થનો આગમ. આ ગણ રોગનો હેતુ છે=બુદ્ધિનો ભ્રંશ, ધૃતિનો ભ્રંશ, સ્મૃતિનો ભ્રંશ, કાલ અને કર્મની સંપ્રાપ્તિ, પોતાના દેહને માટે કઈ વસ્તુ પ્રતિકૂળ છે, કઈ રીતે મારે ભોગાદિ કરવા જોઈએ જેથી રોગ ન થાય એ સર્વ સાત્મ્ય અર્થનો આગમ છે તેનાથી વિપરીત અસાત્મ્ય અર્થનો આગમ છે, આ સર્વ રોગના હેતુ છે. II૧૫૦-૧૫૧II શ્લોક ઃ वातपित्तकफानां च, यद्यत्संक्षोभकारणम् । रजस्तमस्करं चेति, तत्तदस्याः प्रयोजकम् ।।१५२।। શ્લોકાર્થ ઃ અને વાત, પિત્ત, કફોના જે જે સંક્ષોભનું કારણ છે અને રજ અને તમસ્કર=રાગ અને દ્વેષરૂપ પરિણામ, તે તે રોગના પ્રયોજક છે. ૧૫૨ શ્લોક ઃ હિન્દુ बाह्यान्यपि निमित्तानि, स एव परमार्थतः । असाताख्यः प्रयुङ्क्तेऽतः, स एव परकारणम् ।।१५३ ।। શ્લોકાર્થ ઃ પરંતુ બાહ્ય પણ નિમિત્તો પરમાર્થથી તે જ અશાતા નામનો પુરુષ પ્રયુક્ત કરે છે. આથી જ તે પરકારણ છે=મુખ્ય કારણ છે. II૧૫૩II શ્લોક ઃ प्रविष्टेयं शरीरेषु, योगित्वेन शरीरिणाम् । स्वास्थ्यं निहत्य वीर्येण, करोत्यातुरतां पराम् । । १५४ । । Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - સંસારી જીવોનાં શરીરોમાં યોગીપણાથી પ્રવેશ કરેલી આકરુજા, વીર્યથી પોતાના વીર્યથી સ્વાથ્યનું હનન કરીને અત્યંત પીડાને કરે છે. ll૧૫૪ll. બ્લોક : ज्वराऽतिसारकुष्ठार्शःप्रमेहप्लीहधूमकाः । अम्लकग्रहणीश्वाकहिक्काश्वासक्षयभ्रमाः ।।१५५ ।। गुल्महद्रोगसंमोहहल्लासानाहकम्पकाः । कण्डूकोष्ठारुचीशोफभगन्दरगलामयाः ।।१५६।। पामाजलोदरोन्मादशोषवीसर्पच्छर्दयः । नेत्ररोगशिरोरोगविद्रधिप्रमुखा भटाः ।।१५७।। सर्वेऽप्यस्याः परीवारः, स्वात्मभूतो महाबलः । यत्प्रभावादियं वत्स! रुजा जेतुं न पार्यते ।।१५८।। चतुर्भिः कलापकम्।। શ્લોકાર્ધ : જ્વર, અતિસાર, કુષ્ઠ, અર્શ=મસા, પ્રમેહ, પ્લીહ, ધૂમકા, અમ્લક સંગ્રહણી, શૂલ, હિક્કા, શ્વાસ, ક્ષય, ભ્રમ, ગુલ્મ, હૃદરોગ, સંમોહ, હલાસા=સખત હેડકી, નાહ=ગ્રહણી, કમ્પક, કંડૂકપણજ, કોષ્ઠ, અરુચિ, સોઝા, ભગંદર, ગલામય ગળાનો વ્યાધિ, પામા=ખસ, જલોદર, ઉન્માદ, શોષ, વીસર્પ, છન્દ=શરદી, નેત્રરોગ, શિરોરોગ, વિદ્રધિ વગેરે ભટો સર્વ પણ આનોકરુજાનો, પરિવાર સ્વ-આભભૂત મહાબલ છે જેના પ્રભાવથી આ રજા હે વત્સ ! જીતી શકાતી નથી. ll૧૫૫થી ૧૫૮l શ્લોક : अस्ति नीरोगता नाम, वेदनीयाख्यभूपतेः । पदातिनेह सातेन, प्रयुक्ता भवचक्रके ।।१५९।। શ્લોકાર્ચ - વેદનીય નામના રાજાના પદાતિ એવા શાતા વડે અહીં ભવચક્રમાં નીરોગતા પ્રયુક્ત કરાઈ. ll૧૫૯ll શ્લોક : सा वर्णबलसौन्दर्यधीधृतिस्मृतिपाटवैः । परीता कुरुते लोकं, सुखसन्दर्भनिर्भरम् ।।१६० ।। Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૪૦ શ્લોકાર્થ : વર્ણ, બલ, સૌંદર્ય, બુદ્ધિ, ધૃતિ, સ્મૃતિના પાટવથી પરીત=યુક્ત, તે=નીરોગતા, સુખસંદર્ભથી નિર્ભર લોકને કરે છે. II૧૬૦।। શ્લોક ઃ तां चैषा दारुणा हत्वा क्षणान्नीरोगतां रुजा । प्रवर्तयति लोकानां, तीव्रातिं तनुचित्तयोः । । १६१ ।। શ્લોકાર્થ ઃ અને તે નીરોગતાને, ક્ષણમાં હણીને દારુણ એવી આ સુજા લોકોનાં શરીર અને ચિત્તમાં તીવ્ર આર્તિ=પીડાને, પ્રવર્તાવે છે. ।।૧૬૧।। શ્લોક ઃ તેનેયં તક્રિયાતાય, રુનેહ્યં વત્સ! વાતે । एतदाक्रान्तमूर्तीनां, चेष्टा ऽ ऽ ख्यातुं न पार्यते । । १६२ । । શ્લોકાર્થ ઃ તે કારણથી આ રજા તેના વિઘાત માટે=નીરોગતાના વિઘાત માટે, હે વત્સ ! કૂદે છે. આ રુજાથી આક્રાંત સ્વરૂપવાળા જીવોની ચેષ્ટા કહેવા માટે શક્ય નથી. II૧૬૨।। શ્લોક ઃ તથાદિ कूजन्ति करुणध्वानैः क्रन्दन्ति विकृतस्वराः । रुदन्ति दीर्घपूत्कारैरारटन्ति सविह्वलाः ।।१६३।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે – કરુણ ધ્વનિ વડે અવાજ કરે છે=દુઃખના ઉદ્ગારો કાઢે છે. વિકૃત સ્વરવાળા જીવો ક્રંદન કરે છે. દીર્ઘ પૂત્કારોથી રડે છે. વિહ્વલ સહિત એવા પુરુષો બૂમો પાડે છે. II૧૬૩।। શ્લોક ઃ गाढं दीनानि जल्पन्ति, रुण्टन्ति च मुहुर्मुहुः । लुठन्तीतस्ततो मूढाश्चेतयन्ते न किञ्चन ।। १६४ । Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : ગાઢ દીનવચનોને બોલે છે. વારંવાર રોષવાળા થાય છે. મૂઢ એવા તેઓ આમતેમ આળોટે છે. કંઈક ચેતનાને પામતા નથી=સ્વસ્થતાને પામતા નથી. II૧૬૪. શ્લોક : नित्यमार्ताः सदोद्विग्नाः, विक्लवास्त्राणवर्जिताः । भयोद्घान्तधियो दीना, नरकेष्विव नारकाः ।।१६५।। भवन्ति भवचक्रेऽत्र, सत्त्वाः पापिष्ठयाऽनया । हत्वा नीरोगतां वत्स! रुजया परिपीडिताः ।।१६६।। શ્લોકાર્ય : હંમેશાં આર્ત, સદા ઉદ્વિગ્ન, વિક્લવો અને ત્રાણથી રહિત, ભયથી ઉદ્ઘાંતબુદ્ધિવાળા, દીન મનુષ્યો નરકમાં નારકીઓ જેવા આ ભવચક્રમાં થાય છે. આ પાપિષ્ઠ એવી રુજાથી હે વત્સ! નીરોગતાને હણીને પરિપીડીત થાય છે. II૧૫-૧૬ શ્લોક : तदेषा लेशतो वत्स! रुजा ते गदिता मया । मृतिर्मर्दितविश्वेयं, साम्प्रतं ते निवेद्यते ।।१६७।। શ્લોકાર્ય : હે વત્સ ! તે આ લેશથી રાજા તને મારા વડે કહેવાઈ. મર્દિત કર્યું છે વિશ્વને જેણે એવી આ મૃતિ=મૃત્યુ, હવે તને નિવેદન કરાય છે. ll૧૬૭ી. मृतिमारकता બ્લોક : योऽसौ ते दर्शितः पूर्वमायुर्नामा महीपतिः । चतुर्नरपरीवारस्तत्क्षयोऽस्याः प्रयोजकः ।।१६८।। મૃતિની=મરણની મારકતા શ્લોકાર્ચ - પૂર્વમાં જે આ તને ચાર મનુષ્યોના પરિવારવાળો આય નામનો રાજા બતાવ્યો, તેનો ક્ષય મૃતિનો મૃત્યુનો પ્રયોજક છે. II૧૬૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : प्रयुज्यते विचित्रैश्च, बहिर्हेतुशतैरियम् । विषाग्निशस्त्रपानीयगिरिपातातिसाध्वसैः ।।१६९।। શ્લોકાર્થ : વિષ, અગ્નિ, શસ્ત્ર, પાણી, ગિરિપાત, અતિ ભય એવા વિચિત્ર બહારના સેંકડો હેતુથી આ=કૃતિ, પ્રયોજિત કરાય છે. I/૧૬૯II શ્લોક : बुभुक्षाव्याधिदुळलपिपासोष्णहिमश्रमैः । वेदनाहारदुर्ध्यानपराघाताऽरतिभ्रमैः ।।१७०।। प्राणापानोपरोधाद्यैः, किं तु तैरप्युदीरिता । तमेवायुःक्षयं प्राप्य, मृतिरेषा विवल्गते ।।१७१।। શ્લોકાર્ય : બુભક્ષા, વ્યાધિ, દુર્ગાલ એવી પિપાસા, ઉષ્ણ-હિમ=ગરમી-ઠંડી અને શ્રમ વડે, વેદના, આહાર, દુર્ગાન, પરાઘાત, અરતિ અને ભ્રમો વડે, પ્રાણ-અપાનના ઉપરોધ આદિ વડે શ્વાસોચ્છવાસના અવરોધ વડે તેઓથી ઉદીરિત એવા=પૂર્વમાં કહેલા હેતુઓથી પ્રેરિત એવા, તે જ આયુષ્યક્ષયને પ્રાપ્ત કરીને આ મૃતિ કૂદાકૂદ કરે છે. ll૧૭૦-૧૭૧|| શ્લોક : वीर्यं पुनरदोऽमुष्या, यदियं देहिनां क्षणात् । हरत्युच्छ्वासनिःश्वासं, चेष्टां भाषां सचेतनाम् ।।१७२।। શ્લોકાર્ચ - વળી, આનું મૃતિનું, આ વીર્ય છે જે આમૃતિ, સચેતન એવા જીવોની ભાષા, ચેષ્ટા અને શ્વાસોચ્છવાસને ક્ષણમાં હરે છે. II૧૭૨ાા. શ્લોક : विधत्ते रक्तनि शं, वैकृत्यं काष्ठभूतताम् । दौर्गन्ध्यं च क्षणादूर्वा, स्वपनं दीर्घनिद्रया ।।१७३।। શ્લોકાર્ચ - લોહીના નાશને, વિકૃતિપણાને, કાષ્ઠભૂતતાને અને દુર્ગધતાને ક્ષણ પછી દીર્ઘનિદ્રા વડે સ્વપનને=ઊંઘી જવું તેને, કરે છે=મૃતિ કરે છે. ll૧૭૩| Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : परिवारस्तु नास्त्यस्या, न चेयं तमपेक्षते । इयं हि तीव्रवीर्येण, सदैका किंमनुष्यिका ।। १७४।। શ્લોકાર્થ ઃ વળી આનો પરિવાર નથી. અને આ=કૃતિ, તેની=પરિવારની, અપેક્ષા રાખતી નથી. =િજે કારણથી, આ=કૃતિ, તીવ્ર વીર્યથી સદા એક કિંમનુષ્યકા છે=સમર્થ સ્ત્રી છે. II૧૭૪|| શ્લોક ઃ यतोऽस्या नाममात्रेण, भुवनं सचराचरम् । सनरेन्द्रं सदेवेन्द्रं, कम्पते त्रस्तमानसम् ।।१७५ ।। શ્લોકાર્થ : જે કારણથી આના નામ માત્રથી=મૃત્યુના નામ માત્રથી, ત્રસ્ત માનસવાળા નરેન્દ્ર સહિત, દેવેન્દ્ર સહિત સચરાચર ભુવન કાંપે છે. II૧૭૫।। શ્લોક ઃ सद्वीर्यबलभाजोऽपि प्रभवोऽपि जगत्त्रये । आसन्नामपि मत्त्वैनां भवन्ति भयकातराः । । १७६ ।। ૧૪૩ શ્લોકાર્થ : સીર્ય બલવાળા પણ, જગત્પ્રયમાં પ્રભાવવાળા પણ, આસન્ન પણ આને=મૃત્યુને, જાણીને ભયથી કાયર થાય છે. ।।૧૭૬ શ્લોક ઃ अतः परिच्छदेनास्यास्तात ! किं वा प्रयोजनम् ? । एकिकापि करोत्येषा, दूरे यत्श्रूयतेऽद्भुतम् ।।१७७।। શ્લોકાર્થ ઃ હે તાત પ્રકર્ષ ! આથી આના પરિચ્છેદથી=મૃતિના પરિવારથી, શું પ્રયોજન છે ? અર્થાત્ કોઈ પ્રયોજન નથી. એકાકી પણ આ=કૃતિ, દૂરમાં રહેલ જે અદ્ભુત સંભળાય છે તે કરે છે. II૧૭૭।। શ્લોક ઃ अत एव सदैश्वर्यादियमुद्दामचारिणी । किञ्चिन्नापेक्षते वत्स ! विचरन्ती यथेच्छया । । १७८ ।। Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ईश्वरेषु दरिद्रेषु, वृद्धेषु तरुणेषु च । दुर्बलेषु बलिष्ठेषु, धीरेषु करुणेषु च ।।१७९।। आपद्गतेषु हृष्टेषु, वैरभाजिषु बन्धुषु । तापसेषु गृहस्थेषु, समेषु विषमेषु च ।।१८०।। શ્લોકાર્ધ : આથી જ હે વત્સ ! યથેચ્છાથી વિચરતી સદા ઐશ્વર્યથી ઉદ્દામચારિણી એવી આ=મૃતિ, ઈશ્વરોમાં ધનાઢ્યોમાં, દરિદ્રોમાં, વૃદ્ધોમાં, તરુણોમાં, દુર્બલોમાં, બલિષ્ઠોમાં, ઘીર પુરુષોમાં, કરુણાવાળામાં, આપત્તિને પામેલામાં, હષ્ટોમાં, વેરભાજી જીવોમાં, બંધુઓમાં, તાપસોમાં, ગૃહસ્થોમાં, સમાનપરિણામવાળાઓમાં સમભાવવાળા મુનિઓમાં, વિષમ પરિણામવાળાઓ અસમભાવવાળા જીવોમાં કંઈ અપેક્ષા રાખતી નથી. II૧૭૮થી ૧૮oll બ્લોક : किञ्चात्र बहनोक्तेन? सर्वावस्थागतेष्वियम् । प्रभवत्येव लोकेषु, भवचक्रनिवासिषु ।।१८१।। શ્લોકાર્થ : અહીં બહુ વક્તવ્ય વડે શું? સર્વ અવસ્થાગત એવા ભવચક્રનિવાસી લોકોમાં આકમૃતિ, પ્રભાવ પામે જ છે. II૧૮૧II. શ્લોક : अस्त्यङ्गभूता सद्भार्या, जीविका नाम विश्रुता । तस्यायुर्नामनृपतेर्लोकालादनतत्परा ।।१८२।। શ્લોકાર્ય : લોકનું આહ્વાદન કરવામાં તત્પર, જીવિકા નામની સંભળાતી તે આયુષ્ય નામના રાજાની અંગભૂત સહ્માર્યા છે. ||૧૮૨| શ્લોક : तबलादवतिष्ठन्ते, निजस्थानेष्वमी जनाः । अतो हितकरत्वेन, सा सर्वजनवल्लभा ।।१८३।। શ્લોકાર્ય : તેના બલથી આ લોકો નિજસ્થાનમાં રહે છે. આથી હિતકરપણાથી તે=જીવિકા નામની સભાર્યા, સર્વજનને વલ્લભ છે. II૧૮૩II. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अतस्तां जीविकां हत्वा, मृतिरेषा सुदारुणा । लोकं स्वस्थानतोऽन्यत्र, प्रेषयत्येव लीलया ।।१८४ ।। શ્લોકાર્ચ - આથી તે જીવિકાને હણીને સુદારુણ એવી આ કૃતિ લોકને સ્વસ્થાનથી અન્યત્ર લીલાથી મોકલે જ છે. ll૧૮૪ll શ્લોક : प्रहिताश्च तथा यान्ति, दृश्यन्ते न यथा पुनः । नीयन्ते च तथा केचिद्यथाऽसौ रिपुकम्पनः ।।१८५।। શ્લોકાર્ચ - અને મોકલાયેલા=મૃતિથી પરસ્થાનમાં મોકલાયેલા, તે પ્રકારે જાય છે જે પ્રકારે ફરી દેખાતા નથી. અને તે પ્રકારે કેટલાક લઈ જવાય છે જે પ્રમાણે આ રિપકંપન. ll૧૮પી શ્લોક : व्रजन्तश्च धनं गेहं, बन्धुवर्गं परिच्छदम् । सर्वं विमुच्य गच्छन्ति, मृत्यादेशेन ते जनाः ।।१८६।। શ્લોકાર્ચ - મૃત્યુના આદેશથી જતા=પરલોકમાં જતા, તે જીવો ધન, ગૃહ, બંધુવર્ગ, પરિવાર સર્વને છોડીને જાય છે. II૧૮૬ll શ્લોક : एकाकिनः कृतोद्योगाः, सुकृतेतरशम्बलाः । दीर्घ मार्गं प्रपद्यन्ते, सुखदुःखसमाकुलम् ।।१८७।। શ્લોકાર્ચ - એકાકી, કૃત ઉધોગવાળા, સુકૃતના અને ઈતરના દુકૃતના ભાતાવાળા, સુખ-દુઃખથી સમાકુલ એવા દીર્ઘમાર્ગને પ્રાપ્ત કરે છે=મૃતિના આદેશથી જે જીવો વર્તમાનના ભવને છોડીને જાય છે તેઓએ આ ભવમાં જે ઉઘોગ કરેલ છે તેને અનુરૂપ પુણ્ય અને પાપ રૂપે ભાતું પ્રાપ્ત કર્યું છે અને તે પ્રમાણે જન્માંતરમાં સુખ-દુઃખથી યુક્ત દીર્ઘમાર્ગને પ્રાપ્ત કરે છે. ll૧૮૭ll Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तन्निजास्तु तथा कृत्वा, रोदनाक्रन्दगुन्दलम् । लगन्ति स्वीकृत्येषु, खादन्ति च पिबन्ति च ।। १८८ ।। विभजन्ते धनं भागैः युध्यन्ते च तदर्थिनः । सारमेया इवासाद्य, किञ्चिदामिषखण्डकम् ।।१८९।। શ્લોકાર્થ : વળી તેમના નિજપુરુષો તે પ્રમાણે રુદન, આક્રંદથી ગુંદલ કરીને=રોકકળ કરીને, પોતાના કૃત્યોમાં લાગે છે. અને ખાય છે, પીએ છે, ભોગોથી ધનનો વિભાગ કરે છે અને કંઈક આમિષખંડને= માંસના ટુકડાને, પામીને સારમેયની જેમ=કૂતરાની જેમ, તેના અર્થીઓ=મૃત્યુ પામેલા પુરુષના ધનના અર્થીઓ, યુદ્ધ કરે છે. II૧૮૮-૧૮૯।। શ્લોક ઃ શ્લોક ઃ तदर्थं तु कृताघौघास्ते जनाः दुःखकोटिभिः । केवलाः परिपीड्यन्ते मृत्यादिष्टा बहिर्गताः । । १९० ।। શ્લોકાર્થ ઃ વળી તેના માટે=તે ધનના માટે કરાયેલા પાપના સમૂહવાળા તે જીવો મૃત્યુથી પ્રાપ્ત કરાયેલા બીજા ભવમાં ગયેલા સેંકડો દુઃખોથી કેવલ પીડાય છે. II૧૯૦|| શ્લોક ઃ एवं च स्थिते निवेदिता मृतिर्वत्स ! नानाकारेषु धामसु । संचार्यते यया लोको, भवचक्रे मुहुर्मुहुः । । १९१ ।। શ્લોકાર્થ ઃ આ પ્રમાણે સ્થિત હોતે છતે, હે વત્સ પ્રકર્ષ ! મૃતિ નિવેદન કરાઈ. જેના વડે=જે મૃતિ વડે, લોકો ભવચક્રમાં અનેક આકારવાળાં સ્થાનોમાં વારંવાર સંચાર કરાય છે. ।।૧૯૧।। खलताऽऽख्यानम् अधुना वर्ण्यमानेयं, खलताऽप्यवधार्यताम् । एतत्स्वरूपविज्ञाने, यद्यस्ति तव कौतुकम् । । १९२ । । Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ખલતાનું આખ્યાન શ્લોકાર્થ : હવે વર્ણન કરાતી આ ખલતા પણ અવધારણ કરાઓ, જે કારણથી આના સ્વરૂપના વિજ્ઞાનમાં= ખલતાના સ્વરૂપના વિજ્ઞાનમાં, જો તને કૌતુક છે. II૧૯૨૪ શ્લોક ઃ अस्ति पापोदयो नाम, सेनानीर्मूलभूपतेः । પ્રવુત્ત્તા તાત! તેનેષા, ઘનતા મવાoરૂ।। શ્લોકાર્થ : મૂલ ભૂપતિનો પાપોદય નામનો સેનાની છે=કર્મપરિણામ રાજાનો પાપોદય નામનો સેનાની છે, તેના વડે=પાપોદય વડે, હે તાત પ્રકર્ષ ! ભવચક્રમાં આ ખલતા પ્રયુક્ત છે. II૧૯૩]] શ્લોક ઃ बहिर्निमित्तमप्यस्याः, किल दुर्जनसङ्गमः । વાં તત્ત્વતઃ સોપિ, પાપોદ્યનિમિત્તઃ ।।o૪।। ૧૪૭ શ્લોકાર્થ : આનું=ખલતાનું, બહિર્નિમિત્ત પણ દુર્જનનો સંગમ છે. કેવલ તે પણ=દુર્જનનો સંગમ પણ, તત્ત્વથી પાપોદય નિમિત્તક છે અર્થાત્ તેવા પ્રકારના પાપોદય નિમિત્તે જીવને દુર્જનનો સંગમ થાય છે અને દુર્જનના સંગમથી પોતાનામાં ખલતા પ્રગટે તેવો પાપનો ઉદય થાય છે, માટે ખલતા અને દુર્જનનો સંગમ બંને પાપના ઉદયથી થનારા ભાવો છે. ।।૧૯૪][ શ્લોક ઃ वीर्यमस्याः शरीरेषु, वर्तमानेयमुच्चकैः । कुरुते देहिनां दुष्टं, मनः पापपरायणम् । । १९५ । । શ્લોકાર્થ : શરીરોમાં વર્તમાન આ=ખલતા, દેહીઓના=જીવોના, દુષ્ટને અત્યંત કરે છે. પાપપરાયણ મન આનું વીર્ય છે=ખલતાનું વીર્ય છે=જે જીવોના શરીરમાં ખલતા પ્રગટે છે તે જીવો બીજા જીવોનું અત્યંત દુષ્ટ કરે છે અને ખલતાવાળા જીવોનું પાપપરાયણ મન તે ખલતાનું વીર્ય છે. ।।૧૫।। શ્લોક ઃ शाठ्यपैशुन्यदौः शील्यवैभाष्यगुरुविप्लवाः । मित्रद्रोहकृतघ्नत्वनैर्लज्ज्यमदमत्सराः ।।१९६।। Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ मर्मोद्घट्टनवैयात्ये, परपीडननिश्चयाः । Íર્વાશ્યપ વિશેવાઃ, વ્રુતતાપરિવારિòા:।।૨૬૭।। યુમન્ાા શ્લોકાર્થ : શાક્ય, પેશુન્ય, દૌ:શીલ્ય, વૈભાષ્ય, ગુરુનો વિપ્લવ, મિત્રનો દ્રોહ, કૃતઘ્નત્વ, નિર્લજ્જપણું, મદ, મત્સર, મર્મના ઉદ્ઘટનનું વૈયાત્ય=બીજાના મર્મોને પ્રગટ કરવાનું દુષ્ટપણું, પરપીડનના નિશ્ચયો, ઈર્ષ્યાદિ, ખલતાની પરિચારિકા જાણવી=જીવમાં ખલતા નામનો દોષ આવે છે તેની સાથે થનારા શાઠ્યાદિ ભાવો તે જીવમાં પ્રગટ થાય છે તેથી તે ભાવો ખલતાની પરિચારિકા છે. ૧૯૬-૧૯૭II શ્લોક ઃ अस्ति पुण्योदयो नाम, द्वितीयो मूलभूपतेः । सेनानीस्तत्प्रयुक्तोऽस्ति, सौजन्याख्यो नरोत्तमः । । १९८।। શ્લોકાર્થ ઃ મૂલભૂપતિનો પુણ્યોદય નામનો બીજો સેનાની છે. તત્વયુક્ત સૌજન્ય નામનો નરોત્તમ છે= કર્મપરિણામ રાજા રૂપ મૂલભૂપતિનો પુણ્યોદય નામનો પાપોદય કરતાં અન્ય બીજો સેનાની છે. તે પુણ્યોદયથી પ્રયુક્ત સૌજન્ય નામનો જીવના પરિણામ રૂપ નરોત્તમ છે. II૧૯૮ શ્લોક ઃ स वीर्यधैर्यगाम्भीर्यप्रश्रयस्थैर्यपेशलैः । परोपकारदाक्षिण्यकृतज्ञत्वार्जवादिभिः । । १९९ ।। युतः पदातिभिस्तात ! जनं बन्धुरमानसम् । ર્વાળો નિખવીર્યેળ, સત્પુધાક્ષોવેશનમ્ ।૨૦૦।। सद्धर्मलोकमर्यादां, सदाचारं सुमित्रताम् । घटयंश्चातुलां लोके, सद्विश्रम्भसुखासिकाम् ।।२०१ । । जनयत्येव केषाञ्चिद् भवचक्रेऽपि देहिनाम् । निर्मिथ्यं चारुताबुद्धिं, गाढं सौन्दर्ययोगतः ।।२०२ ।। શ્લોકાર્થ ઃ તે=સૌજન્ય નામનો પરિણામ, વીર્ય, ધૈર્ય, ગાંભીર્ય, પ્રશ્રય=વિશ્વાસ, સ્વૈર્ય, પેશલ, પરોપકાર, દાક્ષિણ્ય, કૃતજ્ઞત્વ, આર્જવાદિ પદાતિઓથી યુક્ત હે તાત્ ! નિજવીર્યથી સસુધાના ચૂર્ણથી પેશલ મનોહરમાનસવાળા જનને કરતો સદ્ધર્મલોકની મર્યાદાને, સદાચારને, લોકમાં સદ્ વિશ્રમ્ભ સુખાસિકા રૂપ અતુલ સુમિત્રતાને ઘટળ કરતો, ભવચક્રમાં પણ કેટલાક જીવોને ગાઢ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સૌંદર્યના યોગથી નિર્મિધ્યા સુંદર બુદ્ધિને પ્રગટ કરે જ છે સૌજન્ય નામનો પરિણામ પ્રગટ કરે જ છે. ll૧૯ત્થી ૨૦૨૨ શ્લોક : तस्येयं खलता तात! नितरां परिपन्थिनी । યતઃ સમૃતષા તુ, વનવૃવિષાધિવા પાર૦રૂા. શ્લોકાર્ધ : હે તાત પ્રકર્ષ ! તેની=સૌજન્યની, આ ખલતા અત્યંત વિરોધી છે જે કારણથી તે સૌજન્ય, અમૃત છે. વળી આ ખલતા, કાલકૂટ વિષથી અધિક છે. ર૦૩ શ્લોક : अतो निहत्य तं वीर्यादियं पापिष्ठमानसा । एवं विवर्तते वत्स! पुरेऽत्र सपरिच्छदा ।।२०४।। શ્લોકાર્ચ - આથી સૌજન્યનો ખલતા સાથે વિરોધ છે આથી, વીર્યથી તેને=સોજન્યને, હણીને પાધિષ્ઠ માનસવાળી આeખલતા, હે વત્સ! આ નગરમાં ભવચક્ર નગરમાં, પોતાના પરિવાર સહિત તેના સહવર્તી દોષોરૂપ પરિવાર સહિત, આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વર્તે છે. Il૨૦૪ શ્લોક : एनया हतसौजन्याश्चेष्टन्ते यादृशं जनाः । तदुक्त्याऽलं तथापीषद् भणित्वा तव कथ्यते ।।२०५।। શ્લોકાર્ય : આનાથીeખલતાથી, હણાયેલા સૌજન્યવાળા લોકો જે પ્રકારે ચેષ્ટા કરે છે તéક્તિથી તેના કથનથી, સર્યું, તોપણ કંઈક કહીને તને કહેવાય છે. ll૨૦૫ll શ્લોક - चर्चितानेकदुर्मायाः, परवञ्चनतत्पराः । નિષ્યિEા દેવયા, મુનૈદા: રવાના: સુદા: રદ્દા શ્લોકાર્ય : ચર્ચિત થયેલ અનેક દુર્માયાવાળા, પરવંચનમાં તત્પર, દ્વેષના યંત્રથી નિષ્પિષ્ટ, મુક્ત સ્નેહવાળા પષ્ટ ખલો હોય છે. ર૦૬ll Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ अगृह्यमाणाः सत्कृत्यैर्भषन्तः संस्तुतेष्वपि । खादन्तो निजवर्गांश्च, ते खला मण्डलाधिकाः । । २०७ ।। શ્લોકાર્થ : સત્કૃત્યોથી અગૃહ્યમાન, સંસ્તુત એવા જીવો વિષયક પણ=સુંદર પ્રકૃતિવાળા પણ જીવો વિષયક, ખરાબ બોલતા, નિજવર્ગને ખાદન કરતા=વિનાશ કરતા, મંડલથી અધિક=કૂતરાથી અધિક, તે ખલો છે. II૨૦૭II શ્લોક ઃ उत्पादयन्तश्छिद्राणि, पातयन्तः स्थिरामपि । कार्ये त्रिपिटिकां कुर्युरुद्वेगं ते खलाः खलु ।। २०८ ।। શ્લોકાર્થ : તે ખલો છિદ્રોને ઉત્પાદન કરતા, સ્થિરોને પણ પાત કરતા, કાર્યમાં ત્રિપિટિકારૂપ ઉદ્વેગને કરે છે. II૨૦૮II શ્લોક : चित्तेन चिन्तयन्त्यन्यदन्यज्जल्पन्ति भाषया । પિયા)ન્યત્ર(અ) ચેષ્ટત્તે, તે હતા: હનતાહતાઃ ।।૨૦૧૫। શ્લોકાર્થ ઃ ખલતાથી હણાયેલા તે ખલો ચિત્તથી અન્ય વિચારે છે. ભાષાથી અન્ય બોલે છે. ક્રિયાથી અન્ય ચેષ્ટા કરે છે. II૨૦૯II શ્લોક : क्वचिदुष्णाः क्वचिच्छीताः क्वचिन्मध्यमतां गताः । નરૂપા મવન્યેતે, સાન્નિપાતા વ જ્વરાઃ ।।૨૦।। શ્લોકાર્થ ઃ ક્વચિત્ ઉષ્ણ, ક્વચિત્ ઠંડા, ક્વચિત્ મધ્યમતાને પામેલા સન્નિપાતવાળા જ્વરની જેમ આ=ખલ જીવો, અનેકરૂપતાવાળા થાય છે. II૨૧૦|| Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ ~િ तवानुरोधतो वत्स ! कथाप्येषा मया कृता । स्वयं त्वमीषां नामापि, नाहमाख्यातुमुत्सहे ।। २११ । । શ્લોક ઃ શ્લોકાર્થ : વળી, હે વત્સ ! તારા અનુરોધથી=તારા આગ્રહથી, મારા વડે આ કથા કરાઈ. સ્વયં આમનાં નામ પણ=ખલતાના દોષોનાં નામ પણ, હું કહેવા માટે ઉત્સાહવાળો નથી. ।।૨૧૧|| कुरूपताक्रूरता तदेषा खलता तात ! लेशतो गदिता मया । निबोध साम्प्रतं वत्स ! वर्ण्यमानां कुरूपताम् ।।२१२।। કુરૂપતાની ક્રૂરતા ૧૫૧ શ્લોકાર્થ : તે કારણથી હે તાત પ્રકર્ષ ! આ ખલતા મારા વડે લેશથી કહેવાઈ. હે વત્સ ! હવે વર્ણન કરાતી કુરૂપતાને તું સાંભળ. II૨૧૨II શ્લોક ઃ योऽसौ ते पूर्वमाख्यातो, नामनामा महीपतिः । स दौष्ट्येन युनक्त्येनां, भवचक्रे कुरूपताम् ।।२१३ ।। શ્લોકાર્થ : જે આ તને પૂર્વમાં કહેવાયેલો નામ નામનો રાજા=નામકર્મ નામનો રાજા, તે દુષ્ટતાથી ભવચક્રમાં આ કુરૂપતાને યોજન કરે છે. II૨૧૩II શ્લોક ઃ बाहुविध्यं दधत्युच्चैर्बहिरङ्गानि भावतः । તસ્યેવાવેશારીળિ, યાન્વસ્થા: જારણાનિ મોઃ! ।।૨૪।। શ્લોકાર્થ : તેના જ=કુરૂપતા આપાદક નામકર્મના જ, આદેશને કરનારાં ભાવથી બહિરંગ અંગો બાહુવિધ્યને અત્યંત કરે છે=નામકર્મ કરે છે. જે આનાં=કુરૂપતાનાં કારણો છે. II૨૧૪I Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : तथाहिदुष्टाहारविहाराद्यैः, प्रकुप्यन्तः कफादयः । भूयांसो देहिनां देहे, जनयन्ति कुरूपताम् ।।२१५ ।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – દુષ્ટ આહાર, વિહારાદિથી ઘણા પ્રકોપ પામતા કફાદિ જીવોના દેહમાં કુરૂપતાને કરે છે. ll૨૧૫ll શ્લોક : वीर्यं पुनरदोऽमुष्या, यदेषा देहवर्तिनी । सदा हि कुरुते रूपं, दृष्टेरुद्वेगकारणम् ।।२१६।। શ્લોકાર્ચ - વળી આનું કુરૂપતાનું, આ વીર્ય છે. જે દેહવર્તી એવી આ કુરૂપતા, સદા દષ્ટિના ઉદ્વેગનું કારણ એવું રૂપ કરે છે. ર૧૬ll. બ્લોક : खञ्जताकुण्टताकाण्यवामनत्वविवर्णताः । कुब्जत्वान्धत्ववाडव्यहीनाऽङ्गत्वातिदीर्घताः ।।२१७ ।। इत्याद्याः परिवारेऽस्या, वर्तन्ते वत्स! दुर्जनाः । यत्सम्पर्कादियं हृष्टा, विलसत्यतिलीलया ।।२१८ ।। युग्मम्।। શ્લોકાર્ય : લંગડાપણું, વામનપણું, કાણાપણું, ઠીંગણાપણું, કુરૂપપણું, કુન્જપણું, અંધપણું, વડવાનલપણું, વિકલાંગપણું, લાંબાતાપણું, ઈત્યાદિ દુર્જનો હે વત્સ ! આનો કુરૂપતાનો, પરિવાર વર્તે છે. જેના સંપર્કથી હર્ષિત થયેલી આ કુરૂપતા, અતિલીલાથી વિકસે છે. ll૧૭-૨૧૮ll શ્લોક : अस्ति प्रयुक्ता तेनैव, नामनाम्ना सुरूपता । सुप्रसन्नेन तन्मूलबहिरङ्गनिमित्तजा ।।२१९।। શ્લોકાર્ચ - સુપ્રસન્ન એવા તે નામ નામના જ રાજા વડે સુરૂપતા પ્રયુક્ત છે. તેના મૂલ-તે નામકર્મના મૂલ, બહિરંગ અંગ નિમિત્તથી થનારી સુરૂપતા છે એમ અન્વય છે. ર૧૯ll Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ तथाहि शुभाहारविहाराद्यैः, प्रसीदन्तः कफादयः । દંતવો તેદિનાં વેઠે, નનયંત્તિ સુરૂપતામ્ ।।૨૦।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે કફાદિ, હેતુઓ દેહીઓના દેહમાં સુરૂપતાને કરે છે. II૨૨૦મા શ્લોક ઃ શુભ આહાર-વિહારાદિથી પ્રસાદને પામેલા કફાદિ=અનુકૂળ રૂપે રહેલા सा जनं भवचक्रेऽत्र, दृष्टेराह्लादकारणम् । प्रसन्नवर्णं पद्माक्षं, सुविभक्ताङ्गभूषणम् ।।२२१।। गजेन्द्रगामिनं रम्यं, सुराकारानुकारिणम् । રોતિ નિનવીર્યેળ, તોમોલનારની ।।રશા ૧૫૩ શ્લોકાર્થ : આ ભવચક્રમાં લોકના મોદનને કરનારી તે=સુરૂપતા, દૃષ્ટિના આહ્લાદને કરનાર, પ્રસન્નવર્ણવાળા, પદ્મઅક્ષવાળા, સુવિભક્ત અંગના ભૂષણ, ગજેન્દ્રગામી, રમ્ય, સુર આકારને અનુકરણ કરનાર જનને નિજવીર્યથી કરે છે. II૨૨૧-૨૨૨૪] શ્લોક ઃ तस्या विपक्षभूतेयं, प्रकृत्यैव कुरूपता । તાં હત્વાઽવિર્મવદ્વેષા, વૈહિવેદેવુ યોનિની ।।રરરૂ।। શ્લોકાર્થ : તેના=સુરૂપતાના, પ્રકૃતિથી જ વિપક્ષભૂત આ કુરૂપતા છે. તેને હણીને=સુરૂપતાને હણીને, યોગિની એવી આ જીવોના દેહમાં આવિર્ભાવ પામે છે. II૨૨૩II શ્લોક ઃ ततः सुरूपताहीनाः, प्रादुर्भूतकुरूपताः । મત્તિ તે ખના વત્સ! દૃષ્ટદેશ રિળઃ ।।૨૪।। Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી સુરૂપતાહીન પ્રાદુર્ભત કુરૂપતાવાળા તે જીવો હે વત્સ પ્રકર્ષ ! દષ્ટિના ઉદ્વેગને કરનારા થાય છે. ll૨૨૪ll શ્લોક : अनादेयाः स्वहीनत्वशङ्किता हास्यभूमयः । भवन्ति क्रीडनस्थानं, बालानां रूपगर्विणाम् ।।२२५ ।। શ્લોકાર્ચ - અનાદેય, સ્વહીનત્વથી શંકિત, હાસ્યની ભૂમિઓ, રૂપથી ગર્વિત એવા બાલ જીવોની ક્રીડાનું સ્થાન થાય છેઃકુરૂપ જીવો થાય છે. ll૨૨૫ll શ્લોક : निर्गुणाश्च भवन्त्येते, प्रायशो वामनादयः । आकृतौ च वसन्त्येते, प्रकृत्या निर्मला गुणाः ।।२२६।। શ્લોકાર્ચ - અને પ્રાયઃ આ વામનાદિ જીવો નિર્ગુણો થાય છે કુરૂપવાળા જીવો પ્રાયઃ જગતમાં ગુણ વગરના થાય છે અને આ નિર્મલ ગુણો પ્રકૃતિથી આકૃતિમાં વસે છે. ll૨૨૬ll दरिद्रतादौःशील्यम् બ્લોક : विडम्बनकारी लोके, तदियं ते कुरूपता । निरूपिताऽधुना वत्स! कथयामि दरिद्रताम् ।।२२७ ।। દરિદ્રતાની દુઃશીલતા શ્લોકાર્ચ - લોકમાં વિડંબનાને કરનારી તે આ કુરૂપતા તને નિરૂપિત કરાઈ. હે વત્સ ! હવે દરિદ્રતાને હું કહું છું. ll૨૨૭ll શ્લોક : प्रयुक्ता तावदेषाऽपि, वत्स! तेनैव पापिना । સત્તરાયં પુરસ્કૃત્ય, પાપોદ્રયાન્મૃતા પાર૨૮ાા. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧પપ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : અંતરાયને આગળ કરીને, પાપોદયરૂપી ચોરટાઓથી ભરાયેલી આ પણ દરિદ્રતા પણ, હે વત્સ ! તે જ પાપી વડે–પાપોદય કર્મ વડે, પ્રયુક્ત છે. ll૨૨૮ll શ્લોક : प्रयुञ्जते पुनर्लोके, हेतवो ये बहिर्गताः । एनां दरिद्रतां तात! तानहं ते निवेदये ।।२२९ ।। શ્લોકાર્ચ - વળી, લોકમાં જે બહિર્ગત હેતુઓ આ દરિદ્રતાને પ્રવર્તાવે છે, હે તાત ! પ્રકર્ષ ! તેને હું તને નિવેદિત કરું છું. l૨૨૯ll શ્લોક : जलज्वलनलुण्टाकराजदायादतस्कराः । मद्यद्यूतादिभोगित्ववेश्याव्यसनदुर्नयाः ।।२३०।। ये चान्ये कुर्वते केचिद्धनहानिं वयस्यिकाम् । ચાત્તે દેતવઃ સર્વે, વત્સ! જોયા: પ્રોન: રરૂા યુગમા શ્લોકાર્થ : જલ, જવલન, લુંટારા, રાજના દાયક, તસ્કરો, મધ, ધૂતાદિ, ભોગિત, વેશ્યાનું વ્યસન, દુર્નયો દુનતિઓ, છેઃદરિદ્રતાનાં બાહ્ય નિમિત્તો છે. અને જે અન્ય કોઈ વયચિકા=મિત્ર એવી, ધનહાનિને કરે છે તે સર્વ હેતુઓ હે વત્સ ! આના પ્રયોજક જાણવા–દરિદ્રતાના પ્રયોજક જાણવા. ||૨૩૦-૨૩૧II શ્લોક : केवलं तत्त्वतस्तेऽपि, सान्तरायं चमूभृतम् । पापोदयाख्यं कुर्वन्ति, प्रह्वमस्याः प्रयोजकम् ।।२३२।। શ્લોકાર્ચ - કેવલ તત્ત્વથી તે પણ=જલ, જ્વલન આદિ બાહ્ય હેતુઓ પણ, અંતરાય સહિત ચોરટાઓથી ભરાયેલા આનાઃદરિદ્રતાના પ્રયોજક એવા પાપોદય નામના કર્મને પ્રધ=સન્મુખ કરે છે. ll૨૩શા શ્લોક : दुराशापाशसंमूढं, धनगन्धविवर्जितम् । वीर्येण कुरुते लोकमेषा तात! दरिद्रता ।।२३३।। Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : હે તાત ! આ દરિદ્રતા વીર્યથી=પોતાના વીર્યથી, લોકને દુરાશાના પાશથી સંમૂઢ, ધનના ગંધથી વિવર્જિત કરે છે. ર૩૩ શ્લોક : दैन्यं परिभवो मौढ्यं, प्रायशो बह्वपत्यता । हृदयन्यूनता याञ्चा, लाभाऽभावो दुरिच्छता ।।२३४ ।। बुभुक्षाऽरतिसन्तापाः; कुटुम्बपरिदेवनम् । अस्या इत्यादयो वत्स! भवन्ति परिचारकाः ।।२३५ ।। युग्मम्।। શ્લોકાર્ય :દેન્ય, પરિભવ, મૂઢતા, પ્રાયઃ અતિ સંતતિ હોવાપણું, હૃદયન્યૂનતા, ભિક્ષાની માંગણી, લાભનો અભાવ, ખરાબ ઈચ્છાઓ, બુમુક્ષા, અરતિ સંતાપો, કુટુંબનું પરિદેવન ઈત્યાદિ હે વત્સ ! આનાઃદરિદ્રતાના, પરિચારકો થાય છે. પર૩૪-૨૩૫ll શ્લોક : अस्ति पुण्योदयाख्येन, प्रयुक्तः पृथिवीतले । जनालादकरोऽत्यन्तमैश्वर्याख्यो नरोत्तमः ।।२३६।। શ્લોકાર્ચ - પૃથ્વીતલમાં પુણ્યોદય નામના રાજાથી પ્રયુક્ત, લોકોના આલ્લાદને કરનાર અત્યંત ઐશ્વર્ય નામનો નરોતમ છે. રિ૩૬ll શ્લોક : स सौष्ठवमहोत्सेकहृदयोन्नतिगौरवैः । जनवाल्लभ्यलालित्यमहेच्छादिविवेष्टितः ।।२३७।। શ્લોકાર્ચ - સૌષ્ઠવથી, મહાઉત્સુકથી, હૃદયના વિશાળ ભાવથી, અને ગૌરવથી સર્વજનને પ્રિયપણું, લલિતપણું, મહેચ્છાદિથી વીંટળાયેલો તે=ઐશ્વર્ય નામનો નરોત્તમ છે. 1/ર૩૭ll શ્લોક : सुभूरिधनसम्भारपूरितं जनताधिकम् । करोति सुखितं मान्यं, लोकमुद्दामलीलया ।।२३८।। Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : ઘણા પૈસાના સમૂહથી ભરપૂર, જનસમૂહમાં અધિક, ઉદ્દામ લીલાથી લોકને સુખિત, માન્ય, કરે છે. II૨૩૮ા શ્લોક ઃ इयं हि चेष्टते तात ! परिवारसमेयुषी । तदुद्दलनचातुर्यमाबिभ्राणा दरिद्रता ।। २३९ ।। શ્લોકાર્થ : હે તાત ! પરિવારથી યુક્ત, તેના ઉદ્દલનના ચાતુર્યને ધારણ કરતી=ઐશ્વર્યના ઉદ્દલનના ચાતુર્યને ધારણ કરતી એવી આ દરિદ્રતા ચેષ્ટા કરે છે=ઐશ્વર્યના નાશની ચેષ્ટા કરે છે. II૨૩૯II શ્લોક ઃ न तेन सार्धमेतस्याः, सहावस्थानमीक्ष्यते । एतत्त्रासादसौ वत्स ! दूरतः प्रपलायते । । २४० ॥ ૧૫૭ શ્લોકાર્થ ઃ તેની સાથે=ઐશ્વર્યની સાથે, આનું=દરિદ્રતાનું, સાથે અવસ્થાન જોવાતું નથી. આના ત્રાસથી= દરિદ્રતાના ત્રાસથી, આ=ઐશ્વર્ય, હે વત્સ ! દૂરથી પલાયન થાય છે. II૨૪૦II શ્લોક ઃ ततोऽनया हतैश्वर्यास्ते जना दुःखपीडिताः । गाढं विह्वलतां यान्ति, विधुरीभूतमानसाः । । २४१ ।। શ્લોકાર્થ : તેથી આના વડે=દરિદ્રતા વડે, હત ઐશ્વર્યવાળા તે લોકો દુઃખથી પીડિત, વિધુરીભૂત માનસવાળા ગાઢ વિશ્વલતાને પામે છે. II૨૪૧|| શ્લોક ઃ दुराशापाशबद्धत्वाद्, भूयो धनलवेच्छया । નાનોવાયેg, વર્તો, તામ્યન્તિ = વિવાનિશમ્ ।।૨૪।। શ્લોકાર્થ : દુરાશા, પાશથી બદ્ધપણું હોવાને કારણે, ફરી ધનલવની ઇચ્છાથી નાના ઉપાયોમાં વર્તે છે= દરિદ્રતાને પામેલા જીવો વર્તે છે અને દિવસ-રાત પીડાને પામે છે. II૨૪૨।। Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ते च पापोदयेनैषामुपाया बहवोऽप्यलम् । प्रबलेन विपाट्यन्ते, खे घना इव वायुना ।।२४३।। શ્લોકાર્ચ - અને આમના તે ઘણા પણ ઉપાયોધનની આશાથી પ્રયત્ન કરનારા જીવોના ઘણા પણ ઉપાયો, પ્રબલ એવા પાપોદય વડે વિરાટન કરાય છે. જેમ આકાશમાં ઘન વાદળાં પણ વાયુથી વિપાટન કરાય છે. ર૪all શ્લોક : ततो च रुण्टन्त्यमी मूढाः, खिद्यन्ते मनसाऽधिकम् । शोचन्ति पुरतोऽन्येषां, वाञ्छन्ति परसम्पदः ।।२४४।। શ્લોકાર્ચ - તેથી મૂઢ એવા આ દરિદ્રતાને પામેલા જીવો, રખડે છે. મનથી અધિક ખેદ પામે છે. બીજાની આગળ શોક વ્યક્ત કરે છે. પરસંપત્તિને ઈચ્છે છે. ર૪૪ll શ્લોક : कुतो घृतं कुतस्तैलं, कुतो धान्यं क्व चेन्धनम् ? । कुटुम्बचिन्तया दग्धा, इति रात्रौ न शेरते ।।२४५।। શ્લોકાર્ચ - ક્યાંથી ઘી, ક્યાંથી તેલ, ક્યાંથી ધાન્ય, અને ક્યાં ઈંધન ? એ પ્રકારની કુટુંબની ચિંતાથી બળેલા રાત્રિમાં સૂતા નથી=ધન નહીં હોવાથી કોનાથી ઘી ખરીદીશ, કોનાથી તેલ ખરીદીશ, કોનાથી ધાન્ય ખરીદીશ. ક્યાં બળતણ મળશે ઈત્યાદિ કુટુંબની ચિંતાથી બળેલા રાત્રિમાં સુખે સૂતા નથી. ||ર૪પી. શ્લોક : कुर्वन्ति निन्द्यकर्माणि, धर्मकर्मपराङ्मुखाः । व्रजन्ति शोच्यतां लोके लघीयांसस्तृणादपि ।।२४६ ।। શ્લોકાર્ય : ધર્મકર્મોથી પરાભુખ એવા તેઓ નિંધ કર્મોને કરે છે. તૃણથી પણ હલકા તેઓ લોકમાં શોધ્યતાને પામે છે. Il૨૪૬ll Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : परप्रेष्यकरा दीनाः क्षुत्क्षामा मलपूरिताः । भूरिदुःखशतैर्ग्रस्ताः, प्रत्यक्षा इव नारकाः ।।२४७।। શ્લોકાર્ચ - પરની શ્રેષ્ઠતાને કરનારા, દીન, ક્ષીણ શરીરવાળા, મલથી પૂરિત, ઘણાં સેંકડો દુઃખોથી ગ્રસ્ત, પ્રત્યક્ષ નારકો જેવા તે જીવો થાય છે. ર૪૭ના શ્લોક : भवन्ति ते जनास्तात! येषामेषा दरिद्रता । ऐश्वर्याख्यं निहत्युच्चैः, करोत्यालिङ्गनं मुदा ।।२४८।। શ્લોકાર્ય : હે તાત ! આ દરિદ્રતા જેઓના એશ્વર્ય નામના નરોતમને અત્યંત હણે છે, તેઓને પ્રેમથી આલિંગન કરે છેઃદરિદ્રતા તે જીવોને પ્રેમથી આલિંગન કરે છે. ll૨૪૮l दुर्भगतादुष्टता શ્લોક : तदेवमीरिता तात! तुभ्यमेषा दरिद्रता । इयं दुर्भगतेदानीं, गद्यमाना निशम्यताम् ।।२४९।। દુર્ભગતાની દુષ્ટતા શ્લોકાર્ય : હે તાત ! આ રીતે તને કહેવાયેલી આ દરિદ્રતા છે. હવે આ કહેવાતી દુર્ભગતા તુ=પ્રકર્ષ, સાંભળ. Iીર૪૯ll શ્લોક : रुष्टेन भवचक्रेऽत्र, केषाञ्चिदेहिनामलम् । प्रयुक्तेयं विशालाक्षी, तेन नाममहीभूजा ।।२५० ।। શ્લોકાર્ચ - આ ભવચક્રમાં સુષ્ટ એવા તે નામ નામના રાજા વડે કેટલાક દેહીઓને આ વિશાલાક્ષી દુર્ભગતા અત્યંત પ્રયુક્ત છે. ર૫ol. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ बहिरङ्गं भवेदस्यास्तात ! चित्रं प्रयोजकम् । वैरूप्यदुःस्वभावत्वदुष्कर्मवचनादिकम् ।। २५१।। શ્લોકાર્થ ઃ હે તાત ! આનું=દુર્ભગતાનું, વૈરૂપ્ય, દુઃસ્વભાવત્વ, દુષ્કર્મવચનાદિક ચિત્ર પ્રયોજક બહિરંગ થાય. II૨૫૧૩૫ શ્લોક ઃ तत्तु नैकान्तिकं ज्ञेयं, स एव परमार्थतः । हेतुरैकान्तिकोऽमुष्या, नामनामा महीपतिः ।। २५२ ।। वीर्यं तु वर्णयन्त्यस्या, ज्ञाततत्त्वा मनीषिणः । अवल्लभमतिद्वेष्यं, यदेषा कुरुते जनम् ।। २५३ ।। શ્લોકાર્થ : વળી તે=બહિરંગ અંગો, એકાંતિક જાણવાં નહીં, પરમાર્થથી તે જ નામ નામનો રાજા એકાંતિક આનો=દુર્ભગતાનો, હેતુ છે. વળી, જ્ઞાતતત્ત્વવાળા મનીષીઓ આના=દુર્ભગતાના, વીર્યને વર્ણન કરે છે, જે કારણથી આ=દુર્ભગતા, અપ્રિય, અતિદ્વેષ્ય=અત્યંત દ્વેષ કરવા યોગ્ય, એવા જનને કરે છે. II૨૫૨-૨૫૩]I શ્લોક ઃ दीनताऽभिभवो लज्जा, चित्तदुःखासिकाऽतुला । न्यूनता लघुता वेषविज्ञानफलहीनता ।। २५४।। इत्याद्याः परिवारेऽस्या, भवन्ति बहवो जनाः । पुरेऽत्र यद्बलादेषा, बम्भ्रमीति बलोद्धुरा ।। २५५ ।। શ્લોકાર્થ ઃ દીનતા, અભિભવ, લજ્જા, અતુલ ચિત્તમાં દુઃખાસિકા, ન્યૂનતા, લઘુતા, વેષ, વિજ્ઞાન અને ફલની હીનતા ઈત્યાદિ આના પરિવારમાં=દુર્ભગતાના પરિવારમાં, ઘણા લોકો છે. આ પુરમાં= ભવચક્રરૂપ નગરમાં, જેના બલથી બલઉત્ક્રુર એવી આ દુર્ભાગતા ફરે છે. II૨૫૪-૨૫૫।। શ્લોક ઃ अस्ति प्रयुक्ता तेनैव, सुप्रसन्नेन देहिनाम् । नाम्ना सुभगता नाम्ना, प्रख्याता जनमोदिनी ।। २५६ ।। Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ સુપ્રસન્ન એવા તે જ નામકર્મ વડે દેહીઓને મોકલાયેલી, જનના આનંદને કરનારી, પ્રખ્યાત સુભગતા નામની દેવી છે. II૨૫૬II શ્લોક ઃ सा सौष्ठवमनस्तोषगर्वगौरवसम्मदैः । આયત્યપરિભૂતાઘે:, પરિવારિતવિપ્રજ્ઞા ।।૨૭।। व्रजन्ती भवचक्रेऽत्र, जनमानन्दनिर्भरम् । करोति सुखितं मान्यं, निः शेषजनवल्लभम् ।। २५८ ।। શ્લોકાર્થ : તે સૌષ્ઠવ, મનતોષ, ગર્વ, ગૌરવ, સંપત્તિઓથી આવતી અપરિભૂતાદિથી પરિવારિત વિગ્રહવાળી ફરતી આ ભવચક્રમાં આનંદનિર્ભર, સુખિત, માન્ય, નિઃશેષ જનવલ્લભ એવા જનને કરે છે. II૨૫૭-૨૫૮ાા શ્લોક ઃ तस्याश्च प्रतिपक्षत्वादियं दुर्भगताऽधमा । उन्मूलनकारी तात ! करिणीव लताततेः ।। २५९ ।। ૧૬૧ શ્લોકાર્થ : અને તેનું=સુભગતાનું, પ્રતિપક્ષપણું હોવાથી અધમ એવી આ દુર્ભગતા હે તાત ! લતાના સમૂહને હાથીની જેમ ઉન્મૂલનને કરનારી છે. II૨૫૯।। શ્લોક ઃ अतः सोन्मूलिता येषामेनया हितकारिणी । ते प्रकृत्यैव जायन्ते, जनानां गाढमप्रियाः । । २६०।। શ્લોકાર્થ : આથી હિતકારી એવી તે=સુભગતા, આના વડે=દુર્ભાગતા વડે, ઉત્સૂલિત થાય છે તે જીવો પ્રકૃતિથી જ લોકોને ગાઢ અપ્રિય થાય છે. II૨૬૦ના શ્લોક : स्वभर्त्रेऽपि न रोचते, परेभ्यो नितरां पुनः । बन्धुभ्योऽपि न भासन्ते, जना दुर्भगताहताः । । २६१ ।। Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - દુર્ભગતાથી હણાયેલા લોકો પોતાના ભર્તાને પણ રુચતા નથી, વળી પરને અત્યંત રુચતા નથી. બંધુઓથી પણ બોલતા નથી. ર૬૧]. શ્લોક : गम्यत्वात्ते सपत्नानां, वल्लभानामवल्लभाः । नयन्ति क्लेशतः कालमात्मनिन्दापरायणाः ।।२६२।। શ્લોકાર્ધ : સપત્નોનું વિરોધીઓનું, ગમ્યપણું હોવાથી વલ્લભોને અવલ્લભ આત્માની નિંદામાં પરાયણ એવા તે જીવો ક્લેશથી કાળને પસાર કરે છે. રિફરા શ્લોક : तदेषाऽपि समासेन, वत्स! दुर्भगता मया । तुभ्यं निगदिता याऽसावुद्दिष्टा सप्तमी पुरा ।।२६३।। શ્લોકાર્ય : હે વત્સ! તે આ પણ દુર્ભગતા સમાસથી મારા વડે તને કહેવાઈ. પૂર્વમાં જે આ સાતમી તારા વડે ઉદ્દેશ કરાયેલી=પુછાયેલી, ર૬૩. બ્લોક : एवं च स्थितेजरा रुजा मृतिश्चेति, खलता च कुरूपता । दरिद्रता दुर्भगता, उद्दिष्टाः क्रमशो यथा ।।२६४।। एता या यत्प्रयुक्ता वा, यद्वीर्या यत्परिच्छदाः । चेष्टन्ते यस्य बाधायै, निर्दिष्टाः क्रमशस्तथा ।।२६५ ।। युग्मम्।। શ્લોકાર્ધ : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે જરા, સુજા, મૃતિ, ખલતા, કુરૂપતા, દરિદ્રતા, દુર્ભગતા ક્રમસર જે તારા વડે ઉદ્દેશ કરાયેલીeતારા વડે પુછાયેલી, આ જે છે=આ સાત જે છે, અથવા જેનાથી પ્રયુક્ત છે, જે વીર્યવાળી છે, જે પરિવારવાળી છે જેના બાધા માટે ચેષ્ટા કરે છે, તે પ્રકારે ક્રમસર નિર્દેશ કરાઈ=મારા વડે પ્રકાશાઈ. ll૧૪-૨૧૫ll Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૬૩ શ્લોક : एताश्चैवं विवल्गन्ते, विपक्षक्षयमुच्चकैः । कुर्वाणा भवचक्रेऽत्र, लोकपीडनतत्पराः ।।२६६।। શ્લોકાર્થ : આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વિપક્ષના ક્ષયને અત્યંત કરતી એવી આ જરાદિ, ભવચક્રમાં લોકપીડનમાં તત્પર વર્તે છે. રિકI. ભાવાર્થ :| વિચક્ષણ પુરુષ ભવચક્રના વાસ્તવિક સ્વરૂપને જોઈને ભવની નિઃસારતાનું ભાવન કરે છે. જેથી ભવથી વિરક્ત થઈને પોતાનો આત્મા આત્મહિત સાધવા સમર્થ બને અને તે અર્થે વિચક્ષણ પુરુષ પોતાના બુદ્ધિના પ્રકર્ષથી ભવસ્વરૂપને જાણવાની જિજ્ઞાસા કરે છે અને પોતાની વિમર્શશક્તિથી ભવના સ્વરૂપનું તે રીતે અવલોકન કરે કે જેથી ભવ પ્રત્યે ચિત્ત વિરક્ત બને. તેના અર્થે જ પૂર્વમાં ચાર ગતિઓનું વિષમ સ્વરૂપ વિચક્ષણ પુરુષે વિચાર્યું. જેનાથી બોધ થાય કે ચારે ગતિઓમાં જીવ અનેક પ્રકારની કદર્થના પામે છે અને તે કદર્થનાની પરાકાષ્ઠા નરકમાં અત્યંત છે અને દેવભવમાં જે વિપુલ સુખો છે ત્યાં પણ ઈર્ષ્યાદિ ભાવોથી દેવો અનેક પ્રકારના સંક્લેશને પ્રાપ્ત કરે છે. માટે દેવભવ પણ અત્યંત નિઃસાર છે. આ રીતે ભવચક્રના વાસ્તવિક સ્વરૂપને જોયા પછી વિચક્ષણની વિમર્શશક્તિ વિવેક પર્વત ઉપર રહીને અર્થાત્ આત્માના નિર્મળષ્ટિરૂપ વિવેક પર્વત ઉપર રહીને ભવચક્રનું અવલોકન કરે છે. ત્યારે ભવમાં વર્તતા જીવોની વિડંબના કરનારી સાત નારીઓ દેખાય છે. જે જીવોને અત્યંત કદર્થના કરનારી, બીભત્સદર્શનવાળી, કૃષ્ણલેશ્યાવાળી, જેના નામથી પણ લોકો ભયભીત થાય તેવી વિષમ છે. અને વિચક્ષણની વિમર્શશક્તિ સામાન્યથી તે નારીઓના તેવા વિકૃત સ્વરૂપને જુએ છે. ત્યારપછી વિમર્શશક્તિ દ્વારા તે નારીઓનું કેવું સ્વરૂપ છે, તે નારીઓ કયા કર્મથી જીવમાં આવે છે, કેવા વીર્યવાળી છે, વળી તે નારીઓ સાથે તેનો ક્લિષ્ટ પરિવાર કેવા પ્રકારનો છે અને તે નારીઓ કઈ રીતે તેનાથી વિરુદ્ધ એવી પુણ્યપ્રકૃતિઓથી થનારા નરને બાધ કરનારી છે તે ક્રમશઃ બતાવે છે. (૧) જરા નારી (વૃદ્ધાવસ્થા) - પ્રથમ જરા કેવા સ્વરૂપવાળી છે ? તે બતાવવા અર્થે કહે છે – કાલપરિણતિ નામની કર્મપરિણામ રાજાની જે પત્ની છે તેનાથી પ્રયોજિત જરા છે. જોકે જરાને અનુકૂળ જીવમાં તે પ્રકારનું કર્મ ઉદયમાં આવે છે તેથી જ જરા આવે છે તોપણ જીવ જમ્યા પછી ક્રમશઃ મોટો થાય છે અને વયની કાલપરિણતિ આવે છે ત્યારે સર્વ મનુષ્યો જરા અવસ્થાને પામે છે તેથી કાલપરિણતિ જરાની પ્રયોજિકા છે અને તત્ સહવર્તી તથા પ્રકારના કર્મનો ઉદય જરા અવસ્થાની પ્રાપ્તિનું કારણ છે. વળી જરા પ્રત્યે બાહ્ય નિમિત્તો પણ કારણ છે. આથી જ ઘણા જીવોને નાની ઉંમરમાં જ ધોળા વાળની પ્રાપ્તિ થાય છે. દેહ જીર્ણ જેવો થાય છે તેના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પ્રત્યે તે તે પ્રકારનો આહાર, સંયોગાદિ પણ કારણ છે. તોપણ જરા પ્રત્યે મુખ્ય પ્રયોજક કાલપરિણતિ છે. વળી, જરાનું વીર્ય જીવોના શરીરનું લાવણ્ય, બળ આદિનું હરણ કરે છે. આથી જ યુવાન અવસ્થામાં અત્યંત લાવણ્યવાળા અને મહાપરાક્રમવાળા જીવો પણ વૃદ્ધાવસ્થામાં તેનું શરીર લાવણ્ય વગરનું અને બળ વગરનું થાય છે. વળી જેઓને જરાનો ગાઢ આશ્લેષ થાય છે તેઓને જીવનના અંતકાળમાં માનસિક અસ્થિરતા આદિ ભાવો પણ થાય છે. આથી જ વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારની વિચિત્ર પ્રકૃતિઓ જીવમાં પ્રગટે છે. વળી, વૃદ્ધાવસ્થામાં દેહ પર કરચલીઓ પડે છે, માથાના વાળ ધોળા થઈ જાય છે, અંગની કુવર્ણતા થાય છે. શરીરમાં કંપ, શરીર કર્કશ, થાય છે. વળી વૃદ્ધાવસ્થામાં જીવોને શોક, મોહ, શૈથિલ્ય, દીનતા આદિ ભાવો થાય છે. આથી જ જીવનમાં વૃદ્ધાવસ્થામાં ઘણા જીવો હંમેશાં પ્રતિકૂળ સંયોગોથી શોકવાળા રહે છે. સ્વજનાદિ પ્રત્યે તે પ્રકારનો મોહનો પરિણામ થાય છે. દેહ શિથિલ થાય છે. તેથી દીનતા આવે છે. વળી સ્વજનાદિ આવકાર ન આપે તો દીનતા થાય છે. વળી વૃદ્ધાવસ્થામાં ગતિભંગ, અંધાપો, બહેરાપણું, દાંત ધ્રુજવા આદિ ઘણા દેહના પરિણામો થાય છે તે જરાનો જ પરિવાર છે. અને તેમાં પ્રઢ વાયુ ફૂંકે છે; કેમ કે વૃદ્ધાવસ્થામાં પ્રાયઃ જીવોને તેવો વાયુનો પ્રકોપ રહે છે જેથી સદા તેનાથી તેઓ પીડાય છે, તે જરાનો જ પરિવાર છે. આ જરા અનેક પ્રકારની શરીરની વિષમતાના પરિણામથી યુક્ત અને શોકાદિના પરિણામથી યુક્ત જગતના જીવોમાં સદા વર્તે છે, જેથી જગતમાં ક્ષણ પહેલાં સુખી દેખાતા પણ જરાને પામીને દુઃખી દુઃખી થતા દેખાય છે. વળી, આ જરાની પ્રાપ્તિ પૂર્વે જીવમાં કાલપરિણતિનો જ અનુચર એવો યૌવન નામનો પુરુષ વર્તે છે અર્થાત્ જીવ જન્મે છે ત્યારે કાલક્રમથી યૌવનાવસ્થામાં આવે છે, તેમાં કાલપરિણતિ મુખ્ય છે અને યૌવન આપાદક કર્મો તદ્ સહવર્તી છે. તેનાથી જીવમાં યૌવન આવે છે ત્યારે તે જીવ પોતાની ભૂમિકાનુસાર મહાવીર્યવાળો થાય છે, સર્વ પ્રકારના પ્રયત્નો કરવામાં ઉત્સાહિત થાય છે. તે યૌવન કાલપરિણતિના આદેશથી જ સંસારી જીવના શરીરમાં પ્રવેશીને બળ, તેજસ્વિતા, સુંદર આકારાદિ કરે છે. વળી, યૌવન અનેક અંતરંગ પરિણામોથી યુક્ત છે, તેથી યૌવનમાં જીવો વિલાસ, હાસ્ય, ચાળાઓ, વિપર્યાસવાળાં પરાક્રમો કરે છે. કૂદાકૂદ કરે છે. ધાવન વલ્સન કરે છે. વળી, યૌવનકાળમાં ગર્વ, શૂરવીરપણું, નપુંસકપણું કામને વશ થઈને ચેનચાળાપણું, સાહસાદિ ભાવોથી ઉદ્ધતપણું થાય છે તે સર્વ યૌવનના સહવર્તી થનારા જીવના ભાવો છે. અને તેના કારણે જ સંસારી જીવો યૌવનકાળમાં ભોગ, વિલાસના કારણે પોતે સુખી છે એમ માને છે. આમ છતાં ક્ષણમાં તેના સર્વ પરિવાર સહિત યૌવનનો નાશ જરા કરે છે તેથી જરાથી વિહ્વળ થયેલા તેઓ દીન, અનેક દુઃખોથી ઘેરાયેલા દેખાય છે. વળી, જરાકાળમાં પ્રાયઃ જીવો પત્નીથી, પરિવારથી અવગણના પામેલા, પોતાના પુત્રોથી પણ તિરસ્કાર કરાતા અને પુત્રવધૂ આદિ તરુણ સ્ત્રીઓથી અનાદર કરાતા દેખાય છે. પૂર્વમાં કરેલા ભોગોનું સ્મરણ કરતા, વારંવાર ખેદના ઉદ્ગારો કાઢતા, શ્લેષ્માદિથી દુઃખિત થયેલા, જીર્ણ શરીરમાં આળોટતા, પરપદાર્થોના વિચારોમાં તત્પર, પદે પદે ક્રોધ કરતા, જરાથી આક્રાંત થયેલા કેવલ દિવસ-રાત ઊંઘતા જ પડ્યા રહે છે. આ સર્વ જરાકૃત અનર્થો સંસારમાં સ્પષ્ટ દેખાય છે તેનું Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૬૫ પુનઃ પુનઃ ભાવન કરીને વિચારવું જોઈએ કે જરાથી આક્રાંત અનેક અનર્થોથી યુક્ત એવો આ સંસાર છે, માટે સંસારના ઉચ્છેદ માટે વિવેકી પુરુષે સદા ઉદ્યમ કરવો જોઈએ. એ પ્રકારે વિવેકી પુરુષો ભાવન કરે છે. (૨) રુજા નારી (રોગ) - વળી, વિચક્ષણ પુરુષ પોતાના બુદ્ધિના પ્રકર્ષ દ્વારા રુજા નામની બીજી નારીને જુએ છે અને તેનું સ્વરૂપ નિપુણ પ્રજ્ઞાથી વિચારે છે ત્યારે દેખાય છે કે આઠ કર્મો છે તેમાંથી વેદનીય નામનું કર્મ છે. તેના અશાતા નામના ભેદથી રુજા=રોગ, જીવમાં પ્રગટે છે. વળી, આ રોગની પ્રાપ્તિમાં બહારીભૂત નિમિત્તો શાસ્ત્રમાં કહેવાયા છે તે પણ અશાતાવેદનીયકર્મના અત્યંત પ્રયોજક છે. વળી, રોગનું કાર્ય બુદ્ધિનો ભ્રંશ, ધૃતિનો ભ્રંશ, સ્મૃતિનો ભ્રંશ, રોગને ઉચિત એવા કાળની પ્રાપ્તિ, કર્મના ઉદયની પ્રાપ્તિ, અસભ્ય અર્થનું આગમન= શરીરને પ્રતિકૂળ એવા આહારાદિનું સેવન, કે માનસિક ચિંતા આદિ રુજા હેતુ કહેવાયા છે. વળી, દેહમાં વાત, પિત્ત, કફના જે સંક્ષોભનું કારણ છે તે પણ રોગનું પ્રયોજક છે; કેમ કે જીવમાં રાગ-દ્વેષના પરિણામો વાતાદિના સંક્ષોભથી રોગના પ્રયોજક છે. તોપણ પ્રધાનરૂપે અશાતાવેદનીયકર્મના ઉદયથી રોગ આવે છે અને તેને ઉદયમાં લાવવા માટે બાહ્ય સર્વ નિમિત્તો કારણ બને છે અને જીવોમાં વર્તતું જે સ્વાથ્ય છે તેને રોગ નામનો પરિણામ પોતાના વીર્યથી નાશ કરીને રોગવાળી અવસ્થા કરે છે. વળી જ્વર, અતિસાર આદિ ઘણા પરિવારથી પરિવરિત આ રજા છે. તેથી તે સર્વ રોગો જીવને તે તે પ્રકારની વિડંબના કરી કરીને દુઃખી કરે છે. અને સર્વ રોગોનો પરિવાર જ્યારે જીવમાં પ્રકર્ષથી વર્તે છે ત્યારે રોગને જીતવા માટે કોઈ સમર્થ થતું નથી. વળી, વેદનીય નામના કર્મના પેટાભેદરૂપ શાતાવેદનીયકર્મ છે, તેનાથી જીવમાં નીરોગતા વર્તે છે. તે નીરોગતા જીવના શરીરનાં વર્ણ, બલ, સૌંદર્ય, બુદ્ધિ, ધૃતિ, સ્મૃતિની પટુતા આદિથી યુક્ત લોકને કરે છે. નીરોગતાને કારણે લોકો સુખ આનંદમાં નિર્ભર દેખાય છે. તે નીરોગતાનો નાશ કરીને રજા લોકોને શરીરમાં અને ચિત્તમાં તીવ્ર પીડા ઉત્પન્ન કરે છે. આથી જ રોગથી ગ્રસ્ત જીવો ચિત્તથી વિહ્વળ રહે છે. ફક્ત યોગીઓને જ પૂર્વ કર્મના ઉદયથી રોગ આવે તોપણ સમભાવના પરિણામને કારણે તેઓની ચિત્તની સ્વસ્થતાનો ભંગ રોગ કરી શકતો નથી. સામાન્યથી સર્વ જીવોને અનેક પ્રકારની કદર્થના કરનાર આ રજા છે. તેને વશ થયેલા જીવોની ચેષ્ટાનું વર્ણન થઈ શકે તેમ નથી. આથી જ રોગથી દુઃખિત થયેલા જીવો કરુણ ધ્વનિથી કુંજિત થતા હોય છે. વિકૃતસ્વરથી રડતા હોય છે. તીવ્ર પીડા થાય ત્યારે જોરથી બૂમો પાડીને રડે છે. વિહ્વળ થઈને બરાડા પાડે છે. વળી રોગથી અકળાયેલા મૂઢ એવા તેઓ આમ તેમ આળોટે છે. કંઈ વિચારતા નથી. હંમેશાં આર્તધ્યાનમાં વર્તે છે. સદા ઉદ્વિગ્ન, વિક્લવતાથી યુક્ત, રક્ષણથી રહિત, ભયથી ઉત્ક્રાંત બુદ્ધિવાળા, દીન જેવા દેખાય છે. આ ભવચક્રમાં પાપિષ્ઠ એવી રાજા વડે જીવની નીરોગતાનો નાશ કરાય છે અને જીવો રોગથી પરિપીડિત થાય છે. આ રીતે રોગનું પારમાર્થિક સ્વરૂપ ભાવન કરીને પણ ભવચક્રથી ચિત્તને વિરક્ત થવા યત્ન કરવો જોઈએ; કેમ કે આ ભવચક્રમાં અનંતી વખતે જીવે આવા રોગો વેઠ્યા છે અને જો ભવનો ઉચ્છેદ નહીં કરવામાં આવે તો ફરી ફરી આવા રોગથી આક્રાંત અનંતા ભવોની પ્રાપ્તિ થશે. માટે અપ્રમાદથી ભવના ઉચ્છદ માટે યત્ન કરવો જોઈએ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ (૩) મૃતિ નારી (મૃત્યુ) - વળી, ત્રીજી સ્ત્રી સ્મૃતિ છે જેનું સ્વરૂપ વિચક્ષણ પુરુષ નિપુણ પ્રજ્ઞાથી વિચારે છે. આઠ પ્રકારનાં કર્મોમાંથી આયુષ્ય નામનું કર્મ છે તેના અવાંતર ચાર ભેદો છે. જે ચાર ગતિમાં આયુષ્ય સ્વરૂપ છે અને તેનો ક્ષય મૃત્યુનો પ્રયોજક છે. વળી, બાહ્ય અનેક પ્રકારના હેતુથી મૃત્યુ થાય છે ત્યારે પણ મૃત્યુનો મુખ્ય પ્રયોજક આયુષ્ય છે; કેમ કે આયુષ્યક્ષય વગર મૃત્યુ થઈ શકે નહીં. વળી, તે બાહ્ય હેતુઓમાં વિષ, અગ્નિ આદિ કેટલાક પદાર્થો દેહની ઉચિત વ્યવસ્થાનો નાશ કરીને આયુષ્યકર્મનો સમુદ્યાત દ્વારા ક્ષય કરાવે છે. વળી, સુધા, વ્યાધિ આદિ ભાવો પણ દેહની અવસ્થાનો નાશ કરીને આયુષ્યક્ષય કરાવે છે. વળી વિપરીત આહાર, દુર્ગાન આદિ ભાવો શરીરની શક્તિનો ક્ષય કરીને આયુષ્યનો નાશ કરે છે. વળી, આ કૃતિનું વીર્ય ક્ષણમાં જીવોના ઉચ્છવાસ આદિ ચેષ્ટાનો નાશ કરે છે અને મૃત્યુ પામેલા જીવના દેહમાંથી રક્તાદિ નાશ થવા લાગે છે. વિકૃતિઓ થાય છે, થોડીક ક્ષણમાં દુર્ગધ આદિ પ્રગટે છે અને તે જીવ દીર્ઘ નિંદ્રામાં તે શરીરથી સૂઈ જાય છે. વળી આ મૃત્યુનો અન્ય કોઈ પરિવાર નથી. જેમ રોગના અનેક ભેદો છે તેમ મૃત્યુ જીવનો વિનાશ કરવામાં અન્ય કોઈની અપેક્ષા રાખતું નથી. વળી, મૃત્યુના નામ માત્રથી જગતના જીવો ત્રાસ પામે છે. મહાબલિષ્ઠ જીવો પણ મૃત્યુ નજીક છે તે સાંભળીને ભયભીત થાય છે. ફક્ત ભગવાનના વચનથી ભાવિત ઉત્તમ પુરુષોને મૃત્યુ આસન્ન જાણીને પણ ભય થતો નથી; કેમ કે કાર્ય-કારણભાવની વ્યવસ્થામાં સ્થિર બુદ્ધિવાળા છે અને જાણે છે કે ભગવાનના વચનથી ભાવિત મતિવાળા જીવોનું મૃત્યુ આગામી હિત પરંપરાનું કારણ છે તેથી તેઓ જીવે છે ત્યારે પણ જીવન-મૃત્યુ પ્રત્યે સમાન પરિણામવાળા રહે છે અને મૃત્યુ આવે છે ત્યારે પણ ખેદ-ઉદ્વેગ થતો નથી પરંતુ સમભાવથી વાસિત ચિત્તને કારણે વર્તતી શુભલેશ્યાના બળથી અવશ્ય સુગતિને પામે છે. તે સિવાય ભવચક્રમાં વર્તતા સર્વ જીવો પ્રત્યે મૃત્યુ સદા કોઈની અપેક્ષા રાખ્યા વગર ઉચિત કાળે આયુષ્યક્ષય થવાથી આવે છે. વળી, આ મૃત્યુનો વિરોધી આયુષ્ય રાજાની જીવિકા નામની સંભાર્યા છે. અર્થાત્ આયુષ્ય બંધાય છે ત્યારથી માંડીને તે આયુષ્ય જ્યારે ઉદયમાં આવે છે, તે ભવમાં તે જીવ જીવે છે. તે જીવિકા આયુષ્ય નામના રાજાની પત્ની છે અને તેનાથી જ જગતના જીવો તે તે ભવમાં જીવે છે. આથી સુંદર આયુષ્યવાળા જીવોને તે જીવિકા હિતકર જણાય છે અને તે જીવિકાનો નાશ કરીને સુદારુણ એવી મૃતિ લોકને તે સ્થાનથી લીલાપૂર્વક અન્ય ભવમાં મોકલે છે. જગતના જીવો તત્ત્વને જોવામાં મૂઢ હોવાથી મૃત્યુ પછી શું થશે તે પ્રકારના ભયને કારણે અને મૃત્યુની વેદનાથી વિહ્વળ થવાને કારણે દુઃખી દુઃખી થાય છે અને મર્યા પછી તેઓ આ લોકમાં ફરી ક્યારેય તે સ્વરૂપે દેખાતા નથી. અને તેનું ધન, બંધુવર્ગ સર્વ તેનું રહેતું નથી. પરંતુ એકાકી તે જીવ પોતાના કરાયેલા કર્મને અનુસાર સુખ-દુઃખથી દીર્ઘ માર્ગમાં થાય છે. (૪) ખલતા નારી : વળી, કર્મના પેટાભેદરૂપ પાપપ્રકૃતિના ઉદયથી ચોથી ખલતા નારી પ્રગટે છે. આ ખલતાની પ્રાપ્તિમાં જેમ અનુકૂળ કારણ પાપપ્રકૃતિનો ઉદય છે તેમ બહિરંગ નિમિત્ત દુર્જનનો સંગમ છે. તેથી દુર્જનના Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૬૭ સંગમથી ક્યારેક પાપનો ઉદય આવે છે અને ક્યારેક દુર્જનના સંગમ વગર પણ ખલતા પ્રગટ કરે તેવો પાપનો ઉદય હોય ત્યારે જીવ ખલ પ્રકૃતિવાળો બને છે. ખલતા જીવનું પાપપરાયણ મન કરે છે. વળી, શાક્ય, પૈશુન્ય, દુઃશીલપણું, વિપરીત ભાષણ, ગુરુવર્ગની સાથે વિપ્લવ, મિત્રનો દ્રોહ, કૃતનપણું, નિર્લજ્જપણું, મદ, મત્સરભાવ, બીજાના મર્મને પ્રગટ કરવાનું તુચ્છપણું, બીજાની પીડામાં નિશ્ચિતપણું, ઈર્ષ્યાદિ એ સર્વ ખલતાના પરિચારકો છે=જીવમાં વર્તતા ખલ પરિણામની સાથે સહભાવી દુષ્ટ પ્રકૃતિઓ છે. વળી, કર્મની મૂલપ્રકૃતિના પેટાભેદરૂપ પુણ્યોદય નામનું કર્મ છે, જેનાથી જીવમાં સૌજન્યભાવ પ્રગટે છે અને જે જીવમાં સૌજન્યભાવ વર્તે છે, તેમાં તત્ત્વને અનુકૂળ વીર્ય, તત્ત્વની પ્રાપ્તિને અનુકૂળ વૈર્ય અથવા વિષમ સંયોગમાં વૈર્ય, પદાર્થને વાસ્તવિક સ્વરૂપને જોવામાં ગાંભીર્ય, વિશ્વસનીયપણું, ધૈર્ય, પેશલપણું, પરોપકારપણું, દાક્ષિણ્ય, કૃતજ્ઞપણું, આર્જવાદિ ભાવો વર્તે છે. તેથી સૌજન્યવાળો પુરુષ સુંદર માનસવાળો હોય છે. તે સર્વ સુંદર ભાવોની નિષ્પત્તિનું કારણ જીવમાં વર્તતો પુણ્યોદય છે, તેને નાશક આ ખલતા છે. તેથી સૌજન્ય અમૃતના કુંડ જેવો છે અને ખલતા કાલકૂટના વિષથી અધિક છે. તેથી જેનામાં સૌજન્ય વર્તે છે તે જીવો ક્રમસર મહાત્મા બને છે અને જેનામાં ખલતા વર્તે છે તેઓ પાપિષ્ઠ માનસવાળા પાપ કરીને દુરંત સંસારમાં ભટકે છે. વળી, આ ખલતા બીજા જીવોને ઠગવામાં તત્પર, દ્વેષની પ્રકૃતિવાળી, સ્નેહ વગરની જીવને કરે છે. વળી પોતાની સ્તુતિ કરનારાઓનું પણ અનુચિત બોલનારા ખલ પુરુષો હોય છે. બીજાનાં છિદ્રો જોનારા હોય છે. ચિત્તમાં કંઈક ચિંતવન કરે છે, બોલે છે કંઈક, કરે છે કંઈક. આ સર્વ ખેલ પુરુષોની અનુચિત પ્રવૃત્તિ છે. તે સર્વ પાપના ઉદયથી થનારી જીવની ખરાબ પ્રકૃતિ છે. આ પ્રકારે ભવચક્રનું સ્વરૂપ વિચારીને બુદ્ધિમાન પુરુષ કર્મ કઈ રીતે જીવને ખલ બનાવીને વિડંબના કરે છે તેનું ભાન કરીને ભવથી અત્યંત વિરક્ત થાય છે. (૫) કુરૂપતા નારી: વળી, આઠ કર્મમાં નામકર્મ છે તે જીવને કુરૂપતા ઉત્પન્ન કરે છે. તેથી જે જીવોએ ખરાબ નામકર્મ બાંધ્યું છે, તેઓ કુરૂપ શરીર પ્રાપ્ત કરે છે. વળી, આ કુરૂપતાની પ્રાપ્તિમાં બહિરંગ કારણ દુષ્ટ આહાર, દુષ્ટ જીવનવ્યવસ્થા, કફાદિનો પ્રકોપ છે, તોપણ અંતરંગ રીતે તો તે પ્રકારનું નામકર્મ જ બલવાન કારણ છે અને જેઓને કુરૂપતા પ્રાપ્ત થઈ છે તેને જોઈને બધા જીવોને ઉદ્વેગ થાય છે. ખંજતા, કૂટતા આદિ અનેક અવાંતર ભાવો કુરૂપતાના જ ભેદો છે. તે કુરૂપતાનો જ પરિવાર છે. વળી, તે નામકર્મના જ ઉદયથી જીવમાં સુરૂપતા આવે છે. વળી, તે સુરૂપતા પ્રત્યે શુભ આહાર-વિહારાદિ પણ કારણ છે. મર્યાદામાં રહેલા કફાદિ પણ કારણો છે. તોપણ પ્રધાનરૂપે સુરૂપતા નામકર્મ જ કારણ છે અને તેને વિપાકમાં લાવવામાં શુભ આહારાદિ સહાયક કારણ છે, જેનાથી જીવો બીજાને જોવા માત્રથી ગમે છે, સુંદર દેખાવડા દેખાય છે. લોકને આનંદ ઉત્પન્ન કરનારા પણ થાય છે. તે સુરૂપતાના પ્રતિપક્ષભૂત આ કુરૂપતા છે. તેથી ક્યારેક સુરૂપ જીવોની સુરૂપતાનો નાશ કરીને પણ આ કુરૂપતા જીવની વિડંબના કરે છે. અને કુરૂપ જીવો લોકોમાં અનાદેય બને છે. લોકોના હાસ્યભૂત બને છે. પોતાની હીનત્વની શંકાવાળા રહે છે. લોકોને ક્રીડાનું સ્થાન બને છે. વળી કુરૂપ જીવો પ્રાયઃ ગુણો રહિત જ હોય છે; કેમ કે ભૂતકાળમાં જેઓએ ધર્મ સેવ્યો હોય Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેઓમાં જ ઉત્તમ ગુણો આવે છે, અને તે જીવો પ્રાયઃ સુંદર આકૃતિવાળા હોય છે. તેથી ગુણો પણ પ્રાયઃ સુંદર આકૃતિમાં વસે છે. (૬) દરિદ્રતા નારી : વળી, પાપોદયના પેટાભેદ અંતરાયકર્મને આગળ કરીને જીવમાં દરિદ્રતા પ્રગટ થાય છે. દરિદ્રતાની પ્રાપ્તિમાં બાહ્ય નિમિત્તો પણ કારણ બને છે. જેમ અગ્નિ આદિથી, ચોરો આદિથી કે જુગાર આદિથી કે વ્યસનાદિથી ધનનો નાશ થાય છે ત્યારે દરિદ્રતા આવે છે. તોપણ અંતરંગ રીતે અંતરાયકર્મ દરિદ્રતા પ્રત્યે મુખ્ય કારણ છે, અને ચોરી આદિ નિમિત્ત કારણ છે. વળી જેનામાં દરિદ્રતા હોય છે તેઓ ખોટી આશાના પાશથી સમૂઢ વર્તે છે. વળી, પોતાની પાસે ધન છે તેવા પ્રકારના ગંધથી રહિત છે. દૈન્ય, પરિભવ, મૂઢપણું, પ્રાયઃ ઘણા પુત્રો, હૃદયની સંકુચિતતા, માંગણસ્વભાવ, લાભનો અભાવ, ઇચ્છાનો અનુચ્છેદ, સુધા, અરતિ, સંતાપ, એ સર્વ દરિદ્રતા સાથે થનારા પ્રતિકૂળ ભાવો છે. વળી, પુણ્યોદયથી પ્રયુક્ત લોકોના આલ્લાદને કરનારો ઐશ્વર્ય નામનો પુરુષ છે. ઐશ્વર્યનો ઉદય જે જીવોમાં વર્તે છે તે જીવો સુખી, આનંદ-પ્રમોદવાળા, લોકોને વલ્લભ આદિ અનેક ભાવોથી યુક્ત હોય છે અને પોતે સુખી છે એમ માને છે. દરિદ્રતા તે સર્વને ક્ષણમાં નાશ કરીને દાન કરે છે. તેથી દરિદ્રતાથી હણાયેલા લોકો દુઃખથી પીડિત, ગાઢ વિÓલતાને પામેલા, ખોટી આશાથી ધન લેશની પ્રાપ્તિની ઇચ્છાથી અનેક ઉપાયોમાં પ્રવર્તે છે. દિવસ-રાત દુઃખી દુઃખી થાય છે. તે સર્વ પાપી એવી દરિદ્રતાથી વિલસિત છે. આ રીતે દરિદ્રતાનું વાસ્તવિક સ્વરૂપ ભાવન કરીને ભવચક્રનું વિડંબનાવાળું સ્વરૂપ અવલોકન કરે છે, જેથી ભવ પ્રત્યે વિરક્ત થયેલા તે જીવોને ક્વચિત્ પૂર્વ કર્મના ઉદયથી દરિદ્રતા, કુરૂપતા આદિ ભાવો પ્રાપ્ત થયા હોય તો પણ તે સર્વના કોઈ જાતની વ્યાકુળતા વગર તત્ત્વનું યથાર્થ ભાવન કરીને દ્રવ્યથી દરિદ્ર હોવા છતાં ભાવથી અદરિદ્ર બને છે. તેથી કોઈ બાહ્ય નિમિત્તો તેઓને ક્લેશ કરનારાં બનતાં નથી. પરંતુ તત્ત્વનું ભાવન કરીને ઉત્તમ ચિત્ત નિષ્પન્ન કરે છે. જેથી ભાવથી ઉત્તમ ચિત્તને કારણે દરિદ્ર અવસ્થામાં પણ ચક્રવર્તી કરતાં સુખી રહી શકે છે. (૭) દુર્ભગતા નારી : વળી, નામકર્મના ઉદયથી જીવને દુર્ભગતા પ્રાપ્ત થાય છે. અને બહારનું નિમિત્ત વિરૂપપણું, દુઃસ્વભાવપણું, ખરાબ કૃત્યો કરવાની પ્રકૃતિ, ખરાબ વચનો બોલવાની પ્રકૃતિ, દુર્ભગતા પ્રત્યે નિમિત્ત કારણ છે. પરમાર્થથી દુર્ભગત નામકર્મ જ કારણ છે. આથી જ દુર્ભગત નામકર્મનો ઉદય ન હોય તો બાહ્યથી ખરાબ પ્રકૃતિવાળા જીવો પણ ક્યારેક લોકોમાં માન-સન્માનાદિ પ્રાપ્ત કરે છે તોપણ ખરાબ સ્વભાવો દુર્ભગતાને ઉદયમાં લાવવા કારણ છે. આથી જ ખરાબ પ્રકૃતિવાળા જીવોનું દુર્ભગતા નામકર્મ નિમિત્તને પામીને વિપાકને પામે છે, ત્યારે જગતમાં તિરસ્કારને પામે છે. તેથી દીનતા, બધાથી અભિભવ, લજ્જા, ચિત્તમાં દુઃખનો અનુભવ, ન્યૂનતા, વેષની હીનતા, વિજ્ઞાનથી હીનતા, ફલની હીનતા વગેરે દુર્ભગતા સાથે પરિવારરૂપે વર્તે છે. આથી જ દુર્ભગ નામકર્મના ઉદયવાળા જીવો વેશ પહેરવામાં અજ્ઞાનવાળા હોય છે. બોધ કરવામાં મૂર્ખ જેવા હોય છે. કોઈ ફલ સાધવાના અસમર્થ હોય છે. આ સર્વ દુર્ભગતા સાથે થનારા પરિણામો છે. વળી નામકર્મના Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૬૯ જ પેટા“દરૂપ સુભગતાના ઉદયથી જીવો જગતમાં આનંદ-પ્રમોદવાળા, સુંદર મનવાળા, સુંદર પરિવારવાળા, લોકને આનંદ કરનારા, પોતે સુખી છે એમ માનનારા, બધા લોકોને વલ્લભ થાય છે. તેનો નાશ કરીને દુર્ભગતા તે જીવને દુઃખી કરે છે. તેથી ભવચક્રમાં આ દુર્ભગતા અને સુભગતા કઈ રીતે જીવોની સ્થિતિ કરે છે તેનું સમ્યગું અવલોકન કરીને બુદ્ધિમાન પુરુષો ભવથી વિરક્ત ચિત્તવાળા થાય છે. જેથી દુર્ભગતા આદિ ભાવો પૂર્વના કર્મના ઉદયથી પ્રાપ્ત થયા હોય તોપણ તત્ત્વના અવલોકનથી દુઃખી થતા નથી પરંતુ અદીન ભાવથી તે પ્રકારનાં કર્મોનું વેદન કરીને વિપુલ નિર્જરાની પ્રાપ્તિ કરે છે. આ રીતે વિચક્ષણ પુરુષ બુદ્ધિના પ્રકર્ષથી અને વિમર્શશક્તિથી ભવચક્રના વાસ્તવિક સ્વરૂપનું વિવેકપર્વત પર રહીને અવલોકન કરે છે ત્યારે પુણ્યપ્રકૃતિથી થનારા નરને બાધ કરનારી સાત નારીનું સ્વરૂપ, તેનું વીર્ય અને તેના પરિવારાદિ એવા વિકૃત સ્વરૂપને જુએ છે. શ્લોક : प्रकर्षेणोदितं माम! किमासां विनिवारकाः । लोकपाला न विद्यन्ते, नगरेऽत्र नृपादयः? ।।२६७।। શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! આમના=આ સાત નારીઓના નિવારક આ નગરમાંeભવચક્ર નગરમાં, લોકપાલો વિધમાન નથી ? રાજા વગેરે નગરમાં વિધમાન નથી ? ર૬૭ll શ્લોક : विमर्शेनोदितं वत्स! नैताः शक्या नृपादिभिः । निवारयितुमित्यत्र, कारणं ते निवेदये ।।२६८ ।। શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! રાજાઓ વડે આ=જરાદિ નારીઓ, નિવારણ કરવા માટે શક્ય નથી. એમાં કારણ તને નિવેદન કરાય છે. ર૬૮II શ્લોક : ये केचिद्वीर्यभूयिष्ठाः, प्रभवो भवनोदरे । तेष्वपि प्रभवन्त्येताः, सर्वेषु प्रसभं मुदा ।।२६९।। શ્લોકાર્ચ - જે કોઈ શ્રેષ્ઠ વીર્યવાળા રાજાઓ ભુવનોદરમાં છે તે પણ સર્વમાં આ જરાદિ, અત્યંત આનંદપૂર્વક પ્રભવ પામે છે. ર૬૯ll Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ Cोs: सर्वत्र विचरन्तीनामासामुद्दामलीलया । गजानामिव मत्तानां, नास्ति मल्लो जगत्त्रये ।।२७०।। श्लोार्थ : સર્વત્ર ઉદામલીલાથી વિચરતી આમનો મત એવા ગજેની જેમ જગતમયમાં મલ નથી. ર૭૦I Rels : स्वप्रयोजनवीर्येण, विलसन्तीनिरङ्कुशं । को नाम भुवने साक्षादेताः खलयितुं क्षमः? ।।२७१।। श्लोकार्थ : સ્વપ્રયોજનવીર્યથી નિરંકુશ ભુવનમાં વિલાસ પામતી આમને=આ સાત નારીઓને, સાક્ષાત્ અલન કરવામાં કોણ સમર્થ છે? અર્થાત્ કોઈ નથી. ll૨૭૧|| निश्चय-व्यवहारविभागः प्रकर्षेणोक्तं-माम! तत्किं पुरुषेण न यतितव्यमेवामूषां निराकरणे? विमर्शेनोक्तं-वत्स! निश्चयतो निराकरणे न यतितव्यमेव, यतो न शक्यत एवावश्यंभाविनीनामासां निराकरणं कर्तुं, विमृश्यकारी च पुरुषः कथमशक्येऽर्थे प्रवर्तेत ? न हि कर्मपरिणामकालपरिणतिस्वभावलोकस्थितिभवितव्यतादिसंपूर्णकारणसामग्रीबलप्रवर्तितानामवश्यमाविर्भवन्तीनाममषामन्येषां वा कार्यविशेषाणां निराकरणे यतमानः पुरुषः प्रयासादृते कञ्चिदर्थं पुष्णाति । प्रकर्षः प्राह-माम! पूर्वं भवता प्रत्येकमासां जरारुजादीनामपराण्येवान्तरङ्गबहिरङ्गाणि प्रवर्तकानि निर्दिष्टानि तत्कथमिदानीं कर्मपरिणामादीनि प्रवर्तकत्वेनोच्यन्ते? विमर्शेनोक्तं-तानि विशेषकारणानीतिकृत्वा प्राधान्येनोक्तानि, परमार्थतस्तु यथानिर्दिष्टकर्मपरिणामादिकारणकलापव्यापारमन्तरेण न नयननिमेषोन्मेषमात्रमपि कार्यजातं किञ्चिज्जगति जायते । प्रकर्षः प्राह-माम! यद्येवं ततः पुरुषेण किमात्मनो निजवर्गीणस्य वाऽमूरभ्यर्णवर्तिनीरापतन्तीरुपलक्ष्य न कर्तव्य एव कश्चिदासां निवारणोपायः? किं नान्वेषणीया एव वैद्योषधमन्त्रतन्त्ररसायनचतुविधदण्डनीत्यादयः समुपस्थितजरारुजामृत्यादिनिर्घातनोपायाः? किं सर्वथा पादप्रसारिकैवात्र श्रेयस्करी? किमकिञ्चित्कर एव पुरुषो हेयोपादेयहानोपादाने? ननु प्रत्यक्षविरुद्धमिदं, यतः प्रवर्तन्ते एव पुरुषा हिताहितयोरवाप्तिनिराकरणकामतया, प्रवृत्ताश्चोपायेन प्राप्नुवन्ति हितमर्थं, निराकुर्वन्ति चोपस्थितमप्युपायत एवाहितमिति । विमर्शेनोक्तं-वत्स! विश्रब्धो भव मोत्तालतां यासीः, परामृश वचनैदम्पर्यं, निश्चयतो हि मयोक्तं यथा मा प्रवर्तिष्ट पुरुषः, व्यवहारतस्तु तत्प्रवृत्ति को वारयति? पुरुषेण हि Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૭૧ सर्वत्र पुरुषापराधमलः सदनुष्ठाननिर्मलजलेन क्षालनीयः, तदर्थं हि तत्प्रवृत्तिः, यतो नाकलयत्यसौ तदा भाविकार्यपरिणामं, ततो व्यवहारतः सर्वहेयोपादेयहानोपादानसाधनं समाचरत्येव किञ्चचिन्तितं चानेन यदुत-अहं न प्रवर्ते तथाप्यसावप्रवर्तमानो नासितुं लभते, यतः कर्मपरिणामादिकारणसामग्र्या वेतालाविष्ट इव हठात्प्रवर्तत एव, न चाकिञ्चित्करः पुरुषः, किन्तर्हि? स एव प्रधानः तदुपकरणत्वात्कर्मपरिणामादीनां, न च पादप्रसारिका श्रेयस्करी, व्यवहारतः पुरुषप्रवृत्तेहिताऽहितनिर्वर्तनापवर्तनक्षमत्वात्, निश्चयतस्तु निःशेषकारणकलापपरिणामसाध्यत्वात् कार्याणां, अन्यथा पूर्वमाकलिते पुरुषेण वैपरीत्येन तु परिणते पश्चात्प्रयोजने न विधेयौ हर्षविषादौ, समालम्बनीयो निश्चयाभिप्रायो यथेत्थमेवानेन विधातव्यमितिभावनया विधेयो मध्यस्थभावः, न चैतच्चिन्तनीयं यद्येवमहमकरिष्यं ततो नेत्थमभविष्यदिति, यतस्तथाऽवश्यंभाविनः कार्यस्य कुतोऽन्यथाकरणम् ? नियता हि निश्चयाकूतेन नियतकारणसामग्रीजन्या च सकलकालं तथैवानन्तकेवलिज्ञानगोचरीभूता च समस्ताऽपि जगति बहिरङ्गकार्यपर्यायमाला, सा यया परिपाट्या व्यवस्थिता यैश्च कारणैराविर्भावनीया तयैव परिपाट्या तान्येव च कारणान्यासाद्याविर्भवति, कुतस्तस्यामन्यथाभावः? अतोऽतीतचिन्ता मोहविलसितमेव । व्यवहारतोऽपि हितावाप्तयेऽहितनिषेधाय च प्रवर्तमानेन पुरुषेण सुपर्यालोचितकारिणा नानैकान्तिकानात्यन्तिके तत्साधने भेषजमन्त्रतन्त्ररसायनदण्डनीत्यादौ महानादरो विधेयः, अपि त्वैकान्तिकात्यन्तिकं तत्साधनमन्वेषणीयं, सर्वथा सदनुष्ठानोपायेन तत्र यातव्यं यत्रैते जरारुजादयः सर्वेऽप्युपद्रवा न प्रभवन्ति । નિશ્ચય અને વ્યવહારનો વિભાગ પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! તો શું પુરુષ વડે આમના નિરાકરણમાં=જરાદિ નારીઓના નિરાકરણમાં યત્ન ન કરવો જોઈએ? વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! નિશ્ચયથી નિરાકરણમાં થત કરવો ન જ જોઈએ. જે કારણથી અવશ્ય થનારી એવા આમના=જરાદિના, નિરાકરણ કરવા માટે શક્ય નથી અને વિચારપૂર્વક કરનાર પુરુષ અશક્ય અર્થમાં કેવી રીતે પ્રવર્તે ? અર્થાત્ પ્રવર્તે નહીં. हि- गथी, भरिएम, सलपरिति, स्वभाव, तोऽस्थिति, भवितव्यता संपू[ २४सामग्रीना બલથી પ્રવર્તિત અવશ્ય પ્રગટ થનારી એવા આમનો=જરાદિનો, કે અન્ય કાર્યોના વિશેષોના નિરાકરણમાં પ્રયત્ન કરતો પુરુષ પ્રયાસને છોડીને કોઈ અર્થને પોષણ કરતો નથી=પ્રયાસ સિવાય કોઈ ફળને પ્રાપ્ત કરતો નથી. પ્રકમાં કહે છે – હે મામા ! પૂર્વમાં તમારા વડે આ કરારુજાદિતા પ્રત્યેકના પ્રવર્તક અંતરંગ બહિરંગ રૂપ અંગો નિર્દેશ કરાયાં. તે કારણથી કેવી રીતે હમણાં કર્મપરિણામાદિ પ્રવર્તકપણાથી કહેવાય છે ? વિમર્શ વડે કહેવાયું – તે=પૂર્વમાં કહાં તે, વિશેષ કારણો છે એથી કરીને પ્રધાનપણાથી કહેવાયાં. પરમાર્થથી વળી જે પ્રમાણે નિર્દિષ્ટ કર્મપરિણામાદિ રૂપ કારણોના Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સમૂહના વ્યાપાર વગર નયનના નિમેષતા ઉન્મેષ માત્ર પણ કોઈક કાર્યનો સમૂહ જગતમાં થતો નથી. પ્રકર્ષ કહે છે – હે મામા ! જો આ પ્રમાણે છેઃકર્મપરિણામાદિ રૂપ સર્વ કારણસામગ્રીને આધીન જરાદિ ભાવો થાય છે એ પ્રમાણે છે, તો પુરુષ વડે પોતાને અથવા પોતાના સ્વજનોને પાસે આવતી એવી જોઈને=જરાદિને જોઈને, આમના નિવારણનો ઉપાય કંઈ જ કરવો જોઈએ નહીં ? ઉપસ્થિત થયેલી જરા, રોગ, મૃત્યુ આદિના નિર્ધાતના ઉપાયો રૂપ વૈદ્ય, ઔષધ, મંત્ર તંત્ર, રસાયન, ચાર પ્રકારની દંડનીતિ વગેરે શું શોધવા યોગ્ય નથી ? શું સર્વથા પાદપ્રસારિકા જ=પગ પહોળા કરીને બેસવું જ, અહીં શ્રેયકારી છે?=જરાદિના નિવારણમાં કોઈ પ્રયત્ન ન કરવો એ શ્રેયકારી છે? શું હેયના હાલમાં અને ઉપાદેયના ઉપાદાનમાં પુરુષ અકિંચકર જ છે ? ખરેખર આ=જરાદિતા નિવારણનો પ્રયત્ન ન કરવો એ, પ્રત્યક્ષ વિરુદ્ધ છે. જે કારણથી પુરુષો હિત-અહિતની પ્રાપ્તિ અને નિરાકરણની કામનાથી હિતની પ્રાપ્તિની કામનાથી અને અહિતના નિવારણની કામનાથી, પ્રવર્તે જ છે અને ઉપાયથી પ્રવૃત્ત થયેલા જીવો હિતની પ્રાપ્તિના અને અહિતની નિવૃત્તિના ઉપાયથી પ્રવૃત્તિ થયેલ જીવો, હિત અર્થને પ્રાપ્ત કરે જ છે. અને ઉપસ્થિત પણ અહિતનું ઉપાયથી જ નિવારણ કરે છે. વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! વિશ્રબ્ધ થા=સ્વસ્થ થા. ઉત્તાકતાને પામ નહીંsઉતાવળો ન થાય. વચનના એદમ્પર્યનું પર્યાલોચન કર. હિં=જે કારણથી, મારા વડે નિશ્ચયથી કહેવાયું. જે પ્રમાણે પુરુષ ન પ્રવર્તે=પુરુષકાર ન કરવો. વળી વ્યવહારથી તેની પ્રવૃત્તિને=પુરુષની પ્રવૃત્તિને, કોણ વારણ કરે છે ? દિકજે કારણથી, પુરુષ વડે સર્વત્ર=સર્વ પ્રવૃત્તિમાં, પુરુષના અપરાધરૂપ મલ સઅનુષ્ઠાનરૂપ નિર્મલ જલથી ક્ષાલન કરવો જોઈએ. હિં=જે કારણથી, તેના માટે=થયેલા અપરાધરૂપ મલના ક્ષાલન માટે, તેની પ્રવૃત્તિ છે= અનુષ્ઠાનની પ્રવૃત્તિ છે. જે કારણથી આ=પુરુષ, ભાવિ કાર્યના પરિણામને ત્યારે જાણતો નથી=જ્યાં સુધી કાર્ય થયું નથી ત્યાં સુધી ભાવિ કાર્યના પરિણામને જાણતો નથી, તેથી વ્યવહારથી સર્વ હેયના હાલના સાધનને અને ઉપાદેયના ઉપાદાનના સાધનને આચરે જ છે. અને વળી આના વડે–પુરુષ વડે, વિચારાયું. શું વિચારાયું? તે ‘યડુતથી બતાવે છે – હું ન પ્રવર્તે તોપણ અપ્રવર્તમાન એવો આગપુરુષ, બેસવા માટે સમર્થ નથી. જે કારણથી કર્મપરિણામ આદિ કારણરૂપ સામગ્રીથી વેતાલ આવિષ્ટની જેમ હઠથી પ્રવર્તે પુરુષ જ છે અને અકિંચિત્કર પુરુષ નથી. તો શું છે ? એથી કહે છે – તે જ પ્રધાન છે–પુરુષ જ પ્રધાન છે. કર્મપરિણામાદિનું તઉપકરણપણું છે–પુરુષના સાધ્યની નિષ્પત્તિમાં સાધનપણું છે અને પાદપ્રસારિકા શ્રેયસ્કરી નથી=ઈષ્ટ અર્થની પ્રાપ્તિ માટે નિશ્ચયનયનું અવલંબન લઈને નિષ્ક્રિય રહેવું શ્રેયસ્કર નથી. વ્યવહારથી પુરુષની પ્રવૃત્તિનું હિતના વિવર્તવ=હિતના નિષ્પાદન, અને અહિતના અપવર્તનનું સમર્થપણું છે. વળી, નિશ્ચયથી કાર્યોનું વિશેષ કારણકલાપના પરિણામથી સાધ્યપણું હોવાને કારણે પૂર્વ આકલિત કાર્યમાં વૈપરીત્યથી અન્યથા પરિણત થયે છતે કાર્ય અન્યથા પરિણત થયે છતે પ્રયોજનમાં પાછળથી પુરુષ વડે હર્ષ-વિષાદ કરવા જોઈએ નહીં. નિશ્ચયના અભિપ્રાયનું સમાલમ્બન લેવું જોઈએ. કઈ રીતે નિશ્ચયતા અભિપ્રાયનું આલંબન લેવું જોઈએ ? એથી કહે છે – જે પ્રમાણે આ રીતે જ આના Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ દ્વારા થવા યોગ્ય છે=જે રીતે વિપરીત કાર્ય થયું એ રીતે પ્રસ્તુત કાર્ય દ્વારા થવા યોગ્ય છે, એ પ્રકારની ભાવનાથી મધ્યસ્થભાવ કરવો જોઈએ અને આ વિચારવું જોઈએ નહીં=જો આ પ્રમાણે મેં કર્યું હોત તો આ પ્રમાણે ન થાત એ પ્રમાણે વિચારવું જોઈએ નહીં. જે કારણથી તે પ્રકારે અવશ્ય ભાવિ કાર્યનું કેવી રીતે અન્યથાકરણ થાય ? =િજે કારણથી, નિશ્ચયના આકૂતથી=નિશ્ચયના ઇરાદાથી, કેવલીના જ્ઞાનમાં ગોચરીભૂત નિયત કારણસામગ્રીજન્ય સકલકાલ તે પ્રકારે જ અનંત સમસ્ત પણ બહિરંગ અંતરંગ કાર્યના પર્યાયની માલા જગતમાં નિયત છે. તે=કાર્યપર્યાયની માલા, જે પરિપાટીથી વ્યવસ્થિત છે અને જે કારણોથી આવિર્ભાવતીય છે તે જ પરિપાટીથી તે જ કારણોને પામીને આવિર્ભાવ પામે છે=કાર્યના પર્યાયની માળા આવિર્ભાવ પામે છે. કેવી રીતે તેમાં અન્યથા ભાવ છે ? આથી અતીતની ચિંતા=ભૂતકાળની વિચારણા, મોહવિલસિત જ છે. વ્યવહારથી પણ હિતની પ્રાપ્તિ માટે અને અહિતના નિષેધ માટે પ્રવર્તમાન સુપર્યાલોચિતકારી પુરુષ વડે અનેકાંતિક આત્યંતિક ભેષજ, મંત્ર, તંત્ર, રસાયન, દંડનીતિ આદિ રૂપ તેના સાધનમાં=જરાદિના નિવારણના સાધનમાં, મહાન આદર કરવો જોઈએ નહીં. વળી એકાંતિક અને આત્યંતિક તેનું સાધન=જરાદિના નિવારણનું સાધન અન્વેષણ કરવું જોઈએ. સર્વથા સદ્ગુષ્ઠાનના ઉપાયથી ત્યાં જવું જોઈએ જ્યાં આ જરા, રુજાદિ સર્વ પણ ઉપદ્રવો પ્રભવ પામતા નથી. आनन्दमयमुक्तिहेतुभवनिर्वेदाभावे हेतुः પ્રર્ષ: પ્રાદ-મામ! ત્ર પુનરેતે ન પ્રમવત્તિ? વિમર્શનોહમ્ આનંદમય મુક્તિના હેતુ એવા ભવનિર્વેદના અભાવનો હેતુ પ્રકર્ષ કહે છે – હે મામા ! ક્યાં વળી આ=જરાદિ, પ્રભવ પામતા નથી ? વિમર્શ વડે કહેવાયું – શ્લોક ઃ अस्ति सन्नगरी रम्या, निर्वृतिर्नाम विश्रुता । अनन्तानन्दसन्दोहपरिपूर्णा निरत्यया । । १ । । ૧૭૩ શ્લોકાર્થ ઃ રમ્ય, સદ્નગરી છે. અનંતઆનંદના સમૂહથી પરિપૂર્ણ, નિરત્યયવાળી=જેનો નાશ ન થાય તેવી, નિવૃતિ નામથી સંભળાય છે. II|| શ્લોક ઃ तस्यां न प्रभवन्त्येव, संस्थितानामुपद्रवाः । जरारुजाद्याः सा यस्मात्सर्वोपद्रववर्जिता ।।२।। Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેમાં સંસ્થિત જીવોને જરા, સુજાદિ ઉપદ્રવો પ્રભાવ પામતા નથી જ. જે કારણથી તે=નિવૃતિનગરી, સર્વ ઉપદ્રવરહિત છે. ||રા શ્લોક : तस्यां च गन्तुकामेन, सेव्याः सद्वीर्यवृद्धये । पुरुषेण सदा तत्त्वबोधश्रद्धानसत्क्रियाः ।।३।। શ્લોકાર્ચ - અને તેમાં જવાની ઈચ્છાવાળા પુરુષે સટ્વીર્યની વૃદ્ધિ માટે સદા તત્ત્વબોધ, શ્રદ્ધા અને સક્રિયા સેવવી જોઈએ. ll3II બ્લોક : ततो विवृद्धवीर्याणां, तस्या मार्गेऽपि तिष्ठताम् । तनूभवन्ति दुःखानि, वर्धते सुखपद्धतिः ।।४।। શ્લોકાર્થ : તેથી તેના માર્ગમાં રહેતા=નિવૃતિના માર્ગમાં રહેતા, વિવૃદ્ધ વીર્યવાળા જીવોનાં દુઃખો તનુ થાય છે. સુખની પદ્ધતિ વધે છે. I૪. શ્લોક : इदं तु नगरं भद्र! भवचक्रं चतुर्विधम् । सदैवामुक्तमेताभिस्तथाऽन्यैर्भूर्युपद्रवैः ।।५।। શ્લોકાર્ય : વળી હે ભદ્ર ! આ ચતુર્વિધ ભવચક્ર નગર આમના વડે=જરા આદિ વડે, અને અન્ય ભૂરિ ઉપદ્રવો વડે સદા અમુક્ત જ છે. Iપી. શ્લોક : को वाऽत्र गणयेत्तात! क्षुद्रोपद्रवकारिणाम् । पुरे संख्यानमप्येषां, स्वस्थानमिदमीदृशम् ।।६।। શ્લોકાર્થ: હે તાત પ્રકર્ષ! આ નગરમાં=ભવચક્ર નગરમાં, શુદ્રોપદ્રવકારી એવા આમનું=જરાદિનું, સંખ્યાન કોણ ગણે ? આ આવા પ્રકારનું સ્વરસ્થાન છે=ભવચક્ર નગર જરાદિનું સ્વસ્થાન છે. III Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ - ૧૭૫ શ્લોક : પ્રવર્ષ પ્રાદ–મામે, નર નનુ સર્વથા . एवं कथयतो दुःखबहुलं कथितं त्वया ।।७।। શ્લોકાર્ય : પ્રકર્ષ કહે છે – હે મામા! આ નગર ખરેખર સર્વથા આ પ્રમાણે કહેતા તમારા વડે દુઃખબહુલ કહેવાયું. IIછા શ્લોક : साधु साधूदितं वत्स! बुद्धं वत्सेन भाषितम् । विज्ञातं भवचक्रस्य, सारमित्याह मातुलः ।।८।। શ્લોકાર્થ : હે વત્સ પ્રકર્ષ ! સુંદર સુંદર કહેવાયું. વત્સ વડે બોધ કરાયેલું બોલાયું. ભવચક્રનો સાર જણાયો એ પ્રમાણે માતુલ કહે છે. III ભાવાર્થ : ભવચક્રમાં જરાદિ આઠ ભાવો પ્રચુર માત્રામાં વર્તે છે; કેમ કે જગતના દરેક જીવો અનંતીવખત દરેક ભવોમાં જન્મે છે, જરા પામે છે, મૃત્યુ પામે છે. એટલું જ નહીં પણ ક્લિષ્ટ પ્રકૃતિવાળા જ્યારે થાય છે ત્યારે ખલતા પણ આવે છે અને અનેક વખત કુરૂપતા, દુર્ભગતા, દરિદ્રતા જીવે પ્રાપ્ત કરી છે. તેથી આ સાતે ભાવો પ્રત્યેક જીવને આશ્રયીને અનંતીવખત જીવે પ્રાપ્ત કર્યા છે. તે સાંભળીને પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે શું આના નિવારણનો કોઈ ઉપાય નથી ? તેથી વિમર્શ કહે છે – આ સંસારચક્રમાં આ સાતે ભાવોને નિવારવા માટે કોઈ સમર્થ નથી; કેમ કે આ ભાવો નિરંકુશ રીતે સંસારચક્રમાં દરેક જીવોને આશ્રયીને સતત પ્રાપ્ત થાય જ છે. આ પ્રકારે સંસારનું વાસ્તવિક સ્વરૂપ વિમર્શ બતાવે છે તેથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપના વિચારક એવા પ્રકર્ષને પ્રશ્ન થાય છે કે શું આના નિવારણ માટે પુરુષે કોઈ યત્ન કરવો ન જોઈએ ? ગળિયા બળદ થઈને બેસી રહેવું જોઈએ ? તેના સમાધાનરૂપે વિચક્ષણની વિમર્શશક્તિ વ્યાપારવાળી થઈને નિશ્ચયનયથી અને વ્યવહારનયથી શું કર્તવ્ય છે એ બતાવે છે અને કહે છે – | નિશ્ચયનયથી આના નિવારણ માટે કોઈ યત્ન થઈ શકે એમ નથી; કેમ કે સંસારમાં જરાદિ સર્વ ભાવો અવશ્યભાવી છે. તેનું નિરાકરણ કોઈ કરી શકે નહીં. અને વિચાર કરીને પ્રવૃત્તિ કરનાર પુરુષ અશક્ય અર્થમાં પ્રવર્તતા નથી. કેમ વિચાર કરીને પ્રવૃત્તિ કરનારા પુરુષ જરા આદિના નિવારણ માટે પ્રયત્ન કરતા નથી ? તેથી કહે છે – કર્મનો પરિણામ, કાલની પરિણતિ, જીવનો તેવો સ્વભાવ, લોકસ્થિતિ અને ભવિતવ્યતાદિ સંપૂર્ણ કારણસામગ્રીના બળથી પ્રવર્તિત એવાં જરાદિ કાર્યો છે. વળી, અન્ય પણ એવા કાર્યવિશેષો જે કર્મપરિણામ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ આદિ સર્વ કારણો પ્રવર્તે છે એના નિવારણ માટે પ્રયત્ન કરતો પુરુષ પ્રયાસને છોડીને કોઈ ફળને પ્રાપ્ત કરતો નથી. તેથી એ ફલિત થાય કે દરેક જીવો દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે અને સંસારી જીવમાં તે તે ભવની પ્રાપ્તિ અને તે તે કર્મના ઉદયથી તે તે ભવમાં જરાદિની પ્રાપ્તિ જે ક્રમથી અનાદિ કાલથી નિયત છે તે ક્રમથી જ તે તે કાળમાં તે તે પર્યાયોરૂપે જ રાદિ આવિર્ભાવ પામે છે. તેથી સર્વ કારણો મિલિત થઈને જે કાર્ય થતું હોય તે જીવમાં તે તે કાળે પ્રતિનિયતરૂપે તે કાર્ય થવારૂપે જ સર્જાયેલું છે. આથી જે ક્રમબદ્ધ પર્યાયો જે જીવમાં જે જે કાળે આવિર્ભાવ માટે નિયત છે તે તે કાળે તે જ જીવ તે તે પ્રકારે કર્મ બાંધે છે, તે તે અધ્યવસાયો કરે છે અને તે તે ભાવોને પામીને જરાદિની કદર્થના તે તે ભવમાં પ્રાપ્ત કરે છે. તેથી તેના નિવારણ માટે કરાયેલો પ્રયત્ન પ્રયત્નમાત્ર રૂપે થાય છે, કોઈ અર્થની પ્રાપ્તિ થતી નથી. આ પ્રકારે નિશ્ચયનયની સૂક્ષ્મદ્રષ્ટિથી જીવમાં વર્તતા ક્રમબદ્ધ પર્યાયો જે ક્રમથી નિયત છે તે ક્રમથી તે તે કાળે સર્વ સામગ્રીને પામીને તે તે કાર્ય રૂપે પ્રગટ થાય છે. એનું પરિવર્તન જીવ કરવા અસમર્થ છે તેમ બતાવે છે. અહીં પ્રકર્ષને પ્રશ્ન થાય કે પૂર્વમાં વિમર્શ જરાદિનાં અંતરંગ કારણો અને બહિરંગ કારણો પ્રવર્તક કહેલ. અને અહીં કર્મપરિણામ, કાલપરિણતિ આદિને પ્રવર્તક કહેલ તેથી તે બે કથનો કઈ અપેક્ષાએ છે ? એ પ્રકારની શંકામાં વિમર્શ કહે છે – પ્રધાન કારણ તરીકે જરાદિ પ્રત્યે અંતરંગ અને બહિરંગ કારણો હેતુ છે. પરમાર્થથી તો પૂર્વમાં કહેલ તેમ કર્મપરિણામ, કાલપરિણતિ આદિ સર્વ કારણોના સમુદાયથી કાર્ય માત્ર થાય છે. તેથી જે કાર્ય પ્રત્યે કર્મપરિણામાદિ જેટલાં કારણો છે તે સર્વ વિદ્યમાન છે. તે કાળમાં તે કાર્ય અવશ્ય થાય છે અને પુરુષ પ્રયત્ન દ્વારા તેનું નિવારણ કરવા સમર્થ નથી. તેથી પ્રકર્ષ કહે છે, જો પોતાના અથવા પોતાના વર્ગના કે પોતાની પાસે રહેલા કોઈને પણ જરાદિના ઉપદ્રવો હોય તો વૈદ્ય, ઔષધ, મંત્ર, તંત્ર આદિ ઉપાયોને સર્વથા કરવા જોઈએ નહીં. માત્ર નિષ્ક્રિય થઈને બેસી રહેવું જોઈએ. શું પુરુષનો પ્રયત્ન હેયના ત્યાગમાં અને ઉપાદેયના ગ્રહણમાં પ્રવર્તતો નથી ? અર્થાત્ સર્વત્ર પુરુષ પોતાને જે અનિષ્ટ છે તેના ત્યાગ માટે પ્રયત્ન કરે જ છે અને પોતાને જે ઇષ્ટ છે તેના ગ્રહણમાં પ્રયત્ન કરે જ છે. તેમ જરાદિ ભાવો જો જીવની વિડંબના સ્વરૂપ હોય તો તેમાં પણ જીવ પ્રયત્ન કેમ ન કરે ? આ પ્રકારની શંકામાં વિમર્શ કહે છે – એદંપર્ધાર્થનું પર્યાલોચન કર; કેમ કે સર્વ કારણના સમૂહથી કાર્ય થાય છે અને તે અપેક્ષાએ ક્રમબદ્ધ પર્યાયો જે જીવમાં જે ક્રમથી આવિર્ભાવ થવા માટે તેના સ્વભાવમાં નિયત છે તે દૃષ્ટિથી તેના પરિવર્તનનો કોઈ ઉપાય નથી તેમ મેં કહેલ છે. વળી, વ્યવહારથી તેના નિવારણના ઉપાયનું વારણ અમે કરતા નથી; કેમ કે પુરુષે સર્વત્ર પોતાના અપરાધનો મલ સદનુષ્ઠાનના નિર્મલ જલથી ધોવો જોઈએ. તેથી પોતાના આત્માએ અનંતકાળમાં જે જે પાપો સેવીને તે તે કર્મો બાંધ્યાં છે અને તે તે કર્મોના વિપાકથી તેવા તેવા ભવોની પ્રાપ્તિ થાય છે તે કર્મરૂપ મલના નાશને અનુકૂળ સદનુષ્ઠાનરૂપ નિર્મલ જલથી તે મલનો નાશ કરવો જોઈએ. આથી જ તીર્થકરો, ઋષિઓ, મહર્ષિઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અનાદિ કાલથી સેવાયેલા અવીતરાગભાવથી જે કુસંસ્કારો અને જે કર્મરૂપી મલ આત્મા ઉપર લાગેલો છે તેના નાશ અર્થે જ કૃતનિશ્ચયવાળા થઈને પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં દૃઢ યત્નવાળા થાય છે. જેનાથી અવીતરાગભાવથી બંધાયેલા કર્મનો નાશ થાય છે અને વીતરાગભાવની પ્રાપ્તિ થાય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૧૭૭ કેમ નિશ્ચયનયથી અશક્ય એવા પણ અનુષ્ઠાનમાં બુદ્ધિમાન પુરુષ વ્યવહારનયથી પ્રવર્તે છે ? એથી કહે છે – ભાવિ કાર્યનો પરિણામ કેવો છે તે સંસારી જીવ જાણતો નથી. તેથી સુખનો અર્થી જીવ વ્યવહારથી સુખના ઉપાયમાં પ્રવર્તે છે અને દુઃખના નિવારણના ઉપાયમાં પ્રવર્તે છે. ફક્ત મૂઢ જીવોને મોહને વશ બાહ્ય અનુકૂળ સાધનો સુખના ઉપાય જણાય છે અને બાહ્ય પ્રતિકૂળ સાધનો દુઃખના ઉપાય જણાય. તેથી માત્ર તેમાં જ પ્રયત્ન કરે છે પરંતુ અંતરંગ કષાયની પરિણતિ દુઃખનો ઉપાય છે અને અકષાય પરિણતિ સુખનો ઉપાય છે તેવું જ્ઞાન નહીં હોવાથી મૂઢ જીવો તેની ઉપેક્ષા કરે છે અને જેઓમાં મૂઢતા ગઈ છે, કંઈક નિર્મલતા પ્રગટી છે તે જીવો સુખનો ઉપાય કષાયોનું શમન જ છે અને દુઃખનો ઉપાય કષાયોનું પ્રવર્તન જ છે અને કષાયોના પ્રવર્તનથી કર્મો બાંધીને ચાર ગતિની વિડંબના પ્રાપ્ત થાય છે, એમ જાણીને પોતાના કષાયોના નાશના ઉપાયમાં સ્વસામર્થ્ય અનુસાર બુદ્ધિમાન પુરુષો પ્રયત્ન કરે છે. વળી, નિશ્ચયનયની દૃષ્ટિથી કોઈ વિચારે કે જે કાર્ય જે કાળે જે રીતે થવાનું છે તેનું નિરાકરણ થઈ શકે તેમ નથી તેનો નિર્ણય કરીને વિચારે કે હું કોઈ કાર્ય કરવા પ્રવર્તતો નથી તોપણ તે જીવ પ્રવર્યા વગર રહી શકતો નથી. જેમ કોઈ નક્કી કરે કે મને આ નિયત કાલે ધન પ્રાપ્ત થવાનું છે એ નિયત હશે તો થશે અને નહીં થવાનું હશે તો નહીં થાય એમ વિચારીને મારે ધન માટે પ્રવર્તવું નથી તેમ વિચારે તોપણ તે જીવ જો ધનનો અર્થી હોય અને ધનથી થતા સુખનો અર્થી હોય તો ધન માટે પ્રયત્ન કર્યા વગર રહી શકતો નથી; કેમ કે કર્મપરિણામોદિ કારણરૂપ સામગ્રીથી વૈતાલ આવિષ્ટ પુરુષની જેમ હઠથી જ તેને પ્રવર્તાવે છે. અને પુરુષ અકિંચિત્થર નથી. અર્થાત્ તે જીવમાં નિશ્ચયનયને અભિમત જે કર્મપરિણામાદિ કારણસામગ્રી છે તે જેમ કોઈ પુરુષ, ભૂતથી આવિષ્ટ હોય તો તે ભૂતકાળના કર્મોની પ્રેરણાથી પ્રવર્તે છે તેમ તે જીવમાં વર્તતી કર્મપરિણામોદિ કારણસામગ્રી અંતર્ગત જીવનો પ્રયત્ન પણ છે અને જીવ સુખનો અર્થ છે તેથી તેના બોધને અનુરૂપ તેને સુખ ધનમાં દેખાય તો તે કારણસામગ્રી તેને ધન માટે પ્રયત્ન કરવા પ્રેરણા કરે છે અને જે જીવને કષાયના ઉચ્છેદમાં સુખ દેખાય છે તે જીવને તેમાં રહેલી સુખની ઇચ્છા તેને સ્વશક્તિ અનુસાર કષાયના ઉચ્છદમાં પ્રયત્ન કરવ પ્રેરણા કરે છે, તેથી પ્રયત્ન કર્યા વગર પુરુષ રહી શકતો નથી. માટે કાર્યનિષ્પત્તિ પ્રત્યે પ્રધાન કારણ પુરુષનો પ્રયત્ન છે. કર્મપરિણામાદિ તે કાર્યનિષ્પત્તિમાં ઉપકરણ રૂપ છે. તેથી કાર્યના અર્થીએ પ્રમાદ કરવો જોઈએ નહીં. પરંતુ વ્યવહારથી ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરવો જોઈએ. વળી, નિશ્ચયથી દરેક કાર્યો સંપૂર્ણ કારણસામગ્રીથી સાધ્ય છે તેથી કોઈ પુરુષ કોઈક કાર્ય મારા પ્રયત્નથી સાધ્ય થશે તેવો નિર્ણય કરીને તે કાર્યની પ્રાપ્તિ કરે અથવા કોઈ વિઘટક સામગ્રીને કારણે કાર્ય વિપરીત થાય ત્યારે નિશ્ચયનયનું અવલંબન લઈને તેણે વિચારવું જોઈએ કે આ રૂપે જ કાર્ય થવાનું હતું, એ પ્રકારની ભાવના કરીને પ્રાપ્તિમાં હર્ષ અને અપ્રાપ્તિમાં વિષાદ કરવો જોઈએ નહીં પરંતુ મધ્યસ્થભાવ ધારણ કરવો જોઈએ. જેથી નિશ્ચયનયની દૃષ્ટિ પણ હર્ષ-વિષાદ આદિ ક્લેશથી આત્માનું રક્ષણ કરે છે. અને વ્યવહારનયની દૃષ્ટિ પણ પોતાના હિતાહિતનો ઉચિત નિર્ણય કરીને જેમાં પોતાનું હિત હોય તેવી ઉચિત પ્રવૃત્તિમાં પ્રયત્ન કરવા પ્રેરણા કરે છે. જેથી કષાયોના ક્લેશોથી આત્માનું રક્ષણ થાય છે. આથી જ એમ કહ્યું કે નિશ્ચયનયથી સર્વ કારણસામગ્રીથી કાર્યનું સાધ્યપણું છે તેથી જે જે જીવોની જે જે પ્રકારની Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કારણસામગ્રી છે તે તે પ્રકારે તે તે જીવો તે તે ભવમાં જરાદિ ભાવો પ્રાપ્ત કરે છે. માટે જરાદિના નિવારણનો નિશ્ચયનયથી કોઈ ઉપાય નથી. નિશ્ચયનય પણ કાર્ય-કારણ ભાવની યથાર્થ વ્યવસ્થા બતાવીને કહે છે કે જીવને પુણ્યના ઉદયથી સફળતા મળે છે ત્યારે હર્ષ કરે છે અને પુણ્યના સહકારના અભાવને કારણે ધારેલા કાર્યમાં નિષ્ફળતા મળે છે ત્યારે વિષાદ કરે છે તે વખતે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવું જોઈએ કે આ કાર્ય આ રીતે જ થવાનું હતું માટે આમ થયું છે, એ પ્રકારે ભાવના કરીને જીવે મધ્યસ્થભાવ ધારણ કરવો જોઈએ. પરંતુ મૂઢમતિથી આ પ્રમાણે વિચારવું જોઈએ નહીં કે જો આ રીતે મેં કર્યું હોત તો આ રીતે મને નિષ્ફળતા મળતી નહીં; કેમ કે કાર્ય-કારણ ભાવનો નિર્ણય કરીને વ્યવહારનયની મતિથી ઉચિત પ્રવૃત્તિ કરનારા જીવોને જ્યારે પોતાને જણાયેલ કાર્ય નિપુણતાપૂર્વક કરવા છતાં અન્યથા કાર્ય થાય છે ત્યારે તે કાર્ય તે રીતે જ અવશ્યભાવિ હતું તેથી પોતે તેને અન્યથા કઈ રીતે કરી શકે ? અર્થાત્ કરી શકે નહીં. માટે પૂર્વમાં મેં આમ કર્યું હોત તો આ સફળતા મળત એ પ્રમાણે અતીતની ચિંતા કરવી જોઈએ નહીં, કેમ કે આ પ્રકારની અતીતની ચિંતા એ મોહનો વિલાસ જ છે. કેમ મોહનો વિલાસ છે એથી કહે છે. તે પ્રકારે વિચાર કરીને જીવો માત્ર ખેદ તથા ઉદ્વેગના ફળને જ પામે છે પરંતુ કોઈ ઇષ્ટ ફલને પામતા નથી. વળી, વ્યવહારથી હિત માટે પ્રવર્તનાર અને અહિતથી નિવૃતિ કરનાર બુદ્ધિમાન પુરુષે પદાર્થની વાસ્તવિક વ્યવસ્થાનું સુપર્યાલોચન કર્યા પછી અનેકાંતિક અને અનાત્યંતિક એવા જરાદિના નિવારણના ઉપાયભૂત ભૈષજ, મંત્ર આદિમાં મહાન આદર કરવો જોઈએ નહીં. પરંતુ એકાંતિક અને આત્યંતિક જરાદિના નિવારણના ઉપાયોનું અન્વેષણ કરવું જોઈએ અને તેના ઉપાયભૂત ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરવો જોઈએ. જેથી જરાદિ ઉપદ્રવો ક્યારેય પ્રાપ્ત થાય નહીં. આશય એ છે કે સંસારી જીવોને જરા, મરણ આદિ ઉપદ્રવોનો પરિવાર સંસાર અવસ્થામાં સર્વથા શક્ય નથી. ફક્ત ઔષધ, મંત્ર, તંત્ર આદિનો પ્રયોગ કરવામાં આવે તો કંઈક અંશથી જરા વિલંબનથી આવે છે. તોપણ તે તે ભવમાં અવશ્ય જરાદિની પ્રાપ્તિ થાય છે. ક્વચિત્ ઔષધાદિમાં યત્ન કરે તો અકાળ મૃત્યુ ન થાય તોપણ આયુષ્યક્ષય વખતે અવશ્ય મૃત્યુ થાય છે. ક્વચિત્ ઔષધાદિના પ્રયોગના બળથી આ ભવમાં રોગાદિ ન આવે તોપણ અન્ય અન્ય ભવોમાં તે જીવને અવશ્ય રોગાદિ પ્રાપ્ત થાય છે; કેમ કે પ્રચુર પાપનો સંચય થાય તો તેવા જ ભવોની પ્રાપ્તિ થાય છે કે જ્યાં પ્રચુર રોગાદિ ભાવોની પ્રાપ્તિ થાય. તેથી જરાદિના નિવારણના ઉપાય ઔષધ, મંત્ર, તંત્ર હોવા છતાં તે ઉપાયો એકાંતે જરાદિનું નિવારણ કરી શકતા નથી. ક્વચિત્ કોઈ ભવમાં નિવારણ કરે તો પણ સંસારચક્રમાં રહેવા છતાં તે જરાદિ ક્યારેય પ્રાપ્ત ન થાય તે રીતે આત્યાંતિક જરાદિનું નિવારણ કોઈ કરી શકતું નથી. તેથી તે ઉપાયોમાં ચિત્તના સ્વાચ્ય અર્થે કોઈ વિવેકી યત્ન કરે તો પણ મહાન આદરનો વિષય ભૈષજ આદિ નથી. તો પ્રશ્ન થાય કે જરાદિના નિવારણના ઉપાયમાં મહાન આદર ક્યાં કરવો જોઈએ ? તેથી કહે છે – જે જીવો ભવચક્રના કારણભૂત કષાયો-નોકષાયો કરે છે અને ભવની નિષ્પત્તિના કારણભૂત લેશ્યાના Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ભાવો કરે છે તેઓ સર્વથા જરાદિનું નિવારણ ક્યારેય કરી શકે નહીં. પરંતુ જો તેઓ સંસારના કારણીભૂત લેશ્યાનો પરિહાર કરવા માટે અને સંસારના કા૨ણીભૂત કષાય-નોકષાયના પરિહાર કરવા માટે યત્ન કરે તો ક્રમસ૨ ભવચક્રના પરિભ્રમણની શક્તિ ક્ષીણ થાય છે. તેથી તેવા મહાત્માઓ ભવના વિનાશના ઉપાયભૂત સદનુષ્ઠાનના સેવનના બળથી સુંદર મનુષ્ય અને દેવાદિના ભવોને પામીને જ્યારે સર્વ કષાયોનોકષાયોનો ક્ષય કરશે ત્યારે મોક્ષને પ્રાપ્ત કરશે. જ્યાં જરાદિ સર્વનો ઉપદ્રવ લેશ પણ પ્રાપ્ત થતો નથી. તેથી વિચા૨ક પુરુષે જરાદિની વિડંબનાઓથી આત્માના રક્ષણનો એકાંતિક અને આત્યંતિક ઉપાય કષાયનોકષાયનો ઉચ્છેદ છે એમ નિર્ણય કરીને તેમાં જ યત્ન કરવો જોઈએ. ૧૭૯ વળી, કષાય-નોકષાયની ઉચ્છેદની પ્રવૃત્તિ કરવામાં ક્યારેક જરાદિ બાધક થતા હોય ત્યારે બુદ્ધિમાન પુરુષ ભૈષજ આદિમાં કંઈક આદર કરે. આથી જ સુસાધુને રોગની પ્રાપ્તિ થઈ હોય અને સમભાવની વૃદ્ધિમાં રોગથી વિઘ્ન ન થતો હોય તો રોગના નિવારણ માટે યત્ન કરતા નથી. જેમ સનત્કુમાર ચક્રવર્તી. જે સાધુઓ સમભાવમાં જ યત્ન કરનારા છે પરંતુ રોગનો પ્રકર્ષ સમભાવના અંતરંગ યત્નમાં સ્ખલના કરાવતો હોય ત્યારે સમભાવના રક્ષણ અર્થે સુસાધુઓ પણ ઔષધમાં યત્ન કરે છે તોપણ તેઓને ઔષધમાં મહાન આદર નથી. પરંતુ ભવચક્રના કારણીભૂત જે કષાય-નોકષાય છે તેના ઉચ્છેદમાં જ મહાન આદર છે. આથી જ સાધુધર્મની શક્તિનો સંચય ન હોય તેવા શ્રાવકોને પણ ભોગાદિમાં મહાન આદર નથી પરંતુ સંયમને અનુકૂળ શક્તિસંચયમાં જ મહાન આદર છે. તોપણ ભોગની પ્રવૃત્તિ વગર અસ્વસ્થ થયેલું ચિત્ત સંયમની શક્તિનો સંચય કરવા અસમર્થ બને ત્યારે સંયમની શક્તિના સંચયમાં થતા વિઘ્નના નિવારણના ઉપાયરૂપે જ અર્થ-કામમાં પ્રવૃત્તિ કરે છે. જેમ સુસાધુ રોગના નિવારણના ઉપાયરૂપે ઔષધમાં પ્રવૃત્તિ કરતા નથી પરંતુ સમભાવના કંડકોની વૃદ્ધિમાં થતા યત્નમાં રોગથી થનારાં વિઘ્નોના નિવારણ અર્થે ઔષધમાં પ્રયત્ન કરે છે. જેઓ ભવચક્રનું વાસ્તવિક સ્વરૂપ જાણીને અને જરાદિના ઉપદ્રવોવાળું ભવચક્ર છે તેવો સ્થિર નિર્ણય કરીને ભવચક્રના ઉચ્છેદના અર્થી થયા છે અને તેને જ લક્ષ કરીને સર્વ યત્ન કરે છે તેઓ મોક્ષમાં ન જાય ત્યાં સુધી પણ મોક્ષને અનુકૂળ સન્માર્ગના સેવનના બળથી સુદેવ-સુમનુષ્યપણું પામે છે અને અંતે મોક્ષમાં જાય છે, ત્યારે શાશ્વત અનંત-આનંદના સમૂહથી પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે. માટે આ ભવચક્રમાં કંઈક સુખો હોવા છતાં દુઃખબહુલ જ છે; કેમ કે નરકમાં દુઃખની પરાકાષ્ઠા છે. એકેન્દ્રિય આદિ ભવોમાં પણ પ્રચુર દુઃખો છે. તિર્યંચોમાં ક્યારેક શાતાનું સુખ છે તોપણ અનેક પ્રકારનાં શારીરિક આદિ દુઃખો છે. મનુષ્યપણામાં રોગ, દરિદ્રતા આદિ અનેક દુઃખો છે. અને કષાયો-નોકષાયોનાં દુઃખો તો સર્વત્ર વ્યાપક જ છે. આથી સર્વ પ્રકારના બાહ્ય સુખથી યુક્ત એવા દેવભવમાં પણ ઈર્ષ્યા, શોક, ઇત્યાદિ કષાયોજન્ય દુઃખો વ્યાપ્ત છે. તેથી ભવચક્ર દુઃખબહુલ છે. માત્ર નિવૃતિનગરી જ પૂર્ણ સુખમય છે. શ્લોક ઃ प्रकर्षः प्राह यद्येवं, ततोऽत्र नगरे जनाः । વસન્તઃ ક્રિ સુનિર્વિĪાઃ ? વ્ઝિ વા નેતિ? નિવેદ્યતામ્ ।।૧।। Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :પ્રકર્ષ કહે છે જો આ પ્રમાણે છે=ભવચક્ર નગર દુઃખબહુલ છે, તો આ નગરમાં વસતા જનો શું અત્યંત નિર્વેદવાળા છે અથવા નથી ? એ પ્રકારે નિવેદન કરો. Ile શ્લોક ઃ ૧૮૦ — विमर्शेनोदितं वत्स ! निर्वेदो नास्ति देहिनाम् । अत्रापि वसतां नित्यं, तत्राऽऽकर्णय कारणम् ।।१०।। શ્લોકાર્થ ઃ વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! અહીં પણ વસતા જીવોને નિત્ય નિર્વેદ નથી. ત્યાં કારણ સાંભળ. ||૧૦|| શ્લોક ઃ य एते कथितास्तुभ्यं, महामोहादिभूभुजः । अन्तरङ्गाः स्ववीर्येण, वशीकृतजगत्त्रयाः । । ११ । । શ્લોકાર્થ : જે આ મહામોહાદિ અંતરંગ રાજાઓ તને કહેવાયા, સ્વવીર્યથી વશીકૃત જગતત્રયવાળા 9. 119911 શ્લોક ઃ : एतेषां कौशलं किञ्चिदपूर्वं जनमोहने । विद्यते तद्वशेनैते, निर्विद्यन्ते न नागराः ।।१२।। શ્લોકાર્થ : તેઓનું=મહામોહ આદિ રાજાઓનું, લોકોના મોહનમાં=મોહ પમાડવામાં, કોઈક અપૂર્વ કૌશલ્ય વિધમાન છે. તેના વશથી=મોહના વશથી, આ લોકો નિર્વેદને પામતા નથી. ।૧૨। શ્લોક ઃ एते हि चरटप्राया, दुःखदाः शत्रवोऽतुलाः । महामोहादयो वत्स ! भवचक्रनिवासिनाम् ।।१३।। શ્લોકાર્થ દિ=જે કારણથી, હે વત્સ ! ચરટપ્રાયઃ એવા આ મહામોહાદિ ભવચક્રમાં રહેનારા જીવોને દુઃખને દેનારા અતુલ શત્રુઓ છે. II૧૩II Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तथापि प्रतिभासन्ते, तेषां मोहितचेतसाम् । यथैते सुहृदोऽस्माकं, वत्सलाः सुखहेतवः ।।१४।। શ્લોકાર્ચ - તોપણ મોહિત ચિત્તવાળા તે જીવોને જે પ્રમાણે આ અમારા મિત્રો, વત્સલ સુખના હેતુઓ પ્રતિભાસે છે. ૧૪ll શ્લોક : इदं च नगरं वत्स! दुःखसङ्घातपूरितम् । तथाप्यत्र स्थिता लोका, मन्यन्ते सुखसागरम् ।।१५।। શ્લોકાર્ચ - અને હે વત્સ ! દુઃખ સંઘાતથી પૂરિત આ નગર છે તોપણ અહીં રહેલા લોકો સુખસાગરને માને છે. ll૧પા શ્લોક : निश्चिन्ता निर्गमोपाये, वसनेनाऽत्र मोदिताः । નિવસત્તિ સદ્દા તુષ્ટા, મદામોદાદ્રિવાન્ય: સાઉદ્દા. શ્લોકાર્ચ - નિર્ગમનના ઉપાયમાં નિશ્ચિત, અહીં=ભવચક્રમાં, વસનથી આનંદ પામેલા, મહામોહાદિ બાંધવો સાથે સદા તોષવાળા વસે છે=ભવચક્રથી નીકળીને મોક્ષમાં જવાના ઉપાયમાં ચિંતા વગરના ભવચક્રમાં વસવાથી આનંદ પામેલા મહામોહાદિ બાંધવોની સાથે સદા તુષ્ટ વસે છે. ll૧૬ll શ્લોક : योऽपि निर्गमनोपाय, भवचक्रात्प्रभाषते । तस्याप्येतेऽपि रुष्यन्ति, यथैष सुखवञ्चकः ।।१७।। શ્લોકાર્ચ - ભવચક્રથી નિર્ગમનના ઉપાયને જે પણ કહે છે, તેને પણ આ જીવો રોષ કરે છે. જે પ્રમાણે આ સુખના વંચક છે–તપ ત્યાગાદિ કરીને આત્મહિત સાધનારા જીવો પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં પોતાને જે ઉત્તમ ભોગો મળ્યા છે તે ઉત્તમ ભોગોના સુખના વંચક છે, તેથી મૂર્ખાઓ છે એમ માને છે. II૧૭I Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : तच्च तच्च प्रकुर्वन्ति, महायत्नेन सर्वथा । ચેના ત્રેવ મવચેષાં, વાસ: પાપેન વર્મા ૨૮ાા શ્લોકાર્ચ - અને તે અને તે સર્વથા મહાયત્વથી કરે છે. જેનાથી અહીં જ ભવચક્રમાં જ, પાપી એવા કર્મથી આમનો વાસ થાય મહામોહથી દૂષિત મતિવાળા જીવો મહાયત્નથી ભોગવિલાસ, માનસન્માન આદિ તે તે કૃત્યો મહાયત્નથી સર્વદા કરે છે જેથી પાપકર્મો બાંધે છે. જેનાથી ભવચક્રમાં જ તેઓનો વાસ થાય. ll૧૮ll શ્લોક : तदेवं निजवीर्येण, महामोहादिशत्रुभिः । क्रोडीकृता न जानन्ति, किञ्चिदेते तपस्विनः ।।१९।। શ્લોકાર્ચ - તે કારણથી આ રીતે નિજવીર્ય દ્વારા મહામોહાદિ શત્રુઓથી ક્રોડીકૃત, એવા આ તપસ્વીઓ=દીન એવા સંસારી જીવો, કંઈ જાણતા નથી=પોતાનું હિત શું છે ? અહિત શું છે ? તે કંઈ જાણતા નથી. I૧૯ll શ્લોક : शब्दादिसुखसम्भोगं, तुच्छं दुःखात्मकं सदा । एते मनसि मन्यन्ते, यथेदममृतोपमम् ।।२०।। શ્લોકાર્ધ : દુઃખાત્મક તુચ્છ એવા શબ્દાદિ સુખના સંભોગને મનમાં આ લોકો જે પ્રમાણે આ અમૃતના ઉપમાવાળું છે તે પ્રમાણે સદા માને છે. IlRoll શ્લોક : ततोऽमी यावदेतेषां, प्रभवो वत्स! भूभुजाम् [जः मु] । भवचक्रे न निविण्णास्तावल्लोकाः कदाचन ।।२१।। શ્લોકાર્ચ - તેથી હે વત્સ ! જ્યાં સુધી આ રાજાઓનો પ્રભાવ છે ત્યાં સુધી ક્યારેય આ લોકો ભવચક્રમાં નિર્વેદ પામતા નથી. II૧II Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ मिथ्यादर्शनवर्णने षड्दर्शनवर्णनम् બ્લોક : प्रकर्षः प्राह यद्येवं, ततोऽमीषां दुरात्मनाम् । सदोन्मत्तकतुल्यानां, किमस्माकं विचिन्तया? ।।२२।। મિથ્યાદર્શનના વર્ણન અંતર્ગત ષદર્શનનું વર્ણન શ્લોકાર્ધ : પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે=ભવચક્રના જીવો મોહાદિને બંધુની જેમ જોઈને ભવથી ઉદ્વેગ પામતા નથી એ પ્રમાણે છે, તો સદા ઉન્મત્ત તુલ્ય દુરાત્મા એવા આમની=ભવચક્રમાં રહેલા જીવોની, ચિંતાથી અમને શું? શ્લોક : केवलं माम! सर्वेषां, महामोहादिभूभुजाम् । दर्शितं भवचक्रेऽत्र, मम वीर्यं त्वया स्फुटम् ।।२३।। શ્લોકાર્ચ - કેવલ હે મામા ! સર્વ મહામોહાદિ રાજાઓનું વીર્ય આ ભવચક્રમાં તમારા વડે સ્પષ્ટ બતાવાયું છે. ll૧૩ શ્લોક : यस्त्वसौ वर्णितः पूर्वं, महामोहमहत्तमः । ag: વૃષ્ટિપત્નીલો, મિથ્યાનિનામ: T૨૪તા શ્લોકાર્ચ - જે વળી પૂર્વમાં આ મહામોહનો મહત્તમ વણ, કુદષ્ટિરૂપ પત્નીવાળો મિથ્યાદર્શન નામનો વર્ણન કરાયો. ll૧૪ll. શ્લોક : तेन यद् भवचक्रेऽत्र, स्ववीर्येण विजृम्भितम् । तन्मेऽद्यापि त्वयाऽऽख्यातं, नापि संदर्शितं मम ।।२५।। શ્લોકાર્ધ : તેના વડે આ ભવચક્રમાં સ્વવીર્યથી જે વિજૂર્ભિત છે=જે વિલસિત છે, તે મને હજી પણ તમારા વડે=વિમર્શ વડે, કહેવાયું નથી, વળી મને બતાવાયું નથી. ||રપા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततोऽहं द्रष्टुमिच्छामि, श्रोतुं च गुणरूपतः । तद्वशीभूतलोकानां, चरितं माम! साम्प्रतम् ।।२६।। શ્લોકાર્ચ - તેથી તેના વશીભૂત લોકોનું–મિથ્યાત્વની વશીભૂત લોકોનું, ચરિત્ર હે મામા ! હમણાં ગુણથી અને સ્વરૂપથી જોવા માટે અને સાંભળવા માટે હું ઈચ્છું છું. llll. બ્લોક : विमर्शः प्राह नगरं, समस्तमिदमञ्जसा । प्रायेण वर्तते तस्य, वशे नास्त्यत्र संशयः ।।२७।। શ્લોકાર્ચ - વિમર્શ કહે છે. સમસ્ત આ નગર ભવચક્ર નગર, પ્રાયઃ તેને મિથ્યાદર્શનને, શીધ્ર વશ વર્તે છે. એમાં=ભવચક્ર નગર મિથ્યાદર્શનને વશ વર્તે છે એમાં, સંશય નથી. llરી શ્લોક : તથાદિयदिदं वर्णितं तेऽत्र, मया पुरचतुष्टयम् । તત્ર સર્વત્ર વિજો, નોવાસ્તશિર્વતનઃ સારા શ્લોકાર્ચ - તે આ પ્રમાણે - મારા વડે તને અહીં ભવચક્રમાં જે આ ચાર નગરો વર્ણન કરાયાં, ત્યાં સર્વત્ર ચારે નગરોમાં, લોકો તેના=મિથ્યાદર્શનના, વશવર્તી વિદ્યમાન છે. ૨૮ શ્લોક : तथापि ये विशेषेण, तस्याऽऽज्ञाकारिणो जनाः । तेषां स्थानानि ते भद्र! दर्शयामि परिस्फुटम् ।।२९।। શ્લોકાર્ચ - તોપણ જે વિશેષથી તેના આજ્ઞાકારી મિથ્યાદર્શનના આજ્ઞાકારી, જે લોકો છે તેઓનાં સ્થાનોનું મિથ્યાદર્શનને વશ જીવોનાં સ્થાનો, હે ભદ્ર પ્રકર્ષ ! હું તને પરિફુટ બતાવું છું. //ર૯ll Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततश्चोर्ध्वं विशेषेण, कृत्वाऽसौ दक्षिणं करम् । तर्जन्या दर्शयत्वेवं, तानि स्थानानि यत्नतः ।।३०।। શ્લોકાર્ચ - ત્યારપછી આ=વિમર્શ, દક્ષિણ કરને વિશેષથી ઊંચો કરીને તર્જની વડે આ રીતે યત્નથી તેનાં સ્થાનો-મિથ્યાદર્શનને વશવર્તી જીવોનાં સ્થાનો, બતાવે છે. Il3oI શ્લોક : अमूनि मानवावासे, दृश्यन्ते यानि सुन्दर! । अभ्यन्तरपुराणीह, षडवान्तरमण्डले ।।३१।। एतानि वत्स! लोकानां, तेषां स्थानानि लक्षय । मिथ्यादर्शनसंज्ञेन, ये वशीकृतचेतसः ।।३२।। શ્લોકાર્ચ - હે સુંદર ! આ માનવાવાસમાં છ અવાંતર મંડલમાં જે અત્યંતર નગરો દેખાય છે. હે વત્સ! આ=અત્યંતર નગરો, મિથ્યાદર્શન સંજ્ઞા વડે જે વશીકૃત ચિત્તવાળા છે, તે લોકોનાં સ્થાન તું જાણ. Il૩૧-૩૨l. __ प्रकर्षेणोक्तं-माम! किनामकान्येतानि पुराणि? किमभिधाना वैतेषु लोकाः प्रतिवसन्ति? વિમાનો-વત્સ! સમય પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! કયા નામવાળાં આ નગરો છે? અને કયા નામવાળા લોકો આમાં વસે છે ? વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! સાંભળ. શ્લોક : एकमत्र पुरे तावन्नैयायिकमितीरितम् । नैयायिकाश्च गीयन्ते, ते जना येऽत्र संस्थिताः ।।३३।। શ્લોકાર્ચ - આ નગરમાં નેયાયિક એ પ્રમાણે એક કથિત છે અને જે અહીં રહેલા છે તે લોકો નૈયાયિકો કહેવાય છે. Il33 શ્લોક : अन्यद्वैशेषिकं नाम, पुरमत्राभिधीयते । वैशेषिकाश्च ते लोका, येऽस्य मध्ये व्यवस्थिताः ।।३४ ।। Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ શ્લોકાર્ચ - અહીં=માનવાવાસમાં, બીજુ વૈશેષિક નામનું નગર કહેવાય છે અને જે આના મધ્યમાં રહેલા છે=વૈશિષક નગરમાં રહેલા છે, તે લોકો વૈશેષિક કહેવાય છે. ll૧૪ શ્લોક : तथाऽपरं जनैः सांख्यं, पुरमत्र प्रकाशितम् । सांख्याश्च ते विनिर्दिष्टा, लोका येऽत्र वसन्ति भोः ।।३५ ।। શ્લોકાર્થ : અને અહીં=માનવાવાસમાં, અપર સાંખ્ય નામનું નગર લોકો વડે પ્રકાશિત છે અને જે અહીં વસે છે તે સાંખ્ય કહેવાયા છે. IlઉપIL શ્લોક : इहापरं पुनर्बोद्धं, पुरमाख्यायते जनैः । प्रसिद्धा बौद्धसंज्ञाश्च, ते जना येऽस्य मध्यगाः ।।६।। શ્લોકાર્ચ - અહીં બીજું વળી બોદ્ધ નગર જનો વડે કહેવાયું છે અને જે આના મધ્યમાં લોકો રહે છે તે બોદ્ધ સંજ્ઞાવાળા પ્રસિદ્ધ છે. ll૩૬ll શ્લોક : मीमांसकपुरं नाम, तथाऽन्यत्परिकीर्तितम् । मीमांसकाश्च गीयन्ते, ते लोका येऽत्र संस्थिताः ।।३७।। શ્લોકાર્થ : અને મીમાંસક નામનું નગર અન્ય કહેવાયું છે. અહીં=મીમાંસક નગરમાં, જે રહેલા છે તે લોકો મીમાંસક કહેવાય છે. ll૧૭ll શ્લોક : लोकायतमिति प्रोक्तं, पुरमत्र तथाऽपरम् । વાસ્થત્યા તે નોા, જે વાસ્તવ્ય: પુરેડદ્ર મો: ! રૂટા શ્લોકાર્ચ - અને અહીં માનવવાસમાં, અપર લોકાયત એ પ્રમાણે નગર કહેવાયું છે. અને જે આ નગરમાં વસનારા છે તે લોકો બાહસ્પત્ય કહેવાય છે. II3ZIL Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ तदेतेषु परेषूच्चैर्येऽमी लोकाः प्रकीर्तिताः । ते विशेषेण कुर्वन्ति, मिथ्यादर्शनशासनम् ।।३९।। શ્લોકાર્થ : - તે કારણથી આ નગરોમાં જે આ લોકો અત્યંત કહેવાયા તે વિશેષથી મિથ્યાદર્શનનું શાસન કરે છે=મિથ્યાદર્શનની આજ્ઞા સ્વીકારે છે. II3II શ્લોક ઃ यच्च प्रोक्तं मया पूर्वं सभार्यस्य विजृम्भितम् । तस्य सर्वं तदेतेषु लोकेषु ननु दृश्यते ।। ४० ।। શ્લોકાર્થ : અને મારા વડે પત્ની સહિત એવા તેનું=મિથ્યાદર્શનનું, જે વિકૃતિ પૂર્વમાં કહેવાયું તે સર્વ આ લોકોમાં ખરેખર દેખાય છે. II૪૦|| શ્લોક ઃ प्रकर्षेणोक्तं षडत्र यानि श्रूयन्ते, मण्डलानि लोकवार्तया । दर्शनानि किमेतानि, तान्याख्यातानि मे त्वया ? ।।४१ ।। ૧૮૭ શ્લોકાર્થ : પ્રકર્ષ વડે કહેવાયું – અહીં=માનવવાસમાં, જે છ મંડલો લોકવાર્તાથી સંભળાય છે. શું આ દર્શનો મને તમારા વડે તે=તે મંડલો, કહેવાયાં છે ? ।।૪૧|| શ્લોક ઃ विमर्शेनोदितं वत्स ! कथ्यते ते परिस्फुटम् । एतानि पञ्च तान्येव, मीमांसकपुरं विना ।।४२।। શ્લોકાર્થ ઃ વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! મીમાંસક નગર વગર આ પાંચ તે જ તને પરિસ્ફુટ કહેવાય છે. ।।૪૨।। શ્લોક ઃ अर्वाक्कालिकमेतद्धि, मीमांसकपुरं मतम् । तेन दर्शनसंख्यायामेतल्लोकैर्न गण्यते ।।४३।। Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : અર્વાકાલિક આ મીમાંસકપુર મનાયું છે નજીકના કાલવાળું આ મીમાંસકપુર મનાયું છે. તેથી દર્શનની સંખ્યામાં લોકો વડે આ ગણાતું નથી. ૪૩ શ્લોક : તથાદિजैमिनिर्वेदरक्षार्थं, दूषणोद्धारणेच्छया । चकार किल मीमांसां, दृष्ट्वा तीर्थिकविप्लवम् ।।४४।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – વેદના રક્ષણ માટે દૂષણના ઉદ્ધારની ઈચ્છાથી ખરેખર તીથિકના વિપ્લવને જોઈને જૈમિનિએ મીમાંસાને કરી. ll૪૪ll બ્લોક : तस्मादेतानि पञ्चैव, मीमांसकपुरं विना । लोकैदर्शनसंख्यायां, गण्यन्ते नात्र संशयः ।।४५।। શ્લોકાર્ચ - તે કારણથી દર્શનની સંખ્યામાં લોકો વડે મીમાંસક નગર વિના આ પાંચ જ જણાય છે. એમાં સંશય નથી. ll૪પી निर्वृतिनगरं प्रति जैनेतरमार्गाणां निष्फलता બ્લોક : પ્રવ: પ્રાદા વં, તો કૂદિ વવ વર્તત तत्पुरं माम! यल्लोकैगीयते षष्ठदर्शनम्? ।।४६।। નિવૃતિનગર પ્રતિ જૈનેતરમાગની નિષ્ફળતા શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છેઃછ દર્શનો લોકમાં ગણાય છે એ પ્રમાણે છે, તો તમે કહો હે મામા ! જે લોકો વડે જ દર્શન કહેવાય છે, તે નગર ક્યાં વર્તે છે? I૪૬ll Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ विमर्शेनाभिहितं यदिदं दृश्यतेऽत्रैव, विवेकवरपर्वते । निर्मलं शिखरं तुङ्गमप्रमत्तत्वनामकम् ।।४७॥ * શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું - ઊંચું નિર્મલ શિખર દેખાય છે. II૪૭।। શ્લોક ઃ અહીં જ=માનવાવાસમાં, વિવેકવર પર્વતમાં જે આ અપ્રમત્ત નામનું विस्तीर्णमिदमत्यर्थमत्रैव च निवेशितम् । पुरं लोकोत्तरं वत्स ! तज्जैनमभिधीयते ।। ४८ ।। ૧૮૯ શ્લોકાર્થ ઃ અત્યંત વિસ્તીર્ણ લોકોત્તર એવું આ નગર અહીં જ=માનવાવાસમાં જ, રહેલું છે. તે હે વત્સ ! જૈન કહેવાય છે. II૪૮।। શ્લોક ઃ तस्य ते कथयिष्यामि, ये गुणाः शेषजित्वराः । तथापि लोकरूढ्यैव, षष्ठं हि तदुदाहृतम् ।।४९।। શ્લોકાર્થ : શેષને જીતનારા તેના જે ગુણો છે તેને હું કહીશ. તોપણ લોક રૂઢિથી જ છઠ્ઠું તે કહેવાયું છે= જૈન નગર કહેવાયું છે. ।।૪૯ શ્લોક ઃ अन्यच्च तत्र ये लोकास्तेषामेष महत्तमः । न बाधकः प्रकृत्यैव, मिथ्यादर्शननामकः ।। ५० ।। શ્લોકાર્થ : અને બીજું ત્યાં=જૈન નગરમાં, જે લોકો છે તેઓને આ મિથ્યાદર્શન નામનો મહત્તમ પ્રકૃતિથી બાધક નથી. II૫૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : प्रकर्षेणोक्तंअधःस्थितेषु बाध्यन्ते, पुरेषु यदमी जनाः । शिखरस्थे न बाध्यन्ते, माम! किं तत्र कारणम् ? ।।५१।। શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું – જે કારણથી અધઃસ્થિત રહેલાં=નીચે રહેલાં, નગરોમાં આ લોકો બાધા પામે છે–મિથ્યાદર્શન નામના મહત્તમથી બાધા પામે છે. હે મામા ! શિખરમાં રહેલા અપ્રમત શિખરમાં રહેલા જૈન નગરમાં બાધા પામતા નથી. ત્યાં શું કારણ છે ? પ૧II બ્લોક : विमर्शेनोक्तंअस्त्यत्र निर्वृतिर्लोके, नगरी सुमनोहरा । सा च भुक्तेरतिक्रान्ता, महामोहादिभूभुजाम् ।।५२।। શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું – આ લોકમાં, નિવૃતિ નામની સુમનોહર નગરી છે અને તે મહામોહાદિ રાજાઓની ભક્તિથી અતિક્રાંત છે. પિરા શ્લોક : निर्द्वन्द्वानन्दसंपूर्णा, सततं निरुपद्रवा । एभिश्चाकर्णिता सर्वैः, सा लोकैः पुरवासिभिः ।।५३।। શ્લોકાર્ચ - નિર્બદ્ધ એવા આનંદથી સંપૂર્ણ, સતત નિરુપદ્રવવાળી અને આ સર્વ પુરવાસી લોકો દ્વારાસર્વદર્શનના પુરવાસીઓ દ્વારા, તે નિવૃતિનગરી, સંભળાઈ છે. Ivall શ્લોક : ततो लोकायतं मुक्त्वा, ये शेषपुरवासिनः । नगरीं गन्तुमिच्छन्ति, तामेते वत्स! निर्वृतिम् ।।५४।। શ્લોકાર્થ : તેથી લોકાયતને છોડીને-નાસ્તિકદર્શનને છોડીને, જે શેષ પુરવાસી છે એ હે વત્સ ! તે નિવૃતિનગરીને જવાને ઈચ્છે છે. પિ૪ll Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ एते च सर्वे तां गन्तुमन्तरङ्गैर्महापथैः । સ્વલ્પિતેઃ પ્રવાøત્તિ, પરસ્પરવિરોધિમિઃ ।। શ્લોકાર્થ ઃ અને આ સર્વ=સર્વ નગરવાસી જીવો, સ્વકલ્પિત પરસ્પર વિરોધી અંતરંગ મહાપથોથી તેમાં=તે નિવૃતિનગરીમાં, જવા માટે ઇચ્છે છે. II૫૫ શ્લોક ઃ ततश्च अमीभिर्वत्स! भूरिष्ठैर्ये मार्गाः परिकल्पिताः । નિવૃતે: પ્રાપાત્તે હિં, ન ઘટત્તે સુયુતિઃ ।।૬।। ૧૯૧ શ્લોકાર્થ : અને તેથી=તે દર્શનવાદીઓ સ્વકલ્પિત અંતરંગ માર્ગથી જવા ઇચ્છે છે તેથી, હે વત્સ ! ઘણા એવા આમના વડે=લોકાયતને છોડીને અન્ય દર્શનવાદીઓ વડે, જે નિવૃતિના માર્ગો પરિકલ્પિત કરાયા તે સુયુક્તિથી પ્રાપક ઘટતા નથી=મોક્ષના પ્રાપક ઘટતા નથી. II૫૬]I શ્લોક ઃ विवेकपर्वतोत्तुङ्गशिखरस्थितसत्पुरे । વસમર્થ: પુનદૃષ્ટ:, સન્માર્ગોઽતિમનોહરઃ ।।૭।। શ્લોકાર્થ : વિવેક પર્વતના ઉત્તુંગ શિખરમાં રહેલ સત્પુરમાં વસતા એવા પુરુષો વડે જે અતિમનોહર સન્માર્ગ જોવાયો છે. II૫૭।। શ્લોક ઃ स निर्वृतिं नयत्येव, लोकं नास्त्यत्र संशयः । पक्षपातविमुक्तेन, मया तेनेदमुच्यते ।। ५८ ।। શ્લોકાર્થ : તે લોકને નિવૃતિમાં લઈ જાય જ છે આમા સંશય નથી. તે કારણથી પક્ષપાતથી વિમુક્ત એવા મારા વડે=વિમર્શ વડે, આ કહેવાય છે. ૫૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यथाऽमी बाधिता लोका, येऽधःस्थपुरवर्तिनः । मिथ्यादर्शनसंज्ञेन, न गिरिस्थे महापुरे ।।५९।। શ્લોકાર્ચ - જે આ પ્રમાણે – જે અધઃસ્થપુરવત આ લોકો મિથ્યાદર્શનસંજ્ઞા વડે બાધિત છે. ગિરિ ઉપર રહેલા મહાપુરમાં નહીં=મહાપુરમાં રહેલા લોકો બાધિત નથી. II૫૯ll. શ્લોક : વતઃ– तन्मिथ्यादर्शनस्यैव, माहात्म्यं स्फुटमुच्यते । यदेते न विजानन्ति, सन्मार्ग निर्वृतेर्जनाः ।।६०।। શ્લોકાર્ય : જે કારણથી આ લોકો નિવૃતિના જે સન્માર્ગને જાણતા નથી તે મિથ્યાદર્શનનું જ સ્પષ્ટ માહાભ્ય કહેવાય છે. IIઉoll શ્લોક : दिङ्मूढा इव मन्यन्ते, कुमार्गमपि तत्त्वतः । सन्मार्ग इति यच्चैते, तत्तस्यैव विजृम्भितम् ।।६१।। શ્લોકાર્ધ :| દિમૂઢોની જેમ આ=ગિરિશિખરની નીચે રહેલા જીવો, કુમાર્ગને પણ તત્વથી જે સન્માર્ગ છે એ પ્રમાણે માને છે. તે તેનું જ=મિથ્યાદર્શનનું જ, વિવૃશ્મિત વિલસિત, છે. II૬૧]. શ્લોક : ये त्वेते शिखरे लोका, वर्तन्ते वत्स! सत्पुरे । एषामेतद् द्वयं नास्ति, तेनेमे तस्य दूरगाः ।।६२।। શ્લોકાર્થ : વળી, શિખરમાં રહેલા સત્પરમાં હે વત્સ! જે આ લોકો વસે છે એઓને આ બંને નથી નિવૃતિના સન્માર્ગને જાણતા નથી એ નથી અને કુમાર્ગ સન્માર્ગ છે એ પ્રકારે વિપરીત બુદ્ધિ નથી એ રૂપ બંને નથી. તે કારણથી આકગિરિશિખર ઉપર રહેલા જીવો, તેની દૂરમાં જનારા છે=મિથ્યાદર્શનના દૂરમાં રહેનારા છે. IIકરા Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : एतानि च पुराण्यत्र, प्रत्यासन्नानि तेन ते । दर्शितानि मया वत्स! नेयत्ता परिकीर्तिता ।।६३।। શ્લોકાર્ચ - અને અહીં=માનવાવાસમાં, આ નગરો પ્રયાસન્ન છે=વિવેક પર્વતના પ્રત્યારસન્ન છે, તે કારણથી મારા વડે તને હે વત્સ ! બતાવાયાં. ઇયત્તા કહેવાઈ નથી આટલાં છે એ પ્રકારની મર્યાદા કહેવાઈ નથી. II3II શ્લોક : વિં હિં?– उपलक्षणमेतानि, विज्ञातव्यानि भावतः । मिथ्यादर्शनवश्यानामन्येषामपि तादृशम् ।।६४।। શ્લોકાર્ય : તો શું? એથી કહે છે – આ આ પાંચ નગરો, ભાવથી મિથ્યાદર્શનના વશ્ય એવાં અન્ય પણ નગરોનું તેવા પ્રકારનું ઉપલક્ષણ જાણવું=આ પાંચ નગરો બતાવ્યાં તે ભાવથી મિથ્યાદર્શનને વશ્ય તેવાં અન્ય પણ નગરો માનવાવાસમાં છે તેઓનું તેવા પ્રકારનું સ્વરૂપ આ નગરો ઉપલક્ષણરૂપે છે એમ જાણવું. ll૧૪ll શ્લોક : યત:यान्येतानि पुराण्यत्र, दृश्यन्ते वत्स! भूतले । नान्यत्र देशकालेषु, स्थानकानि बहूनि च ।।६५।। શ્લોકાર્ચ - જે કારણથી આ ભૂતલમાં હે વત્સ ! જે આ નગરો દેખાય છે, અન્યત્ર દેશકાલમાં નથી=અન્યત્ર એવા મહાવિદેહમાં કે ભરતક્ષેત્રમાં પણ અન્ય કાલમાં નથી અને ઘણાં સ્થાનો છે=મિથ્યાદર્શનનાં ઘણાં સ્થાનો છેઃમિથ્યાદર્શનનાં માત્ર આ છ સ્થાનો નથી પરંતુ ઘણાં સ્થાનો છે, તેથી આના જેવા મિથ્યાત્વના સ્થાનમાં વર્તનારાં અન્ય દર્શનો પણ મિથ્યાદર્શનથી આક્રાંત છે. પા. શ્લોક : एतत्तु शिखरस्थायि, सत्पुरं भद्र! सर्वदा । अप्रच्युतमनुत्पन्नं, शाश्वतं परमार्थतः ।।६६।। Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વળી, હે ભદ્ર ! શિખરસ્થાયી આ સત્પર પરમાર્થથી સર્વદા અપટુત અનુત્પન્ન શાશ્વત છે= પરમાર્થથી નાશ ન પામે તેવું અને ક્યારેય ઉત્પન્ન ન થાય તેવું શાશ્વત છે. II૬૬ll શ્લોક : प्रकर्षेणोदितं माम! येऽमीभिः परिकल्पिताः । સ્વવૃધ્ધા નિવૃત, નો પુનિવસિfમઃ પાદુકા. શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! પુરનિવાસી એવા આ લોકો વડે તે તે દર્શનવાળા લોકો વડે, જે સ્વબુદ્ધિથી નિવૃતિના માર્ગો પરિકલ્પિત કરાયા. ll૧૭ll શ્લોક : तानहं श्रोतुमिच्छामि, प्रत्येकं सकुतूहलः । ततो मेऽनुग्रहं कृत्वा, भवानाख्यातुमर्हति ।।६८।। શ્લોકાર્થ : કુતૂહલથી સહિત એવો હું=જિજ્ઞાસાથી સહિત એવો હું, તેઓના પ્રત્યેકનેeતે તે દર્શનના કલ્પિત માર્ગોના પ્રત્યેકને, સાંભળવા ઈચ્છું છું. તેથી મારા ઉપર અનુગ્રહ કરીને તમે કહેવા માટે યોગ્ય છો તેઓના કલ્પિત માર્ગને કહેવા માટે યોગ્ય છો. ll૧૮ શ્લોક : विमर्शः प्राह यद्येवं, ततः कृत्वा समाहितम् । चेतस्त्वं वत्स! बुध्यस्व, मार्गान्वक्ष्ये परिस्फुटम् ।।६९।। શ્લોકાર્ય : વિમર્શ કહે છે – જો આ પ્રમાણે છે તે તે દર્શનના કલ્પિત મોક્ષમાર્ગને સાંભળવાની તને ઈચ્છા છે એ પ્રમાણે છે, તો ચિત્તને સમાહિત કરીને ચિત્તને એકાગ્ર કરીને, હે વત્સ ! તું બોધ કર. હું માગને પરિસ્ફટ કહું છુંeતેઓના માર્ગોને હું સ્પષ્ટ કહું છું. ll૯ll નૈયાયિનમ્ तत्र नैयायिकैस्तावदेष कल्पितो वत्स! निर्वृतिमार्गः, यदुत-प्रमाणप्रमेयसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छलजातिनिग्रहस्थानानां तत्त्वपरिज्ञानानिःश्रेय Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ साधिगमः । तत्रार्थोपलम्भहेतुः प्रमाणं, तच्चतुर्धा, तद्यथा-प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानि । तत्र प्रत्यक्षम्-इन्द्रियार्थसत्रिकर्षात्पनं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षं, तत्पूर्वकं त्रिविधमनुमानं, तद्यथा-पूर्ववच्छेषवत्सामान्यतो दृष्टं च, तत्र पूर्ववत्कारणात्कार्यानुमानं यथा मेघोनतेभविष्यति वृष्टिरिति, शेषवत्कार्यात्कारणानुमानं, यथा विशिष्टानदीपूरदर्शनादुपरि वृष्टो देव इति, सामान्यतोदृष्टं नाम यथा देवदत्तादौ गतिपूर्विका देशान्तरप्राप्तिमुपलभ्य दिनकरेऽपि सा गतिपूर्विकैव समधिगम्यते । प्रसिद्धसाधर्म्यात्साध्यसाधनमुपमानं, यथा गौस्तथा गवय इति, आप्तोपदेशः शब्द आगम इत्यर्थः । तदेवमिदं चतुर्विधं प्रमाणमभिहितम् । - વૈયાયિકદર્શન હે વત્સ ! ત્યાં વૈયાયિકો વડે આ કલ્પિત નિવૃતિમાર્ગ છે. તે ‘ત થી બતાવે છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજત, દાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, તિગ્રહ સ્થાનોના તત્ત્વપરિજ્ઞાનથી નિઃશ્રેયસનો અધિગમ છે=મોક્ષમાર્ગનો બોધ છે. એ પ્રમાણે તૈયાયિકો કહે છે એમ અવય છે. ત્યાં=નૈયાયિકના મોક્ષમાર્ગમાં, અર્થની પ્રાપ્તિનો હેતુ પ્રમાણ છે તે ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દ પ્રમાણો છે. ત્યાં=ચાર પ્રમાણોમાં, પ્રત્યક્ષ ઈન્દ્રિયાર્થ સહિકર્ષથી ઉત્પન્ન થયેલું અવ્યપદેશ્ય, અવ્યભિચારી વ્યવસાયાત્મક જ્ઞાન પ્રત્યક્ષ છે. તપૂર્વક–પ્રત્યક્ષપૂર્વક, ત્રણ પ્રકારનું અનુમાન છે. તે આ પ્રમાણે – પૂર્વવાળું, શેષવાળું અને સામાન્યથી દષ્ટ. ત્યાં પૂર્વવાનું કારણથી કાર્યનું અનુમાન છે. જે પ્રમાણે મેઘની ઉન્નતિથી વૃષ્ટિ થશે એ પ્રકારે કારણથી કાર્યનું અનુમાન છે એમ અવય છે. શેષવાળું=કાર્યથી કારણનું અનુમાન. જે પ્રમાણે વિશિષ્ટ એવા નદીના પૂરના દર્શનથી ઉપરમાં દેવ વરસ્યો છે=વરસાદ વરસ્યો છે એ પ્રકારે કાર્યથી કારણનું અનુમાન છે એમ અત્રય છે. સામાન્યથી દષ્ટ એટલે જે પ્રમાણે દેવદત્તાદિમાં ગતિપૂર્વક દેશાંતરની પ્રાપ્તિ જોઈને સૂર્યમાં પણ તે=દેશાંતરની પ્રાપ્તિ, ગતિપૂર્વક જ સ્વીકારાય છે એ સામાન્યથી દષ્ટ અનુમાન છે. પ્રસિદ્ધના સાધર્યથી સાધ્યનું સાધન ઉપમાન છે. જે પ્રમાણે ગાય છે તે પ્રમાણે ગવાય છે. આપ્તનો ઉપદેશ શબ્દ આગમ છે. આ રીતે આ ચાર પ્રકારનું પ્રમાણ કહેવાયું. तथाऽऽत्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गास्तु प्रमेयम् । 'किं स्याद्' इत्यनवधारणात्मकः प्रत्ययः संशयः, किमयं स्थाणुः स्यादुत पुरुषः? इति । येन प्रयुक्तः प्रवर्तते तत्प्रयोजनम् । अविप्रतिपत्तिविषयापन्नो दृष्टान्तः । सिद्धान्तश्चतुर्विधः, तद्यथा-सर्वतन्त्रसिद्धान्तः, प्रतितन्त्रसिद्धान्तः, अधिकरणसिद्धान्तः, अभ्युपगमसिद्धान्तश्चेति । Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनान्यवयवाः । संशयादूर्ध्वं भवितव्यताप्रत्ययस्तर्कः, यथा भवितव्यमत्र स्थाणुना पुरुषेण वेति । संशयतर्काभ्यामूर्ध्वं निश्चयतः प्रत्ययो निर्णयः, यथा पुरुष एवायं स्थाणुरेव वा । तिस्रः कथाः-वादजल्पवितण्डाः । तत्र शिष्याचार्ययोः पक्षप्रतिपक्षपरिग्रहेणाभ्यासख्यापनाय વાહિ#થા | विजिगीषुणा सार्धं छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः, स एव स्वपक्षप्रतिपक्षस्थापनाहीनो वितण्डा । अनैकान्तिकादयो हेत्वाभासाः । 'नवकम्बलो देवदत्त' इत्यादि छलम् । दूषणाभासास्तु जातयः । निग्रहस्थानानि पराजयवस्तूनि, तद्यथा-प्रतिज्ञाहानिः प्रतिज्ञान्तरं प्रतिज्ञाविरोधः प्रतिज्ञासंन्यासः हेत्वन्तरं अर्थान्तरं निरर्थकं अविज्ञातार्थमपार्थकं अप्राप्तकालं न्यूनमधिवं पुनरुक्तं अननुभाषणं अप्रतिज्ञानं अप्रतिभा कथाविक्षेपो मतानुज्ञा पर्य्यनुयोज्योपेक्षणं निरनुयोज्यानुयोगः अपसिद्धान्तो हेत्वाभासाश्चेति निग्रहस्थानानि । तदेते प्रमाणादयः षोडश पदार्थाः । इति नैयायिकदर्शनसमासः । અને આત્મા, શરીર, ઇન્દ્રિયનો અર્થ, બુદ્ધિ, મનની પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અને અપવર્ગ પ્રમેય છે. શું થાય એ પ્રકારે અવધારણાત્મક બોધ સંશય છે. આ સ્થાણુ છેઃવૃક્ષ છે અથવા પુરુષ છે એ પ્રકારે સંશય છે. જેનાથી પ્રયુક્ત પ્રવર્તે છે તે પ્રયોજન છે=જે ફલથી પ્રયુક્ત જીવ પ્રવર્તે છે તે તેનું પ્રયોજન છે. અવિપ્રતિપત્તિ વિષયને પામેલું દાંત છે. સિદ્ધાંત ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે – સર્વ તંત્રનો સિદ્ધાંત, પ્રતિતંત્રનો સિદ્ધાંત, અધિકરણનો સિદ્ધાંત અને અભ્યપગમતો સિદ્ધાંત. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને તિગમન અવયવો છે. સંશયથી ઊર્ધ્વ ભવિતવ્યતાનો પ્રત્યય તર્ક છે. જે પ્રમાણે અહીં સ્થાણુથી અથવા પુરુષથી હોવું જોઈએ છે એ પ્રકારનો તર્ક છે. સંશય અને તર્કથી ઊર્ધ્વમાં, નિશ્ચયથી પ્રત્યય નિર્ણય છે. જે પ્રમાણે પુરુષ જ આ છે અથવા સ્થાણુ જ આ છે. ત્રણ પ્રકારની કથા છે. વાદ, જલ્પ, વિતંડા. ત્યાં શિષ્ય અને આચાર્યના પક્ષ અને પ્રતિપક્ષના સ્વીકારથી અભ્યાસના ખ્યાપન માટે વાદકથા છે. જીતવાની ઇચ્છાવાળા સાથે છલ, જાતિ, તિગ્રહસ્થાન અને સાધનનો ઉપાલંભ જલ્પ છે. તે જ જલ્પ જ, સ્વપક્ષ અને પ્રતિપક્ષના સ્થાપનાથી હીન વિતંડા છે. અનેકાંતિકાદિઓ હેત્વાભાસો છે. નવકમ્બલો દેવદત છે ઈત્યાદિ છલ છે. વળી દૂષણાભાસ જાતિઓ છે. તિગ્રહસ્થાનો પરાજ્ય વસ્તુઓ છે. તે આ પ્રમાણે – પ્રતિજ્ઞાની હાનિ, પ્રતિજ્ઞાાર, પ્રતિજ્ઞાનો વિરોધ, પ્રતિજ્ઞાનું સ્થાપન, હેવંતર, અર્થાતર, નિરર્થક, અવિજ્ઞાત અર્થનું અપાર્થક, અપ્રાપ્તકાલ, ચૂત અધિક, પુનરુક્ત, અનુભાષણ, અપ્રતિજ્ઞાન, અપ્રતિભા, કથાનો વિક્ષેપ, મતની અનુજ્ઞા, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પર્યાયોજ્યનું ઉપેક્ષણ, નિરસુયોજ્યનો અનુયોગ, અપસિદ્ધાંત, અને હેત્વાભાસો એ નિગ્રહસ્થાનો છે. તે આ પ્રમાણ આદિ સોળ પદાર્થો યાયિકદર્શનનો સંક્ષેપ છે. वैशेषिकसिद्धान्तः वैशेषिकैः पुनरयं वत्स! परिकल्पितो निर्वृतिनगरीगमनमार्गः, यदुत-द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायानां षण्णां पदार्थानां तत्त्वपरिज्ञानानिःश्रेयसाधिगमः । सा हि निर्वृतिनिःश्रेयसरूपा । तत्र पृथिव्यापस्तेजो वायुराकाशं कालो दिगात्मा मन इति नव द्रव्याणि । रूपरसगन्धस्पर्शसंख्यापरिमाणपृथक्त्वसंयोगविभागपरत्वापरत्वबुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्कारगुरुत्वद्रवत्वस्नेहवेगशब्दाः पञ्चविंशतिर्गुणाः ।। उत्क्षेपणमवक्षेपणमाकुञ्चनं प्रसारणं गमनमिति पञ्च कर्माणि । सामान्यं द्विविधं-परमपरं च, तत्र परं सत्तालक्षणं, अपरं द्रव्यत्वादीनि । नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषाः । अयुतसिद्धानामाधाराधेयभूतानां यः सम्बन्ध इह प्रत्ययहेतुः स समवायः । लैङ्गिक(=अनुमान)प्रत्यक्षे द्वे एव प्रमाणे । इति वैशेषिकदर्शनसमासार्थः । વૈશેષિકસિદ્ધાંત पणी, last 43 वत्स ! नितिन मनतो मा[ मा परिचित छ. हे 'यदुत'था બતાવે છે – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, અને સમવાયરૂપ છ પદાર્થોના તત્ત્વ પરિજ્ઞાનથી :श्रेयसनो अधिगम छेमोक्षमानो लोध छ. हि रथी, निवृति नि:श्रेयस३५ छे. त्यां= वैशेषिन। ७ पर्थमi, पृथ्वी, आप, अग्नि, वायु, माश, बल, AL, मात्मा सने मन में नवद्रव्यो छे. ३५, रस, गंध, स्पर्श, संध्या, परिमाए, पृथत्य, संयोग, विमा, परत्व, अपरत्व, बुद्धि, सुष, ६:५, २७, द्वेष, प्रयत्न, धर्म, अधर्म, संसार, गुरुत्व, द्रवत्व, स्ट, वे, शो-पीस गुएगो છે. ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ગમન એ પાંચ કર્મો =ક્રિયા છે. સામાન્ય બે પ્રકારનો છે. પર અને અપર. ત્યાં પરસામાન્ય સત્તાલક્ષણ છે. અપરસામાન્ય દ્રવ્યત્યાદિ છે. નિત્યદ્રવ્યમાં વત્તિ અંત્ય વિશેષો છે. અયુતસિદ્ધ એવા આધાર આધેયભૂતનો જે સંબંધ અહીં પ્રત્યયનો હેતુ તે સમવાય છે. લૈગિક=અનુમાન અને પ્રત્યક્ષ બે જ પ્રમાણ છે. એ પ્રમાણે વૈશેષિક દર્શનનો સમાસાર્થ છે. साङ्ख्यमतम् सांख्यैस्तु वत्स! निजबुद्ध्या परिकल्पितोऽयं निर्वृतिनगर्याः पन्थाः, यदुत-पञ्चविंशतितत्त्वपरिज्ञानानिःश्रेयसाधिगमः, तत्र त्रयो गुणाः-सत्त्वं रजस्तमश्च । तत्र प्रसादलाघवप्रणयानभिष्वङ्गाद्वेषप्रतीतयः Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ कार्यं सत्त्वस्य, शोकतापभेदस्तम्भोद्वेगापद्वेषाः कार्यं रजसः, मरणसादनबीभत्सदैन्यगौरवाणि तमसः कार्यम् । ततः सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः, सैव प्रधानमित्युच्यते । प्रकृतेश्च महानाविर्भवति= बुद्धिरित्यर्थः । बुद्धेश्चाहङ्कारः । ततोऽहङ्कारादेकादशेन्द्रियाणि, तद्यथा-पञ्च बुद्धीन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्ररूपाणि, पञ्च कर्मेन्द्रियाणि वाक्पाणिपादपायूपस्थलक्षणानि मनश्चाविर्भवति । तथा तत एवाहङ्कारात्तमोबहुलात्पञ्च तन्मात्राणि स्पर्शरसरूपगन्धशब्दलक्षणान्याविर्भवन्ति । तेभ्यश्च पृथिव्यादीनि पञ्च महाभूतानि । तदेषा चतुर्विंशतितत्त्वात्मिका प्रकृतिः । तथा परः पुरुषश्चैतन्यस्वरूपः, स चानेको जन्ममरणकरणानां नियमदर्शनाद्धर्मादिषु प्रवृत्तिनानात्वाच्च । प्रकृतिपुरुषयोश्चोपभोगार्थः संयोगः पङ्ग्वन्धयोरिव, उपभोगश्च शब्दाधुपलम्भो गुणपुरुषान्तरोपभोगश्च । प्रत्यक्षानुमानागमाः प्रमाणानि । इति सांख्यदर्शनसंक्षेपार्थः । સાંખ્યમત વળી સાંખ્ય વડે હે વત્સ ! નિજબુદ્ધિથી નિવૃતિનગરીનો આ પંથ પરિકલ્પિત છે. તે ‘કુતથી બતાવે છે – પચીસ તત્વના પરિજ્ઞાનથી વિશ્રેયસનો અધિગમ છે=મોક્ષમાર્ગનો બોધ છે. ત્યાં=પચીસ તત્ત્વોમાં ત્રણ ગુણો છે. સત્વ, રજ, તમ. ત્યાંત્રણ ગુણોમાં પ્રસાદ, લાઘવ, પ્રણય, અનભિવંગ, અદ્વેષ અને પ્રતીતિ સત્ત્વનાં કાર્ય છે. શોક, તાપ, ભેદ, , ઉદ્વેગ, અપઢેષ રજતાં કાર્ય છે. મરણ, નાશ, બીભત્સ, દેવ્ય, ગૌરવો તમસનાં કાર્યો છે. તેથી સત્વ, રજ અને તેમની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે તે જ પ્રધાન એ પ્રમાણે કહેવાય છે. પ્રકૃતિથી મહાન આવિર્ભાવ પામે છે. બુદ્ધિ એ પ્રકારનો અર્થ છે=મહાનનો અર્થ છે. અને બુદ્ધિથી અહંકાર થાય છે. તે અહંકારથી અગિયાર ઇન્દ્રિયો થાય છે. તે આ પ્રમાણે સ્પર્શત, રસ, ઘાણ, ચક્ષ અને ક્ષોત્ર રૂપ પાંચ બુદ્ધિ ઈન્દ્રિયો, વાણી, હાથ, પગ, ગુદા અને સ્ત્રીનું અને પુરુષનું ચિહ્ન પાંચ કર્મેન્દ્રિયો અને છઠું મન આવિર્ભાવ પામે છે. અને તમોબહુલ એવા તે જ અહંકારથી સ્પર્શ, રસ, રૂપ, ગંધ, અને શબ્દ લક્ષણ પાંચ તત્માત્રા આવિર્ભાવ પામે છે. અને તેનાથી=પાંચ તત્માત્રાથી પૃથ્વી આદિ પાંચ મહાભૂતો થાય છે. તે આ ચોવીસ તત્ત્વાત્મક પ્રકૃતિ છે. અને પર=પ્રકૃતિથી પર, ચૈતન્ય સ્વરૂપ પુરુષ છે. તે અનેક છે પુરુષ અનેક છે; કેમ કે જન્મ, મરણ, કરણોના નિયમનું દર્શન છે અને ધર્માદિમાં પ્રવૃત્તિનું અનેકપણું છે. પ્રકૃતિ અને પુરુષના ઉપભોગ અર્થવાળો પંગુ અને અંધના જેવો સંયોગ છે. શબ્દાદિનો ઉપલંભ ઉપભોગ છે. ગુણ અને પુરુષાંતર ઉપભોગ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણો છે. આ પ્રમાણે સાંખ્યદર્શન સંક્ષેપાર્થ છે. बौद्धमार्गः बौद्धैः पुनर्भद्र! परिकल्पितेयं निर्वृतिनगरीवर्तनी, यदुत-द्वादशायतनानि, तद्यथा-पञ्चेन्द्रियाणि Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ पञ्च शब्दादयो, मनो, धर्मायतनं च, धर्मास्तु सुखादयो विज्ञेयाः । प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे । इति बौद्धदर्शनसमासार्थः । अथवा वैभाषिकसौत्रान्तिकयोगाचारमाध्यमिकभेदाच्चतुर्विधा बौद्धा भवन्ति । तत्र वैभाषिकमतमिदं, यदुत-क्षणिकं वस्तु तद्यथा-जातिर्जनयति, स्थितिः स्थापयति, जरा जर्जरयति, विनाशो नाशयति । तथाऽऽत्माऽपि तथाविध एव पुद्गलश्चासावभिधीयते । सौत्रान्तिकमतं पुनरिदं-रूपवेदनाविज्ञानसंज्ञासंस्काराः सर्वशरीरिणामेते पञ्च स्कन्धा विद्यन्ते, न पुनरात्मा । त एव हि परलोकगामिनः । तथा क्षणिकाः सर्वे संस्काराः स्वलक्षणं परमार्थतः । अन्यापोहः शब्दार्थः । सन्तानोच्छेदो मोक्ष इति । योगाचारमतं त्विदं-विज्ञानमात्रमिदं भुवनं न विद्यते बाह्यार्थः । वासनापरिपाकतो नीलपीतादिप्रतिभासाः । आलयविज्ञानं सर्ववासनाधारभूतम् । आलयविज्ञानविशुद्धिरेव चापवर्ग इति । माध्यमिकदर्शने तु-सर्वशून्यमिदं, स्वप्नोपमः प्रमाणप्रमेयप्रविभागः । 'मुक्तिस्तु शून्यतादृष्टिस्तदर्थं शेषभावना' । इति बौद्धविशेषाणां मतसंक्षेपार्थः । બોદ્ધમાર્ગ ભદ્ર ! પ્રકર્ષ ! બૌદ્ધ વડે વળી, આ નિવૃત્તિનગરીનો માર્ગ પરિકલ્પિત છે. જે ‘વત'થી બતાવે છે – બાર આયતનો છે. તે આ પ્રમાણે – પાંચ ઇન્દ્રિયો, પાંચ શબ્દાદિ વિષયો, મન અને ધર્મ આયતન છે. વળી, ધર્મો સુખાદિ વિશેય છે. પ્રત્યક્ષ અને અનુમાન બે જ પ્રમાણ છે. એ પ્રકારે બૌદ્ધદર્શનનો સમાસાર્થ છે=સંક્ષેપ અર્થ છે. અથવા વૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને માધ્યમિકતા ભેદથી ચાર પ્રકારના બૌદ્ધો છે. ત્યાં=ચાર પ્રકારના બૌદ્ધમતમાં, વૈભાષિકનો મત આ છે. જે હુતથી બતાવે છે – વસ્તુ ક્ષણિક છે. તે આ પ્રમાણે – જાતિ ઉત્પન્ન કરે છે. સ્થિતિ સ્થાપન કરે છે. જરા જર્જરિત કરે છે. વિનાશ નાશ કરે છે. તે પ્રમાણે આત્મા પણ તેવા પ્રકારનો જ પુદ્ગલ આ કહેવાય છે. સૌત્રાંતિક મત વળી આ છે. રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા, સંસ્કારો સર્વ શરીરીઓને આ પાંચ સ્કંધો વિદ્યમાન છે. વળી આત્મા નથી. તે જ=પાંચ સ્કંધો જ, પરલોકગામી . અને સર્વ સંસ્કારો ક્ષણિક છે. પરમાર્થથી સ્વલક્ષણ છે. અન્ય અપોહ શબ્દનો અર્થ છે=ઘટ શબ્દનો અર્થ અઘટની વ્યાવૃત્તિ સ્વરૂપ છે. સંતાનનો ઉચ્છેદ મોક્ષ છે. યોગાચારનો મત વલી આ છે. વિજ્ઞાન માત્ર આ ભુવન છે. બાધાર્થ વિદ્યમાન નથી. વાસનાના પરિપાકથી લીલપીતાદિ પ્રતિભાસો છે. આલયવિજ્ઞાન સર્વવાસનાનું આધારભૂત છે. અને આલયવિજ્ઞાનની વિશુદ્ધિ જ અપવર્ગ છે. માધ્યમિક દર્શનમાં વળી આ સર્વશૂન્ય છે. સ્વપ્નની ઉપમાવાળું પ્રમાણ પ્રમેયનો વિભાગ છે. મુક્તિ વળી શૂન્યતાની દૃષ્ટિ છે. તેના માટે જ=મુક્તિ માટે જ, શેષભાવના છે. આ પ્રકારે બોદ્ધ વિશેષોના મતનો સંક્ષેપ અર્થ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ लोकायतमीमांसकमतयोः संक्षिप्तस्वरूपम् लोकायतैः पुनर्वत्स! सा निवृतिनगरी नास्तीति प्रख्यापितं लोके, यतोऽमी ब्रुवते-नास्ति निर्वृतिर्नास्ति जीवो, नास्ति परलोको, नास्ति पुण्यं, नास्ति पापमित्यादि । किन्तर्हि ? पृथिव्यापस्तेजो वायुरिति तत्त्वानि, तत्समुदाये शरीरेन्द्रियविषयसंज्ञा । तेभ्यश्चैतन्यं मद्याङ्गेभ्यो मदशक्तिवत् । जलबुबुदवज्जीवाः । प्रवृत्तिनिवृत्तिसाध्या प्रीतिः पुरुषार्थः, स च काम एव, नान्यो मोक्षादिः तस्मान्नान्यत्पृथिव्यादिभ्यस्तत्त्वमस्ति, दृष्टहान्यदृष्टकल्पनासम्भवादिति । प्रत्यक्षमेव चैकं प्रमाणमिति लोकायतमतसमासः । લોકાયત-મીમાંસક મતોનું સંક્ષિપ્ત સ્વરૂપ વળી હે વત્સ ! પ્રકર્ષ ! લોકાયતો વડે તે નિવૃતિનગરી મોક્ષ, નથી એ પ્રકારે લોકમાં પ્રખ્યાપન કરાયું. જે કારણથી આ=લોકાયતોન્નતાસ્તિકો, કહે છે – મોક્ષ નથી, જીવ નથી, પરલોક નથી, પુણ્ય તથી, પાપ નથી ઈત્યાદિ. તો શું છે ? એથી કહે છે – પૃથ્વી, પાણી, તેજ, વાયુ એ તત્વો છે. તેના સમુદાયમાં શરીર, ઇન્દ્રિય, વિષય એ પ્રમાણે સંજ્ઞા છે. તેઓથી પૃથ્વી આદિના સમુદાયોથી, ચૈતન્ય છે. મદ્યોનાં અંગોથી મદશક્તિની જેમ. જલના બુબુદની જેમ જીવો છે. પ્રવૃત્તિનિવૃતિસાધ્ય પ્રીતિ પુરુષાર્થ છે. અને તે કામ જ છે. અન્ય મોક્ષાદિ નથી. તે કારણથી પૃથ્વી આદિથી અન્ય તત્ત્વ નથી; કેમ કે દષ્ટની હાનિ અને અદષ્ટની કલ્પનાનો સંભવ છે. અને એક પ્રત્યક્ષ જ પ્રમાણ છે એ પ્રમાણે લોકાયમતનો સંક્ષેપ છે. मीमांसकानां पुनरेष मार्गः, यदुत-वेदपाठानन्तरं धर्मजिज्ञासा कर्तव्या । यतश्चैवं ततस्तस्य निमित्तपरीक्षा । निमित्तं च चोदना । यत उक्तं- 'चोदनालक्षणोऽर्थो धर्मः' । चोदना च क्रियायां प्रवर्तकं वचनमाहुर्यथा-'अग्निहोत्रं जुहुयात्स्वर्गकामः' इत्यादि । तेन धर्मो लक्ष्यते, नान्येन प्रमाणेन, प्रत्यक्षादीनां विद्यमानोपलम्भनत्वादिति । प्रत्यक्षानुमानशब्दोपमानार्थापत्त्यभावाः षट् प्रमाणानि । इति मीमांसकमतसमासः । મીમાંસકોનો વળી આ માર્ગ છે જે “યતથી બતાવે છે – વેદના પાઠ પછી ધર્મજિજ્ઞાસા કરવી જોઈએ. જે કારણથી આ રીતે=વેદ પાઠ કર્યા પછી ધર્મજિજ્ઞાસા કરવામાં આવે એ રીતે, તેનાથી વેદના બોધથી તેની નિમિત્તપરીક્ષા છે અને નિમિત્તચોદવા છે. જે કારણથી કહેવાયું છે – ચોદવા સ્વરૂપ અર્થ ધર્મ છે. અને ચોદવા ક્રિયામાં પ્રવર્તક વચન કહે છે. જે આ પ્રમાણે – સ્વર્ગકામનાવાળો અગ્નિહોત્રને કરે. ઈત્યાદિ તેના વડે ચોદવા વડે, ધર્મ જણાય છે. અત્રે પ્રમાણથી નહીં; કેમ કે પ્રત્યક્ષ આદિ પ્રમાણોનું વિદ્યમાનનું ઉપલંભપણું છે. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપતિ અને અભાવ છ પ્રમાણો છે. એ પ્રમાણે મીમાંસકમતનો સમાસ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ विवेकस्थितजैनमार्गः अमीभिः पुनर्वत्स! विवेकमहापर्वतारूढरप्रमत्तत्वशिखरस्थितैर्जेनपुरनिवासिभिर्जनलोकैरयं दृष्टो निर्वृतिनगरीगमनमार्गः, यदुत-जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् । तत्र सुखदुःखज्ञानादिपरिणामलक्षणो जीवः । तद्विपरीतस्त्वजीवः । मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः स आस्रवः । आस्रवकार्य बन्धः । आस्रवविपरीतः संवरः । संवरफलं निर्जरा । निर्जराफलं मोक्ष इत्येते सप्त पदार्थाः । तथा विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधश्च अत्र जैनदर्शने, स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यं 'सर्वे जीवा न हन्तव्या' इति वचनात्, 'सततसमितिगुप्तिशुद्धा क्रिया असपत्नो योग' इति वचनात् । उत्पादविगमध्रौव्ययुक्तं सत् । एकं द्रव्यमनन्तपर्यायमर्थ इति । प्रत्यक्षपरोक्षे द्वे एव प्रमाणे । इति जैनमतस्य दिग्दर्शनमात्रम् । - વિવેક પર્વત પર રહેલ જેનમાર્ગ વળી હે વત્સ ! વિવેક મહાપર્વત ઉપર આરૂઢ, અપ્રમત્તત્વ શિખર ઉપર રહેલ, જેતપુર નિવાસી એવા જૈન લોકો વડે આ નિવૃતિનગરીના ગમનનો માર્ગ જોવાયો છે. જે “હુતથી બતાવે છે – જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્વ છે. ત્યાં સુખ-દુઃખ, જ્ઞાનાદિ પરિણામલક્ષણ જીવ છે. તેનાથી વિપરીત અજીવ છે. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગો બંધના હેતુઓ છે, તે આસ્રવ છે. આસવનું કાર્ય બંધ છે. આસવથી વિપરીત સંવર છે. સંવરનું ફલ નિર્જરા છે. નિર્જરાનું ફલ મોક્ષ છે. આ પ્રકારે આ સાત પદાર્થો છે. અને વિધિ, પ્રતિષેધનો અવિરોધ, અનુષ્ઠાનનો અવિરોધ અને પદાર્થનો અવિરોધ અહીં જૈનદર્શનમાં છે; કેમ કે સ્વર્ગ અને કેવલાર્થીએ તપોધ્યાન કરવું જોઈએ. ‘સર્વ જીવો હણવા જોઈએ નહીં એ પ્રકારનું વચન છે. (જે વિધિ-પ્રતિષેધતા અવિરોધ રૂપ છે.) સતત સમિતિગુપ્તિ શુદ્ધ ક્રિયા, અસપત યોગ’ એ વચન છે. (તેથી અનુષ્ઠાનનો અવિરોધ છે એમ અવય છે.) ઉત્પાદ, વિગમ ધ્રૌવ્ય યુક્ત સત્ છે. એક દ્રવ્ય અનંતપર્યાયવાળું અર્થ છે. એ પ્રકારે હોવાથી પદાર્થનો અવિરોધ છે. પ્રત્યક્ષ પરોક્ષ બે જ પ્રમાણ છે. એ પ્રમાણે જૈનમતનું દિગ્દર્શન માત્ર છે=જૈનદર્શનના પદાર્થોનું સ્વરૂપ દિશામાત્ર બતાવવા સ્વરૂપે કહેવાયું છે. अन्यदर्शनानां मिथ्यादर्शनमोहितत्वम् શ્લોક : तत्रैते प्रथमास्तावच्चत्वारो वत्स! वादिनः । नैयायिकादयो नैव, निर्वृतेर्मार्गवेदकाः ।।१।। Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ અન્યદર્શનોનું મિથ્યાદર્શનથી મોહિતપણું શ્લોકાર્ચ - ત્યાં=પૂર્વમાં છએ દર્શનોનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રથમના ચાર વાદીઓ હે વત્સ ! તૈયાયિક આદિ નિવૃતિ માર્ગના જાણનારા નથી જ. ||૧|| શ્લોક - થત:एकान्तनित्यमिच्छन्ति, पुरुषं तत्र गामुकम् । सर्वत्रगं च वाञ्छन्ति, तथाऽन्ये क्षणनश्वरम् ।।२।। શ્લોકાર્ચ - જે કારણથી એકાંત નિત્ય ઈચ્છે છે. પુરુષ ત્યાં ગામુક છે. અને સર્વત્ર જનારું પુરુષને સર્વ વ્યાપી ઈચ્છે છે. અને અન્ય ક્ષણ નશ્વર માને છે. શિ. શ્લોક : नित्यश्चासौ कथं गच्छेत्तस्यामविचलो यतः । सर्वत्रगश्च यो भद्र! स क्व गच्छेत्कुतोऽपि वा? ।।३।। શ્લોકાર્ય :નિત્ય એવો પુરુષ કેવી રીતે જાય ?=મોક્ષમાં કેવી રીતે જાય ? જે કારણથી તેમાં જ અવિચલ છે=આત્મા નિત્યતામાં જ અવિચલ છે. અને જે કારણથી જે સર્વત્ર રહેલો છે, હે ભદ્ર ! તે ક્યાં જાય અને ક્યાંથી જાય? એમ ક્ષણિકવાદી બૌધ એકાંત નિત્ય આત્માને મારા નેયાયિકાદિને કહે છે. Il3II શ્લોક : नश्वरोऽपि विनष्टत्वान्न तस्यां गन्तुमर्हति । तस्मादेते न जानन्ति, मार्ग तस्यास्तपस्विनः ।।४।। શ્લોકાર્ય :નશ્વર પણ વિનષ્ટપણું હોવાથી=બીજી ક્ષણમાં નાશપણું હોવાથી, તેમાં=મોક્ષમાં જવા માટે અયોગ્ય છે. એ પ્રકારે બોધને પણ આપત્તિ છે તે કારણથી આ=નૈયાયિક આદિ ચાર, તપસ્વીઓ તેના નિવૃતિના માર્ગને જાણતા નથી. llll. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : लोकायतास्तु दूरेण, वर्तन्ते वत्स! निर्वृतेः । ये हि पापहतात्मानो, निराकुर्वन्ति तामपि ।।५।। શ્લોકાર્ચ - વળી, હે વત્સ ! લોકાયતો નિવૃતિના દૂરથી વર્તે છેઃનિવૃતિને સ્વીકારતા નથી. દિ=જે કારણથી, પાપથી હણાયેલા આત્માવાળા જેઓ તેનું પણ=નિવૃતિનું પણ, નિરાકરણ કરે છે. પII શ્લોક : શિષ્યलोकायतमतं प्राज्ञैज्ञेयं पापौघकारणम् । निर्द्वन्द्वानन्दपूर्णाया, निर्वृतेः प्रतिषेधकम् ।।६।। શ્લોકાર્ધ : વળી, નિર્બદ્ધ આનંદથી પૂર્ણ એવી નિવૃતિનું પ્રતિષેધક લોકાયત મત પાપના સમૂહનું કારણ પ્રાજ્ઞ વડે જાણવું. II૬ll. શ્લોક : तस्माद्दुष्टाशयकरं, क्लिष्टसत्त्वैः विचिन्तितम् । पापश्रुतं सदा धीरैर्वर्यं नास्तिकदर्शनम् ।।७।। શ્લોકાર્ધ : તે કારણથી દુષ્ટ આશયને કરનાર ક્લિષ્ટ જીવોથી વિચારાયેલ પાપકૃત એવા નાસ્તિકદર્શનનો ધીર પુરુષોએ સદા ત્યાગ કરવો જોઈએ. ll૭ી. શ્લોક : परमार्थेन सा वत्स! नेष्टा मीमांसकैरपि । यैः सर्वज्ञं निराकृत्य, वेदप्रामाण्यमीरितम् ।।८।। શ્લોકાર્ચ - હે વત્સ ! તે નિવૃતિ, મીમાંસકો વડે પણ પરમાર્થથી ઈચ્છાઈ નથી. જેઓ વડે સર્વજ્ઞનું નિરાકરણ કરીને વેદના પ્રામાણ્યને સ્વીકારાયું છે. III Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदेवमेते सर्वेऽपि, भूमिष्ठपुरवासिनः । अनेन कारणेनोक्ता, मिथ्यादर्शनमोहिताः ।।९।। શ્લોકાર્ચ - તે કારણથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ભૂમિમાં રહેલા પુરવાસી આ સર્વ પણ આ કારણથી મિથ્યાદર્શન મોહિત કહેવાયા=મોક્ષના પરમાર્થને જાણતા નથી. એ કારણથી મિથ્યાદર્શન મોહિત કહેવાયા. ll૯ll सत्यनिर्वृतिमार्गः શ્લોક : एते तु शिखरारूढाः, पुरे वास्तव्यका जनाः । યં વનિ સ નિમિચ્યો, નિવૃત પ્રમુખ પથ સારા સત્ય નિવૃતિનો માર્ગ શ્લોકાર્થ : વળી, શિખરમાં આરૂઢ, નગરમાં વસનાર આ લોકો જેને કહે છે તે નિર્મિધ્ય-સત્ય, નિવૃતિનો પ્રગુણ માર્ગ છે. ||૧૦. શ્લોક : ततश्चयथावस्थितसन्मार्गवेदिनां वीर्यशालिनाम् । महत्तमो न बाधायै, मिथ्यादर्शननामकः ।।११।। શ્લોકાર્ચ - અને તેથી યથાવસ્થિત સન્માર્ગને જાણનારા વીર્યશાલીઓને મિથ્યાદર્શન નામનો મહત્તમ બાધ માટે થતો નથી. II૧૧II શ્લોક : ज्ञानश्रद्धानपूतास्ते, निःस्पृहा भवचारके । चारित्रयानमारुह्य, निर्वृतिं यान्ति मानवाः ।।१२।। Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : જ્ઞાન-શ્રદ્ધાનથી પવિત્ર એવા તેઓનયથાવસ્થિત સન્માર્ગને જોનારા જીવો, ભવરૂપી કેદખાનામાં નિઃસ્પૃહી એવા માનવો ચારિત્રયાનમાં આરોહણ કરીને નિવૃતિમાં જાય છે. ll૧૨શી. શ્લોક : यथा च सन्मार्गोऽयं, यथा चान्ये न तद्विधाः । इदं च पुरतो वत्स! यद्यहं ते विचारये ।।१३।। ततो जन्म ममात्येति, न विचारस्य निष्ठितिः । तेनेदं ते समासेन, प्रविभज्य निवेद्यते ।।१४।। युग्मम्।। શ્લોકાર્થ : અને જે પ્રમાણે આ સન્માર્ગ છે અને જે પ્રમાણે અન્ય માર્ગો તેવા પ્રકારના નથી=મોક્ષને પ્રાપ્ત કરાવે તેવા પ્રકારના નથી, અને હે વત્સ પ્રકર્ષ ! તારી આગળ આ જો હું વિચાર કરું તો મારો જન્મ પૂરો થઈ જાય. વિચારની નિષ્ઠિતિ પૂર્ણાહુતિ નથી. તે કારણથી=ભગવાનનું દર્શન સન્માર્ગ છે અને અન્ય નથી તે કહેવું વિસ્તારથી શક્ય નથી તે કારણથી, આ=ભગવાનનાં દર્શન અને અન્ય દર્શનનો ભેદ છે એ, તને વિભાજન કરીને સમાસથી=સંક્ષેપથી, નિવેદન કરાય છે. II૧૩-૧૪ll બ્લોક : ज्ञानदर्शनचारित्रलक्षणो ह्यान्तरो मतः । વિMિનિવૃત, પ્રમુખ: સુપરિટ: પારકી શ્લોકાર્ચ - જ્ઞાન-દર્શન-યાત્રિ લક્ષણરૂપ અંતરંગ નિવૃતિનો માર્ગ પ્રગુણ સુપરિક્રુટ વિદ્વાનો વડે મનાયો છે. ll૧૫ll શ્લોક : स दृष्टः पर्वतारूढेर्न दृष्टो भूमिवासिभिः । तेनैते तत्र गन्तारो, न गन्तारो भुवि स्थिताः ।।१६।। શ્લોકાર્ચ - તે પર્વત ઉપર આરૂઢ જીવો વડે જોવાયો છે. ભૂમિવાસી જીવો વડે જોવાયો નથી. તે કારણથી આ=પર્વત પર આરૂઢ જીવો, ત્યાં=મોક્ષમાં, જનારા છે. ભૂમિમાં રહેલા જનારા નથી. I/૧૬ll Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदेते कथितास्तुभ्यं, भवचक्रे मया जनाः । ये मिथ्यादर्शनाख्येन, तेन भद्र! विडम्बिताः ।।१७।। શ્લોકાર્ય : તે કારણથી મારા વડે જે હે ભદ્ર! મિથ્યાદર્શન નામના તેના વડે=મહત્તમ વડે, આ લોકો ભવચક્રમાં વિડમ્બિત તને કહેવાયા. ૧ળા. બ્લોક : प्रकर्षः प्राह मामेदं, भवचक्रे मया पुरम् । सर्वं विलोकितं दृष्टं, वीर्यमान्तरभूभुजाम् ।।१८।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. હે મામા ! મારા વડે આ ભવચક્ર નગર સર્વ અવલોકન કરાયું. આંતરરાજાઓનું વીર્ય જોવાયું. ૧૮II. શ્લોક : केवलं तदिदं जातं, महाहास्यकरं परम् । आभाणकं जगत्यत्र, यद्बालैरपि गीयते ।।१९।। શ્લોકાર્ચ - કેવલ આ જગતમાં પરમ મહાહાસ્યકર તે આ ભાણક થયું-કથન થયું. જે કારણથી બાલો વડે પણ કહેવાય છે. ll૧૯IL. શ્લોક : गन्त्रीमनुष्यसामग्र्या, यो वधूमाहरिष्यति । तस्यैव विस्मृता हन्त, सा वधूरिति कौतुकम् ।।२०।। શ્લોકાર્ચ - ગાડામાં મનુષ્યના સમૂહથી જે વધૂને લાવશે, તેને જ તે વધુ ખરેખર વિસ્મરણ થઈ=ગાડુ આવ્યું પરંતુ વધૂને લાવવાનું વિસ્મરણ થયું, એ કૌતુક છે. l૨૦|| શ્લોક : તથાદિमहामोहादिजेतारो, महात्मानो नरोत्तमाः । द्रष्टव्या भवचक्रेऽत्र, सन्तोषसहिताः किल ।।२१।। Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ एतदर्थमिहायातौ, मामावामत्र पत्तने । न दृष्टास्ते महात्मानो, न च सन्तोषभूपतिः ।।२२।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે પ્રકર્ષનું પણ આવું હાસ્યાસ્પદ ભવચક્રનું અવલોકન થયું છે તે “તથાદિ'થી બતાવે છે. મહામોહાદિના જીતનારા નરોત્તમ મહાત્માઓ આ ભવચક્રમાં સંતોષ સહિત ખરેખર જોવા યોગ્ય છે. એના માટે અહીં=ભવચક્રમાં, આપણે બે આવેલા હે મામા ! આ નગરમાં તે મહાત્માઓ જોવાયા નહીં. અને સંતોષભૂપતિ જોવાયો નહીં. l૨૧-૨૨ાા શ્લોક : अतोऽधुनापि तान्मामो, मदनुग्रहकाम्यया । __ गत्वा ते यत्र वर्तन्ते, तत्स्थानं दर्शयत्वलम् ।।२३।। શ્લોકાર્થ : આથી હવે પણ મામા, તેને સંતોષભૂપતિ સહિત મહાત્માઓને, મારા અનુગ્રહની કામનાથી જઈને જ્યાં=ભવચક્રના જે સ્થાનમાં, તેઓ વર્તે છે તે સ્થાન અત્યંત બતાવો. ll૧૩ll શ્લોક : विमर्शनोदितं वत्स यदिदं शिखरे स्थितम् । जैनं पुरं भवन्त्येव, नूनमत्र तथाविधाः ।।२४।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! શિખરમાં જે આ જૈનપુર રહેલું છે, ખરેખર અહીં=જૈનપુરમાં, તેવા પ્રકારના મહાત્માઓ હોય જ છે. ll૧૪ll साधुस्वरूपम् શ્લોક : तस्मादत्रैव गच्छावो, येनेदं ते कुतूहलं । સાક્ષાદર્શનો વત્સ! નિઃશેષ પરિપૂતે પારકા સાધુનું સ્વરૂપ શ્લોકાર્ચ - તે કારણથી અહીં જ અપ્રમત્ત શિખર ઉપર જ, આપણે બંને જઈએ. જેથી તારું કુતૂહલ સાક્ષાત્ દર્શનથી હે વત્સ ! નિઃશેષ પરિપૂર્ણ થશે. રિપો Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ વાવ બ્લોક : एवं भवतु तेनोक्ते, तौ गतौ तत्र सत्पुरे । दृष्टाश्च साधवस्तत्र, निर्मलीमसमानसाः ।।२६।। શ્લોકાર્ચ - આ પ્રમાણે થાઓ-મામા કહે છે એ પ્રમાણે થાઓ. તેના વડે=પ્રકર્ષ વડે, કહેવાય છતે તે બંને ત્યાં અપ્રમતશિખર ઉપર, સપુરમાં ગયા. અને ત્યાં નિર્મલ માનસવાળા સાધુઓ જોવાયા. ||રકા શ્લોક : विमर्शः प्राह भद्रेते, ते लोका यैर्महात्मभिः । निक्षिप्ता निजवीर्येण, महामोहादिभूभुजः ।।२७।। શ્લોકાર્થ : વિમર્શ કહે છે – હે ભદ્ર ! આ તે લોકો છે જે મહાત્માઓ વડે નિજવીર્યથી મહામોહાદિ રાજાઓ દૂર ફેંકાયા છે. ll૧૭થી શ્લોક : सर्वे भगवतामेषां, बान्धवा वत्स! जन्तवः । एते त्रसेतराणां च, बान्धवाः सर्वदेहिनाम् ।।२८।। શ્લોકાર્ચ - હે વત્સ! આ ભગવાન સાધુઓના સર્વ જીવો બંધુઓ છે. અને ત્રણ-ઈતર સર્વ જીવોના આ= સાધુઓ બંધુઓ છે. ll૧૮ શ્લોક : समस्ता मातरोऽमीषां, नरामरपशुस्त्रियः । एतेऽपि सूनवस्तासां, भगवन्तो नरोत्तमाः ।।२९।। શ્લોકાર્ચ - સમસ નર, અમર, પશુઓની સ્ત્રીઓ આમની માતા છે. આ પણ ભગવાન નરોત્તમ એવા મુનિઓ તેઓના=સર્વ સ્ત્રીઓના, પુત્ર છે. ર૯ll શ્લોક : बाह्ये परिग्रहे वत्स! निजेऽपि च शरीरके । चित्तं न लग्नमेतेषां, पद्मवज्जलपङ्कयोः ।।३०।। Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : હે વત્સ ! બાહ્ય પરિગ્રહમાં અને પોતાના શરીરમાં આમનું ચિત્ત લગ્ન નથી. જેમ જલ અને કાદવમાં કમલ લગ્ન નથી. Il3oll. શ્લોક : सत्यं भूतहितं वाक्यममृतक्षरणोपमम् । एते परीक्ष्य भाषन्ते, कार्ये सति मिताक्षरम् ।।३१।। શ્લોકાર્થ : આ=મહાત્માઓ, કાર્ય હોતે છતે પરીક્ષા કરીને સત્ય, જીવોને હિત કરનારું, અમૃતના ક્ષરણની ઉપમાવાળુ=અમૃત ઝરતું હોય તેવું વાક્ય પરિમિત અક્ષરવાળું બોલે છે. l૩૧l. શ્લોક : असङ्गयोगसिद्ध्यर्थं, सर्वदोषविवर्जितम् । आहारमेते गृह्णन्ति, लौल्यनिर्मुक्तचेतसः ।।३२।। શ્લોકાર્ય : અસંગના યોગની સિદ્ધિ માટે=સંસારના સર્વ ભાવો પ્રત્યે સંગ વગરનું ચિત્ત નિષ્પન્ન થાય તેની સિદ્ધિ માટે, લોલ્યથી નિર્મુક્ત ચિત્તવાળા આ મહાત્માઓ સર્વ દોષવર્જિત આહારને ગ્રહણ કરે છે. ll૩રા શ્લોક : किञ्चेह बहुनोक्तेन? चेष्टा या या महात्मनाम् । सा सा भगवतामेषां, महामोहादिसूदनी ।।३३।। શ્લોકાર્ચ - અહીં=મહાત્માઓના સ્વરૂપમાં વધારે કહેવાથી શું ? ભગવાન એવા આ મહાત્માઓની જે જે ચેષ્ટાઓ છે તે તે ચેષ્ટાઓ મહામોહાદિને નાશ કરનારી છે. ll૧૩|| तेन वत्स! भगवतामेतेषां सम्बन्धिन्याऽपेक्षया तस्यां चित्तवृत्तिमहाटव्यामेवं जानीहि यदुतअत्यन्त-शुष्का सा प्रमत्तता नदी, विरलीभूतं तद्विलसितपुलिनं, परिभग्नश्चित्तविक्षेपमण्डपः, निरस्ता तृष्णावेदिका, विघटितं विपर्यासविष्टरं, संचूर्णिता चाविद्यागात्रयष्टिः, प्रलीनो महामोहराजः, उच्चाटितो महामिथ्यादर्शन-पिशाचः, निर्नष्टो रागकेसरी, निर्जितो द्वेषगजेन्द्रः, विपाटितो मकरध्वजः, विदारितो विषयाभिलाषः, निर्वासिता महामूढतादयस्तद्भार्याः, विहिंसितो हासभटः, विकर्तिते जुगुप्सारती Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ निषूदितौ भयशोको, विदलिता दुष्टाभिसन्धिप्रभृतयश्चरटाः, पलायितानि डिम्भरूपाणि, विद्राविता ज्ञानसंवरणादयस्ते त्रयो दुष्टनरपतयः, अनुकूलीभूतास्ते चत्वारः सप्तानां मध्यवर्तिनो वेदनीयाद्याः, व्यपगतं चतुरङ्गमपि तत्सकलं बलं, प्रशान्ता बिब्बोकाः विगलिता विलासाः, तिरोभूता समस्तविकाराः । किम्बहुना? હે વત્સ ! તે કારણથી ભગવાન એવા આમના સંબંધીની અપેક્ષાથી તે ચિત્તરૂપી મહાટવીમાં આ પ્રમાણે તું જાણ. જે “ત'થી બતાવે છે - તે પ્રમત્તતા નદી અત્યંત સુકાયેલી છે. તલિસિત પુલિત વિરલીભૂત છે–ત્યાં મોહતા અડાઓથી નષ્ટપ્રાય છે. ચિત્તવિક્ષેપ મંડપ પરિભગ્ન છે. તૃષ્ણાવેદિકા નિરસ્ત થયેલી છે. વિપર્યાસ વિન્ટર વિઘટિત છે. અવિદ્યા ગાત્રની યષ્ટિઓ સંચૂણિત કરાઈ છે. મહામોહ રાજા પ્રતીક છે. મહામિથ્યાદર્શનરૂપી પિશાચ ઉચ્ચાટિત કરાયો છે. રાગકેસરી વિષ્ટ છે. દ્વેષગજેન્દ્ર તિજિત કરાયો છે. મકરધ્વજ વિપાટિત કરાયો છે. વિષયાભિલાષ વિદારિત કરાયો છે. મહામૂઢતા આદિ તેની ભાર્યાઓ કાઢી મુકાઈ છે. હાસભટ વિશેષરૂપે હિંસા કરાયો છે. જુગુપ્સા અને અરતિના ટુકડા કરાયા છે. ભય-શોક વિનાશ કરાયા છે. દુષ્ટઅભિસંધિ વગેરે ચોટાઓ વિદલિત કરાયા છે. ડિમ્મરૂપ સોળ કષાયો પલાયન કરાયા છે. જ્ઞાનસંવરણ આદિ તે ત્રણ રાજાઓ વિદ્રાવિત કરાયા છે=જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એ ત્રણ નષ્ટપ્રાય કરાયા છે. સાતના મધ્યવર્તી વેદનીય આદિ તે ચાર અનુકૂલીભૂત કરાયા છેઃવેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય અનુકૂલ કરાયા છે. ચાર પ્રકારનું પણ તે સકલ બલ=મોહનીયનું સૈન્ય, નાશ કરાયું છે. બિબ્બોકો=ચાળાઓ, શાંત થઈ ગયા છે. વિલાસો વિચલિત કરાયા છે. સમસ્ત વિકારો તિરોભૂત થયા છે. વધારે શું કહેવું? શ્લોક : સર્વથાयद् दृष्टं भवता तस्यां, वर्णितं च मया पुरा । वस्तु किञ्चित्समस्तानां, दुःखदं बाह्यदेहिनाम् ।।१।। चित्तवृत्तिमहाटव्यां, तत्सर्वमिह संस्थिताः । प्रलीनं वत्स! पश्यन्ति, नूनमेते महाधियः ।।२।। युग्मम्।। શ્લોકાર્થ : સર્વથા – તારા વડે=પ્રકર્ષ વડે, તેમાં ચિત્તરૂપી અટવીમાં જે જોવાયું અને મારા વડે=વિમર્શ વડે, પૂર્વમાં સમસ્ત બાહ્ય દેહીઓને ચિત્તરૂપી અટવીમાં કંઈક દુઃખને દેનાર વસ્તુ વર્ણન કરાઈ. તે સર્વ અહીં રહેલા=અપ્રમતશિખર ઉપર રહેલા, આ મહાબુદ્ધિવાળા સાધુઓ હે વત્સ પ્રકર્ષ ! ખરેખર પ્રલીનને જુએ છે=નાશ પામેલ જુએ છે. ll૧-૨ાા Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | પ્રસ્તાવ ૨૧૧ શ્લોક : सा सर्वोपद्रवैर्मुक्ता, श्वेता रत्नौघपूरिता । एतेषां ध्यानयोगेन, चित्तवृत्तिः प्रभासते ।।३।। શ્લોકાર્ય : સર્વ ઉપદ્રવોથી મુક્ત, શ્વેત, રત્નના સમૂહથી પુરાયેલી તે ચિત્તરૂપી અટવી આમના=આ મહાત્માઓના, ધ્યાનયોગથી પ્રભાસિત થાય છે. II3II શ્લોક : तदेते ते महात्मानो, ये मया वत्स! वर्णिताः । पूर्वं तपोधनाः सम्यक्, पश्य विस्फारितेक्षणः ।।४।। શ્લોકાર્ય : તે કારણથી આ તે મહાત્માઓ છે હે વત્સ પ્રકર્ષ ! જે મારા વડે=વિમર્શ વડે, પૂર્વમાં સમ્યક તપોધન વર્ણન કરાયા. વિસ્ફારિત દષ્ટિવાળો એવો તું જો. llll શ્લોક : प्रकर्षणोक्तंचारु चारु कृतं माम! विहितो मदनुग्रहः । जनितः धूतपापोऽहमेतेषां दर्शनात्त्वया ।।५।। શ્લોકાર્ય : પ્રકર્ષ વડે કહેવાયું – સુંદર સુંદર હે મામા ! મારા ઉપર અનુગ્રહ કરાયો. આમના દર્શનથી ધૂત પાપવાળો એવો હું=નાશ થયેલા પાપવાળો એવો હું, તમારા વડે=વિમર્શ વડે, કરાયો. પII શ્લોક : कृतं मानसनिर्वाणं, विहितः पटुलोचनः । आनन्दामृतसेकेन, गात्रं निर्वापितं च मे ।।६।। શ્લોકાર્થ : માનસ નિર્વાણ કરાયું=મનબાહ્ય વિષયો તરફ ગમનથી નિવૃત્ત પરિણામવાળું કરાયું. પટુલોચન કરાયોકતત્વને જોવામાં નિર્મળ પ્રજ્ઞારૂપ પટુલોચન કરાયો. આનંદના અમૃતના સિંચનથી મારું ગાત્ર નિર્વાપિત કરાયું=સ્વચ્છ કરાયું. IIsll Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : केवलं दर्शनीयोऽसौ, ममाद्यापि ननु त्वया । यो वर्णितो महावीर्यो, माम! सन्तोषभूपतिः ।।७।। શ્લોકાર્ધ : કેવલ આ સંતોષ નામનો મહાભૂપતિ, તમારા વડે હજી પણ બતાવવા યોગ્ય છે. જે મહાવીર્યવાળો સંતોષભૂપતિ હે મામા ! તમારા વડે વર્ણન કરાયો. III ભાવાર્થ : વિચક્ષણ પુરુષની બુદ્ધિનો પ્રકર્ષ પદાર્થને અવલોકન કરવા તત્પર થાય છે અને વિમર્શશક્તિ તેનું યથાર્થ નિરૂપણ કરીને પારમાર્થિક બોધ કરાવે છે. તે રીતે વિમર્શશક્તિએ અને પ્રકર્ષ શક્તિએ ભવચક્રનું વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કર્યું. અને ભવચક્રમાં રહેલા જીવો કઈ રીતે દુઃખી દુઃખી થાય છે તે સર્વનું અવલોકન કર્યું. તેથી જિજ્ઞાસા થાય કે ભવચક્રમાં રહેલા જીવો અનેક દુઃખોથી કદર્થના પામે છે તો તેઓ નિર્વેદ પામે છે કે નહીં. તેને વિમર્શ કહે છે સંસારી જીવોને સંસારમાં વસતાં નિત્ય નિર્વેદ નથી. કેમ થતો નથી ? તેમાં યુક્તિ બતાવે છે – સંસારી જીવો મહામોહ આદિ રાજાઓથી વશ થયેલા છે તેથી તેઓનું તે પ્રકારનું કુશલપણું છે કે અનેક પ્રકારનાં દુઃખો સંસારી જીવોને પ્રાપ્ત થાય છે છતાં ભવથી નિર્વેદ પામતા નથી અને પૂર્ણસુખમય મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા થતા નથી. કઈ રીતે જીવોને તે મોહિત કરે છે ? તે બતાવતાં કહે છે – પરમાર્થથી તે મહામોહાદિ ચોટ્ટા જેવા છે અને જીવોના ચિત્તમાં ઊઠીને જીવને કષાયોથી આકુળ કરે છે. છતાં મોહિત ચિત્તવાળા સંસારી જીવોને તેઓ મિત્ર જેવા અને સુખના હેતુ જણાય છે, આથી જ સંસાર દુઃખ સંઘાતથી ભરાયેલો છે તોપણ સંસારી જીવોને સુખનો સાગર જણાય છે. આથી સંસારી જીવો જ સંસારમાંથી નીકળીને મોક્ષમાં જવાના ઉપાયમાં ઉપેક્ષાવાળા છે. સંસારમાં આનંદપૂર્વક વસનારા છે અને મહામોહાદિ બાંધવો વડે સદા તોષ પામેલા વસે છે. વળી, કોઈ મહાત્મા ભવથી નિર્ગમનના ઉપાયનું વર્ણન કરે અને કહે કે સંસાર ક્લેશથી ભરેલો છે, સુખમય અવસ્થા મોક્ષ છે તે સાંભળીને તેઓ રોષ કરે છે; કેમ કે મહામોહને વશ તેઓને ભોગાદિમાં જ સુખ દેખાય છે. ઉપશમનું સુખ દેખાતું નથી. તેથી મોક્ષમાં સુખ છે તેની કોઈ પણ કલ્પના તેઓ કરી શકતા નથી. આથી જ સુસાધુઓ સર્વ ભોગોનો ત્યાગ કરીને પણ અમૃતની ઉપમા જેવા પ્રશમ-સુખને અનુભવે છે તે વસ્તુ સંસારી જીવો જોઈ શકતા નથી અને વિચારે છે કે પરલોક અર્થે કલ્પના કરીને ભોગસુખથી આ સાધુઓ વંચિત છે. તેથી મહામહને વશ થયેલા તે જીવો ક્યારેય ભવચક્રમાં નિર્વેદ પામતા નથી. આ રીતે સંસારી જીવોની સ્થિતિ વિપર્યાસવાળી જોઈને બુદ્ધિમાન પુરુષો વિચારે છે કે એ લોકોની ચિંતા કરવી ઉચિત નથી. પરંતુ આપણે આપણા હિતનો વિચાર કરવો જોઈએ. આથી જ પ્રકર્ષ કહે છે. જો આ જીવો સદા ઉન્મત્ત જેવા છે અને મહામોહને વશ થઈને તત્ત્વ તરફ જવા તત્પર નથી તો આપણે તેની Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિચારણા કરવી જોઈએ નહીં. આ પ્રકારે વિચારીને વિચક્ષણ પુરુષો તેઓ પ્રત્યે મધ્યસ્થભાવવાળા થાય છે. વળી તત્ત્વની જિજ્ઞાસાથી મહામોહાદિ કઈ રીતે પોતાનું વીર્ય બતાવે છે, જેનાથી તેઓ સંસારમાં પોતાનું સામ્રાજ્ય પ્રવર્તાવી શકે છે તે બતાવવા અર્થે પ્રથમ કુદૃષ્ટિ નામની પત્ની સહિત મિથ્યાદર્શન નામનો જે મહામોહનો મહત્તમ છે તે પોતાના વીર્યથી કઈ રીતે ભવચક્રમાં જીવોને વિપર્યાસવાળા કરે છે ? તે બતાવતાં વિમર્શ કહે છે – આ ભવચક્રરૂપ નગર સમસ્તપ્રાયઃ આ મિથ્યાદર્શન નામના મહત્તમથી વશ થયેલું છે. આથી જ ચાર ગતિઓ રૂપ જે ભવચક્ર છે, તેમાં વર્તતા મોટાભાગના જીવો મિથ્યાદર્શનને વશ થઈને તેની આજ્ઞાને કરનારા છે. કઈ રીતે મિથ્યાદર્શનને વશ થઈને મોટાભાગના જીવો તેની આજ્ઞાને કરે છે ? તે બતાવવા અર્થે કહે છે – માનવાવાસમાં જે આ છ અવાંતર મંડલો દેખાય છે એ છ દર્શનો છે. તેમાંથી કેટલાક મોક્ષમાં જવા માટે ઇચ્છુક છે તોપણ મિથ્યાદર્શનને કારણે પોતપોતાના મતોની કલ્પના કરીને મોક્ષપથથી વિપરીત પથમાં જનારા છે. તેમાં લોકાયત મત નાસ્તિક મત છે, તે મોક્ષને માનતો નથી. તે સિવાય સર્વદર્શનકારો મોક્ષને માનનારા છે, તોપણ મોક્ષના વિષયમાં અને મોક્ષમાર્ગના વિષયમાં તેઓ અત્યંત ભ્રમિત છે, તે ભ્રમ પેદા કરાવનાર મિથ્યાદર્શન નામનો મહત્તમ છે. વળી, અહીં વિવેક નામનો પર્વત છે. તેમાં અપ્રમત્ત નામનું શિખર છે તેના ઉપર જૈનદર્શન વર્તે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ અત્યંત વિવેકપૂર્વક તત્ત્વાતત્ત્વની વ્યવસ્થાનો નિર્ણય કરે છે, સંસારનું વાસ્તવિક સ્વરૂપ જુએ છે, મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ જુએ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય જીવાદિ નવતત્ત્વોનો બોધ કઈ રીતે છે તેનો યથાર્થ નિર્ણય કરે છે અને તે જીવાદિ સાત પદાર્થોનો યથાર્થ નિર્ણય કરીને સમિતિ-ગુપ્તિ શુદ્ધ ક્રિયા અને અસપત્નયોગ મોક્ષમાર્ગ છે જેનાથી આસવનો રોધ થાય છે અને સંવરની પ્રાપ્તિ થાય છે અને તે સંવર જ કર્મની નિર્જરા કરીને મોક્ષની પ્રાપ્તિનું કારણ છે અને જિનવચનાનુસાર અને યુક્તિ અનુભવ અનુસાર જે નિર્ણય કરે છે તેઓ તત્ત્વનિર્ણયમાં વિવેકવાળા હોવાથી અને અપ્રમત્તભાવથી તત્ત્વનો નિર્ણય કરે છે તેથી અપ્રમત્તશિખર ઉપર રહેલા છે. તેઓ જ મોક્ષમાર્ગને યથાર્થ જાણનારા છે. તેવા જીવોને મિથ્યાદર્શન બાધક થતો નથી. જ્યારે તે સિવાયનાં દર્શનો મોક્ષને સ્વીકારનારાં પણ સ્વસ્વ મતિ અનુસાર તે તે પદાર્થોની કલ્પના કરે છે અને તે તે પ્રકારના સ્વકલ્પિત આચારોના બળથી મોક્ષ માનનારા છે. તેઓ વિવેકપૂર્વક તત્ત્વને જોનારા નહીં હોવાથી વિપરીત મોક્ષમાર્ગને મોક્ષમાર્ગરૂપે માને છે. તેઓને મિથ્યાદર્શન નામનો આ મહત્તમ બોધક છે. તેથી મિથ્યાત્વને વશ થઈને મોક્ષ અર્થે જ મોક્ષથી વિપરીત પ્રવૃત્તિ કરીને સંસારચક્રમાં સર્વ કદર્થના પ્રાપ્ત કરે છે. વળી, જૈનદર્શન કઈ રીતે તત્ત્વ બતાવે છે ? તે બતાવતાં કહે છે – મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના હેતુઓ છેઃકર્મબંધના હેતુઓ છે અને તે આસવો છે. તેથી મિથ્યાદર્શનાદિ પાંચ ભાવો જીવના પરિણામરૂપ છે અને તેનાથી કર્મના આગમનરૂપ આસવનું કાર્ય બંધ થાય છે અને આસવથી વિરુદ્ધ સંવરનો પરિણામ છે જે સમિતિ-ગુપ્તિ રૂપ શુદ્ધક્રિયા સ્વરૂપ છે અને સંવરના ફલરૂપ નિર્જરાની પ્રાપ્તિ થાય છે જે કર્મ અને આત્માની પૃથ પૃથર્ અવસ્થા છે અને નિર્જરાના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ છે. આમ્રવના ત્યાગ અર્થે અને સંવરની પ્રાપ્તિ અર્થે વિધિ અને પ્રતિષેધ જૈનશાસનમાં કહેવાયા છે. તે વિધિ અને પ્રતિષેધને અનુરૂપ સર્વ ઉચિત અનુષ્ઠાનો બતાવાયાં છે. વળી, જૈનદર્શનમાં કહેલું છે કે સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થીએ તપ-ધ્યાન કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે જે જે રીતે કર્મો ક્ષય પામે છે તે રીતે કરાયેલો તપ સર્વ કર્મનો નાશ ન થવાથી જ્યાં સુધી જીવા મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે ત્યાં સુધી સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. તે જીવ સ્વર્ગમાં જઈને પણ ઉત્તમચિત્ત દ્વારા મોક્ષને અનુકૂળ બળસંચય કરે છે અને જ્યારે ચિત્તની શુદ્ધિનો પ્રકર્ષ થાય છે ત્યારે પ્રધાન ધ્યાન, સ્વાધ્યાયાદિમાં યત્ન કરીને અત્યંત સંવર અવસ્થાને પ્રાપ્ત કરે છે જેથી મોક્ષ થાય છે. તપ-ધ્યાનમાં યત્ન કરવા અર્થે શું કરવું જોઈએ ? એ બતાવતાં કહે છે – સર્વ જીવોને હણવા જોઈએ નહીં. અર્થાત્ કોઈ જીવને પીડા કરવી જોઈએ નહીં. કોઈના પ્રાણનાશ કરવા જોઈએ નહીં જે દ્રવ્યહિંસાના નિષેધરૂપ સ્વરૂપ છે અને કોઈને કષાય કરાવવા જોઈએ નહીં જે ભાવહિંસાના નિષેધ સ્વરૂપ છે. આથી જ પકાયના પાલનના અધ્યવસાયવાળા મુનિ અત્યંત યતનાપૂર્વક સર્વ પ્રવૃત્તિઓ કરે છે જેનાથી ષકાયના પાલનનો અધ્યવસાય પ્રગટ થાય છે અને અંતરંગ રીતે કોઈના કષાયમાં પોતે નિમિત્ત ન થાય અને પોતાના કષાયમાં પોતે ઉપાદનરૂપે કારણ ન થાય તે રીતે યત્ન કરે છે તેઓ જ પ્રથમ મહાવ્રત રૂપ સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરવા સમર્થ બને છે. અને સતત સમિતિ-ગુપ્તિ શુદ્ધ ક્રિયાઓ કરે છે અને પોતાના સંયોગાનુસાર જે બલવાનયોગ હોય તેને સેવીને અસપત્ન યોગ સેવે છે અને જેઓ આ રીતે સર્વ જીવોની અહિંસાનું પાલન કરે છે, સમિતિગુપ્તિ શુદ્ધ ક્રિયાનું પાલન કરે છે અને અસપત્ન યોગનું સેવન કરે છે, તેઓ જ તપ-ધ્યાન આદિ કરીને સ્વર્ગ અને મોક્ષના ફલને પ્રાપ્ત કરે છે. જેનાથી વિધિ અને નિષેધનું અવિરોધ રીતે પાલન થાય છે. વળી, પદાર્થ અવિરોધરૂપે બતાવતાં ભગવાનના શાસનમાં કહ્યું છે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્ છે, તેથી દરેક જીવો અને દરેક દ્રવ્ય પ્રતિક્ષણ કોઈ સ્વરૂપે ઉત્પન્ન થાય છે, કોઈક સ્વરૂપે નાશ પામે છે અને તે તે રૂપે ધ્રુવ છે. આથી જ ધ્રુવ એવો પોતાનો આત્મા આસવ દ્વારા મલિન પર્યાયોને પામે છે અને જેનાથી ચાર ગતિઓની વિડંબના પ્રાપ્ત કરે છે અને સંવરમાં યત્ન કરીને આત્માના મલિન પર્યાયને દૂર કરીને શુદ્ધ પર્યાયને પ્રગટ કરવા યત્ન કરે છે અને જ્યારે સર્વ સંવરને પ્રાપ્ત કરશે ત્યારે સર્વ કર્મની નિર્જરા કરીને શુદ્ધધર્મને પ્રાપ્ત કરશે. આત્મા રૂપે આત્મા મલિન પર્યાયમાં પણ અને શુદ્ધ પર્યાયમાં પણ ધ્રુવ રૂપે છે. તેથી પોતાનો આત્મા પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોવાથી સત્ છે, તેમ સર્વ સત્ પદાર્થો કોઈક રૂપે ઉત્પન્ન થાય છે, કોઈક રૂપે વિગમન થાય છે અને કોઈક સ્વરૂપે ધ્રુવ છે. આ પ્રમાણે અનુભવ અનુસાર પદાર્થનું અવિરુદ્ધ કથન જિનશાસનમાં છે. વળી, એક દ્રવ્ય અને અનંત પર્યાયવાળો અર્થ છે. તેથી દ્રવ્ય સ્વરૂપે એક અને પર્યાય સ્વરૂપે પોતાનો આત્મા અનંત પર્યાયવાળો છે તે રીતે જગતના સર્વ પદાર્થો દ્રવ્ય રૂપે એક અને અનંત પર્યાય સ્વરૂપે છે. આ પ્રકારે પદાર્થ વ્યવસ્થા અને મોક્ષમાર્ગ જેઓ અપ્રમત્તતાથી ભાવન કરે છે અને તેના ગંભીર અર્થોને સૂક્ષ્મ રીતે જાણવા અર્થે જીવાદિ તત્ત્વોનો સૂક્ષ્મ બોધ કરે છે, તેઓ મિથ્યાદર્શનથી બાધિત થતા નથી. અને જે જીવો અપ્રમાદપૂર્વક વિવેકપર્વત ઉપર આરૂઢ છે, તેઓ સ્વશક્તિ અનુસાર દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૧૫ જાણીને સન્માર્ગને વિશેષ વિશેષ રૂપે જાણવા યત્ન કરે છે, તેઓને મિથ્યાદર્શન નામનો મહત્તમ બાધક થતો નથી. તેથી સમ્યજ્ઞાન અને જિનવચનમાં સ્થિર શ્રદ્ધાવાળા, ભવરૂપી કેદખાનામાં નિઃસ્પૃહ એવા તેઓ ત્રણ ગુપ્તિના પરિણામરૂપ ચારિત્રરૂપી વાહનમાં આરૂઢ થઈને મોક્ષમાં જાય છે. વળી, વિમર્શ પ્રકર્ષને કહે છે કે જેઓ વિવેકપર્વત ઉપર આરૂઢ થયેલા નથી તેવા ભૂમિમાં રહેલા જીવો ક્યારેય તે માર્ગ જોનારા નથી. તેથી મોક્ષના અર્થી પણ તેઓ મોક્ષમાં જનારા થતા નથી. તેથી મોક્ષમાં જવાનો એક જ ઉપાય છે કે અત્યંત વિવેકદૃષ્ટિપૂર્વક તત્ત્વાતત્ત્વનો વિભાગ કરવો જોઈએ. આ જ તત્ત્વ છે, આ જ અતત્ત્વ છે એવી સ્થિર બુદ્ધિ કરવી જોઈએ અને અતજ્વરૂપ આસવને સતત ક્ષીણ કરવા યત્ન કરવો જોઈએ અને તત્ત્વરૂપ સંવરમાં જ યત્ન કરવો જોઈએ, જે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું સ્થિરીકરણનું અને અતિશય કરવાનું પ્રબલ કારણ છે. આ રીતે મિથ્યાદર્શનનું સ્વરૂપ બતાવ્યા પછી વિચક્ષણની બુદ્ધિના પ્રકર્ષને જિજ્ઞાસા થાય છે કે સંતોષ અને વિવેકપર્વત ઉપર રહેલા મહાત્માઓ આપણાથી જોવાયા નથી. તેથી તેને જાણવાની જિજ્ઞાસાથી પ્રકર્ષ પ્રશ્ન કરે છે અને વિચક્ષણની વિમર્શશક્તિ તેનું અવલોકન કરીને યથાર્થ બોધ કરાવે છે. અને ત્યાં વિવેકપર્વત ઉપર રહેલા જેનનગરમાં તેઓને મહાત્માઓ દેખાયા. જેઓ પોતાના વીર્યથી મહામોહાદિ સર્વ શત્રુઓને દૂર ફેંક્યા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના શાસનને પામેલા સુસાધુઓ સતત મહામોહાદિ સર્વ કષાયોનોકષાયોના સંસ્કારોને અને તેનાં આપાદક કર્મોને ઉમૂલન કરવા માટે પ્રયત્ન કરે છે, જેથી તેઓની ચિત્તવૃત્તિમાં તે મહામોહાદિ રાજાઓ ઉપયોગરૂપે ક્યારેય પ્રવર્તતા નથી પરંતુ સંસ્કારરૂપે મૃતપ્રાયઃ વર્તે છે અને મહાત્માના પ્રયત્નથી નષ્ટ-નષ્ટતર થઈ રહ્યા છે. વળી, તે સુસાધુઓ કેવા છે ? એથી કહે છે – તે મહાત્માઓના સર્વ જીવો બંધુઓ છે અને મહાત્માઓ પણ તેઓના બંધુઓ છે; કેમ કે મહાત્મા પોતાના બંધુની જેમ સદા છકાયનું પાલન કરે છે. તેથી તેઓ સાથે બંધુતુલ્ય પરિણામ છે. જે જીવના સમભાવના પરિણામ સ્વરૂપ જ છે; કેમ કે બધા જીવો પોતાના તુલ્ય છે એ પ્રકારે જેઓનું ચિત્ત ભાવિત છે તેથી તેઓ કોઈ જીવને પીડા ન થાય, કોઈના પ્રાણ નાશ ન થાય અને કોઈના કષાયમાં પોતે નિમિત્ત ન થાય તે રીતે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. વળી, જગતની સર્વ સ્ત્રીઓ તેઓને માતાતુલ્ય છે. તેથી કોઈને જોઈને લેશ પણ કામનો વિકાર થતો નથી; કેમ કે મહાત્માઓ આત્માની નિર્વિકારી અવસ્થાથી અત્યંત ભાવિત છે. જેથી કોઈ સ્ત્રી આદિના રૂપને જોઈને વિકારનો ઉદ્ભવ થતો નથી. વળી, બાહ્ય પરિગ્રહ અને પોતાના શરીર પ્રત્યે પણ જેઓનું ચિત્ત સંશ્લેષવાળું નથી. જેમ કમળ જલ અને કાદવના વચ્ચે રહેલું છે છતાં જલ અને કાદવને સ્પર્શતું નથી પરંતુ જલ અને કાદવથી પર રહે છે તેમ મહાત્મા પણ દેહ સાથે અને બાહ્ય જગતના પદાર્થો સાથે બાહ્યથી સંબંધવાળા છે, તોપણ ભાવથી કોઈ પદાર્થ સાથે સંશ્લેષ પામતા નથી; કેમ કે મારો અપરિગ્રહ સ્વભાવ છે એ પ્રકારે ભાવન કરીને આત્માને અપરિગ્રહ ભાવથી અત્યંત ભાવિત કર્યો છે. વળી મહાત્માઓ વચનગુપ્તિવાળા હોવાથી સંયમના પ્રયોજન સિવાય ક્યારેય બોલતા નથી. તેથી જીવોના હિતને કરનારું, અમૃત ઝરતી વાણીવાળું, આ ઉચિત છે કે નહીં તેનો નિર્ણય કરીને કાર્ય હોતે છતે પરિમિત અક્ષરમાં સત્ય વચન બોલે છે. જેથી વચનકૃત પણ ચિત્તમાં ક્યાંય સંશ્લેષ થતો નથી. પરંતુ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ અસંગભાવના સંશ્લેષથી નિયંત્રિત મહાત્માઓ બોલવાનો યત્ન કરે છે. વળી, દેહ પ્રત્યે પણ સંગનો પરિણામ ન થાય તે અર્થે અસંગ યોગની સિદ્ધિ માટે લોલુપતાથી રહિત, સર્વ દોષોથી રહિત આહારને ગ્રહણ કરે છે. વધારે શું ? ભગવાનના શાસનમાં રહેલા સાધુઓ જે જે ચેષ્ટા કરે છે, તે સર્વ મહામોહાદિ સર્વ અંતરંગ શત્રુઓના નાશને કરનારી હોય છે. તેથી તે મહાત્માઓની ચિત્તરૂપી અટવી કેવી થઈ છે તે બતાવતાં કહે છે – તે મહાત્માઓના ચિત્તમાં શત્રુના નાશમાં લેશ પણ પ્રમાદ નહીં હોવાથી પ્રમત્તતાના પ્રવાહરૂપ નદી અત્યંત શુષ્ક થયેલી છે. વળી પ્રમાદથી વિલસિત એવું પુલિન અત્યંત વિશ્લીભૂત થયું છે. અર્થાત્ ત્યાં કષાયો-નોકષાયોની કોઈ જાતની પ્રવૃત્તિ દેખાતી નથી. પરંતુ નદીની પાસે રેતાળ જમીન તદ્દન મનુષ્યના સંચાર વગરની ઉજ્જડ દેખાય તેથી તેઓની પ્રમત્તતા નદી પાસે રહેલ રેતાળ જમીન મોહના સંચાર વગરની હોવાથી ઉજ્જડ દેખાય છે. વળી, મહાત્માઓના ચિત્તમાં બાહ્ય પદાર્થોના નિમિત્તથી વિક્ષેપો નષ્ટ થયા છે. માત્ર જિનવચનાનુસાર ચિત્તનો પ્રવાહ ચાલે છે તેથી ચિત્તવિક્ષેપ મંડપ પરિભગ્ન થયો છે. વળી, મહાત્માઓએ બાહ્ય પદાર્થોની તૃષ્ણાને અત્યંત દૂર કરી છે. માત્ર વીતરાગ થવાની એક ઇચ્છાથી તેઓની સર્વ પ્રવૃત્તિઓ વર્તે છે તેથી તૃષ્ણાવેદિકા દૂર ફેંકાય છે. વળી, મહાત્માઓ સંસારનું, મોક્ષનું અને મોક્ષના ઉપાયનું યથાર્થ સ્વરૂપ જોનારા હોવાથી અને વારંવાર સૂક્ષ્મ સૂક્ષ્મતર જોવા માટે યત્ન કરનારા હોવાથી વિપર્યાસ નામનું સિંહાસન દૂર ફેંકાયું. વળી, વિપર્યાસ સિંહાસન ઉપર જે મહામોહ બેઠેલો તેનું અવિદ્યારૂપ શરીર હતું, તેના શરીરને મહાત્માઓએ સર્વજ્ઞના વચનાનુસાર સૂક્ષ્મ સૂક્ષ્મ વિદ્યાને પ્રાપ્ત કરીને ચૂર્ણ નાખેલ છે. તેથી તેઓના ચિત્તમાં મહામોહ હજી મૃત્યુ પામ્યો નથી તોપણ અત્યંત પ્રલીન થયેલો છે અને સતત તેના નાશ માટે જ મહાત્માઓ યત્ન કરે છે. જ્યાં સુધી વીતરાગતાની પ્રાપ્તિ થઈ નથી. ત્યાં સુધી મૃતપ્રાય અવસ્થામાં પણ કંઈક મહામોહ જીવે છે તોપણ વ્યક્તરૂપે તેઓના ચિત્તમાં પ્રગટ થતો નથી. વળી, મહામિથ્યાદર્શનરૂપી પિશાચને મહાત્માઓએ ઉચ્ચાટન કરેલ છે અર્થાત્ નિર્મળ મતિથી જિનવચનના પરમાર્થને તે રીતે નિર્ણય કરેલ છે કે જેથી હાથમાં રહેલા આમળાની જેમ સંસારનું સ્વરૂપ, સંસારની નિષ્પત્તિનું કારણ, મોક્ષનું સ્વરૂપ અને મોક્ષની પ્રાપ્તિનું કારણ તેઓને સ્પષ્ટ દેખાય છે, જેથી વિપરીત દર્શન તેઓને ક્યારેય થઈ શકે તેમ નથી. વળી, સંસારથી અત્યંત ભય પામેલા અને મોક્ષના અત્યંત અર્થી એવા તે મહાત્માઓના રાગ-દ્વેષ અત્યંત નષ્ટ થયા છે. વેદનો ઉદય વર્તી રહ્યો છે તો પણ તે રીતે કામને નષ્ટ ર્યો છે કે જેથી કોઈ નિમિત્તને પામીને પણ કામનો ઉદ્ભવ થતો જ નથી. પાંચેય ઇન્દ્રિયોના વિષયોની અસારતા તે રીતે પરિભાવન કરી છે કે જેથી આહારાદિ વાપરે છે, ઇન્દ્રિયોને સન્મુખ વિષયો ઉપસ્થિત થાય છે તો પણ તેના વિષયમાં કુતૂહલતા થાય તેવો અભિલાષ જ ઉસ્થિત થતો નથી. વળી, મહામૂઢતા આદિ મોહાદિની પત્નીને પણ તે મહાત્માએ દૂર કાઢેલ છે. જેથી તેઓના ચિત્તમાં ક્યારેય મહામૂઢતા, મૂઢતા કે અવિવેકતા આદિ ભાવો પ્રાપ્ત થતા નથી. પરંતુ સતત વિવેકની વૃદ્ધિ થાય તે રીતે તે મહાત્માઓ યત્ન કરે છે. વળી, હાસ્ય, જુગુપ્સા, ભય, શોક વગેરે ભાવોને તે રીતે તત્ત્વના Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૧૭ ભાવનથી દૂર કર્યા છે કે જેથી કોઈ નિમિત્તને પામીને હાસ્યાદિ ભાવોને અભિમુખ પણ તેઓનું ચિત્ત થતું. નથી. વળી, આત્માના પારમાર્થિક સ્વરૂપને છોડીને બાહ્ય નિમિત્તોને અનુરૂપ પરિણામ કરવા સ્વરૂપ દુષ્ટઅભિસંધિ રૂપ ચોટાઓને તે મહાત્માઓએ તે રીતે દૂર કર્યા છે કે જેથી તેઓના ચિત્તમાં માત્ર આત્મકલ્યાણને અનુરૂપ જ અભિસંધિ આદિ ભાવો વર્તે છે. વળી સોળ કષાયો રૂપ બાળકોને પણ તે રીતે ક્ષીણ કર્યા છે કે જેથી તેઓની ચિત્તવૃત્તિમાં તેઓ ક્યારેય વિકલ્પ રૂપે પણ ઉદ્ભવ પામતા નથી. પરંતુ જે કષાયો વર્તે છે તે કેવલ સ્વઉચ્છેદમાં જ યત્ન કરાવે તે રીતે પ્રશસ્તભાવમાં વર્તે છે. વળી, જ્ઞાનનું આવરણ, દર્શનનું આવરણ અને અંતરાયકર્મ જે જીવની દુષ્ટ પરિણતિઓ છે, તેઓને તે મહાત્માઓએ તે રીતે ક્ષીણ શક્તિવાળી કરેલી છે કે જેથી વિદ્યમાન હોવા છતાં પણ તે ત્રણેય પરિણતિઓ સતત ક્ષીણ ક્ષીણતર થાય છે. જેથી નિર્મળજ્ઞાન અને નિર્મળ સત્ત્વ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. વળી, ચાર અઘાતીક પણ તેઓને અનુકૂળ વર્તી રહ્યાં છે; કેમ કે જે મહાત્માઓ કષાયોને અને નોકષાયોને સતત ક્ષીણ કરે છે તેઓના શુભઅધ્યવસાયથી અઘાતી કર્મોની પાપપ્રકૃતિઓ પણ ક્ષીણ થાય છે અને પુણ્યપ્રકૃતિઓ પ્રાયઃ અતિશય થાય છે, તેથી તે મહાત્માઓનાં વેદનીય આદિ કર્મો પણ પ્રાયઃ શુભ વિપાકવાળાં વર્તે છે. વળી, ક્વચિત્ કોઈક મહાત્મા દ્વારા પૂર્વભવમાં વિશિષ્ટ અશાતાવેદનીય આદિ કર્મ બાંધેલું હોય, તેથી વર્તમાનના શુભભાવથી પણ તે ક્ષીણ ન થઈ શકે તો તેઓને વેદનીય આદિ અઘાતી કર્મો અશુભ પણ વિપાકમાં આવે છે છતાં તેઓનાં તે અશુભકર્મો પણ કષાયની ઉત્પત્તિનાં કારણ બનતાં નથી, પરંતુ સમભાવની વૃદ્ધિનાં જ કારણ બને છે, તેથી તેઓને પણ તે અઘાતીક અનુકૂલ જ વર્તે છે. સામાન્યથી ઘાતકર્મોના ઉદયમાં અઘાતી પ્રકૃતિઓ પણ ઘાતકર્મોનું કાર્ય કરે છે. આથી જ સંસારી જીવોને શાતાનો ઉદય રાગની વૃદ્ધિ કરીને પ્રતિકૂળ વર્તે છે. અશાતાનો ઉદય દ્વેષ કરીને પ્રતિકૂળ વર્તે છે. નામકર્માદિની શુભપ્રકૃતિઓ મદ કરાવે છે, તેથી કષાયોનો જ ઉદ્ભવ કરીને જીવને પ્રતિકૂળ વર્તે છે. અને નામકર્મ આદિની અશુભપ્રકૃતિઓ વિપાકમાં આવે છે ત્યારે જીવ દીન બને છે અને શાતાવેદનીયનો ઉદય થાય છે ત્યારે પણ સંસારી જીવો રાગાદિની વૃદ્ધિ કરીને ચિત્તને મલિન કરે છે અને અશાતાનો ઉદય થાય છે ત્યારે પણ સંસારી જીવો દીન બને છે જેથી ક્લિષ્ટ કર્મો બાંધે છે. જ્યારે મહાત્માઓને અઘાતકર્મો પણ પુણ્યપ્રકૃતિ રૂપે વર્તતાં હોય ત્યારે પણ મદ થતો નથી. પરંતુ તેના બળથી જ તત્ત્વનું ભાવન કરીને સ્વ-પરનું કલ્યાણ કરે છે અને ક્વચિત્ અઘાતી પ્રકૃતિઓ પાપરૂપે વિપાકમાં આવતી હોય તોપણ અદીનભાવથી તેને વેઠીને ચિત્તની શુદ્ધિ જ મહાત્માઓ કરે છે. તેથી વેદનીય આદિ અઘાતી કર્મો પણ મુનિઓને અનુકૂલ જ વર્તે છે તેમ કહેલ છે. વળી, મહાત્માઓ સર્વજ્ઞના વચનાનુસાર અપ્રમાદથી પ્રવૃત્તિ કરીને મોહનું ચતુરંગ પણ સકલ સૈન્ય નષ્ટપ્રાયઃ કરે છે. મોહના ચાળાઓ મહાત્માઓના શાંત થયા છે. ઇન્દ્રિયોના વિલાસો દૂર થયા છે. ચિત્તમાં સમસ્ત વિકારો તિરોધાન થયેલા છે. વધારે શું કહેવું? વિમર્શ પૂર્વમાં કહેલું કે સંસારી જીવોને દુઃખને દેનારું જે કંઈ પણ ચિત્તરૂપી અટવીમાં છે તે સર્વ વિવેકપર્વત ઉપર રહેલા અપ્રમત્ત મુનિઓને ચિત્તમાં અત્યંત પ્રલીન છે અર્થાત્ વ્યક્તરૂપે તે કોઈ ભાવો થતા નથી. તેથી તેઓની ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવોથી મુક્ત છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ આત્માના સમભાવના પરિણામોરૂપ ગુણોના સમૂહથી પૂર્ણ છે. તેથી નિર્મળ સુંદર રત્નોથી પૂર્ણ એવી ચિત્તવૃત્તિ તેઓને ધ્યાનયોગથી પ્રતીત થાય છે. આ સર્વ સાંભળીને પ્રકર્ષ કહે છે મહાત્માઓનું સુંદર સ્વરૂપ જોવાથી મારું ચિત્ત ધોયેલા પાપવાળું થયું. આનાથી એ ફલિત થાય કે જે મહાત્માઓ ભાવથી સાધુ નથી તોપણ વિચક્ષણ બુદ્ધિવાળા છે તેઓ નિપુણપ્રજ્ઞાથી મુનિઓના ઉત્તમચિત્તનું અવલોકન કરે છે, ત્યારે તેમના ગુણો પ્રત્યે તેઓને પ્રવર્ધમાન રાગ થાય છે જેના કારણે મુનિભાવનાં બાધક ઘણાં કર્મો નાશ પામે છે. ચિત્ત નિર્વાણને અત્યંત અભિમુખ બને છે, મુનિના પારમાર્થિક સ્વરૂપને જોનારી અંતઃચક્ષુ પટુ બને છે. અને ચિત્ત મુનિના ગુણોથી રંજિત થવાને કારણે આનંદના અમૃતના સિંચનવાળો તેનો દેહ થાય છે. આ રીતે વિમર્શ દ્વારા મુનિનું સ્વરૂપ બતાવાયું. તેથી મહાવીર્યવાળા સંતોષભૂપતિને જોવાની ઉત્કટ ઇચ્છા વિચક્ષણની બુદ્ધિનો જે પ્રકર્ષ છે તેને થાય છે. તેથી વિચક્ષણ પુરુષ બુદ્ધિના પ્રકર્ષના બળથી સંતોષના સ્વરૂપને જાણવા યત્ન કરે છે. चित्तसमाधानमण्डपे सन्तोषभूपः બ્લોક : विमर्शेनोक्तंय एष दृश्यते वत्स! सदृष्टेः सुखदायकः । शुभ्रश्चित्तसमाधानो, नाम विस्तीर्णमण्डपः ।।८।। ચિત્તસમાધાનમંડપમાં રહેલ સંતોષ રાજા શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું. હે વત્સ પ્રકર્ષ ! સદ્દષ્ટિના સુખ દેનાર જે આ શુભ્રચિત્તસમાધાન નામનો વિસ્તીર્ણ મંડપ દેખાય છે. IIkII. શ્લોક : सर्वेषां वल्लभोऽमीषां, जनानां पुरवासिनाम् । स सन्तोषमहाभूपो, नूनमत्र भविष्यति ।।९।। શ્લોકાર્ચ - સર્વ આ પુરવાસી લોકોનો વલ્લભ એવો તે સંતોષ નામનો મહાભૂપ ખરેખર અહીં ચિતસમાધાન નામના મંડપમાં, હશે. ll ll શ્લોક : प्रकर्षः प्राह यद्येवं, ततोऽत्रैव प्रविश्यताम् । एवं भवतु वत्सेति, बभाषे तस्य मातुलः ।।१०।। S.. Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૧૯ શ્લોકાર્થ : પ્રકર્ષ કહે છે – જો આમ છે સંતોષભૂપતિ ચિત્તસમાધાન નામના મંડપમાં છે, તો આમાં જ= ચિત્તસમાધાન નામના મંડપમાં જ, આપણે બે પ્રવેશ કરીએ=સંતોષને જોવા માટે આપણે બે પ્રવેશ કરીએ. હે વત્સ ! પ્રકર્ષ! આ પ્રમાણે થાઓ=આપણે બે પ્રવેશ કરીએ એ પ્રમાણે થાઓ. એ રીતે તેના મામા બોલ્યા. II૧૦I શ્લોક : प्रविश्य चोचिते देशे, ताभ्यां दृष्ट स मण्डपः । निजप्रभावविक्षिप्तजनसन्तापसुन्दरः ।।११।। શ્લોકાર્ચ - અને પ્રવેશ કરીને ઉચિત દેશમાં નિકપ્રભાવથી વિક્ષિપ્ત કર્યા છે જનના સંતાપને કારણે સુંદર એવો તે મંડપ તે બંને દ્વારા જોવાયો=મામા-ભાણેજ દ્વારા જોવાયો. ||૧૧|| શ્લોક : तत्र चराजमण्डलमध्यस्थं, दीप्तिनिर्धूततामसम् । वेष्टितं भूरिलोकेन, सच्चित्तानन्ददायकम् ।।१२।। विशालवेदिकारूढमुपविष्टं वरासने । दत्तास्थानं नरेन्द्रं तौ, पश्यतः स्म चतुर्मुखम् ।।१३।। શ્લોકાર્ય : અને ત્યાં ચિત્તસમાધાન નામના મંડપમાં, રાજમંડલના મધ્યમાં રહેલ, દીતિથી નિર્ધત તામસવાળા, ઘણા લોકોથી વીંટળાયેલ, સચિત્ત આનંદને દેનાર, વિશાળ વેદિકા ઉપર આરૂઢ, સુંદર આસન ઉપર બેઠેલ, ભરાયેલી સભાવાળા, ચારમુખવાળા નરેન્દ્રને તે બંનેએ મામાભાણેજ બંનેએ, જોયા. ll૧૨-૧૩ll શ્લોક : ततः प्रकर्षस्तं वीक्ष्य, मनसा हर्षनिर्भरः । मनाक् संजातसन्देहो, मातुलं प्रत्यभाषत ।।१४।। શ્લોકાર્ચ - તેથી તેમને જોઈને મનથી હર્ષનિર્ભર, કંઈક થયેલા સંદોહવાળો પ્રકર્ષ મામા પ્રત્યે બોલ્યો. ll૧૪|| Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अहो रम्यमिदं जैनं, पुरं यत्रेदृशः प्रभुः । ईदृशो मण्डपो लोका, वास्तव्या यत्र चेदृशाः ।।१५।। શ્લોકાર્ચ - અહો, આ જૈનપુર રમ્ય છે. જ્યાં આવા પ્રભુ, આવો મંડપ, જેમાં આવા પ્રકારના વાસ્તવ્ય વસનારા, લોકો છે. II૧૫ll બ્લોક : एवं च स्थितेयत्रेदृशं पुरं माम! विवेकवरपर्वते । किं सोऽयं भवचक्रेऽत्र, वर्तते दोषपूरिते ।।१६।। શ્લોકાર્ચ - અને આ પ્રમાણે સ્થિત હોતે છતે હે મામા ! જે વિવેકપર્વત ઉપર આવું નગર છે શું દોષપૂરિત ભવચક્રમાં તે આ વર્તે છે જેનપુર વર્તે છે? II૧૬II. શ્લોક : विमर्शेनोदितं वत्स! यस्मिन्नेष महागिरिः । वर्तते तदहं वक्ष्ये, स्थानमस्य निशामय ।।१७।। શ્લોકાર્ય :વિમર્શ વડે કહેવાયું. હે વત્સ! જેમાં જે સ્થાનમાં, આ મહાગિરિ વર્તે છે તેને હું કહીશ. આના સ્થાનને તું સાંભળ=વિવેક નામના પર્વતના સ્થાનને તું સાંભળ. II૧ના શ્લોક : चित्तवृत्तिमहाटव्यां, वर्तते परमार्थतः । भवचक्रे तु विद्वद्भिपचारेण कथ्यते ।।१८।। શ્લોકાર્ચ - ચિતરૂપી મહાઇટવીમાં પરમાર્થથી વર્તે છે=વિવેક નામનો પર્વત વર્તે છે. વળી, ઉપચારથી વિદ્વાનો વડે ભવચક્રમાં કહેવાય છે=ભવચક્રમાં વિવેક નામનો મહાપર્વત છે એમ કહેવાય છે. ૧૮ll Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यतोऽत्र विद्यते वत्स! सल्लोकपरिपूरितम् । अन्तरङ्ग सुविस्तीर्णं, पुरं सात्त्विकमानसम् ।।१९।। तत्रायं संस्थितो वत्स! विवेकवरपर्वतः । आधाराधेयसम्बन्धस्तेनैवं परिकीर्तितः ।।२०।। શ્લોકાર્ચ - જે કારણથી હે વત્સ ! અહીં=ભવચક્રમાં, અંતરંગ સુંદર લોકોથી પરિપૂરિત, સુવિસ્તીર્ણ સાત્વિકમાનસ નામનું નગર વિધમાન છે. ત્યાં=સાત્વિકમાનસ નામના નગરમાં, હે વત્સ! આ આધાર આધેય સંબંધવાળો વિવેકવર પર્વત રહેલો છે–સાત્વિકમાનસપુર આધાર છે અને વિવેકપર્વત આધેય છે તેથી આધાર આધેય સંબંધવાળો વિવેકવર પર્વત રહેલો છે. તે કારણથી આ પ્રમાણે કહેવાયું=ભવચક્રમાં વિવેકપર્વત છે એ પ્રમાણે કહેવાયું. ૧૯-૨૦ll ___ सात्त्विकपुरवर्णनम् प्रकर्षेणोदितं-माम! यद्येवं ततो यदिदमस्य पर्वतस्याधारभूतं सात्त्विकमानसं पुरं, ये च तत्सेविनो बहिरङ्गलोकाः, यश्चायं विवेकमहागिरिः, यच्चेदमप्रमत्तशिखरं, यच्चादो जैनं पुरं, ये चात्र स्थिता बहिरङ्गजनाः, यश्चायं चित्तसमाधानमहामण्डपो, या चेयं वेदिका, यच्चेदं सिंहासनं, यश्चायं नरेन्द्रो, यश्चायमस्य परिवारः तदिदं सर्वं मम जन्मापूर्वं ततो ममानुग्रहधिया प्रत्येकं विशेषतस्तद्वर्णयितुमर्हति मामः । विमर्शेनोक्तं-वत्स! यद्येवं ततः समाकर्णय સાત્વિકપુરનું વર્ણન પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! જો આ પ્રમાણે છે તો આ પર્વતનું જે આ આધારભૂત સાત્વિકમાનસપુર છે અને જે તેને સેવનારા બહિરંગ લોકો છે-સાત્વિકમાનસને સેવનારા બહિરંગ લોકો છે, અને જે આ વિવેક મહાગિરિ છે અને જે આ અપ્રમતશિખર છે અને જે આ જેતપુર છે અને અહીં= જેતપુરમાં, જે બહિરંગ લોકો રહેલા છે અને જે આ ચિત્તસમાધાન મહામંડપ છે, જે આ વેદિકા છે અને જે આ સિંહાસન છે અને જે આ નરેન્દ્ર છે અને આનો=આ રાજાનો, જે આ પરિવાર છે સર્વ તે આ મારા જન્મમાં અપૂર્વ છે, તેથી મારા પ્રત્યે અનુગ્રહબુદ્ધિથી પ્રત્યેકને વિશેષથી તેનું વર્ણન કરવા માટે મામા ઉચિત છે=મામાએ તેનું વર્ણન કરવું જોઈએ. વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! જો આ પ્રમાણે છે તને આ સાત્વિકમાનસ આદિ સર્વને વિશેષથી જાણવાની ઈચ્છા છે એ પ્રમાણે છે, તો સાંભળ. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यदिदं पर्वताधारं, पुरं सात्त्विकमानसम् । तदन्तरङ्गरत्नानां, सर्वेषामाकरो मतम् ।।२१।। શ્લોકાર્થ : જે આ પર્વતનો આધાર સાત્વિકમાનસપુર છે તે અંતરંગ સર્વ રત્નોનો આકર મનાયો છે. ll૧] શ્લોક : अनेकदोषपूर्णेऽपि, भवचक्रे व्यवस्थितम् । नेदं स्वरूपतो वत्स! दोषसंश्लेषभाजनम् ।।२२।। શ્લોકાર્ચ - અનેક દોષપૂર્ણ પણ ભવચક્રમાં રહેલું આ સાત્વિકમાનસ, સ્વરૂપથી હે વત્સ ! દોષના સંશ્લેષનું ભાન નથી. રરો શ્લોક : अधन्या भवचक्रेऽत्र, वर्तमाना मनुष्यकाः । इदं स्वरूपतो वत्स! न पश्यन्ति कदाचन ।।२३।। શ્લોકાર્ય : હે વત્સ ! આ ભવચક્રમાં વર્તતા અધન્ય મનુષ્યો આને-સાત્વિકમાનસને સ્વરૂપથી ક્યારેય જોતા નથી. ll૧૩ll. શ્લોક : यानि निर्मलचित्तादिपुराण्यन्तरभूमिषु । अत्रैव प्रतिबद्धानि, तानि जानीहि भावतः ।।२४।। શ્લોકાર્ચ - અહીં જ સાત્વિકમાનસમાં જ, પ્રતિબદ્ધ અંતરંગભૂમિમાં જે નિર્મલ ચિતાદિ નગરો છે તેઓને ભાવથી તું જાણ. ર૪ll. શ્લોક : स कर्मपरिणामाख्यो, राजा नेदं महापुरम् । सभुक्तिकं ददात्येकं, महामोहादिभूभुजाम् ।।२५।। Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૨૩ શ્લોકાર્થ : તે કર્મપરિણામ નામનો રાજા આ મહાપુર એકસાત્વિકમાનસરૂપ નગર, મહામોહાદિ રાજાઓને સમુક્તિક આપતો નથી. રિપો શ્લોક : ન્તિર્દિ?स्वयमेव भुनक्तीदं, तथाऽन्यैर्वरभूमिपैः । शुभाशयादिभिर्वत्स! भोजयेच्च सभुक्तिकम् ।।२६।। શ્લોકાર્ચ - તો શું? સ્વયં જ આન=સાત્વિકમાનસ નગરને, ભોગવે છે અને હે વત્સ ! અન્ય શુભાશયાદિ શ્રેષ્ઠ ભૂપતિઓ વડે સમુક્તિક ભોગવાવે છે આ નગર ભોગવાવે છે. રજી. શ્લોક : इदं हि जगतः सारमिदं च निरुपद्रवम् । इदमेव कृतालादं, बहिर्जनमनोहरम् ।।२७।। શ્લોકાર્ચ - હિં=જે કારણથી, જગતનું આ સાર છે=સાત્વિકમાનસ નગર સાર છે. આ સાત્વિક નગર, નિરુપદ્રવવાનું છે. આ જ=સાત્વિક નગર જ, કૃત આફ્લાદવાળું બહિર્જનને મનોહર છે=જેઓ એ નગરમાં પ્રવેશ્યા નથી તોપણ તેને જોનારા છે, તેઓના મનને હરનારું છે. ર૭ી શ્લોક : तदिदं ते समासेन, पुरं सात्त्विकमानसम् । निवेदितं मया वत्स! शृणु चात्राधुना जनम् ।।२८।। શ્લોકાર્ચ - તે કારણથી સમાસથી તને આ સાત્વિકમાનસપુર મારા વડે નિવેદિત કરાયું. અને હે વત્સ! અહીં સાત્વિકપુરમાં, જનને=વસતા જનને, તું સાંભળ. ll૨૮ll શ્લોક : ये लोका निवसन्त्यत्र, पुरे सात्त्विकमानसे । बहिरङ्गा भवन्त्येषां, शौर्यवीर्यादयो गुणाः ।।२९।। Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ बहिरङ्गा जनास्ते हि, निवसन्त्यत्र सत्पुरे । पुरमाहात्म्यमात्रेण, गच्छन्ति विबुधालये ।।३०।। શ્લોકાર્ચ - જે લોકો આ સાત્વિકમાનસપુરમાં વસે છે એઓના બહિગરૂ૫ શૌર્ય, વીર્યાદિ ગુણો થાય છે, તે બહિરંગ જનો=સંસારમાં રહેલા જીવો, આ સત્પરમાં વસે છે. પુરના માહામ્ય માત્રથી વિબુધાલયમાં જાય છે. ll૨૯-૩૦|| બ્લોક : अन्यच्च वसतामत्र, पुरे सात्त्विकमानसे । प्रत्यासन्नतया याति, विवेको दृष्टिगोचरे ।।३१।। શ્લોકાર્ચ - અને બીજું આ સાત્વિકમાનસપુરમાં વસતા એવા તેઓને પ્રત્યાસક્ષપણું હોવાને કારણે વિવેકપર્વત દષ્ટિગોચરમાં આવે છે. Il૩૧II બ્લોક : તતयद्यारोहन्त्यमुं लोका, विवेकवरपर्वतम् । ततो जैन समासाद्य, पुरं यान्ति सुखास्पदम् ।।३२।। શ્લોકાર્ય : અને તેથી વિવેકપર્વત દષ્ટિગોચરમાં આવે છે તેથી, આ લોકો વિવેકપર્વતને જોનારા લોકો જો વિવેકવરપર્વત ઉપર આરોહણ કરે છે તો જેનપુરને પ્રાપ્ત કરીને સુખના સ્થાનને પ્રાપ્ત કરે છે. Il3II શ્લોક : एवं च स्थितेपुरप्रभावमात्रेण, सदैते सुन्दरा जनाः । વિવેકશિવરારૂઢા:, પુનઃ ચુરતિસુન્દરા: Jારૂરૂા શ્લોકાર્થ : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સાત્વિકપુરમાં પ્રવેશ કરીને વિવેકપર્વત ઉપર જેઓ ચઢે છે. તેઓ સુખના સ્થાનને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, પુરના પ્રભાવ માત્રથી=જેનપુરના Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૨૫ પ્રભાવ માત્રથી, સદા સુંદર એવા આ લોકો વિવેકશિખર ઉપર આરૂઢ થયેલા ફરી અતિસુંદર થાય છે=પૂર્વમાં જે કષાયોની અલ્પતાથી સુંદરતા હતી તે જૈનનગરમાં વસવાથી જિનતુલ્ય થવાના યત્નને કારણે, પૂર્વ કરતાં કષાયોની અધિક અલ્પતા થવાને કારણે અતિસુંદર થાય છે. 133II શ્લોક : ફ્રિ – अन्येषां पापिनां वत्स! भवचक्रनिवासिनाम् । सदा न प्रतिभातीदं, जनानां जैनसत्पुरम् ।।३४।। શ્લોકાર્થ : વળી, હે વત્સ ! અન્ય પાપી એવા ભવચક્રનિવાસી લોકોને આ જેનસપુર સદા પ્રતિભાસ થતો નથી= ક્વચિત્ બાહ્યથી જિનપ્રતિમાદિની ભક્તિ કરતા હોય કે શ્રાવક આચાર પાળતા હોય તોપણ પરમાર્થથી જેનસપુર કઈ રીતે જીવને સુંદર બનાવે છે એ પ્રતિભાસ થતો નથી. ll૧૪ll શ્લોક : निवसन्ति पुनर्येऽत्र, पुरे सात्त्विकमानसे । बहिरङ्गजनास्तेषां, भातीदं जैनसत्पुरम् ।।३५।। શ્લોકાર્ચ - વળી, જે બહિરંગ જનો આ સાત્વિકમાનસરૂપ પુરમાં વસે છે તેઓને આ જૈનસપુર ભાસે છે=સુખના પરંપરાનું કારણ ભાસે છે. ll૩૫ll શ્લોક : तदमी भाविकल्याणा, लोका मार्गानुयायिनः । वास्तव्यकाः पुरे येऽत्र, सदा प्रकृतिसुन्दरे ।।३६।। શ્લોકાર્ચ - તે કારણથી ભાવિકલ્યાણવાળા માર્ગાનુસારી આ લોકો છે જે પ્રકૃતિસુંદર એવા આ પુરમાં સદા વસનારા છે. Il39ll विवेकशिखरवर्णनम् બ્લોક : तदेते कथितास्तुभ्यं, पुरे सात्त्विकमानसे । लोकाः महागिरे रूपं, समाकर्णय साम्प्रतम् ।।३७।। Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિવેકશિખરવર્ણન વિવેકપર્વત પર અપ્રમતશિખરનું વર્ણન શ્લોકાર્ધ : તે કારણથી તને સાત્વિકમાનસરૂપ નગરમાં આ લોકો કહેવાયા. હવે મહાગિરિનું રૂપ=વિવેકરૂપી મહાગિરિનું સ્વરૂપ સાંભળ. ll૧૭ll શ્લોક : तावद्दारुणदुःखार्ता, भवचक्रनिवासिनः । जना यावन पश्यन्ति, ते विवेकमहागिरिम् ।।३८ ।। શ્લોકાર્થ : ત્યાં સુધી ભવચક્રવાસી જીવોને દારુણ દુઃખની પીડા છે જ્યાં સુધી તેઓ વિવેક મહાગિરિને જોતા નથી. Il3ZIL. શ્લોક : यदा पुनः प्रपश्यन्ति, ते विवेकमहागिरिम् । तदा न रमते तेषां, भवचक्रे मतिर्नृणाम् ।।३९।। શ્લોકાર્ચ - જ્યારે વળી તેઓ વિવેક મહાગિરિને જુએ છે ત્યારે તે મનુષ્યોની મતિ ભવચક્રમાં રમતી નથી. ll૧૯ll શ્લોક : ततश्च विहाय भवचक्रं ते, समारूह्य महागिरिम् । विमुच्य दुःखं जायन्ते, निर्द्वन्द्वानन्दभागिनः ।।४०।। શ્લોકાર્ધ : અને તેથી–વિવેક મહાગિરિને જોનારા જીવોને ભવચક્રમાં મતિ નથી તેથી, ભવચક્રને છોડીને મહાગિરિ ઉપર ચઢીને તેઓ દુઃખનો ત્યાગ કરીને નિર્બદ્ધઆનંદના ભાગી થાય છે. ૪|| શ્લોક : यतोऽत्र निर्मले तुङ्गे, स्थितानां वत्स! देहिनाम् । भवचक्रमिदं सर्वं, करस्थमिव भासते ।।४१।। Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૭ શ્લોકાર્ધ : જે કારણથી હે વત્સ પ્રકર્ષ ! અહીં નિર્મલશિખરમાં રહેલા જીવોને આ સર્વ ભવચક્ર હાથમાં રહેલાની જેમ=હાથમાં રહેલી વસ્તુની જેમ, દેખાય છે. II૪૧૫ શ્લોક : ततो विविधवृत्तान्तं, दुःखसङ्घातपूरितम् । विलोक्येदं विरज्यन्ते, नगरात्तेऽमुतो जनाः ।।४२।। શ્લોકાર્ચ - તેથી=ભવચક્ર સ્પષ્ટ દેખાય છે તેથી, વિવિધ વૃત્તાંતવાળું, દુઃખના સમૂહથી પરિત આને જોઈને આ નગરથી તે જનો વિરક્ત થાય છે. ll૪૨ાા શ્લોક : विरक्ताश्च भवन्त्यत्र, प्रतिबद्धा महागिरौ । विवेके भावतः सौख्यहेतुरेष च सगिरिः ।।४३।। શ્લોકાર્ચ - અને વિરક્ત થયેલા આ મહાગિરિમાં પ્રતિબદ્ધ થાય છે અને ભાવથી વિવેક થયે છતે આ સગિરિ સુખનો હેતુ છે. ll૪3II શ્લોક : તતविवेकसगिरेर्वत्स! माहात्म्येनास्य ते जनाः । भवन्ति सुखिनोऽत्यन्तं, भवचक्रेऽपि संस्थिताः ।।४४।। શ્લોકાર્થ : અને તેથી આ ગિરિ સુખનો હેતુ છે તેથી, હે વત્સ ! આ વિવેક સગિરિના માહાભ્યથી તે લોકો ભવચક્રમાં પણ રહેલા અત્યંત સુખી થાય છે. ll૪૪l. શ્લોક : तदेष सर्वलोकानां, सुखहेतुर्महागिरिः । विवेको वर्णितस्तुभ्यमधुना शिखरं शृणु ।।४५।। શ્લોકાર્ય : તે કારણથી સર્વ લોકોને સુખનો હેતુ આ વિવેક નામનો મહાગિરિ તને વર્ણન કરાયો. હવે શિખરને તું સાંભળ. II૪પII Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : इदं हि शिखरं तात! सर्वदोषनिबर्हणम् । उत्त्रासकारणं मन्ये, दुष्टान्तरमहीभुजाम् ।।४६।। શ્લોકાર્ય : હે તાત પ્રકર્ષ ! સર્વ દોષનું નિબહણ=સર્વ દોષને દૂર કરનાર, આ શિખર છે. દુષ્ટ એવા અંતર રાજાઓના ઉત્રાસનું કારણ હું માનું છું. ll૪૬l બ્લોક : યત:विवेकारूढलोकानां, यधुपद्रवकारिणः । आगच्छेयुः क्वचिद् भद्र! महामोहादिशत्रवः ।।४७।। ततस्ते निर्दयैर्भूत्वा, विवेकारूढजन्तुभिः । शिखरादप्रमत्तत्वाल्लोट्यन्तेऽस्मान्न संशयः ।।४८।। युग्मम्।। શ્લોકાર્થ : જે કારણથી હે ભદ્ર ! વિવેકરૂપી પર્વત પર આરૂઢ થયેલા લોકોને ક્વચિત્ જો ઉપદ્રવકારી મહામોહાદિ શત્રુઓ આવે તો વિવેક પર્વત ઉપર આરૂઢ થયેલા જીવો વડે નિર્દય થઈને અપ્રમત્તપણું હોવાથી આ શિખરથી નીચે તેઓ=મહામોહાદિ શત્રુઓ, પછાડાય છે. સંશય નથી. II૪૭-૪૮|| શ્લોક : ततस्ते चूर्णिताशेषशरीरावयवाः पुनः । दूरतः प्रपलायन्ते, शिखरं वीक्ष्य कातराः ।।४९।। શ્લોકાર્ધ : તેથી ચૂર્ણિત અશેષ શરીરના અવયવવાળા કાયર એવા તેઓ=મહામોહાદિ શત્રુઓ, ફરી શિખરને જોઈને દૂરથી પલાયન થાય છે. ll૪૯ll શ્લોક : तदिदं नूनमेतेषां, दलनार्थं विनिर्मितम् । विवेकवासिशत्रूणामन्तरङ्गमहीभुजाम् ।।५०।। શ્લોકાર્ધ :તે કારણથી=અપ્રમતશિખરથી વિવેકી જીવો સુખપૂર્વક મોહને ચૂર્ણ કરી શકે છે તે કારણથી, Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિવેકવાસી જીવોના શત્રુઓ એવા અંતરંગ રાજાઓના દલન માટે આ=અપ્રમતશિખર, ખરેખર નિર્માણ કરાયું છે. II૫ol. શ્લોક : વિશ્વ– शुभं विशालमुत्तुङ्गं, सर्वलोकसुखावहम् । वत्सेदमप्रमत्तत्वशिखरं गाढसुन्दरम् ।।५१।। શ્લોકાર્ચ - વળી, હે વત્સ પ્રકર્ષ ! શુભ્ર, વિશાળ, ઊંચું, સર્વ લોકોને સુખને દેનારું આ અપ્રમત્તત્વ શિખર ગાઢ સુંદર છે. I/પ૧II શ્લોક : तदिदं ते समासेन, कथितं शिखरं मया । अधुना वर्ण्यते जैनं, पुरं तत्त्वं निशामय ।।५२।। શ્લોકાર્ચ - તે આ શિખર તને સમાસથી મારા વડે કહેવાયું. હવે જેનપુર વર્ણન કરાય છે. તેને તું સાંભળ. Iીપરા जैनपुरवर्णनम् શ્લોક : इदं हि सत्पुरं वत्स! निरन्तानन्दकारणम् । કુર્તમ મવડત્ર, ગન્તમઃ પુ નતિ: પાકરૂ ા જેનપુરનું વર્ણન શ્લોકાર્ય : હે વત્સ ! આ સત્પર=જેન નામનું સપુર, નિરંત આનંદનું કારણ, પુણ્યવર્જિત જંતુઓ વડે આ ભવચક્રમાં દુર્લભ છે. IITBll શ્લોક : યત: – कालेन भूयसा लोकाः, पर्यटन्तः कथञ्चन । आसादयन्ति कृच्छ्रेण, पुरं सात्त्विकमानसम् ।।५४।। Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - જે કારણથી ઘણા કાલથી ભટકતા લોકો કોઈક રીતે મુશ્કેલીથી સાત્વિકમાનસપુરને પ્રાપ્ત કરે છે. II૫૪ll શ્લોક : स्थित्वा तत्र पुनर्यान्ति, भवचक्रे निरन्तके । एनं वत्स! न पश्यन्ति, विवेकवरपर्वतम् ।।५५।। શ્લોકાર્ચ - ત્યાં રહીને વળી નિરંતક એવા ભવચક્રમાં જાય છે. હે વત્સ ! આ વિવેકવર પર્વતને જોતા નથી. 'પિપIL શ્લોક : भूरिभिर्विहितैस्तात! ततश्चेत्थं गमागमैः । कदाचित्तेऽत्र पश्येयुर्विवेकवरपर्वतम् ।।५६।। શ્લોકાર્થ : હે તાત!ત્યારપછીeભવચક્રમાં વિવેકવર પર્વત જોતા નથી ત્યારપછી, આ રીતે સાત્વિકમાનસ પુરમાં આવે છે, વિવેકવર પર્વતને જોયા વગર જાય છે એ રીતે, ઘણા વખત કરાયેલા ગમનાગમન વડે ક્યારેક અહીં સાત્વિકમાનસપુર નગરમાં, તેઓ વિવેકવર પર્વતને જુએ છે. પા. શ્લોક :___ नारोहन्ति च दृष्टेऽपि, तथाऽन्ये वत्स! सदिगरौ । प्रयान्ति च विदन्तोऽपि, भवचक्रे स्ववैरिणः ।।५७।। શ્લોકાર્ચ - અને હે વત્સ પ્રકર્ષ! સગિરિ દષ્ટ હોવા છતાં પણ અન્ય આરોહણ કરતા નથી અને જાણતા પણ વૈરી એવા તેઓ ભવચક્રમાં જાય છે. પછી શ્લોક - आरोहेयुः कदाचिच्च, तत्राऽऽरूढाः सुदुर्लभम् । शिखरं ते न पश्येयुरिदं वत्साऽतिसुन्दरम् ।।५८।। શ્લોકાર્ય : અને હે વત્સ ! કદાચિત્ આરોહણ કરે=વિવેક પર્વત ઉપર આરોહણ કરે, ત્યાં આરૂઢ થયેલા=વિવેક પર્વત ઉપર ચઢેલા, તેઓ સુદુર્લભ અતિસુંદર આ શિખરને જોતા નથી. પ૮ll Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : दृष्टेऽपि नानुतिष्ठन्ति, तत्राऽऽरोहणमुच्चकैः । शैथिल्येनैव तिष्ठन्ति, भवचक्रे सकौतुकाः ।।५९।। શ્લોકાર્ચ - જોવા છતાં પણ અપ્રમતશિખરને જોવા છતાં પણ ત્યાં અપ્રમતશિખર ઉપર અત્યંત આરોહણને કરતા નથી. શૈથિલ્યથી જ સકૌતુક એવા તેઓ ભવચક્રમાં જ રહે છે. પ૯ll શ્લોક : यदा तु धन्याः शिखरमारोहन्ति मनोहरम् । इदं वत्स! जना जैनं, पश्यन्त्येव तदा पुरम् ।।६०।। શ્લોકાર્ચ - હે વત્સ ! જ્યારે વળી ધન્ય જીવો આ મનોહર શિખરને આરોહણ કરે છે ત્યારે જેનપુરને જુએ જ છે. ll ll શ્લોક : सा चैषा भवचक्रेऽत्र, वर्तमानैः सुदुर्लभा । सामग्री जन्तुभिर्वत्स! याऽस्य दर्शनकारिणी ।।१।। શ્લોકાર્ધ : અને હે વત્સ પ્રકર્ષ ! આ ભવચક્રમાં વર્તમાન એવા જીવો વડે તે આ સુદુર્લભ સામગ્રી છે જે આના દર્શનને કરાવનારી છે અપ્રમતશિખર ઉપર રહેલા જૈનનગરના દર્શનને કરાવનારી છે. II૬૧II શ્લોક : तेनेदं सततानन्दकारणं जैनसत्पुरम् । भवचक्रे मया तुभ्यं, दुर्लभं प्रतिपादितम् ।।६२।। શ્લોકાર્થ : તે કારણથીeભવચક્રમાં વર્તમાન જીવો વડે જેનનગરનું દર્શન થવું દુર્લભ છે તે કારણથી, સતત આનંદનું કારણ આ જેનસપુર ભવચક્રમાં મારા વડે તને દુર્લભ પ્રતિપાદિત કરાયું. IIકરા શ્લોક : इदं रत्नौघसंपूर्णमिदं सर्वसुखास्पदम् । इदमेव जगत्यत्र, सारात्सारतरं मतम् ।।६३।। Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આ જેનપુર, રત્નના સમુદાયથી સંપૂર્ણ છે. આ=જેનપુર, સર્વ સુખનું સ્થાન છે. આ જ=જેનનગર જ, આ જગતમાં સારથી સારતર મનાયું છે. Il3I. શ્લોક : तदिदं ते समासेन, वर्णितं जैनसत्पुरम् । अधुना येऽत्र वास्तव्या, लोकास्तानवधारय ।।६४।। શ્લોકાર્ય : તે આ જેનસપુર સમાસથી તને વર્ણન કરાયું. હવે જે લોકો અહીં વસનારા છે તેઓને તું અવધારણ કર. II૬૪ll શ્લોક : एते हि सततानन्दाः, सर्वाबाधाविवर्जिताः । પુરમાવતો વત્સ! વર્તને નૈનસંન્ગના શ્લોકાર્ચ - હે વત્સ ! સતત આનંદવાળા, નગરના પ્રભાવથી સર્વ બાધાઓથી રહિત આ જેનસજ્જનો વર્તે છે. IIકપII શ્લોક : प्रस्थिता नगरी सर्वे, निवृतिं कृतनिश्चयाः । आरात्प्रयाणकैः केचिद्वसन्ति विबुधालये ।।६६।। શ્લોકાર્ય : સર્વ=જેનનગરમાં વસતા સર્વ, કૃતનિશ્ચયવાળા નિવૃતિનગર તરફ પ્રસ્થિત છે. કેટલાક પ્રયાણકોથી વચમાં વિબુધાલયમાં વસે છે. all શ્લોક : वीर्यं वीक्ष्य भयोद्धान्तैर्महामोहादिशत्रुभिः । ત્તેિ નેના નાના વત્સ! તૂરત: પરિવંનતા પાદુકા શ્લોકાર્ચ - વીર્યને જોઈને ભયથી ઉભ્રાંત થયેલા મહામોહાદિ શત્રુઓ વડે આ જૈન લોકો હે વત્સ દૂરથી ત્યાગ કરાયા. ક૭ll Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | પ્રસ્તાવ ૨૩૩ ભાવાર્થ : પ્રકર્ષ સંતોષ નામના રાજાને જોવાની અત્યંત ઇચ્છાવાળો છે તેથી વિમર્શ સંતોષને બતાવવા અર્થે પ્રથમ અંતરંગ દુનિયામાં ચિત્તસમાધાન નામનો મંડપ બતાવે છે અને કહે છે કે તે ચિત્તસમાધાન નામના મંડપમાં સંતોષ નામનો રાજા દેખાશે. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માનું ચિત્તસમાધાન પામેલું છે કે જગતના બાહ્ય પદાર્થોને અવલંબીને જીવમાં કોઈ પ્રકારના સુખની પ્રાપ્તિ નથી પરંતુ ભ્રમને કારણે જ બાહ્ય પદાર્થો મારા સુખનાં સાધન છે અને તેના સંચયથી હું સુખી છું અને દેહના અનુકૂળ સંયોગથી જ હું સુખી છું અને દેહના પ્રતિકૂળ સંયોગથી હું દુઃખી છું તેવો ભ્રમ વર્તે છે. અને જેઓના ચિત્તમાં સમાધાન થયેલું છે કે જગતના બાહ્ય પદાર્થો મારા માટે અનુપયોગી છે તેથી તેનામાં યત્ન કરવો એ મારા માટે નિરર્થક પ્રવૃત્તિ છે, પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવને પ્રગટ કરવા અર્થે જિનવચનાનુસાર સર્વ ઉચિત ક્રિયા કરવાથી મારો આત્મા નિરાકુળ નિરાકુળતર અવસ્થાને પ્રાપ્ત કરશે તેવું સમાધાન જેઓના ચિત્તમાં વર્તે છે તે ચિત્તસમાધાન નામનો મંડપ છે. નિર્મળ દૃષ્ટિવાળા જીવોને તે ચિત્તસમાધાન સુખને દેનારું છે અને અપ્રમત્તશિખર ઉપર વર્તતા જૈનપુરમાં વસનારા બધા લોકોને તે મંડપ અત્યંત વલ્લભ છે. ભગવાનના શાસનને પામ્યા પછી વિવેકી જીવો ચિત્તસમાધાનને પામે તે પ્રકારે સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે અને તે મંડપમાં સંતોષ નામનો રાજા પ્રાપ્ત થશે. આ પ્રકારે વિમર્શે કહ્યું તેથી વિમર્શ અને પ્રકર્ષે અંતરંગ દુનિયામાં ચિત્તસમાધાનમંડપને જોવા માટે પ્રવેશ કર્યો અર્થાત્ માર્ગાનુસારી સૂક્ષ્મબુદ્ધિથી અપ્રમત્ત જીવોનું ચિત્ત કઈ રીતે સમાધાનવાળું હોય છે તેને જોવા માટે પ્રયત્નવાળા થયા. તેથી ચિત્તસમાધાનરૂપી મંડપને જોયો, જે મંડપ પોતાના પ્રભાવથી લોકોના સંતાપને દૂર કરનાર હોવાથી સુંદર જણાય છે; કેમ કે જે જીવોનું ચિત્ત સમાધાન તરફ જાય છે તે જીવોને સંસારના બાહ્ય અનુકૂળ ભાવો ઉન્માદ પ્રગટ કરતા નથી અને બાહ્ય પ્રતિકૂળ ભાવો ખેદ-ઉદ્વેગ આદિ કરતા નથી. ત્યાં તેઓએ ચાર મુખવાળા સંતોષ નામના મહાત્માને જોયા. જે સંતોષ રાજમંડપના મધ્યમાં રહેલ હતો. પોતાના જ્ઞાનની દીપ્તિથી તામસભાવ રહિત હતો, ઘણા લોકોથી વેષ્ટિત હતો અને સચિત્ત આનંદને દેનાર હતો. તે સ્વરૂપે વિશાળ વેદિકા ઉપર બેઠેલ ચારમુખવાળા તીર્થંકર નરેન્દ્રને તેઓએ જોયા. જેઓમાં ક્ષાયિકભાવ રૂપે સંતોષ વિદ્યમાન હતો; કેમ કે સંપૂર્ણ મોહનો નાશ થયેલો હોવાથી વીતરાગ સર્વજ્ઞ એવા તે મહાત્મા પૂર્ણ સુખની અવસ્થામાં સંતોષમય ભાવને ધારણ કરનારા હતા. તેને જોઈને પ્રકર્ષ હર્ષપૂર્વક કહે છે. આ રમ્ય જૈનનગર છે જેમાં આવા સર્વજ્ઞ પ્રભુ વિદ્યમાન છે, જેમાં આવો ચિત્તસમાધાન નામનો મંડપ છે અને જેમાં શાંત ચિત્તવાળા લોકો વસે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ નિર્મળ ચક્ષુથી ભગવાનની પ્રતિમાને જુએ છે તેઓને સાક્ષાત્ સમવસરણમાં બેસનારા ચારમુખવાળા તીર્થકરો દેખાય છે અને તે તીર્થકરોના વચનનું અવલંબન લઈને મોહનો નાશ કરવામાં તત્પર થયેલા ચિત્તસમાધાનમંડપમાં રહેલા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા દેખાય છે. જેનું ચિત્ત અત્યંત સમાધાન તરફ હોવાને કારણે સંસારમાં હોવા છતાં બાહ્ય નિમિત્તોજન્ય ફ્લેશથી તેઓ બહુધા સુરક્ષિત છે, હંમેશાં કષાયોના શમન માટે ઉદ્યમ કરનારા છે અને સર્વજ્ઞના વચનના પારમાર્થિક ભાવોને સૂક્ષ્મ સૂક્ષ્મતર જાણીને જિનતુલ્ય સંતોષવાળા થવા માટે યત્ન કરનારા છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વળી, પ્રકર્ષ પ્રશ્ન કરે છે. દોષથી ભરપૂર એવા આ ભવચક્રમાં આવા પ્રકારનો વિવેકપર્વત વર્તે છે, જે પર્વતમાં આવા રમ્ય સ્થાનરૂપ ચિત્તસમાધાનરૂપ મંડપ વર્તે છે. તેને વિમર્શ કહે છે. પરમાર્થથી આ વિવેકપર્વત અને ચિત્તસમાધાનમંડપ ચિત્તમ હાટવીમાં વર્તે છે, ઉપચારથી જ ભવચક્રમાં વર્તે છે એમ કહેવાય છે; કેમ કે ભવચક્રવાસી જીવો ચારગતિમાં વર્તે છે. તેઓમાં જે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તરૂપ મહાટવી છે તે મહાટવીમાં આ વિવેકપર્વત વર્તે છે. તેના ઉપર અપ્રમત્તશિખર છે અને ત્યાં જૈનપુર છે. ત્યાં ચિત્તસમાધાન નામનો મંડપ વર્તે છે. કઈ રીતે ચિત્તરૂપી મહાટવીમાં આ રહેલ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સંસારી જીવોમાં કેટલાક જીવો સાત્ત્વિકમાનસને પ્રાપ્ત કરે છે અને કેટલાક તુચ્છ માનસવાળા છે અને તે અસાત્ત્વિકમાનસવાળા જીવોમાં મહામોહનું જ એકછત્ર સામ્રાજ્ય છે. પરંતુ જેઓ સાત્ત્વિકમાનસવાળા છે ત્યાં વિવેકપર્વત વર્તે છે. તેથી આ પર્વતનો આધાર સાત્ત્વિકમાનસ છે. અને તે સાત્ત્વિકમાનસને સેવનારા ભવચક્રમાં રહેલા બહિરંગ લોકો છે. આ પ્રકારે વિમર્શ વર્ણન કરે છે. તેથી પ્રકર્ષને તે સર્વને જાણવાની ઇચ્છા થાય છે તેથી ક્રમસર વિમર્શ પ્રકર્ષને તે સર્વનું સ્વરૂપ બતાવતાં કહે છે. આ ભવચક્ર અનેક દોષથી પૂર્ણ છે તોપણ સાત્ત્વિકમાનસ આદિ ભાવો દોષ સંશ્લેષના ભાજન નથી. અને જે પુણ્ય વગરના જીવો ભવચક્રમાં છે તેઓ આ સાત્ત્વિકમાનસને સ્વરૂપથી જોઈ શકતા નથી. આથી જ બાહ્ય નિમત્તાનુસાર હર્ષ-શોકાદિ ભાવો કરીને ખેદ-વિષાદ કે હર્ષના ઉન્માદથી યુક્ત રહે છે. પરંતુ આત્માનું હિત શું છે, કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરીને હું મારી હિતની પરંપરાને પ્રાપ્ત કરું ઇત્યાદિ ભાવો તેઓ ક્યારેય કરતા નથી. વળી અંતરંગ દુનિયામાં નિર્મલ ચિત્તાદિ નગરો છે તે સર્વ અહીં સાત્ત્વિકપુરમાં જ પ્રતિબદ્ધ છે. આ નિર્મલ ચિત્તાદિ નગરો કર્મપરિણામ રાજાએ મહામોહાદિ રાજાને ભક્તિમાં આપ્યા નથી, પરંતુ સ્વયં જ તે નગરનો ઉપભોગ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મપરિણામ રાજા જેઓના ચિત્તમાં અતિક્લેશ વર્તે છે તેવા જીવોના ચિત્ત ઉપર મહામોહાદિને સામ્રાજ્ય ચલાવવા માટે આપે છે અને જે જીવોનાં કર્મો ક્ષયોપશમભાવવાળાં પ્રચુર છે તે જીવોમાં નિર્મલ ચિત્તાદિ ભાવો વર્તે છે. તે સ્થાનો ઉપર કર્મપરિણામ રાજાનો જ અધિકાર છે, મહામોહાદિ રાજાનો અધિકાર નથી. શુભાશયાદિ રાજાઓને જ કર્મપરિણામ રાજા તે નગરો ઉપર સામ્રાજ્ય ચલાવવા આપે છે. તેથી જેઓમાં સાત્ત્વિકમાનસ પ્રગટ્યું છે તે જીવોમાં મહામોહાદિની અસરો અલ્પ થાય છે, આત્મહિત આદિને અનુકૂળ નિર્મલ ચિત્તાદિ પ્રગટે છે. તત્ત્વને જાણવાને અનુકૂળ શુભાશય વર્તે છે તે સર્વ મિથ્યાત્વાદિ મંદ થવાને કારણે જીવમાં વર્તતા શુભભાવો સ્વરૂપ છે. આથી જ આ સાત્ત્વિકમાનસ કેવું છે ? તે બતાવતાં કહે છે – જગતનું સાર આ સાત્ત્વિકમાનસ છે; કેમ કે કર્મની પરવશતાથી આત્માનું રક્ષણ કરવામાં જેઓ સત્ત્વશાળી છે તે જીવો જ સાત્ત્વિકમાનસવાળા છે. આથી જ તેવા જીવોને મોહના ઉપદ્રવો અલ્પ વર્તે છે. તેથી તેઓને કષાયોની મંદતારૂપ આલાદ વર્તે છે. આ પ્રકારે સાત્ત્વિકમાનસનું સ્વરૂપ બતાવ્યા પછી તે સાત્ત્વિકમાનસ નગરમાં જેઓ વર્તે છે તે જીવોમાં મોહનાશને અનુકૂળ શૌર્ય, વીર્યાદિ ગુણો વર્તે છે. તેથી તે જીવો સાત્ત્વિકમાનસને કારણે દેવલોકમાં જાય છે એમ કહેલ છે. આથી જ જેઓ ભગવાનના શાસનને પામ્યા નથી, તેથી વિવેકપર્વત ઉપર આરૂઢ નથી તોપણ સાત્ત્વિક પ્રકૃતિ હોવાને કારણે તેઓ મનુષ્યભવમાંથી Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ઉત્તરમાં દેવના ભવમાં જાય છે. વળી, આ સાત્ત્વિકમાનસ નગરમાં જ વિવેક નામનો પર્વત છે તેથી જે જીવો પ્રકૃતિથી સત્ત્વવાળા છે તેઓને ઉપદેશક આદિની પ્રાપ્તિ થાય કે કોઈક તેવા પ્રકારનું બાહ્ય નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે તેઓને વિવેક પ્રગટે છે. તેથી તે જીવો આ લોકમાં પણ ક્લેશ કેમ અલ્પ અલ્પતર થાય અને પરલોકમાં પણ અન્વેશને કારણે જ સુખની પરંપરા પોતાને પ્રાપ્ત થશે એવો નિર્ણય કરીને મનુષ્યભવમાં ઉચિત જીવવાની મનોવૃત્તિવાળા બને છે. અને વિવેક પ્રગટ્યા પછી જો તેઓ ઉત્તરોત્તર વિવેકની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે તો વિવેકપર્વત ઉપર તેઓનું આરોહણ થાય છે અર્થાત્ તે જીવો પોતાની બુદ્ધિ અનુસાર સંસારનું વાસ્તવિક સ્વરૂપ વિચારવા તત્પર થાય છે, જેનાથી તેઓને ચારગતિના પરિભ્રમણરૂપ ભવચક્ર અસાર જણાય છે. જેથી વારંવાર તે પરિભ્રમણની વિડંબનાથી આત્માના રક્ષણના ઉપાયનું ચિંતવન કરે છે અને જ્યારે સુગુરુ આદિનો યોગ થાય ત્યારે જૈનનગરને તેઓ પ્રાપ્ત કરે છે અર્થાત્ જિનતુલ્ય થવા માટે ઉચિત પ્રવૃત્તિ શું કરવી જોઈએ તેનો બોધ થવાથી અરિહંતનું પારમાર્થિક સ્વરૂપ જાણીને આ જ દેવ ઉપાસનીય છે; કેમ કે અરિહંતની જ ભક્તિથી રાગાદિ ક્લેશો નાશ પામે છે તેવો તેમને નિર્ણય થાય છે. અરિહંતના માર્ગાનુસાર ચાલનારા સુગુરુઓ સદા અંતરંગ મોહનાશ થાય તે રીતે સર્વ ઉચિત ક્રિયાઓ કરનારા છે, આથી જ સમિતિગુપ્તિ શુદ્ધ ક્રિયાઓને સેવીને તેઓ સદા આત્માને સુગુપ્ત રાખે છે, તેવો બોધ થવાથી તેવા જ ગુરુઓની ઉપાસના કરે છે અને સર્વજ્ઞએ કહેલો માર્ગ કષ-છેદ-તાપ શુદ્ધ છે તેવો નિર્ણય કરીને સ્વભૂમિકાનુસાર તે માર્ગનું સેવન કરે છે. તેઓ જૈનનગરમાં વસનારા છે; કેમ કે જિનની ઉપાસના કરીને અને જિનના માર્ગને સેવીને જિનતુલ્ય થવામાં શક્તિ અનુસાર અપ્રમાદથી યત્ન કરે છે. વળી તે જૈનપુરમાં વસીને વિવેક શિખર ઉપર આરૂઢ થયેલા તેઓ સતત સ્વભૂમિકાનુસાર કષાયોને ક્ષીણ કરીને પૂર્વપૂર્વ કરતાં અતિસુંદર થાય છે. વળી, જેઓ ભારેકર્મી જીવો છે તેઓને વિવેકપર્વત ઉપર રહેલું જૈનપુર દેખાતું નથી. આથી જ સ્કૂલ વ્યવહારથી જૈનમતની ક્રિયા કરનારા કે સાધ્વાચાર પાળનારા પણ જો વિવેક-યુક્ત થયેલા ન હોય તો જિનતુલ્ય થવાને અનુકૂળ અંતરંગ કોઈ પ્રવૃત્તિ કરતા નથી. માત્ર સ્વસ્વદર્શનના રાગવાળા જીવો સ્વસ્વદર્શનની ક્રિયામાં મૂઢમતિથી પ્રવર્તે છે તેમજ જિનમતની ક્રિયામાં પણ તેઓની મૂઢમતિ દૂર થતી નથી. આથી જ સાત્ત્વિકમાનસના જીવોને જ આ જેનપુર કોઈક રીતે પ્રાપ્ત થાય છે, અન્ય જીવોને ક્યારેય આ જૈનપુર પ્રાપ્ત થતું નથી. વળી સાત્ત્વિકમાનસમાં રહેનારા પણ જીવો જેઓ ભાવિના કલ્યાણને પામનારા છે, ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, સદા પ્રકૃતિથી સુંદર છે તેઓ જ આ મહાગિરિના સ્વરૂપને જાણે છે. જ્યાં સુધી જીવોમાં સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાનો વિવેક પ્રગટતો નથી ત્યાં સુધી જ સંસારી જીવો દારુણ દુઃખોથી આર્ત હોય છે અને જ્યારે તેઓને વિવેકપર્વત દેખાય છે ત્યારે તેઓને ચારગતિના પરિભ્રમણરૂપ ભવમાં મતિ રમતી નથી. આથી જ તેવા જીવો પોતાના ભૂતકાળના પુણ્ય અનુસાર કે પાપ અનુસાર જે પ્રકારના સર્વ સંયોગોને પામ્યા છે તે સંયોગમાં પણ વિવેકપૂર્વક સંસારના પરિભ્રમણના મૂળભૂત કષાયોનો ક્ષય કેમ થાય, ચિત્તમાં ક્લેશો કેમ અલ્પ થાય તેની જ પ્રધાનતા કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે જેથી તેવા જીવોના ચિત્તમાં પ્રાયઃ ક્લેશોના બંધુ અલ્પ અલ્પતર થાય છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વળી, જેઓ વિવેકરૂપી પર્વત ઉપર આરૂઢ છે તેઓને માત્ર વર્તમાનભવની દુનિયા દેખાતી નથી પરંતુ ભૂતકાળના થયેલા અનંત ભવો દેખાય છે. ભવિષ્યના અનંત ભવોની પ્રાપ્તિ દેખાય છે અને તેના અનર્થથી બચવાનો ઉપાય જિનવચનાનુસાર કરાયેલું ઉત્તમચિત્ત જ છે તેવો સ્થિર નિર્ણય થાય છે, અને સતત ચારગતિના પરિભ્રમણની વિડંબનાનું સ્મરણ કરીને તે સર્વના બીજભૂત કષાયોના ઢંઢોને ક્ષીણ કરવા જ તેઓ યત્ન કરે છે. તેથી તેવા જીવોને અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ સંયોગોમાં પ્રાયઃ ચિત્ત સ્વસ્થ હોવાથી સુખ જ વર્તે છે અને ભાવિની સુખની પરંપરા પણ તેઓને સહજ પ્રાપ્ત થાય છે. વળી, જેઓ ભગવાનના વચનનું અવલંબન લઈને યત્ન કરનારા છે તેઓના ચિત્તમાં મહામોહાદિ શત્રુઓ ઉપદ્રવો કરવા માટે પ્રાયઃ આવતા નથી. ક્યારેક તેઓ પ્રમાદવશ હોય ત્યારે કોઈ મહામોહાદિ શત્રુનો ઉપદ્રવ થાય તોપણ તે જીવો વિવેકના બળથી જાગૃત થઈને તે શત્રુઓનો શીધ્ર વિનાશ કરે છે. જેમ પર્વત ઉપર રહેલ પુરુષને શત્ર મારવા ઉપર આવે ત્યારે પર્વત ઉપર રહેલ તે પુરુષ સુખપૂર્વક પથ્થર આદિ દ્વારા તેને ઉપર ચઢતાં પછાડે છે તેમ અપ્રમત્તશિખર ઉપર રહેનારા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ સતત તે મહામોહાદિ શત્રુઓના ચૂરા કરે છે. તેથી કાયર એવા કષાયો-નોકષાયો તેમનાથી હંમેશાં ડરતા દૂર રહે છે. વળી, ઘણો સમય સંસારમાં ભટકતા જીવો સાત્ત્વિકપુરને પ્રાપ્ત કરે છે અને સાત્ત્વિકપુરને પામ્યા પછી પણ કોઈક રીતે વિવેકપર્વતને પ્રાપ્ત કર્યા વગર દેવાદિ ભવને પામે તોપણ પૂર્વના મલિન અભ્યાસને કારણે ફરી સાત્ત્વિકમાનસને છોડીને ક્લિષ્ટ માનસવાળા થાય છે અને ભવચક્રમાં પરિભ્રમણ કરે છે. વળી સાત્ત્વિકમાનસને પામ્યા પછી પણ ક્યારેક વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત થાય ત્યારે જ કોઈક જીવ વિવેકપર્વતને જુએ છે. જ્યારે મોટાભાગના જીવો સાત્ત્વિકમાનસને પામ્યા વગર સંસારમાં ભટકે છે અને સાત્ત્વિકમાનસ પામ્યા પછી પણ ફરી તુચ્છ માનસવાળા થઈને અનેક વખત ભવ-ચક્રમાં ફરે છે. આ રીતે સાત્ત્વિકમાનસ અને તુચ્છ માનસમાં ગમનાગમન કરીને ઘણો મલ અલ્પ થાય ત્યારે તે જીવને વિવેકપર્વત દેખાય છે. વળી વિવેકપર્વતને જોયા પછી પણ પ્રમાદી જીવો તેના ઉપર આરોહણ કરતા નથી. અર્થાત્ સ્વબુદ્ધિ અનુસાર ઉચિત તત્ત્વને જાણવા માટે યત્ન કરીને વિવેકની વૃદ્ધિ કરવા માટે યત્ન કરતા નથી. પરંતુ પ્રમાદવશ મનુષ્યભવને નિષ્ફળ કરીને ફરી ભવભ્રમણમાં ફરે છે. વળી કેટલાક સાત્ત્વિકમાનસને પામે છે. વિવેકપર્વતને જુએ છે, વિવેકની વૃદ્ધિ માટે પણ યત્ન કરે છે તોપણ અપ્રમત્તશિખરને જોવા સમર્થ થતા નથી. તેથી કઈ રીતે મનુષ્યભવમાં અપ્રમાદ કરીને મારે હિત સાધવું જોઈએ તેનું પોતાના સંયોગાનુસાર ઉચિત સમાલોચન કરતા નથી એવા જીવો વિવેકપર્વતને પામ્યા પછી પણ પ્રમાદને વશ મનુષ્યભવ પૂર્ણ કરીને ફરી સંસારચક્રમાં ફરે છે. વળી, કેટલાક જીવો વિવેકપર્વત ઉપર ચઢયા પછી કઈ રીતે અપ્રમાદભાવ કરવો જોઈએ તેનો બોધ કરે છે તોપણ પ્રમાદી સ્વભાવને કારણે સ્વભૂમિકાનુસાર ઉચિત યત્ન સ્વરૂપ અપ્રમાદને સેવતા નથી તેથી જિનતુલ્ય થવાના કારણભૂત જૈનનગરમાં તેઓ પ્રવેશ પામતા નથી. ફરી પ્રમાદવશ થઈને દુરંત સંસારમાં ભટકે છે. જ્યારે કેટલાક યોગ્ય જીવો અપ્રમત્તશિખરને જોયા પછી તેના ઉપર આરોહણ કરે છે ત્યારે તેઓને દેખાય છે કે જેનનગરમાં રહેલા મહાત્માઓ સદા સ્વ-ભૂમિકાનુસાર જે જે અનુષ્ઠાનો સેવે છે તે Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સર્વ દ્વારા સતત અપ્રમત્તતાના બળથી શત્રુઓને ક્ષીણ કરવામાં જ યત્નવાળા થાય છે. ક્વચિત્ નિમિત્તને પામીને તેઓના ચિત્તમાં કોઈક કષાયનો સ્પર્શ થાય તો પણ તેઓ પોતાના અપ્રમાદભાવના બળથી શીધ્ર તેને ક્ષણ કરવા યત્ન કરે છે. વળી, આવું જૈનપુર ભવચક્રમાં વિદ્યમાન હોવા છતાં જીવોને અત્યંત દુર્લભ છે અને જેઓને તે જૈનપુર પ્રાપ્ત થયું છે તેઓના ચિત્તમાં સતત આનંદની વૃદ્ધિ થાય છે; કેમ કે આ જૈનપુર જ સર્વગુણરૂપી રત્નોથી પૂર્ણ છે, સર્વ સુખોનું સ્થાન છે. આનાથી સારતર જગતમાં કોઈ વસ્તુ નથી; કેમ કે જેઓ જૈનનગરને પામીને પોતાના અપ્રમાદભાવના બળથી સ્વભૂમિકાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓ સતત મોક્ષ તરફ જવાના કૃતનિશ્ચયવાળા છે અને જ્યાં સુધી મોક્ષને ન પામે ત્યાં સુધી તેઓ ઉત્તમ દેવલોકમાં વસે છે. ફરી મનુષ્યભવને પામીને મોક્ષમાર્ગ તરફ જવા માટે અપ્રમાદથી યત્ન કરે છે તેથી જૈનપુરમાં વસનારા જીવોના અપ્રમાદવાળા વીર્યને જોઈને મહામોહાદિ અંતરંગ શત્રુઓ ભયને કારણે તેઓથી સદા દૂર રહે છે. ક્વચિત્ પ્રમાદવાળા તે જીવને જોઈને મહામોહાદિ શત્રુઓ ઉપદ્રવ કરે તો પણ અંતે તે મહાત્મા શત્રુઓનો નાશ કરે છે. શ્લોક : प्रकर्षणोदितं माम! नैतदेवं यतः क्वचित् । यथैव ते मया दृष्टा, भवचक्रनिवासिनः ।।६८।। શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું છે મામા ! આ તમે કહ્યું એ, એ પ્રમાણે નથી અર્થાત્ જૈનપુરમાં રહેનારા જીવોથી મહામોહાદિ શત્રુઓ ભય પામે છે એ પ્રમાણે નથી. જે કારણથી ક્યારેક જે પ્રમાણે જ તે ભવચક્રવાસી જીવો મારા વડે મહામોહાદિ ગ્રસ્ત જોવાયા. I૬૮ महामोहादिभिर्ग्रस्तास्तथैतेऽपि न संशयः । તે પ્રમાણે આ પણ=જેતપુરમાં વસતા લોકો પણ, મહામોહાદિથી ગ્રસ્ત જોવાયા છે. સંશય નથી. કઈ રીતે મહામોહાદિથી ગ્રસ્ત જોવાયા છે ? તે ‘તથાદિ' કહે છે – - નૈનાનાં પ્રશસ્તમૈચ્છતો હેતુ तथाहि-एतेष्वपि जैनलोकेषु दृश्यन्ते सर्वाण्यपि तत्कार्याणि, यस्मादेतेऽपि मूर्छन्ति भगवद्बिम्बेषु, रज्यन्ते स्वाध्यायकरणेषु, स्निह्यन्ति साधर्मिकजनेषु, प्रीयन्ते सदनुष्ठानेषु, तुष्यन्ति गुरुदर्शनेषु, हष्यन्ति सदर्थोपलम्भेषु, द्विषन्ति व्रतातिचारकरणेषु, क्रुध्यन्ति सामाचारीविलोपेषु, रुष्यन्ति प्रवचनप्रत्यनीकेषु, माद्यन्ति कर्मनिर्जरणेषु, अहङ्कुर्वन्ति प्रतिज्ञातनिर्वाहणेषु, अवष्टभ्नन्ति परीषहेषु, स्मयन्ते दिव्याद्युपसर्गेषु, गृहयन्ति प्रवचनमालिन्यं, वञ्चयन्तीन्द्रियधूर्तगणं, लुभ्यन्ति तपश्चरणेषु, गृध्यन्ति वैयावृत्त्याचरणेषु, अभ्युपपद्यन्ते सद्ध्यानयोगेषु, तृष्यन्ति परोपकारकरणेषु, निघ्नन्ति प्रमाद Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના चौरवृन्दं, बिभ्यति भवचक्रभ्रमणात्, जुगुप्सन्ते विमार्गचारितां, रमन्ते निर्वृतिनगरीगमनमार्गे, उपहसन्ति विषयसुखशीलतां, उद्विजन्ते शैथिल्याचरणात्, शोचन्ति चिरन्तनदुश्चरितानि, गर्हन्ते निजशीलस्खलितानि, निन्दन्ति भवचक्रनिवासं, आराधयन्ति जिनाज्ञायुवतिं प्रतिसेवन्ते द्विविधशिक्षाललनाम् । જેનોની પ્રશસ્તમૂર્છાદિમાં હેતુ આ પણ જૈન લોકોમાં સર્વ તેનાં કાર્યો મહામોહાદિનાં કાર્યો, દેખાય છે. જે કારણથી આ પણ= જેતપુરમાં વસનારા જીવો પણ, ભગવાનનાં બિમ્બોમાં મૂચ્છ કરે છે=ભગવાનનાં બિમ્બોને જોઈને હર્ષિત થાય છે. સ્વાધ્યાયકરણોમાં રાગ કરે છે. સાધર્મિકજીવોમાં સ્નેહ કરે છે. સદ્અનુષ્ઠાનોમાં પ્રીતિને કરે છે. ગુરુઓનાં દર્શનોમાં તોષ પામે છે. સ૮ર્થના ઉપલક્ષ્મમાં=શાસ્ત્રઅધ્યયન દ્વારા પારમાર્થિક સૂક્ષ્મ ભાવોની પ્રાપ્તિમાં, હર્ષિત થાય છે. વ્રતોના અતિચારોના સેવતમાં દ્વેષ કરે છે. સામાચારીના વિલોપમાં ક્રોધ કરે છે=કોઈક રીતે ભગવાને કહેલ શુદ્ધ સામાચારીનો લોપ થતો હોય ત્યારે તે વિલોપ કરનારા પ્રત્યે ક્રોધ કરે છે, પ્રવચન પ્રત્યેનીકોમાં રોષ કરે છે. કર્મની નિર્જરામાં મદ કરે છેઃ વિવેકપૂર્વક પોતે શુભઅનુષ્ઠાન સેવીને પોતાનામાં થયેલી ગુણવૃદ્ધિ દ્વારા અતુમેય એવી કર્મનિર્જરાને જોઈને મદ કરે છે અર્થાત્ અમે કૃતકૃત્ય છીએ એ પ્રકારની બુદ્ધિ કરે છે. પ્રતિજ્ઞાના નિર્વાહમાં અહંકાર કરે છે–પોતાની શક્તિ અનુસાર ઉચિત પ્રતિજ્ઞાઓ સ્વીકારેલી હોય અને તેનું સુવિશુદ્ધ પાલન થાય ત્યારે જેતપુરમાં રહેલા મહાત્માઓને અહંકાર થાય છે કે અમે કૃતકૃત્ય છીએ. પરિષહોમાં નિપ્રકંપ રહે છે–પરિષહો પ્રાપ્ત થાય ત્યારે મને નિર્જરાના ઉપાયોની પ્રાપ્તિ થઈ એ પ્રકારના બદ્ધરાગને કરે છે. દિવ્યાદિ ઉપસર્ગોમાં સ્મય કરે છે અર્થાત્ પોતાને સહ્ય હોય એવા ઉપસર્ગો પ્રાપ્ત થાય ત્યારે નિર્જરાના ઉપાયોની પ્રાપ્તિ થઈ એ પ્રકારે આનંદિત થાય છે. પ્રવચનમાલિત્યને ગોપવે છે. ઇન્દ્રિયરૂપી ધૂર્તગણને ઠગે છે–પોતે ઇન્દ્રિયને વશ થતા નથી પરંતુ ઇન્દ્રિયો ઠગનારી છે તેમ જાણીને વિવેકી જીવો ઇન્દ્રિયોને ઠગે છે. તપ-ચારિત્રમાં લોભ કરે છે. વૈયાવચ્ચની આચરણાઓમાં વૃદ્ધિ કરે છે. સધ્યાનના યોગોમાં યત્ન કરે છે. પરોપકાર કરવામાં તોષને પામે છે. પ્રમાદરૂપી ચોરના વૃંદને હણે છે. ભવચક્રના ભ્રમણથી ભય પામે છે. વિમાર્ગની ચારિતાની જુગુપ્સા કરે છે=ભગવાનના માર્ગથી વિપરીત આચરણા પ્રત્યે જુગુપ્સા કરે છે. મોક્ષનગરીના ગમતના માર્ગમાં રમે છે. વિષયની સુખશીલતાનો ઉપહાસ કરે છે કોઈક નિમિત્તે પોતાનામાં વિષયની સુખશીલતા દેખાય ત્યારે પોતાની તે અનુચિત આચરણા પ્રત્યે ઉપહાસ કરે છે અર્થાત્ હું મૂર્ખ છું કે જેથી આ રીતે મનુષ્યભવને વ્યર્થ કરું છું એ પ્રકારે ઉપહાસ કરે છે. શૈથિલ્ય આચરણાથી ઉદ્વેગ પામે છે=ભગવાનના વચનાનુસાર કરાતી ક્રિયામાં પોતાના શૈથિલ્ય ભાવને જોઈને ઉગ પામે છે. ચિરંતન દુઃચરિતોનો શોક કરે છે પૂર્વમાં સેવાયેલી ખરાબ આચરણાઓનું સ્મરણ કરીને શોક કરે છે. પોતાના શીલની સ્કૂલનાઓની ગઈ કરે છે. ભવચક્રના નિવાસને લિંદે છે. ભગવાનની આજ્ઞારૂપ સ્ત્રીની આરાધના કરે છે. બે પ્રકારની શિક્ષારૂપી સ્ત્રીને સેવે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदेवं सर्वकार्याणि, महामोहादिभूभुजाम् । एतेषु माम! दृश्यन्ते, जैनेषु सुपरिस्फुटम् ।।६९।। શ્લોકાર્ચ - હે મામા ! આ રીતે આ જિનના ઉપાસકોમાં મહામોહાદિ રાજાઓનાં સર્વ કાર્યો સુપરિક્રુટ દેખાય છે. II૬૯II. શ્લોક : तत्कथं भवता प्रोक्तमेवं सति ममाग्रतः । यथैते दूरतस्त्यक्ता, महामोहादिशत्रुभिः ।।७०।। શ્લોકાર્ય : તે કારણથી આમ હોતે છતે મારી આગળ તમારા વડે કેમ કહેવાયું. જે પ્રમાણે મહામોહાદિ શત્રુઓથી આ=જેનપુરમાં વસતા લોકો, દૂરથી ત્યાગ કરાયા છે. ll૭ || શ્લોક : विमर्शेनोदितं वत्स! य एते भवतोदिताः । महामोहादयस्तेऽन्ये, वत्सला जैनबान्धवाः ।।७१।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! તારા વડે જે આ મહામોહાદિ કહેવાયા, તે અન્ય વત્સલ જેનોના બાંધવો છે. ll૭૧TI શ્લોક : एते हि द्विविधा वत्स! महामोहादयो मताः । एकेऽरयोऽत्र जन्तूनामपरेऽतुलबान्धवाः ।।७२।। શ્લોકાર્થ :દિક કારણથી, હે વત્સ ! આ મહામોહાદિ બે પ્રકારના મનાયા છે. અહીં=ભવચક્રમાં, એક શત્રુઓ છે. બીજા જંતુઓના અતુલ બાંધવો છે. I૭૨ાા શ્લોક : યત:प्रथमा भवचक्रेऽत्र, पातयन्ति सदा जनम् । अप्रशस्ततया तेषां, प्रकृतिः खलु तादृशी ।।७३।। Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - જે કારણથી પ્રથમ પ્રકારના મહામોહાદિ સદા લોકને આ ભવચક્રમાં પાડે છે. અપ્રશસ્તિતપણાથી તેઓની પ્રથમ પ્રકારના મહામોહાદિની, તેવી પ્રકૃતિ છે જીવોને ભવચક્રમાં પાડે તેવી પ્રકૃતિ છે. II૭૩ll. શ્લોક : इतरे निर्वृतिं लोकं, नयन्ति निकटे स्थिताः । प्रशस्तास्ते यतस्तेषां, प्रकृतिः साऽपि तादृशी ।।७४।। શ્લોકાર્ચ - નિકટમાં રહેલા બીજા પ્રકારના મહામોહાદિ લોકને મોક્ષમાં લઈ જાય છે. જે કારણથી તેઓની પ્રકૃતિ પ્રશસ્ત છે. તે પણ તેવી છે=જીવને મોક્ષમાં લઈ જાય તેવી છે. II૭૪ll શ્લોક : तदेते शत्रुभिस्त्यक्ता, बन्धुभिः परिवेष्टिताः । महामोहादिभिर्वत्स! मोदन्ते जैनसज्जनाः ।।७५ ।। શ્લોકાર્ય : હે વત્સ ! તે કારણથી શત્રુઓથી ત્યાગ કરાયેલા, બંધુ એવા મહામોહાદિથી ઘેરાયેલા આ જેનસજ્જનો આનંદને પામે છે. II૭૫II બ્લોક : વખ્યअमी सकलकल्याणभाजिनो जैनसज्जनाः । निवेदिता मया तुभ्यमधुना शृणु मण्डपम् ।।७६।। શ્લોકાર્ચ - અને આ રીતે સકલકલ્યાણને ભોગવનારા આ જેનસજ્જનો મારા વડે તને નિવેદિત કરાયા. હવે તું મંડપને સાંભળ. ll૭૬ll चित्तसमाधानमण्डपः निःस्पृहतावेदिका શ્લોક : अयं चित्तसमाधानो, मण्डपः सर्वदेहिनाम् । संप्राप्तः कुरुते सौख्यमतुलं निजवीर्यतः ।।७७।। Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ચિત્તસમાધાનમંડપ (તથા) નિઃસ્પૃહતાવેદિકા શ્લોકાર્ચ - આ ચિત્તસમાધાન નામનો મંડપ સર્વ જીવોને સંપ્રાપ્ત થયેલો નિજ વીર્યથી અતુલ સોગને કરે છે. ll૭૭ી. શ્લોક : अस्यैव भूपतेर्नूनमास्थानार्थं विनिर्मितः । वेधसा त्रिजगद्बन्धोरादरादेष मण्डपः ।।७८।। શ્લોકાર્ચ - ખરેખર આ જ ત્રણ જગતના બંધુ એવા રાજાના બેસવા માટે ભાગ્ય વડે આદરથી આ મંડપ નિર્માણ કરાયો છે=જેઓનું ચિત્ત સમાધાનવાળું છે તેઓનાં જ ચિત્તમાં ભાવથી ભગવાન રહેલા છે. I૭૮l શ્લોક : नास्त्येव भवचक्रेऽत्र, सुखगन्धोऽपि सुन्दर! । यावच्चित्तसमाधानो, नैष संप्राप्यते जनैः ।।७९।। બ્લોકાર્ધ : હે સુંદર ! આ ભવચક્રમાં સુખની ગંધ પણ નથી જ, જ્યાં સુધી આ ચિત્તનું સમાધાન લોકો વડે પ્રાપ્ત ન કરાય. II૭૯ll. શ્લોક : तदेष लेशतो वत्स! वर्णितो वरमण्डपः । एषा निःस्पृहता नाम, वेदिका ते निवेद्यते ।।८।। શ્લોકાર્ચ - તે કારણથી=જે કારણથી, ચિત્તના સમાધાન વગર જીવને સુખની ગંધ નથી તે કારણથી, હે વત્સ ! આ વરમંડપ લેશથી વર્ણન કરાયો. આ નિઃસ્પૃહતા નામની વેદિકા તને નિવેદન કરાય છે. IIcell બ્લોક : ये लोका वेदिकां वत्स! स्मरन्त्येनां पुनः पुनः । तेषां शब्दादयो भोगाः, प्रतिभान्ति विषोपमाः ।।८१।। Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : હે વત્સ ! જે લોકો ફરી ફરી આ વેદિકાનું સ્મરણ કરે છે તેઓને શબ્દાદિ ભોગો વિષની ઉપમા જેવા પ્રતિભાસ થાય છે. ll૧] શ્લોક : न तेषु वर्तते चित्तं, क्षीयते कर्मसञ्चयः । जायन्ते निर्मलत्वेन, भवचक्रपराङ्मुखाः ।।८२।।। શ્લોકાર્ચ - તેઓમાં વિષયોમાં, ચિત્ત વર્તતું નથી. કર્મસંચય ક્ષય પામે છે. નિર્મલપણાથી કર્મનાશ થવાને કારણે થયેલા નિર્મલપણાથી, ભવચક્રને પરાભુખ થાય છે. ll૮૨ાાં શ્લોક : येषामेषा स्थिता चित्ते, धन्यानां वत्स! वेदिका । नेन्द्रैर्न देवैर्नो भूपैर्नान्यैस्तेषां प्रयोजनम् ।।८३।। શ્લોકાર્થ : ધન્ય એવા જેઓના ચિત્તમાં આકનિઃસ્પૃહતા વેદિકા, સ્થિત છે. હે વત્સ ! ઈન્દ્રોથી તેઓને પ્રયોજન નથી. દેવોથી તેઓને પ્રયોજન નથી. રાજાઓથી તેઓને પ્રયોજન નથી. અન્યથી તેઓને પ્રયોજન નથી. II૮all બ્લોક : एषाऽपि नूनमस्यैव, निविष्टा वरभूपतेः । आस्थानार्थं विधात्रेति, वत्स! सुन्दरवेदिका ।।८४।। શ્લોકાર્ચ - હે વત્સ ! ખરેખર આ જ શ્રેષ્ઠ ભૂપતિના તીર્થકરના, બેસવા માટે વિધાતાથી આ સુંદર વેદિકા નિવેશ કરાઈ છેકચિત્તસમાધાનમંડપમાં સ્થાપન કરાઈ છે=જેઓના ચિત્તમાં નિઃસ્પૃહતા છે તેઓના જ ચિતમાં પરમગુરુ વસે છે. ll૮૪ll जीववीर्यविष्टरम् શ્લોક : इयं निःस्पृहता तात! वर्णिता ते सुवेदिका । जीववीर्यमिदं नाम, साम्प्रतं शृणु विष्टरम् ।।८५।। Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ જીવવીર્યરૂપ સિંહાસન શ્લોકાર્થ : હે તાત પ્રકર્ષ ! આ નિઃસ્પૃહતા સુવેદિકા તને વર્ણન કરાઈ. આ જીવવીર્ય નામનું વિક્ટર હવે સાંભળ. II૮૫ll. શ્લોક : जीववीर्यमिदं येषां, परिस्फुरति मानसे । . સુવમેવ પર તેષાં, સુવાનામુવ: પુતઃ ? પાટદ્દા શ્લોકાર્થ : જેઓના માનસમાં આ જીવવીર્ય પરિફુરણ થાય છે તેઓને કેવલ સુખ જ છે. દુઃખોનો ઉદ્ધવ ક્યાંથી હોય ? ll૮૬ll શ્લોક : अयं हि राजा दीप्ताङ्गो दृश्यते यश्चतुर्मुखः । निविष्टोऽत्र जगबन्धुदत्तास्थानो मनोरमः ।।८७।। શ્લોકાર્ય : હિં=જે કારણથી, જગતબંધુ એવા આ રાજા, દીપ્ત અંગવાળા, જે ચતુર્મુખ દેખાય છે, ભરાયેલી સભાવાળા, મનોરમ એવા તે અહીં=જીવવીર્ય આસન ઉપર બેઠેલા છે=જેઓનું જીવવીર્ય સદા જિનના ગુણોનું સ્મરણ કરે છે તેઓના ચિત્તમાં સદા ભગવાન રહેલા છે. II૮૭ી શ્લોક : यः शुभ्रः परिवारोऽस्य, यद्राज्यं या विभूतयः । यच्चातुलं महत्तेजो, विष्टरं तत्र कारणम् ।।८८।। શ્લોકાર્ચ - આનોકત્રિજગતબંધુનો, જે શુભ્ર પરિવાર છે. જે રાજ્ય છે, જે વિભૂતિઓ છે, જે અતુલ મહાન તેજ છે ત્યાં ત્રિજગતબંધુના તે સર્વમાં કારણ વિન્ટર છે=જીવવીર્યરૂપ આસન છે. II૮૮l. શ્લોક : किं चात्र बहुनोक्तेन? पुरं लोका महागिरिः । शिखरं सत्पुरं लोका, मण्डपो वरवेदिका ।।८९।। Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્ચ - અહીં=જીવવીર્ય સિંહાસનના વિષયમાં, વધારે શું કહેવું? પુર=સાત્વિકમાનસરૂપ પુર, લોકોનું સાત્વિકમાનસમાં વર્તતા લોકો, મહાગિરિ=વિવેક નામનો પર્વત, શિખરઅપ્રમત્ત નામનું શિખર, સપુરજૈનપુર, લોકો=જૈનપુરમાં વર્તતા લોકો, મંડપ=ચિત્તસમાધાન નામનો મંડપ, વરવેશિકાર નિઃસ્પૃહતા નામની વરવેદિકા, Icell શ્લોક : राजाऽयं सह सैन्येन, राज्यं भुवनसुन्दरम् । जगत्श्रेष्ठमिदं सर्वं, माहात्म्येनास्य नन्दति ।।१०।। શ્લોકાર્ચ - આ રાજા=ચારમુખવાળા ભગવાન, સૈન્ય સહિત ભવનમાં સુંદર એવું રાજ્ય, જગતમાં પ્રશંસા કરાયેલું આ સર્વ આના માહાભ્યથી જીવવીર્ય નામના વિક્ટરના માહાભ્યથી, શોભે છે. II૯oll શ્લોક : तथाहियद्येतन भवत्यत्र, जीववीर्यं वरासनम् । મદામોદરમિઃ સર્વ, વિટું પરિમૂવે પાર શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – અહીં નિઃસ્પૃહતા નામની વેદિકામાં, જો આ જીવવીર્ય વરાસન ન હોય તો આ સર્વ=શ્લોક-૮૯, ૯૦માં પુર લોક વગેરે સર્વ કહ્યા એ સર્વ, મહામોહાદિ વડે પરાભવ કરાય છે. II૯૧II શ્લોક - विद्यमाने पुनर्वत्स! जीववीर्यवरासने । महामोहादयो नैव, प्रविशन्त्यत्र मण्डपे ।।१२।। શ્લોકાર્ચ - વળી, હે વત્સ ! જીવવીર્ય વરાસન વિધમાન હોતે છતે આ મંડપમાં=ચિતસમાધાન નામના મંડપમાં, મહામોહાદિ પ્રવેશ કરતા નથી જ. ll૯૨ાાં Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૪૫ શ્લોક : अन्यच्चक्वचित्तिरस्कृतं तात! महामोहादिभिर्बलम् । મવર્મવત્યેવ, નીવવીર્યમાવત: રૂા. શ્લોકાર્ચ - અને બીજું હે તાત! પ્રકર્ષ!મહામોહાદિ વડે ક્યારેક તિરસ્કાર કરાયેલું આ બળ=મહામોહાદિથી તિરસ્કાર કરાયેલું ચારિત્રનું સૈન્ય, જીવવીર્યના પ્રભાવથી આવિર્ભાવ થાય જ છે. Il૯all શ્લોક : इदं सिंहासनं वत्स! यावदत्र प्रकाशते । तावद्धि सर्वतोभद्रं, राजा सैन्यं गिरिः पुरम् ।।१४।। શ્લોકાર્ચ - હે વત્સ ! જ્યાં સુધી અહીં ચિત્તસમાધાનમંડપમાં, આ સિંહાસન પ્રકાશમાન છે=જીવવીર્યરૂપ સિંહાસન પ્રકાશમાન છે, ત્યાં સુધી રાજા=ચારિત્ર રાજા, સૈન્ય ચારિત્રનું સૈન્ય, ગિરિ=વિવેકપર્વત, પુર=જેનપુર સર્વથી ભદ્ર પ્રકાશમાન છે. II૯૪ll શ્લોક : तदिदं वर्णितं वत्स! जीववीर्यवरासनम् । परिवारयुतो राजा, साम्प्रतं ते निवेद्यते ।।९५।। શ્લોકાર્ય : હે વત્સ! તે આ જીવવીર્ય શ્રેષ્ઠ આસન વર્ણન કરાયું. પરિવાર યુક્ત રાજા હવે તને બતાવાય છે. IMલ્પા भावार्थाऽवबोधः प्रकर्षेण चिन्तितं-अये! यान्येतानि प्रतिपादितान्यनेन मे वस्तूनि तेषामेष भावार्थो मम स्फुरति हृदये यदुत ભાવાર્થનો અવબોધ પ્રકર્ષ વડે વિચારાયું. અરે ! જે આ વસ્તુઓ મને આના વડે વિમર્શ વડે, પ્રતિપાદન કરાઈ તેનો આ ભાવાર્થ મારા હૃદયમાં સ્ટ્રણ થાય છે. જે ‘કુતથી બતાવે છે – Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अकामनिर्जरापेक्षं, जन्तुवीर्यं यदुत्कटम् । मिथ्यादृष्टेविना ज्ञानं, तद्धि सात्त्विकमानसम् ।।१६।। શ્લોકાર્ય : અકામનિર્જરાના અપેક્ષાવાળું, મિથ્યાદૃષ્ટિના જ્ઞાન વગરનું જે ઉત્કટ જંતુવીર્ય છે=જીવનું વીર્ય છે, તે સાત્વિકમાનસ છે. TI૯૬ll. શ્લોક - ये तेन संयुता लोका, वास्तव्यास्ते प्रकीर्तिताः । त एव तत्प्रभावेण, प्रयान्ति विबुधालये ।।१७।। શ્લોકાર્થ : તેના વડે સંયુક્ત જે લોકો વાસ્તવ્ય છે સાત્વિકમાનસથી યુક્ત જે લોકો વાસ્તવ્ય છે, તેઓ કહેવાયા છે સાત્વિકપુરમાં રહેનારા લોકો કહેવાયા છે. તેઓ જ તેના પ્રભાવથી સાત્વિકમાનસરૂપ નગરના પ્રભાવથી વિબુધાલયમાં જાય છે. II૯૭ળા શ્લોક : धनपुत्रकलत्रादेः, शरीरात्कर्मणस्तथा । अन्योऽहं भेदतो दुष्टा, महामोहादिशत्रवः ।।९८ ।। ज्ञातजैनसिद्धान्ते, कर्मनिर्जरणाज्जने । या स्यादेवंविधा बुद्धिः, स विवेक इहेष्यते ।।१९।। युग्मम्।। શ્લોકાર્થ : ધન, પુત્ર, કલત્રાદિથી, શરીરથી અને કર્મથી ભેદ હોવાને કારણે અન્ય હું છું. મહામોહાદિ શત્રુઓ દુષ્ટ છે. કર્મની નિર્જરાને કારણે જ્ઞાત જેન સિદ્ધાંતવાળા જીવમાં આવા પ્રકારની જે બુદ્ધિ થાય તે અહીં વિમર્શના કથનમાં, વિવેક ઈચ્છાય છે. ll૯૮-૯૯ll શ્લોક : विवेकादप्रमत्तत्वं, कषायादिनिवर्तने । यद् भवेल्लघुदोषाणां, शिखरं तदुदाहृतम् ।।१००।। શ્લોકાર્ચ - લઘુદોષવાળા જીવોના વિવેકને કારણે કષાયાદિથી નિવર્તનમાં જે અપ્રમતપણું છે તે શિખર કહેવાયું. ll૧૦ || Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : चतुर्वर्णमहासङ्घप्रमोदपरकारणम् । द्वादशाङ्गं पुनर्जेनं, वचनं पुरमुच्यते ।।१०१।। શ્લોકાર્ચ - ચતુર્વર્ણરૂપ મહાસંઘને પ્રમોદમાં તત્પર થવાનું કારણ દ્વાદશાંગરૂપ જૈનવચન વળી પુર કહેવાય છે. ll૧૦૧] શ્લોક : वास्तव्यका जनास्तत्र, ये तदादेशकारिणः । त एव च चतुर्वर्णा, यथोक्तगुणभूषणाः ।।१०२।। શ્લોકાર્ય : ત્યાં તે પુરમાં, જે વાસ્તવ્ય લોકો છે તે જ તેના આદેશના કરનારા=જેનવચનના આદેશને કરનારા યથાઉક્ત ગુણના ભૂષણવાળા ચતુર્વર્ણ છે=શાસ્ત્રમાં કહેલા ગુણોના ભૂષણવાળા સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વર્ણ છે. ll૧૦રા શ્લોક : एष एव च सारोऽत्र, यथार्थो वरमण्डपः । યત: विना चित्तसमाधानं, पुरमेतन्न शोभते ।।१०३।। શ્લોકાર્ચ - અને આ જ અહીં=જેનપુરમાં, યથા અર્થવાળો વરમંડપ=ચિત્તસમાધાનમંડપ સાર છે. જે કારણથી ચિત્તસમાધાન વગર આ પુર=જેનપુર, શોભતું નથી. ll૧૦૩ શ્લોક : वेदिका चासनं चेदं, कथितं प्रकटाक्षरैः । यथार्थमेव विज्ञेयमिदं द्वितयमञ्जसा ।।१०४।। શ્લોકાર્ચ - અને વેદિકા=નિઃસ્પૃહતારૂપ વેદિકા, અને આ આસન જીવવીર્યરૂપ આસન, પ્રકટ અક્ષરો વડે કહેવાયેલું યથાર્થ જ આ બે શીઘ જાણવું. ll૧૦૪ll Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततो येन मया सर्वमिदं भावार्थसंयुतम् । बुद्धं सोऽहं नृपं सैन्यं, भोत्स्ये नास्त्यत्र संशयः ।।१०५।। શ્લોકાર્ચ - તેથી જે કારણથી સર્વ આ મારા વડે વિમર્શ વડે, ભાવાર્થસંયુક્ત બોધ કરાયો. તે હું રાજાનો, સેન્ચનો બોધ કરીશ એમાં રાજાનો-સૈન્યનો બોધ થશે એમાં, સંશય નથી. ll૧૦પી. चारित्रधर्मराजवर्णनं दानादीनि वक्त्राणि શ્લોક : ततश्चबोधावष्टम्भतुष्टात्मा, स प्राह निजमातुलम् । माम! वर्णय राजानं, येनाहमवधारये ।।१०६।। ચારિત્રધર્મરાજાનું વર્ણન તેના દાનાદિ મુખો શ્લોકાર્ચ - અને ત્યારપછી બોધના નિર્ણયથી તુષ્ટ થયેલો તે=પ્રકર્ષ, પોતાના મામાને=વિમર્શને, કહે છે. હે મામા ! રાજાનું વર્ણન કરો. જેથી હું અવધારણ કરું. ll૧૦૬ll શ્લોક : ततस्तन्मातुलेनोक्तं, वत्स! योऽयं नराधिपः । लोके चारित्रधर्मोऽयं, प्रसिद्धोऽत्यन्तसुन्दरः ।।१०७।। શ્લોકાર્ય : ત્યારપછી તેના મામા વડે કહેવાયું. હે વત્સ ! લોકમાં જે આ રાજા છે. આ ચારિત્રધર્મ અત્યંત સુંદર પ્રસિદ્ધ છે. ll૧૦૭ll શ્લોક : अनन्तवीर्यो विख्यातः, प्रगुणो जगते हितः । સમૃદ્ધ શતામ્યાં , સેવ: સર્વUT : ૨૦૮ શ્લોકાર્થ : અનંતવીર્યવાળો, વિખ્યાત, પ્રકૃષ્ટ ગુણવાળો, જગતને માટે, હિત, કોશદંડથી સમૃદ્ધ સર્વ ગુણોનું ખાણ જાણવો. II૧૦૮ll Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यान्यस्य वत्स! दृश्यन्ते, चत्वारि वदनानि भोः।। तेषां नामानि ते वक्ष्ये, वीर्याणि च निबोध मे ।।१०९।। શ્લોકાર્ચ - હે વત્સ ! આનાં-ચારિત્રધર્મનાં, જે ચાર મુખો દેખાય છે તેનાં નામોને અને વર્યોને હું તને કહીશ. મને સાંભળ. II૧૦૯ll શ્લોક : दानं शीलं तपस्तात! चतुर्थं शुद्धभावनम् । एतानि ननु वक्त्राणां, नामान्येषां यथाक्रमम् ।।११०।। શ્લોકાર્ય : હે તાત ! પ્રકર્ષ ! દાન, શીલ, તપ, ચોથું શુદ્ધ ભાવન. ખરેખર આમનાં-ચારિત્રનાં, યથાક્રમ આ મુખોનાં નામો છે. ll૧૧૦ll શ્લોક : तत्राद्यं दापयत्यत्र, पात्रेभ्यो जैनसत्पुरे । सज्ज्ञानं मोहनाशार्थमभयं जगतः प्रियम् ।।१११ ।। શ્લોકાર્ધ : ત્યાં=ચાર મુખોમાં, આઘ=દાન, આ જેનસપુરમાં પાત્ર જીવોને મોહનાશ માટે સજ્ઞાન અપાવે છે. જગતને પ્રિય અભય અપાવે છે. ll૧૧૧II શ્લોક : તથા– सद्धर्माधारदेहानां, यदुपग्रहकारणम् । आहारवस्त्रपात्रादि, दीयतामिति भाषते ।।११२।। શ્લોકાર્ચ - અને સદ્ધર્મના આધારવાળો દેહ છે જેમને એવા મુનિઓને જે ઉપગ્રહનું કારણ આહારવસ્ત્રપાત્રાદિ તેને આપો એ પ્રમાણે બોલે છે દાનધર્મ બોલે છે. ૧૧રો બ્લોક : दीनान्धकृपणेभ्यश्च, दीयमानं कृपापरैः । आहारादिकमेतद् भो! वदनं न निषेधति ।।११३।। Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ તાવ શ્લોકાર્થ : હે પ્રકર્ષ ! દીન, અંધ, કૃપણોને કૃપાપર એવા જીવોથી અપાતા એવા આહારાદિકને આ મુખ= ચારિત્રનું દાન નામનું મુખ, નિષેધ કરતું નથી. II૧૧૩. શ્લોક : गवाश्वभूमिहेमानि, यच्चान्यदपि तादृशम् । तनेच्छति गुणाभावाद्दीयमानमिदं मुखम् ।।११४।। શ્લોકાર્ચ - ગાય, અશ્વ, ભૂમિ, સોનું અને જે અન્ય પણ તેવા પ્રકારનું ગાય, અશ્વાદિ જેવું અપાતું, દાન છે તેને આ મુખ દાન નામનું મુખ, ગુણના અભાવને કારણે ઈચ્છતું નથી. II૧૧૪ો. શ્લોક : अन्यच्चसदाशयकरं वक्त्रमाग्रहच्छेदकारकम् । इदं जगति लोकानामनुकम्पाप्रवर्तकम् ।।११५ ।। શ્લોકાર્ધ : અને બીજું સદાશયને કરનારું, જગતમાં લોકોની અનુકંપાનું પ્રવર્તક આગ્રહના છેદનું કારકત્ર ભોગતૃષ્ણારૂપ આગ્રહના છેદનું કારક, આ દાન નામનું મુખ છે. સમ્યગ્દષ્ટિ જીવો બીજાધાનનું કારણ બને તેવું જે અનુકંપાદાન કરે છે તેનું પ્રવર્તક આ મુખ છે. ll૧૧૫ll શ્લોક : दानाख्यं तदिदं भद्र! वर्णितं प्रथमं मुखम् । भूपतेरस्य शीलाख्यं, द्वितीयमधुना शृणु ।।११६।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! તે આ ભૂપતિનું પ્રથમ મુખ–દાન નામનું મુખ, વર્ણન કરાયું. શીલ નામનું બીજું હવે તું સાંભળ. ll૧૧૬ll શ્લોક : य एते साधवो वत्स! वर्तन्ते जैनसत्पुरे । यदिदं भाषते वक्त्रं, तत्ते सर्वं प्रकुर्वते ।।११७ ।। Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : હે વત્સ પ્રકર્ષ ! જે આ સાધુઓ જૈનસપુરમાં વર્તે છે, જે આ મુખ બોલે છે તે સર્વ તેઓ કરે છે=સાધુઓ કરે છે. ll૧૧૭ી શ્લોક : अष्टादश सहस्राणि, नियमानां नरोत्तमाः । अस्याऽऽदेशेन कुर्वन्ति, सदैते वत्स! साधवः ।।११८ ।। શ્લોકાર્ય : શું કરે છે ? એ સ્પષ્ટ કરે છે – નરોત્તમ એવા આ સાધુઓ નિયમોના અઢાર હજાર આના આદેશથી=શીલ નામના મુખના આદેશથી, હે વત્સ ! સદા કરે છે. ll૧૧૮ll શ્લોક : इदमेव हि सर्वस्वमिदमेव विभूषणम् । इदमालम्बनं वत्स! साधूनां शीलमुत्तमम् ।।११९ ।। શ્લોકાર્ચ - હે વત્સ! આ જ સર્વસ્વ છે. આ જ ભૂષણ છે. આ ઉત્તમશીલ સાધુઓને આલંબન છે. ll૧૧૯II શ્લોક : तेभ्यः संपूर्णमादेशं, सुखमेतत्प्रयच्छति । किञ्चिन्मानं प्रकुर्वन्ति, वचोऽस्य मुनिशेषकाः ।।१२० ।। શ્લોકાર્ય : તેઓને=સુસાધુઓને, આ=શીલ નામનું મુખ, સંપૂર્ણ સુખ આપે છે=વર્તમાનમાં સુખરૂપ અને સુખની પરંપરાનું કારણ એવું સંપૂર્ણ સુખ આપે છે. આનું વચન શીલ નામના મુખનું વચન, મુનિશેષકોકમુનિ થવાની ઇચ્છાવાળા શ્રાવકો કે સમ્યગ્દષ્ટિ કે સંવિગ્નપાક્ષિક સાધુઓ કિંચિત્ માત્ર કરે છે. ||૧૨|| શ્લોક : शीलाख्यं वदनं वत्स! तदिदं वर्णितं मया । तृतीयं तु तपोनाम, वदनं तन्निबोध मे ।।१२१।। શ્લોકાર્ચ - હે વત્સ ! શીલ નામનું તે આ વદન મારા વડે વર્ણન કરાયું. વળી, તપ નામનું ત્રીજું વદન છે તે મને તું સાંભળ. II૧૨૧ll Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : चारित्रधर्मराजस्य, वक्त्रमेतन्मनोहरम् । आकाङ्क्षार्त्तिविनाशेन, जनेऽत्र कुरुते सुखम् ।।१२२।। શ્લોકાર્ચ - ચારિત્રધર્મરાજાનું આ મનોહર મુખ આકાંક્ષાના આર્તિના વિનાશથી અહીં=જૈનશાસનમાં રહેલા લોકોમાં, સુખને કરે છે. ll૧૨ી. શ્લોક : विशिष्टज्ञानसंवेगशमसातकरं परम् । तपःसंज्ञमिदं वक्त्रमव्याबाधसुखावहम् ।।१२३।। શ્લોકાર્ચ - પ્રકૃષ્ટ એવા વિશિષ્ટ જ્ઞાનથી, સંવેગથી, અને શમથી થનારી શાતાને કરનારું તપ સંજ્ઞાવાળું આ મુખ અવ્યાબાધ સુખને લાવનારું છે. ll૧૨all શ્લોક : इदमस्य नरेन्द्रस्य, वदनं वीक्ष्य सज्जनाः । आराध्य च महासत्त्वा, निर्वृतिं यान्ति लीलया ।।१२४।। શ્લોકાર્ચ - આ નરેન્દ્રનું આ મુખ જોઈને અને આરાધના કરીને મહાસત્ત્વશાળી એવા સજ્જનો લીલાપૂર્વક નિવૃતિને પામે છે. I૧૨૪ll શ્લોક : तदिदं ते तपोनाम, भूपतेर्वदनं मया । कथितं साम्प्रतं वक्ष्ये, चतुर्थं शुद्धभावनम् ।।१२५ ।। શ્લોકાર્ધ : તે આ તપ નામનું ભૂપતિનું મુખ મારા વડે તને કહેવાયું. હવે ચોથું શુદ્ધભાવન નામનું મુખ હું કહીશ. II૧૨૫ બ્લોક : स्मृतं निरीक्षितं भक्त्या, सज्जनैरिदमञ्जसा । निःशेषपापसङ्घातदलनं कुरुते मुखम् ।।१२६ ।। Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૫૩ श्लोकार्थ: સજ્જનો વડે ભક્તિથી સ્મરણ કરાયેલું, જોવાયેલું આ મુખ=ભાવ નામનું મુખ, નિઃશેષ પાપના સમૂહના દલનને શીઘ કરે છે. II૧૨૬ टोs: अस्यादेशादिमे जैना, भावयन्तीह सज्जनाः । समस्तवस्तुविस्तारमतितुच्छं विनश्वरम् ।।१२७।। नास्तीह शरणं लोके, दुःखपीडितदेहिनाम् । एकश्च जायते जन्तुम्रियते च भवोदधौ ।।१२८ ।। यदिदं देहिनां किञ्चिच्चित्ताबन्धविधायकम् । शरीरं धनमन्यद्वा, सर्वं तद्भिन्नमात्मनः ।।१२९।। मूत्रान्त्रक्लेदजम्बालपूरितं च कलेवरम् । तदत्रात्यन्तबीभत्से, शुचिगन्धो न विद्यते ।।१३०।। माता भूत्वा पुनर्भार्या, भवत्यत्र भवोदधौ । कर्मास्रवो भवत्येव, पापानुष्ठानकारिणाम् ।।१३१ ।। निवृत्तानां सदाचाराज्जायते वरसंवरः । तपसा तु भवत्येव, सततं कर्मनिर्जरा ।।१३२।। मृता जाताश्च सर्वेऽपि सर्वस्थानेषु जन्तवः । भक्षितानि च सर्वाणि रूपिद्रव्याणि जन्तुना ।।१३३।। संसारसागरोत्तारकारकश्च जिनोदितः । धर्मः सुदुर्लभा चात्र, बोधिः सर्वज्ञदर्शने ।।१३४।। अष्टभिः कुलकम्।। लोकार्थ: આના આદેશથી ભાવ રૂપ મુખના આદેશથી, આ જૈન સજજનો અહીં=જેનસપુરમાં, ભાવન 5 छ. शुंभावन 52 छ ? ते जता छ – समस्त वस्तुनो विस्तार=धन, वैभव, स्वानो વગેરે સમસ્ત વસ્તુનો વિસ્તાર, અતિતુચ્છ વિનશ્વર છે. અહીં લોકમાં દુઃખથી પીડિત જીવોને શરણ નથી=બાહ્ય વસ્તુઓ શરણ નથી. ભવરૂપી સમુદ્રમાં એકલો જીવ જન્મે છે અને મરે છે. દેહીઓને જે આ કંઈ ચિતના આબંધને કરનારું સ્નેહને કરનારું, શરીર, ધન કે અન્ય સર્વ તે આત્માથી ભિન્ન છે. મૂત્ર, અંક=આંતરડા, ક્લેદના જખાલથી પૂરિત એવું ક્લેવર છે. તે કારણથી અત્યંત બીભત્સ એવા આમાં ક્લેવરમાં, શુચિનો ગંધ વિધમાન નથી. આ ભવોદધિમાં માતા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ થઈને ફરી પત્ની થાય છે. પાપ અનુષ્ઠાનકારી જીવોને કર્મનો આસ્રવ થાય જ છે. સદાચારને કારણે નિવૃત્ત એવા જીવોને=પાપથી નિવૃત્ત એવા જીવોને, શ્રેષ્ઠ સંવર થાય છે. તપથી વળી સતત કર્મનિર્જરા થાય જ છે. સર્વ સ્થાનોમાં, સર્વ પણ જીવો મર્યા અને જમ્યા. જંતુ વડે સર્વ રૂપી દ્રવ્યો ભક્ષણ કરાયા. સંસારસાગરના ઉત્તારને કરનારો જિનોદિત ધર્મ છે અને આ સર્વજ્ઞદર્શનમાં બોધિ સુદુર્લભ છે. ll૧૨૭થી ૧૩૪ll શ્લોક : ये चैवं भावयन्त्यत्र, श्रद्धासंशुद्धबुद्धयः । आदेशं वदनस्यास्य, ते धन्यास्ते मनस्विनः ।।१३५ ।। શ્લોકાર્ચ - અને આ પ્રકારે=આઠ શ્લોકોમાં બતાવ્યું એ પ્રકારે, અહીં=સંસારમાં, શ્રદ્ધાસંશુદ્ધ બુદ્ધિવાળા જે જીવો આના વદનના આદેશને=ભાવ નામના ચારિત્રના મુખના આદેશને, ભાવન કરે છે તે ધન્ય છે, તે જ બુદ્ધિમાન છે. ll૧૩૫ll શ્લોક : चारित्रधर्मराजस्य, वदनं चारुदर्शनम् । इदं वत्स! प्रकृत्यैव, सर्वसौख्यकरं परम् ।।१३६ ।। શ્લોકાર્ચ - હે વત્સ ! ચારિત્રધર્મરાજનું સુંદર દર્શનવાળું આ મુખ પ્રકૃતિથી જ શ્રેષ્ઠ સર્વ સુખને કરનારું છે. ll૧૩૬ો. શ્લોક : तदेष वदनैर्वत्स! चभिः पुरवासिनाम् । एषां निःशेषसौख्यानि, करोत्येव महानृपः ।।१३७।। શ્લોકાર્થ : હે વત્સ ! તે કારણથી ચાર મુખો વડે દાન, શીલ, તપ, ભાવ રૂ૫ ચાર મુખો વડે, આ નગરવાસી જીવોને આ મહારાજા નિઃશેષ સુખોને કરે જ છે. ll૧૩૭ના બ્લોક : શિષ્યसर्वेषामेव सुखदो, भवनोदरचारिणाम् । વત્સ! ચારિત્રઘડયમમૃતં વાસ્થ ? મારૂ૮ાા Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : વળી, હે વત્સ ! ભવન ઉદરમાં વર્તનારા સર્વ જ જીવોને સુખને દેનારો આ અમૃત ચારિત્રધર્મ કોને દુઃખને દેનારો છે? અર્થાત્ કોઈને દુઃખને દેનારો નથી. I૧૩૮ll શ્લોક : तथापि पापिनः सत्त्वा, भवचक्रनिवासिनः । एके नैनं विजानन्ति, निन्दन्त्यन्ये विपुण्यकाः ।।१३९।। શ્લોકાર્ચ - તોપણ એક પ્રકારના ભવચક્રવાસી પાપી જીવો આને ચારિત્રધર્મને, જાણતા નથી. અન્ય પુણ્ય રહિત નિંદા કરે છે. II૧૩૯II ભાવાર્થ : પૂર્વમાં વિમર્શ જૈનપુરમાં વર્તતા લોકો કેવા સુખમાં વર્તે છે તેનું સ્વરૂપ બતાવ્યું. તે સાંભળીને પ્રકર્ષ કહે છે. તેવું સ્વરૂપ જૈનપુરમાં રહેલા જીવોમાં દેખાતું નથી, પરંતુ જેમ ભવચક્રવાસી જીવો મહામોહાદિથી ગ્રસ્ત છે તેમ જૈનપુરમાં રહેલા જીવો પણ મહામોહાદિથી ગ્રસ્ત જ દેખાય છે. કઈ રીતે જૈનપુરમાં વસનારા મહામોહાદિથી ગ્રસ્ત છે ? તે સ્પષ્ટ કરતાં પ્રકર્ષ કહે છે – જેમ સંસારી જીવો ભોગાદિમાં મૂર્છા કરે છે તેમ જૈનપુરમાં વસનારા જીવો પણ ભગવાનના બિંબમાં મૂર્છા કરે છે. જેમ સંસારી જીવો ધનઅર્જનાદિમાં રાગ કરે છે તેમ જૈનશાસનમાં વર્તતા મહાત્માઓ સ્વાધ્યાય કરવામાં રાગ કરે છે. આ રીતે જે જે પ્રકારના ભાવો સંસારી જીવો મોહને વશ કરે છે તેવા જ ભાવો ભિન્ન ભિન્ન વિષયને આશ્રયીને જેનપુરમાં વસનારા જીવો કરે છે એમ પ્રકર્ષ કહે છે. તેને વિમર્શ કહે છે – આ મહામોહાદિ ભાવો બે પ્રકારના છે. એક જીવોને માટે શત્રુરૂપ છે અને બીજા જીવના અતુલ બંધુઓ છે. તેથી ભવચક્રમાં પ્રથમ પ્રકારના મહામોહાદિ છે તે અપ્રશસ્તકષાયો સ્વરૂપ છે અને તે સંસારી જીવોને ભવચક્રમાં વિનાશ કરે છે. જ્યારે પ્રશસ્તકષાયોરૂપ મહામોહાદિ ભાવો સંસારી જીવોને મોક્ષપ્રાપ્તિ પ્રત્યે પ્રબલ કારણ છે. આથી જ જે રાગાદિ ભાવો સંસારી જીવોને મોહની વૃદ્ધિ કરાવે છે તે જ સર્વ રાગાદિ ભાવો જૈનશાસનમાં રહેલા જીવો મોક્ષમાર્ગના ઉપાયભૂત ઉચિત આચરણામાં કરે છે. તેથી ભગવાનના બિંબમાં વર્તતી મૂર્છા પણ વિવેકી એવા જૈનોની બાહ્ય પદાર્થોમાં મૂર્છાનો ત્યાગ કરાવીને વીતરાગતાનું કારણ બને છે. સ્વાધ્યાય કરવામાં વર્તતો તેઓનો રાગ જ સંવેગની વૃદ્ધિ કરાવીને સંસારના ક્ષયનું કારણ બને છે. સાધર્મિક જનોમાં તેઓના ગુણને કારણે વર્તતો સ્નેહ સાધર્મિકના ગુણો પ્રત્યે હોવાથી ગુણવૃદ્ધિનું કારણ જ બને છે. સદનુષ્ઠાનમાં વર્તતી તેઓની પ્રીતિ કષાયોને વશ થતા અસદનુષ્ઠાનના સંસ્કારોનો નાશ કરીને ઉચિત પ્રવૃત્તિ કરાવવા દ્વારા સામાયિકના પરિણામની જ વૃદ્ધિ કરે છે. ગુણસંપન્ન એવા ગુરુઓના દર્શનમાં વર્તતા તોષ ગુરુતુલ્ય ગુણોની પ્રાપ્તિનું કારણ બને છે. શાસ્ત્રઅધ્યયન દ્વારા પ્રાપ્ત થતા સૂક્ષ્મ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨પ૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ અર્થોના બોધમાં થતો તેઓનો હર્ષ સૂક્ષ્મ ભાવોને સ્થિર કરીને ક્ષપકશ્રેણીને અનુકૂળ બળસંચય કરાવે છે. વ્રતના અતિચારોનો વેષ કરીને તેઓ નિરતિચાર વ્રતપાલનની શક્તિનો સંચય કરે છે. સામાચારીના વિલોપમાં ક્રોધ કરીને તેઓ શુદ્ધ સામાચારી સેવવાનું બળસંચય કરે છે. પ્રવચન પ્રત્યેનીકોમાં રોષ કરીને પ્રવચનની સુરક્ષા કરવાનું પરિણામ પોતાનામાં સ્થિર કરે છે. કર્મની નિર્જરાથી મદ કરીને અધિક અધિક કર્મની નિર્જરા માટે ઉલ્લસિત સદૂર્વીર્યવાળા થાય છે. સ્વીકારાયેલી પ્રતિજ્ઞાના નિર્વાહમાં અહંકાર કરીને શુદ્ધ પ્રતિજ્ઞા પાલનને અનુકૂળ સદ્વર્યનો સંચય કરે છે. પરિષદોમાં સ્થિર પરિણામવાળા થાય છે. વળી, દિવ્યાદિ ઉપસર્ગોમાં જે તેઓ સ્મય કરે છે તેના દ્વારા પણ સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે. પ્રવચનનું માલિન્ય ગોપવીને પ્રવચનની જ ભક્તિ કરે છે. ધૂર્ત એવી ઇન્દ્રિયોને ઠગીને નિર્વિકારી અવસ્થાને જ તેઓ પ્રાપ્ત કરે છે. વળી, તપ-ચારિત્રમાં લોભ કરીને તેઓ નિર્લેપતાની જ વૃદ્ધિ કરે છે. વૈયાવચ્ચ આદિ આચરણામાં વૃદ્ધિ કરીને ગુણવાનના ગુણોના અવલંબન દ્વારા પોતાનામાં જ ગુણસંપત્તિની વૃદ્ધિ કરે છે. સધ્યાન યોગોના સ્વીકાર દ્વારા કષાયજન્ય અસ્થર્યનો વિનાશ કરીને આત્માના નિરાકુળભાવમાં તેઓ સ્થિર થવા યત્ન કરે છે. પરોપકાર કરીને તોષ પામે છે તેના દ્વારા અન્ય જીવો પ્રત્યે દયાળુ સ્વભાવની જ આત્મામાં વૃદ્ધિ કરે છે. પ્રમાદ-આપાદક ચોરના સમૂહનો નાશ કરીને વીતરાગ થવાને અનુકૂળ અપ્રમાદભાવની વૃદ્ધિ કરે છે. ભવચક્રના ભ્રમણથી ભય પામીને ભવના ઉચ્છેદને અનુકૂળ વીર્યનો સંચય કરે છે. વિપરીત માર્ગની આચરણા પ્રત્યે જુગુપ્સા કરીને આત્માના શુદ્ધભાવોની વૃદ્ધિ જ કરે છે. મોક્ષમાર્ગમાં સતત ચિત્તને રમાડીને તેઓ નિઃસંગતાની વૃદ્ધિ કરે છે. વિષયોમાં વર્તતી સુખ-શીલતાનો ઉપહાસ કરીને સમભાવના સુખમાં જ ઉદ્યમવાળા થાય છે. પોતાની શિથિલ આચરણાથી ઉદ્વેગ પામીને મોક્ષમાર્ગની આચરણામાં જ વિર્ય ઉલ્લસિત થાય તેવો યત્ન કરે છે. પોતાનાં પૂર્વનાં દુશ્ચરિત્રોને અને અનંતકાળમાં સેવાયેલાં પાપસ્થાનકોને સ્મરણમાં લાવીને તેનો શોક કરે છે, જેથી તે પાપસ્થાનકો ફરી ચિત્તમાં પ્રવેશ ન પામે તેવો બળસંચય કરે છે. પોતાના સ્વીકારાયેલા શીલની સ્કૂલનાની ગર્તા કરીને નિષ્ફટક શીલની પ્રાપ્તિનો બળસંચય કરે છે. ભવચક્રના નિવાસની નિંદા કરીને સિદ્ધઅવસ્થા પ્રત્યેના બદ્ધરાગને ઉલ્લસિત કરે છે. ભગવાનની આજ્ઞારૂપ સ્ત્રીની આરાધના કરીને જિનતુલ્ય થવા યત્ન કરે છે. ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાના સેવન દ્વારા શત્રુના નાશને અનુકૂળ મહાવીર્યનો સંચય કરે છે. તેથી જૈનનગરમાં વસતા મહાત્માઓના પ્રશસ્ત મહામોહાદિ ભાવો સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષપ્રાપ્તિનું જ કારણ છે. માટે સંસારી જીવોના મોહાદિ ભાવો કરતાં જૈનપુરમાં વસતા જીવોના મોહાદિ ભાવો અન્ય પ્રકારના છે. વળી વિમર્શ ચિત્તસમાધાનમંડપનું સ્વરૂપ બતાવતાં કહે છે. આ ચિત્તસમાધાનમંડપ પોતાના વીર્યથી જીવોને અતુલ સુખ કરે છે, કેમ કે જેઓનું ચિત્ત સમાધાનવાળું છે તેઓને તુચ્છ બાહ્ય વિષયોથી ચિત્તમાં | વિક્ષેપ થતા નથી, તેથી કષાયોના ઉપદ્રવના શમનને કારણે ચિત્તસમાધાન જીવને પ્રગટ સુખનું કારણ બને છે. જે નિર્મળ વિવેકદૃષ્ટિથી ઉત્પન્ન થયેલા મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે. વળી આ ચિત્તસમાધાનમંડપ ત્રણ જગતના બંધુ એવા તીર્થકરને ચિત્તમાં સ્થાપન અર્થે જ કર્મોથી નિર્માણ થયેલું છે અર્થાત્ જીવના ક્ષયોપશમભાવનાં કર્મોથી આ ચિત્તસમાધાનમંડપ નિર્માણ થયેલું છે, જેમાં Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સદા પરમગુરુનો નિવાસ થાય છે. વળી, ચિત્તને સમાધાનવાળું કર્યા પછી મહાત્મા ચિત્તને નિઃસ્પૃહ કરવા યત્ન કરે છે, જેથી સમાધાન પામેલું ચિત્ત જ નિઃસ્પૃહતા નામની વેદિકાવાળું બને છે. જે સમાધાન પામેલા નિર્મળ ચિત્તનો વિશેષ ક્ષયોપશમભાવરૂપ નિઃસ્પૃહતાનો પરિણામ છે. વળી, જે જીવો વારંવાર નિઃસ્પૃહતાનું સ્વરૂપ ભાવન કરે છે તે જીવોને શબ્દાદિ ભોગો વિષ જેવા જણાય છે. તેથી તેનું ચિત્ત વિષયોમાં સંશ્લેષ પામતું નથી અને અસંશ્લેષવાળું ચિત્ત થવાથી સંશ્લેષને કારણે જે પૂર્વમાં કર્મનો સંચય થયેલો તે ક્ષીણ ક્ષીણતર થાય છે. વળી, જેમ જેમ તેઓનું ચિત્ત નિર્મળ થાય છે તેમ તેમ તેઓનું ચિત્ત ભવચક્રના પરિભ્રમણથી પરાક્ષુખ બને છે અને જેઓનું ચિત્ત નિઃસ્પૃહતાનું સ્થાન થાય છે તેવા ઉત્તમ પુરુષોને ઇન્દ્રોદેવેન્દ્રો કે રાજા-મહારાજા સાથે કોઈ પ્રયોજન નથી પરંતુ આત્માના સમભાવના પરિણામમાં જ તેઓ સ્થિર-સ્થિરતર થવા પ્રયત્ન કરે છે. વળી આ નિઃસ્પૃહતાવાળું ચિત્ત થયા પછી તેવા જીવોના ચિત્તમાં પરમગુરુ સ્થાન પ્રાપ્ત કરવા સમર્થ બને છે. નિઃસ્પૃહતા વેદિકા ઉપર આસન મૂકીને પરમગુરુને સ્થાપન કરાય છે અર્થાત્ ચિત્તને નિઃસ્પૃહ કર્યા પછી મહાત્માઓ વારંવાર પરમગુરુ અને પરમગુરુના તુલ્ય થવાના ઉપાયભૂત એવા પરમગુરુનાં વચનોનું સ્મરણ કરે છે, જે પરમગુરુને ચિત્તમાં સ્થાપનતુલ્ય છે. જેથી તેઓનું જીવવીર્ય વિશિષ્ટ વિશિષ્ટતર નિર્મળ મતિજ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ બને છે, કેમ કે પરમગુરુથી અને પરમગુરુના વચનથી રંજિત થયેલું જીવવીર્ય વિપુલ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કરીને સદા પરમગુરુ સાથે લીન થઈ શકે તેવી ઉત્તમ પરિણતિવાળું થાય છે. વળી જેઓનું જીવવીર્ય સદા પરમગુરુના ગુણોમાં સ્કુરાયમાન થઈ રહ્યુ છે તેઓના માનસમાં સુખ જ વર્તે છે, દુઃખનો ઉદ્ભવ થતો નથી અને તેમના માનસમાં દીપ્ત અંગવાળા પરમગુરુ દેખાય છે. અર્થાત્ ક્ષાયિકભાવને પામેલા સર્વ કર્મથી રહિત, સદા સુખી કેવલી એવા તીર્થકરો તેમના ચિત્તમાં સદા દેખાય છે. જેમ કોઈ સાક્ષાત્ સમવસરણમાં બેઠેલા પરમગુરુને જોઈને પરમગુરુના ગુણોનું સ્મરણ કરી શકે તેમ સાક્ષાત્ સન્મુખ પરમગુરુ નહીં હોવા છતાં તેમના તે પ્રકારના ગુણોના સ્મરણપૂર્વક પોતાના જીવવીર્યના બળથી તે મહાત્માઓ ચાર મુખવાળા પરમગુરુને જોઈ શકે છે. વળી તે પરમગુરુ શુભ્રપરિવારવાળા છે. અર્થાત્ ઉત્તમ મુનિઓથી પરિવરેલા છે. તેઓનું જે અંતરંગ પોતાના આત્મા ઉપર પ્રભુત્વરૂપ સામ્રાજ્ય છે, તેઓની જે અષ્ટપ્રાતિહાર્યરૂપ વિભૂતિ છે, જે તેઓનું ક્ષાયિકગુણ સંપત્તિરૂપ મહાતેજ છે તે સર્વ સ્વરૂપે પોતાના ચિત્તમાં પરમગુરુને જોઈ શકે છે તેનું કારણ તે જીવનું જ તત્ત્વને સ્પર્શનારું તેવું વીર્ય છે. વળી, સાત્ત્વિકપુર, સાત્ત્વિકપુરના લોકો, વિવેક નામનો પર્વત, અપ્રમત્તશિખર, જૈનનગર, જૈનનગરમાં વર્તતા લોકો, ચિત્તસમાધાનમંડપ, નિઃસ્પૃહતા નામની વેદિકા, પરમગુરુરૂપ રાજા, તેનું અંતરંગ ગુણસંપત્તિરૂપ સૈન્ય, જીવનું પોતાના આત્મા ઉપર સામ્રાજ્યરૂપ રાજ્ય, જે કંઈ સુંદર જગતમાં દેખાય છે તે સર્વનું કારણ આ જીવવાર્ય છેકેમ કે જીવવીર્યના બળથી જ જીવો પ્રથમ ભૂમિકામાં સાત્ત્વિકપુરને પામે છે. જીવવીર્યના બળથી જ વિવેકને પ્રાપ્ત કરે છે. જીવવીર્યના બળથી જ અપ્રમાદભાવને પ્રાપ્ત કરે છે. જીવવીર્યના બળથી જ જૈનપુરમાં પ્રવેશ પામે છે. અને જીવવીર્યના બળથી જૈનપુરમાં પ્રવેશ પામ્યા પછી જિન થવા મહાપરાક્રમ કરે છે અને જીવવીર્યના બળથી ચિત્તનું સમાધાન કરે છે. વળી, જીવવીર્યના બળથી જ નિઃસ્પૃહતા કેળવે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ અને જીવવીર્યના બળથી જ ચિત્તમાં પરમગુરુ આદિને સ્થાપન કરે છે. તેથી જીવમાં વર્તતું વીર્ય જ ક્રમસર ઉત્તરોત્તરના ભાવોને પ્રાપ્ત કરીને પરમગુરુ સાથે લય અવસ્થાને પામે છે અને અંતે કર્મોનો ક્ષય કરીને પરમગુરુ તુલ્ય થાય છે. આથી જ જે જીવોમાં મોક્ષમાર્ગને અનુકૂળ જીવવીર્ય વર્તે છે ત્યારે ચિત્તસમાધાનમંડપમાં મહામોહાદિ શત્રુઓ પ્રવેશ પામતા નથી અને જ્યારે કોઈક નિમિત્તથી જીવવીર્ય સ્કૂલના પામે છે ત્યારે, ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રધર્મના સર્વ ભાવો અલિત થાય છે. જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ સંયમના ઉદ્યમ કરનારા હોવા છતાં દુર્મુખના વચનથી અલના પામીને મોક્ષમાર્ગને અનુકૂળ જીવવીર્ય વગરના થયા ત્યારે ચિત્તસમાધાનમંડપ વગેરે સર્વને મહામોહે ક્ષણમાં નષ્ટપ્રાયઃ કર્યું. વળી, કોઈક રીતે ફરી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું જીવવીર્ય પ્રગટ થયું ત્યારે ક્ષણમાં તે મહામોહાદિના સૈન્યનો તિરસ્કાર કરીને તેમણે ફરી મોહનાશને અનુકૂળ જીવવીર્ય પ્રગટ કર્યું. વળી, તે જીવવીર્ય સિંહાસન ઉપર પોતાના પરિવારથી યુક્ત રાજા કેવા છે તે બતાવવા માટે વિમર્શ યત્ન કરે છે ત્યાં જ પ્રકર્ષ અત્યાર સુધીના કથનનું તાત્પર્ય વિચારે છે જે ગ્રંથકારશ્રી બતાવે છે. જે સાત્ત્વિકમાનસ છે તે અકામનિર્જરાની અપેક્ષાએ પ્રગટ થાય છે. સમ્યજ્ઞાન વગરના મિથ્યાદૃષ્ટિ જીવોનું તત્ત્વને અભિમુખ જે ઉત્કટવીર્ય છે તે સાત્ત્વિકમાનસ છે. આથી જ મંદમિથ્યાષ્ટિ જીવો અકામનિર્જરાથી ગુણને અભિમુખ જીવવીર્યવાળા થાય છે અને તેઓ તે સાત્ત્વિકમાનસના પ્રભાવથી દેવલોકમાં જાય છે. વળી, વિવેકપર્વત શું છે ? તે બતાવતાં કહે છે – જે જીવોને કંઈક તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિ પ્રગટેલી છે તેઓને પોતાના આત્માથી ધન, પુત્ર, સ્ત્રી આદિ સ્પષ્ટ ભેદ રૂપે દેખાય છે અને પોતાનાં કર્મો અને પોતાનું શરીર સ્પષ્ટ ભેદ રૂપ નહીં હોવા છતાં તે કર્મોથી અન્ય હું છું તેવો બોધ થાય છે, તેથી દેહમાં વર્તતા એવા પોતાના આત્માની હિતચિંતા તેમને પ્રગટે છે અને મહામોદાદિ શત્રુ તેમને દુષ્ટ જણાય છે, તેથી પોતાના બોધ અનુસાર કષાયાદિ ભાવોને દૂર કરવા તેઓ યત્ન કરે છે. તેથી તત્ત્વને જોવામાં બાધક એવા કર્મની નિર્જરાથી તેઓને નિર્મળ બુદ્ધિ પ્રગટે છે તોપણ ભગવાનનો સિદ્ધાંત તેઓને પ્રાપ્ત થયો નથી તેવા જીવો વિવેકપર્વતને પામેલા છે. અર્થાત્ વિવેકવાળો તેમનો મતિજ્ઞાનનો ઉપયોગ છે. અને ત્યારપછી કંઈક કર્મો લઘુ થાય છે ત્યારે તે જીવો વિવેકના બળથી તત્ત્વાતત્ત્વનો નિર્ણય કરવા માટે ઉચિત યત્ન કરીને કષાયોના ઉન્મેલન માટે અપ્રમાદભાવને પ્રાપ્ત કરે છે તે વિવેકપર્વત ઉપર તેમનું ગમન છે. જે તત્ત્વના યથાર્થ બોધપૂર્વક તત્ત્વનો નિર્ણય કરીને કષાયોના ઉન્મેલનને અનુકૂળ અપ્રમાદથી વ્યાપાર કરનારા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં તેવો અપ્રમાદભાવ વર્તે છે અને તેવા જીવોમાં જિનનું વચન પરિણમન પામે છે તે જૈનપુર છે. જે જૈનપુર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ મહાસંઘના પ્રમોદનું પ્રકૃષ્ટ કારણ છે અને ત્યાં વસનારા જે જીવો છે તે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ છે અને તે સર્વ સ્વભૂમિકાનુસાર સંદા જિનતુલ્ય થવા માટે યત્ન કરનારા છે. વળી જૈનનગરમાં આ ચિત્તસમાધાનમંડપ જ સાર છે; કેમ કે જેઓ જૈનનગરને પામ્યા છે તેઓ સદા ચિત્તને સમાધાન કરવા યત્ન કરે છે. શક્તિ અનુસાર નિઃસ્પૃહતા પ્રગટ કરવા યત્ન કરે છે અને પોતાનું જીવવીર્ય શત્રુના નાશ માટે સદા પ્રવર્તાવે છે. આ રીતે પ્રકર્ષ સ્વબુદ્ધિથી વિમર્શ દ્વારા કહેવાયેલા પદાર્થોનો Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૫૯ નિર્ણય કર્યા પછી જીવવીર્ય સિંહાસન ઉપર બેઠેલા રાજાનું સ્વરૂપ પૂછે છે. તે રાજા ચારિત્રધર્મ છે અને તે ચાર મુખવાળા છે. તેથી જે જીવોના ચિત્તમાં દાન-શીલ-તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મોને કહેનારા પરમગુરુ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી સ્થાપન થાય છે, તેઓના ચિત્તમાં સદા તે પરમગુરુનો ચાર પ્રકારનો ઉપદેશ સ્વભૂમિકાનુસાર સદા પરિણમન પામે છે. (૧) દાનધર્મ: ભગવાને કયા પ્રકારે દાનધર્મ બતાવ્યું છે તેનું સ્વરૂપ વિચારે છે અને ત્યાં ભગવાનનો દાનધર્મ કહેનારું વચન જીવોને પાત્રમાં દાન આપવા પ્રેરણા કરે છે, શેનું દાન ? તેથી કહે છે – મોહનાશ માટે ભગવાનનું વચન સદૃજ્ઞાનનું દાન અપાવે છે અને જગતના જીવોને અભયદાન અપાવે છે. આથી જ ભગવાનના વચનાનુસાર ચાલનારા સુસાધુઓ પોતાના શક્તિના પ્રકર્ષથી યોગ્ય જીવોના મોહનાશ માટે સમ્યક માર્ગનો ઉપદેશ આપે છે અને જગતના જીવોને અભયદાન આપે છે; કેમ કે મુનિઓ પકાયના પાલનના અધ્યવસાયવાળા હોય છે. વળી જે મુનિઓ સદુધર્મમાં નિરત છે તેઓનો દેહ સદુધર્મના પાલનનો આધાર છે. તેવા મુનિઓને સંયમપાલનમાં ઉપકારક એવાં આહાર-વસ્ત્ર-પાત્રાદિ અપાય એ પ્રકારે દાનધર્મ ઉપદેશ આપે છે. તેથી યોગ્ય શ્રાવકો તેવા ઉત્તમ મુનિઓના સંયમપાલનના કારણભૂત દેહને ઉપખંભક એવા આહારાદિ આપીને પોતાનામાં સંયમની શક્તિનો સંચય કરે છે. વળી, દયાળુ જીવો દીન, દુઃખિયા આદિ જીવોને આહારાદિ આપે છે તેને વિશે ભગવાનનું વચન નિષેધ કરતું નથી અર્થાત્ અનુકંપાદાન કરો ઇત્યાદિ વિધાન પણ કરતું નથી અને ભદ્રક પ્રકૃતિવાળા જીવો અનુકંપાદાન કરે છે તેનો નિષેધ પણ કરતું નથી. ફક્ત યોગ્ય જીવોને બીજાધાનનું કારણ બને તેવું ભાવઅનુકંપાદાન અને તેના કારણભૂત દ્રવ્યઅનુકંપાદાનનું વિધાન પણ ભગવાનનું શાસન કરે છે. આથી જ સંયમગ્રહણ કરતી વખતે ભગવાને સંવત્સરદાન આપેલું. જે યોગ્ય જીવોને બીજાધાનનું કારણ તેવા દાનનું વિધાન કરે છે જ્યારે અન્ય અનુકંપાદાન લોકમાં કરાતું હોય તેનું નિષેધ કરતું નથી. આથી જ બીજાધાનનું કારણ ન હોય તેવા દાનની જેઓ પ્રશંસા કરે છે તેઓ પ્રાણીવધને ઇચ્છે છે અને જેઓ નિષેધ કરે છે તેઓ વૃત્તિનો ઉચ્છેદ કરે છે. તેમ કહીને તેવા દાનની પ્રશંસાનો પણ નિષેધ છે અને નિષેધ કરવાનો પણ નિષેધ છે. એમ આગમમાં કહેલ છે. વળી, કેટલાક દર્શનવાળા ગોદાન, અશ્વદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે દાનને ધર્મ કહે છે. તેવા ધર્મને આ દાનધર્મનું મુખ નિષેધ કરે છે; કેમ કે ધર્મની બુદ્ધિથી તેવું દાન તેઓ કરે છે અને તે દાન ધર્મની પ્રાપ્તિનું કારણ નથી. આથી જ સાધુને પણ કોઈ સુવર્ણ આદિ દાન કરતું હોય તો તે દાન ભગવાનનું શાસન નિષેધ જ કરે છે; કેમ કે સુવર્ણ આદિનું દાન સાધુના સંયમનું પોષક નથી. વળી, દાનધર્મ જે દાનનું કથન કરે છે તે દાન સદ્આશયને કરનારું છે; કેમ કે મુનિઓ સજ્ઞાન અને અભયદાન આપે છે, તેનાથી તેઓને જગતના જીવોના પ્રત્યે અનુકંપાનો પરિણામ છે અને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવાનો અધ્યવસાય છે તેથી મુનિઓના સુંદર આશયને કરનારું તે દાન છે. વળી, સાધુના સંયમ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પ્રત્યે ભક્તિનો પરિણામ હોવાથી શ્રાવકો સુસાધુઓને આહારાદિ આપે છે તે પણ સંયમની પ્રાપ્તિ કરાવે તેવા સુંદર આશયવાળું દાન છે. વળી, આ દાનધર્મ આગ્રહના છેદન કરનારું છે=બાહ્ય પદાર્થો પ્રત્યે આ સુખનાં સાધનો છે એ પ્રકારના આગ્રહના છેદન કરનારું છે. આથી જ મુનિઓ સન્માર્ગનો ઉપદેશ આપે છે તેનાથી મુનિઓને સંવેગની વૃદ્ધિ થાય છે, તેથી બાહ્ય પદાર્થો પ્રત્યેના સંશ્લેષના આગ્રહનો છેદ થાય છે. વળી, શ્રાવકો પણ સુસાધુઓને આહારાદિ આપે છે તેનાથી તેઓને સંયમ પ્રત્યે રાગવૃદ્ધિ થાય છે. તેથી બાહ્ય પદાર્થ પ્રત્યેના સંશ્લેષનો આગ્રહનો છેદ થાય છે. આથી સુસાધુને દાન આપીને વિવેકી શ્રાવકો સંયમની શક્તિનો સંચય કરે છે. વળી, ભગવાનની ભક્તિમાં જે શ્રાવકો ધન વ્યય કરે છે તેના દ્વારા પણ ભગવાનના ગુણો પ્રત્યે રાગની વૃદ્ધિ કરીને તેઓ વીતરાગતાને અભિમુખ ચિત્તવાળા થાય છે તેથી ભોગ પ્રત્યે તૃષ્ણારૂપ આગ્રહનો છેદ થાય છે. આથી જ વિવેકી શ્રાવકો ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરીને મૂર્છાના ત્યાગરૂપ આગ્રહનો છેદ કરે છે. વળી આ દાનધર્મ લોકોની અનુકંપામાં પ્રવર્તક છે; કેમ કે સુસાધુ સન્માર્ગનો ઉપદેશ આપીને અને જીવોને અભયદાન આપીને જીવો પ્રત્યે અનુકંપા કરે છે. અને વિવેકી શ્રાવકો પણ યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય તે પ્રકારે દાન કરીને લોકો પ્રત્યે અનુકંપાના પરિણામવાળા થાય છે. (૨) શીલધર્મ : વળી, ચારિત્રધર્મનું બીજું મુખ શીલ છે અને તેનું સ્વરૂપ બતાવતાં કહે છે. જૈનનગરમાં જે સાધુઓ છે તેઓ ભગવાનના બીજા મુખથી કહેવાયેલા શીલ નામના ધર્મને સદા સેવનારા છે; કેમ કે સુસાધુ અઢાર હજારશીલાંગ સ્વરૂપ ચારિત્રનું સેવન કરે છે, તે જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા આત્માના શીલગુણને પ્રગટ કરવાને અનુરૂપ ક્રિયા સ્વરૂપ છે. વળી, જેઓ સુસાધુની જેમ સંપૂર્ણ શીલ પાળવા સમર્થ નથી તેવા દેશવિરતિવાળા શ્રાવકો પણ કંઈક ભગવાનના વચનરૂપ શીલને સેવીને કષાયોના તાપનું શમન કરે છે, તેથી આ શીલધર્મ જીવને કષાયોના તાપના શમન દ્વારા એકાંતે સુખને દેનારું છે. (૩) તપધર્મ - વળી ચારિત્રધર્મનું ત્રીજું તપ નામનું મુખ છે. જે તપ જીવને આકાંક્ષા રૂપ પીડાના વિનાશ દ્વારા સુખને કરે છે. આથી જ વિવેકી શ્રાવકો અને સાધુઓ વિવેકપૂર્વક બાહ્ય અને અત્યંતરતપ કરીને પોતાનામાં વર્તતી આહારસંજ્ઞા આદિ સંજ્ઞાજન્ય આકાંક્ષાઓની પીડાને શાંત કરે છે. અભ્યતરતપ દ્વારા અનિચ્છાભાવને અનુકૂળ બળસંચય કરીને આકાંક્ષાની પીડાનો નાશ કરે છે. તેથી તપ જીવોને સુખનું કારણ છે. વળી, આ તપ જીવને વિશિષ્ટ જ્ઞાન, વિશિષ્ટ સંવેગ, વિશિષ્ટ શમ અને વિશિષ્ટ શાતાને કરનારું છે, કેમ કે જેમ જેમ વિવેકપૂર્વક યોગ્ય જીવો તપ કરે છે તેમ તેમ તપના બળથી આત્માના નિરાકુળ સ્વભાવ વિષયક તેઓને વિશિષ્ટ જ્ઞાન થાય છે. આથી જ ભગવાનના વચનથી આત્માને વાસિત કરવારૂપ સ્વાધ્યાય દ્વારા વિવેકી સાધુઓ અને વિવેકી શ્રાવકો દેહાદિથી ભિન્ન પોતાના આત્માનો જે નિરાકુળ સ્વભાવ છે તેનો જ પૂર્વપૂર્વ કરતાં વિશેષ પ્રકારનો બોધ કરે છે. તેથી સ્વાધ્યાય કે બાહ્યતા વિશિષ્ટ જ્ઞાનનું કારણ બને છે. વળી, Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પૂર્વમાં જે સંવેગ હતો તે વિવેકપૂર્વકના તપથી પુષ્ટ થવાથી વિશિષ્ટ સંવેગ ઉત્પન્ન થાય છે. જેમ વિવેકી શ્રાવકને ભગવાન પ્રત્યે પૂજ્યભાવ હોય છે તે જ પૂજ્યભાવ ભગવાનની પૂજાથી અતિશયિત થાય છે તેમ સંવેગપૂર્વક કરાયેલો તપ વિશિષ્ટ સંવેગનું કારણ બને છે. વળી, વિવેકી સાધુમાં અને શ્રાવકોમાં જે સમભાવનો પરિણામ છે તે સમભાવનો પરિણામ જ તપ દ્વારા વિશિષ્ટ બને છે, તેથી પૂર્વ કરતાં વિશિષ્ટ પ્રકારના સમભાવનું કારણ બાહ્યતા અને અત્યંતરતપ છે. વળી, જીવોને બાહ્ય અનુકૂળ ભાવોથી શાતા થાય છે તે શાતાને વિન્ન કરનાર કષાયો છે અને મહાત્માઓ વિવેકપૂર્વક તપ કરીને કષાયોનું શમન કરે છે તેથી તેઓને પૂર્વમાં જે શાતા હતી તે જ શાતાના વ્યાઘાતક કષાયોના શમનને કારણે વિશિષ્ટ શાતાનું કારણ બને છે. વળી આ તપ ક્રમસર કષાયોનું ઉન્મેલન કરીને અવ્યાબાધ એવા મોક્ષસુખને લાવનારું છે. વળી ભગવાનના તારૂપી મુખને જોઈને અને તેની આરાધના કરીને મહાસત્ત્વશાળી જીવો સુખપૂર્વક નિવૃતિમાં જાય છે અર્થાત્ ભગવાન નિર્લેપ યોગી છે તેથી જ નિર્લેપતાના કારણભૂત તપનું નિરૂપણ કરે છે તેથી તપના નિરૂપણને જોઈને અને તે તપની આરાધના કરીને યોગ્ય જીવો સુખપૂર્વક કષાયોનો અધિક અધિક ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. (૪) ભાવધર્મ : વળી, ચારિત્રધર્મનું ચોથું મુખ શુદ્ધભાવન છે. જેઓ ભક્તિથી તે મુખનું સ્મરણ કરે છે અને ભક્તિથી તે મુખનું નિરીક્ષણ કરે છે તેઓનાં સર્વ પાપો નાશ કરવા માટે આ મુખ સમર્થ છે. તેથી જે જીવો ભગવાને કહેલી અનિત્યાદિ બાર ભાવનાઓ તે રીતે સ્મરણ કરે છે. i) અનિત્યભાવના : જગતના સર્વ પદાર્થો અનિત્ય છે તે પ્રકારની બુદ્ધિ સ્થિર થવાથી કોઈ પદાર્થના નાશમાં લેશ પણ શોક ન થાય તેવું ઉત્તમચિત્ત પ્રગટ થાય છે; કેમ કે નાશવંત પદાર્થ નાશ પામે તેમાં કોઈ આશ્ચર્ય નથી તેમ ભાવન થયેલું હોવાથી જગતની યથાર્થ સ્થિતિના અવલોકનની નિર્મળદૃષ્ટિ અનિત્યભાવનાથી તેઓ કરે છે. (ii) અશરણભાવના : વળી જગતમાં સંસારી જીવો કર્મને પરવશ જન્મે છે તેથી વાસ્તવિક શરણ વગરના છે છતાં મૂઢમતિને કારણે જેઓને અશરણતા દેખાતી નથી તેઓ જ પરમગુરુ આદિના શરણે જતા નથી. અને જેઓ હૈયાને સ્પર્શે તે રીતે અશરણભાવના સ્થિર કરે છે તેઓને અશરણ એવી સંસારઅવસ્થામાં શરણભૂત અરિહંતાદિ જ દેખાય છે. તેથી તેઓનું ચિત્ત હંમેશાં અરિહંત, સિદ્ધ, સુસાધુ અને સર્વજ્ઞપ્રણીતધર્મ શરણરૂપે દેખાવાથી તેના સ્વરૂપથી જ સદા પોતાના ચિત્તને ભાવિત કરવા યત્ન કરે છે જેથી દુર્ગતિઓની પ્રાપ્તિરૂપ વિડંબનાઓથી સદા તેઓ સુરક્ષિત બને છે. (iii) એકત્વભાવના : વળી, સંસારમાં પોતે એકલો જન્મે છે, એકલો મરે છે ઇત્યાદિ એકત્વભાવનાને જેઓ સ્થિર કરે છે તેઓના ચિત્તમાં નિઃસંગતા પ્રગટે છે; કેમ કે એકત્વભાવનાથી અભાવિત જીવોને સંગનો ભાવ થાય છે. અને જેમ જેમ યોગ્ય જીવો આત્માને એકત્વભાવનાથી ભાવિત કરે છે તેમ તેમ નિઃસંગતા થવાને કારણે સુખપૂર્વક મોક્ષમાર્ગની આરાધના કરવા સમર્થ બને છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ (iv) અન્યત્વભાવનાઃ વળી, શરીર, ધન વગેરે બાહ્ય પદાર્થો આત્માથી ભિન્ન છે એ પ્રકારે ભાવધર્મને બતાવનારું ચારિત્રનું મુખ છે, તેનું જેઓ ઉપયોગપૂર્વક સ્મરણ કરે છે તેઓના ચિત્તમાં શરીર વગેરે પ્રત્યે પૂર્વમાં જે સંશ્લેષ છે તે, તે પ્રકારની ભાવનાથી અત્યંત ક્ષીણ થાય છે. જેના કારણે તે તે નિમિત્તોથી ચિત્તમાં ક્લેશો થતા હતા તે અન્યત્વભાવનાથી અલ્પ અલ્પતર થાય છે. (V) અશુચિમયભાવના : વળી, શરીર અશુચિમય છે તેવો સ્પષ્ટ બોધ હોવા છતાં તે બોધ જીવની સન્મુખ વ્યક્તરૂપે આવતો નથી. પરંતુ પોતાના શરીર પ્રત્યે કે અન્યના સુરૂપ દેહ પ્રત્યે સુરૂપતાની બુદ્ધિથી જ ઉપયોગ પ્રવર્તે છે, તેથી રાગાદિ ક્લેશો વધે છે અને જેઓ શરીરની અશુચિતાનું તે રીતે ભાવન કરે છે જેથી દેખાતા શરીરોને જોઈને અશુચિનું સ્મરણ થાય જેના કારણે કોઈના દેહ પ્રત્યે રાગ થાય નહીં અને પોતાના અશુચિમય દેહ પ્રત્યે મમત્વ થાય નહીં. આ રીતે અશુચિભાવના કરીને મહાત્માઓ દેહ પ્રત્યેની સંશ્લેષ પરિણતિને ક્ષીણ ક્ષીણતર કરવા પ્રયત્ન કરે છે. (vi) સંસારભાવનાઃ વળી, સ્વજનાદિ સર્વ વર્તમાનમાં સ્વજન હોય છે તે જ અન્ય ભવમાં શત્રુ થાય છે. માતા પણ પત્ની થાય છે. ઇત્યાદિનું ભાવન કરીને તે તે સંબંધજન્ય જે સ્નેહની પરિણતિ છે તેને ક્ષીણ કરવા અર્થે મહાત્મા સંસાર ભાવના કરે છે અર્થાત્ સંસારનું આ પ્રકારનું વિલક્ષણ સ્વરૂપ છે તેથી સંસારના ભાવો પ્રત્યે નિર્વેદવાળા થઈને સુખપૂર્વક તેઓ મોક્ષમાર્ગમાં યત્ન કરવા સમર્થ બને છે. (vi & viii) આશ્રવભાવના અને સંવરભાવનાઃ વળી, પાપ કરનારા જીવોને કર્મનું આગમન થાય છે તેથી આસવો જીવને સંસારમાં વિડંબના કરનારા છે તેમ ભાવન કરીને મહાત્માઓ નિષ્પાપ ચિત્તને પ્રગટ કરવા યત્ન કરે છે. વળી, પાપથી નિવૃત્ત થયેલા જીવો ઉત્તમ આચારને સેવીને સંવરને પામે છે એ પ્રકારે બુદ્ધિને સ્પર્શે તે રીતે સંવરભાવના કરીને મહાત્માઓ દઢ પ્રણિધાનપૂર્વક સદાચારની સેવનાને અનુકૂળ વીર્યનો સંચય કરે છે. જેથી પૂર્વ પૂર્વ કરતાં સંવરની વૃદ્ધિ થાય છે. (ix) નિર્જરાભાવનાઃ વળી વિવેકપૂર્વકના સેવાયેલા તપથી સતત કર્મની નિર્જરા થાય છે તેમ ભાવન કરીને શક્તિના પ્રકર્ષથી ઉચિત તપ કરવાનું બળ મહાત્માઓ સંચય કરે છે. જેથી નિર્જરાને અનુકૂળ પરિણતિ નિર્જરાભાવનાથી પ્રગટે છે. (૮) લોકસ્વરૂપભાવનાઃ વળી, સંસારમાં સર્વ સ્થાનોમાં જીવ જન્મે છે, મરે છે. સર્વ પુદ્ગલોનું ભક્ષણ જીવે અનંતી વખત કર્યું છે. એ પ્રકારનું જે ભાવન છે તે લોક સ્વરૂપ ભાવના છે જેનું ભાવન કરવાથી જગતના વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળદૃષ્ટિ પ્રગટે છે અને જગતના વાસ્તવિક સ્વરૂપને જોવાથી મોહથી થનારી મૂઢતા દૂર થાય છે, તેથી લોક સ્વરૂપ ભાવના દ્વારા પણ તત્ત્વને જોનારી દૃષ્ટિને મહાત્માઓ સ્થિર કરે છે. | (i) ધર્મભાવના સંસારસાગરથી ઉદ્ધારને કરનાર ભગવાનનો ધર્મ સુદુર્લભ છે આથી જ કોઈ ભવમાં જિનોદિત ધર્મ પ્રાપ્ત થયો નથી એ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરીને દુર્લભ એવા ધર્મના હાર્દને જાણવા યત્ન કરે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૬૩ (ii) બોધિદુર્લભભાવનાઃ વળી, સર્વજ્ઞના દર્શનમાં જ બોધિ સુદુર્લભ છે એમ જાણીને સ્થિર કરવા અર્થે મહાત્મા બોધિદુર્લભભાવના કરે છે. જેથી બોધિની પ્રાપ્તિ થઈ ન હોય તો બોધિ પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયેલી બોધિ તે પ્રકારે દૃઢ થાય કે જેથી ભવચક્રમાં તેનો વિનાશ ન થાય. આ પ્રકારે સમ્યફ બોધિદુર્લભભાવના કરવાથી ઉત્તમચિત્તની પ્રાપ્તિ થાય છે. આ રીતે જે મહાત્માઓ તે તે ભાવના દ્વારા મારે આત્માને ભાવિત કરીને મોક્ષને અનુકૂળ ચિત્ત પ્રગટ કરવું છે તેવી રુચિથી શુદ્ધબુદ્ધિપૂર્વક આ ભાવનાઓ કરે છે તે જીવો ધન્ય છે, તે જ જીવો બુદ્ધિમાન છે. ચારિત્રધર્મનું આ સુંદર ચોથું મુખ છે, જે પ્રકૃતિથી જ સર્વ સુખને કરનારું છે; કેમ કે ક્લેશનાશ દ્વારા જીવોના હિતને કરનાર આ ભગવાનનાં ચાર મુખો છે. પરમાર્થથી આ ચારિત્રધર્મ આત્માના નિરાકુળ સ્વભાવમાં વર્તનાર છે અને યોગ્ય જીવોને તેવા સ્વભાવની પ્રાપ્તિના ઉપાયભૂત ચાર પ્રકારનો ધર્મ કહે છે, તેથી અમૃત જેવો આ ચારિત્રધર્મ કોઈને દુઃખને દેનારો નથી. પરંતુ એકાંતે વર્તમાનમાં પણ સુખને દેનાર છે. આગામી સુખની પરંપરાનું કારણ છે. છતાં ભવચક્રવાસી કેટલાક પાપી જીવો આ ચારિત્રધર્મના પારમાર્થિક સ્વરૂપને જાણતા નથી. તો વળી કેટલાક જીવો આ ચાર પ્રકારના સ્વરૂપવાળા ચારિત્રધર્મની નિંદા કરે છે. તે તેઓની મૂઢતા જ છે. શ્લોક : तदेष ते महाराजश्चतुर्वदनसुन्दरः । aftતઃ સામ્રતં વચ્ચે, પરિવારમાધુના ૨૪૦પા શ્લોકાર્ચ - ચતુર્મુખથી સુંદર એવા તે આ મહારાજા તને હમણાં વર્ણન કરાયા. હવે પરિવારને હું કહીશ. ll૧૪૦]. विरति-चारित्रपञ्चकवर्णनम् શ્લોક : यैषा विलोक्यते वत्स! शुद्धस्फटिकनिर्मला । अर्धासने निविष्टाऽस्य, नारी सर्वाङ्गसुन्दरा ।।१४१।। इयं हि विरतिर्नाम, भार्याऽस्य वरभूपतेः । समानगुणवीर्या च, भूभुजाऽनेन वर्तते ।।१४२।। વિરતિ અને ચારિત્ર પંચકનું વર્ણન શ્લોકાર્ય :હે વત્સ ! શુદ્ધ સ્ફટિક જેવી નિર્મલ આના અર્ધાસનમાં બેઠેલી જે આ સર્વાગ સુંદર નારી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ દેખાય છે એ વિરતિ નામની આ વરભૂપતિની ભાર્યા છે. અને આ રાજાની સાથે-ચારિત્ર રાજા સાથે સમાન ગુણવીર્યવાળી વર્તે છે. ll૧૪૧-૧૪રા શ્લોક : तथाहिआह्लादजननी लोके, निर्वृतेर्मार्गदेशिका । गता तादात्म्यमेतेन, न भिन्नेयं प्रतीयते ।।१४३।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – લોકમાં આલ્લાદને કરનારી નિવૃતિના માર્ગને બતાવનારી આની સાથે= ચારિત્રની સાથે, તાદાભ્યને પામેલી આકવિરતિ, ભિન્ન પ્રતીત થતી નથી ચારિત્રથી ભિન્ન પ્રતીત થતી નથી. ll૧૪al. શ્લોક : य एते पञ्च दृश्यन्ते, राजानोऽभ्यर्णवर्तिनः । एतस्यैव नरेन्द्रस्य, स्वाङ्गभूता वयस्यकाः ।।१४४।। શ્લોકાર્થ : જે વળી આ નજીકમાં રહેલા પાંચ રાજાઓ દેખાય છે=ચારિત્રધર્મની નજીકમાં રહેલા દેખાય છે, તે આ જ રાજાના ચારિત્રધર્મરાજાના સ્વાંગભૂત મિત્રો છે. ll૧૪૪ બ્લોક : તત્ર - आद्यः सामायिकाख्योऽयं, भूपतिर्जनसत्पुरे । નિઃશેષાવિરતિ, વત્સ! તારયતે સ ા૨૪TI શ્લોકાર્થ : હે વત્સ! ત્યાં આધ સામાયિક નામનો આ રાજા જેનસપુરમાં નિઃશેષ પાપની વિરતિને સદા કરાવે છે. II૧૪પા બ્લોક : छेदोपस्थापनो नाम, द्वितीयो वत्स! भूपतिः । पापानुष्ठानसवातं, विशेषेण निषेधति ।।१४६।। Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૬૫ શ્લોકાર્ચ - હે વત્સ! છેદોપસ્થાપન નામનો બીજો રાજા પાપઅનુષ્ઠાનના સંઘાતને વિશેષથી નિષેધ કરે છે. II૧૪જા શ્લોક - परिहारविशुद्धीयस्तृतीयस्तु नरेश्वरः । साधूनां दर्शयत्युग्रं, तपोऽष्टादशमासिकम् ।।१४७।। यस्त्वेष दृश्यते वत्स! चतुर्थो वरभूपतिः । स सूक्ष्मसंपरायाख्यः, सूक्ष्मपापाणुनाशकः ।।१४८।। શ્લોકાર્થ : વળી, પરિહારવિશુદ્ધિ ત્રીજો રાજા સાધુઓને અઢારમાસી ઉગ્રતા બતાવે છે. વળી હે વત્સ! જે આ ચોથો રાજા દેખાય છે તે સૂક્ષમ સંપરાય નામનો સૂક્ષ્મ પાપના અણુઓનો નાશક છે. TI૧૪૭-૧૪૮ll શ્લોક : अत्यन्तनिर्मलो वत्स! निर्धूताशेषकल्मषः । एष सारो यथाख्यातः, पञ्चमो वरभूपतिः ।।१४९।। શ્લોકાર્ચ - હે વત્સ ! અત્યંત નિર્મલ નિર્ધત અશેષ કાદવવાળો સાર એવો આ યથાખ્યાત શ્રેષ્ઠ પાંચમો રાજા છે. ll૧૪૯ll. શ્લોક : शरीरं जीवितं प्राणाः, सर्वस्वं तत्त्वमुत्तमम् । चारित्रधर्मराजस्य, पञ्चाप्येते वयस्यकाः ।।१५०।। શ્લોકાર્થ : આ પાંચે પણ મિત્રો ચારિત્રધર્મ રાજાનું શરીર, જીવિત, પ્રાણ, સર્વસ્વ, ઉત્તમતત્ત્વ છે. II૧૫ol. શ્લોક : यस्त्वेष निकटे वत्स! दृश्यते मूलभूपतेः । सोऽस्यैव यतिधर्माख्यः, सुतो राज्यधरः परः ।।१५१।। Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : હે વત્સ ! વળી, જે આ મૂલભૂપતિના નિકટમાં દેખાય છે. તે આનો જ=મૂલયારિત્રધર્મનો જ, યતિધર્મ નામનો રાજ્યને ધારણ કરનારો શ્રેષ્ઠ પુત્ર છે. I/૧૫૧|| दशधायतिधर्मः શ્લોક : बहिर्विलोकिता भद्र! ये त्वया मुनिपुङ्गवाः । अत्यन्तवल्लभस्तेषामेष राजसुतः सदा ।।१५२।। દશ પ્રકારના યતિધર્મો શ્લોકાર્ચ - હે ભદ્ર! પ્રકર્ષ ! જે વળી તારા વડે બહાર મુનિપુંગવો જોવાયા. તેઓને આ રાજપુત્ર સદા અત્યંત વલ્લભ છે. II૧૫રા બ્લોક : यैरेष दशभिर्वत्स! परिवारितविग्रहः । मानुषाणि प्रकुर्वन्ति, तानि यत्तन्निबोध मे ।।१५३।। શ્લોકાર્ય : હે વત્સ ! જે દશ વડે પરિવારિત વિગ્રહવાળો શરીરવાળો, આ યતિધર્મરૂપ રાજપુત્ર છે. તે મનુષ્યો જે કરે છે તેને તું મને સાંભળ. ll૧૫all બ્લોક : योषिदाद्या क्षमा नाम, मुनीनामपि वल्लभा । तेषामुपदिशत्येषा, सदा रोषनिवारणम् ।।१५४ ।। શ્લોકાર્થ : આધ ક્ષમા નામની સ્ત્રી મુનિઓને વલ્લભ છે. તેઓને આ=ક્ષમા નામની સ્ત્રી, રોષનિવારણનો ઉપદેશ આપે છે. I૧૫૪ શ્લોક : डिम्भरूपमिदं तात! द्वितीयमिह मार्दवम् । करोति निजवीर्येण, साधूनामतिनम्रताम् ।।१५५।। Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે તાત ! પ્રકર્ષ ! આ ડિમભરૂપ બીજું માર્દવ અહીં=સંસારમાં, નિજવીર્યથી સાધુઓની અતિ નમ્રતાને કરે છે. ll૧૫૫ll શ્લોક : तृतीयमार्जवं नाम, डिम्भरूपमिदं सदा । सर्वत्र सरलं भावं, विधत्ते वत्स! सद्धियाम् ।।१५६।। શ્લોકાર્ચ - હે વત્સ! ત્રીજું ડિમ્મરૂપ આ આર્જવ સદા સર્વત્ર સબુદ્ધિવાળા સાધુઓના સરળભાવને કરે છે. ll૧૫૬ો. શ્લોક : एषा तु मुक्तता तात! चतुर्थी ललना सदा । નિઃસ વૃદિરન્તશ્ય, મુનીનાં રુ મન તા૨૧૭ના શ્લોકાર્ય : હે તાત ! પ્રકર્ષ ! વળી, આ ચોથી સ્ત્રી મુક્તતા મુનિઓના મનને સદા બહાર=બાહ્ય પદાર્થોમાં સંગ વગરનો કરે છે. અને અંતરંગ પ્રગટ થતી શક્તિઓના, ક્ષયોપશમમાં કે લબ્ધિઓમાં નિઃસંગ કરે છે. II૧૫૭ી. બ્લોક : तपोयोग इति ख्यातः, संशुद्धः पञ्चमो नरः । युक्तो द्वादशभिर्वत्स! स्वाङ्गिकैर्वरमानुषैः ।।१५८।। શ્લોકાર્ચ - હે વત્સ! તપોયોગ એ પ્રમાણે ખ્યાત સંશુદ્ધ પાંચમો મનુષ્ય પોતાના અંગભૂત એવા શ્રેષ્ઠ બાર મનુષ્યોથી યુક્ત છે. ll૧૫૮ll શ્લોક : एतेषां च प्रभावेण, मानुषाणां नरोत्तमः । यदेष कुरुते जैने, पुरे तत्ते निवेदये ।।१५९।। શ્લોકાર્થ : અને આ મનુષ્યોના પ્રભાવથી આ તપોયોગ નામનો નરોત્તમ જેનપુરમાં જે કરે છે. તે હું તને નિવેદન કરું છું. II૧૫૯ll Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : सर्वाहारपरित्यागानिःस्पृहं कुरुते जनम् । वीर्यं च वर्धयत्येष, कारयन्यूनभोजनम् ।।१६० ।। શ્લોકાર્ધ : આ તપોયોગ સર્વ આહારના પરિત્યાગથી મનુષ્યને નિઃસ્પૃહ કરે છે અને ન્યૂન ભોજનને= ઊણોદરીને, કરાવતો વીર્યને વધારે છે. ૧૬oll બ્લોક : अस्याऽऽदेशेन कुर्वन्ति, नानाऽभिग्रहसुन्दरम् । मुनयो वृत्तिसक्षेपं, शमसातविवर्धनम् ।।१६१।। શ્લોકાર્ચ - આના=વૃત્તિસંક્ષેપના આદેશથી મુનિઓ નાના અભિગ્રહથી સુંદર, શમરૂપી શાતાને વધારનારા એવા વૃત્તિસંક્ષેપને કરે છે. ll૧૬૧il શ્લોક - તથાरसभोगं न कुर्वन्ति, मोहोद्रेकादिकारणम् । अस्यादेशान्निषेवन्ते, कायक्लेशं सुखावहम् ।।१६२।। શ્લોકાર્ચ - અને મોહના ઉદ્રેક આદિના કારણ એવા રસભોગને કરતા નથી. આના આદેશથી રસત્યાગના આદેશથી, સુખાવહ એવા કાયક્લેશને શમભાવના સુખની પ્રાપ્તિનું કારણ એવા કાયક્લેશને, સેવે છે. ll૧૬રા. શ્લોક - कषायेन्द्रिययोगैश्च, सलीनास्तात! साधवः । विविक्तचर्यया नित्यमासते तेन चोदिताः ।।१६३।। શ્લોકાર્ચ - હે તાત ! કષાય, ઈન્દ્રિયો અને યોગ વડે સંલીન થયેલા સાધુઓ અને તેનાથી પ્રેરણા કરાયેલા=સંલીનતાથી પ્રેરણા કરાયેલા, નિત્ય વિવિક્ત ચર્યાથી બેસે છે. ll૧૬૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : प्रायश्चित्तं च दशधा, विनयं च चतुर्विधम् । वैयावृत्यं च कुर्वन्ति, दशधैवास्य वीर्यतः ।।१६४।। શ્લોકાર્થ : અને દશ પ્રકારનો પ્રાયશ્ચિત, ચાર પ્રકારનો વિનય અને દશ પ્રકારના વૈયાવચ્ચને આના વીર્યથી–તપના વીર્યથી, કરે છે. ||૧૬૪ll શ્લોક : पञ्चप्रकारं स्वाध्यायं, द्वेधा ध्यानं च सत्तमम् । सततं कारयत्येष, मुनिलोकं नरोत्तमः ।।१६५।। શ્લોકાર્ય : પાંચ પ્રકારનો સ્વાધ્યાય, બે પ્રકારનું ઉત્તમ ધ્યાન આ નરોતમeતપ નામનો નરોત્તમ, સતત મુનિલોકને કરાવે છે. I૧૬પી શ્લોક : गणोपधिशरीराणामाहारस्य च निःस्पृहाः । प्राप्ते काले प्रकुर्वन्ति, त्यागमेतेन चोदिताः ।।१६६।। શ્લોકાર્ચ - અને આનાથી પ્રેરણા કરાયેલા તપથી પ્રેરણા કરાયેલા, નિઃસ્પૃહ એવા મુનિઓ પ્રાપ્ત કાલમાં ગણ, ઉપધિ, શરીર અને આહારનો ત્યાગ કરે છે. ll૧૬૬ll શ્લોક : लेशोदेशादिदं वत्स! तपोयोगविचेष्टितम् । वणितं विस्तरेणास्य, वर्णने नास्ति निष्ठितिः ।।१६७।। શ્લોકાર્ચ - હે વત્સ! પ્રકર્ષ! લેશ ઉદ્દેશથી આ તપયોગનું વિશેષ ચેષ્ટિત વર્ણન કરાયું. વિસ્તારથી આના વર્ણનમાં નિષ્ઠિતિ=સમાપ્તિ નથી. ll૧૬૭ll શ્લોક : यस्त्वयं दृश्यते वत्स! षष्ठोऽमीषां मनोरमः । વ7મો મુનિનોચ, સંયમથ્થો નરોત્તમ: પાક્ટા Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે વત્સ ! જે વળી આ આમનો છઠો યતિધર્મનો છઠો, મનોરમ, મુનિલોકને વલ્લભ સંયમ નામનો નરોત્તમ દેખાય છે. ll૧૬૮. શ્લોક : स सप्तदशभिर्युक्तो, मानुषैजिनसत्पुरे । यथा विजृम्भते तात! तत्ते सर्वं निवेदये ।।१६९।। શ્લોકાર્થ : સત્તર મનુષ્યોથી યુક્ત તે સંયમ જૈનસપુરમાં જે પ્રમાણે વિલાસ પામે છે હે તાત ! પ્રકર્ષ ! તે સર્વ તને હું નિવેદન કરું છું. ll૧૬૯ll શ્લોક : पापास्रवपिधानेन, शान्तबोधनिराकुलम् । पञ्चेन्द्रियनिरोधेन, संतुष्टं विगतस्पृहम् ।।१७०।। कषायतापप्रशमाच्चित्तनिर्वाणबन्धुरम् । मनोवाक्काययोगानां, नियमेन मनोहरम् ।।१७१।। सततं धारयत्येष, मुनिलोकं नरोत्तमः । संयमाह्वः स्ववीर्येण, निमग्नं धृतिसागरे ।।१७२।। શ્લોકાર્થ : પાપના આસવના પિધાનથી=પાપરૂપી આસવના નિરોધથી, શાંતબોધથી નિરાકુલ, પાંચ ઈન્દ્રિયના નિરોધથી, સંતુષ્ટ વિગત સ્પૃહાવાળા, કષાયના તાપના પ્રશમથી, ચિત્તના નિર્વાણથી સુંદર, મનો, વા, કાય યોગના નિયમથી સુંદર એવા મુનિલોકને આ સંયમ નામનો નરોતમ, સ્વવીર્યથી તિસાગરમાં નિમગ્ન સતત ધારણ કરે છે. II૧૭૦થી ૧૭૨ાા શ્લોક : અથવાइलाजलानलगतामनिलाखिलशाखिनाम् । हिंसां द्वित्रिचतुष्पञ्चहषीकाणां निषेधति ।।१७३।। શ્લોકાર્ચ - અથવા સંયમના અન્ય પ્રકારના સત્તર ભેદોને અથવાથી બતાવે છે. ઈલા=પૃથ્વી, જલ, Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના ૨૭૧ અગ્નિગત જીવોની, હિંસાનો, અનિલ=પવન અને સર્વ વનસ્પતિની હિંસાનો, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયની હિંસાનો નિષેધ કરે છે સંયમ હિંસાનો નિષેધ કરે છે. II૧૭all શ્લોક : अचित्तमपि यद्वस्तु, हिंसाकरमसुन्दरम् । ग्रहणं तस्य यत्नेन, वारयत्येष संयमः ।।१७४।। શ્લોકાર્થ : વળી હિંસાને કરનાર અસુંદર જે અચિત્ત પણ વસ્તુ છે તેના ગ્રહણને આ સંયમ યત્નથી વારે છે. ll૧૭૪ll બ્લોક : प्रेक्षणं स्थण्डिलादीनां, गृहस्थानामुपेक्षणम् । स्थानादिकरणे सम्यक्, तद्भूमीनां प्रमार्जनम् ।।१७५।। શ્લોકાર્ય : સ્પંડિલ આદિનું પ્રેક્ષણ, ગૃહસ્થોનું ઉપેક્ષણ, સ્થાનાદિ કરણમાં તભૂમિનું સમ્યફ પ્રમાર્જન, I/૧૭૫ll શ્લોક : आहारोपधिशय्यानामशुद्धाधिकभावतः । परिष्ठापनमन्तश्च, मनोवाक्काययन्त्रणम् ।।१७६।। विमुक्तभवकर्तव्यैः, सततं सुसमाहितैः । मुनिभिः कारयत्येष, सर्वमेतन्नरोत्तमः ।।१७७।। શ્લોકાર્ય : અશુદ્ધ, અધિભાવથી=અશુદ્ધ ઉપાધિ કે અધિક પ્રાતિથી, આહાર, ઉપધિ, શય્યાનું પરિષ્ઠાપન, અંદર-આત્મામાં, મન, વચન, કાયાના નિયંત્રણને સંસારના કર્તવ્યથી મુક્ત એવા સુસમાહિત મુનિઓ વડે આ નરોત્તમ=સંયમ નામનો નરોત્તમ, આ સર્વને-પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વને, સતત કરાવે છે. II૧૭૬-૧૭૭ll શ્લોક : तदिदं लेशतो वत्स! चरितं परिकीर्तितम् । नरस्य संयमाख्यस्य, शेषाणां शृणु साम्प्रतम् ।।१७८ ।। Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે વત્સ ! તે આ=પૂર્વમાં વર્ણન કર્યું એ, સંયમ નામના પુરુષનું ચરિત=આચરિત, લેશથી કહેવાયું. શેષ પુરુષોનું હવે સાંભળ. ll૧૭૮II શ્લોક - य एष सप्तमो वत्स! दृश्यते पुरुषोत्तमः । यतिधर्मपरीवारे, सत्यनामातिसुन्दरः ।।१७९।। શ્લોકાર્ચ - હે વત્સ ! જે આ સાતમો સત્ય નામનો અતિસુંદર પુરુષોત્તમ યતિધર્મ પરિવારમાં દેખાય છે. II૧૭૯ll શ્લોક : हितं मिताक्षरं काले, जगदालादकारणम् । अस्यादेशेन भाषन्ते, वचनं मुनिपुङ्गवाः ।।१८०।। શ્લોકાર્ધ : આના આદેશથી સત્યના આદેશથી, મનિપુંગવો કાલે અવસરે, હિત=હિતને કરનારું, મિતાક્ષર પરિમિત અક્ષરવાળું, જગતના આહ્વાદનું કારણ એવું વચન બોલે છે. ll૧૮૦|| શ્લોક : शौचाभिधानो यो वत्स! वर्तते चाष्टमो नरः । द्रव्यभावात्मिकां शुद्धिमस्यादेशेन कुर्वते ।।१८१।। શ્લોકાર્ચ - હે વત્સ ! અને શૌચ નામનો જે આઠમો નર વર્તે છે, એના આદેશથી દ્રવ્ય-ભાવ આત્મિક શુદ્ધિને કરે છે=મુનિઓ કરે છે. ll૧૮૧ાા શ્લોક : यदिदं नवमं तात! डिम्भरूपं मनोहरम् । आकिञ्चन्यमिदं नाम, मुनीनामतिवल्लभम् ।।१८२।। अवाप्तसौष्ठवं वत्स! बाह्यान्तरपरिग्रहम् । मुनिभिर्मोचयत्येतच्छुद्धस्फटिकनिर्मलम् ।।१८३।। Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે તાત ! જે આ નવમું ડિભરૂપ મનોહર આ આકિંચન નામવાળું મુનિઓને અતિવલ્લભ, પ્રાપ્ત સૌષ્ઠવવાળું, શુદ્ધ સ્ફટિક જેવું નિર્મલ એવું આ=અકિંચન નામનું બાળક, હે વત્સ ! મુનિઓ વડે બાહ્ય-અંતરંગ પરિગ્રહને ત્યાગ કરાવે છે. II૧૮૨-૧૮૩ll શ્લોક : રૂદં તુ વશમં તાત! વિમરૂપ મનોદરમ્ ब्रह्मचर्यमिति ख्यातं, मुनीनां हृदयप्रियम् ।।१८४ ।। दिव्यौदारिकसम्बन्धं, मनोवाक्काययोगतः । अब्रह्म वारयत्येतत्कृतकारणमोदनैः ।।१८५।। શ્લોકાર્ચ - વળી હે તાત ! આ દશમું મનોહર બાળક રૂપ બ્રહ્મચર્ય એ પ્રમાણે ખાત મુનિઓના હૃદયને પ્રિય, દિવ્ય અને ઔદારિક સંબંધવાળા અબ્રહ્મને મન, વચન, કાયાના યોગથી કરણ, કરાવણ અને અનુમોદન વડે આ વારણ કરે છે. II૧૮૪-૧૮૫ll શ્લોક : तदेष दशभिर्वत्स! मानुषैः परिवारितः । पुरेऽत्र विलसत्येवं, यतिधर्मः स्वलीलया ।।१८६।। શ્લોકાર્ચ - હે વત્સ ! દશ મનુષ્યોથી પરિવારિત એવો તે આ યતિધર્મ સ્વલીલાથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, આ પુરમાં=જેનનગરમાં, વિલાસ કરે છે. I૧૮૬ાા શ્લોક : एषाऽत्र विलसद्दीप्तिर्बालिकाऽमललोचना । सद्भावसारता नाम, भार्याऽस्य मुनिवल्लभा ।।१८७।। શ્લોકાર્થ : અહીં=જેનનગરમાં, વિલાસ પામતી દીતિવાળી આ બાલિકા, અમલલોચનવાળી સર્ભાવસારતા નામવાળી આની ભાર્યા યતિધર્મની પત્ની, મુનિને વલ્લભ છે. ||૧૮૭ી. બ્લોક : अस्यां जीवति जीवन्त्यां, मरणेऽस्या न जीवति । अत्यर्थं रतचित्तोऽस्यां, राजसूनुरयं सदा ।।१८८।। Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : આ જીવતિ હોતે છતે જીવે છે=જ્યતિધર્મ જીવે છે. આના=સદ્ભાવસારતાના, મરણમાં જીવતો નથી-યતિધર્મ જીવતો નથી. આમાં=સદ્ભાવસારતામાં, આ રાજપુત્ર સદા રક્તચિત્તવાળો છે. ll૧૮૮II શ્લોક : किञ्चेह बहुनक्तेन? दाम्पत्यमिदमीदृशम् । निर्मिथ्यस्नेहगर्भार्थं, न दृष्टं कुत्रचिन्मया ।।१८९।। શ્લોકાર્થ : વધારે કહેવાથી શું? આમને આવા પ્રકારનું દામ્પત્ય નિર્મિધ્ય સ્નેહગર્ભાર્થવાળું ક્યાંય મારા વડે જોવાયું નથી. ll૧૮૯ll ભાવાર્થ : પૂર્વમાં ચારિત્રધર્મ ચાર મુખવાળું છે તેનું વર્ણન કર્યું અને બતાવ્યું કે ચિત્તસમાધાનમંડપમાં નિઃસ્પૃહતા નામની વેદિકા અને તેના ઉપર જીવવીરૂપ આસન છે અને તેના ઉપર ચાર મુખવાળા ચારિત્રધર્મરાજા બેસે છે. તેથી જે જીવોનું ચિત્ત સમાધાનને પામેલું છે, નિઃસ્પૃહ થવા માટે પ્રયત્નશીલ છે, વળી તેઓનું જીવવીર્ય આત્માના નિરાકુળભાવમાં સ્થિર થવા પ્રયત્નશીલ છે, તેઓના ચિત્તમાં ચારિત્રધર્મ રૂપ તીર્થકરો વસેલા છે. તેઓ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ તે જીવને સતત બતાવે છે અને તે જીવ સ્વશક્તિ અનુસાર તે ચારિત્રધર્મને સેવે છે. તેવા જીવો જૈનનગરમાં વસનારા છે. તે ચારિત્રધર્મની પત્ની વિરતિ છે અને તે વિરતિ પણ ચારિત્રના સમાનગુણ અને વીર્યવાળી છે. તેથી તે વિરતિ લોકોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને કષાયોની અનાકુળતા ઉત્પન્ન કરે છે તેથી લોકોને આલ્હાદ કરનારી છે અને ચારિત્રધર્મ સાથે તાદાસ્યભાવથી રહેલી છે. ચારિત્રનો પ્રથમ મિત્ર સામાયિક છે. વળી, ચારિત્રના અંગભૂત પાંચ મિત્ર રાજાઓ છે. જે સામાયિક આદિ પાંચ પ્રકારના સંયમના પરિણામરૂપ છે. જે જીવોને સંપૂર્ણ પાપની નિવૃત્તિ થઈ છે તે જીવોને આ સામાયિકનો પરિણામ કષાયોના ઉન્મેલનને અનુકૂળ યત્ન કરાવીને અનાદિના પાપના સંસ્કારો અને અસામાયિકના પરિણામથી સેવાયેલાં પાપ કરાવનારા કર્મો છે તેનો ઉચ્છેદ કરે છે; કેમ કે અસામાયિકના પરિણામથી જ જીવ કર્મબંધ કરે છે અને સામાયિકના પરિણામથી પૂર્વનાં બંધાયેલાં કર્મોનો નાશ કરે છે અને જેમ જેમ સામાયિકનો પરિણામ અધિક અધિક ક્ષયોપશમભાવવાળો થાય છે તેમ તેમ અસામાયિકથી સંચિત થયેલાં અનંતભવોનાં પાપો ક્ષીણ ક્ષીણતર થાય છે. આ સામાયિકનો પરિણામ જ ક્ષપકશ્રેણીમાં ક્ષાયિકભાવને અતિઆસન્ન બને છે ત્યારે તે મહાત્મા સંપૂર્ણ મોહનો નાશ કરીને વીતરાગ બને છે. જૈનપુરમાં રહેનારા સુસાધુઓ તે સામાયિકને સેવનારા છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વળી, ચારિત્રનો બીજો મિત્ર છેદોપસ્થાપનીય છે. જે જીવો પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં થાય છે તેઓ સામાયિકને સ્વીકાર્યા પછી વિશેષ તપ અને વિશેષ પકાયના પાલનનો ઉચિત બોધ કર્યા પછી છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત કરે છે. જેનાથી પૂર્વના સામાયિકના પરિણામમાં અતિશયતા આવે છે. અથવા કોઈપણ સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી પ્રમાદવશ કોઈક વિશિષ્ટ પાપ સેવે ત્યારે તેઓને મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે તેની શુદ્ધિ અર્થે છેદોપસ્થાપનીય સામાયિક દ્વારા વિશેષથી તે પાપનો નાશ કરવા સાધુઓ યત્ન કરે છે. વળી, ત્રીજો મિત્ર પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. પહેલા અને છેલ્લા તીર્થકરના કાળમાં અઢાર માસનો તપવિશેષ છે જેનાથી પરિહારવિશુદ્ધિ નામના ચારિત્રની મહાત્માઓને પ્રાપ્તિ થાય છે. જેનાથી વિશેષ પ્રકારના સામાયિકના પરિણામની જ પ્રાપ્તિ છે તોપણ સામાયિકચારિત્ર કરતાં છેદોપસ્થાપનીય ચારિત્ર જુદું છે તેમ પરિહારવિશુદ્ધ ચારિત્ર સંયમસ્થાનની અપેક્ષાએ જુદું છે. વળી, ચોથું સંયમસ્થાન સૂક્ષ્મ સંપરાય છે. જે ઉપશમશ્રેણીવાળા કે ક્ષપકશ્રેણીવાળા મુનિઓને દશમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે જ્યાં સૂક્ષ્મલોભ માત્ર ઉદયમાં આવે છે ઉપશમશ્રેણીવાળા ઉપશમના પરિણામવાળા છે. માત્ર સૂક્ષ્મલોભનો ઉદય છે અને ક્ષપકશ્રેણીવાળા મોહના ક્ષયના પરિણામવાળા છે અને સૂક્ષ્મલોભનો ઉદય છે તેથી તેઓને સામાયિકનો પરિણામ જ અતિશય નિર્મળ વર્તે છે. વળી, ત્યારપછી પાંચમો મિત્ર યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે. ભગવાને જે પ્રકારે સામાયિકનો પરિણામ કહ્યો છે તે પ્રકારે જ તેઓને ઉપશમભાવનો સામાયિકનો પરિણામ છે અને ક્ષાયિકભાવનો સામાયિકનો પરિણામ છે. ઉપશમશ્રેણીવાળા ૧૧મા ગુણસ્થાનકમાં રહેલા મુનિને યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે અને ક્ષપકશ્રેણીવાળા મુનિને ૧૨માં ગુણસ્થાનકે યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ થાય છે. વળી, આ ચારિત્રધર્મ અને વિરતિના સર્વવિરતિ અને દેશવિરતિરૂપ બે પુત્રો છે. તેમાંથી રાજ્યને ધારણ કરનાર શ્રેષ્ઠ પુત્ર યતિધર્મ છે. વળી જૈનનગરમાં જે સુસાધુઓ વર્તે છે તેઓને આ યતિધર્મરૂપ રાજપુત્ર અત્યંત પ્રિય છે. અને આ યતિધર્મ દશ પુરુષોથી પરિવારિત છે. તેથી એ પ્રાપ્ત થાય કે જૈનપુરમાં જેઓ રહેલા છે અને જેઓની ચિત્તવૃત્તિમાં પરમગુરુ સ્થિર વસેલા છે અને તેઓમાં વિરતિનો પરિણામ અત્યંત સ્કુરાયમાન થઈ રહ્યો છે, તેનાથી તે જીવો મોહનાશને અનુકૂળ યતમાન બને છે. તેથી યતમાન યતિ કહેવાય એ વ્યુત્પતિથી તે જીવોના ચિત્તમાં સદા યતિધર્મ વર્તી રહ્યો છે અને તે જીવો ક્ષમાદિ દશ ભાવોને સદા સેવનારા છે. (૧) વળી, મુનિઓને ક્ષમા નામનો પરિણામ સદા દોષનિવારણનો ઉપદેશ આપે છે. તેથી મુનિઓ દેહાદિના પ્રતિકૂળ ભાવોમાં લેશ પણ રોષ, અરુચિ આદિ ભાવો ન થાય તે પ્રકારે ક્ષમા નામના પરિણામથી યત્ન કરે છે. (૨) વળી, બીજો માર્દવ નામનો પરિણામ છે જેનાથી મુનિઓ સિદ્ધાવસ્થા અને સિદ્ધાવસ્થા પ્રત્યે પ્રસ્થિત એવા ઋષિઓ પ્રત્યે બહુમાનથી સદા નમ્ર વર્તે છે. જેથી લોકોના સત્કારાદિના ભાવોને કારણે પણ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેઓને માનકષાયનો ઉદય થતો નથી. જેના બળથી તેઓનો યતમાન એવો યતિભાવ હણાતો નથી. (૩) વળી, મુનિઓને ત્રીજો આર્જવ નામનો પરિણામ છે જેનાથી સંયમજીવનમાં અલ્પ પણ ક્ષતિ થાય તેના નિવારણ માટે સરળભાવથી ગુરુ આદિને નિવેદન કરીને શુદ્ધિ માટે મુનિઓ યત્ન કરે છે અને સંયમની સર્વ ક્રિયા મોહનાશ માટે પોતે કરતા ન હોય છતાં હું સાધુ છું એવો વક્ર સ્વભાવ ધારણ કરતા નથી. પરંતુ સરળભાવે પોતાના માર્ગાનુસારી યત્નને જોનારા હોય છે અને જે ભાવ પોતે કરી શકતા નથી તેને સમ્યક્ કરવા માટે સરળભાવથી યત્ન કરે છે. આ પ્રકારનો આર્જવભાવ મુનિનો ત્રીજા પ્રકારનો યતિધર્મ છે. (૪) વળી, મુક્તતા નામનો ચોથો ધર્મ સાધુને બાહ્ય સ્વજનાદિ, ભક્તવર્ગ કે અનુકૂળ ભાવોમાં નિઃસંગ કરે છે અને અંતરંગ કષાયો અને નોકષાયોમાં સંગ કર્યા વગર તેના ઉચ્છેદને અનુકૂળ અપ્રમાદથી યત્ન કરાવે છે. (૫) વળી, પાંચમો તપયોગ નામનો યતિધર્મ છે, જે બાર મનુષ્યોથી વીંટાળાયેલો છે જે બાર પ્રકારના તપ સ્વરૂપ છે. અને મુનિ અપ્રમાદથી સંયમયોગમાં પ્રયત્ન કરતા હોય ત્યારે તે બારે પ્રકારના તપને સ્વશક્તિ અનુસાર અવશ્ય સેવનારા છે. વળી, તે તે કાળે તે તે તપ કૃત્યરૂપે દેખાય છે અને અન્ય તપ સાક્ષાત્ કૃત્યરૂપે ન હોય તોપણ ફલથી તે તપનું સેવન મુનિઓ કરે જ છે. બાર પ્રકારના તપમાં અનશન નામનો પ્રથમ તપનો ભેદ મુનિને આહારનો ત્યાગ દ્વારા નિઃસ્પૃહ કરે છે. છતાં કોઈક સાધુનું તે પ્રકારનું શરીરબળ ન હોય તો કુરગડુ મુનિ આદિની જેમ સાક્ષાત્ આહારનો ત્યાગ કરતા નથી. તોપણ અણાહારીભાવ પ્રત્યેના અત્યંત પક્ષપાતવાળા તે કુરગડુ મુનિની જેમ નિઃસ્પૃહચિત્ત અવશ્ય કરે છે. તેથી શક્તિ અનુસાર અનશનતપ પણ કરે છે અને શક્તિનો અભાવ હોય ત્યારે જે કૃત્યથી નિઃસ્પૃહતા થતી હોય તે કૃત્ય સેવીને અનશનતપ ફલથી પ્રાપ્ત કરે છે. વળી, ઊણોદરી નામનો તપ પોતાના સંયમના ઉપખંભક રૂપે જે ભોજન આવશ્યક છે તેમાં પણ કંઈક ન્યૂનભોજન કરીને નિઃસ્પૃહ થવાને અનુકૂળ વીર્યની વૃદ્ધિ કરે છે. વળી, આના ઉપદેશથી=વૃત્તિસંક્ષેપના ઉપદેશથી, મુનિઓ અનેક પ્રકારના સુંદર અભિગ્રહો કરે છે. જેનાથી શમરૂપી સુખની વૃદ્ધિ થાય છે. તેથી મુનિઓ સંયમને ઉપકારક જણાય ત્યારે જ શમભાવના પરિણામની વૃદ્ધિ થાય તે રીતે ભિક્ષા માટે જાય છે અને વિચારે છે કે શુદ્ધભિક્ષા મળશે તો સંયમની વૃદ્ધિ કરીશ અને નહીં મળે તો તપ દ્વારા દઢ યત્ન કરીને હું સંયમની વૃદ્ધિ કરીશ. આ પ્રકારના પરિણામવાળા મુનિઓ પણ પોતાની નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિમાં પણ જે ગ્રહણ કરવાની વૃત્તિઓ છે તેમાં સંકોચ કરવા અર્થે અભિગ્રહો ગ્રહણ કરે છે કે આ રીતે મને ભિક્ષા મળશે તો હું ભિક્ષા ગ્રહણ કરીશ અન્યથા તપ દ્વારા સંયમની વૃદ્ધિ કરીશ. તેથી નિર્દોષ ભિક્ષાથી સંયમ ગ્રહણ કરીને તપની વૃદ્ધિનો જે અધ્યવસાય હતો તેમાં પણ વૃત્તિઓનો સંકોચ કરીને મુનિઓ સમભાવરૂપી સુખની વૃદ્ધિ કરે છે. જે વૃત્તિસંક્ષેપ નામના તપનું કાર્ય છે. વળી, મુનિઓ ઇન્દ્રિયોને અનુકૂળ રસોનો ત્યાગ કરીને તે અનુકૂળ ભાવોમાં મોહના ઉદ્રકનું નિવારણ કરે છે; કેમ કે ઇન્દ્રિયોને અનુકૂળ રસો દેહના ઉપખંભક દ્વારા સંયમની આરાધનામાં સહાયક હોવા છતાં તત્કાલ મોહ ઉદ્રક આદિનું કારણ પણ બને છે. તેથી તે સુંદર રસવાળો આહાર સંયમની પ્લાનિનું કારણ બને છે, તેના Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૭૭ રક્ષણ અર્થે ઇન્દ્રિયોને અનુકૂળ રસનો ત્યાગ મુનિઓ કરે છે, જેનાથી સંયમનું વીર્ય વૃદ્ધિ પામે છે. વળી, મુનિઓ સંયમની વૃદ્ધિમાં સહાયક થાય તેવા કાયક્લેશ નામના તપને કરે છે, જેનાથી કાયાની શાતા પ્રત્યેનો જે મમત્વભાવ છે તેનું શમન થવાથી સમભાવની વૃદ્ધિ થાય છે, તેથી કાયક્લેશ સુખને લાવનારું છે. વળી, સંલીનતા નામનો બાહ્યતપ કરીને મુનિઓ કષાયોને સંલીન કરે છે, ઇન્દ્રિયોને સંલીન કરે છે અને મન, વચન, કાયાના યોગોને સંલીન કરે છે. તેથી નિમિત્તોને પામીને કષાયો ન પ્રવર્તે, ઇન્દ્રિયો ન પ્રવર્તે અને મન, વચન, કાયાના યોગો ન પ્રવર્તે તે અર્થે હંમેશાં મુનિઓ વિવિધ ચર્યાથી રહે છે અર્થાત્ કષાયો, ઇન્દ્રિયો અને યોગો અન્ય સાથે સંગને ન પામે તેવા એકાંત સ્થાનમાં બેસીને આત્માને અત્યંત તત્ત્વથી ભાવિત કરવા યત્ન કરે છે. વળી, સાધુઓ થયેલાં પાપોની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત નામનું તપ કરીને ચિત્તનું શોધન કરે છે, જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય એ રૂપ ચાર પ્રકારના વિનયને સેવીને ગુણો તરફ જવા યત્ન કરે છે, કેમ કે જેનાથી કર્મનું વિનયન થાય તે વિનય છે, તેથી કર્મના વિનયનના કારણભૂત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્રના પરિણામ પ્રત્યે અત્યંત નમેલા પરિણામવાળા થઈને કર્મનું વિનયન કરે છે અને ગુણવાન પુરુષના ગુણોનું સ્મરણ કરીને ઉપચારવિનય દ્વારા કર્મનું વિનયન કરે છે. વળી, મુનિઓ શક્તિના પ્રકર્ષથી દશ પ્રકારના વૈયાવચ્ચને કરે છે, તેથી જે સંયોગમાં જે પ્રકારના વૈયાવચ્ચની પોતાની શક્તિ હોય તે પ્રકારે આચાર્યાદિના વૈયાવચ્ચને કરીને ગુણના અતિશયને પ્રગટ કરવા અર્થે મુનિઓ યત્ન કરે છે. વળી, પોતાની ભૂમિકાનુસાર વાચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરીને મુનિઓ કર્મની નિર્જરા કરે છે. વળી, મુનિઓ ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાંથી જે પ્રકારની પોતાની શક્તિ હોય તે પ્રકારે તેને સેવીને કર્મની નિર્જરા કરે છે; કેમ કે શુભધ્યાન ગુણવૃદ્ધિમાં જ પ્રયત્ન કરાવે છે અને ગુણવૃદ્ધિથી તે તે ગુણનાં પ્રતિબંધક કર્મોની નિર્જરા થાય છે અને તેઓની સાથે પૂર્વમાં બંધાયેલા અશુભકર્મની નિર્જરા થાય છે. વળી સાધુઓ સંયમ ગ્રહણ કરે છે ત્યારથી જ નિઃસ્પૃહ થવા યત્ન કરે છે અને અંત સમયે અત્યંત નિઃસ્પૃહ થયેલા અને મૃત્યુનો પ્રાપ્તકાલ જણાય ત્યારે પોતાના ગણ, ઉપાધિ અને પોતાના શરીરનો ત્યાગ કરે છે અને આહારનો ત્યાગ કરે છે જેનાથી વિશેષ પ્રકારની નિર્જરા કરીને મોક્ષસાધક એવા ઉત્તમદેવભવને પ્રાપ્ત કરે છે. (૯) સંયમ :- વળી, સાધુઓનો સંયમ નામનો છઠો પરિણામ છે. જે ભાવસાધુઓ છે તેઓ સતત ૧૭ પ્રકારના સંયમના પરિણામથી આત્માને ભાવિત કરે છે જેનાથી પાપરૂપી આસવો રોકાય છે, પાપને કરનારી સંશ્લેષવાળી પરિણતિ ક્ષીણ, ક્ષીણતર થાય છે. પાંચ ઇન્દ્રિયોના નિરોધથી સંતુષ્ટ થયેલા વિગતસ્પૃહાવાળા તે મુનિઓ બને છે, તેથી તેઓના ચિત્તમાં ૧૭ પ્રકારના સંયમના બળથી કષાયોના તાપનું શમન થાય છે, પ્રશમના પરિણામથી ચિત્ત નિર્વાણને અભિમુખ પ્રવર્તે છે, તેથી સંયમ નામનો પરિણામ મુનિઓને ધૃતિરૂપી સાગરમાં નિમગ્ન કરે છે તેમાં મોહનાશને અનુકૂળ અસંગભાવમાં જવાને અનુકૂળ વૃતિ સતત સંયમના પરિણામથી વૃદ્ધિ પામે છે. વળી, ૧૭ પ્રકારના સંયમ બતાવે છે. સાધુ પૃથ્વી આદિ પાંચ. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોની હિંસાનું નિવારણ કરે છે, અર્થાત્ મનથી, વચનથી, કાયાથી આ નવ પ્રકારના જીવોમાંથી કોઈ જીવને પીડા ન થાય, કોઈનો પ્રાણનાશ ન થાય અને કોઈ જીવને કષાયનો Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ઉદ્રક ન થાય તે પ્રકારનો સૂક્ષ્મ યત્ન કરે છે. વળી, જે અચિત્ત વસ્તુ છે જેના ગ્રહણથી કોઈ બાહ્ય જીવની હિંસાનો સંભવ હોય અથવા જેના ગ્રહણથી આત્માને રાગ-દ્વેષની પરિણતિરૂપ મમત્વ થવાનો સંભવ હોય તેવી વસ્તુને ગ્રહણ કરવાના યત્નથી આ સંયમ ધારણ કરે છે. આથી જ નિર્દોષ અચિત્ત ભિક્ષા પણ ઇન્દ્રિયોના ભાવોનું પોષણ થાય તેવી હોય તો અચિત્ત પણ ભિક્ષા સુસાધુ ગ્રહણ કરતા નથી. વળી જ્યાં કોઈ વસ્તુને પરઠવવાની આવશ્યકતા હોય તેવી ભૂમિનું પણ સમ્યફ પ્રેક્ષણ કરીને પરઠવે છે. અને જે સ્થાનમાં બેસવું હોય કે ઊભું રહેવું હોય તે ભૂમિને પણ સમ્યક્ પ્રમાર્જન કરીને ત્યાં બેસે છે અને ગૃહસ્થ પ્રત્યે કોઈ પ્રકારનું મમત્વ ન થાય તે પ્રકારે ઉપેક્ષા કરે છે. ફક્ત તેઓના હિત અર્થે ઉપદેશના પ્રયોજનથી કે અન્ય કોઈ પ્રયોજનથી ઉચિત ભાષણ માત્ર કરે છે પરંતુ ચિત્તમાં આત્માના ગુણોથી અન્યત્ર ક્યાંય સ્નેહભાવ ન થાય તે પ્રકારે ગૃહસ્થોની ઉપેક્ષા કરે છે. વળી, આહાર, ઉપધિ કે શય્યા કોઈક રીતે અશુદ્ધ પ્રાપ્ત થઈ હોય કે સંયમમાં ઉપખંભક હોય તેનાથી અધિક પ્રાપ્ત થઈ હોય તો યતનાપૂર્વક પરિષ્ઠાપન કરે છે. જેથી સંયમના ઉપ-કરણથી અધિક સંગ્રહનો પરિણામ થાય નહીં. વળી મન-વચન-કાયાનું અંતરંગભાવમાં નિયંત્રણ કરે છે. જેથી આત્માના નિરાકુળ સ્વભાવને સ્થિર સ્થિરતર કરવામાં જ તે મહાત્માના ત્રણે યોગો પ્રવર્તે છે. આ પ્રકારે સત્તરભેદથી આત્માને સંયમથી નિયંત્રિત કરીને મુનિઓ મોહાદિ સૈન્યનો સતત ક્ષય કરે છે. સંક્ષેપથી સંયમનું સ્વરૂપ બતાવતાં કહે છે – સંયમ ભવનાં કર્તવ્યોથી મુનિઓને વિમુક્ત કરે છે અર્થાત્ સંસારી જીવો જેમ જીવનવ્યવહાર અર્થે અને ભોગાદિ અર્થે જે સામગ્રીસંચય આદિની પ્રવૃત્તિ કરે છે તે સર્વથી મુનિઓને આ સંયમ દૂર કરે છે. અને મુનિઓને સતત સુસમાધાનવાળા કરે છે અર્થાત્ આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર સ્થિરતર થવા સિવાય મારે અન્ય કંઈ ઉપયોગી નથી એ પ્રકારે સુસમાધાનવાળા છે. તેથી અત્યંત સમાધાનને પામેલા મુનિઓ જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરીને જિનતુલ્ય થવા સર્વ ઉદ્યમ કરે છે. આ સંયમ નામનો ધર્મ મુનિઓને તે ઉદ્યમ કરાવે છે, જે મુનિઓનું પહેલું મહાવ્રત છે. (૭) સત્ય:- વળી, સાતમો સત્ય નામનો પુરુષ યતિધર્મ નામના પરિવારમાં છે જે જીવને સુંદર પ્રકૃતિને કરનાર હોવાથી અતિસુંદર છે. આથી જ સત્ય નામના પુરુષથી મુનિઓ સંયમના પ્રયોજનથી જ્યારે ભાષણ કરે ત્યારે તે વચન એકાંતે સ્વ-પરના હિતનું કારણ હોય તેવું જ બોલે છે અને હિતમાં ઉપયોગી હોય તેટલા જ પરિમિત અક્ષરોમાં ઉચિત કાલે બોલે છે. વળી મુનિઓનું તે વચન ષટ્કાયના પાલનના અધ્યવસાયથી નિયંત્રિત હોવાથી જગતવર્તી સર્વ જીવોના આલ્લાદનું જ કારણ છે; કેમ કે સંસારી જીવો તે તે કષાયને વશ થઈને જેમ બોલે છે તેમ મુનિઓ કષાયને વશ થયા વગર જિનવચનનું સ્મરણ કરીને ઉચિતકાળે ઉચિત રીતે જ ભાષણ કરે છે. જે સત્યવચન નામનો યતિધર્મ છે. જે બીજું મહાવ્રત છે. (૮) શૌચ - વળી, શૌચ નામનો આઠમો યતિધર્મ છે જે સાધુને દ્રવ્ય અને ભાવશુદ્ધિને કરાવે છે. આથી જ સુસાધુ દ્રવ્યથી આહારાદિના અશુદ્ધિનો પરિહાર કરે છે અને ભાવથી તીર્થકર અદત્તાદાનાદિ ચાર અદત્તાદાનનો પરિહાર કરે છે. તેથી તીર્થકરની આજ્ઞાનું સ્મરણ કરીને સંયમને ઉપખંભક હોય તેવાં જ આહાર, વસતિ, ઉપાધિ ગ્રહણ કરે છે અને તેને ગ્રહણ કર્યા પછી સંયમની વૃદ્ધિમાં કારણ બને તે રીતે યત્ન Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કરે છે, જેનાથી તીર્થકર અદત્તનો પરિહાર થાય છે. એ રીતે જ સ્વામી-અદત્ત, જીવઅદત્ત અને ગુરુઅદત્તનો પરિહાર કરીને સુસાધુ આત્માને શુચિ કરે છે અર્થાત્ પવિત્ર કરે છે તે અદત્તાદાનના પરિહારરૂપ ત્રીજું મહાવ્રત છે. (૯) અકિંચન :- વળી નવમો યતિધર્મ અકિંચન છે. જે મુનિઓને અતિવલ્લભ છે અને મુનિઓને મનોહર કરે છે. તેથી સ્વયં પણ મનોહર છે અને જેના બળથી મુનિઓ સતત ભાવન કરે છે કે મારું કંઈ નથી, હું કેવલ આત્મા છું. નિરાકુલ સ્વરૂપ હું છું. દેહ હું નથી, ધનાદિ હું નથી. બાહ્ય પદાર્થો કોઈ મારા નથી. આ પ્રકારે અકિંચનભાવનાથી ભાવિત થઈને મુનિ જગતના સર્વ ભાવો પ્રત્યે પરમ ઉપેક્ષાભાવવાળા થાય છે અને આત્માના નિરાકુળસ્વભાવમાં સ્થિર થાય છે અને તેના સ્વૈર્ય અર્થે તે તે કાળમાં તે તે સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે. જે સર્વ ક્રિયા અકિંચનભાવનાથી ભાવિત ચિત્તના નિયંત્રણથી મુનિઓ કરે છે, જે મુનિઓને બાહ્ય અને અંતરંગ પરિગ્રહ રહિત કરે છે અર્થાત્ બાહ્ય પદાર્થો પ્રત્યે અસંશ્લેષવાળું ચિત્ત કરે છે અને અંતરંગ કષાયોમાં અપ્રવર્તન થાય તેવા ચિત્તને પ્રવર્તાવે છે. જેથી મુનિનું ચિત્ત શુદ્ધ સ્ફટિક જેવું નિર્મલ નિર્મલતર થાય છે; કેમ કે પરિગ્રહથી જ ચિત્ત અનિર્મલ થાય છે અને અપરિગ્રહ ભાવનાથી ચિત્ત નિર્મલ થાય છે. આ અકિંચન સાધુનું પાંચમું મહાવ્રત છે. (૧૦) યતિધર્મ - વળી દશમો યતિધર્મ બ્રહ્મચર્ય છે જે આત્માના બ્રહ્મ સ્વભાવમાં જવામાં અત્યંત મુનિઓને પ્રવર્તક છે. બ્રહ્મસ્વભાવમાં જવામાં અત્યંત બાધક વેદના ઉદયજન્ય વિકારો છે અને તે વિકારો વિક્રિય શરીર સંબંધી કે ઔદારિક શરીર સંબંધી સ્ત્રીઓ પ્રત્યેના રાગનો પરિણામ છે. જ્યાં સુધી વેદનો ઉદય છે, ત્યાં સુધી નિમિત્તને પામીને તે પ્રકારનો ભાવ જીવને થવાનો સંભવ છે તોપણ દશમા યતિધર્મનું અવલંબન લઈને મુનિઓ મન-વચન-કાયાને તે રીતે પ્રવર્તાવે છે કે જેથી અબ્રહ્મ કૃત, કારણ, અનુમોદનથી ચિત્તમાં સ્થાન પ્રાપ્ત કરતું નથી. જેથી આત્મામાં રહેલા વેદના ઉદયની શક્તિ સતત ક્ષીણ થાય છે અને અવેદી થવાને અનુકૂળ મુનિઓ બ્રહ્મચર્યના બળથી શક્તિસંચયવાળા થાય છે. મુનિઓનું આ ચોથુ મહાવ્રત છે. વળી, આ યતિધર્મની પત્ની સદ્ભાવસારતા છે અર્થાત્ આત્માનો સદ્ભાવ સિદ્ધાવસ્થાતુલ્ય જીવની પરિણતિ છે અને તેને પ્રગટ કરવું તે જ મુનિઓ માટે સાર છે. તેથી મુનિઓ તેવા સદ્ભાવસારતાના પરિણામથી આત્માને અતિ વાસિત કરે છે અને આ સર્ભાવસારતા મુનિના ચિત્તમાં વર્તે તો દશવિધ યતિધર્મ જીવે છે. અને આ સર્ભાવસારતાથી અભાવિત મુનિનું ચિત્ત થાય ત્યારે મુનિના ચિત્તમાં યતિધર્મનું મૃત્યુ થાય છે. તેથી યતિધર્મ સભાવસારતા પ્રત્યે અત્યંત રક્તચિત્તવાળો છે. द्वादशव्रतयुक्तगृहिधर्मवर्णनम् બ્લોક : यः पुनदृश्यते तात! द्वितीयोऽयं कुमारकः । गृहिधर्माभिधानोऽसौ, कनिष्ठोऽस्य सहोदरः ।।१९०।। Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બાર વ્રતથી યુક્ત ગૃહીધર્મનું શ્રાવકધર્મનું વર્ણન શ્લોકાર્ય : વળી, હે તાત પ્રકર્ષ ! જે આ બીજો કુમાર દેખાય છે. એ આનો-યતિધર્મનો, કનિષ્ઠ સહોદર ગૃહિધર્મ નામવાળો છે. ll૧૯oll શ્લોક : यदेष कुरुते वत्स! युक्तो द्वादशमानुषैः । जैनेन्द्रसत्पुरे चित्तं, लसनुद्दामलीलया ।।१९१।। तदहं वर्णयिष्यामि, पुरतस्ते वरेक्षण!। चेतः समाहितं कृत्वा, तच्च वत्साऽवधारय ।।१९२।। युग्मम्।। શ્લોકાર્ય : હે વત્સ પ્રકર્ષ ! બાર મનુષ્યોથી યુક્ત એવો જે બાર વ્રતોથી યુક્ત એવો જે આeગૃહિધર્મ, જેન સત્પરમાં ઉદ્દામલીલાથી વિલાસ પામતા એવા ચિત્તને કરે છે તેને હું તારી આગળ વર્ણન કરીશ. અને તે શ્રેષ્ઠ નેત્રવાળા પ્રકર્ષ, સમાહિત ચિત્તને કરીને તેના સ્વરૂપને જાણવામાં દઢ યત્નવાળા ચિત્તને કરીને અને હે વત્સ ! તેને તું અવધારણ કર. ll૧૯૧-૧૯૨ાાં શ્લોક : अत्यन्तस्थूलहिंसायाः, क्वचिद्विरतिसुन्दरम् । स्थूलालीकनिवृत्तं च, करोत्येष पुरे जनम् ।।१९३।। શ્લોકાર્ચ - ક્વચિત્ અત્યંત સ્થૂલ હિંસાની વિરતિ દ્વારા સુંદર, સ્થૂલ અલીકના=મૃષાવાદના, નિવૃત્તિરૂપ જનને પુરમાં=જેનપુરમાં, આ=ગૃહિધર્મ કરે છે. ll૧૯૩I શ્લોક : स्थूलस्तेयनिवृत्तं च, परदारपराङ्मुखम् । क्वचित्संक्षिप्तमानं च, सकलेऽपि परिग्रहे ।।१९४ ।। परित्यक्तनिशाभक्तं, कृतमानं च संवरे । युक्तोपभोगसम्भोगं, कर्मानुष्ठानकारकम् ।।१९५।। अनर्थदण्डविरतं, सामायिकरतं सदा । देशावकाशिके सक्तं, पौषधे कृतनिश्चयम् ।।१९६।। Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ अतिथेः संविभागेन, परिपूतमनोमलम् । करोत्येष जनं वत्स! गृहिधर्मोऽत्र सत्पुरे ।।१९७।। શ્લોકાર્ચ - અને સ્થૂલ તેયની નિવૃત્તિવાળા, પરદારાને પરામુખ અને સકલ પણ પરિગ્રહમાં ક્વચિત સંક્ષિપ્તમાન, પરિત્યાગ કર્યો છે રાત્રિભોજન જેણે એવા, સંવરમાં કૃતમાનવાળા=દિશાઓના સંવરમાં કરેલા પ્રમાણવાળા, યુક્ત ઉપભોગ-સંભોગવાળા અને કર્માનુષ્ઠાનકારક કર્માદાનના ત્યાગપૂર્વક અ૫ આરંભ-સમારંભવાળા કર્માનુષ્ઠાનના કારક, અનર્થદંડથી વિરત, સદા સામાયિકમાં રક્ત, દેશાવગાસિકમાં સક્ત, પૌષધમાં કૃતનિશ્ચયવાળા, અતિથિ સંવિભાગ દ્વારા પવિત્ર કર્યો છે મનનો મલ જેણે એવા જનને આ ગૃહિધર્મ હે વત્સ ! આ સત્પરમાં કરે છે. ll૧૯૪થી ૧૯૭ના શ્લોક : यो यावन्तं करोत्यत्र, निर्देशं शक्तितो जनः । तस्य तावत्करोत्येष, फलं नास्त्यत्र संशयः ।।१९८ ।। શ્લોકાર્ય : વળી, અહીં જેનપુરમાં, જેટલા નિર્દેશને ભગવાને કહેલા વચનને શક્તિથી જે જન કરે છે તેને આeગૃહિધર્મ, તેટલા ફલને કરે છે. એમાં સંશય નથી. II૧૯૮૫ શ્લોક : या त्वेषा बालिका वत्स! विस्फारितवरेक्षणा । दृश्यतेऽस्यैव भार्येयं, नाम्ना सद्गुणरक्तता ।।१९९।। શ્લોકાર્ચ - જે વળી હે વત્સ ! આ બાલિકા વિસ્ફારિત શ્રેષ્ઠ ચક્ષવાળી દેખાય છે એ આની જ પત્નીનું ગૃહિધર્મની પત્ની, નામથી સગુણરક્તતા છે. ll૧૯૯ll. શ્લોક : वत्सला मुनिलोकस्य, गुरूणां विनयोद्यता । ભર્તરિ સ્કૂદવાં, વ! સUરતા ર૦૦પા શ્લોકાર્થ : હે વત્સ ! મુનિલોકને વત્સલ, ગુરુઓના વિનયમાં ઉધત માતા-પિતાદિ ગુરુવર્ગના વિનયમાં ઉધત, ભર્તા એવા ગૃહિધર્મમાં સ્નેહથી બદ્ધ એવી આ સગુણરક્તતા છે. ll૨૦૦IL. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदेतौ जैनलोकानां, राजपुत्रौ सभार्यको । विज्ञातव्यौ प्रकृत्यैव, सततानन्दकारको ।।२०१।। શ્લોકાર્ચ - તે કારણથી=પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્વરૂપવાળા યતિધર્મ અને ગૃહિધર્મ બે રાજપુત્રો છે તે કારણથી, ભાર્યા સહિત આ બે રાજપુત્રો પ્રકૃતિથી જ જેનલોકોને સતત આનંદકારક જાણવા. Il૨૦૧૫ सम्यग्दर्शनसुदृष्टी શ્લોક : अनयोश्च सदा पित्रा, विहितः परिपालकः । अयं महत्तमो वत्स! सम्यग्दर्शननामकः ।।२०२।। સમ્યગ્દર્શન અને તેની પત્ની સુદષ્ટિ શ્લોકાર્ય : હે વત્સ ! સદા પિતા દ્વારા ચારિત્રધર્મ દ્વારા, આ બેનો પરિપાલક કરાયેલો આ મહત્તમ સમ્યગ્દર્શન નામનો છે. ૨૦૨ા. શ્લોક : अनेन रहितावेतौ, दृश्येते न कदाचन । एतौ हि वर्धयत्येष, निकटस्थोऽतिवत्सलः ।।२०३।। શ્લોકાર્ય : આનાથી રહિત=સમ્યગ્દર્શનથી રહિત, એવા આ બંને યતિધર્મ અને ગૃહસ્થઘર્મ, ક્યારેય દેખાતા નથી. દિ=જે કારણથી, નિફ્ટમાં રહેલો અતિવત્સલ એવો આ સમ્યગ્દર્શન, આ બંનેને વધારે છે યતિધર્મ અને ગૃહિધર્મ બંનેને વધારે છે. ll૨૦૩ll શ્લોક : अन्यच्चयानि ते कथितान्यत्र, सप्त तत्त्वानि सत्पुरे । दृढनिश्चयमेतेषु, भवचक्रपराङ्मुखम् ।।२०४।। Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના ૨૮૩ शमसंवेगनिर्वेदकृपाऽऽस्तिक्यविराजितम् । मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यैर्भावितात्मकम् ।।२०५।। सदा प्रयाणकारूढं, निर्वृतौ गमनेच्छया । करोत्येष जनं वत्स! सम्यग्दर्शननामकः ।।२०६।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ય : અને બીજું, હે વત્સ! આ સમ્યગ્દર્શન નામનો મહત્તમ જે તને આ સત્પરમાં સાત તત્ત્વોત્રજીવાદિ સાત તત્ત્વો, કહેવાયાં તેમાં દઢ નિશ્ચયવાળા ભવચક્રથી પરામ્બુખ, શમ, સંવેગ, નિર્વેદ, કૃપા, આસિક્યથી વિરાજિત, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યચ્યથી ભાવિત સ્વરૂપવાળા, નિવૃત્તિમાં જવાની ઈચ્છાથી સદા પ્રયાણકમાં આરૂઢ એવા જનને કરે છે. ll૨૦૪થી ૨૦૬ll શ્લોક : या त्वेषा दृश्यते वत्स! शुभवर्णा मनोहरा । इयमस्यैव सद्भार्या, सुदृष्टि म विश्रुता ।।२०७।। શ્લોકાર્ચ - હે વત્સ ! વળી જે આ શુભવર્ણવાળી મનોહર સ્ત્રી દેખાય છે એ આની સસ્માર્યા=સમ્યગ્દર્શનની સભાર્યા, સુદષ્ટિ નામની સંભળાય છે. ll૨૦૭ી. શ્લોક : इयं हि जैनलोकानां, सन्मार्गे वीर्यशालिनी । चित्तस्थैर्यकरी ज्ञेया, विधिना पर्युपासिता ।।२०८।। શ્લોકાર્ચ - વીર્યશાલી એવી આ વિધિથી પર્યાપાસના કરાયેલી સન્માર્ગમાં જેનલોકોના ચિત્તના સ્વૈર્યને કરનારી જાણવી. ર૦૮II બ્લોક : एवं च स्थितेयोऽसौ निवेदितस्तुभ्यं, कुदृष्टिसहितः पुरा । विचित्रचरितस्तात! महामोहमहत्तमः ।।२०९।। શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે સમ્યગ્દર્શનની સુદષ્ટિભાર્યા જેનલોકોના સન્માર્ગમાં ચિત્તના Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ધૈર્યને કરનારી છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, હે તાત ! જે આ કુદષ્ટિ સહિત વિચિત્ર ચરિત્રવાળો મહામોહ મહત્તમ પૂર્વે તને નિવેદિત કરાયો. ||૨૦૯ll શ્લોક : तदाचारविरुद्धं हि, सर्वमस्य विचेष्टितम् । विज्ञेयं जगदानन्दं, सुविचारितसुन्दरम् ।।२१०।। શ્લોકાર્ય : તેના આચારથી વિરુદ્ધ=મહામોહ મહત્તમના આચારથી વિરુદ્ધ, સુવિચારથી સુંદર જગતને આનંદવાળું, આનું=સમ્યગ્દર્શનનું, સર્વ વિચેષ્ટિત, જાણવું. ll૧૦|| શ્લોક - स तन्त्रयति यत्नेन, महामोहबलं सदा । चारित्रधर्मराजस्य, बलमेष महत्तमः ।।२११।। શ્લોકાર્થ : ત=સમ્યગ્દર્શન યત્નથી સદા મહામોહના બલને નિયંત્રિત કરે છે=જીવના હિતમાં પ્રવર્તે તે રીતે પ્રશસ્તભાવોમાં પ્રવર્તાવે છે. આ મહત્તમ મિથ્યાદર્શન મહત્તમ, ચારિત્રધર્મરાજાના બલને યત્નથી નિયંત્રિત કરે છે–ચારિત્રધર્મના બલને આ મિથ્યાદર્શન મહત્તમ યત્નથી અસમર્થ કરે છે. ll૧૧il. શ્લોક : सम्यग्दर्शनसंज्ञस्य, तस्मादत्रं व्यवस्थितः । स एव शत्रुः परमो, मिथ्यादर्शननामकः ।।२१२।। શ્લોકાર્થ : તે કારણથી–મિથ્યાદર્શન ચારિત્રધર્મના બલને અસમર્થ કરે છે તે કારણથી, અહીં=ભવચક્રમાં, સમ્યગ્દર્શન સંજ્ઞાવાળા મહત્તમનો મિથ્યાદર્શન નામનો તે જ પરમશગુ વ્યવસ્થિત છે. ll૧રી. શ્લોક : एवं च स्थितेत्रिरूपश्च भवत्येष, किञ्चिदासाद्य कारणम् । क्षयेण प्रतिपक्षस्य, प्रशमेनोभयेन वा ।।२१३।। શ્લોકાર્થ :અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સમ્યગ્દર્શનનો મિથ્યાદર્શન પરમશત્ર છે એ પ્રમાણે સ્થિત Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ હોતે છતે, આ=સમ્યગ્દર્શન નામનો મહત્તમ, કોઈક કારણને પ્રાપ્ત કરીને પ્રતિપક્ષના=મિથ્યાદર્શનના, ક્ષયથી અથવા પ્રશમથી અથવા ઉભયથી=ક્ષયોપશમથી, ત્રણ રૂપવાળો થાય છે. ll૧૩ सबोधाऽवगती શ્લોક : तच्च रूपत्रयं वत्स! जायेताऽस्य स्वभावतः । यद्वा संपादयत्येष, मन्त्री सद्बोधनामकः ।।२१४।। સમ્બોધ અને તેની પત્ની અવગતિ શ્લોકાર્ય : અને આના=સમ્યગ્દર્શનના, તે રૂપત્રય હે વત્સ ! સ્વભાવથી થાય છે અથવા આ સબોધ નામનો મંત્રી ચારિત્રધર્મરાજાનો આ સમ્બોધ નામનો મંત્રી, સંપાદન કરે છે. ll૧૪ll શ્લોક : अयं हि सचिवो वत्स! सद्बोधो भवनोदरे । तन्नास्ति यन्न जानीते, पुरुषार्थप्रसाधकम् ।।२१५ ।। શ્લોકાર્ધ : દિ જે કારણથી, હે વત્સ ! પ્રકર્ષ ! આ સમ્બોધ સચિવ ભુવનના ઉદરમાં પુરુષાર્થપ્રસાધક તે નથી કે જે જાણતો નથી=આત્માના હિત પ્રસાધક એવા સર્વ ઉપાયોને જાણે છે. ll૨૧૫ll. બ્લોક : भवद्भूतभविष्यत्सु, भावेषु भवभाविषु । विज्ञातुं प्रभवत्येष, सूक्ष्मव्यवहितेषु च ।।२१६ ।। શ્લોકાર્ય : આ=સદ્ધોધ વર્તમાનના થતા, ભૂતકાળના થયેલા અને ભવિષ્યના થનારા એવા ભાવો વિષયક અને સૂક્ષ્મવ્યવહિત સંસારમાં થનારા ભાવો જાણવા માટે સમર્થ છે. ll૧૬ાાં શ્લોક : किञ्चात्र बहुनोक्तेन? जगदेष चराचरम् । अनन्तद्रव्यपर्यायं वीक्षते विमलेक्षणः ।।२१७।। Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વળી અહીં=સદ્ધોધ મંત્રીના વિષયમાં, બહુ કહેવાથી શું? આ સર્બોઘ મંત્રી, વિમલદેષ્ટિવાળો અનંતદ્રવ્યપર્યાયવાળા ચરાચર જગતને જુએ છે. ll૧૭ll. શ્લોક : निपुणो नीतिमार्गेषु, वत्सलश्च महीपतेः । चिन्तको राज्यकार्याणां, बले च विहितादरः ।।२१८ ।। શ્લોકાર્ચ - નીતિમાર્ગમાં નિપુણ, મહીપતિનો વત્સલ=ચારિત્રધર્મનો વત્સલ, રાજ્યનાં કાર્યોનો ચિંતકચારિત્રધર્મના રાજ્યની વૃદ્ધિનાં કાર્યોનો ચિંતક, અને બલમાં ચાઅિધર્મના બલમાં, વિહિત આદરવાળો છે=સબોધ મંત્રી છે. ll૧૮ શ્લોક : प्रियो महत्तमस्योच्चैस्तस्य च स्थिरताकरः । सकलेऽपि जगत्यत्र, सचिवो नास्त्यमूदृशः ।।२१९ ।। શ્લોકાર્ય : તે મહત્તમને સમ્યગ્દર્શન મહત્તમને, અત્યંત સ્થિરતા કરનારો, પ્રિય, સકલપણ જગતમાં આના જેવો મંત્રી નથી. ર૧૯II. શ્લોક : વિખ્યज्ञानसंवरणस्यायं, प्रतिपक्षतया स्थितः । क्षयोपशमतस्तस्य, क्षयाच्च द्विविधो मतः ।।२२०।। શ્લોકાર્ધ : વળી જ્ઞાનસંવરણનો આ સર્બોઘ મંત્રી, પ્રતિપક્ષપણાથી રહેલો તેના=જ્ઞાનસંવરણના, ક્ષયોપશમથી અને ક્ષયથી બે પ્રકારનો મનાયો છે. ll૨૨૦ll. બ્લોક : इयं तु निकटे वत्स! निर्मलाङ्गी सुलोचना । मन्त्रिणोऽवगतिर्नाम, भार्याऽस्यैव वरानना ।।२२१ ।। Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વળી હે વત્સ ! નિકટમાં=સદ્ધોધ મંત્રીના નિકટમાં, નિર્મળ અંગવાળી, સુંદર લોચનવાળી અવગતિ નામની આ મંત્રીની જ=સમ્બોધ મંત્રીની જ, સુંદર મુખવાળી ભાર્યા છે. ll૨૨૧TI શ્લોક : स्वरूपं जीवितं प्राणाः, सर्वस्वं वर्ततेऽनघा । इयमस्य सदा पत्नी, शरीराव्यतिरेकिणी ।।२२२।। શ્લોકાર્ચ - આના=સદ્ધોધના, શરીરથી અભિન્ન એવી આ પત્ની સદા પાપ રહિત, સ્વરૂપ, જીવિત, પ્રાણો, સર્વસ્વ વર્તે છે. ર૨૨ पञ्चज्ञानवर्णनम् શ્લોક : તથાय एते पञ्च दृश्यन्ते, त इमे पुरुषोत्तमाः । अस्यैव तु सद्बोधस्य, स्वाङ्गीभूता वयस्यकाः ।।२२३।। પાંચ જ્ઞાનનું વર્ણન શ્લોકાર્થ : અને જે આ પાંચ દેખાય છે. તે આ પુરુષોત્તમો આ જ સમ્બોધના સ્વાગૂભૂત મિત્રો છે. ll૨૨૩. શ્લોક : आद्योऽत्राभिनिबोधोऽयं, वयस्यः पुरवासिनाम् । इन्द्रियानिन्द्रियज्ञानं, जनानां जनयत्यलम् ।।२२४ ।। શ્લોકાર્થ: અહીં=સમ્બોધના મિત્રમાં, આધ આ અભિનિબોધ મિત્ર પુરવાસી લોકોને ઈન્દ્રિય-અનિન્દ્રિયના જ્ઞાનને અત્યંત ઉત્પન્ન કરે છે. ર૨૪ll શ્લોક : द्वितीयः पुरुषो भद्र! प्रसिद्धोऽयं सदागमः । यस्यादेशे स्थितं सर्वं, पुरमेतन संशयः ।।२२५ ।। Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - બીજો પુરુષ હે ભદ્ર ! આ સદાગમ પ્રસિદ્ધ છે. જેના આદેશમાં સર્વ આ પુર જેનપુર, રહેલું છે. એમાં સંશય નથી. ll૨૨૫ll શ્લોક : कार्याणि मन्त्रयत्येष, निखिलान्यपि भूभुजाम् । वचःपाटवयुक्तोऽयं मूकाः शेषा मनुष्यकाः ।।२२६ ।। શ્લોકાર્ય : આરસદાગમ, રાજાના ચારિત્ર રાજાના, બધાં પણ કાર્યોની મંત્રણા કરે છે. આ સદાગમ, વચનપાટવથી યુક્ત છે, શેષ મનુષ્યોઃશેષ ચાર જ્ઞાનો, મૂક મુંગા, છે. ll૨૨૬ll શ્લોક : यतः सदागमस्याऽस्य, दृष्ट्वा वचनकौशलम् । सद्बोधोऽनेन भूपेन, मन्त्रित्वे स्थापितः पुरा ।।२२७ ।। શ્લોકાર્થ : જે કારણથી આ સદાગમના વચનકૌશલને જોઈને આ રાજા વડે=ચારિત્ર રાજા વડે, મંત્રીપણામાં સદ્ધોધ પૂર્વમાં સ્થાપન કરાયો. ll૨૨૭ll શ્લોક : अयं सदागमोऽमीषां, सर्वेषां वत्स! भूभुजाम् । बहिश्च जैनलोकानां, ज्ञेयं परमकारणम् ।।२२८ ।। શ્લોકાર્ચ - હે વત્સ આ સર્વ રાજાઓનો અને બહાર જૈનલોકોનો આ સદાગમ શ્રેષ્ઠ કારણ જાણવો. ll૨૨૮l. શ્લોક : अनेन रहितं वत्स! न कदाचिदिदं बलम् । पुरं चेदं जगत्यत्र, स्वरूपेण प्रकाशते ।।२२९ ।। શ્લોકાર્ચ - હે વત્સ ! આનાથી રહિત=સદાગમથી રહિત, ક્યારેય પણ આ બલ=ચારિત્રનું બલ, અને આ નગર જૈનનગર, સ્વરૂપથી આ જગતમાં પ્રકાશમાન નથી. ||રર૯ll. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક - तदेष सर्वकार्याणामुपदेष्टा सदागमः । द्वितीयः पुरुषो वत्स! प्रधानोऽनेन हेतुना ।।२३० ।। શ્લોકાર્ચ - તે કારણથી હે વત્સ ! આ સદાગમ સર્વ કાર્યોનો ઉપદેષ્ટા છે. આ હેતુથી સર્વ કાર્યોનો ઉપદેષ્ટા છે એ હેતુથી, બીજો પુરુષત્રપાંચ પુરુષોમાં બીજો પુરુષ સદાગમ, પ્રધાન છે. Il૨૩ ll શ્લોક : तृतीयोऽवधिनामायं, सद्बोधस्य वयस्यकः । अनेकरूपविस्तारकारकोऽयमुदाहृतः ।।२३१।। શ્લોકાર્ધ : ત્રીજો અવધિ નામવાળો આ સમ્બોધનો મિત્ર છે. આ અવધિ, અનેકરૂપના વિસ્તારને કરનારો કહેવાયો છે. Il૨૩૧il શ્લોક : क्वचिद्दीर्घ क्वचिदहस्वं, क्वचित् स्तोकं क्वचिद् बहु । वस्तुजातं जगत्यत्र, विलोकयति लीलया ।।२३२।। શ્લોકાર્ચ - આ જગતમાં ક્યારેક દીર્ઘ, ક્યારેક હૃસ્વ, ક્યારેક થોડુંક, ક્યારેક બહુ વસ્તુના સમૂહને લીલાથી જુએ છેeત્રીજો અવધિ જુએ છે. ll૧૩રા. શ્લોક : चतुर्थः पुरुषो वत्स! मनःपर्यायनामकः । साक्षात्करोति वीर्येण, परेषां यन्मनोगतम् ।।२३३।। मनुष्यलोके नास्त्यत्र, चित्तं तत्तात! किञ्चन । अनेन यन्न दृश्यत, धीमता भाववेदिना ।।२३४।। શ્લોકાર્થ : હે વત્સ ! મન:પર્યાય નામનો ચોથો પુરુષ વીર્યથી બીજાના મનોગતભાવોને સાક્ષાત્ જે કરે છે. હે વત્સ ! પ્રકર્ષ ! આ મનુષ્યલોકમાં તેવું કોઈ ચિત્ત નથી જે ભાવને જાણનારા બુદ્ધિમાન એવા આના વડે=મન:પર્યવજ્ઞાન વડે, જોવાતું નથી. ll૧૩૩-૨૩૪ll Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : पञ्चमः पुरुषो वत्स! केवलो नाम विश्रुतः । નિઃશેષવિસ્તારમેષ પતિ સર્વર પારરૂા. શ્લોકાર્ચ - હે વત્સ ! પાંચમો પુરુષ કેવલ નામથી સંભળાય છે. નિઃશેષોયના વિસ્તારને આ=કેવલ, સર્વદા જુએ છે. l૨૩૫ll બ્લોક : निर्वृतिं नगरी यान्ति, ये जना जैनसत्पुरात् । तेषामेष प्रकृत्यैव, नायकः पुरुषोत्तमः ।।२३६।। શ્લોકા - જે લોકો જેનસપુરથી નિવૃતિનગરીમાં જાય છે તેઓનો પુરુષોત્તમ આ=કેવલ, પ્રકૃતિથી જ નાયક છે. ll૨૩૬ શ્લોક - तदेष पञ्चभिर्वत्स! वयस्यैः परिवारितः । सद्बोधसचिवो लोके, साक्षादिव दिवाकरः ।।२३७।। શ્લોકાર્ચ - તે કારણથી પાંચ મિત્રોથી પરિવારિત એવો આ સમ્બોધમંત્રી લોકમાં સાક્ષાત્ દિવાકર જેવો છે=સૂર્ય જેવો છે. ll૨૩૭ll संतोषनिष्पिपासितावर्णनम् શ્લોક : प्रकर्षणोदितं माम! स सन्तोषमहीपतिः । न दर्शितस्त्वयाऽद्यापि, यत्र मेऽत्यन्तकौतुकम् ।।२३८।। સંતોષ અને તેની પત્ની નિષ્ક્રિપાસિતાનું વર્ણન શ્લોકાર્ધ : પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા!તે સંતોષ મહીપતિ તમારા વડે હજી પણ બતાવાયો નથી, જેમાં મને અત્યંત કુતૂહલ છે. ll૧૩૮ Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૯૧ શ્લોક : ततस्तन्मातुलेनोक्तं वत्स! योऽयं पुरः स्थितः । संयमस्य स विज्ञेयः, सन्तोषो नात्र संशयः ।।२३९।। શ્લોકાર્ધ : તેથી તેના મામા વડે કહેવાયું. હે વત્સ ! જે આ સંયમના આગળ રહેલો છે તે સંતોષ જાણવો. એમાં સંશય નથી. રિ૩૯ll શ્લોક : प्रकर्षेणोक्तंयस्योपरि समायाता, महामोहादिभूभुजः । विक्षेपेण स सन्तोषो, नैष किं मूलनायकः ।।२४०।। શ્લોકાર્થ : પ્રકર્ષ વડે કહેવાયું. જેના ઉપર મહામોહાદિ રાજાઓ વિક્ષેપથી આવ્યા છે=યુદ્ધ કરવા માટે આવ્યા છે. તે સંતોષ શું આ મૂલનાયક નથી ? અર્થાત્ યુદ્ધની ભૂમિમાં મૂલનાયક નથી. ર૪oll બ્લોક : विमर्शेनोदितं वत्स! नैवायं मूलनायकः । चारित्रधर्मराजस्य, पदातिरिति गृह्यताम् ।।२४१।। શ્લોકાર્ધ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! આ મૂલનાયક નથી. ચારિત્રધર્મરાજાનો પદાતિ છે એ પ્રમાણે ગ્રહણ કરાય. ર૪૧ી. શ્લોક : शूरो नीतिपरो दक्षः, सन्धिविग्रहवेदकः । तेनैष तन्त्रपालत्वे, नियुक्तो मूलभूभुजा ।।२४२।। શ્લોકાર્ચ - શૂર, નીતિમાં તત્પર, દક્ષ, સંધિ અને વિગ્રહનો જાણનારો છે તે કારણથી આ સંતોષ, તંત્રપાલનપણામાં મૂલરાજા વડે નિયુક્ત કરાયો છે. ll૧૪૨ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : संपूर्णबलसामग्र्या, भ्रमतोद्दामलीलया । अनेन स्पर्शनादीनि, तानि दृष्टानि कुत्रचित् ।।२४३।। શ્લોકાર્થ: સંપૂર્ણ બલસામગ્રી સાથે ઉદ્દામલીલાથી ભમતા એવા આના વડે સંતોષ વડે, કોઈક ઠેકાણે તે પર્શનાદિ પાંચ ઈન્દ્રિયો જોવાઈ. ll૨૪Bll શ્લોક - ततोऽभिभूय तान्येष, स्वमाहात्म्येन निर्वृतौ । नयति स्म जनं कञ्चिद् बलेनैषां महीभुजाम् ।।२४४।। શ્લોકાર્ચ - તેથી તેઓનો અભિભવ કરીને પાંચે ઈન્દ્રિયોનો અભિભવ કરીને, આ=સંતોષ, સ્વમાહાભ્ય વડે, આ રાજાઓના બલથી=દશ પ્રકારના યતિધર્મરૂપ રાજાઓના બલથી, કોઈક લોકને નિવૃતિમાં લઈ ગયો. ૨૪૪| શ્લોક : ततो विज्ञाय वृत्तान्तमेनं ते जनवार्तया । महामोहादिभूपालाश्चलिता रणकाम्यया ।।२४५।। શ્લોકાર્ય : તેથી આ વૃતાંતને જનવાર્તાથી જાણીને=ચિત્તવૃત્તિ અટવીમાં સંતોષ કોઈક મનુષ્યને મોક્ષમાં લઈ ગયો એ વૃત્તાંતને જનવાર્તાથી સાંભળીને, તે મહામોહાદિ રાજાઓ યુદ્ધની કામનાથી-યુદ્ધ કરવાની ઈચ્છાથી, ચલિત થયા. /ર૪પી શ્લોક : ततस्तैः स्वधिया वत्स! कल्पितो मूलनायकः । पदातिरपि सन्तोषस्तत्रेदं हन्त कारणम् ।।२४६।। શ્લોકાર્ચ - તેથી હે વત્સ! તેઓ વડે મહામોહાદિ વડે, સ્વબુદ્ધિથી પદાતિ પણ સંતોષ મૂલનાયક કલ્પના કરાયો. ત્યાં=મહામોહાદિ સેનાએ પદાતિ એવા સંતોષની ભૂલનાયક એવી કલ્પના કરી તેમાં, ખરેખર આ કારણ છે. ll૧૪૬ll Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तावन्मात्रं जनो वेत्ति, यावन्मात्रं किलेक्षते । થત: સિતોપદ, MI: સર્વોડમથી તે પાર૪૭T. શ્લોકાર્ચ - તેટલું જ માત્ર લોક જાણે છે જેટલું માત્ર ખરેખર દેખાય છે. જે કારણથી અહીં લોકમાં, શ્યામ ઉદરવાળો પણ કૃષ્ણસર્પ કહેવાય છે. ll૨૪૭ના શ્લોક : अनेन स्पर्शनादीनि, निहतानीति वार्तया । अस्योपरि यथा रोषस्तेषां शेषेषु नो तथा ।।२४८।। શ્લોકાર્ધ : આના વડે સંતોષ વડે, સ્પર્શનાદિ હણાયા એ પ્રકારની વાર્તાથી આના ઉપર=સંતોષ ઉપર, જે પ્રકારે તેઓને=મહામોહાદિને, રોષ છે તે પ્રકારે શેષ ચારિત્રાદિમાં નથી. ll૨૪૮ll શ્લોક : सन्तोषमुररीकृत्य, ततो विग्रहवाञ्छया । महामोहादयो वत्स! स्वपुरेभ्यो विनिर्गताः ।।२४९।। શ્લોકાર્ચ - હે વત્સ ! તેથી મહામોહાદિને સંતોષ ઉપર અધિક રોષ છે તેથી, સંતોષને આશ્રયીને વિગ્રહની ઈચ્છાથી યુદ્ધ કરવાની ઈચ્છાથી, મહામોહાદિ સ્વનગરોથી નીકળ્યા છે. ll૨૪૯ll શ્લોક : चित्तवृत्तिमहाटव्यां, रणमेषामनेकशः । संजातं न च संजातो, स्फुटौ जयपराजयौ ।।२५०।। શ્લોકાર્ચ - ચિત્તરૂપી મહાટવીમાં આમનું મહામોહ અને ચારિત્રધર્મનું, અનેક વખત યુદ્ધ થયું પરંતુ સ્પષ્ટ જય-પરાજય થયા નહીં. ર૫oll બ્લોક : યત:क्वचिज्जयति, सन्तोषस्तन्त्रपालोऽरिसंहतिम् । प्रभवन्ति क्वचित्तेऽपि, महामोहादिभूभुजः ।।२५१।। Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - જે કારણથી ક્યારેક સંતોષ તંત્રપાલ શત્રુની સંહતિનો જય કરે છે, કવચિત્ તે પણ મહામોહાદિ રાજાઓ સમર્થ થાય છે. ll૨૫૧il શ્લોક : एवञ्च स्थितेसदा सैन्यद्वयस्यास्य, रुषाऽन्योऽन्यं जिगीषतः । कालो गच्छति पद्माक्ष! न जाने किं भविष्यति? ।।२५२।। શ્લોકાર્ચ - આ રીતે સ્થિત હોતે છતે=ચિત્તવૃત્તિમાં સંતોષ અને મોહરાજા વચ્ચે સતત યુદ્ધ થઈ રહ્યું છે કોઈ જય-પરાજય પામતા નથી એ પ્રમાણે સ્થિત હોતે છતે, સદા અન્યોન્ય જીતવાની ઈચ્છાવાળા એવા આ સૈન્યદ્રયના રોષથી કાલ પસાર થાય છે. હે પદ્માક્ષ !=કમળ જેવા નેત્રવાળા પ્રકર્ષ ! શું થશે હું જાણતો નથી ? llરપરા શ્લોક - स एष दर्शितस्तुभ्यं, मया सन्तोषतन्त्रपः । आख्यातश्चास्य वृत्तान्तो, यत्र तेऽत्यन्तकौतुकम् ।।२५३।। શ્લોકાર્ચ - તે જ સંતોષ તંત્રપાલ મારા વડે તને દેખાડાયો. અને આનો વૃતાંત=સંતોષ તંત્રપાલને મહામોહાદિ જીતવા કેમ આવ્યા છે એનો વૃત્તાંત, કહેવાયો. જેમાં=જે વૃતાંતમાં અને સંતોષના વિષયમાં, તને અત્યંત કૌતુક છે. રપ૩ શ્લોક : या त्वस्य पार्श्वे पद्माक्षी, दृश्यते वत्स! बालिका । सा निष्पिपासिता नाम, भार्याऽस्यैव वरानना ।।२५४ ।। શ્લોકાર્ધ : હે વત્સ ! જે વળી આની બાજુમાં સુંદર ચક્ષવાળી બાલિકા દેખાય છે તે નિપિપાસા નામની આની જ=સંતોષની જ, સુંદર મુખવાળી પત્ની છે. રિપ૪ll શ્લોક : शब्दरूपरसस्पर्शगन्धेषु सुधियां मनः । निस्तृष्णकं करोत्येषा, रागद्वेषविवर्जितम् ।।२५५।। Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આકનિપિપાસિતા નામની ભાર્યા, શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, ગંધમાં સુબુદ્ધિમાન જીવોનું મન નિસ્તૃષ્ણક રાગ-દ્વેષ વર્જિત કરે છે. રાપી શ્લોક : लाभालाभे सुखे दुःखे, सुन्दरेऽसुन्दरेऽपि च । तथाऽऽहारादिके जाते, सन्तुष्टिं जनयत्यलम् ।।२५६।। શ્લોકાર્ચ - લાભાલાભમાં, સુખ-દુઃખમાં, સુંદર-અસુંદર પણ તે પ્રકારના આહારાદિક વસ્તુઓમાં અત્યંત સંતોષ ઉત્પન્ન કરે છે. ર૫૬II ભાવાર્થ - ચારિત્રધર્મના બે પુત્રો-યતિધર્મ અને ગૃહીધર્મ છે, તેમાં યતિધર્મનું સ્વરૂપ બતાવ્યા પછી ગૃહિધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે. ગૃહસ્થધર્મ બાર ભેટવાળો છે અને વિવેકપર્વતના અપ્રમત્તશિખર ઉપર રહેલા જૈનનગરમાં જે શ્રાવકો વસે છે તેઓનું કેવું ચિત્ત છે તે બતાવતાં કહે છે કે જે જીવો સાત્ત્વિક માનસવાળા છે અને જેમાં વિવેક પ્રગટેલો છે તેથી ધન-સ્વજન આદિથી પૃથગુ પોતાનો આત્મા છે, તે વીતરાગતુલ્ય પરિણામવાળો છે. કર્મના દોષથી અવીતરાગ પરિણામવાળો થયો છે તેવો જેને સ્પષ્ટ બોધ છે, તેવા જીવો વીતરાગ થવા માટે શક્તિ અનુસાર યત્ન કરે છે. તેઓ જ વિવેકપર્વત ઉપર રહેલા જૈનનગરમાં સંસ્થિત છે. તેવા જીવો વીતરાગ થવાના ઉપાયરૂપે પૂર્વમાં વર્ણન કર્યું તેવા દશ પ્રકારના યતિધર્મને જાણે છે. વળી, તેવી શક્તિ પોતાનામાં નથી તેથી નિત્ય તે યતિધર્મને સ્મૃતિમાં લાવે છે. શક્તિ અનુસાર પ્રતિદિન સાધુ સામાચારી સાંભળે છે અને તેનાથી પોતાના આત્માને ભાવિત કરે છે. સાધુઓ અત્યંત હિંસાદિથી વિરામ પામેલા છે અને તેવી શક્તિના સંચય અર્થે દેશવિરતિધર શ્રાવકો સ્થૂલ હિંસા આદિથી વિરામ કરીને સ્વભૂમિકાનુસાર બાર વ્રતો ગ્રહણ કરે છે અને તેનું પાલન કરીને સર્વવિરતિને અનુકૂળ બળસંચય કરે છે. ચિત્તવૃત્તિમાં રહેલો તેવો યત્ન કરાવનાર આ ગૃહિધર્મ છે. વળી, કોઈક શ્રાવકમાં બાર વ્રતોના પાલનની શક્તિ ન હોય તો સ્વભૂમિકાનુસાર અલ્પ પણ વ્રતો ગ્રહણ કરીને તે શક્તિસંચય કરે છે. વળી, આ ગૃહિધર્મની ભાર્યા સદ્ગુણરક્તતા છે. તેથી દેશવિરતિધર શ્રાવક હંમેશાં સદ્ગણવાળા એવા મુનિઓના ગુણોમાં રક્ત હોય છે. વળી, સગુણની પ્રાપ્તિનું પરમ બીજ માતાપિતાદિના વિનય કરવામાં ઉદ્યમવાળા હોય છે. આ સગુણરક્તતા ગૃહિધર્મરૂપ ભર્તામાં અત્યંત સ્નેહથી બદ્ધ છે. તેથી જેઓ ગૃહસ્થધર્મ સેવતા હોય તેઓને ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય તે પ્રકારે સગુણોમાં રક્ત હોય છે. વળી, આ સર્વવિરતિધર્મ અને આ દેશવિરતિધર્મ તેઓની પત્ની સહિત જૈનનગરમાં રહેલા જીવોને સતત આનંદને કરનારા છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ આનાથી એ ફલિત થાય કે જૈનનગરમાં રહેલા જીવો હંમેશાં સર્વવિરતિનું સ્વરૂપ, દેશવિરતિનું સ્વરૂપ, સર્વવિરતિની સાથે અવિનાભાવિ સદ્ભાવસારતાનું સ્વરૂપ અને દેશવિરતિની સાથે અવિનાભાવિ સદ્ગણરક્તતાનું સ્વરૂપ ભાવન કરે છે, તેથી તેઓનું ચિત્ત હંમેશાં મુનિઓના ગુણોથી રંજિત હોય છે અને આત્માનું પારમાર્થિક સ્વરૂપ સિદ્ધતુલ્ય છે તેના ભાવનથી રંજિત હોય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય આ સર્વવિરતિધર્મ છે. તેથી જેઓમાં તેવું બળસંચય થયું નથી તેઓ પણ દેશથી આરંભ-સમારંભનું નિવારણ કરીને સદ્ગણની વૃદ્ધિ કરનારા છે. તેથી જૈનપુરમાં વર્તતા જીવોમાં હંમેશાં કષાયોનું કાળુષ્ય ક્ષીણ ક્ષીણતર થાય છે તેથી તેઓના ચિત્તમાં સતત આનંદ વર્તે છે. ભવચક્રમાં વસવા છતાં બાહ્ય નિમિત્ત પ્રાયઃ તે જીવોના ચિત્તમાં ક્લેશ, ખેદ, ઉદ્વેગ ઉત્પન્ન કરી શકતા નથી. ક્વચિત્ પ્રતિકૂળ સંયોગમાં ક્ષણભર ચિત્ત કષાયોથી આકુળ બને તો ખેદાદિ થાય તોપણ તેઓના ચિત્તમાં વર્તતા વિવેકના બળથી તે ભાવો શીધ્ર નિવર્તન પામે છે. તેથી અહીં કહ્યું કે જૈનપુરમાં વસતા જીવોને આ બંને રાજપુત્રો ભાર્યા સહિત સતત આનંદને કરનારા છે. વળી, આ બંને રાજપુત્રનું યતિધર્મ અને ગૃહિધર્મનું પાલન કરનાર સમ્યગ્દર્શન નામનો મહત્તમ પિતાએ સ્થાપન કર્યો છે. તેથી સમ્યગ્દર્શન રહિત ક્યારેય પણ સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ દેખાતો નથી. અને આ સમ્યગ્દર્શન જ તે બંનેની અત્યંત વૃદ્ધિ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓને સંસારની રૌદ્રતા સ્પષ્ટ દેખાય છે, મુક્ત અવસ્થા સ્પષ્ટ સારરૂપ દેખાય છે અને તેના ઉપાયરૂપ જ સમ્યગૂ રીતે સેવાયેલો દશ પ્રકારનો યતિધર્મ નિઃસંગતતાની વૃદ્ધિ દ્વારા સંસારના છેદનું કારણ દેખાય છે તે જીવો સમ્યગ્દર્શનવાળા છે. વળી તે જીવમાં વર્તતું સમ્યગ્દર્શન તે જીવે જો સર્વ-વિરતિ સ્વીકારી હોય તો તે જીવની સર્વવિરતિનું પાલન કરે છે અને સર્વવિરતિની સતત વૃદ્ધિ કરે છે, તેથી સમ્યગ્દર્શનના બળથી તે યતિધર્મવાળા મહાત્માઓ ઉત્તરોત્તરનાં સામાયિકનાં સ્થાનોને પ્રાપ્ત કરે છે અને પ્રગટ થયેલા સામાયિક ભાવનું રક્ષણ કરે છે. વળી, કોઈક નિમિત્તથી તેમનું સમ્યગ્દર્શન મલિન થાય છે ત્યારે તેઓ પાતને અભિમુખ બને છે અને અંતે પાતને પણ પામે છે. વળી, જે શ્રાવકોએ દેશવિરતિધર્મ સ્વીકાર્યો છે તેમાં પણ જો સમ્યગ્દર્શન વર્તતું હોય તો તે સમ્યગ્દર્શન દેશવિરતિનું સમ્યક્ષાલન કરાવે છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ કરાવે છે. આથી જ સમ્યગ્દર્શનના સહકારથી દેશવિરતિ અને સર્વવિરતિને અનુકૂળ જીવમાં વીર્યનો સંચય થાય છે અને કોઈક નિમિત્તથી જૈનપુરમાં રહેલા ગૃહિધર્મવાળા જીવમાં પણ સમ્યગ્દર્શન પ્લાન થાય તો તેઓ પાતને અભિમુખ થાય છે અને શીધ્ર સાવધાન ન થાય તો પાતને પણ પ્રાપ્ત કરે છે. આથી જ જૈનનગરમાં વસવાની ઇચ્છાવાળાએ સતત સંસારનું રૌદ્ર સ્વરૂપ, સંસારથી પર અવસ્થા કઈ રીતે હિતકારી છે અને ભગવાનનું વચન કઈ રીતે તેની પ્રાપ્તિનો ઉપાય છે તેનું નિપુણતાપૂર્વક અવલોકન કરીને સમ્યગ્દર્શનને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ. વળી, તે સમ્યગ્દર્શન કેવા સ્વરૂપવાળું તે બતાવતાં કહે છે. જે જીવાદિ સાત તત્ત્વો કહ્યાં છે તેમાં દઢ નિશ્ચય કરાવનાર સમ્યગ્દર્શન છે. તેથી જીવ, અજીવ, આસવ, સંવર ઇત્યાદિ ભાવોને સમ્યગ્દષ્ટિ જીવો સદા જાણતા હોય છે અને સૂક્ષ્મ સૂક્ષ્મ જાણવા યત્ન કરતા હોય છે જેના બળથી જ તેઓ જિનતુલ્ય થવા ઉદ્યમવાળા થાય છે અને ભવચક્રને સતત પરાક્ષુખ રહે છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવોનું ચિત્ત મોક્ષમાં હોય છે, દેહથી જ ભવમાં છે. વળી, સમ્યગ્દર્શનવાળું ચિત્ત શમ, સંવેગાદિ ભાવોથી વાસિત છે; કેમ કે Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ અનંતાનુબંધી કષાયનો ઉપશમ વર્તે છે. તેથી શમસુખનો અનુભવ છે, અધિક કષાયોનું શમન કરીને નિષ્કષાય અવસ્થા તરફ જવાનો પરિણામ છે તે રૂપ સંવેગ વર્તે છે. ચાર ગતિઓ વિડંબના સ્વરૂપ દેખાય છે તેથી તેની પ્રાપ્તિના કારણભૂત કષાયો-નોકષાયો પ્રત્યે નિર્વેદ વર્તે છે. વળી દયાળુ ચિત્ત હોવાથી યોગ્ય જીવોનું કેમ હિત થાય ? તે પ્રકારે યત્ન કરે છે – વળી, જિનવચન જ તત્ત્વ છે તેથી મારો આત્મા નિત્ય છે ઇત્યાદિ ભાવોમાં સ્થિરબુદ્ધિરૂપ આસ્તિય વર્તે છે. સમ્યગ્દષ્ટિ જીવનું ચિત્ત મૈત્રી, પ્રમોદ, કરુણા, અને માધ્યશ્મભાવનાથી ભાવિત હોય છે તેથી જ જીવોની પારમાર્થિક હિતચિંતા વર્તે છે. ગુણવાનના ગુણોને જોઈને પ્રમોદ થાય છે. દુઃખિત જીવોને જોઈને કરુણા થાય છે. આથી જ શારીરિક દુઃખિત કે કષાયથી દુઃખિત જીવોને જોઈને તેઓ પ્રત્યે ઉચિત યત્નથી તેઓના દુ:ખના નિવારણ માટે યત્ન કરે છે. વળી, કેટલાક જીવો ક્લિષ્ટ પ્રકૃતિવાળા હોય છે, પ્રયત્નથી સુધરે તેવા નથી. તેઓ પ્રત્યે પણ વિવેકી એવા સમ્યગ્દષ્ટિ જીવો દ્વેષ કરતા નથી પરંતુ ઉપેક્ષારૂપ માધ્યચ્યભાવને ધારણ કરે છે. વળી, સમ્યગ્દર્શન જીવને સદા ઉત્તરોત્તરના કષાયના ક્ષય માટે ઉચિત પ્રવૃત્તિ કરાવનાર છે, તેથી મોક્ષમાં જવાની ઇચ્છાથી દેશવિરતિધર, સર્વવિરતિધર કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ સદા ઉત્તરોત્તર કષાયના ક્ષય માટે પ્રયત્નશીલ હોય છે. વળી, સમ્યગ્દર્શનની સુદૃષ્ટિ નામની પત્ની છે. જે જૈનપુરમાં વસતા જીવોને સન્માર્ગમાં વીર્યને આપનારી છે અને વિધિપૂર્વક સેવાયેલ ચિત્તના ધૈર્યને કરનારી છે એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોમાં મતિજ્ઞાનના નિર્મળ ક્ષયોપશમરૂપ સુદૃષ્ટિ વર્તે છે તેથી તેઓ હંમેશાં નવું નવું શ્રુત ભણવા માટે યત્ન કરીને મોક્ષમાર્ગમાં કેમ વીર્ય વધે તેવો જ યત્ન કરે છે. જેઓ આ મતિજ્ઞાનની નિર્મળદૃષ્ટિને જિનવચનનુસાર નિર્મળ નિર્મળતર કરવા યત્ન કરે છે તેનું ચિત્ત પૂર્વ પૂર્વ કરતાં સૂક્ષ્મ સૂમ ભાવાનો સ્પષ્ટ જોઈ શકે છે જેનાથી તેનું ચિત્ત મોક્ષમાર્ગને અનુકૂળ યત્નમાં સ્થિર સ્થિરતર થાય છે. વળી, મહામોહનો મિથ્યાદર્શનરૂપ મહત્તમ અને તેની કુદષ્ટિ પત્ની છે. તેઓ જે પ્રકારના આચાર કરે છે તેનાથી વિરુદ્ધ આ સુષ્ટિ સહિત સમ્યગ્દર્શન કરે છે. તેથી એ ફલિત થાય કે જીવમાં રહેલું મિથ્યાત્વ અને કુદૃષ્ટિ જીવને તત્કાલ દેખાતાં બાહ્ય સુખોમાં જ સાર બુદ્ધિ કરાવે છે અને પરલોક નથી, આત્મા નથી ઇત્યાદિ કુવિકલ્પો કરાવે છે. જ્યારે સુદૃષ્ટિ સહિત એવું સમ્યગ્દર્શન જીવને હંમેશાં યુક્તિ અને અનુભવ અનુસાર વસ્તુને જોઈને પોતાનો આત્મા શાશ્વત છે, કર્મથી વિડંબિત છે ઇત્યાદિ ભાવો કરાવે છે. સમ્યગ્દષ્ટિ જીવ નિપુણ પ્રજ્ઞાથી સ્વયં જોવા યત્ન કરે છે, શિષ્ટ પુરુષોના વચનથી જાણવા યત્ન કરે છે અને સ્વઅનુભવથી નિર્ણય કરીને સુવિચારથી સુંદર એવા ચિત્તનું નિર્માણ કરે છે. વળી, કુદૃષ્ટિથી યુક્ત મિથ્યાદર્શન યતનાપૂર્વક મહામોહના બલનું સંચાલન કરે છે અને સુદૃષ્ટિથી યુક્ત સમ્યગ્દર્શન ચારિત્રધર્મરાજાના સૈન્યનું સંચાલન કરે છે. તેથી એ ફલિત થાય કે મિથ્યાદૃષ્ટિ જીવો તે પ્રકારે જ વસ્તુનું અવલોકન કરીને પોતાના મહામોહના બલને પુષ્ટ પુષ્ટતર કરે છે જેનાથી દુરંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ કરે છે. જ્યારે સુદૃષ્ટિથી યુક્ત એવા સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રધર્મ જ કઈ રીતે આત્માને વર્તમાનમાં હિતકારી છે, આગામી હિતની પરંપરાનું કારણ છે, સંસારના સર્વ ઉપદ્રવોથી આત્માનું રક્ષણ કરનાર છે તેના જ પરમાર્થને નિપુણપ્રજ્ઞાથી અને સ્વઅનુભવથી જાણવા યત્ન કરે છે અને તેને સ્થિર કરીને પોતાના ચારિત્રબળને પુષ્ટ પુષ્ટતર કરવા Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પ્રયત્ન કરે છે. આ રીતે સમ્યગ્દર્શન ચારિત્રધર્મના બળને પોષનાર છે અને મિથ્યાદર્શન મહામોહના બળને પોષનાર છે. તેથી સમ્યગ્દર્શનનો પરમશત્રુ મિથ્યાદર્શન જ છે. જો કે સમ્યગ્દષ્ટિ જીવોને આખું મહામોહનું સૈન્ય શત્રુરૂપે જ જણાય છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો મહામોહનો નાશ કરવા માટે શક્તિ અનુસાર યત્ન કરે છે તોપણ પ્રધાનરૂપે તેઓને મિથ્યાદર્શન જ શત્રુરૂપે જણાય છે; કેમ કે મિથ્યાદર્શન મુનિઓને પણ માર્ગથી પાત કરે છે અને શ્રાવકોને પણ માર્ગથી પાત કરે છે અને ચારિત્રસૈન્યનો નાશ કરવામાં પ્રબલ કારણ છે તેથી સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રધર્મની પુષ્ટિ માટે યત્ન કરે છે તે સર્વ કરતાં પ્રધાન યત્ન સમ્યગ્દર્શનને સ્થિર કરવા યત્ન કરે છે. વળી, આ સમ્યગ્દર્શન મિથ્યાત્વના ક્ષયથી, ક્ષયોપશમથી અને ઉપશમથી થાય છે. વળી આ સમ્યગ્દર્શન કેટલાક જીવોને સ્વભાવથી થાય છે અર્થાત્ નિસર્ગથી થાય છે તો કેટલાક જીવોને સદ્ધોધમંત્રી સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોને અકામનિર્જરાથી તે પ્રકારની નિર્મળમતિ પ્રગટે છે જેના કારણે વસ્તુ જેવી હોય તેવી જ દેખાય છે. તેથી સંસારની રૌદ્રતાને યથાર્થ જાણીને તેના કારણભૂત કષાયોની વિડંબનાને યથાર્થ જાણીને તેના ઉચ્છેદના અર્થ થાય છે. તો કેટલાક જીવોને ઉપદેશક આદિ મળે તો વસ્તુને જોવાની નિર્મળમતિ પ્રગટે છે. તેથી તે જીવોને જિનવચનરૂપી સદ્ધોધમંત્રી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવે છે. આથી જ ઉપદેશાદિ નિમિત્તને પામીને ઘણા જીવો સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. વળી, આ સમ્બોધ કેવા સ્વરૂપવાળો છે ? તે બતાવતાં કહે છે – આત્માના હિતને સાધનાર એવા સર્વ પ્રકારના પુરુષાર્થને સૌંધમંત્રી જાણે છે. તેથી જે જીવમાં સર્બોધ પ્રગટે છે તે જીવ સ્વભૂમિકાનું સમ્યગુ. આલોચન કરીને ક્વચિત્ ધર્મ-અર્થ-કામ રૂપ પુરુષાર્થને સેવે તોપણ તે એકાંતે ધર્મની વૃદ્ધિ કરીને મોક્ષનું કારણ બને છે. આથી જ નિર્મળકોટિના સર્બોધવાળા તીર્થકરો ગૃહસ્થ અવસ્થામાં અર્થ-કામ પુરુષાર્થને તે જ રીતે સેવે છે કે જેથી ભોગ આપાદક ક્લેશ ક્ષીણ ક્ષીણતર થાય. વળી, સર્વવિરતિને અનુકૂળ ચિત્ત સંપન્ન થાય છે ત્યારે સર્વ ઉદ્યમથી ધર્મપુરુષાર્થને સેવીને મોક્ષ પુરુષાર્થને સાધે છે. તેનું કારણ તેઓમાં પ્રગટ થયેલો સદ્ધોધમંત્રી છે. વળી, આ સમ્બોધ ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યના સર્વ ભાવોને જાણવા સમર્થ છે અને તે ભાવો સાક્ષાત્ સન્મુખ હોય કે દૂરવર્તી હોય, સૂક્ષ્મ હોય કે બાદર હોય તે સર્વને યથાર્થ જાણે છે, કેમ કે આ સમ્બોધ જ્ઞાનાવરણીયના ક્ષય ક્ષયોપશમથી પ્રગટ થયેલો જીવનો પરિણામ છે. તેથી જેમ જેમ ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય છે તેમ તેમ જીવમાં અધિક જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે અને અંતે ક્ષાયિકજ્ઞાન પ્રગટ થાય છે. અને તે જગતના સર્વ ભાવોને સર્વથા યથાર્થરૂપે જોઈ શકે છે. વળી, આ સર્બોધ જ્ઞાનસંવરણનો પ્રતિપક્ષ છે, તેથી જ્ઞાનસંવરણના ક્ષયોપશમથી અને ક્ષયથી થાય છે માટે બે ભેદવાળો છે. અને તેની અવગતિ નામની પત્ની છે. જે તેની સાથે અત્યંત તાદાસ્યભાવવાળી છે, તેથી સમ્બોધના પ્રાણસ્વરૂપ જ વર્તે છે. એનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવરૂપ જે જ્ઞાન વર્તે છે તે જ્ઞાનથી તે જીવને જગતના ભાવોનો યથાર્થ બોધ થાય છે તે અવગતિ છે અને જે જીવનું જેટલું આવરણ ખસે છે તે જીવમાં તેટલો સમ્બોધ પ્રગટે છે અને તેના કારણે તે જીવને જગતના ભાવોનો અવગમ યથાર્થ થાય છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૯૯ તે સદ્ધોધની અવગતિ નામની પત્ની છે. તે સદ્ધધ સાથે અભેદ પરિણતિ સ્વરૂપ જ છે. તેથી સમ્બોધ એ જીવમાં જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થયેલો પરિણામ છે કે ક્ષયથી થયેલો પરિણામ છે. વળી આ સમ્બોધના સ્વઅંગભૂત જ પાંચ મિત્રો છે. તેમાં પ્રથમ મતિજ્ઞાનનો પરિણામ છે. તેથી જેઓને તત્ત્વ જોવાને અનુકૂળ નિર્મળમતિ થઈ છે તે સદ્ધોધની પ્રથમ અવસ્થા છે અને નિર્મળમતિ પ્રગટ્યા પછી શાસ્ત્રઅધ્યયનથી તે જીવોને સર્વજ્ઞના વચનાનુસાર જે સૂક્ષ્મ પદાર્થોનો બોધ થાય છે તે સદાગમરૂપ સદ્ધોધની બીજી અવસ્થા છે અને તે પ્રકર્ષથી ચૌદપૂર્વના બોધ સ્વરૂપ છે. જે જીવો નિર્મળમતિ અને સદાગમના બોધપૂર્વક ઉચિત ક્રિયાઓ કરે છે જેનાથી કષાયો સતત ક્ષીણ થાય છે તેમ જ્ઞાનવરણીય કર્મ પણ તેઓનું સતત ક્ષીણ થાય છે, તેથી આત્મકલ્યાણનું પ્રબળ કારણ બને એવી અવધિજ્ઞાનરૂપ સદ્ધોધની ત્રીજી અવસ્થા પ્રાપ્ત થાય છે. વળી, વિશિષ્ટ પ્રકારના કષાયના ક્ષયથી વિશિષ્ટ જ્ઞાનાવરણીયનો ક્ષય થાય છે જે સદ્ધોધની ચોથી અવસ્થા રૂપ મન:પર્યવજ્ઞાન છે અને આ ચાર જ્ઞાનના બળથી મહાત્માઓ જ્યારે પ્રાભિજ્ઞાનને પ્રાપ્ત કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે સદ્ધોધની પાંચમી અવસ્થા પ્રાપ્ત થાય છે જે સમ્બોધની પૂર્ણ અવસ્થા છે. વળી, જૈનપુરમાં રહેલા મહાત્માઓ સદાગમરૂપ બીજા પુરુષના વચનથી જ સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તેથી ચારિત્ર રાજાનાં સર્વ કાર્યોની મંત્રણા આ સદાગમ કરે છે; કેમ કે વચનથી બોધ કરાવવા સમર્થ સદાગમ છે. બીજા ચાર સદાગમના વયસ્ક મૂક મૂંગા છે. તેથી સદાગમનું વચનકુશલપણું જાણીને ચારિત્ર રાજાએ સદ્ધોધને મંત્રીરૂપે સ્થાપન કર્યો છે. આથી જેમ રાજા મંત્રીની સલાહથી સર્વ કાર્ય કરે તેમ જીવની ચિત્તવૃત્તિમાં વર્તતો ચારિત્રનો પરિણામ ભગવાનના વચનરૂપ સદ્ધોધથી સર્વ ઉચિત પ્રવૃત્તિનો નિર્ણય કરીને યોગમાર્ગમાં જીવોને પ્રવર્તાવે છે. તેથી જૈનપુરમાં વસતા જીવોમાં ચારિત્રધર્મનું સૈન્ય વિકાસ પામે છે અને મહામોહાદિ ચોરટાઓ તેમનાથી દૂર ભાગે છે. તે સર્વમાં સદાગમરૂપ મંત્રીનું જ કુશલપણું છે. જ્યારે સદાગમ વિદ્યમાન ન હોય ત્યારે ચારિત્રનું બળ, જૈનપુર ક્યારેય પોતાના સ્વરૂપે પ્રકાશમાન થતું નથી. આથી જ જે જીવોને સદાગમનો બોધ નથી તેઓ વ્યવહારથી જૈનદર્શનનાં અનુષ્ઠાનો કરતા હોય તોપણ જિનતુલ્ય થવાનો યત્ન કરીને તે જીવો મોહના નાશ માટે યત્ન કરી શકતા નથી. તેથી તેઓ જે જૈનપુરમાં વસે છે તે જૈનપુર પણ પોતાના સ્વરૂપે જૈનપુર નથી; કેમ કે અપ્રમત્તશિખર ઉપર રહેલ જેવું જૈનપુર છે તેવા સ્વરૂપે તે જૈનપુર પ્રકાશતું નથી. વળી, તે જીવોની ચિત્તવૃત્તિમાં ચારિત્રનું બળ પણ પોતાના સ્વરૂપે પ્રકાશતું નથી. આથી જ સાધુવેશમાં રહેલા કે શ્રાવકાચાર પાળનારા જીવો સદાગમના પ્રકાશ વગરના હોય ત્યારે જે સંયમની ક્રિયા કરે છે કે જે શ્રાવકાચાર પાળે છે, તેનાથી તેઓના ચિત્તમાં ચારિત્રનું સૈન્ય પોતાના સ્વરૂપે પ્રકાશતું નથી; કેમ કે મોહાદિની નાશ કરવા માટે તેઓની ચિત્તવૃત્તિમાં વર્તતું ચારિત્રનું બળ સદાગમની સહાય વગર અસમર્થ બને છે. તેથી જ તેઓની ચિત્તવૃત્તિમાં ચારિત્રની ક્રિયાઓ વિદ્યમાન હોવા છતાં મોદાદિ ચોરટાઓ પોતાનું સ્થાન જમાવીને તેઓની સંયમની ક્રિયામાં પણ હું તપસ્વી છું, હું ત્યાગી છું ઇત્યાદિ ભાવો કરાવીને ચારિત્રના સૈન્યને સતત ક્ષીણ કરે છે અને ચિત્તવૃત્તિમાં ચારિત્રના ભાવોને વ્યક્ત થવામાં યત્ન કરવા દેતા નથી. પરંતુ જે મહાત્માઓ સદાગમને પામેલા છે તેઓ જ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સદાગમના બળથી સંયમની ઉચિત ક્રિયાઓ કરીને ચારિત્રના બળને તેજસ્વી કરે છે અને મહામોહના સૈન્યને સતત ક્ષીણ કરે છે. તેથી ચારિત્ર રાજાનાં સર્વ કાર્યોનો ઉપદેશ દેનાર સદાગમ બીજો પુરુષ પ્રધાન છે. વળી, જે સંસારી જીવો મોક્ષમાં જાય છે તેમાં પ્રધાન કારણ કેવલજ્ઞાન જ છે; કેમ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી કર્મબંધના નાશના અશેષ ઉપાયોને જાણીને ઉચિતકાળે તે મહાત્મા યોગનિરોધ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ રીતે સ્વઅંગભૂત પાંચ પુરુષોથી યુક્ત સદ્ધોધનું સ્વરૂપ વિમર્શ પ્રકર્ષને બતાવ્યું. તેથી તે પૂછે સંતોષ રાજા ક્યાંય દેખાયો નહીં. તેથી હવે ચારિત્રના સૈન્યમાં સંતોષ કોણ છે ? તે બતાવતા વિમર્શ કહે છે – જે દશ પ્રકારના યતિધર્મમાં સંયમ નામનું પ્રથમ મહાવ્રત છે તેની આગળ સંતોષ બેઠેલો છે. તેથી એ પ્રાપ્ત થાય કે સુસાધુ પ્રથમ મહાવ્રત પાલન કરે છે. ત્યારે તેઓને સંસારના સર્વ ભાવો પ્રત્યે ઉપેક્ષા છે અને આત્માના નિરાકુળભાવમાં સ્થિર થવાની ઉત્કટ ઇચ્છા છે. તેથી જ સતત આત્માના અનિચ્છાભાવમાં યત્ન કરીને સંયમની વૃદ્ધિ કરે છે. તેથી સંયમની સાથે તેના અંગભૂત સંતોષ રહેલો છે. આ પ્રકારે વિમર્શનું વચન સાંભળીને પ્રકર્ષ કહે છે, મહામોદાદિ સંતોષને નાશ કરવા માટે પોતાના નગરોમાંથી નીકળીને પ્રમત્ત નદી પાસે આવેલા. તેથી સંતોષ ચારિત્રનો મૂલનાયક કેમ નથી ? વસ્તુતઃ શત્રુનું સૈન્ય રાજાને જીતવા જાય ત્યારે પણ મૂલનાયકને જીતવા જાય છે અને પ્રસ્તુતમાં મૂલનાયક સંયમ છે. અને સંતોષ તેનો પદાતિ છે. તેથી પ્રકર્ષને શંકા થાય છે કે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે મહામોહાદિનું સૈન્ય સંતોષને જીતવા અર્થે નગરમાંથી નીકળેલું છે તેથી સંતોષ અવશ્ય ચારિત્ર સૈન્યનો મૂલનાયક હોવો જોઈએ. તેના સમાધાનરૂપે વિમર્શ કહે છે. ચારિત્ર સૈન્યમાં સંતોષ શૂરવીર છે, નીતિમાં તત્પર છે, દક્ષ છે, સંધિ અને વિગ્રહનો જાણનાર છે તેથી મૂલ એવા ચારિત્ર રાજાએ સંતોષને પોતાના સૈન્યનું પાલન કરવા માટે મુખ્ય પુરુષ રૂપે સ્થાપન કર્યો છે તોપણ મૂલરાજા ચારિત્ર છે અને સંતોષ તેનો પદાતિ છે. (૧) આનાથી એ પ્રાપ્ત થાય કે જીવના ચિત્તમાં જ્યારે અનિચ્છાને અભિમુખ પરિણામ થાય છે ત્યારે બાહ્ય ભાવો પ્રત્યે સંતોષ વર્તે છે અને તે સંતોષનો પરિણામ મોહને નાશ કરવામાં અત્યંત શુરવીર છે; કેમ કે અસંતોષના બળથી જ સર્વ પ્રકારના મોહના પરિણામો ચિત્તવૃત્તિમાં પ્રગટે છે. વળી, સંતોષ તરતમતાની અનેક ભૂમિકાવાળો છે. તેથી જે જીવમાં જે પ્રકારે સંતોષને અનુકૂળ ઉચિત યત્ન થઈ શકે તે પ્રકારના સંતોષપૂર્વક તે જીવ મોહનો નાશ કરે છે. (૨) વળી, સંતોષ શત્રુના નાશ માટે કઈ નીતિ અપનાવવી જોઈએ તેને જાણવામાં પણ કુશળ છે. આથી જ જેનું ચિત્ત સાધુની જેમ સર્વથા સંયમમાં જવા સમર્થ નથી તેવા પણ શ્રાવકો સ્વભૂમિકાનુસાર સંતોષમાં યત્ન કરીને સંતોષના બળથી મોહના સૈન્યને ક્ષીણ કરે છે. (૩) વળી સંતોષ શત્રુને નાશ કરવામાં દક્ષ છે, તેથી જ જે જીવમાં સંતોષ ગુણ છે જે અંશમાં આવિર્ભાવ પામે છે તે સંતોષ ગુણ તે તે ઉચિત પ્રવૃત્તિઓ દ્વારા મોહનું સૈન્ય ક્ષીણ કરીને ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રના સૈન્યને પુષ્ટ પુષ્ટતર કરે છે. તેથી સંતોષ ચારિત્રની સેનાના પાલનમાં દક્ષ છે. (૪) વળી, યુદ્ધ કરવામાં કુશળ સેનાપતિ ક્યારે શત્રુ સાથે સંધિ કરવી જોઈએ અને ક્યારે વિગ્રહ કરવો જોઈએ તે જાણે છે. તેથી જ્યારે શત્રુનું બળ પ્રચુર હોય ત્યારે સંધિ કરવા યત્ન કરે છે અને પોતાનું બળ અધિક જણાય તો શત્રુ સંધિ Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૦૧ તૈયાર થાય તોપણ અસ્વીકાર કરીને યુદ્ધ કરે છે. તેમ આ સંતોષ પણ મોહના નાશ માટે યત્ન કરે છે ત્યારે જણાય કે તે તે ઇન્દ્રિયોનું બળ પ્રચુર છે, તેથી તેનું વચન સર્વથા અસ્વીકાર કરવામાં આવશે તો તે ઇન્દ્રિય ચિત્તમાં અસ્વસ્થતા પેદા કરીને મોતની પુષ્ટિ કરશે તેથી તે ઇન્દ્રિય સાથે સંતોષ સંધિ કરે છે અને કંઈક તેનું અનુકૂળ સ્વીકારે છે તોપણ સર્વથા તે ઇન્દ્રિયને વશ થઈને સંતોષનો પરિણામ ચારિત્રધર્મનો નાશ થવા દેતો નથી. આથી જ વિવેકી શ્રાવક ભોગાદિની ઇચ્છા અતિ વિહ્વળ કરે ત્યારે કંઈક ઇન્દ્રિયના વચનનો સ્વીકાર કરીને તેને અનુકૂળ ભોગાદિની પ્રવૃત્તિ કરે છે તોપણ સર્વથા તેને આધીન થતા નથી. અને સંતોષના બળથી જ્યારે તેઓ સમર્થ બને છે ત્યારે ઇન્દ્રિય સાથે વિગ્રહ કરીને ઇન્દ્રિયોને પ્રતિકૂળ જ આચરણા કરે છે. જેથી તે ઇન્દ્રિયજન્ય વિકારનો અત્યંત ક્ષય થાય છે. જેમ સ્પર્શેન્દ્રિયનો વિગ્રહ કરીને મનીષીએ ભવજંતુની જેમ સર્વથા સ્પર્શનનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી તેથી દીક્ષાગ્રહણ કરતાં પૂર્વે સંધિનો અવસર હતો ત્યારે સ્પર્શેન્દ્રિયથી સંધિ કરીને કંઈક ભોગાદિ કર્યા અને સંતોષના બળથી જ્યારે બળસંચય થયો ત્યારે સ્પર્શનની સાથે વિગ્રહ કરીને શત્રુની સેનાનો નાશ કર્યો. આથી ચારિત્ર રાજાએ સંતોષને તંત્રપાલરૂપે નિયુક્ત કર્યો છે અને જીવની ચિત્તવૃત્તિમાં સંપૂર્ણ બલસામગ્રીથી ફરતા એવા સંતોષે સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોને જોઈ. તેથી સંતોષ પોતાના માહાભ્યથી પાંચેય ઇન્દ્રિયોનો અભિભવ=પરાભવ કરીને લોકને નિવૃત્તિમાં લઈ જાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવની ચિત્તવૃત્તિમાં સંતોષને અભિમુખ કંઈક પરિણામ પ્રગટે છે ત્યારે તે જીવને પોતાના સંતોષની વૃદ્ધિમાં વ્યાઘાતક પાંચ ઇન્દ્રિયો જ જણાય છે. તેથી વિવેકપૂર્વકનો પ્રગટ થયેલો સંતોષ તે પાંચ ઇન્દ્રિયો સાથે કાળને અનુરૂપ સંધિ વિગ્રહ કરીને તેનો પરાભવ કરે છે અને પોતાના ચારિત્રના સૈન્યને પુષ્ટ કરી તેના બળથી તે જીવને સંતોષ મોક્ષમાં લઈ જાય છે. વળી, સંસારી જીવોને મહામોહને વશ કરવા માટે વિષયાભિલાષે પાંચ ઇન્દ્રિયો રૂપ મનુષ્યોને ભવચક્રમાં મોકલેલ છે. વળી, તે પાંચ ઇન્દ્રિયો સંસારી જીવને વશ કરીને સંસારથી મુક્ત થવા દેતી નથી છતાં કોઈક જીવમાં સંતોષનો પરિણામ પ્રગટે છે અને તે પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પાંચ ઇન્દ્રિયોનો પરાભવ કરીને સંસારી જીવને મોક્ષમાં મોકલે છે તે સાંભળીને મહામોહરાજા પોતાના સૈન્ય સહિત સંતોષને જીતવા માટે પોતાના નગરોમાંથી નીકળીને પ્રમત્તતા નદી પાસે રહેલા પુલિન ઉપર મંડપ બાંધીને બેઠેલા છે. સંતોષ સંયમનો પદાતિ હોવા છતાં તેને જીતવા અર્થે આવેલા મહામોહાદિ આ સંતોષ મૂલનાયક છે એમ માને છે. સંતોષ મૂલનાયક નહીં હોવા છતાં કેમ મૂલનાયક જણાય છે ? તેમાં યુક્તિ બતાવે છે – જેમ સર્પ ઉપરથી કૃષ્ણ હોય છે તોપણ ઉદરના સ્થાને સફેદ હોય છે છતાં ઉપરથી જોનાર લોક સર્પને કૃષ્ણ જ જુએ છે તેમ સંતોષ મૂલનાયક નથી તોપણ મૂલનાયકની જેમ પાંચ ઇન્દ્રિયોનો પરાભવ કરીને જીવને મોક્ષમાં લઈ જાય છે તે જોઈને મહામોહનું સૈન્ય સંતોષને જ નાશ કરવા માટે પ્રગટ થાય છે. આનાથી એ ફલિત થાય કે કોઈક જીવની ચિત્તવૃત્તિમાં સંતોષનો પરિણામ પ્રગટ થયેલો હોય અને તેના બળથી તે મહાત્મા સતત મોહનાશ કરવા માટે યત્ન કરે છે. જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજવૈભવને છોડીને મોહનાશ કરવા માટે મહાધ્યાનમાં યત્ન કરતા હતા તે વખતે કોઈક નિમિત્તને પામીને તે મોહનું સૈન્ય Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેમના સંતોષને નાશ કરવા માટે ઉલ્લસિત થયું જેથી અનિચ્છા તરફ જતો તેમનો ઉપયોગ સ્કૂલના પામ્યો અને મહામોહને વશ થઈને પુત્રની ચિંતાદિ અસંતોષના પરિણામથી તેઓ સાતમી નારકી જવાને અનુકૂળ પરિણામવાળા થયા. તેથી જીવના પ્રમાદને જોઈને મોહનું સૈન્ય ચારિત્રનો નાશ કરવા અર્થે પ્રવર્તે છે ત્યારે પ્રથમ હુમલો સંતોષ ઉપર જ કરે છે અને ફરી પ્રસન્નચંદ્ર રાજર્ષિ જાગૃત થયા તો સંતોષના બળથી મોહના સૈન્યનો નાશ કર્યો. તે સ્પર્શનાદિનો નાશ કરનાર સંતોષ છે તેમ માનીને મોહના સૈન્યને સંતોષ પ્રત્યે અધિક રોષ છે. અન્ય ચારિત્રના સૈન્ય પ્રત્યે રોષ હોવા છતાં તેવો રોષ નથી. તેથી મહામોહાદિ પોતાના નગરમાંથી નીકળીને પ્રમત્તતા નદી પાસે સંતોષને જીતવા માટે આવેલા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો કોઈ શુભભાવમાં નથી, કેવલ અશુભભાવમાં છે તેઓની ચિત્તવૃત્તિમાં મહામોહાદિનું એક સામ્રાજ્ય વર્ત છે. તેથી તે જીવો મહામોહાદિના નગરોમાં વર્તે છે માટે ત્યાં સંતોષનો ઉદ્ભવ જ નથી, તેથી મહામોહાદિને જીવવાનો યત્ન કરવો આવશ્યક જ નથી પરંતુ કોઈક નિમિત્તને પામીને કોઈક જીવને કંઈક શુભભાવ થાય છે ત્યારે તે જીવો કંઈક મધ્યસ્થ પરિણતિવાળા થાય છે તે સંતોષનો જ અંશ છે. જેમ નંદીવર્ધનના જીવને હાથીના ભવમાં જે શુભભાવ થયો જેનાથી રાજ કુળમાં જન્મ વગેરે થાય તેવું શ્રેષ્ઠ પુણ્ય બંધાયું તે કંઈક અંશથી સંતોષનો જ પરિણામ હતો. વળી તે નંદીવર્ધનનો જીવ રાજપુત્ર થાય છે ત્યારે તેનામાં પ્રમાદ ઉત્પન્ન થાય છે તેથી કનકશેખર આદિ અન્ય સ્વજનો ધર્મપરાયણ હોવા છતાં કોઈનું સાંભળે નહીં, હિંસાદિ કરવામાં તત્પર રહે તેવો પરિણામ મહામોદાદિ તે જીવમાં ઉત્પન્ન કરે છે. તેનાથી હાથીના ભાવમાં થયેલ માધ્યસ્થ પરિણતિરૂપ કંઈક સંતોષના સંસ્કારો હતા તેનો પરાજય થાય છે અને તે સંસારી જીવ ફરી ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિમાં જાય છે. વળી, કેટલાક જીવો તે રીતે શુભભાવ કરીને કનકશેખરની જેમ રાજપુત્ર થાય છે તે વખતે તે જીવમાં પણ ક્યારેક કામાદિની ઇચ્છા થાય છે ત્યારે તેનામાં સંતોષના પરિણામના નાશ અર્થે મહામોહાદિ ચિત્તવૃત્તિ અટવીમાં રહે છે છતાં ક્યારેક સંતોષના બળથી તે મહામોહાદિનો જય થાય છે તો ક્યારેક સંતોષનો જય થાય છે. આ રીતે જય-પરાજય ઘણા જીવોની ચિત્તવૃત્તિમાં દીર્ઘકાળ ચાલે છે. તેથી વિમર્શ કહે છે કે આ બંને સૈન્યનો રોષ પરસ્પર જીતવાની ઇચ્છાથી ઘણા કાળથી ચાલે છે. શું થશે તે હું જાણતો નથી. આથી જ સંસારી જીવોના ચિત્તમાં ક્યારેક કષાયોનો જય થાય છે અને ક્યારેક સંતોષનો જય થાય છે જેનાથી પુણ્ય બાંધીને તે જીવો સુગતિમાં આવે છે પરંતુ જ્યારે સંતોષ સર્વથા મોહનો જય કરાવે છે ત્યારે તે જીવ કર્મથી મુક્ત થાય છે. વળી, સંતોષની પત્ની નિષ્કિપાસિતા છે જે સંતોષના સાથે અભિન્ન દેહવાળી છે. તે નિષ્કિપાસિતા જીવોનું મન શબ્દાદિ વિષયોમાં તૃષ્ણા વગરનું કરે છે. વળી, જીવમાં નિષ્કિપાસિતા જ્યારે વ્યક્ત રૂપે વર્તે છે ત્યારે જીવને લાભ-અલાભમાં, સુખ-દુઃખમાં, સુંદર આહાર કે અસુંદર આહારમાં સંતોષ વર્તે છે. આથી જ નિષ્કિપાસિતાને કારણે મુનિઓ સંસારવર્તી સર્વભાવોમાં મધ્યસ્થભાવને પ્રગટ કરીને અપ્રમાદથી સંતોષની જ વૃદ્ધિ કરે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પૂર્વમાં વિમર્શ ચિત્તવૃત્તિ અટવીમાં વર્તતા સંતોષાદિને બતાવવા અર્થે ચારિત્રધર્મ આદિ સર્વનું સ્વરૂપ બતાવીને અંતે સંતોષનું અને નિષ્કિપાસિતાનું સ્વરૂપ બતાવ્યું. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે – શ્લોક : तदेवं वत्स! बुध्यस्व, निर्विकल्पेन चेतसा । चारित्रधर्मराजोऽत्र, नायकः परमार्थतः ।।२५७।। શ્લોકાર્ય : હે વત્સ અહીં ચિત્તસમાધાનમંડપમાં, વર્તતા સર્વ રાજાઓનો પરમાર્થથી ચારિત્રધર્મરાજા નાયક છે એ પ્રમાણે તું નિર્વિકલ્પ ચિતથી જાણ. IFરપી. चारित्रधर्मराजादीनां शुभकारिता શ્લોક : अस्य चयतिधर्मः सुतो ज्यायान्, गृहिधर्मः कनिष्ठकः । मन्त्री सद्बोधनामाऽयं, निविष्टो राज्यचिन्तकः ।।२५८ ।। ચારિત્રધર્મરાજાદિની શુભકારિતા શ્લોકાર્ચ - અને આનો ચારિત્રધર્મનો, મોટો પુત્ર યતિધર્મ અને કનિષ્ઠપુત્ર=નાનો પુત્ર, ગૃહિધર્મ છે. આ સમ્બોધ નામનો મંત્રી રાજ્યચિંતક નિવેશ કરાયો છે. ll૨૫૮ll શ્લોક : महत्तमस्तु विज्ञेयः, सम्यग्दर्शननामकः । सन्तोषस्तन्त्रपालोऽयमेवं वत्साऽवधारय ।।२५९।। શ્લોકાર્ચ - વળી, સમ્યગ્દર્શન નામનો મહત્તમ જાણવો. હે વત્સ ! આ રીતે આ સંતોષ તંત્રપાલ તું અવધારણ કર. ||ર૫૯ll બ્લોક : महामोहादयः सर्वे, यथा भुवनतापकाः । તથેતે વત્સ! વિયા, મુવનાહ્નાવરિ: ર૬૦ના Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - મહામોહાદિ સર્વ જે પ્રમાણે ભુવનને તાપ કરનારા છે=સંસારવર્તી જીવોના ચિત્તમાં તાપને ઉત્પન્ન કરનારા છે, હે વત્સ ! તે પ્રમાણે આ=ચારિત્રધર્માદિ સર્વ, ભુવનને આ@ાદ કરનારા જાણવા=ભુવનવત જીવોના ચિત્તમાં ક્લેશના શમનથી આલાદને કરનારા જાણવા. ||ર|| શ્લોક : एते हि जगदालम्बा, एते हितविधायकाः । एते समस्तजन्तूनां, पारमार्थिकबान्धवाः ।।२६१।। શ્લોકાર્થ : દિ જે કારણથી, આ=ચારિત્રધર્માદિ, જગતના આલંબન છે. આ=ચારિત્રધર્માદિ, હિતને કરનારા છે. આ ચારિત્રધર્માદિ સમસ્ત જીવોના પારમાર્થિક બંધુઓ છે. //ર૬૧] શ્લોક : एते निरन्तसंसारसागरोत्तारकारकाः । अनन्तालादसन्दोहदायका जगतो मताः ।।२६२।। શ્લોકાર્ય : આચારિત્રધર્માદિ, નિસંતવાળા એવા સંસારસાગરના ઉત્તારને કરનારા છે, જગતને અનંત આનંદના સમૂહને દેનારા મનાયા છે. ર૬રા શ્લોક : चारित्रधर्मराजाद्याः, सर्वेऽप्येते नरेश्वराः । सुखहेतव एवात्र, सर्वेषामपि देहिनाम् ।।२६३।। શ્લોકાર્ધ : ચારિત્રધર્મરાજાદિ સર્વ પણ આ રાજાઓ અહીં=સંસારમાં, સર્વ પણ જીવોના સુખના હેતુઓ જ છે. ll૨૬૩. શ્લોક : तदेते स्वाङ्गिकास्तात! तावदित्थं मयाऽखिलाः । चारित्रधर्मराजस्य, बान्धवास्ते निवेदिताः ।।२६४।। શ્લોકાર્ચ - હતાત પ્રકર્ષ! આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, તે આ અખિલ સ્વાંગભૂત ચાઅિધર્મરાજાના બંધુઓ મારા વડે તને નિવેદિત કરાયા. ર૬૪ll Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ये त्वमी वेदिकाऽभ्यणे, वर्तन्ते मण्डपस्थिताः । शुभाशयादयस्तात! तेऽप्यस्यैव पदातयः ।।२६५ ।। શ્લોકાર્ચ - જે વળી આ વેદિકાના પાસેના મંડપમાં રહેલા શુભાશયાદિ વર્તે છે. હે તાત પ્રકર્ષ ! તેઓ આના જ=ચારિત્રધર્મના જ, પદાતિઓ છે. ગરપા. શ્લોક : अस्यादेशेन कुर्वन्ति, सुन्दराणि सदा जने । एते कार्याणि भूपाला, निर्मिथ्यममृतोपमाः ।।२६६।। શ્લોકાર્ય : આના આદેશથી ચારિત્રના આદેશથી, આ રાજાઓ નિર્મિધ્ય અમૃતની ઉપમાવાળા સદા સુંદર કાર્યો જનમાં કરે છે. રા. શ્લોક : किञ्चमनुष्या योषितो डिम्भा, ये लोकाः सुखहेतवः । विवर्तन्ते समस्तास्ते, मध्येऽमीषां महीभुजाम् ।।२६७।। શ્લોકાર્ય : વળી, મનુષ્યો, સ્ત્રીઓ, બાળકો રૂ૫ જે લોકો સુખના હેતુઓ છે, તે સમસ્ત આ રાજાઓના મધ્યમાં વર્તે છે=ચારિત્રધર્માદિ રાજાઓના સૈન્યમાં તે સર્વ મનુષ્યાદિ વર્તે છે. ર૬૭ી. શ્લોક : ततश्चअसंख्यातजनं वत्स! पूरितं भूरिभूमिपैः । નિઃશેષમાથાન, વો દિ વયિતું ક્ષમઃ ? પાર૬૮ાા શ્લોકાર્ચ - અને તેથી=લોકોના સુખના હેતુઓ એવા સર્વ લોકો ચારિત્રરાજાના મધ્યમાં છે તેથી, હે વત્સ! ઘણા રાજાઓ વડે અસંખ્યાતજનથી પૂરિત નિઃશેષ આ આસ્થાન=ચિત્તસમાધાનમંડપ રૂપ આસ્થાન, કોણ વર્ણન કરવા માટે સમર્થ થાય ? ર૬૮ll Page #315 -------------------------------------------------------------------------- ________________ 309 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ cोs: ततो मयेदं ते वत्स! समासेन निवेदितम् । गच्छावः साम्प्रतं द्वारे, यदि पूर्ण कुतूहलम् ।।२६९।। लोकार्थ : તેથી હે વત્સ! મારા વડે તને આ સંક્ષેપથી નિવેદન કરાયું. હવે જો કુતૂહલ પૂર્ણ થયું હોય તો આપણે બે દ્વારમાં જઈએ=આપણા સ્વસ્થાન એવા ભૂતલ નગરમાં જઈએ. ll૨૬૯ll. टोs : एवं भवतु तेनोक्ते, विनिर्गत्य विलोकितम् । चतुरङ्गं बलं ताभ्यां, तदीयं तच्च कीदृशम् ।।२७०।। दोडार्थ : આ રીતે થાવ=આપણે દ્વારમાં જઈએ આ પ્રમાણે થાઓ. તેના વડે=પ્રકર્ષ વડે, કહેવાય છd નીકળીને તે સ્થાનથી નીકળીને, તે બંને દ્વારા તત્સંબંધી ચારિત્રધર્મ સંબંધી, ચતુરંગબલ वायु. मने वा प्रार® छ ? ||२७०।। चारित्रनृपसैन्यम् Cोs: गाम्भीर्योदार्यशौर्यादिनामभिः स्यन्दनैः सदा । प्रेङ्खघणघणारावपूरिताशेषदिक्पथम् ।।२७१।। यशःसौष्ठवसौजन्यप्रश्रयादिमहागजैः । विलसत्कण्ठनिर्घोषसंरुद्धभुवनोदरम् ।।२७२।। बुद्धिपाटववाग्मित्वनैपुण्यादितुरङ्गमैः । महाहेषारवापूर्णसत्प्रजाकर्णकोटरम् ।।२७३ ।। अचापलमनस्वित्वदाक्षिण्यादिपदातिभिः । अलब्धगाधविस्तीर्णस्तिमितोदधिविभ्रमम् ।।२७४।। चतुर्भिः कलापकम्।। ततश्चैवंविधं वीक्ष्य, चतुरङ्गं महाबलम् । प्रकर्षश्चेतसा तुष्टः, प्रोवाच निजमातुलम् ।।२७५ ।। Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ચારિત્ર રાજાનું સૈન્ય શ્લોકાર્ધ : તે બતાવે છે – ગાંભીર્ય, ઔદાર્ય, શૌર્યાદિ નામવાળા રથોથી સદા શોભતા એવા ઘણ ઘણના અવાજથી પુરાયેલી અશેષ દિશાઓના માર્ગવાળું, યશ, સૌષ્ઠવ, સોજન્ય, પ્રશ્રયાદિ મહાગજોથી વિલાસ પામતા કંઠના નિર્દોષથી સંરુદ્ધ ભુવનના ઉદરવાળું, બુદ્ધિનું પાટવ, વાણીનું સંયમ, નેપુણ્યાદિ તુરંગોથી મહાહષારવથી આપૂર્ણ સાજાના કર્ણ કોટરવાળું, અચાપલ-ચાલતા રહિત, મનસ્વીવાળું, દાક્ષિણ્યાદિ પદાતિઓથી અલબ્ધ અગાધ વિસ્તીર્ણ સિમિત ઉદધિના વિભ્રમવાળું, તે ચતુરંગબલ તે બંને દ્વારા વિમર્શ અને પ્રકર્ષ દ્વારા, જોવાયું. તેથી આવા પ્રકારના ચતુરંગમહાબલને જોઈને ચિત્તથી તુષ્ટ એવો પ્રકર્ષ પોતાના મામા પ્રત્યે બોલ્યો. ર૭૧થી ૨૭૫ll બ્લોક : यथेष्टमधुना माम! पूरितं मे कुतूहलम् । यदत्र किञ्चिद् द्रष्टव्यं, तत्सर्वं दर्शितं त्वया ।।२७६।। શ્લોકા : જે પ્રમાણે ઈષ્ટ છે=આપણે જવું ઈષ્ટ છે, હે મામા ! હમણાં મારું કુતૂહલ પુરાયું. અહીં જે કંઈ જોવાયું તે સર્વ તમારા વડે બતાવાયું. ૨૭૬ll શ્લોક : તથાદિदर्शितं भवचक्रं मे,नानावृत्तान्तसङ्कुलम् । महामोहादिवीर्यं च, कारणैरपरापरैः ।।२७७।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે – અનેક વૃત્તાંતથી સંકુલ અપર-અપર કારણોથી મહામોહાદિના વીર્યવાળું ભવચક્ર મને બતાવાયું. ર૭૭IL શ્લોક : विवेकपर्वतश्चायं, दर्शितो मे मनोहरः । निवेदितं च सल्लोकैः, पूर्णं सात्त्विकमानसम् ।।२७८ ।। શ્લોકાર્ય : અને મનોહર આ વિવેક પર્વત મને બતાવાયો. અને સદ્ધોકોથી પૂર્ણ સાત્વિક માનસ નિવેદિત કરાયું. ll૨૭૮II Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : शिखरं चाप्रमत्तत्वं, जैनं चेदं महापुरम् । युक्तं महात्मभिर्लोकैर्दर्शितं मम सुन्दरम् ।।२७९।। શ્લોકાર્ચ - અને અપ્રમતત્વ શિખર અને મહાત્મા લોકોથી યુક્ત આ જૈન મહાપુર સુંદર મને બતાવાયું. Il૨૭૯II. બ્લોક : तथा चित्तसमाधानो, मण्डपो वेदिका च मे । त्वया निःस्पृहताऽऽख्याता, जीववीर्यं च विष्टरम् ।।२८०।। શ્લોકાર્ય : અને ચિતસમાધાનમંડપ, નિઃસ્પૃહતા નામની વેદિકા, જીવવીર્ય નામનું વિક્ટર તમારા વડે મને બતાવાયું. ll૨૮oll શ્લોક : वर्णितश्च महाराजः, साक्षात्करणपूर्वकम् । प्रत्येकं वर्णिताः सर्वे, भूपालास्तस्य सेवकाः ।।२८१।। શ્લોકાર્થ : અને મહારાજ વર્ણન કરાયા=ચાર મુખવાળા ચારિત્ર મહારાજ વર્ણન કરાયા. સાક્ષાત્ કરણપૂર્વક સર્વ ભૂપાલો અને પ્રત્યેક તેના સેવકો વર્ણન કરાયા. ll૨૮૧ી. શ્લોક - इदं च दर्शितं रम्यं, चतुरङ्गं महाबलम् । एवं च कुर्वता माम! नास्ति तद्यन्न मे कृतम् ।।२८२।। શ્લોકાર્થ : અને આ રમ્ય ચતુરંગ મહાબલ બતાવાયું. અને મામા ! આ રીતે કરતાં એવા મને તે નથી જે ન કરાયું હોય. ll૨૮રના શ્લોક : जनितः पूतपापोऽहं, कृतो बृहदनुग्रहः । कृपापरीतचित्तेन, पूरिता मे मनोरथाः ।।२८३ ।। Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : પૂત પાપવાળો એવો હું કરાયો. મોટો અનુગ્રહ કરાયો. કૃપાપરીત ચિત્તવાળા તમારા વડે મારા મનોરથો પૂરાયા. ll૨૮all શ્લોક : तथापि रमणीयेऽत्र, वस्तुमिच्छामि साम्प्रतम् । दिनानि कतिचिन्माम! लीलया जैनसत्पुरे ।।२८४ ।। શ્લોકાર્ધ : તોપણ રમણીય એવા આ જૈનસપુરમાં હે મામા ! લીલાથી કેટલાક દિવસો હમણાં વસવા માટે હું ઈચ્છું છું. ર૮૪ll શ્લોક : स्थितो मासद्वयं यावत्, सद्विचारपरायणः । पुरे तथा तथा प्राज्ञो, जायेऽहं त्वत्प्रसादतः ।।२८५ ।। શ્લોકાર્ચ - વળી – તે પ્રકારના પુરમાં-રમણીય એવા જૈનસપુરમાં, સદ્વિચારપરાયણ બે મહિના સુધી રહેલો હું તે પ્રકારે તમારા પ્રસાદથી પ્રાજ્ઞ થઈશ. llર૮પા શ્લોક : अहं च परमां काष्ठां, नेयो मामेन सर्वथा । अतो जैनपुरे तावदत्र त्वं वस्तुमर्हसि ।।२८६।। શ્લોકાર્ચ - અને હું મામા દ્વારા સર્વથા પરમ કાષ્ઠાને પ્રાપ્ત કરવા યોગ્ય છું=જેનપુરના પારમાર્થિક સ્વરૂપના જ્ઞાનની પરમ કાષ્ઠાને હું પ્રાપ્ત કરવા યોગ્ય છું. આથી અહીં જેનપુરમાં ત્યાં સુધી તમને મામાને, વસવું યોગ્ય છે. ર૮૬ll શ્લોક : ततस्तन्मातुलेनोक्तं, या तवेच्छा प्रवर्तते । तामेष त्वन्मुखाकाङ्क्षी, किं भनक्ति वशो जनः? ।।२८७।। Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તેથી=પ્રકર્ષે આ પ્રકારે મામાને કહ્યું તેથી, તેને મામા વડે કહેવાયું. જે તારી ઈચ્છા વર્તે છે. તારા મુખની આકાંક્ષાવાળો વશ એવો આ જન વિમર્શ, તેને તારી ઇચ્છાને, શું ભાંગે ? અર્થાત્ ભાંગે નહીં. [૨૮૭ી શ્લોક : महाप्रसाद इत्युक्त्वा , ततस्तत्रैव सत्पुरे । સ્થિતો માથું ધોવત્સ પ્રર્ષ સમતુતઃ સારા શ્લોકાર્ચ - મહાપ્રસાદ’ એ પ્રકારે કહીને ત્યારપછી તે જ સત્પરમાં=જેનપુરમાં, માસદ્વય સુધી મામા સહિત તે પ્રકર્ષ રહ્યો. ll૨૮૮ ग्रीष्मवर्णनम् શ્લોક : इतश्च मानवावासे, वसन्तो लवितस्तदा । માવેશેન મરાવ્યા:, પ્રાતો ગ્રીખ: સુવાપ: Jારા ગ્રીષ્મઋતુનું વર્ણન શ્લોકાર્ચ - અને આ બાજુ માનવાવાસમાં વસંત પસાર થયો ત્યારે મહાદેવીના આદેશથી કાલપરિણતિરૂપ મહાદેવીના આદેશથી સુદારુણ ગ્રીષ્મઋતુ પ્રાપ્ત થઈ. ll૨૮૯ll શ્લોક : यत्र ग्रीष्मेजगत्कोष्ठकमध्यस्थो, लोहगोलकसत्रिभः । ध्मायते चण्डवातेन, जगद्दाहकरो रविः ।।२९० ।। શ્લોકાર્ચ - જે ગ્રીખમાં જગતના કોષ્ઠકના મધ્યમાં રહેલો, લોહના ગોલક જેવો, ચંડવાતથી જગતને દાહ કરનારો સૂર્ય તપે છે. ર૯oll. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : जायते पत्रशाटस्तरूणामलं हीयते देहिनां यत्र देहे बलं, पीयते प्राणिभिर्भूरिधाराजलं, शुष्यते चास्यमेषां तृषाऽत्यर्गलम् । दह्यते तीव्रतापेन सर्वो जनः खिद्यते स्वेदनिर्वेदितं तन्मनो, वान्ति वाताः सतप्ता जगत्तापिनः शुष्कपत्रावलीमर्मराराविणः ।।२९१।। શ્લોકાર્ચ - વૃક્ષોના પત્રનો શાટ થાય છે. જ્યાં જીવોના શરીરમાં બલ અત્યંત ક્ષય પામે છે. પ્રાણીઓ વડે ઘણી ધારાવાળું જલ પીવાય છે અને આમનું=જીવોનું, મુખ તૃષાથી અત્યંત શોષ પામે છે. તીવ્રતાપથી સર્વ જન બળે છે. સ્વેદથી નિર્વેદિત એવું તેમનું મન=પરસેવાથી ઉદ્વિગ્ન થયેલું સંસારી જીવોનું મન, ખેદ પામે છે. શુષ્ક પત્રની આવલિથી મર્મર અવાજ કરનારા જગતતાપી એવા સૂર્યથી સંતપ્ત વાયુઓ વાય છે. રિ૯૧II. શ્લોક : પિ - भानोरिव प्रतापेन, संतुष्टं वर्धितं दिनम् । स्वामिनोऽभ्युदये सर्वः, सन्तोषादभिवर्धते ।।२९२।। શ્લોકાર્ચ - વળી, ભાનુના પ્રતાપથી જાણે સંતુષ્ટ થયેલો દિવસ વૃદ્ધિ પામ્યો. સ્વામીના અભ્યદયમાં, સર્વ સ્વામીના સેવકો સર્વ, સંતોષથી અભિવર્ધન પામે છે. ર૯૨શા यत्र च विदलिता मल्लिकाः, विकसिता जात्यपाटलाः, श्यामलितं कुसुमभरेण शिरीषवनं, सुभगीभूताश्चन्द्रकिरणाः, हृदयदयिता जलाशयाः, मनोऽभिरुचिता मौक्तिकहारयष्टयः, अतिवल्लभानि विमलहर्म्यतलानि, प्रियतमानि चन्दनविलेपनानि, अमृतायन्ते ताल वृन्तव्यजनकानि, सुखायन्ते शिशिरकिसलयकुसुमस्रस्तराः, लगन्ति बहिःशरीरनिहिता अपि जनानामन्तानसे चन्दनजलार्द्रा इति । અને જ્યાં મલ્લિકા વિદલિત કરાઈ=મોગરાના છોડો વિકસિત થયા. જાત્ય પાટલા વિકસિત થયા કુસુમના ભરવાથી શિરીષવન શ્યામલિત થયું=ખીલી ઊઠ્યું. ચંદ્રનાં કિરણો સુભગ થયાં. જલાશયો હદયને આનંદ આપનારાં થયાં. મોતીની માળાઓ મનને ગમવા લાગી. વિમલ એવા ઘરનાં તળિયાં અતિવલ્લભ થયાં. ચંદનનાં વિલેપનો પ્રિયતમ થયાં. તાલવૃતના વ્યજનકોપંખાઓ, અમૃતના જેવા લાગે છે. શિશિરના કિસલયની પથારીઓ સુખને કરનારી થાય છે. બહિર્શરીરથી નિહિત થયેલા પણ ચંદનના જલા=ચંદનરસો, લોકોના અંતર્માનસમાં લાગે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततश्चैवंविधे काले, भागिनेयमभाषत । गच्छावः साम्प्रतं वत्स! स्वस्थानमिति मातुलः ।।२९३।। શ્લોકાર્થ : તેથી આવા પ્રકારના કાલમાં હે વત્સ! પ્રકર્ષ ! સ્વસ્થાનમાં આપણે બે હવે જઈએ. એ પ્રમાણે પ્રકર્ષને મામા=વિમર્શ બોલ્યા. ર૯all શ્લોક : प्रकर्षः प्राह गमने, दारुणोऽवसरोऽधुना । तन्नाहं माम! शक्नोमि, गन्तुमेवंविधेऽध्वनि ।।२९४ ।। શ્લોકાર્ય : પ્રકર્ષ કહે છે. ગમનમાં હમણાં દારુણ અવસર છે. તે કારણથી હે મામા ! હું આવા પ્રકારના માર્ગમાં જવા માટે સમર્થ નથી. ર૯૪ll. શ્લોક : ततो मासद्वयं तिष्ठ, माम! सन्तापदारुणम् । येनाहं शीतलीभूते, दिक्चक्रे यामि सत्वरम् ।।२९५ ।। શ્લોકાર્થ : તેથી હે મામા ! સંતાપથી દારુણ બે માસ તમે રહો. જેથી શીતલીભૂત દિક હોતે જીતે સત્વર હું જાઉ સ્વસ્થાનમાં હું જાઉં. રિલ્પ શ્લોક : विचारपरयोः स्थानमावयोर्गुणकारणम् । अत्र जैनपुरे माम! मा मंस्था निष्प्रयोजनम् ।।२९६।। શ્લોકાર્થ : વળી, વિચારપર એવા આપણા બંનેનું આ જૈનપુરમાં અવસ્થાન ગુણનું કારણ થશે. હે મામા! નિષ્ઠયોજન થશે નહીં. ll૨૯૬ Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૧૩ શ્લોક : યત:मम स्थैर्यं भवेदेवं, पुरस्यास्य गुणोत्करे । ततस्तातोऽपि जायेत, मद्गुणादत्र बद्धधीः ।।२९७ ।। શ્લોકાર્ચ - જે કારણથી આ રીતે આ નગરમાં બે મહિના રહીશ એ રીતે, જે મારું સ્વૈર્ય થાય તો તાત પણ=વિચક્ષણ પણ, મારા ગુણથી=પ્રકર્ષના ગુણથી, અહીં=જેનપુરમાં, બદ્ધઘી=પક્ષપાતની બુદ્ધિવાળા, થશે. ll૨૯૭ll. શ્લોક - एवं भवतु तेनोक्ते, ततस्तत्रैव सत्पुरे । तिष्ठतोः प्रावृडायाता, तयोः सा हन्त कीदृशी ।।२९८ ।। શ્લોકાર્ચ - આ પ્રમાણે થાવ આપણે અહીં બે મહિના વસીએ એ પ્રમાણે થાઓ, તેના વડે કહેવાયું છ0= વિમર્શ વડે કહેવાય છ0, ત્યારપછી તે જ સત્પરમાં=જેનનગરમાં, વસતા એવા તે બંને હોતે જીતે વર્ષાઋતુ આવી. તે ખરેખર કેવી છે? Il૨૯૮ प्रावृड्वर्णनम् બ્લોક : घनतुङ्गपयोधरभारधरा, लसदुज्ज्वलविद्युदलङ्करणा । कृतसन्ततगर्जितधीररवा, दृढगोपितभास्करजाररता ।।२९९।। रटदुद्भटदर्दुरषिड्गनरा, चलशुभ्रबलाहकहासपरा । गिरिकोटरनृत्तशिखण्डिवरा, बहुलोकमनोहररूपधरा ।।३०० ।। सुसुगन्धिकदम्बपरागवहा, विटकोटिविदारणमोदसहा । इति रूपविलासलसत्कपटा, भुवनेऽत्र रराज यथा कुलटा ।।३०१।। વર્ષાઋતુનું વર્ણન શ્લોકાર્થ : તે બતાવતાં કહે છે – ઘન ઊંચાં વાદળાંઓના ભારને ધારણ કરનારી, ચમકારા મારતી ઉજ્વલ. વીજળીના અલંકારવાળી, કરાયેલા સતત ગર્જિત ધીર અવાજવાળી, દઢ રીતે છુપાયેલા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સૂર્યરૂપી જાર પુરુષમાં રક્ત, અવાજ કરતાં ઉભટ દેડકાંઓ રૂપી નપુંસક પુરુષોવાળી, ચલાયમાન, અને શુભ્ર બગલારૂપી હાસ્યમાં તત્પર, પર્વતના કોટરમાં નૃત્ય કરેલા એવા મોરો વડે શ્રેષ્ઠ, ઘણા લોકોના મનને હરણ કરનાર એવા રૂપને ધારણ કરનારી, અત્યંત સુગંધી કદંબવૃક્ષના પરાગને વહન કરનારી, ક્રોડો વિટ પુરુષોના વિદારણ થયેલા હર્ષને સહન કરનારી આ પ્રકારના રૂપના વિલાસથી શોભતા કપટવાળી એવી વર્ષાઋતુ ભુવનમાં શોભતી હતી, જે પ્રમાણે કુલટા સ્ત્રી ભુવનમાં શોભે તેમ વર્ષાઋતુ શોભતી હતી. ll૨૯૯થી ૩૦૧ શ્લોક : अथ तां तादृशीं वीक्ष्य, प्रावृषं हृष्टमानसः । प्रकर्षो गमनोद्युक्तः, प्रोवाच निजमातुलम् ।।३०२।। गम्यतामधुना माम! त्वरितं तातसन्निधौ । ચતોડમી શીતત્રીભૂતા, વર્તન્ત સુમપથા: Jારૂ રૂપા શ્લોકાર્થ : હવે તે પ્રકારની તે વર્ષાઋતુને જોઈને હર્ષિત થયેલા માનસવાળો ગમનમાં ઉઘુક્ત પોતાના મામા પ્રત્યે બોલ્યો. હે મામા ! હવે આપણે બે ત્વરિત તાતસન્નિધિમાં=વિચક્ષણની પાસે, જઈએ જે કારણથી શીતલીભૂત આ પૃથ્વી સુગમ પંથવાળી વર્તે છે. ll૧૦૨-૩૦૩ll શ્લોક : विमर्शेनोदितं वत्स! मैवं वोचः कदाचन । यतोऽधुना व्यवच्छिन्नौ, विशेषेण गमागमौ ।।३०४।। શ્લોકાર્ય : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! એ પ્રમાણે ક્યારેય કહેવું નહીં=વર્ષાઋતુને કારણે સુગમ પંથ છે એમ ક્યારેય કહેવું નહીં. જે કારણથી હમણાં વિશેષથી ગમન-આગમન વિચ્છેદ થાય છે. ll૩૦૪ll શ્લોક : तथाहिसुच्छन्नगृहमध्यस्थाः, स्वाधीनदयिताननाः । वर्षासु धन्या गण्यन्ते, जनैर्ये न प्रवासिनः ।।३०५ ।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – સુચ્છન્ન વર્ષા ઋતુમાં સારી રીતે આચ્છાદન કરેલા, એવા ગૃહના મધ્યમાં Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૧૫ રહેલા=વર્ષાનું પાણી ન પડે એવા ઘરના મધ્યમાં રહેલા, સ્વાધીન પતિના મુખવાળા એ લોકો પ્રવાસી નથી=પ્રવાસ ગયેલા નથી તે લોકો મનુષ્યો વડે ધન્ય ગણાય છે. ll૩૦૫ll બ્લોક : તથાદિपश्यतु वत्स!-जलपूरितमार्गेषु, पङ्कक्लिन्नेषु गच्छतः । નિત્વ પતિતાનેતે, હન્તિ ટોરી: રૂદ્ાા શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – હે વત્સ! તું જો, કાદવથી ક્લિન્ન, જલથી પૂરિત માર્ગમાં જતા, ખલનાથી પડેલાઓને આ કુટજ ઉત્કરોગઝૂંપડામાં રહેનારાઓ હસે છે. Il૩૦૬ll. શ્લોક : निपतद्वारिधारौघहता ये यान्ति पापिनः । देशान्तरेषु तान्मेघो, मारयामीति गर्जति ।।३०७।। શ્લોકાર્ચ - પડતા પાણીની ધારના સમૂહથી હણાયેલા જે પાપીઓ દેશાંતરમાં જાય છે તેઓને મેઘ પણ હું મારું છું એ પ્રમાણે ગર્જના કરે છે. ll૩૦૭ી. શ્લોક - __ एवं व्यवस्थिते तात! मुच्यतां गमनादरः । यथेयन्तं स्थितः कालं, तिष्ठाऽत्रैव तथाऽधुना ।।३०८ ।। શ્લોકાર્ચ - આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે હે તાત પ્રકર્ષ ! ગમનનો આદર મુકાય. જે પ્રમાણે આટલો કાલ રહ્યો તે પ્રમાણે હમણાં અહીં જ રહે. ll૩૦૮ બ્લોક : किञ्चगच्छन्नत्र बहुः कालो, न दोषाय गुणावहः । यतः सोऽनुक्षणं वत्स! जायते तव वृद्धये ।।३०९।। શ્લોકાર્ચ - વળી, અહીં=જૈનપુરમાં, જતો બહુકાલ દોષ માટે નથી. ગુણને લાવનારો છે. જે કારણથી હે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વત્સ પ્રકર્ષ ! તે=જેનપુરમાં વસવાથી પસાર થતો કાલ, અનુક્ષણ તારી વૃદ્ધિ માટે થાય છેતારી તત્વબુદ્ધિની વૃદ્ધિ માટે થાય છે. ll૧૦૯ll શ્લોક : एवं भवतु तेनोक्ते, पुनर्मासचतुष्टयम् । स्थित्वा समागतौ गेहे, हृष्टौ स्वस्त्रीयमातुलौ ।।३१०।। શ્લોકાર્ચ - આ પ્રમાણે થાવ=અહીં આપણે અધિક વસીએ એ પ્રમાણે થાવ. તેના વડે=પ્રકર્ષ વડે, કહેવાય છતે ફરી ચાર માસ રહીને હર્ષિત થયેલા મામા-ભાણેજ ઘરે આવ્યા. ll૧૧ ll विमर्शप्रकर्षयोः गृहागमनम् શ્લોક : अथ प्रविष्टौ तौ गेहे, दत्तास्थाने शुभोदये । भार्यायुक्ते च तस्यैव, निकटस्थे विचक्षणे ।।३११।। વિમર્શ અને પ્રકર્ષનું ગૃહઆગમન બ્લોકાર્થ : હવે સ્થાપન કરાયેલી સભાવાળો શુભોદય હોતે છતે અને તેના જ શુભોદયના નિકટમાં જ, ભાર્યાથી યુક્ત વિચક્ષણ હોતે છતે તે બંને ઘરમાં પ્રવેશ્યા=મામા-ભાણેજ ઘરમાં પ્રવેશ્યા. ll૧૧T. શ્લોક : ततो विधाय सद्भक्त्या, प्रणामं विहिताञ्जली । तेषां पुरो निविष्टौ तौ, विनयाच्छुद्धभूतले ।।३१२।। શ્લોકાર્ધ : ત્યારપછી સર્ભક્તિથી કરાયેલી અંજલીવાળા પ્રણામ કરીને તેઓની આગળ તે બંને મામાભાણેજ, વિનયથી શુદ્ધ ભૂતલમાં બેઠા. ll૩૧૨ના શ્લોક : बलादुत्थाप्य बुद्ध्याऽसौ, विमर्शः स्निग्धचेतसा । आलिङ्गितः प्रयत्नेन, तद्भा च पुनः पुनः ।।३१३।। Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ श्लोकार्थ : બુદ્ધિ વડે બલાત્કારે ઊભો કરીને સ્નિગ્ધ ચિત્ત વડે વિમર્શ આલિંગન કરાયો. અને તેના ભર્તા वियक्षए। 43 प्रयत्नथी रीरी विमर्श मालिंगन रायो. ||393|| Gोs: प्रकर्षोऽपि समालिङ्ग्य, स्नेहनिर्भरमानसैः । निजाके स्थापितः सर्वैः, परिपाट्याऽतिवल्लभः ।।३१४।। सोडार्थ: સ્નેહનિર્ભર માનસ વડે સમાલિંગન કરીને સર્વ વડે=શુભોદય, વિચક્ષણ અને બુદ્ધિ વડે, परिपाटिथी भथी, मतिवत्सम मेवो प्रर्ष पए। पोताना जोलामा स्थापन रायो. ||३१४।। PCोs: आघ्रातो मूर्धदेशे च, कुशलं च मुहुर्मुहुः । आनन्दोदकपूर्णाक्षः, पृष्टः सर्वैः समातुलः ।।३१५ ।। Gोजार्थ : અને મસ્તકના દેશમાં સુંધાયો અને આનંદના જલથી પૂર્ણ ચક્ષવાળા એવા બધા વડે માતુલ सहित वारंवार कुशल पुछायो. ||3१५|| श्योs : ततो यथा विनिर्गत्य, गेहाद् बाह्येषु हिण्डितौ । ततोऽन्तरङ्गदेशेषु, यथा पर्यटितौ पुनः ।।३१६।। यथा पुरद्वयं दृष्टं, यथा दृष्टा महाटवी । विलोकितं यथा स्थानं, महामोहादिभूभुजाम् ।।३१७।। रसनामूलशुद्धिश्च, यथा सम्यग्विनिश्चिता । यथेयं वर्तते पुत्री, रागकेसरिमन्त्रिणः ।।३१८ ।। कुतूहलवशेनैव, भवचक्रं यथा गतौ । निरीक्षितं च तत्सर्वं, नानावृत्तान्तसङ्कुलम् ।।३१९ ।। यथा दृष्टा महात्मानो, विवेकवरपर्वते । चारित्रधर्मराजस्य, यथा स्थानं विलोकितम् ।।३२० ।। यथा दृष्टः स सन्तोषो, यच्च तेन विचेष्टितम् । यच्च कारणमुद्दिश्य, भूरिकालोऽतिवाहितः ।।३२१।। Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तदिदं तेन निःशेषं, विमर्शेन परिस्फुटम् । पुरो विचक्षणादीनां विस्तरेण निवेदितम् ।।३२२।। सप्तभिः कुलकम्।। શ્લોકાર્થ : ત્યારપછી જે પ્રમાણે ઘરથી નીકળીને બાહ્ય સ્થાનોમાં તે બંને ફર્યા. ત્યારપછી અંતરંગ દેશોમાં જે પ્રમાણે તે બંને ફરી ફર્યા. જે પ્રમાણે પુરદ્વય રાજસચિત અને તામસચિતરૂપ પુરદ્વય, જોવાયું. જે પ્રમાણે મહાટવી જોવાઈ. જે પ્રમાણે મહામોહાદિ રાજાઓનું સ્થાન જોવાયું. અને જે પ્રમાણે રસનાની મૂલશુદ્ધિ સમ્યક્ નિશ્ચય કરાઈ. જે પ્રમાણે આરસના, રાગકેસરીના મંત્રી વિષયાભિલાષની પુત્રી વર્તે છે. કુતૂહલવશથી જ જે પ્રમાણે ભવચક્રમાં તે બંને ગયા અને અનેક વૃતાંતથી યુક્ત તે સર્વ નિરીક્ષણ કરાયું. જે પ્રમાણે મહાત્માઓ જોવાયા. વિવેકપર્વતમાં ચારિત્રધર્મરાજાનું સ્થાન જે પ્રમાણે જોવાયું. જે પ્રમાણે તે સંતોષ જોવાયો અને જે તેના વડે=સંતોષ વડે, ચેષ્ટા કરાઈ. અને જે કારણને ઉદ્દેશીને ઘણો કાલ પસાર કરાયો છે આ નિઃશેષ તે વિમર્શ વડે પરિસ્કૂટ વિસ્તારથી વિચક્ષણ આદિની આગળ નિવેદિત કરાયું. [૩૧૬થી ૩૨સા. ભાવાર્થ : પૂર્વમાં સંતોષ અને નિષ્કિપાસિતા પત્નીનું સ્વરૂપ બતાવ્યું. તે સંતોષ ચારિત્રધર્મરાજાનો પદાતિ છે તેમ બતાવ્યું. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે – આ જૈનપુરમાં પરમાર્થથી ચારિત્રધર્મરાજા નાયક છે. તેનો મોટો પુત્ર યતિધર્મ છે. નાનો પુત્ર ગૃહિધર્મ છે. સદ્ધોધ નામનો મંત્રી છે. સમ્યગ્દર્શન નામનો મહત્તમ છે અને જૈનનગરના ચારિત્રધર્મરાજાનો તંત્રપાલ સંતોષ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો ભાવથી જિન થવા માટે ઉદ્યમશીલ છે તેઓ જૈનનગરમાં વસે છે અને તેઓની ચિત્તવૃત્તિમાં ચારિત્રધર્મરાજા છે. જે સતત તે જીવને દાન-શીલ-તપ-ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપે છે અને તેના કારણે તે જીવોના ચિત્તમાં યતિધર્મ પ્રગટ થાય છે. વળી, જેઓ યતિધર્મ પાળવા સમર્થ નથી તેઓ ગૃહિધર્મ સ્વીકારે છે. વળી તે સર્વ જીવો સદ્ધોધનું સતત અનુશાસન સ્વીકારે છે. આથી સ્વશક્તિ અનુસાર તે જીવો પોતાના ચિત્તમાં જિન થવાને અનુકૂળ યત્ન કરીને જૈનપુરમાં વસે છે અને જેઓ સબોધના અનુશાસનને ઝીલીને જિન થવા યત્ન કરતા નથી તેઓ બહિછયાથી જૈનધર્મના આચારો પાળતા હોય તોપણ પરમાર્થથી જૈનનગરમાં પ્રવેશેલા નથી. વળી, તેઓના ચિત્તમાં સમ્યગ્દર્શન વર્તે છે. તેથી તેઓને સંસાર મહાસમુદ્ર જેવો દેખાય છે. સિદ્ધાસ્થા જ સાર જણાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય ચારિત્ર જ છે તેવો સ્થિર નિર્ણય છે. તેથી જિનવચનના સૂક્ષ્મ રહસ્યને સતત જાણીને તે જીવો ચારિત્રને જ અતિશય કરવા યત્ન કરે છે, જે સમ્યગ્દર્શનનું કાર્ય છે. વળી, તે જીવોની ચિત્તવૃત્તિને સંતોષ નામનો તંત્રપાલ સદા વર્તે છે. તેથી જૈનનગરમાં વસતા સર્વ જીવો અવશ્ય સ્વશક્તિ અનુસાર સર્વ પ્રકારના ઇચ્છાના અભાવરૂપ સંતોષને જ અતિશય અતિશયતર કરવા યત્ન કરે છે, જેથી તેઓના ચિત્તમાં ચારિત્રધર્મનું સૈન્ય પુષ્ટ પુષ્ટતર થાય છે. વળી, ચિત્તવૃત્તિમાં વર્તતા મહામોહાદિ જે પ્રમાણે જીવોને સંતાપ કરનારા છે એ પ્રમાણે જૈનપુરમાં વસતા જીવોના ચિત્તમાં વર્તતા Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ચારિત્રધર્મ આદિ ભાવો આસ્લાદને કરનારા છે. વળી, ચિત્તવૃત્તિમાં વર્તતા ચારિત્રધર્માદિ ભાવો જગતના જીવો માટે દુર્ગતિના પાતથી રક્ષણ કરવા માટે આલંબન છે, સંસારી જીવોના સર્વ પ્રકારના હિતને કરનારા છે, જૈનપુરમાં વસતા જીવોના પારમાર્થિક બંધુ છે અને તે જીવોને સતત સંસારથી નિસ્તારને અનુકૂળ યત્ન કરાવનારા છે. આથી જ જૈનપુરમાં વસનારા જીવો આ ચારિત્રધર્માદિના બળથી સુખપૂર્વક સંસારસાગરને અલ્પભવોમાં તરી જાય છે. વળી, જૈનનગરમાં નિઃસ્પૃહતા વેદિકાની પાસે ચિત્તસમાધાનમંડપમાં રહેલા શુભાશયાદિ ભાવો છે તે પણ ચારિત્રધર્મના પદાતિ જ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો જૈનનગરમાં વસે છે તેઓ સતત સ્વશક્તિ અનુસાર ઉચિત કૃત્યો કરીને વીતરાગ થવાના શુભાશયવાળા છે. વળી ચિત્તસમાધાનમંડપમાં નિઃસ્પૃહતા વેદિકા પાસે શુભાશયાદિ ભાવો રહેલા છે. આથી જ તે શુભાશયોના બળથી તે જીવોનું ચિત્ત હંમેશાં સમાધાનવાળું વર્તે છે તેથી ભવચક્રમાં ક્લેશનાં નિમિત્તો પણ તેઓને પ્રાયઃ ક્લેશ કરાવતાં નથી અને તેઓનું ચિત્ત સતત નિઃસ્પૃહતાને અનુરૂપ યત્નવાળું રહે છે. વળી, તે જીવોમાં વર્તતા શુભાશયાદિ ભાવોને કારણે જ તે જીવોમાં સર્વ સુંદર કાર્યો થાય છે; કેમ કે શુભાશયના બળથી જૈનપુરમાં વસતા જીવો હંમેશાં પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરાને પ્રાપ્ત કરે છે. જેથી તેઓને સર્વ સુખની પરંપરાના કારણભૂત સર્વ સુંદર કાર્યોની પ્રાપ્તિ થાય છે. વળી, જૈનપુરમાં વસતા જીવોના ચિત્તમાં જે અન્ય પણ મનુષ્યો, સ્ત્રીઓ, બાળકો વગેરે અંતરંગ પરિણતિરૂપ ભાવો છે તે સર્વ ચિત્તસમાધાનમંડપમાં રહેલા શુભાશય આદિ રાજાઓના જ માણસો છે તેથી જૈનપુરમાં વસનારા જીવોના ચિત્તમાં જે જે પ્રકારના શુભાશય થાય છે તેને અતિશય કરવામાં સહાયક એવી ઉત્તમ પુણ્ય પ્રકૃતિ અને ક્ષયોપશમભાવના જીવના પરિણામો વર્તે છે જે જીવને સર્વ પ્રકારે સુખ કરે છે. સંક્ષેપથી જૈનનગરમાં વસતા જીવોના ચિત્તનું સ્વરૂપ બતાવતાં કહે છે – ચિત્તસમાધાનમંડપમાં જે ચારિત્રધર્મની સભામાં વર્તતા ઘણા રાજાઓ તેઓના ચિત્તમાં વર્તતા છે તે સંખ્યાથી અસંખ્યાત છે. તેનું કોઈ વર્ણન કરવું શક્ય નથી. આથી જ સંયમના તરતમતાના અવાંતર અસંખ્યાત અધ્યવસાય સ્થાનો છે તે સર્વનું વર્ણન શબ્દોથી કરવું શક્ય નથી. આ રીતે વિમર્શ પ્રકર્ષને કહે છે. અને કહે છે કે જો તને હવે ચિત્તરૂપી અટવીમાં વર્તતા સુંદર-અસુંદર સર્વ ભાવો વિષયક યથાર્થ બોધ થયો છે તેથી કુતૂહલ શાંત થયું છે તો આપણે આપણા સ્થાનમાં જઈએ અર્થાત્ આપણા રાજા વિચક્ષણ અને બુદ્ધિ વગેરેએ આપણને જે રસનાની શુદ્ધિ અર્થે મોકલેલ છે તે કાર્ય હવે પૂર્ણ થાય છે માટે તેમની પાસે જઈએ. વિમર્શનું આ કથન સ્વીકારીને પ્રકર્ષ વિમર્શ સહિત તે સ્થાનથી નીકળીને સ્વસ્થાને જવા તત્પર થાય છે, ત્યાં તેઓએ ચારિત્રધર્મનું સૈન્ય જોયું. જે ગાંભીર્ય, ઔદાર્ય, આદિ અનેક ભાવોથી યુક્ત છે તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોના ચિત્તમાં ભગવાનનું શાસન વર્તી રહ્યું છે તેઓના ચિત્તમાં મોહનાશ માટે તત્પર થયેલું ચારિત્રનું સૈન્ય નિપુણપ્રજ્ઞાથી વિમર્શ અને પ્રકર્ષને દેખાય છે. તેથી ભગવાનના શાસનમાં વર્તતા જીવોના ચિત્તમાં સ્વસ્વભૂમિકાનુસાર ગાંભીર્ય, ઔદાર્ય, કર્મનાશને અનુકૂળ શૌર્યાદિ ભાવો વર્તે છે. વળી, તત્ત્વને જોવામાં બુદ્ધિની પટુતા, વાણીનો સંયમ અર્થાત્ નિરર્થક વચનપ્રયોગ કરીને શક્તિનો દુર્વ્યય ન થાય, તે પ્રકારે વાણીનો સંયમ અને મોહને નાશ કરવામાં નિપુણતા આદિ ભાવો વર્તે છે જેનું વર્ણન ચાર શ્લોકોથી=૨૭૧થી ૨૭૪ સુધી Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બતાવીને મોહનાશને અનુકૂળ જીવના ઉત્તમભાવો કેવા હોય છે ? તેને જ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. આ રીતે ચારિત્રના સૈન્યને જોઈને ખુશ થયેલ પ્રકર્ષ કહે છે. વિમર્શ દ્વારા અત્યાર સુધી મને શું શું બતાવાયું તેનું સંક્ષેપથી સ્મરણ કરીને પ્રકર્ષ વિમર્શ આગળ સ્પષ્ટ કરે છે. વિમર્શ દ્વારા ચાર ગતિઓના પરિભ્રમણરૂપ ભવચક્ર બતાવાયું. અને તેમાં વર્તતા જીવોના ચિત્તમાં મહામોહાદિનું વીર્ય કેવા પ્રકારનું છે ? તે બતાવાયું. જેનાથી સંસારી જીવો ચાર ગતિઓમાં કઈ રીતે વિડંબના પામે છે ? તે બતાવાયું. વળી તે ભવચક્રમાં જ સાત્ત્વિક માનસ કેવું છે ? તે બતાવાયું; જેથી વિષમ પણ ભવચક્રમાં સાત્ત્વિક જીવો ઉચિત પ્રવૃત્તિ કરીને કંઈક હિત સાધે છે તેનો બોધ કરાવ્યો. વળી, મોહથી રક્ષણમાં પ્રબલ સહાયક એવો વિવેકપર્વત બતાવાયો. તેથી જેઓને દેહાદિથી, ધનાદિથી ભિન્ન પોતાનો આત્મા છે, શરીરથી ભિન્ન પોતાનો આત્મા છે અને તે આત્મા જ પોતાના અધ્યવસાય દ્વારા કર્મ બાંધીને કઈ રીતે સંસારના સર્વ પ્રકારના અનર્થોને પ્રાપ્ત કરે છે તેનો બોધ કરાવ્યો. તે વિવેકપર્વત ઉપર ચઢઢ્યા પછી જે જીવો અપ્રમાદપૂર્વક જિનવચનનું અવલંબન લઈને જિન થવા યત્ન કરે છે તેઓ જૈનપુરમાં વસે છે તે બતાવાયું. વળી, જૈનપુરમાં વસનારા જીવોના ચિત્તમાં સમાધાન વર્તે છે અર્થાત્ જગતના તુચ્છ ભાવોમાંથી મને કંઈ પ્રાપ્ત થતું નથી પરંતુ જગતના ભાવો કષાયો કરાવીને મારી વિડંબના કરે છે માટે તે ભાવોથી સર્યું. એ પ્રકારે ચિત્તનું સમાધાન વર્તે છે. તેના કારણે તેઓને જગતના ભાવો પ્રત્યેની નિઃસ્પૃહતા પ્રગટે છે જે મોહના નાશ માટે પ્રબલકારણભૂત જીવની પરિણતિ સ્વરૂપ છે. તે નિઃસ્પૃહતામાં જીવવીર્ય કઈ રીતે પ્રવર્તે છે જેના કારણે તે જીવોના ચિત્તમાં ચારિત્રધર્મ સદા સ્થિરરૂપે વસે છે અને જેના ઉદ્દેશના બળથી તે જૈનપુરમાં વસનારા જીવો સદા વીતરાગ થવા યત્ન કરે છે તે સર્વ અત્યાર સુધી પ્રકર્ષે વિમર્શના બળથી અવલોકન કર્યું. તેથી હર્ષિત થઈને પ્રકર્ષ કહે છે કે આ જૈનપુરમાં કેટલોક સમય હું વસવા ઇચ્છું છું. જેથી મને વિશેષ પ્રકારનો બોધ થાય; કેમ કે હજી બે માસની અવધિ સ્વસ્થાનમાં જવાની બાકી છે માટે જૈનપુરમાં રહીને વિશેષ પ્રકારના બોધ કરવાની ઇચ્છા પ્રકર્ષને થાય છે. આ રીતે બે મહિના જૈનપુરમાં વિમર્શ અને પ્રકર્ષ રહે છે ત્યારે ગ્રીષ્મ ઋતુ વર્તે છે. તેથી ગ્રીષ્મ ઋતુમાં સંસારી જીવોની સ્થિતિ કેવી હોય છે ? તેનું વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું છે જેથી પ્રસંગે તે તે ઋતુકાળમાં વર્તતા સંસારી જીવોના માનસનો પણ યથાર્થ બોધ થાય. ત્યારપછી વર્ષાઋતુ થાય છે તેથી પ્રકર્ષ કહે છે હવે જવાનો અવસર થયો છે. ત્યારે વિમર્શ કહે છે આ વર્ષાઋતુમાં જવું ઉચિત નથી; કેમ કે વર્ષાઋતુમાં ગમનાદિ અતિક્લેશકારી છે તેનું વર્ણન બતાવીને વર્ષાઋતુ સંસારી જીવોને ગમનાદિની પ્રવૃત્તિમાં કઈ રીતે વિઘ્નકર્તા છે ? તે બતાવે છે. આ રીતે વર્ષાઋતુ પૂર્ણ કરીને વિમર્શ અને પ્રકર્ષ વિચક્ષણાદિ પાસે જાય છે. જે બતાવીને પરસ્પરનો ઉચિત વ્યવહાર શિષ્ટ લોકોમાં કઈ રીતે પ્રવર્તે છે તેનો બોધ કરાવવા અર્થે વિમર્શ-પ્રકર્ષ-વિચક્ષણ બુદ્ધિ-શુભોદય અને નિજચારુતા વગેરે કઈ રીતે પરસ્પર ઉચિત વ્યવહાર કરે છે તે લોકવ્યવહાર અનુસાર બતાવે છે. વસ્તુતઃ શુભોદયકર્મનો ઉદય છે, તેનાથી જીવમાં નિજચારુતા પ્રગટે છે અને જેના કારણે સંસારી જીવ વિચક્ષણ બને છે અને વિચક્ષણ થયેલા જીવમાં નિર્મળબુદ્ધિ પ્રગટે છે જેના કારણે જ સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરવાની વિમર્શશક્તિ અને વાસ્તવિક સ્વરૂપને જાણવાની બુદ્ધિની પ્રકર્ષતા વર્તે છે તેથી તે સર્વ ભાવો વિચક્ષણ પુરુષના અંતરંગ જ ભાવો છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૨૧ વળી, પ્રકર્ષ અને વિમર્શ વિચક્ષણ પાસે આવીને પોતે જે અત્યાર સુધી અવલોકન કર્યું તે સર્વ સંક્ષેપથી બતાવતાં કહે છે. અમે બંનેએ પ્રથમ રાજસચિત્ત-તામસચિત્ત નામનાં બે નગરો જોયાં. ત્યારપછી ચિત્તરૂપી મહાટવી જોઈ. ત્યાં મહામોહાદિનું સ્થાન જોયું અને અમને જે પ્રમાણે રસનાની મૂલશુદ્ધિ પ્રાપ્ત થઈ અને નિર્ણય કરાયો કે આ રસના રાગકેસરી મંત્રીની પુત્રી છે તે સર્વ કથન વિમર્શ કર્યું. તેથી એ ફલિત થયું કે જીવમાં રાગના પરિણામને કારણે જે વિષયનો અભિલાષ થાય છે તેને જ આ રસનેન્દ્રિય આપી છે. રસનેન્દ્રિયને વશ થઈને જીવો મહામોહના સૈન્યને પુષ્ટ કરે છે, કર્મ બાંધે છે, સંસારને સતત ગતિમાન રાખે છે અને સર્વ વિડંબના પામે છે. વળી, વિમર્શ અને પ્રકર્ષ કુતૂહલવશથી ભવચક્રને જોવા ગયા. ત્યાં ભવચક્રને જોઈને ભવચક્રમાં રહેલા વિવેકપર્વતને જોયો. ચારિત્રધર્મમંડપ વગેરે જોયું. સંતોષને જોયો. તે સર્વ જોવાના કારણે આટલો કાલ પસાર થયો. તે સર્વ વિમર્શ વડે વિસ્તારથી વિચક્ષણ આદિની આગળ નિવેદન કરાયું. જેથી વિમર્શના બળથી વિચક્ષણને તે સર્વનો બોધ થાય છે. વિચક્ષણસૂરિ પોતાનો વૃત્તાંત કહે છે અને તે કહેતાં કહ્યું હતું કે મલસંચય રાજાની તત્પક્તિ રાણી છે અને તેના બે પુત્રો છે શુભોદય અને અશુભોદય. શુભોદય અને નિજચારુતાનો પુત્ર વિચક્ષણ છે. અને અશુભોદય અને સ્વયોગ્યતાનો પુત્ર જડ છે. ત્યારપછી વિચક્ષણનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. હવે આ બાજુ જડ શું કરે છે? તે બતાવતાં કહે છે – रसनालोलनासक्तजडचेष्टाः શ્લોક : इतश्च मांसमद्याद्यालयंस्तामसौ जडः । रसनां लोलतावाक्यैर्न चेतयति किञ्चन ।।३२३।। રસના અને લોલનામાં આસક્ત જડની ચેષ્ટાઓ શ્લોકાર્થ : અને આ બાજુ, માંસ, મધાદિથી તેને રસનાને, લાલન કરતો આ જડ લોલતાનાં વાક્યો વડે કંઈ વિચારતો નથી=રસનાની દાસી લોલતાનાં વાક્યોથી બીજું કંઈ વિચારતો નથી. Il૩૨૩ll શ્લોક - स तस्या लालने सक्तः, कुर्वाणः कर्म गर्हितम् । न पश्यति महापापं, न लज्जां न कुलक्रमम् ।।३२४।। શ્લોકાર્ય :તે જડ, તેના લાલનમાં રસનાના લાલનમાં, આસક્ત ગહિત કર્મને કરતો=નિંદિત કૃત્યને Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કરતો, મહાપાપને જોતો નથી. લજ્જા પામતો નથી. કુલક્રમને જોતો નથી=કુલમર્યાદાને જોતો નથી. ll૧૨૪ll શ્લોક - अन्यदा लोलतावाक्यैर्मद्यविह्वलचेतसा । महाजं मारयामीति, मारितः पशुपालकः ।।३२५ ।। શ્લોકાર્થ : અન્યદા લોલતાનાં વચનોથી મઘમાં વિલ્વલ ચિતવાળા તેના વડે “મોટા અજનેત્રંબકરાને, હું મારું છું’ એ પ્રકારે પશુપાલક મરાયો. ll૩૨૫ll શ્લોક :___ ततश्च तमजारक्षं, पशुभ्रान्त्या निपातितम् । निरीक्ष्य लोलतादुःखाज्जडेनेदं विचिन्तितम् ।।३२६ ।। શ્લોકા : અને ત્યારપછી પશુની ભ્રાંતિથી મૃત્યુ પામેલા બકરાના રક્ષક એવા તેને=પશુપાલકને, જોઈને લોલતાના દુઃખથી જડ વડે આ પ્રમાણે વિચારાયું. ll૩ર૬ll શ્લોક : लालिता रसना नूनं, मांसैर्नानाविधैर्मया । इदं तु मानुषं मांसं, नैव दत्तं कदाचन ।।३२७ ।। શ્લોકાર્થ : ખરેખર વિવિધ પ્રકારનાં માંસોથી મારા વડે રસના પોષાય છે. વળી આ મનુષ્યનું માંસ મારા વડે ક્યારેય અપાયું નથી. l૩૨૭ll શ્લોક : ततोऽधुना ददामीदमस्यै पश्यामि यादृशः । अनेन जायते तोषो, रसनायाः सुखावहः ।।३२८ ।। શ્લોકાર્ચ - તેથી હમણાં આને=પડેલા પશુપાલકના માંસને, આને રસનાને, આપું. આના દ્વારા=મનુષ્યના માંસ દ્વારા, જેવા પ્રકારનો રસનાનો સુખાવહ તોષ થાય છે તેને હું જોઉં. I[૩૨૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततः संस्कृत्य तद्दत्तं, तेन जाता प्रमोदिता । रसना लोलता तुष्टा, सोऽपि हर्षमुपागतः ।।३२९ ।। શ્લોકાર્ચ - તેથી સંસ્કાર કરીને પશુપાલકનું માંસ સંસ્કાર કરીને, તે માંસ રસનાને અપાયું, તેનાથી રસના પ્રમોદિત થઈ અને લોલતા તોષ પામી. તે પણ જડ પણ, હર્ષ પામ્યો. ૩૨૯ll શ્લોક : भूयश्च लोलतावाक्यैरपरापरमानुषान् । निहत्य भार्यया सार्धं, खादन् जातः स राक्षसः ।।३३०।। શ્લોકાર્ચ - ફરી લોલતાનાં વાક્યોથી અપર અપર મનુષ્યોને હણીને પત્નીની સાથે રસનાની સાથે, ખાતો=મનુષ્યના માંસને ખાતો, તે રાક્ષસ થયો. 133oll. શ્લોક - ततो बालजनेनापि, निन्दितो बन्धुवर्जितः । लोकेन परिभूतश्च, स जातः पापकर्मणा ।।३३१।। શ્લોકાર્ચ - તેથી બાલજનોથી પણ નિંદિત કરાયો. બંધુવર્જિત એવો તે જડ, પાપકર્મોથી લોકો વડે પરાભવ કરાયેલો થયો. l૩૩૧] શ્લોક : अन्यदा लोलतायुक्तो, मनुष्याणां जिघांसया । प्रविष्टश्चौरवद्रात्रौ, गृहे शूरकुटुम्बिनः ।।३३२।। શ્લોકાર્ય : અન્યદા લોલતાથી યુક્ત મનુષ્યના માંસ ખાવાની લોલતાથી યુક્ત, એવો જs મનુષ્યોને મારવાની ઈચ્છાથી ચોરની જેમ રાત્રિમાં શૂર કુટુંબીના ઘરમાં પ્રવેશ્યો. ll૧૩૨ાા બ્લોક : ततः प्रसुप्तं तत्सूनुं, गृहीत्वा निःसरन् बहिः । સ દફ્તર શ્રેણ, ન ઘાન્યતા રૂરૂરૂપા Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : ત્યારપછી સૂતેલા તેના પુત્રને શૂરના પુત્રને, ગ્રહણ કરીને બહાર નીકળતો તે જડ ક્રોધાંધચિત્તવાળા તે શૂર વડે જોવાયો. [૩૩૩ શ્લોક : ततः कलकलारावं, कुर्वता सह बान्धवैः । तेनास्फोट्य निबद्धोऽसौ, मारितो यातनाशतैः ।।३३४।। શ્લોકાર્ચ - ત્યારપછી કલકલ અવાજને કરતા એવા તેના વડેકર વડે, બાંધવોથી સહિત આ જs, આસ્ફોટન કરીને બંધાયો. સેંકડો યાતનાઓથી મારી નંખાયો. ll૩૩૪ll શ્લોક - प्रभाते च स वृत्तान्तः, संजातः प्रकटो जने । तथापि किञ्चिच्छूरस्य, न कृतं जडबन्धुभिः ।।३३५।। શ્લોકાર્ચ - અને પ્રભાતમાં તે વૃત્તાંત લોકમાં પ્રગટ થયો. તોપણ જડના બંધુઓ વડે શૂરને કંઈ કરાયું નહીં તેને કેમ માર્યો? ઈત્યાદિ કોઈ વિરોધ કરાયો નહીં. ll૧૩૫ll શ્લોક : किं तर्हि ? प्रत्युत तैश्चिन्तितं, यदुतशूरेण विहितं चारु, यदसौ कुलदूषणः । अस्माकं लाघवोत्पादी, जडः पापो निपातितः ।।३३६।। શ્લોકાર્ય : તો શું કરાયું ? એથી કહે છે – ઊલટું તેઓ વડે=જડના બંધુઓ વડે, વિચારાયું. શું વિચારાયું ? તે યહુ'થી કહે છે – શૂર વડે સુંદર કરાયું. જે કારણથી કુલનો દૂષણ એવો આ જ પાપી અમારા લાઘવને કરનારો મારી નંખાયો. ll૧૩૬ll विचक्षणविचारः બ્લોક : अमुं च जडवृत्तान्तं, निरीक्ष्य स विचक्षणः । ततश्च चिन्तयत्येवं, निर्मलीमसमानसः ।।३३७।। Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૨૫ વિચક્ષણનો વિચાર શ્લોકાર્ચ - અને જડનું આ વૃત્તાંત જોઈને આ પ્રમાણે નિર્મલમાનસવાળો તે વિચક્ષણ ત્યારપછી આ પ્રમાણે વિચારે છે. ll૧૩૭ll. શ્લોક : - इह लोके जडस्येदं, रसनालालने फलम् । संजातं परलोके तु, दुर्गतिः संजनिष्यति ।।३३८ ।। શ્લોકાર્થ : અરે ! આ લોકમાં જડને રસનાના લાલનમાં આ ફલ થયું. વળી પરલોકમાં દુર્ગતિને પ્રાપ્ત કરશે. ll૧૩૮ll. શ્લોક : ततोऽत्यर्थं विरक्तोऽसौ, रसनालालनं प्रति । स्थितो विचक्षणस्तावत्, यावत्तौ समुपागतौ ।।३३९।। શ્લોકાર્ધ : તેથી રસનાના લાલન પ્રત્યે અત્યંત વિરક્ત થયેલો એવો આ વિચક્ષણ ત્યાં સુધી રહ્યો જ્યાં સુધી તે બંને આવ્યા=પ્રકર્ષ અને વિમર્શ આવ્યા. ll૧૩૯II શ્લોક : ततश्चकथितायां विमर्शन, मूलशुद्धौ सविस्तरम् । रसनां त्यक्तुकामोऽसौ, पितरं प्रत्यभाषत ।।३४०।। શ્લોકાર્ચ - અને ત્યારપછી=પ્રકર્ષ અને વિમર્શ આવ્યા ત્યારપછી, વિમર્શ વડે રસનાની વિસ્તારપૂર્વક મૂલશુદ્ધિ કહેવાય છતે રસનાને ત્યાગ કરવાની ઈચ્છાવાળો આ વિચક્ષણ, પિતા પ્રત્યે બોલ્યોઃ શુભોદય પ્રત્યે બોલ્યો. II3xol. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : तात! दृष्टविपाकेयं, रसना साम्प्रतं जडे । दुहिता दोषपुञ्जस्य, रागकेसरिमन्त्रिणः ।।३४१।। બ્લોકાર્ય : હે તાત ! હમણાં જડમાં દષ્ટવિપાકવાળી આ રસના દોષપુંજ એવા રાગકેસરીના મંત્રી વિષયાભિલાષની પુત્રી છે. ll૩૪૧TI શ્લોક : तदेनामधुना दुष्टां, भार्यां दुष्टकुलोद्भवाम् । सर्वथा त्यक्तुमिच्छामि, ताताऽहं त्वदनुज्ञया ।।३४२।। શ્લોકાર્ચ - તે કારણથી હે તાત! દુષ્ટ કુલથી ઉત્પન્ન થયેલી દુષ્ટ એવી આ ભાર્યાને હમણાં સર્વથા ત્યાગ કરવા માટે હું તમારી અનુજ્ઞાથી ઈચ્છું છું. l૩૪રા. બ્લોક : ततः शुभोदयेनोक्तं भार्येति प्रथिता जने । तवेयं रसना तस्मानाकाण्डे त्यागमर्हति ।।३४३।। શ્લોકાર્ય : તેથી શુભોદય વડે કહેવાયું. લોકમાં તારી ભાર્યા એ પ્રમાણે આ રસના પ્રસિદ્ધ થઈ છે તે કારણથી અકાંડમાં ત્યાગ કરવો ઉચિત નથી. ll૧૪al બ્લોક : अतः क्रमेण मोक्तव्या, त्वयेयं वत्स! सर्वथा । तदत्र प्राप्तकालं ते, तदाकर्णय साम्प्रतम् ।।३४४।। શ્લોકાર્ચ - આથી હે વત્સ! તારા વડે વિચક્ષણ વડે, આ રસના, ક્રમસર સર્વથા ત્યાગ કરાવી જોઈએ. તે કારણથી અહીં રસનાના ત્યાગના વિષયમાં, તારો પ્રાપ્તકાલ છે. તેને હમણાં સાંભળ. ll૧૪૪ll શ્લોક - ये ते तुभ्यं महात्मानो, विमर्शेन निवेदिताः । विवेकपर्वतारूढा, महामोहादिसूदनाः ।।३४५।। Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तेषां मध्ये स्थितस्येयं, तदाचारेण तिष्ठतः । दुष्टापि रसना वत्स! न ते किंचित्करिष्यति ।।३४६।। શ્લોકાર્થ: જે તને તે મહાત્માઓ વિમર્શ વડે વિવેકપર્વત ઉપર આરૂઢ થયેલા મહામોહાદિના નાશ કરનારા નિવેદન કરાયા, તેઓના મધ્યમાં રહેલા તેના આચારથી રહેતા=જેનપુરમાં વસનારા મહાત્માઓના આચારથી રહેતા, તને દુષ્ટ પણ આ રસના હે વત્સ ! કંઈ કરશે નહીં. ll૧૪પ-૩૪૬ll શ્લોક : तस्मादारुह्य यत्नेन, तं विवेकमहागिरिम् । रसनादोषनिर्मुक्तस्तिष्ठ त्वं सकुटुम्बकः ।।३४७।। શ્લોકાર્ય : તે કારણથી યત્નથી તે વિવેક મહાગિરિ ઉપર આરોહણ કરીને રસનાદોષથી નિર્મુક્ત સકુટુંબવાળો એવો તું રહે=વિચક્ષણ રહે. Il૩૪૭ી શ્લોક : ततो विचक्षणेनोक्तं, तात! दूरे स पर्वतः । कथं कुटुम्बसहितस्तत्राहं गन्तुमुत्सहे? ।।३४८।। શ્લોકાર્ય : તેથી વિચક્ષણ વડે કહેવાયું - હે તાત ! તે પર્વત દૂરમાં છે. કેવી રીતે કુટુંબ સહિત હું ત્યાં જવા માટે ઉત્સાહિત થાઉં? Il૩૪૮ શ્લોક : शुभोदयोऽब्रवीद्वत्स! न कार्यं भवता भयम् । विमर्शो यतः ते बन्धुश्चिन्तामणिरिवातुलः ।।३४९।। શ્લોકાર્ચ - શુભોદયે કહ્યું. હે વત્સ ! તારે ભય કરવો જોઈએ નહીં. જે કારણથી વિમર્શ ચિંતામણિ જેવો તારો અતુલ બંધુ છે. ll૩૪૯ll શ્લોક : यतोऽस्य विद्यते वत्स! विमर्शस्य वराञ्जनम् । तबलाद्दर्शयत्येष, तमिहैव महागिरिम् ।।३५०।। Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ प्रकर्षेणोदितं तात! सत्यमेतन्न संशयः । अनुभूतं मयाऽप्यस्य, योगाञ्जनविजृम्भितम् ।।३५१।। શ્લોકાર્ચ - જે કારણથી હે વત્સ! વિમર્શનું શ્રેષ્ઠ અંજન વિધમાન છે, તેના બળથી તે અંજનના બળથી, આકવિમર્શ, તે મહાગિરિને=વિવેકપર્વતને, અહીં જ બતાવે છે. પ્રકર્ષ વડે કહેવાયું. હે તાત ! આ સત્ય છે, સંશય નથી=વિમર્શ પાસે શ્રેષ્ઠ અંજન છે એ સત્ય છે, સંશય નથી. મારા વડે પણ= પ્રકર્ષ વડે પણ, આના=વિમર્શના, યોગઅંજનથી વિસ્મિત અનુભવ કરાયો છે. ll૩૫૦-૩૫૧II શ્લોક : સ્વિદુના?यावदेष महावीर्यं न प्रयुङ्क्ते वराञ्जनम् । तावदेव न दृश्यन्ते, ते पर्वतपुरादयः ।।३५२।। શ્લોકાર્ચ - વધારે શું કહેવું? જ્યાં સુધી આ=વિમર્શ, શ્રેષ્ઠ અંજન રૂપ મહાવીર્યનો પ્રયોગ કરતો નથી, ત્યાં સુધી જ તે પર્વત, પુરાદિ દેખાતા નથી=વિવેકપર્વત, જેનપુર વગેરે દેખાતા નથી. ll૩૫રા શ્લોક : यदा तु विमलालोकमयं युङ्क्ते तदञ्जनम् । તવા સર્વત્ર માસત્તે, તે પર્વતપુરાવઃ જારૂરૂા શ્લોકાર્ચ - જ્યારે વળી આ વિમર્શ, તે વિમલાલોકમય અંજન યોજન કરે છે ત્યારે સર્વત્ર તે પર્વત પુરાદિ ભાસે છે. ll૩૫all विमलालोकाऽञ्जनप्रभावः બ્લોક : ततो विचक्षणेनोक्तो विमर्शो भद्र! दीयताम् । मह्यं तदञ्जनं तूर्णं, यद्यस्ति तव तादृशम् ।।३५४।। Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિમલાલોક નામના અંજનનો પ્રભાવ दोडार्थ : તેથી વિચક્ષણ વડે વિમર્શ કહેવાયો. હે ભદ્ર વિમર્શ ! જો તારું તેવા પ્રકારનું છે–તેવા પ્રકારનું मशन छ, तो भने शीध्र ते न पाय. ||3५४|| Rels: ततोऽनुग्रहबुद्ध्यैव, सादरं प्रतिपादितम् । विचक्षणाय निःशेषं, विमर्शेन तदञ्जनम् ।।३५५।। ततस्तदुपयोगेन, क्षणादेव पुरःस्थितम् । विचक्षणेन यदृष्टं, तदिदानीं निबोधत ।।३५६।। Cोधार्थ: તેથી અનુગ્રહબુદ્ધિથી જ આદરપૂર્વક વિચક્ષણને વિમર્શ વડે નિઃશેષ તે અંજન પ્રતિપાદન કરાયું. તેથી=વિમર્શે તે અંજનનું પ્રતિપાદન કર્યું તેથી, તેના ઉપયોગથી ક્ષણમાં જ આગળ રહેલું જે વિચક્ષણ વડે જોવાયું તેને હમણાં તમે સાંભળો. ||૩૫૫-૩૫૬ll Gोs : यत्तल्लोकशताकीर्णं, पुरं सात्त्विकमानसम् । यश्चासौ विमलस्तुङ्गो, विवेको नाम पर्वतः ।।३५७।। यच्च तच्छिखरं रम्यमप्रमत्तत्वनामकम् । यच्चोपरिष्टात्तस्यैव, निविष्टं जैनसत्पुरम् ।।३५८।। ये च लोका महात्मानः, साधवस्तनिवासिनः । यश्च चित्तसमाधानो, मध्यस्थस्तत्र मण्डपः ।।३५९।। या च निःस्पृहता नाम, वेदिका तत्र संस्थिता । तस्याश्चोपरि यच्चारु, जीववीर्यं महासनम् ।।३६० ।। चारित्रधर्मराजश्च, परिवारविवेष्टितः । ये च तस्य गुणाः शुभ्रा, ये च तेषां महीभुजाम् ।।३६१।। तदिदं भो महाराज! तदानीं नरवाहन! । विचक्षणेन निःशेषं, साक्षादेवावलोकितम् ।।३६२।। षड्भिः कुलकम्।। Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્થ : સેંકડો લોકોથી આકીર્ણ જે તે સાત્વિક માનસ નામનું નગર છે અને જે આ નિર્મલ, ઊંચો વિવેક નામનો પર્વત છે. જે રમ્ય અપ્રમત્ત નામનું તેનું શિખર છે. જે તેના જ=અપ્રમતશિખરના જ, ઉપરમાં રહેલું જૈન-સત્પર છે. અને જે મહાત્મા સાધુ લોકો તેના નિવાસી છે=જેનસપુરમાં રહેનારા છે, અને ત્યાં જેનપુરમાં, મધ્યમાં રહેલો જે ચિત્તસમાધાન નામનો મંડપ છે. અને ત્યાં= ચિત્તસમાધાનમંડપમાં, જે નિઃસ્પૃહતા નામની વેદિકા રહેલી છે તેના ઉપર નિઃસ્પૃહતા વેદિકા ઉપર, જે સુંદર જીવવીર્ય નામનું મહા આસન છે. અને પરિવારથી વીંટાળાયેલો ચારિત્રધર્મરાજા અને જે તેના-ચારિત્રધર્મરાજાના, શુભ્ર ગુણો છે અને જે તે રાજાઓના=ચારિત્રધર્મ પાસે રહેલા રાજાઓના, શુભ્ર ગુણો છે. હે મહારાજ નરવાહન ! તે આ=પૂર્વમાં વર્ણન કર્યું તે આ, ત્યારે વિચક્ષણ વડે સંપૂર્ણ સાક્ષાત્ જ અવલોકન કરાયું. ll૩૫૭થી ૩૬રા विचक्षणप्रव्रज्या ततश्च भो भो महानरेन्द्र! नरवाहन! स विचक्षणः सहैव तेन शुभोदयेन पित्रा, युक्त एव तया निजचारुतया मात्रा, आलिङ्गित एव तया प्रियभार्यया बुद्ध्या, सहित एव तेन श्वशुर्येण विमर्शन, अन्वित एव वक्षःस्थलशायिना तेन प्रकर्षेण प्रियतमतनयेन, समुपेत एव वदनकोटरवने वर्तमानया रसनाभार्यया, सर्वथा सकुटुम्बक एव केवलं तामेकां लोलतां दासचेटी परित्यज्य निराकृत्य च परुषक्रियया संप्राप्य गुणधरनामानमाचार्यं प्रव्राजितः, વિચક્ષણની પ્રવજ્યા અને તેથી તે મહાનરેન્દ્ર તરવાહત ! તે શુભોદય પિતા સાથે જ, તે નિજચારુતા માતાથી યુક્ત જ તે પ્રિયભાર્યા બુદ્ધિથી આલિંગિત જ, તે સાળા વિમર્શથી સહિત જ, વક્ષ:સ્થલમાં રહેલ પ્રિયતમ પુત્ર એવા તે પ્રકર્ષથી અવિત જ યુક્ત જ, વદનકોટરરૂપ વનમાં વર્તમાન રસના ભાર્યાથી યુક્ત જ સર્વથા સકુટુંબવાળો જ એવો તે વિચક્ષણ કેવલ તે એક લોલતા નામની દાસચેટીનો ત્યાગ કરીને અને કઠોર ક્રિયાથી નિરાકરણ કરીને ગુણધર નામના આચાર્યને પ્રાપ્ત કરીને પ્રવ્રજિત થયો. ભાવાર્થ - વિચક્ષણસૂરિએ નરવાહનરાજા પાસે પોતાનો વૃત્તાંત કહેતાં કહ્યું કે વિચક્ષણ અને જડ નામના બે પિતરાઈ ભાઈ હતા. તેમને રસનાની અને લોલતાની પ્રાપ્તિ થઈ પરંતુ વિચક્ષણને તેની શુદ્ધિને જાણવાની ઇચ્છા થઈ. તેથી તે વિચક્ષણે પોતાની વિમર્શશક્તિ અને બુદ્ધિના પ્રકર્ષના બળથી રસનાનું ઉત્પત્તિસ્થાન કોણ છે ? તેની ગવેષણા કરી અને તે ગવેષણા કરીને વિમર્શ અને પ્રકર્ષે જે સંસારનું સ્વરૂપ, જૈનનગરનું સ્વરૂપ ઇત્યાદિ બતાવ્યું, તેનો બોધ વિચક્ષણને થયો. આ કથન કર્યા પછી જડનો શું પ્રસંગ છે ? તે બતાવતાં કહે છે – Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ જડ અશુભોદય અને સ્વયોગ્યતાથી થયેલો હતો તેથી તે જીવનાં અશુભકર્મો અને ક્લિષ્ટ ભાવો કરે તેવી તે જીવની યોગ્યતા હતી તેથી રસનાને અને લોલુપતાને પ્રાપ્ત કરીને તે રસનાને આધીન થઈને સર્વ પાપો કરે છે અને અંતે અકાળે મૃત્યુ પામીને દુર્ગતિમાં પડે છે. આ જડનો વૃત્તાંત જોઈને વિચક્ષણને આ રસના અત્યંત અનર્થકારી છે, આથી જ જડ રસનાના લાલનના ફળને આ ભવમાં પ્રાપ્ત કરે છે અને પરભવમાં દુર્ગતિને પ્રાપ્ત કરશે તે જોઈને રસના પ્રત્યે અત્યંત વિરક્તભાવ પ્રાપ્ત થયો. આ રીતે વિચક્ષણ રસના પ્રત્યે વિરક્તભાવમાં કાળ પસાર કરે છે ત્યાં સુધી વિમર્શ અને પ્રકર્ષ વિચક્ષણ પાસે આવે છે અને તેઓએ જે સર્વ માહિતી આપી તેનાથી વિચક્ષણને નિર્ણય થયો કે આ રસના રાગકેસરીના વિષયાભિલાષ નામના મંત્રીની પુત્રી છે અને દોષના પુંજવાળી છે. તેથી મારે તેનો ત્યાગ કરવો જોઈએ. આમ વિચારીને તેના ત્યાગ અર્થે શુભોદયને પૃચ્છા કરે છે. અર્થાત્ વિચક્ષણ શુભકર્મના ઉદયથી તેના ત્યાગ વિષયક શું કરવું જોઈએ તેની માર્ગાનુસારી વિચારણા કરે છે અને તે વિચક્ષણમાં વર્તતો શુભોદય તેને કહે છે કે આ રસના તારી ભાર્યા છે તેથી અકસ્માત તેનો ત્યાગ કરાય નહીં. પરંતુ ક્રમસર તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેથી હમણાં તે રસના માટે શું કરવું જોઈએ તે વિચક્ષણમાં વર્તતાં શુભકર્મો જ તેને માર્ગાનુસારી બુદ્ધિ આપે છે. શું માર્ગાનુસારી બુદ્ધિ આપે છે ? એથી કહે છે – વિમર્શે વિવેકપર્વત ઉપર રહેલા મહામોહાદિને નાશ કરનારા જે મહાત્માઓ છે તેનું સ્વરૂપ તેને બતાવ્યું. તેઓની સાથે રહેવાથી દુષ્ટ એવી પણ આ રસના તને કંઈ કરશે નહીં. તેથી વિચક્ષણને શુભકર્મના ઉદયથી નિર્ણય થયો કે વિવેકપર્વત ઉપર રહેલા મહાત્મા સાથે રહીને તેઓની જેમ જ મોહના નાશના ઉચિત આચારો સેવવાથી દુષ્ટ એવી પણ આ રસના કંઈ કરશે નહીં. આથી જ ભગવાનના શાસનમાં વર્તનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ સ્વશક્તિ અનુસાર મોહના નાશ માટે યત્ન કરનારા હોવાથી ક્વચિત્ રસનેન્દ્રિયનું લાલન-પાલન કરતા હોય તો પણ તેના વાસ્તવિક સ્વરૂપને જાણનારા હોવાથી સતત લોલુપતાના પરિવાર માટે યત્ન કરીને મોહને ક્ષીણ કરવા માટે યત્ન કરે છે. તેથી તેઓની રસના પણ તેઓને અનર્થ કરી શકતી નથી; કેમ કે ઇન્દ્રિયોને દુષ્ટરૂપે જાણનારા જીવોને ક્વચિત્ ઇન્દ્રિયોના વિકારો થાય તોપણ વિવેકને કારણે હણાયેલી શક્તિવાળા હોવાથી તે વિકારો વૃદ્ધિ પામતા નથી. વિચક્ષણને તેનાં શુભકર્મો કહે છે કે યત્નથી વિવેકપર્વત ઉપર આરૂઢ થઈને તું તારા અંતરંગ કુટુંબ સહિત રસનાના દોષથી મુકાયેલો જૈનપુરમાં જઈને વસ. આ રીતે શુભકર્મની પ્રેરણા મળ્યા પછી વિચક્ષણને થાય છે કે તે વિવેકપર્વત અતિ દૂર છે તેથી કુટુંબ સહિત ત્યાં જવા માટે હું કઈ રીતે પ્રયત્ન કરી શકું. આ પ્રકારનો વિચાર થવાથી વિચક્ષણનાં શુભકર્મો જ તેને કહે છે તારી પાસે ચિંતામણિના રત્ન જેવો અતુલ વિમર્શ છે તેથી ભય રાખવો જોઈએ નહીં, કેમ કે આ વિમર્શ પાસે તેવી અદ્ભુત શક્તિ છે કે અહીં જ તને તે મહાગિરિ બતાવી શકે તેમ છે. તેથી એ ફલિત થાય કે વિચક્ષણ પુરુષ જ્યારે પોતાની વિમર્શશક્તિનો ઉપયોગ કરે ત્યારે તેનો માર્ગાનુસારી વિમર્શ જ તે વિવેકપર્વત વગેરે સર્વ તેને બુદ્ધિ સમક્ષ દેખાડે છે. આથી જ વિચક્ષણમાં વર્તતો Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ માર્ગાનુસારી વિમર્શનો પરિણામ અંતરંગ ચક્ષુમાં વિમલાલોક અંજન આંજીને વિચક્ષણને વિવેકપર્વત આદિ સર્વ પ્રત્યક્ષ દેખાડે છે; કેમ કે વિચક્ષણ પુરુષમાં રહેલી તત્ત્વને જોનારી માર્ગાનુસારી દૃષ્ટિ જેમ રસનાની મૂલશુદ્ધિને પ્રાપ્ત કરાવે છે તેમ પ્રથમ સ્થૂલથી જૈનપુર આદિ સર્વના સ્વરૂપનું વર્ણન કરીને તેનો બોધ કરાવે છે અને જ્યારે તે વિચક્ષણ પુરુષ અત્યંત નિપુણપ્રજ્ઞાથી જોવા યત્ન કરે છે, ત્યારે પોતાની ચિત્તરૂપી અટવીમાં જ તેને સાત્ત્વિકપુર, વિવેકપર્વત, અપ્રમત્તશિખર, અને જૈનપુર સાક્ષાત્ દેખાય છે; કેમ કે સૂક્ષ્મપ્રજ્ઞાથી જોવાથી તેને સ્પષ્ટ દેખાય છે કે શરીરાદિ બાહ્ય સર્વ પદાર્થોથી ભિન્ન દેહમાં રહેલો મતિજ્ઞાનના ઉપયોગ રૂપ મારો આત્મા છે અને જો તે આત્મા અપ્રમાદભાવથી યત્ન કરે તો જિનતુલ્ય થવાનું કારણ જૈનનગર છે તેમાં પોતાનો પ્રવેશ થાય. તેથી પોતાના ચિત્તમાં જ જિનતુલ્ય થવાનો ઉચિત ઉપાય તેને દેખાય છે. જૈનપુરના મધ્યમાં જ તેને ચિત્તસમાધાનમંડપ દેખાય છે. તેથી તે વિચારે છે કે આ તુચ્છ બાહ્ય પદાર્થો મને સુખનાં કારણ નથી પરંતુ મારી નિરાકુળ ચેતના જ મારા સુખનું કારણ છે એ પ્રકારે મારું ચિત્ત સમાધાનવાળું થશે તો મારામાં નિઃસ્પૃહતા પ્રગટશે, જેથી મારું જીવવીર્ય આત્માના નિરાકુળભાવને અભિમુખ પ્રવર્તશે જેથી મારા ચિત્તમાં ચારિત્રનો પરિણામ સ્કુરાયમાન થશે. જે ચારિત્રનો પરિણામ મને મારી ભૂમિકાનુસાર દાન-શીલ-તપ-ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મના સેવનમાં ઉત્સાહિત કરશે. તેથી જૈનપુરમાં રહેલા જીવો જેમ મોહ આદિનો નાશ કરવા માટે યત્નશીલ છે તેમ હું પણ તેનો નાશ કરવા સમર્થ થઈશ. આ પ્રકારે નિર્ણય કરીને તે વિચક્ષણ પુરુષ નરવાહનરાજાને કહે છે મારી નિર્મળમતિથી આ સર્વ મેં અવલોકન કર્યું. ત્યારપછી હું શુભોદય પિતાદિ સર્વ અંતરંગ પરિવાર સહિત ગુણધર નામના આચાર્ય પાસે પ્રવ્રજિત થયો. આનાથી એ પ્રાપ્ત થાય કે મહાત્માઓ જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે તેની સાથે તેનાં શુભકર્મો જે અત્યાર સુધી વિપાકમાં આવતાં હતાં, તેનાથી જ તે વિચક્ષણ બનેલો અને તેના કારણે જ માર્ગાનુસારી બુદ્ધિથી તત્ત્વનું અવલોકન કરનારો થયેલો, તે શુભકર્મો પણ ચારિત્ર ગ્રહણકાળમાં વિપાકરૂપે સાથે આવે છે. વળી, નિજચારુતાની પરિણતિ પણ દીક્ષા ગ્રહણ કરતી વખતે સાથે રહે છે તેથી દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે જે તેની સુંદરતા હતી તે જ સુંદરતા દીક્ષા ગ્રહણ કર્યા પછી વિશેષથી પ્રગટે છે. વળી, જે અંતરંગ બુદ્ધિ નામની પત્ની હતી તે પણ સાથે લઈને દીક્ષા ગ્રહણ કરે છે. તેથી સાધુ અવસ્થામાં તત્ત્વને જોનારી બુદ્ધિ વિશેષથી પ્રવર્તે છે. વળી, જે વિમર્શ કરવાને અનુકૂળ પૂર્વમાં ક્ષયોપશમભાવ હતો તે ક્ષયોપશમભાવ પણ સંયમ ગ્રહણ કર્યા પછી શાસ્ત્રીય પદાર્થોને યથાર્થ જાણવા માટે સાથે વર્તે છે. વળી, જે બુદ્ધિનો પ્રકર્ષ હતો જેનાથી સર્વ પ્રકારની તત્ત્વની જિજ્ઞાસા વિચક્ષણને થતી હતી, તે પણ સંયમ ગ્રહણ કર્યા પછી સાથે જે વર્તે છે, તેથી બુદ્ધિના પ્રકર્ષને કારણે શાસ્ત્રીય પદાર્થોનો યથાર્થ ઊહ દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ કરે છે. વળી, સંયમ ગ્રહણ કરતી વખતે દેહ સાથે છે, તેની રસનેન્દ્રિય રૂપી પત્ની પણ સાથે છે. ફક્ત પૂર્વમાં Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ જે રસના વિષયક લોલુપતા હતી તેનો સાધુ ત્યાગ કરે છે અને અંતમાંત તુચ્છ ભિક્ષાના ગ્રહણરૂપ પરુષ ક્રિયાથી તે લોલુપતાને અત્યંત દૂર કરે છે તેથી રસનેન્દ્રિય પણ જીવને વિશેષ અનર્થ કરી શકતી નથી. જ્યારે મોક્ષમાં જશે ત્યારે તે રસનાનો પણ ત્યાગ કરશે. ત્યાં સુધી પ્રવ્રજિત સાધુ આ સર્વ અંતરંગ કુટુંબનું પાલન કરીને જૈનપુરમાં વસે છે અને જેઓ શુભોદયાદિ અંતરંગ કુટુંબને સંયમઅવસ્થામાં સાથે રાખી શકતા નથી તેઓ પ્રવ્રજિત હોવા છતાં પરમાર્થથી જૈનપુરથી બહાર રહે છે અને પ્રમત્તતા નદીમાં જઈને મહામોહાદિથી લુંટાય છે. तेन स्थितस्तेषां जैनपुरनिवासिनां भगवतां साधूनां मध्ये किलाऽहं प्रव्रजित इति मन्यमानः, ततः शिक्षितः समस्तोऽपि तेन तेषामाचारो, निषेवितः परमभक्त्या, विनिर्जिता सा रसना सर्वथा विहिताऽत्यर्थमकिञ्चित्करी । ततः स्थापितस्तेन गुरुणा निजपदे स विचक्षणः, स चान्यत्रापि दृश्यमानः परमार्थतस्तत्रैव विवेकगिरिशिखरवासिनि जैनपुरे द्रष्टव्यः । તેથી તે જેતપુર નિવાસી ભગવાન સાધુના મધ્યમાં રહેલ હું પ્રવ્રજિત થયેલો છું એ પ્રમાણે માનતો ત્યારપછી તેના વડે=ગુણધારણ આચાર્ય વડે, તેઓનો સમસ્ત પણ આચાર શિખવાડાયો. પરમભક્તિથી સેવન કરાયો=મારા વડે સેવન કરાયો. તે રસના સર્વથા અત્યંત અકિંચિકરી કરાયેલી જિતાઈ=સંયમ ગ્રહણ કર્યા પછી અંતપ્રાંત તુચ્છ આહાર ગ્રહણ કરવા દ્વારા શુભ પરિણામો નિષ્પતિ પ્રત્યે સર્વથા અકિંચિકર કરીને રસના જિતા. ત્યારપછી=સંયમ ગ્રહણ કર્યા પછી આ રીતે શિક્ષા ગ્રહણ કરાઈ ત્યારપછી, તે ગુરુ વડે તે વિચક્ષણ પોતાના પદમાં સ્થાપન કરાયા–આચાર્યપદમાં સ્થાપન કરાયા. અને તે=વિચક્ષણસૂરિ, અન્યત્ર પણ દેખાતા=વિહાર કરીને તે તે નગરોમાં પણ દેખાતા, પરમાર્થથી તે જ વિવેકગિરિના શિખરવાસી જેતપુરમાં જાણવા. आचार्यस्य नम्रता यतो भो महाराज नरवाहन! स विचक्षणोऽहमेव विज्ञेयः, एते च ते महात्मानः साधवो मन्तव्या, ततो महाराज! यद्भवद्भिरभ्यधायि यदुत-किं ते वैराग्यकारणम् ? इति, तदिदं मम वैराग्यकारणं, इयं चेदृशी मदीया प्रव्रज्या इति । આચાર્યની નમ્રતા જે કારણથી હે મહારાજ તરવાહત ! તે વિચક્ષણ હું જ જાણવો. અને આ તે મહાત્મા સાધુઓ જાણવા. તેથી હે મહારાજ ! નરવાહન ! જે તારા વડે કહેવાયું. શું કહેવાયું ? તે “કુર'થી બતાવે છે – તમારા વૈરાગ્યનું કારણ શું છે એ પ્રમાણે કહેવાયું. તે આ=મેં અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, મારા વૈરાગ્યનું કારણ છે. અને આ આવા પ્રકારની મારી પ્રવ્રજ્યા છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : एवं च व्यवस्थितेभार्यादोषेण यो नाम, प्रव्रज्यां समुपागतः । न च साऽपि परित्यक्ता, सर्वथा येन पापिनी ।।३६३।। શ્લોકાર્થ : અને આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છત=રસનાને ઓળખીને વિચક્ષણસૂરિએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી એ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે=ભાર્યાના રસનાના દોષથી જે હું, પ્રવજ્યાને પામ્યો, અને પાપી એવી તે પણકરસના પણ, સર્વથા જેના વડે (મારા વડે) ત્યાગ કરાઈ નથી. ll363 શ્લોક - यश्च पालयतेऽद्यापि, कुटुम्बं तदवस्थितम् । तस्य मे कीदृशी नाम, प्रव्रज्या भूप! कथ्यताम्? ।।३६४।। શ્લોકાર્ચ - અને જે હજી પણ તદ્ અવસ્થિત કુટુંબને પાળે છે અંતરંગ શુભોદય, બુદ્ધિ, વિમર્શ, પ્રકર્ષ આદિ પોતાના કુટુંબનું પાલન કરે છે. હે રાજન ! તે મારી પ્રવજ્યા કેવા પ્રકારની કહેવાય? જે કુટુંબનો ત્યાગ કરે, પાપી પત્નીનો ત્યાગ કરે તેને જ પરમાર્થથી પ્રવજ્યા કહેવાય. ll૩૬૪ll શ્લોક : तथापि ते महाराज! यन्ममोपरि गौरवम् । तर्कयन्नपि तत्राहं, न जाने बत कारणम् ।।३६५ ।। શ્લોકાર્થ : તોપણ હે મહારાજ ! તારો જે મારા ઉપર ગૌરવ છે–ત્યાગી તરીકેનો આદર છે. તેમાં તર્ક કરતો પણ હું કયા કારણે મારા ઉપર રાજાનો આટલો આદર છે એનો વિચાર કરતો પણ હું, ખરેખર કારણ જાણતો નથી. ll૩૬પી શ્લોક : યત: – सदोषेऽपि गुणारोपी, जगदालादकारकः । किमेषोऽचिन्त्यसौन्दर्यः, सज्जनप्रकृतेर्गुणः ।।३६६।। Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૩૫ શ્લોકાર્ય : જે કારણથી દોષવાળા ઉપર પણ ગુણનો આરોપ કરનાર, જગતને આહલાદ કરનાર, અચિંત્ય સોંદર્યવાળા સજ્જન પુરુષની પ્રકૃતિનો આ ગુણ શું છે ? ll૩૬૬ll શ્લોક : तथाहिनूनमेषा सतां दृष्टिश्चापयष्टिरपूर्विका । अकारणेऽपि या नित्यं, गुणारोपपरायणा ।।३६७।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – ખરેખર સંતોની અપૂર્વ કોટીની ધનુષ્યની યષ્ટિવાળી આ દૃષ્ટિ છે. જે અકારણમાં પણ નિત્ય ગુણના આરોપમાં પરાયણ છે. Il39૭ll શ્લોક : किं वा भुवनवन्द्यस्य, गुणोऽयं हतविद्विषः । अस्यैव जैनलिङ्गस्य, यत्रैते संस्थिता वयम् ।।३६८।। શ્લોકાર્ચ - અથવા ભુવનવંધ, હપ્યા છે શત્રુ જેણે એવા આ જેનલિંગનો જ શું આ ગુણ છે ? જે જેનલિંગમાં આ અમે રહેલા છીએ. ll૧૬૮II. બ્લોક : તથાદિसुरेन्द्रा अपि वन्दन्ते, तं भक्तिभरपूरिताः । करस्थं यस्य पश्यन्ति, जैनेन्द्र लिङ्गमञ्जसा ।।३६९।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે - જેના હાથમાં જેનેજ લિંગને શીધ્ર જુએ છે તેને ભક્તિના અતિશયથી ભરેલા સુરેન્દ્રો પણ વંદન કરે છે. ll૧૬૯ll શ્લોક : किञ्चान्यत्कारणं किञ्चिद् गृहस्थाचारधारकः । येनेदृशोऽपि ते राजन्! अहं दुष्करकारकः ।।३७०।। Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વળી બીજું કોઈ કારણ છે, જેના વડે ગૃહસ્થના આચારને ધારણ કરનારો આવા પ્રકારનો પણ હું હે રાજન ! તને દુષ્કરકારક લાગું છું. l૩૭૦|| एवं च वदति भगवति विगलितमदचेतसि विचक्षणसूरौ नरवाहनराजेन चिन्तितं अहो निजचरितकथनेन भगवता जनितो मे मोहविलयः, अहो भगवतां वचनविन्यासः, अहो विवेकित्वं, अहो मय्यनुग्रहपरता, अहो दृष्टपरमार्थतेति । विज्ञातश्च मया सर्वस्यास्य भगवद्भाषितस्य गर्भार्थः । આ પ્રમાણે ભગવાને કહે છતે વિગલિત મદચિત્તવાળા વિચક્ષણસૂરિ વિષયક તરવાહનરાજા વડે વિચારાયું. અહો ! પોતાના ચરિત્રના કથનથી ભગવાન વડે મારો મોહ વિલય કરાયો. અહો ભગવાનનો વચનવિવ્યાસ છે. અહો વિવેકીપણું છે. અહો મારા ઉપર અનુગ્રહપરતા છે. અહો દષ્ટપરમાર્થતા છે=ભગવાનની દષ્ટ૫રમાર્થતા છે અને ભગવાન વડે કહેવાયેલા આ સર્વનો ગંભીર અર્થ મારા વડે જણાયો છે. ___ आचार्यप्रेरितनृपस्य दीक्षाभावना શ્લોક : ततोऽभिहितमनेनभदन्त! यादृशं लोके, संपन्नं ते कुटुम्बकम् । अधन्यास्तादृशं नूनं, प्राप्नुवन्ति न मादृशाः ।।३७१।। વિચક્ષણસૂરિ વડે પ્રેરિત રાજાની દીક્ષાની ભાવના શ્લોકાર્થ : તેથી આના વડે=રાજા વડે, કહેવાયું. હે ભદંત ! લોકમાં જેવું તમને કુટુંબ પ્રાપ્ત થયું, અધન્ય એવા મારા જેવા તેવું કુટુંબ પ્રાપ્ત કરતા નથી. l૩૭૧|| બ્લોક : इदं च पोषयन्नत्र, जैनलिङ्गे च संस्थितः । મદ્રત્ત! માવાનેવ, ગૃહસ્થો મવતીકૃશ: Jારૂ૭૨ા શ્લોકાર્ચ - અને હે ભદંત ! અહીં જેનલિંગમાં આને કુટુંબને, પોષણ કરતા રહેલા ભગવાન જ આવા પ્રકારના ગૃહસ્થ થાય છે. ll૩૭૨ll Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૩૭ બ્લોક : अन्यच्चकृताऽकिञ्चित्करी येन, रसनाऽपि महात्मना । अत्यन्तदुर्जया लोके, लोलता च निराकृता ।।३७३।। શ્લોકાર્ચ - અને બીજું, જે મહાત્મા વડે લોકમાં અત્યંત દુર્જય એવી રસના પણ અકિંચિત્કરી કરાઈ અને લોલતા નિરાકરણ કરાઈ. il૩૭3II બ્લોક : महामोहादिवर्गं च, जित्वा यो जैनसत्पुरे । स्थितोऽसि साधुमध्यस्थः, कुटुम्बसहितो मुने! ।।३७४।। શ્લોકાર્ચ - અને હે મુનિ ! મહામોહાદિ વર્ગને જીતીને જૈનસપુરમાં સાધુની મધ્યમાં કુટુંબ સહિત જે તમે રહેલા છો. ll૩૭૪ll શ્લોક - स चेत्त्वं न भवस्यत्र, हन्त दुष्करकारकः । कीदृशास्ते भवन्त्यन्ये, ब्रूहि दुष्करकारकाः? ।।३७५ ।। શ્લોકાર્ય : અહીં=સંસારમાં, જો તે તમે ખરેખર દુષ્કરકારક નથી તો અન્ય કેવા પ્રકારના દુષ્કરકારકો થાય ? એ તમે કહો. Il૩૭૫ll શ્લોક : यश्चायं तव संपन्नो, वृत्तान्तो जगदद्भुतः । एतद्वृत्तान्तयुक्ता ये, ते वन्द्याः प्रतिभान्ति मे ।।३७६।। શ્લોકાર્થ : અને જગતમાં અદ્ભુત વૃત્તાંત જે આ તમને પ્રાપ્ત થયો એ વૃત્તાંતથી યુક્ત જેઓ છે, તે મને વંધ પ્રતિભાસે છે. ll૧૭૬ll Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तद् भदन्त! किमेतेषां, साधूनामयमीदृशः । संपन्न एव वृत्तान्तः, किं वा नेति निवेद्यताम् ।।३७७।। શ્લોકાર્ય : તે કારણથી હે ભદંત ! આ સાધુઓને શું આવા પ્રકારનો આ વૃત્તાંત પ્રાપ્ત થયો જ છે કે નહીં ? એ તમે નિવેદન કરો. ll૩૭૭ી શ્લોક : ततो विचक्षणेनोक्तं, सर्वेषामयमीदृशः । સાધૂનાં મૂ! સંપન્નો, વૃત્તાન્તો નાસ્તિ સંશય: રૂ૭૮ શ્લોકાર્ચ - તેથી વિચક્ષણ વડે કહેવાયું - હે રાજા ! સર્વ સાધુઓને આવા પ્રકારનો આ વૃત્તાંત સંપન્ન થયો છે, સંશય નથી. [૩૭૮ શ્લોક : अन्यच्चसंपद्यते तवापीह, वृत्तान्तोऽयं नरेश्वर!। यदि त्वं कुरुषे सद्यो, यादृशं मादृशैः कुतम् ।।३७९।। શ્લોકાર્ચ - અને હે નરેશ્વર ! બીજું તને પણ અહીં=સંસારમાં, આ વૃત્તાંત પ્રાપ્ત થાય જો તું શીધ્ર કરે, જેવું મારા જેવા વડે કરાયું. ll૩૭૯II. શ્લોક : दर्शयामि क्षणेनैव, तं विवेकमहागिरिम् । ततस्तज्जायते तेऽत्र, स्वयमेव कुटुम्बकम् ।।३८०।। શ્લોકાર્ચ - ક્ષણમાં જ તે વિવેકમહાગિરિ હું બતાવું છું. તેથી અહીં=સંસારમાં, તારું સ્વયં જ તે કુટુંબ થાય છે=જે મારું કુટુંબ છે તે તારું કુટુંબ થાય છે. [૩૮૦| Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૩૯ શ્લોક : ततश्चमहामोहादिवर्गं च, स्वयमेव विजेष्यसि । लोलतां च निराकृत्य, रंस्यसे साधुमध्यगः ।।३८१।। શ્લોકાર્થ : અને તેથી વિવેકગિરિને જોઈને તું તે કુટુંબને સ્વીકારીશ તેથી, મહામોહાદિ વર્ગને સ્વયં જ તું જીતીશ અને લોલતાને નિરાકરણ કરીને સાધુના મધ્યમાં રહેલો રમીશ. ll૩૮૧TI શ્લોક : ततो भगवतो वाक्यमाकयेदं मनोरमम् । स्वचित्ते चिन्तयत्येवं, नरवाहनपार्थिवः ।।३८२।। શ્લોકાર્ચ - તેથી આ ભગવાનના મનોરમ વાક્યને સાંભળીને નરવાહનરાજા સ્વચિત્તમાં આ પ્રમાણે વિચારે છે. Il30ા. શ્લોક : अहो भगवता प्रोक्तमिदमत्र परिस्फुटम् । य एवोत्सहते दोé, तस्यैव प्रभुता करे ।।३८३।। શ્લોકાર્ય : અહો ! ભગવાન વડે અહીં=સંસારમાં, આ સ્પષ્ટ કહેવાયું, જે પુરુષ જ બે ભુજા વડે ઉત્સાહત=સંસારસમુદ્રને તરવા માટે ઉત્સાહિત થાય છે તેના જ હાથમાં પ્રભુતા છે. ll૧૮all શ્લોક : ततो भागवतीं दीक्षां, गृहाण किल भूपते! । तव संपद्यते येन, संपन्नं यत्तु मादृशाम् ।।३८४ ।। શ્લોકાર્ય : તેથી હે રાજા ! ભાગવતી દીક્ષાને તું ગ્રહણ કર. જેના વડે મારા જેવાને વળી જે પ્રાપ્ત થયું તે તને પ્રાપ્ત થાય. ll૩૮૪ll Page #349 -------------------------------------------------------------------------- ________________ ३४० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अहो भगवता चारु, ममादिष्टं महात्मना । गृह्णाम्येवाधुना दीक्षामिति चित्तेऽवधारितम् ।।३८५।। શ્લોકાર્ચ - અહો ભગવાન મહાત્મા વડે મને સુંદર આદેશ કરાયો. હમણાં હું દીક્ષાને ગ્રહણ કરું એ પ્રમાણે ચિતમાં અવધારણ કરાયું=નરવાહનરાજા વડે અવધારણ કરાયું. [૩૮૫ શ્લોક : ततो विघटितानिष्टदुष्टपापाणुसञ्चयः । अवोचत गुरुं नत्वा, स राजा नरवाहनः ।।३८६।। શ્લોકાર્ચ - ત્યારપછી નાશ કર્યો છે અનિષ્ટ દુષ્ટ પાપ અણુનો સંચય જેમણે એવા તે નરવાહનરાજાએ ગુરુને નમીને કહ્યું. ll૧૮૬ શ્લોક : भदन्त! यदि या काचिद्विद्यते योग्यतेदृशी । ततः करोम्यहं तादृक्, कृतं यादृग् भवादृशैः ।।३८७।। શ્લોકાર્થ : હે ભગવાન ! જો મારી કાંઈક યોગ્યતા આવા પ્રકારની વિધમાન છે, તો હું તેવું કર્યું, જેવું તમારા જેવા વડે કરાયું. ll૩૮૭ll શ્લોક : किं चानेन?दीयतां जिनदीक्षा मे, क्रियतां मदनुग्रहः । ततो युष्मत्प्रसादेन, सर्वं चारु भविष्यति ।।३८८।। શ્લોકાર્ય : વળી આના વડે શું ? મારી યોગ્યતા છે કે નહીં એના વિચાર વડે શું? જિનદીક્ષા મને અપાય. મારા ઉપર અનુગ્રહ કરાય, તેથી તમારા પ્રસાદથી સર્વ સુંદર થશે. ll૧૮૮ll Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ઉપમિતિભવપ્રપંચ કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક - सूरिणाऽभिहितं भूप! सुन्दरस्ते विनिश्चयः । युक्तमेतद्धि भव्यानां, कृत्यमेतद् भवादृशाम् ।।३८९।। શ્લોકાર્થ : સૂરિ વડે કહેવાયું, હે રાજા ! તારો નિશ્ચય સુંદર છે. દિ=જે કારણથી, ભવ્યજીવોને દીક્ષાને અનુકૂળ યોગ્યતાવાળા જીવોને, આ=સંયમ ગ્રહણ કરવું એ યુક્ત છે. તમારા જેવાને=નરવાહન જેવા યોગ્ય જીવોને, આ દીક્ષા ગ્રહણ કરવી એ કૃત્ય છે. ll૧૮૯ll શ્લોક : नूनं मदीयवाक्यस्य, सद्भावार्थोऽवधारितः । संजातस्तेन ते भूप! महोत्साहोऽयमीदृशः ।।३९०।। શ્લોકાર્ય : ખરેખર મારા વાક્યનો સભાવાર્થ અવધારણ કરાયો. તેથી હે રાજા ! તને આ આવા પ્રકારનો મહાન ઉત્સાહ થયો છે. ll૩૯oll બ્લોક : તથાદિतादृक्षु वल्गमानेषु, महामोहादिशत्रुषु । को वा नाश्रयते दुर्गं, सुक्षेमं जैनसत्पुरम्? ।।३९१।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – તેવા પ્રકારના કૂદતા મહામોહાદિ શત્રુ હોતે છતે કોણ સુક્ષેમવાળા=સુંદર રક્ષણવાળા, જેનસપુરરૂપ દુર્ગનો=કિલ્લાનો, આશ્રય ન કરે? બુદ્ધિમાન પુરુષ અવશ્ય કરે. ll૧૯૧૫ શ્લોક : निश्चिन्तो गृहवासेऽत्र, को वा दुःखौघपूरिते? । आसीत विदिते जैने, सत्पुरे सुखसागरे ।।३९२।। શ્લોકાર્ય : સુખના સાગર એવું જૈનસપુર વિદિત થયે છતે=જ્ઞાત થયે છતે, દુઃખના સમૂહથી પૂરિત આ ગૃહવાસમાં કોણ બુદ્ધિમાન નિશ્ચિત વસે ? Il3૯૨શા. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अलं कालविलम्बेन, राजन्! अत्र महाभये । एवं ते ज्ञाततत्त्वस्य, युक्तमत्र प्रवेशनम् ।।३९३।। શ્લોકાર્થ : હે રાજન !મહા ભયવાળા એવા આ સંસારમાં કાલવિલમ્બનથી સર્યું. જ્ઞાન તત્વવાળા એવા તને આ રીતે દીક્ષા ગ્રહણ કરે એ રીતે, અહીં જૈનપુરમાં, પ્રવેશ યુક્ત છે. ll૧૯all શ્લોક : ततो भागवतं वाक्यं, श्रुत्वा संतुष्टचेतसा । तदेतच्चिन्तितं राज्ञा, दीक्षाग्रहणकाम्यया ।।३९४ ।। શ્લોકાર્ચ - તેથી=વિચક્ષણસૂરિએ આ પ્રમાણે કહ્યું તેથી, ભગવાનના વાક્યને સાંભળીને સંતુષ્ટ ચિત્તવાળા રાજા વડે દીક્ષા ગ્રહણની કામનાથી તે આ વિચારાયું. ll૧૯૪ll શ્લોક : राज्ये कं स्थापयामीति, को वा योग्योऽस्य मत्सुतः? । ततो विस्फारिता दृष्टिीलाब्जदललासिनी ।।३९५ ।। શ્લોકાર્થ : શું વિચારાયું ? તે કહે છે – રાજ્યમાં કોને સ્થાપન કરું. આને=રાજ્યને, યોગ્ય કયો મારો પુત્ર છે ? તેથી નીલકમળના દલને વિલાસ કરનારી દષ્ટિ વિસ્ફારિત કરાઈ=રાજ્યને યોગ્ય જોવા માટે દષ્ટિને વિસ્ફારિત કરાઈ. ll૧લ્પા શ્લોક : अथागृहीतसङ्केते! तदाऽहं रिपुदारणः । तथा निषण्णस्तत्रैव, निर्भाग्यो रोररूपकः ।।३९६।। શ્લોકાર્ધ : હવે હે અગૃહીતસંકેતા ! ત્યારે ત્યાં જ=સૂરિની દેશનાસ્થલમાં જ, ભિખારીરૂપ નિર્ભાગ્ય રિપુકારણ એવો હું બેઠેલો. Ila૯૬ો Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૪૩ रिपुदारणस्य राज्याभिषेकः બ્લોક : રૂતकृशोऽप्यसौ शरीरेण, तथा तातस्य पश्यतः । पुण्योदयो वयस्यो मे, मनाक् सस्फुरतां गतः ।।३९७ ।। રિપુદારણનો રાજ્યાભિષેક શ્લોકાર્ધ : આ બાજુ શરીરથી કૃશ થયેલો પણ એવો આ મારો મિત્ર પુણ્યોદય પિતાના જોવાથી થોડોક સસ્ફરતાને પામ્યો=વિપાકમાં આવ્યો. ll૧૯૭ી શ્લોક : તતदृष्टो निरीक्ष्यमाणेन, तातेनामलचेतसा । ततो मां वीक्ष्य तातस्य, पुनः प्रत्यागतं मनः ।।३९८ ।। શ્લોકાર્ય : અને ત્યારપછી નિર્મલચિત્તથી જોતા એવા પિતા વડે જેવાયો. તેથી મને જોઈને પિતાને ફરી મન પાછું આવ્યું અને રાજ્ય સોંપવાનું અનુકૂળ મન પ્રાપ્ત થયું. ll૩૯૮|| શ્લોક : चिन्तितं च ततस्तेन, स एष रिपुदारणः । मया बहिष्कृतो गेहात्तपस्वी शोच्यतां गतः ।।३९९ ।। શ્લોકાર્ચ - અને તેથી તેના વડે=પિતા વડે, વિચારાયું - મારા વડે ઘરથી કાઢી મુકાયેલો તે આ રિપુદારણ બિચારો શોધ્યતાને પામ્યો. ll૩૯૯II શ્લોક : हा हा मयेदं नो चारु, कृतं यत्सुतभर्त्सनम् । विषवृक्षोऽपि संवर्ध्य, स्वयं छेत्तुमसाम्प्रतम् ।।४०० ।। Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - ખરેખર મારા વડે આ સુંદર કરાયું નથી, જે કારણથી પુત્રનું ભર્સન કરાયું. વિષવૃક્ષ પણ સંવર્ધન કરીને સ્વયં છેદવા માટે અયોગ્ય છે. Iool બ્લોક : तदिदं प्राप्तकालं मे, तथेदं जनकोचितम् । इदमेव सतां युक्तमिदं दुष्कृतशोधनम् ।।४०१।। શ્લોકાર્થ : તે કારણથી=પુત્રનું ભર્સન કર્યું તે ઉચિત કર્યું નહીં તે કારણથી, મને આ પ્રાપ્ત કાલ છેઃ અત્યારે કર્તવ્ય છે અને પિતાને ઉચિત આ છે. આ જ સંતોને યુક્ત છે=અયોગ્ય પણ પુત્રને તેનું હિત થાય તેમ કરવું તે સંતોને યુક્ત છે. આ દુકૃતનું શોધન છે=મેં એને કાઢી મૂક્યો એ દુકૃતનું શોધન આ છે. l૪૦૧|| શ્લોક : यदुतएनं राज्येऽभिषिञ्चामि, संपूज्य रिपुदारणम् । ततश्च कृतकृत्योऽहं, दीक्षां गृह्णामि निर्मलाम् ।।४०२।। શ્લોકાર્ચ - દુષ્કૃતનું શોધન શું છે ? તે “યત'થી બતાવે છે – રિપદારણને સંપૂજન કરીને આદર આપીને, આને રાજ્ય ઉપર અભિષેક કરું અને ત્યારપછી કૃતકૃત્ય એવો હું=ઉચિત કૃત્ય કર્યું છે એવો હું, નિર્મલ દીક્ષાને ગ્રહણ કરું. ll૪૦રા બ્લોક : भद्रेऽगृहीतसङ्केते! तथाऽहं दोषपुञ्जकः । तातस्य तादृशं चित्तं, तत्रेदं हन्त कारणम् ।।४०३।। શ્લોકાર્થ : હે ભદ્ર અગૃહીતસંકેતા! તે પ્રકારનો દોષનો પુંજ એવો હું છું, પિતાનું તેવું ચિત્ત છે ત્યાં–પિતાના તેવા ચિત્તમાં, ખરેખર આ કારણ છે. Io3II શ્લોક : नवनीतसमं मन्ये, सुकुमारं सतां मनः । तत्पश्चात्तापसम्पर्काद्, द्रवत्येव न संशयः ।।४०४।। Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - સંત પુરુષોનું મન માખણ જેવું સુકુમાર છે એમ હું માનું છું. તે કારણથી પશ્ચાતાપના સંપર્કથી દવે જ છે. સંશય નથી. ll૪૦૪ll શ્લોક : आत्मा स्फटिकशुद्धोऽपि, सदोषः प्रतिभासते । परस्तु दोषपुञ्जोऽपि, निर्मलोऽमलचेतसाम् ।।४०५ ।। શ્લોકાર્ચ - આત્મા સ્ફટિક જેવો શુદ્ધ પણ સદોષ પ્રતિભાસે છે=સંત પુરુષોને પોતે સદોષ છે તેમ પ્રતિભાસે છે. વળી, નિર્મળ ચિત્તવાળા જીવોને દોષનો પુંજ પણ પર=બીજો પુરુષ, નિર્મલ પ્રતિભાસે છે. II૪૦પા શ્લોક : परोपकारसाराणां, कारणेऽपि च निष्ठुरम् । कृतं कर्म करोत्येव, पश्चात्तापं महाधियाम् ।।४०६।। શ્લોકાર્ચ - પરોપકારસાર એવા મહાબુદ્ધિવાળા જીવોને કારણમાં પણ કરાયેલું નિષ્ફર કર્મ પશ્ચાત્તાપને કરે જ છે=નરવાહન રાજાએ કારણે રિપદારણને ગૃહથી કાઢી મૂકેલ છતાં ઉત્તમ ચિત્તને કારણે પશ્ચાત્તાપ થાય છે. ll૪૦૬ll શ્લોક : ततश्चाहूय तातेन, निजोत्सङ्गे निवेशितः । तदाऽहं प्रश्नितश्चेत्थं, सूरिर्गद्गद्भाषिणा ।।४०७।। શ્લોકાર્ચ - તેથી–પિતાને મને કાઢી મૂકવાનો પશ્ચાત્તાપ થયો તેથી, બોલાવીને પિતા વડે ત્યારે હું પોતાના ઉસંગમાં બેસાડાયો અને આ પ્રમાણે ગદ્ગદ્ બોલતા એવા પિતા વડે સૂરિ પ્રગ્ન કરાયા. ll૪૦૭ી શ્લોક : भदन्त! विदितस्तावन्नूनमेष भवादृशाम् । ज्ञानालोकवतां लोके, यादृशो रिपुदारणः ।।४०८।। Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે ભગવંત ! ખરેખર લોકમાં જેવા પ્રકારનો આ રિપુદારણ છે, જ્ઞાનરૂપી પ્રકાશવાળા એવા તમારા જેવાને વિદિત જ છે. II૪૦૮II શ્લોક : तदस्य सत्कुले जन्म, सामग्रीयं मनोहरा । संजाता किं पुनर्जातं, तादृशं चरितं पुरा? ।।४०९।। શ્લોકાર્થ: તે કારણથી આનો રિપુદારણનો, સસ્કુલમાં જન્મ, મનોહર આ સામગ્રી થઈ. વળી પૂર્વમાં તેવું ચરિત કેમ થયું? I૪૦૯ll શ્લોક - सूरिणाऽभिहितं भूप! न दोषोऽस्य तपस्विनः । शैलराजमृषावादौ, तस्य सर्वस्य कारणम् ।।४१०।। શ્લોકાર્ચ - સૂરિ વડે કહેવાયું - હે રાજા ! આ તપસ્વીનો દોષ નથી. માન અને મૃષાવાદ આ સર્વનું કારણ છે=રિપદારણના સર્વ દોષોનું કારણ છે. I૪૧૦|| શ્લોક : तातेनोक्तंअनर्थसार्थहेतुभ्यां, भदन्तेह कदा पुनः । आभ्यां पापवयस्याभ्यां, वियोगोऽस्य भविष्यति ।।४११।। શ્લોકાર્ચ - પિતા વડે કહેવાયું. હે ભદંત ! અનર્થ સમૂહના હેતુ એવા આ બે પાપી મિત્રોથી અહીં=સંસારમાં, વળી આનો વિયોગ ક્યારે થશે ? Il૪૧૧TI. શ્લોક : सूरिराह महाराज! वियोगोऽद्यापि दुर्लभः । शैलराजमृषावादौ, यतोऽस्यात्यन्तवल्लभौ ।।४१२।। શ્લોકાર્થ : સૂરિ કહે છે – હે મહારાજ ! હજી પણ વિયોગ દુર્લભ છે. જે કારણથી આને=રિપુદારણને, શેલરાજ અને મૃષાવાદ અત્યંત વલ્લભ છે. ll૪૧ચો. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ભાવાર્થ : વિચક્ષણસૂરિએ નરવાહનરાજા પાસે પોતાના વૈરાગ્યનું કારણ બતાવતાં કહ્યું કે તે ગુણધારણ નામના આચાર્યને પામીને હું પ્રવ્રજિત થયો છું. અને ત્યારપછી જૈનપુરમાં વસતાં ભગવાન સુસાધુઓની વચમાં હું પ્રવ્રજિત છું એમ માનતો હું રહ્યો. તેથી એ ફલિત થાય કે તે વિચક્ષણ સાધુ જૈનપુર છે તેમાં વસનારા જે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા છે, તેમાંથી જે સુસાધુઓ મોહના નાશ માટે સુભટની જેમ અપ્રમાદથી યત્ન કરી રહ્યા છે તેવા સાધુઓની વચમાં અપ્રમત્તશિખર ઉપર વિચક્ષણ મુનિ રહ્યા. અને તે ગુરુ વડે તે મુનિને સર્વ આચાર શિખવાડ્યા. જેથી સુખપૂર્વક મુનિભાવમાં રહીને તે આચાર દ્વારા અંતરંગ શત્રુનો તે મહાત્મા નાશ કરી શકે. વળી તે આચાર જ મારું હિત છે એ પ્રકારની પરમ ભક્તિથી તે વિચક્ષણ મુનિ તે આચારો સેવતા હતા. તેથી તે સાધ્વાચારના બળથી સતત મોહના નાશ માટે યત્ન કરતા હતા. વળી, તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી રસનેન્દ્રિયને અંતપ્રાંત તુચ્છ આહાર ગ્રહણ દ્વારા અત્યંત અકિંચિત્થર કરાઈ અર્થાત્ પત્ની તરીકે તેનું લાલન-પાલન છોડીને તે જે વિષયાભિલાષનું રાગ ઉત્પાદનરૂપ કાર્ય કરતી હતી તે કાર્ય કરવા સર્વથા અસમર્થ કરાઈ અને વિસર્જન કરાઈ અર્થાતુ પોતાની સાધનામાં વિક્ષેપ કરતાં દૂર કરાઈ. ત્યારપછી તે મહાત્મા શાસ્ત્રઅભ્યાસ કરીને સંપન્ન થયા ત્યારે ગુરુએ તે વિચક્ષણ મુનિને સૂરિપદમાં સ્થાપન કર્યા. વળી વ્યવહારથી તે વિચક્ષણસૂરિ બહાર નગરોમાં વિચરતા દેખાય છે, તોપણ પરમાર્થથી તે વિચક્ષણસૂરિ વિવેકપર્વત પર વસનારા જૈનપુરમાં વસે છે. તેથી એ પ્રાપ્ત થાય કે તે વિચક્ષણસૂરિ વિહાર કરીને ગ્રામાનુગામ વિચરતા દેખાય છે તો પણ અંતરંગ માનસ વ્યાપારથી પોતાના આત્મામાં જે વિવેકનો પરિણામ છે, તે પરિણામમાં યત્નશીલ થઈને જિનતુલ્ય થવા માટે યત્ન કરી રહ્યા છે. આથી જ મોહની સામે સુભટની જેમ લડીને પોતાના અંતરંગ શત્રુનો નાશ કરી રહ્યા છે, માટે પોતાની ચિત્તવૃત્તિમાં વસતા જૈનપુરમાં વસનારા છે. વળી તે વિચક્ષણસૂરિ હું છું તેમ મહાત્મા નરવાહનરાજાને કહે છે અને આ મહાત્માઓ મારા સહવર્તી સાધુઓ છે આ પ્રમાણે વિચક્ષણસૂરિએ પોતાના ભવવૈરાગ્યનું કારણ સ્પષ્ટ કર્યું, અને કહ્યું કે આવા પ્રકારની મારી પ્રવ્રજ્યા છે. કેવા પ્રકારની પ્રવ્રજ્યા છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – રસનારૂપ ભાર્યાના દોષથી મેં પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે છતાં પાપી એવી તેને મેં સર્વથા ત્યાગ કરી નથી; કેમ કે જ્યારે કેવલજ્ઞાન થાય ત્યારે જ મતિજ્ઞાનના ઉપયોગરૂપ રસનાનો સર્વથા નાશ થાય છે. ફક્ત હું તેને દુષ્ટ જાણીને પોતાનું કાર્ય કરવા માટે તેણીને અકિંચિકર કરેલી છે; કેમ કે આ રસના જ મોહના વિકારો કરીને મને વિડંબના કરતી હતી. તેથી મેં તેને કાર્ય કરતી નિષ્ફલ કરી છે તોપણ હજી હું છદ્મસ્થ અવસ્થામાં છું તેથી મેં તેનો સર્વથા ત્યાગ કર્યો નથી. વળી, મારું જે અંતરંગ અવસ્થિત કુટુંબ હતું તેનું હજી પણ હું પાલન કરું છું તેથી હે રાજા ! મારી પ્રવ્રજ્યા કેવા પ્રકારની છે અર્થાત્ બહુ પ્રશંસાપાત્ર નથી. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રવ્રજ્યા એ પાપથી પ્રકૃષ્ટ વ્રજન સ્વરૂપ છે. તેથી જેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને મોહનો સંપૂર્ણ નાશ કરે છે તેઓની જ પારમાર્થિક પ્રવ્રજ્યા છે. વળી, અંતરંગ શુભોદય, નિજચારુતા, બુદ્ધિ , પ્રકર્ષ, વિમર્શ વગેરે કુટુંબનું હું પાલન કરું છું. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના વસ્તુતઃ જેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને વીતરાગ સર્વજ્ઞ થાય છે તેઓના તેવા ક્ષયોપશમભાવવાળા શુભોદય નથી. મારા મોહનો નાશ થાય છે તેવી નિજચારુતા નથી. મતિજ્ઞાનના ઉપયોગરૂપ વિમર્શ, મતિજ્ઞાનના ઉપયોગરૂપ પ્રકર્ષ, અને મતિજ્ઞાનના ઉપયોગરૂપ બુદ્ધિ છે તેવી પ્રવ્રયા પૂર્ણ પ્રવ્રજ્યા નથી પરંતુ કેવલજ્ઞાન સ્વરૂપ જીવ છે તેવી ક્ષાવિકભાવની પ્રવ્રજ્યા પોતાનામાં પ્રગટ થઈ નથી. તેથી હજી પણ બાહ્ય કુટુંબનો મેં ત્યાગ કરેલો હોવા છતાં તે ક્ષયોપશમભાવના પરિણામરૂપ મારું અંતરંગ કુટુંબ હજી અવસ્થિત છે. ફક્ત તે દુષ્ટ ભાર્યારૂપ રસનાની લોલતાને મેં કાઢી મૂકી છે અને રસનાને સ્વકાર્ય કરવામાં અકિંચિત્થર કરી છે. તેથી મારી પ્રવ્રજ્યા તેવી શ્રેષ્ઠ પ્રવ્રજ્યા નથી. તોપણ મહારાજને મારા ઉપર આદર થાય છે તેનું કારણ હું જાણતો નથી. વસ્તુતઃ આદરપાત્ર તો સંપૂર્ણ બાહ્ય અને અંતરંગ કુટુંબનો ત્યાગ કર્યો છે તેવા સિદ્ધ ભગવંતો અને કેવલી ભગવંતો જ છે, છતાં સદોષ એવા મારામાં ગુણનો આરોપ એ જગતને આનંદ કરનાર રાજાનું અચિંત્ય ચિત્તસૌંદર્ય છે, જે સજ્જનની પ્રકૃતિનો ગુણ છે અર્થાત્ મહારાજા સજ્જન છે. હું હજી કર્મના દોષવાળો છું. મોહના શત્રુનો મેં સંપૂર્ણ નાશ કર્યો નથી. તેથી જ તેના નાશ અર્થે અંતરંગ શુભોદય આદિ કુટુંબનું પાલન કરું છું. માટે મારામાં ઘણી સદોષતા છે છતાં થોડા ગુણને જોઈને અર્થાત્ મેં લોલતાનો ત્યાગ કર્યો અને રસનાને અકિંચિત્થર કરી એ ગુણને જોઈને ગુણનું આરોપણ કરનાર જગતના આલ્લાદને કરનાર રાજાનું અચિંત્ય ચિત્તસૌંદર્ય છે; કેમ કે સજ્જનની પ્રકૃતિનો આ ગુણ છે. આ પ્રકારે યથાર્થ બતાવીને મહાત્મા પોતાની વાસ્તવિકતા રાજાને સ્પષ્ટ કરે છે અને પોતે હજી ગુણથી પૂર્ણ થયા નહીં, પૂર્ણ થવાના અર્થી છે એ બતાવે છે. વળી, વિચક્ષણસૂરિ રાજાને “અથવાથી કહે છે. મેં જે આ જૈનલિંગ ધારણ કર્યું છે તે મોહના શત્રુનો નાશ કરનાર છે તેથી જ જગતને વંદ્ય એવા જૈનલિંગનો આ ગુણ છે અને તે લિંગમાં રહ્યા છીએ તેથી જ લોકો વડે પૂજાઈએ છીએ. એનાથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણસૂરિ પોતે દ્રવ્યલિંગધારી છે માટે પૂજાય છે તેમ નથી પરંતુ ભાવથી ગ્રહણ કરાયેલું જૈનલિંગ શત્રુનો નાશ કરનાર છે. આથી જ ભાવથી ગ્રહણ કરાયેલું જૈનલિંગ ત્રણ ભુવનને વંદ્ય છે અને વિચક્ષણસૂરિ પોતાના અંતરંગ કુટુંબ સહિત પણ ભાવથી જૈનલિંગમાં રહેલા છે તેથી સતત મોહના નાશ માટે યત્ન કરનારા છે તેથી જ વંદ્ય છે. આમ કહીને પોતે વંદ્ય નથી પરંતુ ભાવથી જૈનલિંગનો આ ગુણ છે એમ કહીને વિચક્ષણસૂરિ પોતાના માનકષાયનો અત્યંત નિરોધ કરે છે, જેથી અમે જગતમાં પૂજ્ય છીએ તેવો પરિણામ થાય નહીં. વળી પૂર્વમાં કહ્યું કે અમે અંતરંગ કુટુંબવાળા છીએ માટે ગુણવાળા નથી તેમ કહીને પૂર્ણ ગુણવાળા વીતરાગ જ પૂજ્ય છે કે જેઓને અંતરંગ કુટુંબ નથી અને બાહ્ય કુટુંબ પણ નથી, જ્યારે અમે તો નિગ્રંથ થવાના અત્યંત અર્થી છીએ તોપણ જે પૂર્ણ નિગ્રંથ વીતરાગ છે તે જ પૂજ્ય છે અને અમે અંતરંગ કુટુંબને ધારણ કરીને કંઈક ગૃહસ્થતુલ્ય છીએ. પૂર્ણ નિગ્રંથ નથી. તેથી અમે સ્તુતિને યોગ્ય નથી તેમ કહીને પૂર્ણ નિગ્રંથ ભાવવાળા વીતરાગ જ પૂજ્ય છે તેમ બતાવે છે અને તેવા પૂજ્ય પ્રત્યે પોતાનો નમ્રભાવ વિચક્ષણસૂરિ અભિવ્યક્ત કરે છે. વળી, સૂરિ અન્ય કહે છે. કંઈક ગૃહસ્થના આચારના ધારક જે કારણથી અમે આવા Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના ૩૪૯ પ્રકારના છીએ તે કારણથી હું હે રાજન ! તેવા પ્રકારનો દુષ્કરકારક છું અર્થાતુ પોતાની પત્ની=રસનાને અકિંચિત્થર કરી. લોલતાને દૂર કરી. તેવા પ્રકારનો દુષ્કર કરનાર હું છું. આ રીતે વિવેકપૂર્વક પોતાની વાસ્તવિક સ્થિતિ બતાવીને મદ વગરના વિચક્ષણસૂરિને જોઈને નરવાહનરાજા વિચારે છે. અહો, ભગવાને પોતાના ચરિત્રના કથન દ્વારા મારો મોહ વિલય કર્યો. વળી કેવો સુંદર ભગવાનના વચનનો વિન્યાસ છે કે જેથી લેશ પણ અમે દુષ્કરકારક છે એવો અભિમાન ધારણ કરતા નથી. વળી કેવું વિવેકપૂર્વકનું તેમનું કથન છે, અને મારા ઉપર અનુગ્રહ કરનારા મહાત્મા છે. વળી, મહાત્માના કથનમાં રહેલા પરમાર્થ જોનારો હું થયો છું; કેમ કે મોહનાશ માટે સત્ત્વશાળી જીવો બાહ્ય કુટુંબનો ત્યાગ કરીને આવા જ અંતરંગ કુટુંબના બળથી સતત આત્મકલ્યાણ કરે છે તેમ મને મહાત્માના વચનથી બોધ થયો છે. તેથી જ રાજા મહાત્માને કહે છે, જેવા પ્રકારનું તમને અંતરંગ કુટુંબ પ્રાપ્ત થયું, તેવા પ્રકારનું અંતરંગ કુટુંબ અધન્ય એવા મારા જેવા પ્રાપ્ત કરી શકતા નથી. વળી જૈનપુરમાં રહેલા અને જૈનભાવલિંગમાં વર્તતા ભગવાનને આવો ગૃહસ્વધર્મ સુંદર છે. આથી જ અંતરંગ ક્ષયોપશમભાવના ગુણોને ધારણ કરીને ભગવાન મહાત્માએ અત્યંત દુર્જય એવી રસનાને અકિંચિત્કર કરી અને લોલનાને પણ દૂર કરી. અને મહામોહાદિ વર્ગને જીતીને જૈનપુરમાં સાધુ મધ્યમાં કુટુંબ સહિત= અંતરંગ કુટુંબ સહિત, તમે રહ્યા છો અને છતાં તમે દુષ્કરકારક નથી, તો જગતમાં અન્ય કોણ દુષ્કરકારક કહી શકાય. માટે પરમાર્થથી તમે જ દુષ્કરકારક છો. આ પ્રકારે મહાત્માના ગંભીર ભાવોને જાણીને નરવાહનરાજા કહે છે, જેઓને આવો ઉત્તમ વૃત્તાંત પ્રાપ્ત થયો છે તેઓ જ જગતમાં વંદ્ય છે એમ મને ભાસે છે. વળી, આ સર્વ સાધુઓને પણ આવો વૃત્તાંત પ્રાપ્ત થયો છે કે નહીં એ પ્રકારે રાજા પ્રશ્ન કરે છે, તેથી ફલિત થાય કે માત્ર વેશને જોઈને રાજા તેમને વંદ્ય સ્વીકારતો નથી. પરંતુ જે પ્રમાણે મોહને નિરાકરણ કરીને અંતરંગ કુટુંબ સહિત સૂરિ જૈનપુરમાં રહ્યા છે તેમ જો આ સાધુઓ હોય તો તે પણ વંદ્ય છે. આ પ્રકારે નરવાહનરાજાને સ્થિર નિર્ણય થાય છે. વળી, વિચક્ષણસૂરિ કહે છે. હે રાજા ! તને પણ આવો વૃત્તાંત પ્રાપ્ત થાય જો તું મારી જેમ ઉચિત યત્ન કરે. ત્યારપછી વિચક્ષણસૂરિ રાજાને કહે છે ક્ષણમાં હું તને વિવેકપર્વત બતાવું. તેથી તને સ્વયં જ આવું કુટુંબ પ્રાપ્ત થાય. અને જો તે વિવેકપર્વતને જોઈને તે અંતરંગ કુટુંબને તું સ્વીકાર કરીશ તો મહામોહાદિને સ્વયં જ જીતીશ, લોલતાને દૂર કરીશ અને આ ઉત્તમ સાધુઓની મધ્યમાં તું સુખપૂર્વક વિલાસ કરીશ. આ સાંભળીને રાજા વિચાર કરે છે. ભગવાને સ્પષ્ટ જ મને બે બાહુ દ્વારા ભવસમુદ્રને તરવાનો ઉપાય બતાવ્યો છે તેમ કહીને મારી યોગ્યતાને જાણીને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા માટે તું યોગ્ય છે એમ બતાવેલ છે. તેથી હર્ષિત થઈને રાજા દીક્ષા ગ્રહણ કરવાનો ચિત્તમાં નિર્ણય કરે છે. અને કહે છે કે હે મહારાજ ! જો મારામાં યોગ્યતા હોય તો હું તેવી દીક્ષા ગ્રહણ કરું. અથવા યોગ્યતાની વાત દૂર રહો. તમારા અનુગ્રહથી બધું મારું સુંદર થશે, માટે મને દીક્ષા આપો. વળી, સૂરિ રાજાને કહે છે મેં જે ગંભીર ભાવોનો અર્થ કહ્યો છે તેને યથાર્થ તે અવધારણ કર્યો છે. આથી જ દીક્ષા ગ્રહણ કરવાનો મહાન ઉત્સાહ તને થયો છે. વળી રાજાને ઉત્સાહિત કરવા અર્થે ભગવાન કહે છે જ્યારે ચિત્તવૃત્તિમાં મહામોહાદિ શત્રુઓ ઊઠતા હોય ત્યારે Page #359 -------------------------------------------------------------------------- ________________ ЗЧо ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેમનાથી રક્ષણ કરવા અર્થે જૈનસપુરનો કોણ આશ્રય ન કરે ? અર્થાત્ કોઈ બુદ્ધિમાન પુરુષ અવશ્ય જૈનપુરનો આશ્રય કરે. વળી દુઃખના સમૂહથી પૂર્ણ એવા ગૃહસ્થવાસમાં કોણ રહે ? અને સુખના સાગરરૂપ જૈનપુરમાં કોણ બુદ્ધિમાન વસે નહીં ? તેથી ફલિત થાય છે કે ભાગવતી દીક્ષા માત્ર પરલોક અર્થે નથી પરંતુ મોદાદિ શત્રુઓથી આત્માનું રક્ષણ કરીને તત્કાલ સુખ અર્થે છે. અને જેમ જેમ મોહાદિ નાશ પામશે તેમ તેમ સુખની પરંપરા પ્રાપ્ત થશે તેનું પ્રબલ દીક્ષા કારણ છે. માટે મહાભયવાળા એવા આ ગૃહવાસમાં બુદ્ધિમાને વસવું જોઈએ નહીં. આ રીતે મહાત્માનાં વચન સાંભળીને તોષ પામેલા રાજા વિચારે છે કે કોને રાજ્ય સોંપવું કે જેથી હું સંયમ ગ્રહણ કરી શકું ? તે વખતે રિપુદારણને ત્યાં ભિખારી અવસ્થા જેવો બેઠેલો જોઈને પિતાની દૃષ્ટિને કારણે કંઈક તેનો પુણ્યોદય જાગૃત થયો જેથી પિતાના ચિત્તમાં પશ્ચાત્તાપ થાય છે અને વિચારે છે કે આ રીતે પુત્રને મેં ઘરમાંથી કાઢ્યો તે ઉચિત કર્યું નહીં; કેમ કે વિષવૃક્ષ જેવો તે પુત્ર મેં મોટો કર્યો છે તેથી આ રીતે તેનો વિનાશ કરવો ઉચિત નથી. આ પ્રકારના માર્ગાનુસારી ઊહને કારણે રાજાના ચિત્તમાં અત્યંત નિર્મલ પશ્ચાત્તાપ થાય છે. ત્યારપછી દોષના પુંજ એવા પણ રિપુદારણને ઉત્તમ પુરુષો નિર્મળચિત્તથી જોનારા હોય છે અને પરોપકાર કરવા અર્થે યત્ન કરે છે. તેથી રિપુદારણને બોલાવીને રાજા પોતાના ખોળામાં બેસાડે છે અને સૂરિને પ્રશ્ન કરે છે કે આવા સુંદર કુળમાં જન્મેલ છતાં રિપુદારણે આવાં કૃત્યો કેમ કર્યા ? તેથી સૂરિ કહે છે – તેના મિત્ર માનકષાય અને મૃષાવાદનું આ કારણ છે. રાજા પૂછે છે – આ પાપમિત્રોનો ક્યારે રિપદારણને વિયોગ થશે ? તેથી સૂરિ કહે છે આ ભવમાં શક્ય નથી. પરંતુ ઘણાકાળ પછી તેને આ પાપમિત્રોનો વિયોગ પ્રાપ્ત થશે. તેથી ફલિત થાય છે કે કર્મ પ્રચુર હોય ત્યારે ઉત્તમ પુરુષોના વચનથી પણ રિપદારણને તે વચનો સ્પર્શતાં નથી. માત્ર મૂઢતાથી તે શ્રવણ કરે છે. मृदुतासत्यताप्राप्तौ शैलराजमषावादसंगत्यागसंभवः શ્લોક : कारणेन पुनर्येन, वियोगोऽस्य भविष्यति । भूरिकाले गते तत्ते, संप्रत्येव निवेदये ।।४१३।। મૃદુતા-સત્યતાની પ્રાપ્તિ થયે છતે શૈલરાજ-મૃષાવાદના સંગના ત્યાગનો સંભવ શ્લોકાર્ચ - વળી જે કારણથી આને રિપદારણના જીવને, ઘણો કાલ ગયે છતે વિયોગ થશે. તે તને હમણાં જ હું નિવેદન કરું છું. Il૪૧all Page #360 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના ૩૫૧ શ્લોક : शुद्धाभिसन्धिर्विख्यातो, नगरे शुभ्रमानसे । राजाऽस्ति तस्य द्वे भार्ये, वरतावर्यते किल ।।४१४ ।। શ્લોકાર્ચ - શુભમાનસ નામના નગરમાં શુદ્ધાભિસંધિ નામનો વિખ્યાત રાજા છે. તેની બે પત્ની વરતા અને વર્યતા છે. ll૧૪ શ્લોક : मृदुतासत्यते नाम, तस्य द्वे कन्यके शुभे । विद्यते भुवनानन्दकारिके चारुदर्शने ।।४१५ ।। શ્લોકાર્થ : તેની મૃદુતા અને સત્યતા નામની બે શુભ કન્યા વિદ્યમાન છે. જે ભુવનના આનંદને કરનારી, સુંદર દર્શનવાળી છે. ll૪૧૫ll શ્લોક : साक्षादमृतरूपे ते, ते सर्वसुखदायिके । अत्यन्तदुर्लभे भूप! मृदुतासत्यते जनैः ।।४१६।। શ્લોકાર્ધ : તેeતે બંને, સાક્ષાત્ અમૃત રૂપની ઉપમાવાળી છે. હે રાજા ! તેeતે બંને, સર્વ સુખને દેનારી લોકો વડે અત્યંત દુર્લભ મૃદુતા અને સત્યતા છે. ll૪૧૬ll શ્લોક : एवञ्च स्थितेकदाचिदेष ते कन्ये, लप्स्यते रिपुदारणः । तल्लाभे च वयस्याभ्यामाभ्यामेष वियोक्ष्यते ।।४१७ ।। શ્લોકાર્ય : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે ક્યારે આ રિપદારણ તે બે કન્યાને પ્રાપ્ત કરશે=ભવિષ્યમાં પ્રાપ્ત કરશે, અને તેના લાભમાં તે બે કન્યાના લાભમાં, આ બંને મિત્રોથી આકરિપુકારણ, વિયોગ પામશે. ll૪૧૭ી Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : યતઃगुणसन्दोहभूते ते, तथेमौ दोषपुञ्जको । तस्मात्ताभ्यां सहावस्था, नानयोभूप! पापयोः ।।४१८ ।। શ્લોકાર્ચ - જે કારણથી ગુણના સંદોહભૂત તે-તે બે કન્યા છે. તે પ્રમાણે આ શૈલરાજ અને મૃષાવાદ આ બે મિત્રો દોષના પુંજ છે. તેથી હે રાજા ! તેઓની સાથે તે બે કન્યા સાથે, આમનું આ બે પાપી મિત્રોનું સહ-અવસ્થાન નથી. ll૪૧૮ll શ્લોક : ततः प्रयोजनस्यास्य, कश्चिदन्यो विचिन्तकः । यत्तु तेऽभिमतं भूप! तदेवाचर साम्प्रतम् ।।४१९।। શ્લોકાર્ચ - તેથી આના પ્રયોજનનોકરિપુદારણને આ બે કન્યા આપવાના પ્રયોજનનો, કોઈ અન્ય વિચિંતક છે. વળી, હે રાજા! તને જે કહેવાયું તે જ હમણાં આચર=આ રિપદારણના પ્રયોજનની ચિંતા તું છોડી દે. પરંતુ તારા હિત અર્થે હમણાં જે કહ્યું તે પ્રવજ્યા ગ્રહણ કરવાનું તું આચરણ કર. ll૪૧૯ll શ્લોક : तत्श्रुत्वाऽचिन्तयद्राजा, स तदा नरवाहनः । अहो कष्टमहो कष्टं सूनोर्मम तपस्विनः ।।४२०।। શ્લોકાર્થ : તે સાંભળીને તે નરવાહનરાજાએ ત્યારે વિચાર્યું, અહો કષ્ટ છે, અહો મારા તપસ્વી પુત્રનું કષ્ટ છે. ll૪૨૦IL. શ્લોક : यस्येदृशौ रिपू नित्यं, पार्श्वस्थौ दुःखदायिनौ । अहो वराको नैवासौ, यथार्थो रिपुदारणः ।।४२१।। શ્લોકાર્થ : જેને આવા પ્રકારના બે શબ દુઃખને દેનારા સદા પાસે રહેલા છે. આ વરાક યથાર્થ રિપદારણ નથી. II૪૨૧II Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततः किं क्रियतामत्र? नैवास्त्यस्य प्रतिक्रिया । त्यक्तसङ्गोऽधुनाऽहं तत्करोमि हितमात्मने ।।४२२।। શ્લોકાર્ય : તેથી અહીં તે બે શત્રુના નિવારણમાં, શું કરાય ? અર્થાત્ કંઈ કરાય તેમ નથી. આની= રિપુદારણના શગુના નિવારણની, પ્રતિક્રિયા નથી જ. તે કારણથી હવે હું ત્યક્ત સંગવાળો આત્માના હિતને કરું. ll૪રરા શ્લોક : ततोऽभिषिच्य मां राज्ये, कृत्वा सर्वं यथोचितम् । विचक्षणगुरोः पार्श्वे, निष्क्रान्तो नरवाहनः ।।४२३।। શ્લોકાર્ધ : તેથી મને રાજ્ય ઉપર સ્થાપીને યથાઉચિત સર્વ કરીને વિચક્ષણ ગુરુ પાસે નરવાહનરાજાએ દીક્ષા ગ્રહણ કરી. II૪૨૩ll શ્લોક : તતविवेकशिखरस्थोऽपि, स विचक्षणसूरिणा । सार्धं बाह्येषु देशेषु, विजहार महामतिः ।।४२४।। શ્લોકાર્ચ - અને ત્યારપછી વિવેકશિખર ઉપર રહેલા મહામતિ એવા તે રાજાએ વિચક્ષણસૂરિ સાથે બાહ્ય દેશોમાં વિહાર કર્યો. ll૪૨૪ll तपनचक्रयागमे रिपुदारणस्य गर्वचेष्टा શ્લોક : ममाऽपि राज्ये संपन्ने, लब्धावसरसौष्ठवौ । शैलराजमृषावादी, नितरामभिवर्धितौ ।।४२५ ।। Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તપનચક્રવર્તીના આગમન કાલે રિપદારણની ચેષ્ટા ગર્વયુક્ત શ્લોકાર્ય : મને પણ રાજ્ય પ્રાપ્ત થયે છતે, અવસરનું સૌષ્ઠવ પ્રાપ્ત થયે છતે માન અને મૃષાવાદ અત્યંત વૃદ્ધિ પામ્યા. II૪૨૫ll શ્લોક : तृणतुल्यं जगत्सर्वं, पश्यामि सुतरां ततः । जलगण्डूषसंकाशमनृतं प्रतिभाति मे ।।४२६।। વં ૨षिगैरुत्प्रास्यमानस्य, निन्द्यमानस्य पण्डितैः । तुष्टस्य धूर्त्तवचनैरलीकैश्चाटुकर्मभिः ।।४२७ ।। पुण्योदयस्य माहात्म्याद्राज्यं पालयतो मम । गतानि कतिचिद् भद्रे! वर्षाणि किल लीलया ।।४२८ ।। શ્લોકાર્ચ - જગત સર્વને અત્યંત તૃણતુલ્ય હું જોઉં છું. મને અસત્ય પાણીના કોગળા તુલ્ય લાગે છે અને આ રીતે શિંગો વડે ઉદ્માસ્યમાન ખુશામતખોરો વડે પ્રશંસા કરાતા, પંડિતો વડે નિંદા કરાતા, ચાટુકર્મ કરનારાં જુઠ્ઠા ધૂર્ત વચનોથી તોષવાળા, પુણ્યોદયના માહાસ્યથી રાજ્યનું પાલન કરતા મને હે ભદ્ર અગૃહીતસંકેતા ! લીલાથી કેટલાંક વર્ષો પસાર થયાં. ll૪૨૧થી ૪૨૮II. શ્લોક : इतश्चोग्रप्रतापाज्ञः, सार्वभौमो द्विषंतपः । चक्रवर्ती तदा लोके, तपनो नाम भूपतिः ।।४२९।। શ્લોકાર્ય : અને આ બાજુ ઉગ્ર પ્રતાપવાળી આજ્ઞા છે જેની એવો, શત્રુને તપાવનાર તપન નામનો ચક્રવર્તી રાજા છે. ll૪૨૯ll શ્લોક : स सर्वबलसामग्र्या, महीदर्शनलीलया । भ्रमंस्तत्र समायातः, पुरे सिद्धार्थनामके ।।४३०।। Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩પપ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ततो विदिततद्वात्तैरहं मन्त्रिमहत्तमैः । हितकारितया प्रोक्तो, विज्ञातनृपनीतिभिः ।।४३१।। શ્લોકાર્ય : તે સર્વબલ સામગ્રીથી પૃથ્વીને જોવાની ઈચ્છાથી ભમતો તે સિદ્ધાર્થ નામના નગરમાં આવ્યો. ત્યારપછી જાણી છે તપન ચક્રવર્તીની વાત જેણે એવા વિજ્ઞાતરાજનીતિવાળા મંત્રી-મહત્તમો વડે હિતકારીપણાથી હું કહેવાયો. ૪૩૦-૪૩૧ી. શ્લોક : यदुतचक्रवर्ती जगज्ज्येष्ठस्तपनोऽयं महीपतिः । तदस्य क्रियतां देव! गत्वा सन्मानपूजनम् ।।४३२।। શ્લોકાર્ય : શું કહેવાયો ? તે “યતથી બતાવે છે – જગતયેષ્ઠ તપન નામનો આ ચક્રવર્તી રાજા છે. તે કારણથી હે દેવ ! રિપદારણ ! જઈને આનું–તપનરાજાનું, સભાન-પૂજન કરાવાય. II૪૩શા શ્લોક : पूज्योऽयं सर्वभूपानामर्चितस्तव पूर्वजैः । विशेषतो गृहायातः, साम्प्रतं मानमर्हति ।।४३३।। શ્લોકાર્ચ - સર્વ રાજાઓને પૂજ્ય એવો આ તપનચક્રવર્તી તારા પૂર્વજો વડે પૂજાયેલ છે. વિશેષથી ઘરે આવેલ તપનચક્રવર્તી હમણાં માનને યોગ્ય છે. ll૪૩ ll શ્લોક : अहं तु शैलराजेन, विधुरीकृतचेतनः । आध्मातस्तब्धसर्वाङ्गस्तानाभाषे तदेदृशम् ।।४३४।। શ્લોકાર્ય : વળી હું રિપદારણ, શેલરાજ વડે વિધુરીકૃત ચેતનાવાળો=કષાયથી વિહ્વળ ચેતનાવાળો, આબાતથી સ્તબ્ધ સર્વ અંગવાળો=માનકષાયના ઉન્માદથી અક્કડ થયેલાં સર્વ અંગવાળો, તેઓને=મંત્રી વગેરેને, ત્યારે આ પ્રકારે બોલ્યો. ૪૩૪ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यदुतअरे विमूढाः! को नाम, तपनोऽयं ममाग्रतः? । येनास्य पूजनं कुर्यामहं न पुनरेष मे ।।४३५ ।। શ્લોકાર્ચ - જે ‘યહુતીથી બતાવે છે – અરે વિમૂઢો ! મારી આગળ તપન નામવાળો આ કોણ છે ? જેના કારણે આનું હું પૂજન કરું, આ તપનચક્રવર્તી, મારું પૂજન ન કરે. ll૪૩૫ll तदाकर्ण्य मन्त्रिमहत्तमैरुक्तं-देव! मा मैवं वदतु देवः, अस्य हि पूजनमकुर्वता देवेन लघितः पूर्वपुरुषक्रमः, परित्यक्ता राजनीतिः, प्रलयं नीताः प्रकृतयः, समुज्झितं राज्यसुखं, परिहापितो विनयः, अपकर्णितमस्मद्वचनं भवति, तन्नैवं वदितुमर्हति देवः, क्रियतामस्माकमनुरोधेन तपनराजस्याभ्युद्गमनं देवेनेति वदन्तः पतिताः सर्वेऽपि मम चरणयोः । ततो मृदूभूतो मनाङ् मे शैलराजीयहृदयावलेपनावष्टम्भः केवलं संज्ञितोऽहं मृषावादेन । ततो मयाऽभिहितं-न ममाऽत्र क्षणे चित्तोत्साहः, तद् गच्छत यूयं, कुरुत यथोचितं, अहं तु पश्चादागमिष्यामि, दत्तास्थाने राजनि प्रवेक्ष्यामीति । ततो यदाज्ञापयति देव इति वदन्तो निर्गतास्तपनाभिमुखं मन्त्रिमहत्तमा राजलोकश्च, सन्ति च तस्य तपननृपतेविविधदेशभाषावेषवर्णस्वरभेदविज्ञानान्तर्धानविज्ञातारो बहवश्चरविशेषाः, ततः केनचिच्चरेण विदितोऽयं वृत्तान्तो निवेदितस्तपनाय । તેને સાંભળીને મંત્રી મહત્તમો વડે કહેવાયું. હે દેવ ! આ પ્રમાણે ન કહો. આ પ્રમાણે ન કહો. f= જે કારણથી, આના પૂજન નહીં કરતાં દેવ વડે પૂર્વ પુરુષનો ક્રમ ઉલ્લંઘન કરાયો=તમારા પિતાદાદાના આચારનું ઉલ્લંઘન કરાયું. રાજનીતિ ત્યાગ કરાઈ. પ્રકૃતિઓઃપ્રજા, પ્રલયને પ્રાપ્ત કરાઈ. રાજ્યસુખ ત્યાગ કરાયું. વિનયનો નાશ કરાયો. અમારું વચન=મંત્રીઓનું વચન, અવગણના કરાયેલું થાય છે. તે કારણથી દેવ=રિપુદારણ, આ રીતે કહેવા માટે યોગ્ય નથી. દેવ વડે અમારા અનુરોધથી તપતરાજાને સમુખ ગમન કરાય. એ પ્રમાણે બોલતા સર્વ પણ મારા ચરણમાં પડ્યા. તેથી શૈલરાજીય હદયના અવલેપનથી અષ્ટભુ=અક્કડ થયેલું, મારું હદય થોડુંક મૃદુ=કોમલ થયું. કેવલ મૃષાવાદથી હું સંજ્ઞા અપાયો. ત્યારપછી મારા વડે કહેવાયું. આ ક્ષણમાં મારા ચિત્તનો ઉત્સાહ નથી. તે કારણથી તમે જાવ. યથાઉચિત કરો. વળી હું પાછળથી આવીશ. ભરાયેલી સભાવાળા રાજા હોતે છતે હું પ્રવેશ કરીશ. ત્યારપછી દેવ=રિપુદારણ, જે આજ્ઞા કરે છે એ પ્રમાણે બોલતા તપનને અભિમુખ મંત્રી, મહતમો અને રાજલોક નીકળ્યા. અને તે તપતરાજાના વિવિધ દેશની ભાષા, વેશ, વર્ણ, સ્વરભેદ, વિજ્ઞાન, અંતર્ધાનને જાણનારા=અદશ્ય થવાની કળાને જાણનારા, ઘણા ચરવિશેષો છે. તેથી કોઈ ચર વડે આ વૃત્તાંત જણાયો અને તપનચક્રવર્તીને નિવેદન કરાયો. Page #366 -------------------------------------------------------------------------- ________________ 34 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ रिपुदारणादेशे तपनस्य स्वस्थता इतश्च मन्त्रिमहत्तमैर्विहिता तपनराजस्य प्रतिपत्तिरुपस्थापितानि महार्हप्राभृतानि समावर्जितं हृदयं, दत्तं चास्थानं तपननरेन्द्रेण, पृष्टा रिपुदारणवार्ता । मन्त्रिमहत्तमैरुक्तं-देव! देवपादप्रसादेन कुशली रिपुदारणः, समागच्छति चैष देवपादमूलमिति । ततो दत्ता ममाह्वायकाः, विजृम्भितौ शैलराजमृषावादौ, ततस्ते मयाऽभिहिताः यदुत રિપદારણના આદેશમાં તપન ચક્રવર્તીની સ્વસ્થતા અને આ બાજુ મંત્રી મહત્તમો વડે તપતરાજાની પ્રતિપત્તિ કરાઈ. કીમતી એવાં ભેટમાં સ્થાપન કરાયાં. હદય સમાવજિત કરાયું=ચક્રવર્તીનું હૃદય આવજિત કરાયું. અને તપતરાજા વડે આસ્થાન અપાયું. રિપુદારણની વાર્તા પુછાઈ. મંત્રી મહત્તમો વડે કહેવાયું – હે દેવ ! દેવપાદના પ્રસાદથીeતપતરાજાની કૃપાથી, રિપુદારણ કુશલ છે. અને આકરિપુદારણ, દેવપાદ પાસે=આપના ચરણ પાસે આવે છે. ત્યારપછી મને=રિપુદારણને, બોલાવનારા આવ્યા. શૈલરાજ અને મૃષાવાદ વિભ્રમિત થયા. તેથી भार। 43 तो वाया. शुं वाया ? ते 'यदुत'थी ४ छ - Pats : अरे वदत तान् गत्वा, सर्वान्मन्त्रिमहत्तमान् । यथा केनात्र प्रहिता यूयं, दुरात्मानो नराधमाः? ।।४३६ ।। सोडार्थ :__ मरे नेते सर्व मंत्रीमहत्तभोने हो. शुंseो ? ते 'यथा'थी 58 छ – मही=मारी पासे, डोना व हुशमा मेवा नराधमो तमे मोडतापाया छौ ? ||835|| ततो मया नागन्तव्यमेव, तूर्णमागच्छत यूयं, इतरथा नास्ति भवतां जीवितमिति । तदाकर्ण्य गतास्तत्समीपमाह्वायकाः, निवेदितं मन्त्रिमहत्तमानां मदीयवचनं, ततस्ते तत्रास्थाने सर्वे लोकाः सत्रासाः सोद्वेगा नष्टजीविताशाः परस्पराभिमुखमीक्षमाणा अहो रिपुदारणस्य मर्यादेति चिन्तयन्तः किमधुना कर्तव्यमिति विमूढाः सर्वेऽपि मदीयमन्त्रिमहत्तमाः लक्षितास्तपननरेन्द्रेण । ततोऽभिहितमनेनभो भो लोकाः! धीरा भवत, मा भैषुर्न दोषोऽयं भवतां प्रतीतं मे रिपुदारणस्य शीलं, ततोऽहं स्वयमेव तेन भलिष्यामि, केवलं भवद्भिरवस्तुनिर्बन्धपरैर्न भाव्यं, मोक्तव्यस्तस्योपरि स्वामिबहुमानः, नोचितोऽसौ राजलक्ष्म्याः न योग्यो युष्मद्विधपदातीनाम् । તેથી હું આવવાનો જ નથી. શીધ્ર તમે આવો. ઈતરથા તમારું જીવિત નથી. તે સાંભળીને=રિપુદારણનાં તે વચન સાંભળીને બોલાવનારા=રિપુદારણને બોલાવવા માટે આવેલા પુરુષો, તેની સમીપે ગયા=મંત્રી Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના મહત્તમો પાસે ગયા. મંત્રીમહત્તમોને મારું વચન નિવેદન કરાયું. તેથી=મહત્તમ પુરુષોને બોલાવનારા પુરુષોએ રિપદારણનાં વચનો કહ્યાં તેથી, ત્યાં આસ્થાનમાં–તપનરાજાની સભામાં, સર્વ લોકો સંત્રાસ પામ્યા. ઉદ્વેગવાળા થયા. નષ્ટજીવિત આશાવાળા થયા. પરસ્પર સન્મુખ જોતા અહો રિપુદારણની મર્યાદા એ પ્રમાણે વિચારતા હવે શું કરવું જોઈએ એ પ્રમાણે વિમૂઢ થયેલા સર્વ પણ મારા મંત્રીમહત્તમો તપતરાજા વડે જોવાયા. તેથીeતપતરાજા વડે મંત્રીઓની સ્થિતિ જોવાઈ તેથી, આવા વડે= તપતરાજા વડે, કહેવાયું – અરે લોકો ! ધીર થાવ. ભય પામો નહીં. તમારો આ દોષ નથી. મને રિપુદારણનું શીલ પ્રતીત છે. તેથી હું સ્વયં જ તેની સાથે ભલીશ=ઉચિત કૃત્યો તેની સાથે કરીશ. કેવલ અવસ્તુના નિબંધ પર એવા તમારા વડેઃખોટી વસ્તુના આગ્રહ પર એવા તમારા વડે, થવું જોઈએ નહીં. તેના ઉપર રિપુદારણ ઉપર, સ્વામીનું બહુમાન કરવું જોઈએ નહીં. આકરિપુદારણ, રાજલક્ષ્મીને ઉચિત નથી. તમારા જેવા પદાતિઓને યોગ્ય નથીeતમારા જેવા વિવેકી સેવકોને યોગ્ય નથી. શ્લોક : तथाहि शुभ्ररूपाणां, रतानां शुद्धमानसे । न जातु राजहंसानां, काको भवति नायकः ।।४३७।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – શુદ્ધ માનસ સરોવરમાં રક્ત શુભ્રરૂપવાળા એવા રાજહંસોનો નાયક કાગડો ક્યારેય થતો નથી. II૪૩૭TI तन्मुञ्चत सर्वथा तस्योपरि स्नेहभावं, ततो मयि विरक्तत्वात्तेषामभिहितं सर्वैरपियदाज्ञापयति તેવા રૂતિ ! તે કારણથી સર્વથા તેના ઉપર=રિપુદારણરૂપ સ્વામી ઉપર, સર્વથા સ્નેહભાવને તમે મૂકો. તેથી આ પ્રમાણે તપનનરેન્દ્રએ મંત્રીઓને કહ્યું તેથી, તેઓનું મારામાં વિરક્તપણું હોવાને કારણે સર્વ વડે પણ કહેવાયું. દેવ જે આજ્ઞા કરે છે–તપનનરેન્દ્ર જે આજ્ઞા કરે છે. योगेश्वरकृतरिपुदारणदुरवस्था ततोऽभिहितस्तपनराजेन योगेश्वरनामा तन्त्रवादी कणे, यदुत-गत्वा तस्येदमिदं कुरुष्वेति । योगेश्वरेणोक्तं यदाज्ञापयति देवः, ततः समागतो मत्समीपे सह भूरिराजपुरुषैोगेश्वरः, दृष्टोऽहं कृतावष्टम्भः शैलराजेन, समालिङ्गितो मृषावादेन, परिवेष्टितश्चोत्प्रासनपरैर्बहिरगैः षिङ्गलोकैः । ततः पुरतः स्थित्वा तेन योगेश्वरेण तन्त्रवादिना प्रहतोऽहं मुखे योगचूर्णमुष्ट्या, ततोऽचिन्त्यतया मणिमन्त्रौषधीनां प्रभावस्य, तस्मिन्नेव क्षणे संजातो मे प्रकृतिविपर्ययः, संपन्नं शून्यमिव हृदयं, प्रतिभान्ति विपरीता इवेन्द्रियार्थाः, क्षिप्त इव महागह्वरे न जानाम्यात्मस्वरूपं, तपनसत्कोऽयं योगेश्वर इति भीतो मदीयः परिवारः, स्थितः किंकर्तव्यतामूढो, मोहितश्च तेन योगशक्त्या । ततो विहितभृकुटिना Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૫૯ आः पाप! दुरात्मन्! नागच्छसि त्वं देवपादमूलमिति वदता ताडितोऽहं वेत्रलतया योगेश्वरेण संपन्न मे भयं गतो दैन्यं पतितस्तच्चरणयोः । अत्रान्तरे नष्टोऽसौ मद्वयस्यः पुण्योदयः, तिरोभूतौ शैलराजमृषावादौ, ततः संज्ञिता योगेश्वरेणात्ममनुष्यकाः, ततोऽहं क्षणेनैव संजातोन्मादो वेदयमानस्तीव्रमन्तस्तापं विहितस्तैः पुरुषैः यथाजातः, कृतः पञ्चजटो, विलिप्तो भूत्या, चर्चितो मषिपुण्ड्रकैः, प्रवृत्तास्ते तालारवं कर्तुं समवतारितोऽहं रासमध्ये । ततो मां नाटयन्तः प्रारब्धास्ते मनुष्यास्त्रितालकं रासं વુિં, થ? યોગેશ્વર નામના તંત્રવાદી દ્વારા કરાયેલ રિપુદારણની ખરાબ અવસ્થા ત્યારપછી તમનરાજા વડે યોગેશ્વર નામનો તંત્રવાદી કાનમાં કહેવાયો. શું કીધું? તે “કુતથી કહે છે – જઈને=રિપુદાર પાસે જઈને, તેનું=રિપુદારણનું, આ આ તું કર. આ આ શબ્દથી જે આગળ કહેશે તે સર્વનો સંગ્રહ છે. યોગેશ્વર વડે કહેવાયું. દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી મારી સમીપે ઘણા રાજપુરુષો સાથે યોગેશ્વર આવ્યો. શૈલરાજ વડે=માનકષાય વડે, કરાયેલા અવષ્ટમ્ભવાળો મૃષાવાદથી સમાલિંગિત અને ઉત્પાસનપર એવા બહિરંગ પિંગલોકો વડે ઘેરાયેલો અર્થાત્ ખુશામતખોર લોકોથી ઘેરાયેલો એવો હું યોગેશ્વર વડે જોવાયોકરિપુદારણ જોવાયો. ત્યારપછી આગળ રહીને=રિપુદારણની આગળમાં રહીને, તંત્રવાદી એવા તે યોગેશ્વર વડે હું=રિપુદારણ, મુખ વિષે યોગચૂર્ણ મુષ્ટિથી હણાયો. તેથી યોગેશ્વરે ચૂર્ણની મુષ્ટિ મારા મુખમાં નાંખી તેથી, મણિમંત્રઔષધના પ્રભાવનું અચિંત્યપણું હોવાથી તે જ ક્ષણમાં મારી પ્રકૃતિનો વિપર્યય થયો. હદય શૂલ્ય જેવું પ્રાપ્ત થયું. ઇન્દ્રિયના અર્થો વિપરીત જેવા ભાસે છે. મોટા ખાડામાં ફેંકાયેલાની જેમ આત્મસ્વરૂપને જાણતો નથી. તપન સંબંધી આ યોગેશ્વર છે એથી મારો પરિવાર ભય પામ્યો. કિંકર્તવ્યતાથી મૂઢ રહ્યો શું કરવું જોઈએ તે વિચારી ન શકે તેવી સ્થિતિમાં રહ્યો. તેના વડે યોગેશ્વર વડે, યોગશક્તિથી મોહિત કરાયો. ત્યારપછી કરાયેલી ભૃકુટિવાળા એવા યોગેશ્વર વડે હે પાપી ! દુરાત્મન્ ! દેવપાદમૂલમાં તું આવતો નથી-તપતરાજાની પાસે આવતો નથી એ પ્રમાણે બોલતા યોગેશ્વર વડે વેત્રવતા વડે નિર્ભયપણાથી હું તાડન કરાયો. મને ભય થયો. દૈત્યને પામ્યો. તેના ચરણમાં પડ્યો. એટલામાં મારો આ મિત્ર પુણ્યોદય નાશ પામ્યો. માનકષાય અને મૃષાવાદ તિરોધાન પામ્યા. ત્યારપછી યોગેશ્વર વડે પોતાના મનુષ્યો સંજ્ઞા કરાયા. તેથી હું ક્ષણમાં જ થયેલા ઉન્માદવાળો તીવ્ર અંતઃસ્તાપને વંદન કરતો તે પુરુષો વડે યથાજાત=લગ્ન કરાયો. પાંચ જટાવાળો કરાયો. ભૂતિ વડે=રાખ વડે વિલેપ કરાયો. મશીનાં તિલકો વડે ચર્ચિત કરાયો. તેઓ તાલાર કરવા માટે પ્રવૃત્ત થયા. હું રાસ લેનારાની મધ્યમાં લઈ જવાયો. ત્યારપછી મને નચાવતા તે મનુષ્યો ત્રણ તાલીવાળા રાસ આપતા પ્રારબ્ધ થયા. કેવી રીતે ? – શ્લોક : यो हि गर्वमविवेकभरेण करिष्यते, बाधकं च जगतामनृतं च वदिष्यते । Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ नूनमत्र भव एव स तीव्रविडम्बना, प्राप्नुवीत निजपापभरेण भृशं जनः ।।४३८ ।। ध्रुवकः ।। શ્લોકાર્ચ - જે અવિવેક ભરાવાથી ગર્વને કરશે અને જગતને બાધક એવું અનૃત=અસત્ય, બોલશે, ખરેખર ઍ આ ભવમાં જ તે જન પોતાના પાપના ભરાવાથી તીવ્ર વિડંબનાને પ્રાપ્ત કરાય. ll૪૩૮ll एवं च सोल्लासमुद्गायन्तस्ते वल्गमानाः कुण्डकमध्ये मां कृत्वा विजृम्भितुं प्रवृत्ताः, ततोऽहं पतामि तेषां प्रत्येकं पादेषु, नृत्यामि हास्यकरं जनानां, समुल्लसामि तेषूल्लसमानेषु, ददामि च तालाः, ततस्तैरभिहितम् આ રીતે સઉલ્લાસ ગાતા અને કૂદતા એવા તેઓ કુંડલાના મધ્યમાં મને કરીને બોલવામાં પ્રવૃત્ત થયા. ત્યારપછી હું તેઓના પ્રત્યેકના પગોમાં પડું છું. લોકોના હાસ્યકર નૃત્ય કરું છું. તે વાચનારા ઉલ્લસમાન હોતે છતે હું ઉલ્લાસવાળો થાઉં છું અને તાળીઓ આપું છું. ત્યારપછી તેઓ વડે કહેવાયું – શ્લોક : पश्यतेह भव एव जनाः कुतूहलं, शैलराजवरमित्रविलासकृतं फलम् । यः पुरैष गुरुदेवगणानपि नो नतः, सोऽद्य दासचरणेषु नतो रिपुदारणः ।।४३९ ।। શ્લોકાર્થ : આ ભવમાં જ લોકો શૈલરાજ નામના વરમિત્રના વિકાસકૃત ફલવાળા કુતૂહલને તમે જુઓ. જે આ પૂર્વમાં ગુરુદેવ-ગણોને પણ નમ્યો નથી તે રિપદારણ આજે દાસના ચરણોમાં નમેલો છે. ll૪૩૯ll पुनर्बुवकः-'यो हि गर्वमविवेकभरेण करिष्यत'......इत्यादि । ततो ममापि मुखं स्फुटित्वेदमागतं યત – વળી ઘુવક છે=આ બીજું પણ સતત બોલે છે. “અવિવેકના ભરાવાથી જે વળી ગર્વતે કરશે” ઇત્યાદિથી શ્લોક-૪૩૮ના શેષ અંશનું ગ્રહણ છે. તે દાસગણ ફરી ફરી બોલી રહ્યા છે. ત્યારપછી મારા પણ મુખમાં પ્રગટ થઈને આ આવ્યું. શું આવ્યું ? તે “દુતથી બતાવે છે – બ્લોક : शैलराजवशवर्तितया निखिले जने, हिण्डितोऽहमनृतेन वृथा किल पण्डितः । मारिता च जननी हि तथा नरसुन्दरी, तेन पापचरितस्य ममात्र विडम्बनम् ।।४४०।। Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : શૈલરાજવશવર્તિપણાથી નિખિલ જનમાં ભટકતો હું અમૃત વડે ખરેખર વૃથા પંડિત છું. અને માતા તથા નરસુંદરી=મારી માતા તથા પત્ની એવી નરસુંદરી ! મારી નંખાઈ. તે કારણથી પાપ ચરિત્રવાળા એવા મને અહીં વિડંબન છે. ll૪૪oll પુનર્જુવ:–‘વો દિ સર્વવિવેમરેજ રિત'..ત્યાદિ ! ततो रासदायकाः प्रोक्ता विदितपूर्ववृत्तान्तेन योगेश्वरेण-अरे रे एवं गायत, इदं च कुरुत । ફરી ધ્રુવક રિપુદારણ બોલે છે. શું બોલે છે ? તે કહે છે – “અવિવેકભર ગર્વને જે કરશે” ઇત્યાદિ શ્લોક-૪૩૮ પૂર્ણધુવક રિપદારણ બોલે છે. વિદિત પૂર્વવૃત્તાંતવાળા યોગેશ્વર વડે રાસદાયકો=રાસ આપનારાઓ કહેવાયા. અરે ! આ પ્રમાણે ગાવ, અને આ કરો. શ્લોક : योऽत्र जन्ममतिदायिगुरूनवमन्यते, सोऽत्र दासचरणाग्रतलैरपि हन्यते । यस्त्वलीकवचनेन जनानुपतापयेत्, तस्य तपननृप इत्युचितानि विधापयेत् ।।४४१।। શ્લોકાર્થ : જે અહીં=આ મનુષ્યભવમાં, જન્મ અને મતિદાયી ગુરુની અવગણના કરે છે, તે અહીં આ જન્મમાં દાસચરણના અગ્રના તલથી પણ હણાય છે. વળી જે જૂઠા વચનથી પણ લોકોને અનુતાપન કરે છે તેને તપનરાજા આ પ્રકારના ઉચિતોને કરાવે છે. ll૪૪૧૫ પુનÉવવી –‘વો દિ પર્વવિવેમUT વરિષ્યતિ'. ...રૂત્યાદિ .. ततश्चेदं गायन्तस्ते गाढं पार्णिप्रहारैर्मी निर्दयं चूर्णयितुं प्रवृत्ताः, ततो निबिडलोहपिण्डैरिव समकालं निपतद्भिरेतावद्भिः पादैर्दलितं मे शरीरं विमूढा गाढतरं मे चेतना, तथापि ते राजपुरुषा नरकपाला इव मम कुण्डकानिःसारमयच्छन्तस्तथैवोल्ललमाना मां बलादाखेटयन्तस्त्रितालकं रासं ददमाना एव प्राप्तास्तपननरेन्द्रास्थानं, दर्शितं तत्र विशेषतस्तत्प्रेक्षणकं, प्रवृत्तं प्रहसनं, ईदृशस्यैव योग्योऽयं दुरात्मेति संजातो जनवादः । ततो योगेश्वरेण रासकदायकमध्ये स्थित्वाऽभिहितं यथा ફરી ધ્રુવ બોલે છે – “જે હિ ગઈ” ઇત્યાદિ શ્લોક-૪૩૮ને બોલે છે. અને ત્યારપછી આ પ્રમાણે ગાતા એવા તેઓ ગાઢ પાર્ણીના પ્રહારથી એડીના પ્રહારથી, નિર્દય મને પૂર્ણ કરવા પ્રવૃત્ત થયા. તેથી નિબિડ એવા લોહપિંડોની જેમ સમકાલ પડતા એવા આટલા પાદો વડે મારું શરીર દલિત કરાયું. મારી ચેતના ગાઢતર વિમૂઢ થઈ. તોપણ તરકપાલના જેવા તે રાજપુરુષો મને કુંડકથી Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ નિઃસારને નહીં ઈચ્છતા, તે પ્રમાણે જ બોલતા મને બલાત્કારે આખેટત કરતા, ત્રિતાલક રાસને આપતા તપનનરેન્દ્રની સભાને પ્રાપ્ત થયા. ત્યાં તપતરાજાની સભામાં, વિશેષથી તેનું પ્રેક્ષણક બતાવાયું. પ્રહસન પ્રવૃત્ત થયું. આ દુરાત્મા આવાને યોગ્ય જ છે એ પ્રમાણે જમવાદ થયો. ત્યારપછી યોગેશ્વરે રાસદાયક મધ્યમાં જઈને કહે છે. શું કહેવાયું ? તે ‘ાથા'થી કહે છે – શ્લોક : नो नतोऽसि पितृदेवगणं न च मातरं, किं हतोऽसि? रिपुदारण! पश्यसि कातरम् । नृत्य नृत्य विहिताहति देवपुरोऽधुना, निपत निपत चरणेषु च सर्वमहीभुजाम् ।।४४२।। શ્લોકાર્ચ - તુંરિપુદારણ, પિતૃદેવગણોને નમ્યો નથી અને માતાને નમ્યો નથી. શું હણાયો છે ? હે રિપુકારણ ! કાયરતાને તું જુએ છે. વિહિત છે આહતિ જેને એવો તું જેને બધાએ માર્યો છે એવો તું રિપુદારણ, દેવની આગળ નાચ નાચ અને સર્વ રાજાઓના ચરણમાં પડ પs. I૪રા. પુનર્જીવન:- વો દિ સર્વવિવેકમરે વરિષ્યતિ'....... ततोऽहमुन्मादवशेन जीवितभयेन च दैन्यमुररीकृत्य नाटितोऽनेकधा, पतितोऽन्त्यजानामपि चरणेष, संजातश्चावस्तुभूतः, तपननरेन्द्रेण तु मदीय एव कनिष्ठो भ्राता कुलभूषणो नामाभिषेचितः सिद्धार्थपुरे રાત્રે ! ફરી ધ્રુવક છે=આ પ્રમાણે યોગેશ્વર ગાય છે – “જે આ ગર્વ અવિવેકભર કરશે” ઈત્યાદિ શ્લોક-૪૩૮ને બોલે છે. ત્યારપછી હું–રિપુકારણ, ઉન્માદના વશથી અને જીવિતતા ભયથી દેવ્યને આશ્રયીને અનેક વખત રચાવાયો-તે યોગેશ્વર વડે હું તચાવાયો. અંત્યજોતા પણ=હલકા કુળવાળાઓના ચરણોમાં પણ પડ્યો. અવસુભૂત થયો=જડ થઈને પડ્યો. તપતરાજા વડે મારો જ કનિષ્ઠ ભાઈ નામથી કુલભૂષણ સિદ્ધાર્થપુર રાજ્યમાં અભિષેક કરાયો. रिपुदारणस्य भवान्तरसङ्क्रमः ततो भद्रेऽगहीतसङकेते! तथा तैर्गाढपाणिप्रहारैर्जर्जरितशरीरस्य मे निपतितमुदरे रक्तं, संजातः सन्तापातिरेकः, ततो जीर्णा मे सैकभववेद्या गुटिका, दत्ता च ममान्या गुटिका भवितव्यतया, तन्माहात्म्येन गतोऽहं तस्यां पापिष्ठनिवासायां नगर्यां महातमःप्रभाभिधाने पाटके, समुत्पन्नः पापिष्ठकुलपुत्रकरूपः, स्थितस्तत्रैव त्रयस्त्रिंशत्सागरोपमाणि कन्दुकवदुल्ललमानोऽधस्तादुपरि च वज्रकण्टकैस्तुद्यमानः तदित्थमवगाहितो मयाऽतितीव्रतरदुःखसागरः । ततस्तत्पर्यन्ते जीर्णायां पूर्वदत्तगुटिकायां Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ दत्ता ममान्या गुटिका भवितव्यतया, तत्तेजसा समागतोऽहं पञ्चाक्षपशुसंस्थाने नगरे । दर्शितस्तत्र जम्बुकाकारधारको भवितव्यतया । एवं च भद्रेऽगृहीतसङ्केते! केलिपरतया तया निजभार्यया भवितव्यतया तस्यां पापिष्ठनिवासायां नगर्यामुपर्युपरि स्थितेषु सप्तसु पाटकेषु तथा पञ्चाक्षपशुसंस्थाने विकलाक्षनिवासे मनुजगतो, किं बहुना? तदसंव्यवहारनगरं विहायापरेषु प्रायेण सर्वस्थानेषु, जीर्णायां जीर्णायां तस्यामेकभववेद्याभिधानायां कर्मपरिणाममहाराजसमर्पितायां गुटिकायां पुनरपरापरां गुटिका योजयन्त्या अरघट्टघटीयन्त्रन्यायेन भ्रामितोऽहमनन्तं कालं प्रतिस्थानमनन्तवाराः, सर्वस्थानेषु च पर्यटतो मे जघन्या जातिर्निन्दितं कुलं, अत्यन्तहीनं बलं, गर्हितं रूपं, निन्द्यं तपश्चरणं, आजन्म दारिद्र्यं सततं च मूर्खता, अलाभसन्तापदारुणं याचकत्वं, सकलजनानिष्टत्वं च गुटिकाप्रयोगेणैव प्रकटितं भवितव्यतया, तथा जिह्वोत्पाटनं, तप्तताम्रपानं, मूकत्वं, मन्मनत्वं, जिह्वोच्छेदमित्यादि च विधापितवती । રિપદારણનું ભવાંતરમાં સંક્રમણ ત્યારપછી હે ભદ્રે ! અગૃહતસંકેતા ! તેઓ વડેeતે મનુષ્યો વડે, ગાઢ એડીના પ્રહારોથી જર્જરિત શરીરવાળા એવા મારા ઉદરમાં રક્ત પડ્યું. સંતાપનો અતિરેક થયો. ત્યારપછી તે એક ભવવેદ્ય ગુટિકાઆયુષ્યરૂપી ગુટિકા, જીર્ણ થઈ, મને અન્ય ગુટિકા ભવિતવ્યતા વડે અપાઈ=અન્ય ભવનું આયુષ્ય ભવિતવ્યતા વડે મને પ્રાપ્ત થયું. તેના માહાભ્યથી=અન્ય ભવના આયુષ્યના માહાભ્યથી, હું તે પાપિષ્ઠનિવાસ નામની નગરીના મહાતમ નામના વાડામાં ગયો. પાપિષ્ઠ કુલપુત્રરૂપ ઉત્પન્ન થયો= સાતમી નરકમાં રહેલા જે પાપિષ્ઠ જીવો હતા તેઓના સમાન કુલવાળા પુત્રરૂપે હું જળ્યો. ત્યાં જ તેત્રીસ સાગરોપમો દડાની જેમ ઊછળતો ઉપર-નીચે પડતો વજકંટકોથી પીડાતો રહ્યો. તે કારણથી આ રીતે=માન અને મૃષાવાદને વશ થઈને હું નરકમાં ગયો તે કારણથી આ રીતે, મારા વડે અતિ તીવ્રતર દુઃખનો પૂર્ણ સાગર પસાર કરાયો. ત્યારપછી તરક આયુષ્ય પૂર્ણ થયું ત્યારપછી, તેના પર્યતમાં સરકતા આયુષ્યના અંતે, પૂર્વદર ગુટિકા જીર્ણ થયે છતે=ભવિતવ્યતા વડે અપાયેલ આયુષ્યરૂપી ગુટિકા જીર્ણ થયે છતે, મને અન્ય ગુટિકા=અન્ય આયુષ્યરૂપી ગુટિકા અપાઈ. તેના તેજથીeતે આયુષ્યરૂપી ગુટિકાના તેજથી, હું પંચાક્ષપશુસંસ્થાન નગરમાં આવ્યો. ત્યાં જંબુક આકાર ધારણ કરનાર ભવિતવ્યતા વડે બતાવાયો. અને આ રીતે=મને નવી નવી ગુટિકા આપીને શિયાળ બનાવ્યો એ રીતે, હે ભદ્રે ! અગૃહીતસંકેતા ! કેલિપર એવી તે મારી ભાર્યા ભવિતવ્યતા વડે તે પાપિક્ઝનિવાસ નગરીમાં ઉપર ઉપર રહેલા સાતેય પાડાઓમાં અને પંચાક્ષપશુસંસ્થાનમાં વિકલાક્ષનિવાસમાં, એકાક્ષતિવાસમાં મનુષ્યગતિમાં અનંતીવખત હું ભમાવાયો. વધારે શું કહું? તે અસંવ્યવહાર તગરને છોડીને અપરપ્રાયઃ સર્વ સ્થાનોમાં જીર્ણ જીર્ણ તે એક ભવવેદ નામની કર્મપરિણામ રાજાની સમર્પિત ગુટિકા હોતે છતે ફરી અપર અપર ગુટિકાને યોજન કરતી એવી ભવિતવ્યતા વડે અરઘટ્યઘટીયંત્ર વ્યાયથી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ હું અનંતકાલ પ્રતિસ્થાન અનંતવાર ભમાવાયો. અને સર્વ સ્થાનમાં ભટકતા મારી જઘન્ય જાતિ, નિંદિત કુલ, અત્યંત હીરબલ, ગહિત રૂ૫, સિંઘ તપ-ચારિત્ર, જન્મથી દારિદ્રય, સતત મૂર્ખતા, અલાભ અને સંતાપથી દારુણ યાચકપણું અને સકલ લોકમાં અનિષ્ટપણું ગુટિકાના પ્રયોગથી જ ભવિતવ્યતા વડે પ્રગટ કરાયું. અને જિલ્લાઉત્પાટન, તપ્તતામ્રપાન, મૂકપણું, બોબડાપણું, જીભના છેદ ઈત્યાદિ કરતી હતી ભવિતવ્યતા કરતી હતી. __ उपसंहारः एवं च वदति संसारिजीवे प्रज्ञाविशालया चिन्तितं अहो मानमृषावादयोर्दारुणता, तथाहितद्वशवर्तिनाऽनेन संसारिजीवेन हारितो मनुष्यभवः, प्राप्तास्तत्रैव नानाविडम्बनाः, अवगाहितोऽनन्तः संसारसागरोऽनुभूतानि विविधदुःखानि, प्राप्तानि गर्हितानि जात्यादीनीति । संसारिजीवः प्राह-ततोऽन्यदा दर्शितोऽहं भवचक्रपुरे मनुष्यरूपतया, संजाता मे तत्र मध्यमगुणता ततस्तुष्टा ममोपरि भवितव्यता, आविर्भावितस्तया पुनरपि स सहचरो मे पुण्योदयः । ततोऽभिहितमनया-आर्यपुत्र! गन्तव्यं मनुजगतौ भवता वर्धमानपुरे, स्थातव्यं तत्र यथासुखासिकया, अयं च तवानुचरः पुण्योदयो भविष्यति । मयाऽभिहितं-यदाज्ञापयति देवी । ततो जीर्णायां प्राचीनगुटिकायां दत्ता पुनरेकभववेद्या सा ममापरा गुटिका भवितव्यतयेति । ઉપસંહાર આ રીતે સંસારી જીવે કહે છતે પ્રજ્ઞાવિશાલા વડે વિચારાયું. અહો ! માનમૃષાવાદની દાણતા. તે આ પ્રમાણે – તેના વશવર્તી એવા આ સંસારી જીવ વડે મામૃષાવાદના વશવર્તી એવા રિપુદારણના ભવમાં વર્તતા એવા સંસારી જીવ વડે, મનુષ્યભવ નિષ્ફળ કરાયો. ત્યાં જ=મનુષ્યભવમાં, અનેક પ્રકારની વિડંબના પ્રાપ્ત કરાઈ. અનંત સંસારસાગર અવગાહત કરાયો. વિવિધ પ્રકારનાં દુઃખો અનુભવ કરાયાં. ગહિત જાતિ આદિ પ્રાપ્ત કરાયાં=હલકી જાતિઓ, હલકાં કુળો, કુત્સિત રૂપો આદિ પ્રાપ્ત કરાયાં. સંસારી જીવ કહે છે – ત્યારપછી અચૂદા હું ભવચક્રપુરમાં મનુષ્યરૂપપણાથી દેખાડાયો= ભવિતવ્યતા વડે દેખાડાયો. ત્યાં=મનુષ્યપણામાં, મને મધ્યમ ગુણતા પ્રાપ્ત થઈ. તેથી=મધ્યમ-ગુણતા પ્રાપ્ત થઈ તેથી, મારી ઉપર ભવિતવ્યતા તુષ્ટ થઈ. તેણી વડે=ભવિતવ્યતા વડે, ફરી પણ મારો તે પુણ્યોદય સહચર આવિર્ભાવ કરાયો. ત્યારપછી આવા વડે=ભવિતવ્યતા વડે કહેવાયું - હે આર્યપુત્ર ! તારા વડે મનુષ્યગતિમાં વર્ધમાનપુરમાં જવું જોઈએ. ત્યાં વર્ધમાનપુરમાં યથાસુખાસિકાથી રહેવું જોઈએ તને સુખ ઉપજે એ પ્રકારે રહેવું જોઈએ. આ તારો અનુચર પુગ્યોદય થશે. મારા વડે કહેવાયું=સંસારી જીવ વડે કહેવાયું – દેવી=ભવિતવ્યતા, જે આજ્ઞા કરે છે. ત્યારપછી પ્રાચીન ગુટિકા જીર્ણ થયે છતે ફરી એકભવવેદ્ય તે અપર ગુટિકા મતે ભવિતવ્યતા વડે અપાઈ. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : भवगहनमनन्तं पर्यटद्भिः कथञ्चिन्नरभवमतिरम्यं प्राप्य भो भो मनुष्याः!। निरुपमसुखहेतावादरः संविधेयो, न पुनरिह भवद्भिर्मानजिह्वाऽनृतेषु ।।४४३।। શ્લોકાર્ય : અનંતભવગહનને ભટકતા જીવ વડે કોઈક રીતે અતિ રમ્ય એવા નરભવને પ્રાપ્ત કરીને હે હે મનુષ્યો! નિરુપમ સુખના હેતુમાં આદર કરવો જોઈએ. વળી અહીં મનુષ્યભવમાં, માન, જિલ્વેન્દ્રિય અને અનૃતમાં પ્રયત્ન કરવો જોઈએ નહીં. ll૪૪all શ્લોક : इतरथा बहुदुःखशतैर्हता, मनुजभूमिषु लब्धविडम्बनाः । मदरसानृतगृद्धिपरायणा, ननु भविष्यथ दुर्गतिगामुकाः ।।४४४।। શ્લોકાર્ય : ઈતરથા=નિરુપમ સુખના હેતુમાં આદર ન કરવામાં અને માનાદિ ભાવોમાં યત્ન કરવામાં આવે તો, સેંકડો દુઃખોથી હણાયેલા, મનુષ્યભૂમિઓમાં પ્રાપ્ત થયેલી વિડંબનાવાળા, મદ=માન, રસનેન્દ્રિય અને મૃષાવાદની ગૃદ્ધિમાં પરાયણ એવા તમે દુર્ગતિગામી થશો. ll૪૪૪ll શ્લોક : एतनिवेदितमिह प्रकटं मया भो!, मध्यस्थभावमवलम्ब्य विशुद्धचित्ताः । मानानृते रसनया सह संविहाय, तस्माज्जिनेन्द्रमतलम्पटतां कुरुध्वम् ।।४४५।। શ્લોકાર્ચ - અહીં=પ્રસ્તુત પ્રસ્તાવમાં, પ્રગટ આ મારા વડેકસિદ્ધર્ષિગાણ વડે, નિવેદન કરાયું છે. હે સંસારી જીવો ! મધ્યસ્થભાવનું અવલંબન લઈને વિશુદ્ધ ચિત્તવાળા રસના સહિત માન અને મૃષાવાદનો ત્યાગ કરીને તેનાથી જિનેન્દ્રમતની લંપટતાને કરો. ll૪૪પી. इति श्रीमत् सिद्धर्षिसाधुविरचितायां उपमितिभवप्रपञ्चायां कथायां मानमृषावादरसनेन्द्रियविपाकवर्णनस्तुरीयः प्रस्तावः समाप्तः ।।४।। એ પ્રમાણે ઉપમિતિભવપ્રપંચકથામાં માન, મૃષાવાદ અને રસનેન્દ્રિય વિપાકના વર્ણન રૂ૫ ચોથો પ્રસ્તાવ પૂરો થયો. ભાવાર્થ નરવાહનરાજા વિચક્ષણસૂરિને પૂછે છે કે રિપુદારણને ક્યારે માનકષાય અને મૃષાવાદનો વિયોગ થશે ? તેનો ઉત્તર આપતાં વિચક્ષણસૂરિ અંતરંગ નગરનું વર્ણન કરે છે અને કહે છે – ઘણા ભવ પછી જ્યારે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ રિપુદારણ મૃદુતા અને સત્યતા નામની કન્યાને પરણશે ત્યારે તે બેનો વિયોગ પ્રાપ્ત થશે. તે કન્યા અંતરંગ ક્યાં વર્તે છે ? તે બતાવવા અર્થે કહે છે – જે જીવનું શુભ્ર માનસ થાય છે તે જીવના ચિત્તમાં શુભઅભિસંધિ પ્રગટે છે. જેમ કોઈ જીવને સ્વાભાવિક રીતે જ તત્ત્વને જોવાની નિર્મળ મતિ પ્રગટ થઈ હોય તે શુભ માનસની પ્રાપ્તિ છે. ત્યારપછી યોગ્ય ઉપદેશક આદિ પાસે જઈને તત્ત્વ જાણવાનો યત્ન કરે તે શુદ્ધ અભિસંધિ છે. ત્યારપછી તત્ત્વનો નિર્ણય કરવા અર્થે ઉચિત રીતે યત્ન કરે છે તે પણ શુદ્ધ અભિસંધિ છે. જીવ જેમ જેમ તત્ત્વને જાણે છે તેમ તેમ તેનામાં તત્ત્વને અભિમુખ ઉત્તમ ભાવો વર્તે છે. તે વરતા અને વર્યતા રૂપ બે પરિણતિઓ છે. વરતાને કારણે તે જીવમાં મૃદુતાનો પરિણામ પ્રગટે છે; કેમ કે તત્ત્વને જોવાની દૃષ્ટિ થવાથી માનકષાય તેને અસાર જણાય છે અને મૃદુ પરિણામ જ સાર જણાય છે તે વરતા છે અને તેનાથી મૃદુતા પ્રગટે છે. વળી, શુદ્ધાભિસંધિને કારણે જ મારે લેશ પણ નિરર્થક વચનપ્રયોગ ન કરવો જોઈએ પરંતુ એકાંતે સ્વપરનું કલ્યાણનું કારણ હોય તેવો વચનપ્રયોગ કરવો જોઈએ, તેવી વર્યતાની પરિણતિ પ્રગટે છે. તેનાથી તે જીવમાં સત્યતા નામનું બીજું મહાવ્રત પ્રગટે છે. તેથી તે મહાત્મા હંમેશાં વચનગુપ્તિ અને ભાષાસમિતિની મર્યાદાથી જે કંઈ વચનપ્રયોગ કરે છે તે સિવાય નિરર્થક વચન કરીને ચિત્તને કલુષિત કરતા નથી. તે મહાત્મામાં માનકષાયની વિરુદ્ધ એવી મૃદુતા અને મૃષાવાદની વિરુદ્ધ એવી સત્યતાની પરિણતિ પ્રગટે છે, જે પરિણતિ જગતના જીવ માટે આનંદને કરનારી છે. દર્શનથી સુંદર છે. સાક્ષાત્ અમૃતરૂપ છે; કેમ કે જે જીવમાં તેવી ઉત્તમ પરિણતિ પ્રગટે છે તે જીવને સર્વ પ્રકારની સુખની પરંપરા પ્રાપ્ત થાય છે. વળી, તે પરિણતિ સર્વ સુખને દેનારી છે. જગતમાં અત્યંત દુર્લભ છે. આવી પરિણતિ જે ભવમાં રિપુદારણનો જીવ પ્રાપ્ત કરશે ત્યારે માનકષાય અને મૃષાવાદ બેનો ત્યાગ થશે અર્થાત્ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલનકષાયના ક્ષયોપશમભાવવાળી ચારિત્રની પરિણતિ પ્રગટ થશે. ત્યારે માનકષાયનો સર્વથા ત્યાગ કરશે અને ક્ષાયિકભાવમાં માર્દવ સ્વભાવને પ્રગટ કરવા રિપુદારણનો જીવ યત્ન કરશે. વળી, સૂક્ષ્મ મૃષાવાદના પરિહારપૂર્વક સાધુના બીજા મહાવ્રતના પાલનરૂપ સત્યતાને પ્રાપ્ત કરશે. વર્તમાનના ભવમાં વરતા અને વર્તતારૂપ ગુણોની પ્રાપ્તિ તેને અસંભવિત છે તેમ જાણીને તેના પિતા નરવાહનરાજા પુત્રની દુર્દશાને જોઈને કંઈક ખેદ વ્યક્ત કરે છે. કોઈ પ્રતિક્રિયા નથી એમ જાણીને સ્વયં સંયમ ગ્રહણ કરે છે અને રિપુદારણને રાજ્ય ઉપર સ્થાપન કરીને વિચક્ષણસૂરિ સાથે વિહાર કરે છે. વળી, રાજ્ય પ્રાપ્ત થવાથી રિપુદારણનો માનકષાય અને મૃષાવાદ અત્યંત વૃદ્ધિ પામે છે છતાં કંઈક પુણ્યોદય હતો તેથી કેટલાંક વર્ષો સુધી રાજ્ય પાલન કરીને સુખપૂર્વક જીવે છે, તે વખતે તપનચક્રવર્તી પોતાના દેશની સ્થિતિ જોવા માટે ફરતા ફરતા ત્યાં આવે છે, માનકષાયને વશ અને મૃષાવાદને વશ થઈને રિપુદારણ ઉચિત પ્રતિપત્તિ કરતો નથી. ચક્રવર્તી સમીપ જતો નથી. આ રીતે કષાયને વશ તેની સ્થિતિ જોઈને તેનું પુણ્ય કમસર નાશ પામે છે અને તપનચક્રવર્તીના ગુપ્તચરો રિપુદારણના સર્વ પ્રસંગો ચક્રવર્તીને કહે છે. ત્યારપછી જે સર્વ વિડંબના તપનચક્રવર્તીએ કરી તેનું મૂળ કારણ વર્તમાનના ભવમાં પ્રકર્ષને પામેલ માનકષાય અને મૃષાવાદ છે જેના નિમિત્તે વિદ્યમાન પણ પુણ્યપ્રકૃતિ નાશ પામે છે. શિથિલ પણ પાપપ્રકૃતિ Page #376 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૬૭ પ્રબળ બને છે. જેના ફળરૂપે આલોકમાં પણ અત્યંત નિંદાને પ્રાપ્ત કરીને અંતે લોકમાં વિડંબના કરાતો કરાતો તે તપનચક્રવર્તી પાસે યોગેશ્વર દ્વારા લઈ જવાયો. તે વખતે જે જાતની કરુણાજનક તેની સ્થિતિ થઈ તે સર્વમાં સાક્ષાત્ તેનું મૃષાવાદ અને માનકષાય જ કારણ છે. અને જેના ફળ સ્વરૂપે નરકમાં જઈને પડે છે. વળી, મૂઢતાથી લેવાયેલા કષાયો ઘણા ભવો સુધી આ રીતે જ જીવમાં મૂઢતા કરાવીને દુર્ગતિઓની પરંપરા કરાવે છે. જે સર્વ વર્ણન સંક્ષેપથી કરતાં ગ્રંથકારશ્રી કહે છે. ચારે ગતિઓની સર્વ ખરાબ સ્થિતિઓને રિપુદારણ અનેક વખત પ્રાપ્ત કરે છે. વળી, મૃષાવાદને કારણે જિલ્લાછેદ, તપ્તતામ્રપાન, મૂકપણું, બોબડાપણું ઇત્યાદિ અનેક કદર્થનાઓ પછીના ભાવમાં પ્રાપ્ત કરે છે. તે સર્વ પ્રત્યે મૃષાવાદ કારણ છે અને માનને વશ જે ક્લિષ્ટભાવો કર્યા તેના કારણે ઉત્તરના સર્વ ભવોમાં દરિદ્રતા, હીનકુળ, હીન જાતિ, રોગિષ્ઠ શરીર, અત્યંત દયાજનકતા, અલાભ, સંતાપ, યાચકપણું ઇત્યાદિ ભાવોને પ્રાપ્ત કરે છે. તેથી વિવેકી પુરુષે માનનાં અને મૃષાવાદનાં તેવાં દારુણ ફળોનું પુનઃ પુનઃ ભાવન કરીને તેનો પરિહાર કરવા માટે યત્ન કરવો જોઈએ અને સૂક્ષ્મ પણ માન રહિત અને મૃષાવાદ રહિત સુસાધુ કેવી રીતે જીવે છે તેનું પુનઃ પુનઃ ભાવન કરવું જોઈએ. વળી, પ્રસ્તુત પ્રસ્તાવમાં રસનેન્દ્રિયનો વિપાક પણ બતાવેલ. તેથી જડ પુરુષ જે રીતે રસનાને વશ થઈને દુર્ગતિમાં જાય છે તેનું ભાવન કરીને અને સુસાધુ કઈ રીતે રસના હોવા છતાં લોલતાનો પરિહાર કરીને અને રસનાને અકિંચિત્કર કરે છે તેનું ભાવન કરીને રસનાનો જય કરવા યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ સર્વ પ્રકારની સુખની પરંપરાનું કારણ બને. ચોથો પ્રસ્તાવ સંપૂર્ણ અનુસંધાનઃ ઉપમિતિભવપ્રપંયા કથા ભાગ-૬ (પંચમ પ્રસ્તાવ) Page #377 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો આશ્રવ અને અનુબંધ ચારિત્રાચાર પુદગલ વોસિરાવવાની ક્રિયા ળ ૧૫૭ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કુત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો Is Jaina Order Independent Religion or Denomination ? (ziny Ryft) Status of religion in modern Nation State theory (અંગ્રેજી આવૃત્તિ) અનેકાંતવાદ કર્મવાદ કર્ણિકા કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ) કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય. ગૃહજિનાલય મહામંગલકારી ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ચિત્તવૃત્તિ ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય? (હિન્દી આવૃત્તિ) દર્શનાચાર ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ભાગવતી પ્રવજ્યા પરિચય ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) જ જમણી બાજુના નંબર પુસ્તક ક્રમાંક સૂચવે છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ [2]. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ) મધ્યસ્થભાવ (સંઘ એકતાની માસ્ટર કી) મનોવિજય અને આત્મશુદ્ધિ યોગદષ્ટિસમુચ્ચય લોકોત્તર દાનધર્મ અનુકંપા' શાસન સ્થાપના શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) શ્રી ઉપધાન માર્ગોપદેશિકા સદ્ગતિ તમારા હાથમાં ! સદ્ગતિ આપકે હાથ મેં! (હિન્દી આવૃત્તિ) र संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી - ૬૩ ૬૧ ઉર 'Rakshadharma' Abhiyaan Right to Freedom of Religion !!!!! ‘રક્ષાધર્મ' અભિયાન શ્રી નવપદ આરાધના વિધિ (અપ્રાપ્ય) શ્રી સમેતશિખરજીની સંવેદના સેવો પાસ સંખેસરો (અપ્રાપ્ય) સેવો પાસ સંખેસરો (હિં.આ.) સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિં.આ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪૭ ૧૦૪ ૧૦૫ Page #379 -------------------------------------------------------------------------- ________________ [3] ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો - વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ; અઢાર પાપસ્થાનક સ્વાધ્યાય, અમૃતવેલની નાની સઝાય, “સાચો જૈન' પદ અને વીરોની પ્રભુભક્તિ' પદ શબ્દશઃ વિવેચન અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ઉપદેશપદ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૧) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૨) શબ્દશઃ વિવેચન ભાગ-૨ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૩) શબ્દશઃ વિવેચન ભાગ-૩ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૪) શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૨ ૧૨૪ ૧૮ ૧૭૪ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૮૦ Page #380 -------------------------------------------------------------------------- ________________ [4] ૧૮૧ ૩૧ ૧૦૨ ૧૦૩ ૬૮ ૧૧૦ ૧૬૧ ૧૬૨ ૧૬૪ ૧૪૭ ૧૧૮ ૧૬૦ ૧૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૪) શબ્દશઃ વિવેચન ભાગ-૫ કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ગુરતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ દેવસિસ રાઈના પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચના પખીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન પગામસિજ્જા શબ્દશઃ વિવેચન પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૧૫૯ ૧૨૯ ૧૬૫ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૫૫ ૧૫૬ ૧૧૭ ૧૨૫ ૧૪૪ ૪૬ ૮૬ ૧૦૦ ૧૦૧ ૧૧૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ [5]. ૧૨૦ ૧૨૩ ૩૪ ૧૩૦ ૧૩૧ ૧૧૨ પંચવસ્તુક પ્રકરણ શબ્દશ: વિવેચન ભાગ-૧ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ બત્રીશી-૦૧ : દાનદ્રાવિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૨ : દેશનાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૦૩ : માર્ગદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૪ : જિનમહત્ત્વદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૫ : જિનભક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૬ : સાધુસામગ્ગદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૭ : ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૮ : વાદદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૯ : કથાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૧૦ : યોગલક્ષણદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૧૧ : પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૧૨ : પૂર્વસેવાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૩ : મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૪ : અપુનબંધકદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૫ : સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૬ : ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૭ : દેવપુરુષકારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૧૮ : યોગભેદદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૯ : યોગવિવેકદ્વાબિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૦ : યોગાવતારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૧ : મિત્રાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન ૧૪૬ ૧૩૯ ૧૧૩ Page #382 -------------------------------------------------------------------------- ________________ [6] જ ૦ = = ૯૭ ૬૬ ૧૦૬ ૯૨ ૧૫૨ ૧૫૩ ૧૫૪ બત્રીશી-૨૨ : તારાદિત્રયદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૩ : કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૪ : સદ્દષ્ટિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૫ : ફ્લેશકાનોપાયદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૬ : યોગમાયાભ્યદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૭ : ભિક્ષુદ્રાવિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૨૮ : દીક્ષાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૨૯ : વિનયદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૩૦ : કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૩૧ : મુક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૩૨ : સજ્જનસ્તુતિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બાર ભાવના શબ્દશઃ વિવેચન (તત્ત્વાર્થસૂત્ર અને યોગશાસ્ત્ર આધારિત) ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ યોગવિંશિકા શબ્દશઃ વિવેચન યોગશતક શબ્દશઃ વિવેચન યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન વૈરાગ્યકલ્પલતા (સ્તબક-૧) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૪૫ ૧૦૭ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૯ ૧૬ ૧૫૮ ૧૫૦ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ૧૦૮ ૧૦૯ ૯૮ ૧૧૧ ૧૨૧ ૧૪૩ [7] શાંતસુધારસ શબ્દશઃ વિવેચન (બાર ભાવના અને મૈત્રી આદિ ચાર ભાવના) શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ સકલાહ-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન સમ્યક્ત ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન સમ્યત્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ સૂત્રના પરિણામદર્શક યત્નલેશ. ૨૩ ૧૪૫ ૬૯ ૧૪૮ ૧૪૯ ૧૭૦ ગીતાર્થ ગંગા જ્ઞાનભંડાર આધારિત સંશોધનાત્મક પ્રકાશનો આગમ પ્રકાશનસૂચી (હિન્દી) સંકલનકાર : નીરવભાઈ બી. ડગલી ૧૭૫ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ના અ_ff ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ [8] - પ્રાપ્તિસ્થાન - અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com વડોદરા : શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન', ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. (૦૨૬૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૬ Email : saurin 108@yahoo.in મુંબઈ: શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. (૦૨૨) ર૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૬ Email : jpdharamshi60@gmail.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in સુરત : ર્ડો. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૧ (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ (મો.) ૯૦૧૬૧૮૮૯૯૦ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ Clo. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com BANGALORE : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. ૧ (080) (O) 22875262 (R) 22259925 (Mo) 9448359925 Email : vimalkgadiya@gmail.com રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email : shree_veer@hotmail.com Page #385 -------------------------------------------------------------------------- ________________ નોધ Page #386 -------------------------------------------------------------------------- ________________ दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् / विशुद्धा शीलवृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः / / જે જીવોમાં દયા, વૈરાગ્ય-વિષયોમાં વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુનું પૂજન ગુણવાનના ગુણોનું સ્મરણ થાય અને તેના પ્રત્યે ભક્તિનો અતિશય થાય તે પ્રકારની ઉચિત વિધિપૂર્વક ગુરુનું પૂજન, વિશુદ્ધ શીલવૃત્તિ આ પુણ્યાનુબંધી પુણ્ય છે. TITL III : પ્રકાશક : TICS તે પછી “મૃતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com