________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
નિવર્તન કરાયા. શ્વેત ચામરને ધારણ કરનારી વિલાસિની સ્ત્રીઓ નિવેશ કરાઈ. ત્યારપછી આસ્થાન સ્થાયી ભૂપતિને પુત્રજન્મના મહોત્સવનું નિવેદન કરવા માટે પ્રિયંવદા દાસી વેગથી ચાલી. કેવી રીતે ? એથી કહે છે
શ્લોક ઃ
**
-
रभसोद्दामविसंस्थुलगमनं, गमनस्खलितसुनूपुरचरणम् । चरणजलत्तोत्तालितहृदयं, हृदयविकम्पस्फुरितनितम्बम् ।।१।।
શ્લોકાર્થ ઃ
રભસથી ઉદ્દામ અને વિસંસ્થલ ગમનવાળું, ગમનથી સ્ખલિત થતું ઝાંઝર છે એવા ચરણવાળું, ચરણથી ઉત્પન્ન થયેલા આઘાતથી ઉત્તાલિત હૃદયવાળું, હૃદયના વિકમ્પથી સ્ફુરિત નિતંબવાળું, ।।૧।।
શ્લોક ઃ
स्फुरितनितम्बनिनादितरसनं, रसनालग्नपयोधरसिचयम् ।
सिचयनिपातितलज्जितवदनं, वदनशशाङ्कोद्योतितभुवनम् ।।२।।
શ્લોકાર્થ ઃ
સ્ફુરિત નિતંબથી અવાજ કરતા કંદોરાવાળું, કંદોરાથી દૂર થયેલ છે સ્તન ઉપરના વસ્ત્રવાળું, કપડાના ખસવાથી લજ્જા પામેલા મુખવાળું, મુખરૂપી શશાંકથી ઉદ્યોતિત ભુવનવાળું, રસા
શ્લોક ઃ
अपि च
नितम्बबिम्बवक्षोजदुर्वारभरनिः सहा ।
तथापि रभसाद् बाला, वेगाद्धावति सा तदा ।। ३ ।।
શ્લોકાર્થ ઃ
વળી, નિતંબ અને સ્તનના દુર્વારભારથી નિઃસહા એવી પ્રિયંવદા છે તોપણ રભસથી ત્યારે તે બાલા=પ્રિયંવદા દાસી, વેગથી દોડે છે. II3II
શ્લોક ઃ
निवेदिते तया राजपुत्रजन्ममहोत्सवे । आनन्दपुलकोद्भेदनिर्भरः समपद्यत ।।४।।
શ્લોકાર્થ :
તેણી વડે રાજપુત્રના જન્મનો મહોત્સવ નિવેદન કરાયે છતે આનંદપુલકના ઉભેદથી નિર્ભર એવો રાજા થાય છે. II૪