________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૪૬
શ્લોકાર્થ :
અહો જગતમાં હું થયો. અહો કલ્યાણમાલિકા=કલ્યાણની હારમાળા. અહો મારી ધન્યતા. અહો સર્વ સમીહિત=ઇચ્છિત સિદ્ધ થયું. II૪॥
શ્લોક ઃ
अपुत्रेण मया योऽयमुपयाचितकोटिभिः ।
प्रार्थितः सोऽद्य संपन्नो, यस्य मे कुलनन्दनः ।।५।।
શ્લોકાર્થ :
અપુત્ર એવા મારા વડે ઉપયાચિત્ત ક્રોડો ઉપાયોથી જે આ પ્રાર્થના કરાયેલો તે મારા કુલનો નંદન આજે સંપન્ન થયો. ॥૫॥
શ્લોક ઃ
ततः कटककेयूरहारकुण्डलमौलयः ।
निवेदिकायै लक्षेण, दीनाराणां सहार्पिताः ।। ६ ।।
શ્લોકાર્થ :
ત્યારપછી લાખો દીનારોથી સહિત કટક, કેયૂર, હાર, કુંડલ, મુગટ નિવેદન કરનારી દાસીને અર્પણ કરાયાં. ॥૬॥
શ્લોક ઃ
उल्लसत्सर्वगात्रेण, हर्षगद्गदभाषिणा ।
प्रकृतीनां समादिष्टः, सुतजन्ममहोत्सवः ।।७।।
શ્લોકાર્થ :
સર્વ ગાત્રથી ઉલ્લાસવાળા, હર્ષથી ગદ્ગદ્ બોલનારા રાજા વડે પ્રકૃતિઓને=પ્રજાજનોને, પુત્રજન્મમહોત્સવ આદેશ કરાયો. II9II
શ્લોક :
ततो नरपतेर्वाक्यं श्रुत्वा मन्त्रिमहत्तमैः ।
क्षणेन सदने तत्र, बत किं किं विनिर्मितम् ? ।। ८ ।।
શ્લોકાર્થ :
ત્યારપછી રાજાનું વાક્ય સાંભળીને મંત્રીમહત્તમો વડે ક્ષણમાત્રમાં તે સદનમાં=રાજમહેલમાં, ખરેખર શું શું કરાયું ? I'