________________
૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
पाटलपल्लवेषु न च तृप्यति नूनमशोकपादपे, ।
चूतवनेषु याति चन्दनतरुगहनमथाऽवगाहते ।।१।। શ્લોકાર્ય :
પાટલ વૃક્ષનાં પલ્લવોમાં વૃદ્ધિ પામતા નથી, અને અશોક વૃક્ષમાં પણ ખરેખર તૃપ્તિ પામતા નથી. આંબાનાં વનોમાં જાય છે, ચંદન વૃક્ષની ઝાડીમાં પ્રવેશ કરે છે. ll૧II શ્લોક -
इति मधुमासविकासिते रमणीयतरे द्विरेफमालिकेव । एतेषां ननु दृष्टिका विलसति सुचिरं वरे तरुप्रताने ।।२।।
શ્લોકાર્ધ :
એ રીતે વસંતઋતુમાં વિકસિત, અત્યંત રમણીય, શ્રેષ્ઠ વૃક્ષોના વિસ્તારમાં, ખરેખર આ નાગરિક લોકોની દષ્ટિ ભમરાની શ્રેણીની જેમ લાંબો કાળ વિલાસ કરે છે. શા બ્લોક :
बहुविधमन्मथकेलिरसा दोलारमणसहेन ।
एते सुरतपराश्च गुरुतरमधुपानमदेन ।।३।। શ્લોકાર્ચ -
હીંચકાની ક્રીડાની સાથે બહુ પ્રકારના કામની ક્રીડાના રસવાળા અને અત્યંત મોટા એવા મધના પાનના મદ વડે કામક્રીડામાં તત્પર આ નાગરિક લોકો, છે. Il3II
શ્લોક :
अन्यच्चविकसिते सहकारवने रतः, कुरुबकस्तबकेषु च लम्पटः ।
मलयमारुतलोलतया वने, सततमेति न याति गृहे जनः ।।४।। શ્લોકાર્થ :
અને બીજું, વિકસિત એવા આંબાના વૃક્ષમાં રક્ત, અને કુટુંબક નામનાં વૃક્ષોમાં લંપટ, મલય પર્વતની=દક્ષિણ દિશાના પવનની, લોલતા વડે મનુષ્યવર્ગ સતત વનમાં જાય છે, ઘરે જતો નથી. II૪l