Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
હવે અમિપ્ત શબ્દ ‘પૃથ્વોવરાવ’ ગણપાઠ અંતર્ગત હોવાથી તેમાં રહેલ મ ઉપસર્ગ સંબંધી જ્ઞ નો લોપ અને પ્ણ ના પ્ નો ર્ આદેશ થવાથી મિTM શબ્દ બન્યો. ત્યારબાદ ‘આત્ ૨.૪.૮’ સૂત્રથી આક્ પ્રત્યય લાગતા લક્ષ્યના અનુરોધથી (= તેવા પ્રકારના પ્રયોગો જોવા મળતા હોવાથી) એક સ્થળે ર્ નો આગમ થવાથી ખિસ્સેટા શબ્દ બન્યો, અને બીજે ત્ નો આગમ ન થવાથી મિસ્સા^) શબ્દ બન્યો. હવે ચૈત્રસ્ય મિસ્સા અને ઝોવનસ્ય મિક્સટા આ વિગ્રહ અવસ્થામાં ‘ષષ્ચયત્નાત્ રૂ.૨.૭૬' સૂત્રથી તત્પુરૂષ સમાસ થતા ચૈત્રપિમસ્સા અને ઓર્નામસ્મટા આ પ્રયોગો સિદ્ધ થયા.
અહીં ઉભયસ્થળે ચૈત્ર તેમજ ઓવન શબ્દના અંત્ય ઞ થી પરમાં રહેલા મિસ્સા અને મિક્સટા શબ્દઘટક મિક્ અંશને આ સૂત્રથી ક્ આદેશ નથી થતો. કેમ કે આ સૂત્રમાં સ્યાદિનો અધિકાર આવે છે, અને આ બન્ને મિક્ અંશો સ્યાદિ સંબંધી નથી.
શંકા :- મિસ્સા અને ખિસ્સટા શબ્દોનો અંશભૂત મિત્ અનર્થક હોવાથી તેના પેસ્ આદેશનું નિવર્તન તો ‘અર્થવન્દ્રને નાનર્થ(B) ’ ન્યાયથી પણ થઇ શકે છે. તેથી સૂત્રમાં સ્યાદિની અનુવૃત્તિ લેવાની શી આવશ્યકતા છે ?
સમાધાન :- સૂત્રમાં માત્ર મિસ્સા અને મિક્સટા ના અંશભૂત મિસ્ ના પેર્ આદેશનું નિવર્તન કરવા સ્યાદિની અનુવૃત્તિ નથી. પરંતુ આ પછીના સૂત્રોમાં અવિચ્છિન્નપણે સ્યાદિનો અધિકાર લઇ જવા તેની અનુવૃત્તિ આવશ્યક છે. તેથી પૂર્વસૂત્રથી અનુવર્તમાન સ્થાતિ પદ ‘અર્થવાળે નાનર્થ સ્વ’ન્યાયની અપેક્ષા રાખ્યા વિના અમુક ચોક્કસ પ્રકારના જ પિમ્ ના (અર્થાત્ સ્યાદિ સંબંધી જ પિસ્ના) પેસ્ આદેશનું નિયમન કરતું હોવાથી આ સ્થળે ‘અર્થવાહને નાનર્થી સ્વ'ન્યાયની અપેક્ષા ન રાખવી, કારણ ન્યાયની અપેક્ષા રાખવી એ ગૌરવ કહેવાય. તેથી પ્રસ્તુતમાં આ ન્યાય અનિત્ય જાણવો. ।।૨।।
(A) મસ્સા પ્રયોગ મિક્ ધાતુને વિવર્ પ્રત્યય લગાડી ભિવં સ્થતિ આ વિગ્રહાવસ્થા થકી પણ તે પૃષોવવિ ગણપાઠનો હોવાથી સિદ્ધ થશે.
(B) અર્થવાન પ્રત્યય કે પ્રકૃતિનું ગ્રહણ સંભવતું હોય ત્યારે અનર્થક શબ્દનું ગ્રહણ ન કરવું. આશય એ છે કે વ્યાકરણશાસ્ત્રમાં શબ્દ એ કાર્યો છે. તે શબ્દ બે પ્રકારના જોવા મળે છે; સાર્થક અને નિરર્થક ઃ
(i) સમુદાય રૂપ શબ્દમાં અર્થ પ્રત્યાયન (= બોધ) કરાવવાની શક્તિ હોવાથી તે સાર્થક કહેવાય. જ્યારે,
(ii) અવયવ રૂપ તે શબ્દમાં અર્થ પ્રત્યાયન કરાવવાની શક્તિ ન હોવાથી તે નિરર્થક કહેવાય. દા.ત. સમુદાય રૂપ ખિસ્પ્રત્યય ‘બહુત્વ-કરણ’ વિગેરે અર્થોનું પ્રત્યાયન કરાવતો હોવાથી સાર્થક છે, તેથી તેનું અહીં ગ્રહણ થશે. જ્યારે મિલ્લા અને મિક્સટા માં રહેલ મિક્ અંશ કોઇ અર્થનું પ્રત્યાયન કરાવતો ન હોવાથી નિરર્થક છે, તેથી તેનું પ્રસ્તુત સ્થળે ગ્રહણ નહીં થાય.