Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૭
४५ હોવાથી અહીં ‘ળમુક્યો:૦' ન્યાય લાગી શકે નહીં. તેથી સંજ્ઞામાં વર્તતા સર્વ વિગેરે નામોના સર્વાદિત્વના નિષેધાર્થે ગણપાઠમાં ‘સંજ્ઞાયામ્' વચનનો નિવેશ કરવો જરૂરી છે.
શંક :- “જોગમુક્યો :૦' ન્યાય નામકાર્ય સ્થળે ન પ્રવર્તે એવું કેમ?
સમાધાન - આનું કારણ એ છે કે “નામકાર્ય સ્થળે ગૌણભાવ પ્રતીત થતો જ નથી. આશય એ છે કે સ્વાર્થમાં (પોતાના મૂળ અર્થમાં) વર્તતા નામને વિભક્તિના પ્રત્યય લાગતા તેને લગતા કાર્યો (A) (નામકાર્યો) કર્યા પછી જ્યારે તે નામ પ્રયોગ કરવા યોગ્ય પદ રૂપે નિષ્પન્ન થાય ત્યારે તેની બાજુમાં અન્ય કોઇ પદનો પ્રયોગ કરાતા જો બાધ (અર્થનો મેળ ન થતો) જણાય તો વિવક્ષિત પદમાં પદાન્તરની અપેક્ષાએ ગૌણભાવ પ્રતીત થાય છે. જેમકે " વાદીમ્ માનવ સ્થળે “ગાય” સ્વરૂપ પોતાના મૂળ અર્થમાં વર્તતા રે નામને આનયન ક્રિયાની અપેક્ષાએ દ્વિતીયા એકવચનની અમ્ વિભક્તિ લગાડી છે. હવે ‘મા સો ૨.૪.૭' સૂત્રથી થતું નામકાર્ય કર્યા પછી
જ્યારે જે શબ્દ પ્રયોગ કરવા યોગ્ય પામ્ પદ રૂપે તૈયાર થાય ત્યારે આકાંક્ષાદિમૂલક વાવ ' ન્યાયથી જ પદની બાજુમાં વાહીમ્ પદનો પ્રયોગ કરાતા આપણને સીધો અર્થ ‘ગાય સ્વરૂપ વાહીકને લાવ' આવો પ્રતીત થાય છે કે જે બાધિત છે. બાધિત એટલા માટે છે કે ગાય એ પશુ છે અને વાહીક એ મનુષ્ય વિશેષ છે. મનુષ્ય ક્યારેય પશુ સ્વરૂપ હોઇ શકે નહીં. તેથી બાધ જણાતા અર્થનો મેળ પાડવા આપણે ગૌણી લક્ષણા B)નો આશ્રય લઈ શબ્દના પોતાના “ગાય” સ્વરૂપ મૂળ અર્થને ત્યજી ‘ગાય સદશ” આ ગૌણ અર્થનું ગ્રહણ કરીએ છીએ. આ રીતે અહીંગૌણ અર્થનો બોધ થાય છે. તો વાહી સ્વરૂપ પદાન્તરના સંનિધાન પછી ગાય સદશ” અર્થનો વાચક જ શબ્દ ગૌણ રૂપે પ્રતીત થતો હોવાથી ‘ગ ૩સી ૨.૪.૭૫' સૂત્રથી થતા નામકાયવસરે “ગાય” અર્થનો વાચક જે શબ્દ ગૌણ રૂપે ન જણાતા નામના સ્થળે ગૌણની ગેરહાજરી વર્તાતી હોવાથી મુકો: ' ન્યાય પ્રવર્તી શકે નહીં.
શંકા - નામકાર્યાવસરે “ગાય” અર્થનો વાચક શબ્દ ભલે ગૌણ ન ગણાય. પણ તે મૌલિક “ગાય” અર્થનો વાચક હોવાથી મુખ્ય ગણાતા તેની મુખ્યતાને લઈને ત્યારે જોવાનુયો:૦' ન્યાય કેમ ન પ્રવર્તી શકે ?
સમાધાનઃ- નામકાર્યાવસરે “ગાય” રૂપ પોતાના મૂળ અર્થની અપેક્ષાએ જો શબ્દનો મુખ્ય રૂપે વ્યવહાર થઇ શકે નહીં, કેમ કે મુખ્ય શબ્દ ગૌણ શબ્દને સાપેક્ષ છે. અર્થાત્ જો કોઇ ગૌણ શબ્દ હોય તો તેની અપેક્ષાએ વિવક્ષિત શબ્દને મુખ્ય કહી શકાય. પણ નામકાર્યાવસરે ગાય સદશ” અર્થનો વાચક ગૌણ જો શબ્દ ઉપસ્થિત થતો (A) પૂ. લાવણ્ય સૂ. સંપાદિત ખૂ. ન્યાસમાં 'સત્યનાથ વિમો ત' આટલો જ પાઠ છે જે અપૂર્ણ જણાય છે.
પાઠ‘હત્વનાયાં વિમો તાર્યેષુ તેવુ' આમ હોવો જોઇએ. જુઓ 'પાણિ. સૂ. ૧.૧.૧૫” મહાભાષ્યપ્રદીપ. (B) गौणी नाम सादृश्यविशिष्टे लक्षणा। यथा “सिंहो माणवक' इत्यादौ सिंहपदस्य सिंहसादृश्यविशिष्टे लक्षणा।
(ત સં. ચી. વોધિ.)