Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૮૪
393 સૂત્રાર્થ - ધુ પ્રત્યયો પરમાં વર્તતા – આગમ થતા શબ્દનો સ્વર વિકલ્પ દીર્ઘ થાય છે.
વિવરણ - (1) શંકા - સૂત્રોકત નિ' પદસ્થળે વિષયસપ્તમી છે, તો તમે બ્રવૃત્તિમાં નામે સત' પંક્તિ દર્શાવી ત્યાં સતિસપ્તમી કેમ દર્શાવો છો?
સમાધાન - પણ ત્યાં વિષયસપ્તમી છે આવું તમે શેના આધારે કહો છો?
શંકા - આ સૂત્રમાં દર્શાવેલા પ્રયોગસ્થળે આગમ ‘ધુટાં પ્રાણ ૨.૪.૬૬' સૂત્રથી કરવાનો છે. ધુરાં પ્રા.૪.૬૬ સૂત્રથી આગમ નપુંસકમાં થાય છે. હવે નપુંસક ક્યારે પણ પદાર્થ હોય. પરંતુ આ શબ્દાનુશાસન (વ્યાકરણ) હોવાથી અહીં પદાર્થને કાર્ય કરવાનું નથી હોતું પણ શબ્દને કાર્ય કરવાનું હોય છે. માટે અહીં નપુંસકપદાર્થના વાચક શબ્દને ધુટાં પ્રાણ ૨.૪.૬૬' સૂત્રથી આગમ થશે. હવે વિવક્ષિત શબ્દ નપુંસકપદાર્થનો વાચક છે કે નહીં? તે વાત પ્રયોગને જોઈ અનુમાન કરી જાણવાની હોય છે. કેમકે હંમેશા ભાષા પૂર્વે હોય છે અને ત્યારબાદ પાછળથી ભાષાગત પ્રયોગોને જોઈ વ્યાકરણ-લિંગાનુશાસનાદિમાં શબ્દનો તત્તલિંગક રૂપે નિશ્ચય થતો હોય છે. માટે અહીં અનુમાનથી ગમ્ય નપુંસકપદાર્થના વાચક શબ્દને ધુટાં પ્રો ૨.૪.૬૬' સૂત્રથી – આગમ કરવાનો હોવાથી બહુપ્રયાસોશ્રિત તે બહિરંગ કાર્ય કહેવાય. જ્યારે આ સૂત્રથી થતા દીર્ઘ આદેશનું આ સૂત્રમાં પૂર્વસૂત્રથી શબ્દની અનુવૃત્તિ લઇ સૂત્રમાં સાક્ષાત્ અર્થાત્ પ્રત્યક્ષપણે(A) શબ્દનો ઉચ્ચાર કરી વિધાન કર્યું હોવાથી અલ્પપ્રયાસાશ્રિત તે અંતરંગ કાર્ય કહેવાય. તો ‘સત્તર વદર 'ન્યાયાનુસારે બહિરંગ નું આગમ થતા પૂર્વે જ આ સૂત્રથી ગ શબ્દના સ્વરનું દીર્ઘ આદેશાત્મક બળવાન અંતરંગ કાર્ય થવાની પ્રાપ્તિ વર્તતા તમારું સતિસપ્તમી મુજબનું ન આગમ થતા | શબ્દના સ્વરના દીર્ધ આદેશનું વિધાન અયોગ્ય ઠરે છે. જ્યારે સૂત્રોત ‘નિ' પદસ્થળે જો વિષયસપ્તમી ગણવામાં આવે તો ભલેને પૂર્વેનું આગમન થાય છતાં પણ આ શબ્દના સ્વરનો દીર્ધ આદેશ થવાની અવસ્થામાં આગમનો વિષય હોવાથી વિષયસપ્તમી મુજબનું અમારું આગમના વિષયમાં મF શબ્દના સ્વરના દીર્ધઆદેશનું વિધાન યોગ્ય કરે છે. માટે અમે ‘સૂત્રોકત વિ' પદસ્થળે વિષયસપ્તમી છે એમ કહીએ છીએ.
સમાધાન - આ સૂત્રમાં ‘નિ' પદ મૂક્યું છે તેથી જ પૂર્વે અંતરંગ સત્ શબ્દનો સ્વર દીર્ઘનહીં થાય પણ બહિરંગ – આગમ પૂર્વે થશે. આશય એ છે કે જો આ સૂત્રમાં ગત્તર દિર 'ન્યાયાનુસારે પૂર્વે આગમ ન થતા શબ્દનો સ્વર દીર્ઘ થાય તો તે અર્થે યાતિં તબાધિતમેવ'ન્યાયાનુસારે અંતરંગ શબ્દના
સ્વરના દીર્ઘ આદેશ દ્વારા બાધિત બહિરંગ નું આગમ બાધિત જ ગણાતા પછી પાછળથી છુટાં પ્રાણ ૨.૪.૬૬ સૂત્રથી – આગમ ન થઈ શકે. માટે – આગમન થવાનો હોવાથી સૂત્રમાં નિ' પદનું ગ્રહણ નિરર્થક ઠરે. છતાં પણ સૂત્રકારશ્રીએ સૂત્રમાં – આગમના સૂચક ‘નિ' પદનું ગ્રહણ કર્યું છે. તેથી જણાય છે કે પૂર્વે અંતરંગ ગમ્ (A) સાક્ષાત્ (પ્રત્યક્ષપણે જણાતું) કાર્ય અંતરંગ કહેવાય અને અન્ય કાર્ય બહિરંગ કહેવાય.