Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan

View full book text
Previous | Next

Page 542
________________ परिशिष्ट-३ ૪૮૩ સૂત્રની પ્રવૃત્તિના પ્રાપક વ્યાપ્તિને કારણે ‘સ્વમ્યઃ ૧.રૂ.રૂ૦' સૂત્રમાં પવન્ત શબ્દની અનુવૃત્તિ અટકી ગઇ અને સ્વરથી પરમાં રહેલા પદાન્ત-અપદાન્ત બન્ને પ્રકારના ને ઉદ્દેશીને તે સૂત્રની પ્રાપ્તિ થઇ. ‘સમાનાનાં તેન વીર્ય: ૬.૨.૬' વિગેરે સૂત્રોમાં પણ બહુવચન વ્યાપ્ત્યર્થે છે અને તે સૂત્રના ન્યાસાનુસંધાનમાં વ્યાપ્તિ અંગે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી છે. 120) વ્યુત્પત્તિપક્ષ – ઉણાદિ નામોમાં પ્રકૃતિ અને પ્રત્યયના ભેદને સ્વીકારનારો પક્ષ વ્યુત્પત્તિપક્ષ કહેવાય છે. આ પક્ષ શાકટાયનનો છે. તેઓશ્રી ઉણાદિ નામોને અખંડ શબ્દ રૂપે નથી સ્વીકારતા, પણ તે શબ્દો કોક ધાત્વાત્મક પ્રકૃતિ અને કૃત્ પ્રત્યયોને લઇને નિષ્પન્ન થયેલા હોય છે તેવું સ્વીકારે છે. 121) શેષ સંબોધન એકવચનના ત્તિ પ્રત્યય સિવાયના ઘુટ્ પ્રત્યયો. - 122) પા આ એક પ્રકારની વિભકિત છે. તે ચાર પ્રકારની હોય છે. (a) શેષષષ્ઠી - સ્વ-સ્વામિભાવ આદિ સંબંધ અર્થમાં થનાર ષષ્ઠી. દા.ત. રાજ્ઞ: પુરુષ: (b) કારકશેષષષ્ઠી - જ્યાં કારકસંજ્ઞા પ્રાપ્ત હોય છતાં તેની અવિવક્ષા કરવામાં આવી હોય ત્યારે ત્યાં થતી ષષ્ઠી વિભક્તિને કારકશેષષષ્ઠી કહેવાય છે. જેમકે ‘૨.૨.૧૦’ વિગેરે સૂત્રોથી વ્યાપ્યને કર્મસંજ્ઞાની અવિવક્ષા કરવામાં આવે ત્યારે સર્વિષઃ નાથતે વિગેરે સ્થળે થયેલ ષષ્ઠી વિભક્તિ, (c) કારકષથી – જ્યાં અમુક કારકને ષષ્ઠી વિભક્તિનું વિધાન કરવામાં આવે તે કારકષણી. જેમકે ‘૨.૨.૮૩’ વિગેરે સૂત્રોથી માં હ્રષ્ટા વિગેરે સ્થળે કર્માદિ કારકોને થતી ષષ્ઠી વિભક્તિ, (d) ઉપપદષી – સમીપવર્તી પદના કારણે પ્રાપ્ત થતી ષષ્ઠી વિભક્તિ તે ઉપપદ ષષ્ઠી. જેમકે ‘૨.૨.૧૧૬’ સૂત્રથી માતુઃ તુલ્ય સ્થળે તુલ્ય અર્થવાળા શબ્દોના યોગમાં થતી ષષ્ઠી વિભક્તિ. – - 123) સંધ્યાન – વિશેષ્ય રૂપે વર્તતા સંખ્યાવાચી નામને સંખ્યાન કહેવાય છે. દા.ત. ઘટાનાં વિંતિઃ અર્થ – ‘ઘડાની વીશી.’ વિશતિ વિગેરે શબ્દ સંખ્યાન અને સંધ્યેય બન્ને રૂપે વપરાતા જોવા મળે છે. 124) સંધ્યેય – વિશેષણ બનતા સંખ્યાવાચી નામને સંખ્યેય કહેવાય છે. દા.ત. વિંશતિઃ ઘટાઃ અર્થ –‘વીશ ઘડા.’ ભાષાકીય પ્રયોગમાં વિગેરે સંખ્યાવાચી શબ્દો પ્રાયઃ કરીને સંધ્યેય રૂપે જોવા મળશે. 125) સંોળ – દ્રવ્યોને પરસ્પર જોડનાર સંબંધને સંયોગ સંબંધ કહેવાય છે. જેમકે બે ઘડા પરસ્પર સંયોગ સંબંધથી જોડાય છે. 126) સંહિતા – સંહિતા એટલે વર્ણોનું પરસ્પર જોડાણ. બીજા શબ્દોમાં કહેવું હોય તો વિરામનો અભાવ અર્થાત્ અટક્યા વિના બોલવું. એક જ ઘટ: પદગત વ્ + જ્ઞ + ટ્ + અ + સ્ (સિ) વર્ણો વચ્ચે સંહિતા (પરસ્પર જોડાણ) હોવાથી જયારે ઘટઃ પદ ભાષામાં બોલવું કે લખવું હોય ત્યારે તેને વ્ મટઃ આમ છુછ્યું-છુટું ન બોલાય પણ ઘટઃ આમ સળંગ અટક્યા વિના જ બોલવું પડે. કોઇપણ પદ, ધાતુ-ઉપસર્ગ, તેમજ સમાસ પામેલા બે

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564