Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
परिशिष्ट-३
૪૮૫ 134) સૂત્ર - જે ઘણી બધી વાતોને થોડામાં સૂચવી દે તેને સૂત્ર કહેવાય. અર્થાત્ સૂવનાત્ સૂત્રમ્ કહેવાય. સૂત્ર “સ્વભ્યાક્ષરમસનિયં સરવદ્વિતોમુરઉગમમનવદં ર સૂત્ર સૂત્રવિલે વિદુઃ 'આ કારિકામાં દર્શાવેલા સ્વરૂપવાળું હોવું જોઇએ અને તે દશ પ્રકારના હોય છે.
(a) સંજ્ઞાસૂત્ર – જૈનધ્ય સંસારરળ નિયમાનુસાર સંજ્ઞા લાઘવ માટે કરાતી હોય છે. તેથી જે વસ્તુ વર્ણ, કાર્ય, કારણ વિગેરેના સમૂહને ટૂંકમાં સમજાવીદ તેને સંજ્ઞા કહેવાય અને તાદશ સંજ્ઞાના નિદર્શક સૂત્રને સંજ્ઞાસૂત્ર કહેવાય. જેમકે ‘મોત્તા: સ્વર: ૨..૪' સૂત્રમાં 1 થી લઈને ગો સુધીના વર્ણસમૂહને ટૂંકમાં સમજવા ‘સ્વર’ સંજ્ઞા કરી છે, માટે તેને સંજ્ઞાસ્ત્ર કહેવાય.
(b) પરિભાષાસૂત્ર જે સૂત્રનો વપરાશ આવશ્યકતાનુસાર આખા વ્યાકરણશાસ્ત્રમાં ગમે ત્યાં કરી શકાય તેવા સૂત્રને પરિભાષાસૂત્ર કહેવાય. આ સૂત્રોનું કામ જે સ્થળે પ્રયોગની સિદ્ધિમાં અવ્યવસ્થા ઊભી થતી હોય ત્યાં વ્યવસ્થા લાવવી એ છે. જેમકે ગષ્ટન્ + અવસ્થામાં વાદન :૦૨૪.૫૨' સૂત્રથી ગષ્ટનો વિકલ્પ મા આદેશ કરવાની વાત છે. પણ જો તેમ કરીએ તો આખા ગષ્ટનનો આ આદેશ થવાથી કાંઇક બેઢંગો જ પ્રયોગ સિદ્ધ થવા રૂપ અવ્યવસ્થા થઈ જાય. તેથી તેને વારવા 'Sષ્ટયાન્તી ૭.૪.૨૦૬’ પરિભાષાનો વપરાશ કરવામાં આવે છે કે જેથી ગષ્ટના અંત્યનો જ ના આદેશ થવાથી ગમ: વિગેરે ઈષ્ટપ્રયોગ સિદ્ધ થઇ શકે.
(c) અધિકારસૂત્ર - એકના એક પદ કે પદોની સળંગ ચાલતા અનેક સૂત્રોમાં જરૂર હોય ત્યારે તે દરેક સૂત્રોમાં તે દરેક પદ કે પદોને નમૂકતા વિવક્ષિત એક સૂત્રરૂપે કે સૂત્રાંશ રૂપે તે પદ કે પદોને ગોઠવી દેવામાં આવે અને તે પછીના દરેક સૂત્રોમાં આવશ્યકતાનુસાર તે પદ કે પદોની અનુવૃત્તિ ચાલ્યા જ કરે તેને અધિકાર કહેવાય અને આ અધિકાર જે સૂત્રથી શરૂ થાય તેને અધિકારસૂત્ર કહેવાય છે. આ અધિકાર કલિકાલસર્વજ્ઞશ્રીને ત્રણ
પ્રકારનો અભિપ્રેત છે – (i) જ્યાં તેઓશ્રી જુદું (સ્વતંત્ર) અધિકાર સૂત્ર રચે છે ત્યાં વિશેષ (અમુક ચોક્કસ) સૂત્રોમાં જ તે અધિકાર
ચાલે છે અને અધિકાર પાદ પૂર્ણ થાય ત્યાં સુધી અનુવર્તે છે. જેમકે પુષ્ટિ પદના અધિકારાર્થે પુષ્ટિ ૨.૪.૬૮' આમ જુદા અધિકારસૂત્રની રચના કરી છે. વળી તે અધિકાર નિમિત્તવિશેષ સહિત અનડુ: સો ૨.૪.૭૨' સૂત્ર, ‘મા ગ-શો૨.૪.૭૧' વિગેરે સૂત્રસ્થળે ન અનુવર્તતા નિમિત્તવિશેષ રહિત ‘મ: ૨.૪.૬૨' વિગેરે
વિશેષસૂત્રસ્થળે જ અનુવર્તે છે અને તે ૧.૪' પાદ પૂર્ણ થાય ત્યાં સુધી અનુવર્તે છે. (ii) જ્યાં તેઓશ્રી જુદું અધિકારસૂત્ર રચે છે અને અધિકાર વિશેષ (= અમુક ચોકકસ) સૂત્રોમાં જ અનુવર્તતો
પાદ પૂર્ણ થયા પછી પણ ચાલ્યા જ કરે છે ત્યાં તેઓશ્રી જુદા રચેલા અધિકારસૂત્રમાં અધિકાર ક્યાં સુધી ચાલશે તેની મર્યાદા દર્શાવતું પદ મૂકે છે. જેમકે મ પ્રત્યયના અધિકારાર્થે 'પ્રા| નિતારન્ ૬..'આ પ્રમાણે