Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૧૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (a) (A) અર્થ:- “સ્થાનું મન ભવચ્છિ' અહીં સંસારના છેદ રૂપ અર્થ (= પ્રયોજન)ને લઈને થઈ શબ્દનો અર્થ દુ’નહીં પગ ‘શિવ’ કરવામાં આવે છે.
(b) પ્રકરણ - સૈન્યવાના' સ્થળે યુદ્ધનું પ્રકરણ (સંદર્ભ) હોય તો સૈન્યવ શબ્દનો ધોડો' અર્થ થાય અને ભોજનનું પ્રકરણ હોય તો ‘લવાગ” અર્થ થાય છે.
(c) ઔચિત્ય - “ય નિર્ધ્વ પરશુના, વશેન મધુસર્ષિવા/ યર્થન ન્યમાન્યાપ્યાં, સર્વસ્ત્ર ટુરેવ : ' શ્લોકમાં ક્યાંય ક્રિયાપદ નથી. છતાં શ્લોકના દરેક ચરણમાં રહેલા પરશુના, મધુસર્વિષ, અન્યમાન્યાખ્યાં અને દુ: કારકપદોને ઉચિત અનુક્રમે છિનત્તિ, સિગ્યતિ, પૂનયતિ અને પ્રસ્થતિ અર્થ જણાઈ આવે છે.
() દેશઃ- “હરિ ગરજે, રિ: દ્વારકામ હરિ: અમરાવત્યામ્' સ્થળે “અરણ્ય, દ્વારકા અને અમરાવતી’ રૂપ દેશને આશ્રયીને દર શબ્દના અનુક્રમે સિંહ, કૃષ્ણ અને ઇન્દ્ર” અર્થ જણાય છે.
(e) કાળઃ- સ્વામી પોતાના સેવકને દારમ્' કહેતે વખતે શિશિરઋતુ હોય તો પદિ = બંધ કર” અર્થ જણાય અને ગ્રીષ્મઋતુ હોય તો ‘તમુયાદવ = ઉધાડ’ અર્થ જણાય.
() વાક્ય :- ‘૮ કરોતિ મીખમુદા રળીયમ્' અહીં કેવળ કટનો રતિ કિયાની સાથે અન્વય છે ? કે ભીષ્માદિ ગુણોથી અન્વિત કટનો રતિ ક્રિયાની સાથે અન્વય છે ? આ બન્ને પક્ષો પ્રમાણે પૂર્વે દર્શાવેલું વાક્ય તો એકસરખું જ ઉચ્ચારાય, છતાં માત્ર કટનો જ રતિ ક્રિયાની સાથે અન્ય ન થઈ શકે. કેમકે નિર્ગુણ કટકવ્ય” સંભવીન શકે અને ભીષ્માદિ ગુણો કોઈ આધારરૂપ કટાદિ દ્રવ્ય વિના અડધર રહી ન શકે. માટે બન્ને પરસ્પર સાકાંક્ષ હોવાથી તેમના વાચક ટર્ અને મધ્ય આદિ પદો વાક્યથી અથ વાક્યીય સંબંધથી એટલે કે વાક્યના ઘટક બે પદોના સમભિવ્યાહાર (સમીપોપસ્થિતિ) રૂપ સંબંધથી સમાનાધિકરણ (એકપદાર્થના વાચક) રૂપે સંભવે છે, માટે ભીષ્માદિ ગુણોથી યુક્ત કટનો જ રતિ ક્રિયાની સાથે અન્વય થાય છે.
(8) સંસર્ગ:- ‘નવત્સા નુરાનીયતા સંશોર ધેનુરાની તામ્ સવરા ધનુરાનીયતામ્' અહીં અનુક્રમે વત્સ, ફિશોર અને વર્જર શબ્દના સંસર્ગથી ધેનુ શબ્દનો અનુક્રમે 'ગાય, ઘોડી અને બકરી' અર્થ થાય છે.
(A) વિપ્રયોગ :- ‘વિરાપો હરિ.' સ્થળે શંખ અને ચકનો ‘વિષ્ણુ” સાથે સંબંધ છે. માટે શંખ અને ચક્રથી વિપ્રયુક્ત (છુટાં પડેલા) હરિ' અહીં દર શબ્દનો અર્થ ‘વિષ્ણુ” થશે.
(A) वाक्यात् प्रकरणादर्थादौचित्याद् देशकालतः। शब्दार्थाः प्रविभज्यन्ते न रूपादेव केवलात्।।
संयोगो विप्रयोगश्च साहचर्यं विरोधिता। अर्थः प्रकरणं लिङ्गं शब्दस्यान्यस्य सन्निधिः।। सामर्थ्यमौचिती देशः कालो व्यक्ति: स्वरादयः। शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः।। (वा.प.का.२, श्लो.३१४૩૨૬)