Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૧૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (9) શંકા - સૂત્રગત નપુંસવચ પદથી તમે નપુંસકલિંગ શબ્દનું ગ્રહણ કરવા માંગો છો? કે પછી નપુંસક પદાર્થનું ગ્રહણ કરવા માંગો છો?
સમાધાન - અમે નપુંસકલિંગ શબ્દનું ગ્રહણ કરવા માંગીએ છીએ.
શંકા :- આ પાદમાં ‘સાદિ' ના અધિકારની જેમ “નામ” નો અધિકાર પણ ચાલે છે. આનું કારણ પ્ર.૨૦૪ ટિપ્પણમાં કહેવાઈ ગયું છે. તેથી જો તમે સૂત્રગત નપુંસરી પદથી નપુંસકલિંગ શબ્દનું ગ્રહણ કરશો તો પાછા બે પક્ષ પડશે. એક પક્ષ એ કે નપુંસકલિંગ શબ્દ જો આ પાદમાં અધિકૃત નામન્ શબ્દનું વિશેષણ બને તો ‘વિષમન્ત ૭.૪.૨૨૩' પરિભાષાનુસારે નપુંસકલિંગ શબ્દ જેના અંતમાં હોય તેવા પુંલિંગાદિ કોઈપણ લિંગી નામને લઈને આ સૂત્રપ્રવૃત્તિ થવાની પ્રાપ્તિ આવે અને બીજો પક્ષ એ કે આ પાદમાં અધિકૃત નામનું શબ્દ જો નપુંસકલિંગ શબ્દનું વિશેષણ બને તો ‘વિશેષણમઃ ૭.૪.૨૩' પરિભાષાનુસારે પુંલિંગાદિ કોઇપણ લિંગી નામ જેના અંતમાં હોય તેવા નપુંસકલિંગ શબ્દને લઇને આ સૂત્રપ્રવૃત્તિ થવાનો પ્રસંગ આવે. તો આ બે પક્ષ પૈકી કયાં પક્ષને સ્વીકારશો?
સમાધાન - અમે બીજા પક્ષને સ્વીકારશું, કેમકે જો પ્રથમપક્ષને સ્વીકારીએ તો વહુનિ ત્રણ વેષાં તે = बहुत्रपु, तान् = बहुत्रपून् ब्राह्मणान् भने अतिक्रान्तं त्रपु यैः तान् = अतित्रपून् ब्राह्मणान् मा मनु मे मीडि અને તપુરૂષવાળા પ્રયોગસ્થળે નપુંસકલિંગ ત્રશબ્દ જેમના અંતમાં છે એવા પુંલિંગ વહુત્રપુ અને ગતિ–પુ નામ સંબંધી શત્ પ્રત્યયનો પણ આ સૂત્રથી શિ આદેશ થવાની આપત્તિ આવે છે, જે અનિષ્ટ છે. જ્યારે બીજા પક્ષનો સ્વીકાર કરીએ તો ફુગ્વનિ પ્રયોગની જેમ હવ: વૃક્ષા યેષુ તાનિ = વહુવૃક્ષણ વનનિ ઈત્યાદિ પ્રયોગસ્થળે પણ પુલિંગ વૃક્ષ નામ જેના અંતમાં છે તેવા નપુંસકલિંગ વદુવૃક્ષ વિગેરે નામો સંબંધી ન–શાસ્ પ્રયનો આ સૂત્રથી રિા આદેશ થવાની પ્રાપ્તિ આવે છે, જે ઇષ્ટ જ છે. માટે અમે બીજા પક્ષને સ્વીકારશું.
અહીંઆ ચર્ચાની શરૂઆતમાં કહ્યા મુજબ સૂત્રગત નપુંચ પદથી નપુંસક પદાર્થનું ગ્રહણ કરીએ તો પણ કોઈ વાંધો ન આવે. કેમકે નપુંસર્ચ પદવાણ્યું નપુંસક પદાર્થ દ્વારા આ પાદમાં અધિકૃત “નામ” ને જ વિશેષિત કરવાનું છે. કેમકે બીજું કોઈ હાલ પ્રસ્તુત છે પણ નહીં અને સંભળાતું પણ નથી. તેથી નપુંસક પદાર્થોના વાચક નામ સંબંધી નીમ્ પ્રત્યયોનો આ સૂત્રથી શિ આદેશ થતો હોય તો ભલેને થતો. આમ કુલ ત્રણ પૈકીના બે પક્ષનો સ્વીકાર કરી બૂવૃત્તિમાં 'નપુંસકસ્થ સચિનો ન–શો ...' આમ સૂત્રાર્થ દર્શાવ્યો છે !
ગોરી ૨.૪.પદ્દા बृ.व.-नपुंसकस्य सम्बन्धी औकार ईकारो भवति। कुण्डे तिष्ठतः, कुण्डे पश्य ; एवम्-दधिनी, मधुनी, कर्तृणी, पयसी। तत्सम्बन्धिविज्ञानादिह न भवति-प्रियकुण्डौ पुरुषो। इह तु भवति-परमकुण्डे।।५६।।