Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(6) રૂપસમાપ્તયા વા વહુવયા વિષ્ટરે. અહીં ‘નામ્નઃ પ્રા॰ ૭.રૂ.૨' સૂત્રથી હા નામની પૂર્વે વહુ પ્રત્યય લાગતા નિષ્પન્ન વહુવા નામ સ્થળે આપ્ પ્રત્યયાન્ત ઘા નામ મુખ્ય રૂપે વર્તે છે, તેથી તેનાથી વિહિત ટા પ્રત્યય આવન્ત હા નામ સંબંધી ગણાવાના કારણે વહુહા નામના અંત્યવર્ણ આ નો આ સૂત્રથી ર્ આદેશ થશે. અહીં વહુવા નામ ઉપમેયાર્થક હોવા છતાં અર્થાત્ ઉપમેય એવા વિલ્ટર શબ્દના વિશેષણ રૂપે વર્તવા છતાં પણ તેનો વા પ્રકૃતિના લિંગ અને વચનમાં જ પ્રયોગ થશે તે ‘અતમવારે૦ ૭.રૂ.૬' સૂત્રની બૃહત્કૃત્તિમાંથી જાણી લેવું ।।૬।।
૯૬
=
સીતા ।। ૨.૪.૨૦ ।।
(2)
बृ.वृ. - आन्तस्य सम्बन्धिना औता प्रथमाद्वितीयाद्विवचनेनौकारेण सहाबन्तस्यैवैकारो ऽन्तादेशो भवति ।
(6)
માને તિષ્ઠત:, માળે પરવ; મ્-વદુરાને ૨ માર્યો, વ્યારીયનઘ્યે વન્યા આપ ત્યેવ? શીલાનો પુરુષો तत्सम्बन्धिविज्ञानादिह न भवति- बहुखट्वौ पुरुषौ । इह तु भवति - ईषदपरिसमाप्ते खट्वे बहुखट्वे मञ्चकौ ।। २० ।। સૂત્રાર્થ :આપ્રત્યયાન્ત નામ સંબંધી પ્રથમા અને દ્વિતીયા દ્વિવચનના ો પ્રત્યયની સાથે તે આ પ્રત્યયાન્ત નામના જ અંત્ય વર્ણનો ર્ આદેશ થાય છે.
મે
વિવરણ :- (1) સૂત્રમાં ‘શ્વેતા’ આ પ્રમાણે પ્રત્યયનો સામાન્યથી નિર્દેશ કર્યો હોવાથી પ્રથમા અને દ્વિતીયા બન્નેના દ્વિવચનના ો પ્રત્યયનું ગ્રહણ થાય છે.
(2) આ સૂત્રમાં પૂર્વસૂત્રથી અનુવૃત્ત ‘આવન્તસ્ય’ પદની ષષ્ઠી વિભક્તિનું સૂત્રના અર્થને અનુસારે એક વખત સંબંધી રૂપે અને એક વખત સ્થાનિ (કાર્યો) રૂપે એમ બે પ્રકારે ગ્રહણ કરવાનું છે. તેથી જ બૃહદ્ધૃત્તિમાં એકવાર ‘આવન્તસ્ય સમ્બન્ધિના' આમ સંબંધી રૂપે અને બીજીવાર ‘આવન્તસ્ય (સ્થાને)' એમ સ્થાનિ રૂપે ‘આવન્તસ્ય’ પદને દર્શાવ્યું છે.
શંકા ઃ- અર્થ જણાવવા શબ્દોનો ઉપયોગ કરાતો હોય છે. તેથી તે તે શબ્દો વિવક્ષિત કોઇ એક અર્થનું પ્રત્યાયન (બોધ) કરાવે એટલે તેનું અર્થ પ્રત્યાયન કરાવવાનું કાર્ય પૂર્ણ થઇ જતાં તે ચરિતાર્થ (સફળ) થઇ ગયો ગણાય. આથી પુનઃ તે અન્ય અર્થનું પ્રત્યાયન ન કરાવી શકે. પ્રસ્તુતમાં પૂર્વસૂત્રાનુવૃત્ત ‘આવન્તસ્ય’ પદની ષષ્ઠીનો એકવાર સંબંધી રૂપે અર્થ ગ્રહણ કરતા તે ચરિતાર્થ થઇ જાય છે, તો તેના દ્વારા બીજી વખત સ્થાનિ રૂપ અર્થ કેમ ગ્રહણ કરી શકાય ?
સમાધાનઃ- આ સૂત્રમાં કાર આદેશરૂપે દર્શાવ્યો છે અને આદેશ ક્યારે પણ સ્થાની (આદેશી) વિના સંભવે નહીં. તમારા કહ્યા મુજબ જો પૂર્વસૂત્રાનુવૃત્ત ‘આવન્તસ્ય' પદ દ્વારા સ્થાનિ રૂપ અર્થ ગ્રહણ ના કરીએ તો ‘આપ્ પ્રત્યયાન્ત નામ સંબંધી પ્રથમા અને દ્વિતીયા દ્વિવચનના અે પ્રત્યયની સાથે અંત્યવર્ણનો ૬ આદેશ થાય છે '