Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૭૮ વ્યપેક્ષા સામર્થ્યવાળા પદોમાં થાય છે. તેથી વાસ્થતિ ચૈત્ર માસેન, પૂર્વ રીયતાં સ્વતઃ સ્થળે તે પરિભાષા સુત્રથી જ સામર્થ્યના અભાવમાં આ સૂત્રથી પૂર્વનામને સર્વાદિત્વનો નિષેધ નહીં થાય. તેથી આ સૂત્રમાં યોગ' પદ મૂકવું નિરર્થક છે.
સમાધાન :- સાચી વાત છે. પણ અન્યમતનો સંગ્રહ કરવા માટે સૂત્રમાં ચોરી પદ મૂક્યું છે. અન્ય વ્યાકરણકારોએ માત્ર તૃતીયાન્ત નામથી અનંતર પરમાં રહેલા પૂર્વ અને અવર નામોને તૃતીયાન્ત નામના યોગમાં સર્વાદિત્વનો નિષેધ નથી કર્યો, પણ સામાન્યથી તૃતીયાન્ત નામની સાથે યોગ ગમ્યમાન હોય અર્થાત્ તૃતીયાન્ત નામની પૂર્વ કે પરમાં રહેલા પૂર્વ અને અવર નામોને તૃતીયાન્ત નામ સાથે યોગ વર્તતા સર્વાદિત્વનો નિષેધ કર્યો છે. તેથી તેઓના મતે મારે પૂર્વીય પ્રયોગની જેમ પૂર્વાહ માસે પ્રયોગ પણ થાય છે. તેમના મતના સંગ્રહને માટે સૂત્રમાં ‘યોન' પદ મૂકવું જરૂરી છે.
શંકા - સૂત્રમાં ‘તૃતીયાત્તાત્' નિર્દેશ હોવાથી ‘પુષ્યસ્ય નિર્વિરે પરશુ(A) ૭.૪.૨૦,' પરિભાષા દ્વારા તૃતીયાના નામથી પરમાં જ વર્તતા પૂર્વ અને નવર નામોને સવદિત્વનો નિષેધ થઇ શકશે. તેથી ‘યોગ' ના ઉપાદાનથી પરના મતનો સંગ્રહ શી રીતે કરશો?
સમાધાન - અમે પરમતનો સંગ્રહ કરવા તૃતીયાત્તાત્ પદ સ્થળે તૃતીયાન્તન પદ છે એમ માનશું, અને સૂત્રવૃત્તિ પૂર્વ શબ્દદિકશબ્દ(B) હોવાથી તેના યોગમાં 'મૃત્યચાર્યવિવશ૦ ૨.૨.૭૬'સૂત્રથી અહીં 'તૃતીયાન્ત' એમ દિગ્યોગલક્ષણા પંચમી વિભકિત થઇ છે એમ ગણશું. જેથી વાસ્તવિકતાએ તૃતીયાજોન પદ હોવાથી 'શ્વભ્યા નિર્દિષ્ટ રસ્થ ૭.૪.૨૦૧'પરિભાષાની પ્રવૃત્તિ ન થતા તૃતીયાના નામની સાથે પૂર્વ અને નવા નામનો યોગ હોતે છતે .....” આવો સૂત્રનો અર્થ પ્રાપ્ત થવાથી પરના મતનો સંગ્રહ થઇ જશે તારા
તીર્થ હિાર્વે વા ૨.૪.૨૪). बृ.व.-तीयप्रत्ययान्तं शब्दरूपं डितां डे-सि-ङस्-डीनां कार्ये कर्तव्ये वा सर्वादिर्भवति। द्वितीयस्मै, द्वितीयाय ; द्वितीयस्यै, द्वितीयायै ; द्वितीयस्मात, द्वितीयात् ; द्वितीयस्या द्वितीयाया आगतः, द्वितीयस्या द्वितीयायाः स्वम्, द्वितीयस्मिन्, द्वितीये ; द्वितीयस्याम्, द्वितीयायाम्। एवम्-तृतीयस्मै, तृतीयाय इत्यादि। डित्कार्ये इति किम्? तत्रैव सर्वादित्वं यथा स्यात्, नान्यत्र, तेनाक् न भवति, तथा च कप्प्रत्यये सति स्वार्थिकप्रत्ययान्ताग्रहणात् स्मैप्रभृतयो न भवन्ति-द्वितीयकाय, तृतीयकाय, द्वितीयकाय, तृतीयकाये इत्यादि। अर्थवतः प्रतिपदोक्तस्य च ग्रहणादिह न भवति-पटुजातीयाय, मुखतो भवो मुखतीयः, गहादिपाठादियः, मुखतीयाय एवम्-पार्वतीयाय।।१४।। (A) પંચમી વિભક્તિના નિર્દેશ પૂર્વક જે કાર્યનું કથન કર્યું હોય તે અવ્યવહિત પરમાં રહેલાને જ થાય છે. (B) “શિ રા: શબ્દ = વિરાટ' અર્થાત્ જે શબ્દોનો દિશાવાચક રૂપે પ્રયોગ થતો હોય અને વર્તમાન પ્રયોગ
કાળે તેઓ દિશાવાચક રૂપે વર્તતા હોય કે ન હોય તો પણ તેઓ દિકશબ્દ કહેવાય છે.