Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૨૨
૭૫ (બૃહન્યાસમાં આ પદાર્થનું નિરૂપણ નીચે મુજબ કરવામાં આવ્યું છે.)
સૂત્રમાં યોગ વ્યાપેક્ષા અને એકાથભાવ ઉભય રૂપે ગ્રહણ કરાય છે. તેમજ સૂત્રવૃત્તિ તૃતીયાન્ત પદસ્થળે મન્ત શબ્દનું ગ્રહણ ‘વિગ્રહસ્થળે જેમ તૃતીયાના નામથી પમાં રહેલાં પૂર્વ અને અવર નામોને આ સૂત્રની પ્રવૃત્તિ થાય છે તેમ સમાસસ્થળે પણ થાય છે તેના બોધને માટે છે. અન્યથા ‘તૃતીયાયા: પૂર્વાઇવરે યોને' આવું સૂત્ર બનાવત કે જેથી વિગ્રહસ્થળે સંભવતી તૃતીયા વિભકિતથી પરમાં રહેલા પૂર્વ અને નવર ને આ સૂત્રની પ્રવૃત્તિ થઈ શકત. હવે મનત શબ્દથી ગૃહીત સમાસ અનેક વિભકિતવાળો હોય છે, કેમકે સમાસ પૂર્વે વિગ્રહાવસ્થામાં બે નામોને એક એક વિભકિત હોય છે અને ‘ાર્સે રૂ.૨.૮' સૂત્રથી તેનો લોપ થયા બાદ સામાસિક નામોને પુનઃ નવી વિભકિતની ઉત્પત્તિ થાય છે. તો ઉપરોકત ઉભય પ્રકારના યોગ પૈકીના એકાથભાવાત્મક યોગનો જ્યારે આશ્રય કરાય ત્યારે સૂત્રસ્થ તૃતીયાન્ત શબ્દનો વિગ્રહ તૃતીયાંયા: અન્તઃ (અર્થાત્ વિનાશ:/g) = તૃતીયાન્તઃ આમ થશે, અને આ વિગ્રહ સમાસસ્થળે ઘટશે. કેમ કે હમણાં જ આપણે જોઇ ગયા કે સમાસ અનેક વિભક્તિવાળો હોવાથી તેની વિગ્રહાવસ્થાની તૃતીયા વિભકિતનો સમાસ થતા લોપ (અંત) થાય છે.
શંકા - તમે એકાર્થભાવનો આશ્રય કરતા તૃતીયાયઃ સન્ત: = તૃતીયાન્ત: આ વિગ્રહની વાત કરી છે. તો એકાથભાવવાળા સ્થળે આ વિગ્રહની ઘટમાનતા કરવી જોઈએ, સમાસસ્થળે નહીં. સમાસ અને કાર્થભાવને શું લાગે વળગે?
સમાધાન - સમાસ એ એકાથભિાવવાળું સ્થળ જ છે. કેમકે એનાથભાવ એટલે ભિન્ન અર્થવાળા પદોનું પોતાનો અર્થ ત્યજવા પૂર્વક કે પછી પોતાનો અર્થ ગૌણ પડવા પૂર્વક અનેક અર્થવાળા થવું તે. તો સમાસસ્થળે પણ જહસ્વાર્થA) રૂપે વૃત્તિનો કે પછી અજહસ્વાર્થ રૂપ વૃત્તિનો આશ્રય કરતા જેમનો અર્થ ગૌણ છે તેવા ગૌણ(B) પદો તેમજ પ્રધાન અર્થવાળા (= મુખ્ય) પદો એ જહસ્વાર્થ પક્ષની અપેક્ષાએ વ્યર્થ થયા થકા તેમજ અજહસ્વાર્થ પક્ષની અપેક્ષાએ ગૌણ અને મુખ્ય આમ બે અર્થવાળા થયા થકા એકાઈક થાય છે. તેથી સમાસસ્થળે એકાથભાવ હોય જ છે. આમ સમાસસ્થળે કરેલ ઉપરોકત ઘટમાનતાયુકત છે. તો એનાથભાવવાળા સમાસસ્થળે આ સૂત્રનો અર્થ ‘તૃતીયા વિભક્તિના નાશથી પરમાં રહેલા પૂર્વ અને વર નામો તૃતીયા વિભક્તિના નાશની સાથે યોગ વર્તતા સર્વાદિ નથી થતા” આવો થશે, અને આપણે સૂત્રસ્થ તૃતીયાન્ત પદસ્થળે ગમ્યમાન ઘરઆ દિશબ્દના યોગમાં ‘મૃત્યાર્થ. ૨.૨.૭૧' સૂત્રથી દિગ્યોગલક્ષણા પંચમી થઇ છે. હવે જ્યારે યોગ શબ્દપેક્ષાર્થક લઈએ ત્યારે સૂત્રસ્થ તૃતીયાન્ત શબ્દનો વિગ્રહ તૃતીય અન્ને વસ્ત્ર = કૃતીયાન્ત: આમ થશે. આ બહુવ્રીહિ ઉભૂત અવયવવાળો છે. (A) જહસ્વાર્થ અને અજહસ્વાર્થ પક્ષને જાણવા ‘૧.૪.૭' સૂત્રનું વિવરણ જોવું. (B) ક્રિયાપદ દ્વારા અભિહિત બનતું નામ મુખ્યનામ અને તેનાથી અતિરિક્ત ગૌણ નામ કહેવાય. (C). સૂત્રમાં પૂર આ દિકશબ્દ પ્રયુજ્યમાન નથી. છતાં ગમ્યમાન એવા તેને લઇને તૃતીયાત્તાત્ પદસ્થળે રાન્નક્ષ્ય
વિત પ્રયોગવત્ દિગ્યોગલક્ષણા પંચમી વિભક્તિ કરી છે. આ અંગે વિશેષ જાણવા ૧૨.૨.૭૫' સૂત્રની બૃહદૃત્તિમાં Tીમાનેના િવ શિક્રેન મતિ' ... વિગેરે પંક્તિઓ જોવી.