Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - સ્વરૂપનો નિર્ણય માત્ર પ્રયોગથી જ નહીં, શાસ્ત્રથી પણ થઇ શકે છે. વ્યાકરણ શાસ્ત્રના -ત-૦િ ૭.૨.’ અને ‘વહુનાં પ્રશ્ન૭.૩.૧૪' સૂત્રોથી અનુક્રમે ઉતર-ડત નું પ્રત્યય રૂપે સ્વરૂપ નિર્ણિત થઈ જતું હોવાથી તમારી શંકાને સ્થાન નથી રહેતું અને આ વાત પણ ધ્યાનમાં રાખવી કે ઉતર-ડતી એ કોઈ નામ નથી, પરંતુ પ્રત્યયો છે. અને ‘ર વત્તા પ્રકૃતિ નાડપિ પ્રત્યયઃ'ન્યાયાનુસારે કેવળ ઉતર-ઉતમ પ્રત્યયોનો પ્રયોગ શક્ય ન હોવાથી સર્વાદિ ગણપાઠમાં દર્શાવેલાં તેઓ ય, તત્ વિગેરે પ્રકૃતિની સાથે પોતાના જોડાણ પૂર્વકના પતરશ્મિન , યતિમક્સિન આદિ પ્રયોગોને જણાવવામાં તત્પર છે.
શંકા - ૪તર-તમનો તમે રૂપનિગ્રહ (સ્વરૂપનિર્ણય) તો કરી આપ્યો. પણ હવે એ વાત કરો કે સ્વાર્થિક ડતર-વતન પ્રત્યયો જેમને લાગી શકે છે તેવા , તત્, વિમ્ અને અન્ય શબ્દોને તો સર્વાદિ ગણપાઠમાં દર્શાવી જ દીધા છે અને પ્રકૃતિ પ્રહને સ્વાર્થચિત્તાનામ પ્રહF' ન્યાયથી સ્વાર્થિક ડતર-ઉતમ પ્રત્યયાત આદિ પ્રકૃતિને પણ સર્વાદિનામાશ્રિત કાર્યો પ્રાપ્ત જ છે, તો શા માટે ગણપાઠમાંડતર-ઉતમ પ્રત્યયો દર્શાવ્યા છે?
સમાધાન - બે કારણે અમે ઉતર-ઉતમ પ્રત્યયોનું ગણપાઠમાં ગ્રહણ કર્યું છે.
(a) “પ્રકૃતિપ્રત સ્વાર્થ ' ન્યાયથી જેમસ્વાર્થિક ડતર-ઉતમ પ્રત્યયાન્ત વિગેરે નામોને સર્વાદિકાર્યોની પ્રાપ્તિ છે, તેમ અન્ય રૂ૫, તર, તમ વિગેરે સ્વાર્થિક પ્રત્યયાન્ત સર્વ, વિશ્વ વિગેરે બધા જ સર્વાદિ નામોને પણ સર્વાદિકાર્યો થવાની પ્રાપ્તિ આવે છે, જે ઇષ્ટ નથી. તેથી “સિદ્ધ હત્યારો નિયમ' ન્યાયાનુસારે સ્વાર્થિક પ્રત્યયમાં કેવળ ઉતર-ઉતમ પ્રત્યકાન્ત વત્ વિગેરે પ્રકૃતિને સવદિ ગણવાપૂર્વક સર્વાદિકાર્યો થઇ શકે, અન્ય | વિગેરે સ્વાર્થિક પ્રત્યયાન્ત કોઇપણ સર્વાદિ પ્રકૃતિને તે કાર્યોન થઇ શકે, તે માટે ઉતર-ઠતમ પ્રત્યયોનું ગણપાઠમાં ગ્રહણ કર્યું છે.
અહીં યાદ રાખવું કે ગણપાઠમાં સ્વાર્થિક ઉતર-ઉતમ પ્રત્યયના ગ્રહણથી જેમ , તાપૂ, તમ વિગેરે અન્ય સ્વાર્થિક પ્રત્યયાત્ત સર્વ, વિશ્વ વિગેરે સર્વનામોના સર્વાદિત્વની નિવૃત્તિ થાય છે, તેમ અત્યાર સઃ ૭.૨.૨૬' સૂત્રથી પ્રાપ્ત સ્વાર્થિક મ પ્રત્યય પૂર્વકના સર્વ, વિશ્વ વિગેરે નામોના સર્વાદિત્વની નિવૃત્તિ નહીંથાય. કેમકે તરડત પ્રત્યયો પ્રકૃતિને અંતે થતા હોવાથી તેઓ પ્રકૃતિને અંતે થતા હોય તેવા સ્વાર્થિક પ્રત્યયાન્ત સર્વાદિ નામોના જ સર્વાદિત્વની નિવૃત્તિરૂપ સંકોચ કરે છે, જ્યારે પ્રત્યય પ્રકૃતિના અંત્યસ્વરની પૂર્વે થતો હોવાથી પ્રત્યયાન્ત સવદિ નામોના સર્વાદિત્વનો નિષેધ તેમનાથી ન થઈ શકે.