________________
૮૪
તેમાં આઠ મહાપ્રાતિહાર્યોના વર્ણનમાં શ્રી પ્રવચનસારોદ્ધાર પોતાની આગવી વિશેષતા ધરાવે છે. એ આકરગ્રંથમાં અનેક પદાર્થોને વિષયવાર નિરૂપવા માટે સ્વતંત્ર દ્વારે છે. તેમાંથી ૩મા દ્વારમાં આઠ મહાપ્રાતિહાર્યોનું વર્ણન છે. તેમાં એક જ ગાથામાં આઠેઆઠ પ્રાતિહાર્યોને આગમિક પ્રાકૃત શૈલીમાં આ રીતે રજૂ કરવામાં આવ્યા છે:
ककिल्लि कुसुसवृट्ठी, देवझुणि चामराऽऽमणाइ च । भावलय भेरि छत्त, जयति जिणवाडिहेगइ१ ॥ આ વિષયમાં શાસ્ત્રોમાં સંસ્કૃત ગાથા આ રીતે મળે છે ? अशोकवृक्षः सुरपुप्पवृष्टिः
दिव्यध्वनिश्चामर मामन च । भ मण्डल दुन्दुमिरातपत्र
सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।। પ્રાતિહાર્ય શબ્દની વ્યાખ્યા કરતાં પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે :
प्रतिहारा इव प्रतिहाराः सुरपातिनियुक्ता देवास्तेषा कर्माणि-कृत्यानि प्रातिहार्याणि ।
1 ગાથા ૪૪૦
અર્થ અશોકવૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામડલ, દુદુભિ અને છત્રત્રય એ જિન પ્રાતિહાર્યો સદા જય પામે છે.
૨ આ ગાથાને અર્થ સરલ છે.
આતપત્ર એટલે છત્ર લોકપ્રકાશમાં શ્લોક આ રીતે મળે છે ? अशोकद्रु पुष्पराशिः सद्ध्वनिश्चामरासने । छत्र भामण्डल भेरी प्रातिहार्याष्टक ह्ययः ।।
– સ. ૩૦ પૃ ૩૧૧