________________
૧૪૫
જેમ પ્રલયકાલીન સૂર્યની સામે લોકો પિતાની આખને એક ક્ષણ પણ સ્થિર ન કરી શકે, તેમ મિથ્યાષ્ટિ જી ક્ષણ વાર પણ આ ધર્મચક્રાતિશયને જોઈ શક્તા નથી, તેઓની આંખ અંજાઈ જાય છે. આ જ ધર્મચક સમ્યગ્દ િટ આત્માઓ માટે અમૃતમય અંજન બની જાય છે. તેઓની દુટિ તેના ઉપર સ્થિર થઈ જાય છે, અને તે વધુ ને વધુ સ્થિર થવા લાગે છે. એ ચકના મહાન પ્રભાવથી તેઓનાં કર્માધકારના પડલ વિખરાઈ જાય છે. અને આત્મા સ્વપ્રકાશથી વધુ ને વધુ પ્રકાશિત થાય છે.
આ ધર્મચક તીર્થ કરલક્ષ્મીના ભાલનું પ્રશસ્ત તિલક છે. આ ધર્મચક વિશે ત્રિષ , શલાકાપુરુષ ચરિતમાને કહ્યું
આગળ ચાલતાં ચકથી જેમ ચક્રવતી શોભે તેમ આગળ ચા -તા અસાધારણ તેજવાળા ચક્રથી ભગવાન ત્રાષભદેવ શોભી રહ્યા હતા.”
ચક્રવતીનુ ચક્ર જેમ બતાવે છે કે --“આ છ ખંડના વિજેતા છે.” તેમ આ ધર્મચક્ર એ બતાવે છે કે - “ આ દેવાધિદેવ ત્રણે ભુવનના વિજેતા છે.”
ચક્રવર્તીને જેમ ચક હોય છે અને ઈદ્રને જેમ વા, તેમ સર્વ જીવોના સમસ્ત કર્મશત્રુઓ પર વિજય મેળવવા ભગવતને ધર્મચક હોય છે.
1 मिथ्याशा युगान्तार्क सुदशाममृताञ्जनम् ।
तिलक तीर्थकृल्लक्ष्म्या, पुरश्चक्र तवैधते ॥ મિથ્યા દષ્ટિએ માટે પ્રલયકાલીન સુર્ય, સમ્યગ્દષ્ટિઓ માટે અમૃતમવ અ જન અને તીર્થ કરલક્ષ્મીનુ નિલક, એવું ધર્મચક્ર, હે પ્રભો! આપની આગળ ચાલે છે.
વી સ્ત પ્ર. ૪ ૨ ક. ૧ ૨ પર્વ ૧/૨ સર્ગ ૬, પૃ ૨૦૪/૫ દે, ભ મ ૧૦