________________
૨૦૧
ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કહ્યું છે કે –
જગત્પતિએ ભવ્ય જનોનાં હૃદયની જેમ મોક્ષદ્ધારરૂપ એ સમવસરણમાં પ્રવેશ કર્યો. અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી. તે પછી પૂર્વ દિશા તરફ આવી “સમસ્તીઝ' એમ કહીને એટલે કે તીર્થને નમસ્કાર કરી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ સિંહાસન ઉપર વિરાજમાન થયા તે જ ક્ષણે બાકીની ત્રણ દિશાઓમાં વ્યતર દેવેએ ભગવંતનાં ત્રણ પ્રતિરૂપ વિકુવ્ય.
શ્રી વીતરાગ સ્તવર ના વિવરણમા અને અવચરિમાં કહ્યું
“હે દેવાધિદેવ ! આપની મહાપૂજા માટે દેવતાઓ અષ્ટ મહાપ્રાતિહાર્યની રચના કરે છે. તેમાં અશોકવૃક્ષ સૌથી પ્રથમ હોય છે. જેમ જંબુદ્વિપની મધ્યમાં જંબૂ મહાવૃક્ષ છે તેમ સમવસરણની મધ્યમાં અશોકવૃક્ષ હોય છે. હે નાથ ! સર્વ જીવોને અલાય આપનાર આપનાં સમવસરણમાં આપના શરીરની ઊંચાઈ કરતાં તે અશેકવૃક્ષ બાર ગણો ઊ ચે હોય છે. તે પરિમંડલકારે સંપૂર્ણ સમવસરણ ઉપર એક જન સુધી વિસ્તરેલ હોય છે. તે સ્વામિન ! આપની સમવસૃતિ (સમવસરણ) રૂપ મહાલક્ષમીનાં મસ્તકે તે મહાન સુંદર છત્રની જેમ શોભે છે. વ્યંતર દેવતાઓ આપની મહાભક્તિ નિમિત્તે પ્રથમ મહાપ્રાતિહાર્યરૂપે તે અશોકવૃક્ષની રચના કરે છે.
જગતના સર્વ સના શેકને દૂર કરનાર હે સ્વામિન ! આપના મહાપ્રભાવથી દેવતાઓ વડે વિરચિત આ અશોકવૃક્ષ પરમ આનંદને પામી રહેલ છે. આશોકવૃક્ષ એ વિચારથી પ્રભેદ પામી રહેલ છે કે –
કયારૂપ દાવાનલથી પરિતપ્ત અને અતિકષ્ટ કરીને જેનો પાર પામી શકાય એવી સંસાર–અટવીમાં અનાદિકાળથી પરિભ્રમણ
૧ ભાષા. પર્વ ૧, સર્ગ ૬ પૃ. ૨૦૭ ૨ પ્ર ૫ લે ૧ આ વર્ણન ભાગવતની સ્તુતિરૂપે અહી આપ્યું છે.