________________
૧૦૩
बन्धान्
(છંદ – અનુષ્ટુપ)
अहंकारादि देहान्तान् बन्धानज्ञानकल्पितान् । स्वस्वरूपावबोधेन मोक्तुमिच्छा मुमुक्षुता ॥२८॥
અનંગાવિ વેહાન્તાન્ = અહંકારથી સ્વસ્વરૂપાવવોધેન = આત્મસ્વરૂપના માંડીને સ્થૂળ
જ્ઞાન વડે
દેહ સુધીના મોન્તુમ્
अज्ञानकल्पितान् = અજ્ઞાનથી ફ્છા માની લીધેલા મુમુક્ષુતા
= બંધનોથી
છૂટવાની = ઇચ્છાને
M
મુમુક્ષુતા (કહેવાય છે.)
મુમુક્ષુતા
અજ્ઞાનને કારણે કલ્પાયેલા બંધનોથી આત્મસ્વરૂપના સાચા જ્ઞાન દ્વારા છૂટવાની ઇચ્છાને ‘મુમુક્ષુતા’ કહેવામાં આવે છે. અત્રે બંધન વિશેની સ્પષ્ટતા કરતાં જગદ્ગુરુ શંકરાચાર્યજી જણાવે છે કે, બંધનનો અભાવ અજ્ઞાનને કા૨ણે જન્મે છે તથા આવું અજ્ઞાનજન્ય બંધન માત્ર મનોકલ્પિત જ છે. વાસ્તવમાં તો બંધન નામની કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી. આમ બંધન અજ્ઞાનજન્ય હોવાથી તથા મનોકલ્પિત ભ્રાંતિ જ હોવાથી સ્વસ્વરૂપના જ્ઞાન સિવાય તેમાંથી છૂટવાનો અન્ય કોઈ ઉપાય હોઈ શકે નહીં. સાક્ષાત્કાર કે મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા તમામ મુમુક્ષુઓએ આ વાત સ્પષ્ટપણે જાણી બંધનથી મુક્તિ પ્રાપ્ત ક૨વા માટે જ્ઞાનપ્રાપ્તિનો જ ઉપાય કે પછી સ્વસ્વરૂપના અજ્ઞાનને દૂર કરવાનો જ ઉપાય વિચારવો જોઈએ.
બંધનના ઉપાય વિશે વિચારતા પૂર્વે સૌ પ્રથમ આપણે એ જાણી લેવું જોઈએ કે બંધનનો અનુભવ કરે છે કોણ? જડ શરી૨ કદાપિ બંધનનો અનુભવ કરી શકે નહીં. તથા મૃત્યુ સમયે પણ જડ શરીર તો યથાવત પડી રહે છે. તેથી તેના માટે બંધનનો પ્રશ્ન ઊભો થઈ શકે નહીં. જો જડ શરીર બંધનનો અનુભવ કરતું હોય તો પથ્થર જેવા પદાર્થોને પણ બંધનનો અનુભવ