________________
૨૮૬
પૂર્વે જણાવ્યા મુજબ તમોગુણની આવરણશક્તિથી આત્મતત્ત્વ ઢંકાઈ જાય છે. અર્થાત્ મુમુક્ષુ, આત્મજ્ઞાન પ્રાપ્તિમાં આળસુ અને પ્રમાદી બને છે. તેમ હોવાથી જ પોતાના આત્મસ્વરૂપનું અજ્ઞાન ઊભું થાય છે. આવું અજ્ઞાન જ શરીર સાથે તાદાત્મ્ય કરી શરીરમાં અહંભાવ કે મમભાવ પેદા કરી ‘હું શરીર’ કે ‘શરીર મારું’ એવા ભાવથી મોહને કા૨ણે પીડાય છે. આમ, તમોગુણના આવરણથી પ્રભાવશાળી અને પ્રબળ બનેલો મોહ તથા અજ્ઞાન જ કામ અને ક્રોધ જેવા બંધનકારક ગુણોને વિકસાવે છે. કામ અને ક્રોધ બન્ને મુમુક્ષુને આત્મસ્વરૂપથી વિમુખ કરી ઇન્દ્રિયભોગના વિષયો તરફ જગતમાં ખેંચી જાય છે અને ક્ષણભંગુર સુખ અપાવી તેવા સુખનો નાશ થતાં ભોગીને પુનઃ દુઃખમાં નાંખે છે. આમ, સુખદુઃખરૂપી વિક્ષેપ ઊભો કરી મુમુક્ષુને બંધનમાં નાંખે છે. આવી ચિત્તની ચંચળતા કે સ્વરૂપજ્ઞાનમાં વિક્ષેપ ક૨ના૨ી ૨જોગુણની વિક્ષેપશક્તિ જ બંધનકારક છે તેવું સમજવું જોઈએ. આવી વિક્ષેપશક્તિ બળવાન થઈ મુમુક્ષુને દુ:ખી કરે છે. આ વિક્ષેપશક્તિ આવરણશક્તિનું જ પરિણામ છે. માટે પ્રત્યેક મુમુક્ષુએ વિક્ષેપ અને આવરણશક્તિથી બચવા પ્રયાસ કરવો જોઈએ.
(છંદ-શિખરિણી)
महामोहग्राहग्रसनगलितात्मावगमनो
धियो नानावस्थाः स्वयमभिनयंस्तद्गुणतया । अपारे संसारे विषयविषपूरे जलनिधौ
निमज्योन्मज्यायं भ्रमति कुमतिः कुत्सितगतिः ॥ १४३॥
મહામોહગ્રાહ-પ્રસન—ત્તિતાત્માવામનઃ = મહામોહરૂપી મગરનો કોળીયો થઈ,ગળી જવાયાથી આત્મજ્ઞાન રહિત બનેલો
= આ ભ્રાન્તબુદ્ધિવાળો
अयं कुमतिः तत्गुणतया
બુદ્ધિના ગુણોથી તદાકા૨ બનીને
ધિય : નાના અવસ્થા: =બુદ્ધિની (કર્તૃત્વ-ભોતૃત્વરૂપી ખોટા તાદાત્મ્યથી ઉત્પન્ન) વિવિધ અવસ્થાઓને
=