________________
૬૨પ
કલ્પિત કંઈ જ જણાતું નથી. પરંતુ મૂળ આત્મવસ્તુ આત્મસ્વરૂપે જ જણાય છે.
માટે ભ્રાંતિ દૂર કરી તમામ આરોપિત, કલ્પિત કે ભ્રાંતિજન્ય દેહાદિ કે વિશ્વનો અપવાદ કરી સર્વત્ર આત્મદર્શન કરવામાં જ સર્વાત્મદષ્ટિ રહેલી છે.
(છંદ-અનુષ્ટ્રપ) स्वयं ब्रह्मा स्वयं विष्णुः स्वयमिन्द्रः स्वयं शिवः ।
स्वयं विश्वमिदं सर्वं स्वस्मात् अन्यन्न किञ्चन ॥३८६॥ સ્વયં નહીં = પોતે બ્રહ્મા છે, સ્વયમ્ = પોતે (જ) સ્વયં વિષ્ણુ = પોતે વિષ્ણુ છે, રૂદ્ર સર્વ વિશ્વમૂ= આ બધું વિશ્વ છે સ્વયં . = પોતે ઈન્દ્ર છે, સ્વસ્મતું = પોતાથી સ્વયં શિવઃ = પોતે શિવ છે. અન્ય વિખ્ય ર = બીજું કાંઈ નથી.
આ સર્વમાં આત્મદષ્ટિ કરવાના સંદેશ સાથે પ્રારંભ કરવામાં આવેલી વિચારણા અત્રે તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. તે મુજબ દર્શાવવામાં આવ્યું છે કે, “સ્વયં રહ'' અર્થાત “હું બ્રહ્માજી છું.” બ્રહ્મ અર્થાત સત-ચિત-આનંદ સ્વરૂપ સમગ્ર વિશ્વનું દેશ-કાળ અને વસ્તુથી પરિચ્છેદરહિત અધિષ્ઠાન. જ્યારે બ્રહ્માજી એટલે નિરુપાધિક બ્રહ્મ નહીં, પરંતુ સોપાદિક બ્રહ્મ કે જેમને સૃષ્ટિના સર્જન માટે જવાબદાર ગણવામાં આવે છે. સૃષ્ટિના સર્જનનું કારણ પણ સ્વયં બ્રહ્માજી જ છે. સૃષ્ટિસર્જનનું કાર્ય કરવાને લીધે તેઓ બ્રહ્માજી કહેવાય છે પરંતુ વાસ્તવમાં નિષ્ક્રિય, નિરુપાધિક બ્રહ્મ જ છે. તેમ છતાં નિરુપાધિક બ્રહ્મ જેવું જેવું કાર્ય કરે, તેવા તેવા કાર્યની ઉપાધિથી સત્ય જ્ઞાનમનામું જેવા બ્રહ્મનું નામ પણ બદલાઈ જાય છે. આમ, કાર્યરૂપી ઉપાધિના પરિવર્તનમાં, “નામ”નું પરિવર્તન પણ જોવામાં આવે છે. છતાં જેમ પરપોટા, ફીણ કે તરંગો જેવા નામ બદલાવાથી કંઈ જળતત્ત્વમાં ફેરફાર થતો નથી, તેમ સત-ચિત-આનંદ સ્વરૂપ બ્રહ્મમાં ઉપાધિભેદે કે કાર્યભેદે નામ બદલવાથી કોઈ