Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 838
________________ ૮૨૧ તેનો બાધ કર્યો છે. તેનો અર્થ એવો નથી કે તેણે જીવાત્માને જીવતો રહેવા દીધો છે. જીવાત્માનો પણ “મદં વહાર્મિ' એવા જ્ઞાનમાં બાધ થયેલો છે. આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે જેને જીવભાવ જેવું કંઈ નથી, તો નવા નવા શરીર ધારણ કરી જન્મ લેશે કોણ? માટે સર્વદષ્ટિએ જીવન્મુક્તને તો પુનર્જન્મ નથી જ. તેમ છતાં જો એવું માનીએ કે આત્મજ્ઞાન પછી પણ દેહ તો દેહનું પ્રારબ્ધ ભોગવવા ટકે છે અને પ્રારબ્ધ ભોગવાઈ જતાં જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે દેહ, પ્રારબ્ધ કર્મના બંધનથી મુક્ત થઈ જાય છે તો તેવી મુક્તિ દેહત્યાગ પછીની વિદેહમુક્તિ તરીકે ઓળખાય છે. આમ, તેણે સંચિત અને આગામી કર્મોનો જ્ઞાનમાં નાશ કર્યો હોય અને પ્રારબ્ધ કર્મથી મુક્ત થવા સાક્ષીભાવે જીવતો હોય તેવો પણ, પ્રારબ્ધ અને તેનું કાર્ય એવો દેહ સમાપ્ત થતાં, દેહ અને પ્રારબ્ધથી મુક્ત થઈ વિદેહકૈવલ્યને પ્રાપ્ત થયો છે તેવું કહેવાય છે. આવો વિદેહકૈવલ્યને પ્રાપ્ત થઈ ચૂકેલો બ્રહ્મરૂપે જ રહેતો હોવાથી પુનઃ જન્મમૃત્યુના સંસારમાં પાછો આવતો નથી. તે જ શ્લોકનું તાત્પર્ય છે. * આમ હોવાથી જ અત્રે સ્પષ્ટ નિર્દેશ છે કે જીવ અને બ્રહ્મના ઐક્યજ્ઞાન દ્વારા અવિદ્યાજન્ય દેહરૂપી ઉપાધિ જેની બળી ગઈ છે તેવા બ્રહ્મીભૂત થયેલા બ્રહ્મજ્ઞાનીનો પુનર્જન્મ ક્યાંથી? “વહ્મમૂતવાક્ બ્રહ્મઃ ઉદ્વવઃ સુતા” | (છંદ-અનુપ) मायाक्लृप्तौ बन्धमोक्षौ न स्तः स्वात्मनि वस्तुतः । यथा रज्जौ निष्क्रियायां सर्पाभासविनिर्गमौ ॥५७०॥ यथा = જેવી રીતે નિક્રિયાયાં રબ્બી = ક્રિયા વગરની દોરીમાં સર્પોમાસવિનિની = સાપના આભાસનું આવવું અને જવું

Loading...

Page Navigation
1 ... 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858