Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

Previous | Next

Page 786
________________ ૭૬૯ अपि न = પણ નથી મર્દ ભોગ પ વા ભોગયિતા = હું ભોગવનાર તેમજ ભોગવાવનાર પિ ના =પણ નથી. દં કૃષ્ણ ગોપ વા રયિતા = હું જોનાર તેમજ બતાવનાર अपि न = પણ નથી. अहम् =(પણ) હું તો સઃ નીવ્ર સ્વયં જ્યોતિઃ તે સૌથી વિલક્ષણ સ્વયં પ્રકાશ आत्मा =આત્મા (છું.) સૂર્ય કર્મથી, અગ્નિ લોઢાથી અને દોરી સર્પથી અસંગ છે તથા તેમના સાક્ષીરૂપે રહેલા છે. સંસારના લોકોના કોઈ પણ કર્મ સાથે સૂર્યને સંબંધ હોતો નથી. આકાશમાં વાદળાંની દોડવાની ક્રિયાનો સંબંધ પણ સૂર્યમાં જોવા મળતો નથી કારણ કે સૂર્યને વાદળ સાથે કે તેની ક્રિયા સાથે કોઈનાતો-રિશ્નો નથી છતાં આકાશના વાદળાંની અને ધરતીના ભૂતમાત્રની ક્રિયાઓમાં સૂર્ય સાક્ષી અવશ્ય છે, પણ સંબંધી બેશક નથી. તેવી જ રીતે અગ્નિને કોઈ સંબંધ હોતો નથી. પરંતુ માત્ર સંસર્ગદોષના કારણે જ અગ્નિ જેવા ધર્મો લોખંડમાં દેખાય છે અને તેવો જ મિથ્યા સંબંધ દોરી અને સર્પ વચ્ચે છે. ભ્રાંતિરૂપી સર્પમાં જન્મ, જીવન અને નાશ જેવું જે કંઈ જણાય છે તેવી ઉત્પત્તિ, સ્થિતિ અને લયને દોરી સાથે કોઈ નિસ્બત કે સંબંધ નથી. છતાં જો દોરી અને સર્પ વચ્ચે કોઈ સંબંધ છે તેવું કહેવું જ હોય તો તેવા સંબંધને આધ્યાસિક સંબંધ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે હે ગુરુદેવ! મારા અસંગ, અવિકારી, કૂટસ્થ સાક્ષી આત્માને ઇન્દ્રિયોના કર્મો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોઈ શકે નહીં. વાસ્તવમાં હું નતો કર્મ કરનાર કર્તા છું કે ન તો કર્મનો નિયંતા, કર્મ કરાવનાર છું. તે જે ન્યાયે હું ન તો કર્મનું ફળ ભોગવનાર ભોક્તા છું. કે ન તો કર્મના ફળને ભોગવાવનાર કર્મફળદાતા છું. આમ, ન તો કર્મનું નિયંત્રણ કરનારો કે ન તો ઈન્દ્રિયભોગનું નિયંત્રણ કરનારો છું. નથી હું

Loading...

Page Navigation
1 ... 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858