________________
૩૭૪
આનંદ અનુભવે છે, તેવી આનંદાનુભૂતિ સહજ અને સ્વાભાવિક છે. આવી આનંદાનુભૂતિ, જે આત્મા અજ્ઞાનથી ઢંકાયેલો છે તે આત્માના અસીમ આનંદના પ્રતિબિંબરૂપે જ સુષુપ્તિમાં જણાય છે. તેથી તેવો આનંદ તમોગુણની વૃત્તિજન્ય કહેવાય છે.
इषत्
(છંદ-અનુષ્ટ્રપ) आनन्दमयकोशस्य सुषुप्तौ स्फूर्तिरुत्कटा ।
स्वप्नजागरयोरीषदिष्टसंदर्शनादिना ॥२१०॥ માનન્દ્રમોશસ્ય = આનંદમયકોશનું * કરી છૂર્તિ = સ્પષ્ટ ફુરણ सुषुप्तौ
= સુષુપ્તિ અવસ્થામાં (ગાઢ નિદ્રામાં) (થાય છે.) સ્વપ્નના રોઃ = સ્વપ્ન અને જાગ્રતમાં સંદર્શનારિકા = પોતાની પ્રિય વસ્તુના દર્શન થતાં કે તેની પ્રાપ્તિ થતાં
(આનંદમયકોશનું) = થોડું (ક્ષણિક) સ્કુરણ થાય છે.
આનંદમયકોશનો ઉત્કટ કે સર્વશ્રેષ્ઠ પ્રકાશરૂપી પ્રભાવ તો માત્ર સુષુપ્તિકાળે જ અનુભવાય છે. જ્યારે તેનો આંશિક પ્રકાશ કે પ્રભાવ, જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પણ જ્યારે જીવાત્માને તેની પ્રિય કે વહાલી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે, ત્યારે જણાય છે. તેવા સમયે પ્રિયના દર્શન કે શ્રવણ માત્રથી જ આનંદમયકોશનો ક્ષણિક સુખસ્વભાવ વર્તાય છે. સ્વપ્નાવસ્થામાં ભોગ્યપદાર્થો અને ભોક્તા, બન્ને એક જ હોય છે. બન્ને કાલ્પનિક અને સૂક્ષ્મ હોય છે. વાસ્તવમાં ત્યાં ભોગ થતો જ નથી છતાં સ્વપ્નદૃષ્ટા, ભોગવ્યું હોય, તેવો આનંદ અનુભવે છે. તેથી સ્પષ્ટ જ છે કે સ્વપ્નકાળે સુખભોગની વૃત્તિ તો અદશ્ય, અવ્યક્ત અને અંતર્મુખી કે આંતરિક હોય છે અને તેવી વૃત્તિ આનંદમયકોશના લીધે અનુભવાય છે. માટે જ સ્વપ્નમાં પણ બધું કાલ્પનિક હોવા છતાં આનંદ અનુભવાય છે.