________________
उत्क्रमणादिकाः क्रियाः
प्राणादि कर्माणि तज्ज्ञाः वदन्ति
अशना-पिपासे प्राणस्य धर्मों
=
=
=
=
૨૩૫
મરણકાળે ઉત્ક્રમણ વગેરે ક્રિયાઓ
પ્રાણાદિના કર્મો છે. (તેમ)
વિશેષજ્ઞો કહે છે. (તથા)
ભૂખ અને તરસ
પ્રાણના ધર્મો છે.
પૂર્વોક્ત ચર્ચા મુજબ હવેના બે શ્લોકમાં ઇન્દ્રિય અને પ્રાણના ધર્મના વિવરણ દ્વારા આત્માનું અધર્મીપણું સમજાવવામાં આવ્યું છે. જેથી સાધક કે મુમુક્ષુ સાવચેતીપૂર્વક આત્મચિંતન કરી સ્વયંને અધર્મસ્વરૂપ આત્મા જાણી શકે.
વ્યક્તિ જ્યારે ઝીણાંમાં ઝીણી વસ્તુને પણ સ્પષ્ટપણે જોઈ શકતી હોય ત્યારે તેવી સતેજ દૃષ્ટિવાળી આંખના ધર્મને ‘પટુત્વ’ કહે છે. જયારે આંખે ઝાંખુ દેખાય છે અથવા તો દશ્યને જોવા માટે તેને ચશ્માની આવશ્યકતા રહે છે ત્યારે તેવી આંખને મંદદષ્ટિવાળી આંખ કહે છે. આંખના આ ધર્મને ‘મંદત્વ’ કહે છે. તથા જયારે દશ્યને જોવા માટે આંખ અસમર્થ બને છે ત્યારે દૃષ્ટિવિહીન આંખના ધર્મને ‘અંધત્વ’ કહે છે. આમ, અંધત્વ, મંદત્વ અને પટુત્વ વિગેરે આંખના ધર્મો છે. આ જ પ્રમાણે ઇન્દ્રિયોના સતેજપણાના, મંદપણાના તથા નિસ્તેજપણાના લીધે કર્ણેન્દ્રિયમાં ઓછું સાંભળવું કે બહેરાશ આવવી, ઘાણેન્દ્રિયમાં દૂરથી જ પુષ્પોની સુગંધને પારખવી કે ગંધનો ખ્યાલ ન આવવો વિગેરે જેવા ગુણો, સ્વાદની સમજ ન પડવી અથવા સ્વાદનો સચોટ ખ્યાલ આવવો તથા સ્પર્શેન્દ્રિયને સ્પર્શનો તત્કાળ ખ્યાલ આવવો કે પછી લકવા જેવા રોગીને સ્પર્શનો અનુભવ ન થવો અર્થાત્ ચામડી જૂઠી પડી જવી વિગેરે જે તે ઇન્દ્રિયોના ધર્મો છે. ઉપરોક્ત તમામ ઇન્દ્રિયોના ધર્મોને જાણનાર આત્મા, તે સૌનો જ્ઞાતા હોવાથી, તે સૌથી ભિન્ન છે, તેથી તે બધા ધર્મો સાક્ષી આત્માના નથી. આ જ પ્રમાણે કર્મેન્દ્રિયોની કમજોરી કે ખામીઓથી આત્મા તેવી ખામીવાળો બનતો નથી. તે જ કા૨ણે ઇન્દ્રિયધર્મોથી અલિપ્ત આત્મા બહેરો, મૂંગો, આંધળો કે લંગડો બનતો નથી. તેમ છતાં અજ્ઞાનીજન