________________
૧૦૬
૩. કારણશરીર – આ કારણશરીર જ પૂર્વોક્ત સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને શરીરોની પ્રાપ્તિનું કારણ છે. આ કારણશરીરનો જ પર્યાય શબ્દ અજ્ઞાન છે કારણ કે અજ્ઞાન જ સ્થૂળ અને સૂક્ષ્મશરીરના જન્મનું કારણ હોવાથી કારણશરીર તરીકે ઓળખાય છે.
સ્થૂળશરીરનો પ્રતીત થતો જન્મ હકીકતમાં તો આત્મા ઉપર થયેલું આરોપણ માત્ર છે. તે ખરેખર સાચો જન્મ નથી. જેમ માટીના અજ્ઞાનથી માટી ઉપર ઘડો, ઈટ, નળીયા વગેરે નામ અને આકારનું આરોપણ માત્ર થાય છે, તથા જેવી રીતે સોના ઉપર બંગડી, વીંટી, બુટ્ટી વગેરે પ્રકારના ઘરેણાંનું આરોપણ થાય છે તે જ પ્રમાણે સ્થૂળશ૨ી૨નો જન્મ પણ આત્મા ઉપર થયેલું આરોપણ માત્ર છે. અન્ય દૃષ્ટાંત જોતાં સ્પષ્ટ થશે કે દેહનો જન્મ તે વાસ્તવિક નહીં પરંતુ કલ્પિત છે. ચલચિત્રના પડદા પર અનેક અભિનય કરતા પાત્રોનું અને પદાર્થોનું આરોપણ થાય છે. ચલચિત્રમાં જેવી રીતે વ્યક્તિનો જન્મ, તેનું બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા વગેરે દેખાય છે, તેમ છતાં તે બધું જ પડદા ઉપર માત્ર આરોપરૂપે છે. તેવી જ રીતે આત્મારૂપી પડદા ઉપર છગન, મગન વગેરે વિવિધ પાત્રોનું અજ્ઞાનને કા૨ણે માત્ર આરોપણ થાય છે. સૌ પ્રથમ અજ્ઞાનથી આરોપણ થયું અને ત્યારબાદ આરોપને સાચું માની સ્થૂળદેહને ‘હું’ તરીકે સ્વીકારી શરીરને જ ‘હું’ સત્યતા આપવા લાગ્યો. આમ, શરીર સાથેના તાદાત્મ્યનો જન્મ થતાં જ જીવનમાં બંધનોની હારમાળા સર્જાય છે. શ૨ી૨ને ‘હું’ માનવાથી સૌથી પ્રથમ અને મહાન ભય મારાં મનમાં મૃત્યુનો ઊભો થયો. શ૨ી૨ના મૃત્યુથી મારો નાશ થશે, એવું સ્વીકારી આ મહાન ભયમાંથી મુક્ત થવા જીવનમાં હું અનેકવિધ ઉપાયો આચરતો રહ્યો. છતાં મને મૃત્યુમાંથી બચવાનો કોઈ ઉપાય આજ સુધી હસ્તગત થયો નહીં.
સૌ પ્રથમ શરીર સાથે તાદાત્મ્ય થયા બાદ શરીર દ્વારા થતાં કર્મોનો ‘હું’ કર્તા બન્યો અર્થાત્ શરીર દ્વારા જે જે કર્મો થયા તે તે કર્મો ‘હું’ કરું છું તેવા કર્તાપણાના અભિમાનથી ‘હું’ કર્મનો કર્તા બન્યો. તે જ પ્રમાણે કર્મના પરિણામે ઉત્પન્ન થતાં ફળને સ્વીકારી કર્મફળનો ભોક્તા પણ હું જ