________________
૧૨૦ ગહન, ગૂઢાર્થ શાસ્ત્રોના રહસ્યોને ઉકેલવા માટે કોઈ માર્ગદર્શક ગુરુ પાસે જવું અનિવાર્ય છે, જે શાસ્ત્રોના રહસ્યોને ઉકેલી શિષ્યની શંકાનું નિરસન કરી શકે છે. તે માટે ગુરુ એવા હોવા જોઈએ કે જેમણે શાસ્ત્રનું અધ્યયન કરેલું હોય, એટલું જ નહીં, પરંતુ જેમણે શાસ્ત્રોના રહસ્યોને ઘોળીઘોળીને પચાવ્યા હોય; વેદાંત જેવા મોક્ષશાસ્ત્રમાં જેમનું જીવન ઓતપ્રોત હોય. શાસ્ત્રોના ગૂઢાર્થને માત્ર બુદ્ધિથી જ નહીં પરંતુ જીવનમાં અપનાવી તેને આત્મસાત્ કરી તે પ્રમાણેનું જીવન જીવતા હોય તેવા શ્રોત્રિય ગુરુ પાસે વિધિપૂર્વક જવું જોઈએ. આવા શાસ્ત્રવેત્તા તેમજ શાસ્ત્રની અટપટી આંટીઘૂંટીને ઉકેલી શકે તથા શાસ્ત્રના શબ્દો પાછળ છૂપાયેલા અક્ષર પરમાત્માનો નિર્દેશ કરી શકવાની ક્ષમતા જેમનામાં હોય તેવા સમર્થ ગુરુને શ્રોત્રિય કહેવાય છે. આવા શ્રોત્રિય ગુરુ જ તત્ત્વની સ્પષ્ટતા પ્રાપ્ત કરી આત્મતત્ત્વમાં સ્થિત થયા હોય છે. જેમણે શાસ્ત્રના રહસ્યો ઉકેલી તેમાં દર્શાવેલા અભેદ તત્ત્વમાં નિષ્ઠા પ્રાપ્ત કરી હોય તેવા નિષ્ઠાવાન ગુરુને બ્રહ્મનિષ્ઠ કહે છે. જેની પાસે શાસ્ત્રના માત્ર શબ્દો કે પછી વાપટુતા કે માત્ર પાંડિત્ય જ હોય તેવું નહીં પરંતુ શાસ્ત્રમાં નિર્દેશાયેલા તત્ત્વના આત્મસાક્ષાત્કાર દ્વારા સ્વયંના આત્મસ્વરૂપમાં જેમણે નિષ્ઠા પ્રાપ્ત કરી છે તેવા તત્ત્વવિતને બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે છે. આમ, શંકરાચાર્યજી અજ્ઞાનને નિર્મૂળ કરવા, જ્ઞાનની જ્યોતને પ્રજવલિત કરવા તીવ્ર મુમુક્ષાયુક્ત થઈ શ્રોત્રિયબ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવાનો જ ઉપદેશ કરે છે. તેમનો આ ઉપદેશ શ્રતિસંમત અને શાસ્ત્રસંગત છે. મુંડકોપનિષદમાં પણ ઋષિ અંગિરસ શૌનક મુનિને ઉપદેશ આપતા જણાવે છે કે,
"तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ॥"
( [મુંડકોપનિષદ-૧-ર-૧૨] “તે (પરબ્રહ્મ)ને જાણવા માટે તે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની પાસે હાથમાં સમિધા લઈને જવું જોઈએ.” જીજ્ઞાસુએ રાગ-દ્વેષના ભેજ વિનાના સૂકા કાષ્ઠવત અંતઃકરણ સાથે ગુરુ સમીપ ઉપસ્થિત થવાના લક્ષ્યાર્થને