________________
છે. તેમ છતાં અનાયાસે વસંતૠતુની માફક તેમના આગમનથી જ કે પછી તેમની હાજરી માત્રથી જ તેમના સાંનિધ્યમાં રહેલા સર્વ જીજ્ઞાસુઓની જીજ્ઞાસા સંતોષાય છે. તેમની વાસનાઓ પરિપૂર્ણ થાય છે અને તેઓ સંતોષ કે તૃપ્તિને અનુભવતા હોય છે.
વસંતઋતુના આગમનથી વૃક્ષો ઉપર પુષ્પો ખીલે છે. નવી નવી કળીઓ ફૂટે છે. છોડ પાંગરે છે તેમજ બાગોમાં બહાર આવે છે. તેના આગમનથી વાતાવરણ આલ્હાદક બને છે. આમ વસંતૠતુ પોતે અક્રિય હોવા છતાં તેના આગમનથી જ વાતાવરણ બદલાઈ જાય છે. આબોહવા ખુશનુમા બની જાય છે. જે પ્રાણીમાત્રને આનંદ, ઉલ્લાસ, શાંતિ કે સંતોષ પ્રદાન કરે છે. તે જ પ્રમાણે સંતોના આગમનથી જ તેમની આસપાસનું વાતાવરણ ખુશનુમા બને છે. તેવા જ્ઞાનીજનોની હાજરી માત્રથી જ અનેક મનુષ્યો પ્રેરણા પ્રાપ્ત કરે છે, ત્યાગ અને શાંતિનો અહેસાસ માણે છે, અને અનાયાસે જ વાસનામુક્તિ તરફ જવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. આમ, વસંતૠતુની જેમ જ્ઞાની કંઈ ન કરે તે છતાં ઘણું બધું તેમની હાજરીમાત્રથી થઈ જતું હોય છે.
૧૩૦
આ પ્રમાણે વાસનામુક્ત અત્યંત શાંત એવા મહાન સંત જ્યાં જ્યાં ભ્રમણ કરે છે, વિચરણ કરે છે, ત્યાં ત્યાં અનાયાસે શરણાગત મુમુક્ષુઓને મોક્ષાર્થે પ્રેરી તેમના અજ્ઞાનને દૂર કરવાનો પ્રયત્ન અકર્તાભાવે કરતા રહે છે. તેવા આત્મનિષ્ઠ સંતોના ચરણકમળમાં વંદન કરી આપણે પણ
અજ્ઞાનનાબૂદીનો માર્ગ શોધવા પ્રવૃત્ત થઈએ.
(છંદ–વંશસ્થવિલ)
अयं स्वभावः स्वत एव यत्पर श्रमापनोदप्रवणं महात्मनाम् I सुधांशुरेषः स्वयमर्ककर्कशप्रभाभितप्तामवति क्षितिं किल ॥४०॥
l:
(જેમ) આ सुधांशुः ચંદ્રમા સ્વયં તિ= પોતે જ
=
=
अर्क-कर्कश - प्रभाभितप्ताम्
=
- સૂર્યના આકરા તાપથી સંતપ્ત થઈને