________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨. મિશ્ર-સ્ત્રી દ્રવ્યથી – સચિત્ત-કૃમી, મિશ્ર-ગર્ભદ્રવ્ય, અચિત્ત-શોણિત ૩. અચિત્ત-કાષ્ટ દ્રવ્યથી – સચિત્ત કૃમી, મિશ્ર-ધૃણા, અચિત્ત-વૃણાનું ચૂર્ણ.
અથવા વિકલ્પના વશથી સર્ભાવથી અથવા ઉપચારથી જે દ્રવ્યનો જે દ્રવ્યથી નિર્ગમ થાય, તે પણ દ્રવ્ય નિર્ગમ કહેવાય છે. (૧) યથાસભાવ – દુધમાંથી ઘી વગેરે અહીં, ભૂમિમાંથી સંમૂચ્છિમ તાડની ઉત્પત્તિની જેમ દૂધમાંથી ઘી નીકળતું દેખાતું નથી, પણ ઘી આદિના પરિણામ કારણરૂપે દુધ જણાય છે. તેથી વિકલ્પ વશાત્ સભાવથી દ્રવ્યનિર્ગમ કહેવાય છે. (૨) ઉપચાર – રૂપિયાથી ભોજનાદિ.
ક્ષેત્રનિર્ગમ :- ક્ષેત્રનો નિર્ગમ પણ સ્વરૂપથી નથી. કારણ કે, તે અક્રિય છે. પરંતુ ક્ષેત્રથી દ્રવ્ય નિર્ગમ થાય છે. જેમકે, ક્ષેત્રા-આયુષયાદિ સમયે ઉર્ધ્વ-અધોલોકાદિક્ષેત્રથી દેવ-નારક દ્રવ્યનો નિર્ગમ. ક્ષેત્રે-ધાન્યાદિનો નિર્ગમ. ઉપચારથી ક્ષેત્રસ્ય-જેમકે લોકક્ષેત્રથી નિષ્કટો નીકળ્યા, તે ભલે સ્વરૂપથી અવસ્થિત છે છતાં નિર્ગમક્રિયાના અભાવે પણ નીકળેલા જેમ સમજાય છે.
નિર્ગત ક્ષેત્ર – રાજકુલાત જેમકે રાજકુળથી ક્ષેત્ર પ્રાપ્ત થયું, ભરતાદિક્ષેત્રદુષમાદિકાલાત્ દુકાળના ઉપદ્રવથી ભરતાદિ ક્ષેત્ર નીકળ્યું, ઇત્યાદિ.
કાળઃ- સ્વરૂપથી નિષ્ક્રિય છે, દ્રવ્યદ્વારથી જ તેની ક્રિયા પ્રવૃત્તિ છે, જેમકે હરિયાળી જે વર્ષાદિ કાળમાં ઉત્પન્ન થાય છે. તે કાળનિર્ગમ અથવા ઉપચારથી-શબ્દ સમયે એ પ્રગટ્યો, દુકાળથી પાર ઉતર્યા, બાળકાળથી નીકળ્યો વગેરે.
ભાવ:- ભાવનિર્ગમ પણ કાળની જેમ દ્રવ્યધર્મ જ છે.
આ રીતે છ પ્રકારના નિર્ગમ કહીને હવે પ્રકૃતિમાં જેનું પ્રયોજન છે તે પ્રશસ્તભાવ નિર્ગમમું સ્વરૂપ બતાવે છે.
મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ રૂપ અપ્રશસ્તભાવોમાંથી મુક્તિપદની પ્રાપ્તિમાં કારણભૂત સમ્યક્તાદિ ગુણ રૂપ પ્રશસ્તભાવમાં નિર્ગમ, તે પ્રશસ્તભાવ નિર્ગમ.
પ્રસ્તુતમાં સામાયિક અધ્યયન છે તે ક્ષાયોપથમિક ભાવમાં વર્તે છે. એટલે અહીં તે જ પ્રશસ્ત ક્ષાયોપશમિક ભાવથી જે મહાવીરથી નિર્ગમરૂપ પ્રસૂતિ છે તેનો જ વિશેષાધિકાર છે તથા અપ્રશસ્તમિથ્યાત્વાદિ વિષય-ઔદાયિકભાવનો જે નાશ છે તેનો પણ અધિકાર છે. આ સિવાયના બીજા નિર્ગમના દ્રવ્યાદિ ભેદો પ્રસ્તુત પ્રશસ્તભાવ નિર્ગમના કારણભૂત છે. જેમકે -