________________
૧૬૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
કરાય છે? વગેરે યુક્તિથી વિનાશની નિહેતુતા પૂર્વે અહીં જ બતાવી છે તેથી એ નિર્દેતક થાય તો શરૂઆતથી જ નાશ થાય, તેથી પર્યત પણ તેનો નાશ જણાય છે. એટલે પર્યતે નાશદર્શન હેતુથી પદાર્થના ક્ષણિકત્વની સિદ્ધિ થાય છે ને?
ઉત્તર-૯૬૬ - પર્યન્ત નાશદર્શન હેતુથી જ અમે એમ કહી શકીએ કે “ન ક્ષણિક” પ્રતિ ક્ષણ વસ્તુ વિનાશ થતી નથી. પર્યન્ત જ તેના નાશથી ઉપલબ્ધિ છે. જેમકે ઘટાદિ વસ્તુ ક્ષણ વિનાશી નથી અને યુક્તિ બાધિત હોવાથી આ ઉપલબ્ધિ બ્રાન્ત છે એવું કહી ન શકાય. કારણ કે, સર્વત્ર બધાને એક જ પ્રતીત છે કે છેલ્લે જ નાશ થતો જણાય છે. એટલે આ પ્રતીતિથી તમારી યુક્તિઓમાં જ બાધ આવે છે. જેમકે શૂન્યવાદિની યુક્તિઓ એ પણ પ્રત્યક્ષ પ્રતીતિઓથી બાધિત થાય છે.
પ્રશ્ન-૯૬૭ – જો શરૂથી જ વસ્તુઓનો વિનાશ થાય તો શું થાય?
ઉત્તર-૯૬૭ – જો પ્રતિક્ષણ નાશ થાય તો જેમ પર્યન્ત દરેકને એ નાશ થતો દેખાય છે તેમ આદિ-મધ્ય સર્વત્ર એ નાશ દેખાય.
પ્રશ્ન-૯૬૮- એ તો છેલ્લે દેખાય છે આદિ-મધ્યમાં નથી દેખાતો એમાં અમે શું કરીએ?
ઉત્તર-૯૬૮ - તો તમને પૂછીએ કે એ નાશ શા માટે વસ્તુ અભાવરૂપે સર્વત્ર સમાનનિર્વિશેષ સ્વરૂપ પણ થતો મુગરાદિથી કરેલા સર્વનાશમાં પર્યતે દેખાય છે. અને આદિ-મધ્ય સર્વત્ર તમે માનેલો સર્વ પ્રતિક્ષણ ક્ષળિ થતો જણાતો નથી એનું કારણ કહો માત્ર પગફેલાવવા સારા નથી.
પ્રશ્ન-૯૬૯ – પર્યન્ત નાશદર્શનરૂપ હેતુ સિદ્ધ માનીને દુષણ કહ્યું ત્યાં સુધી આ હેતુ જૈનોનો પણ અસિદ્ધ છે. કારણ કે, પર્યન્ત પણ તેઓ ઘટાદીનો સર્વથા નાશ માનતા નથી એ બતાવીએ છીએ.
અથવા હે ક્ષણભંગવાદિ! અંતે પણ મુગરાદિના સંનિધાનમાં ઘટાદિવસ્તુનો સર્વનાશ ક્યા પ્રતિવાદિ જૈને માન્યું છે કે જે ઉપલબ્ધિ દર્શનના આધારે તું ક્ષણભંગરૂપ ઘટાદિના પ્રતિક્ષણવિનાશની કલ્પના કરે છે? જો મુગરાદિ સંનિધાનમાં ઘટાદિ વસ્તુનો સર્વવિનાશ જૈનો માનતા નથી તો તે અવસ્થામાં ઘટ દેખાતો નથી, કપાલો જ દેખાય છે એવું કેમ માને છે?
ઉત્તર-૯૬૯- એવું તું કહેતો હોય તો અહો ! માટીરૂપે અવસ્થિત ઘટદ્રવ્યના જ ભૂતભાવિ અનંત પર્યાયાપેક્ષાએ તે કપાલો પણ પર્યાય વિશેષ છે, ત્યારે ઘટનો સર્વથા વિનાશ